Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 9
________________ દિ ૨ સુધીમાં કરે તેમ સૂચના કરવામાં આવી અને આ કેસમાં જે દંડ કરવામાં આવે તે ત્રણે તાલુકાના અત્યાર અગાઉના મજમુ ધોરણે વહેંચી લે તેમ ઠરાવવામાં આવ્યું. છે. ૬ સંમેલનના ચાલતા પ્રસંગ દરમિયાન મુંબઈથી શ્રી સમઢીયાળા મહાન વતી કાર્યકર્તા તરીકે શા માણેકચંદ પાનાચંદ તથા તેના વતી સોલીસીટર કેગીપ્લેટ અને કેરે કુ. ના નામથી સંમેલનના પ્રમુખશ્રી વિ. ના સિરનામે જે તારે આવેલા હતા તે રજુ કરવામાં આવ્યા. આ તારોની મતલબ એવી હતી કે સમઢીયાળા મહાગનની વતી શા. માણેકચંદ પાનાચંદને પત્રવહે. વાર ચીતળ અને પાલીતાણું મહાઝના સાથે ચાલુ છે. તે દરમિયાન સંમેલને આ કેસ હાથ ધરે નહિ. આ કેસમાં સંડોવાએલ શા માણેકચંદ પાનાચંદ સમઢીયાળા (બાબરા નજીક) ના રહીશ છે અને તે હાલ રાજકેટ રહે છે. આવેલ તારે તેની ગેરહાજરીમાં તેના કેઈ લાગતાવળગતાએ મુંબઈથી કર્યા હોય તેમ માનવાને કારણુ હતાં, છતાં તેણે પોતેજ કર્યા હોય તે પણ સમઢીયાળા કે તેમાં વસતી દરેક વ્યક્તિ ચીતળ તાલુકાને જવાબદાર છે, અને ચીતળ મહાજનના કેઈપણ ઠરાવને પાળવાને તે બંધાએલ છે. વળી માણેકચંદ પાનાચંદ એ વરચંદ પાનાચંદના ભાઈ થાય છે. તે સ્થિતિમાં પોતાના ભાઈના કાયદા વિરૂદ્ધના વર્તનને ઉત્તેજન આપનારૂં પ્રચારકામ તેમણે અને તેમની અનુમતી નીચે અત્યાર અગાઉ થયું હોય તેમ બહાર આવેલા વિચારોથી જણાય છે એટલે તેની જવાબદારી વધે છે. સમઢીયાળા ગામ સરહદથી ઘણું દૂર પડતું અને છેક હાલારને લગતું છે અને શા માણેકચંદને વસવાટ ત્યાં પણ નથી. આ સ્થિતિમાં સમઢીયાળાને ઘેાળમાં રહેવા દેવું કે કેમ એ પણ એક પ્રશ્ન છે. આ સ્થિતિમાં આ કેસને છેવટને નિર્ણય કરવાને ખાસ કમીટીની ચુંટણું કરવામાં આવી અને અનુકૂળ ટાઈમ પહેલી તકે આ કમીટી મળીને જે નિર્ણય કરે તે સર્વેએ મંજુર ગણવાને ઠરાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92