________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનઃ ૭૫ દૃષ્ટિને મુખ્ય કરે-આટલી મહેનત કરવાને બદલે-આત્મા ચૈતન્ય છે-ફક્ત એટલું જ અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા સમ્યગ્દર્શન છે કે નહિ?
ઉત્ત૨:- નહિ; નાસ્તિક મત સિવાય બધા મતવાળા આત્માને ચૈતન્યમાત્ર માને છે. જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો બધાને સમ્યક્ત્વ સિદ્ધ થઈ જશે. સર્વજ્ઞ વીતરાગે આત્માનું જેવું સ્વતંત્ર અને પૂર્ણસ્વરૂપ કહ્યું છે-તેવું આ સમાગમથી જાણીને, સ્વભાવથી નિર્ણય કરીને તેનું જ શ્રદ્ધાન કરવાથી નિશ્ચય સમ્યક્ત્વ થાય છે. સર્વજ્ઞને સ્વીકારનારા જીવે એ નિર્ણય કર્યો છે કે અલ્પજ્ઞ જીવ અપૂર્ણ અવસ્થાના કાળમાં પણ સર્વજ્ઞ ૫૨માત્મા જેવો પૂર્ણ સામર્થ્યવાન છે. પૂર્ણને સ્વીકારનાર હરેક સમયે પૂર્ણ થવાની શક્તિ ધરાવે છે. પરોક્ષ જ્ઞાનમાં, વસ્તુના વર્તમાન સ્વતંત્ર ત્રિકાળી અખંડ પૂર્ણ સ્વરૂપનો નિર્ણય પૂર્ણતાના લક્ષ્યથી જ થાય છે. શુદ્ઘનયથી એમ જાણવું એ નિશ્ચયસમ્યક્ત્વ છે.
હિન્દી આત્મધર્મ, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૪ (૨૩૭)
પ્રશ્ન:- જે ક્રિયાનયથી સિદ્ધિ સાધ્ય છે તેવો એક ધર્મ છે અને જ્ઞાનનયથી સિદ્ધિ સાધ્ય છે તેવો પણ એક ધર્મ છે; તેવી રીતે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પણ સમ્યગ્દર્શન થાય અને નિર્મળ પર્યાય સહિત દ્રવ્યના આશ્રયે પણ સમ્યગ્દર્શન થાય, એમ છે?
ઉત્ત૨:- ના; એક જ સમયે જાણવા લાયક ક્રિયાનય ને જ્ઞાનનય ઈત્યાદિ અનંત ધર્મો છે. પરંતુ સમ્યગ્દર્શનનો વિષય એક નયે ત્રિકાળી દ્રવ્ય પણ છે ને બીજા નયથી જોતાં પર્યાય સહિતનું દ્રવ્ય પણ સમ્યગ્દર્શનનો વિષય બને એવો કોઈ ધર્મ જ નથી. સમ્યગ્દર્શનનો વિષય તો માત્ર ભૂતાર્થ એવું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ( પર્યાય રહિતનું) જ છે. તેના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે, અન્યથા સમ્યગ્દર્શન થતું નથી. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૬
(૨૩૮ )
પ્રશ્ન:- સમ્યગ્દર્શન તો રાગ છોડે ત્યારે થાય ને?
ઉત્ત૨:- પ્રથમ રાગ ન છૂટે, પણ રાગની રુચિ છોડી સ્વભાવની રુચિ કરે છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનમાં રાગની ભિન્નતા થાય છે. રાગ છૂટતો નથી પણ રાગને દુઃખરૂપ જાણીને તેની રુચિ છૂટે છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩
(૨૩૯ )
પ્રશ્ન:- ગુણભેદના વિચારથી પણ મિથ્યાત્વ ન ટળે, તો મિથ્યાત્વને ટાળવું કેમ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com