Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 20
________________ द्वात्रिंशिका • ૫ થી ૮ બત્રીસીનો ટૂંકસાર • તેવો ખોરાક સ્વરૂપથી સદોષ જ છે. વેદમાં પણ કહેલ છે કે “વેદ ભણીને જ પત્ની સંગ્રહ નિમિત્તે સ્નાન કરવું.” ત્યાં વેદ ભણવા ઉપર ભાર આપેલ છે, લગ્ન કરવા ઉપર નહિ. આનાથી પણ સિદ્ધ થાય છે કે બ્રહ્મચર્ય પાળવું તે લગ્ન કરતાં ચઢીયાતું છે. અશુભ પ્રવૃત્તિથી અટકવું એ યોગ્ય જ ગણાય ને ! માટે અબ્રહ્મસેવનમાં હિંસાદિ દોષો હોવાથી તેને શુભ-નિર્દોષ કહી ન શકાય. તેથી મૈથુનપ્રવૃત્તિથી અટકવું એ જ યોગ્ય અને નિર્દોષ ગણાય, નહિ કે તેનું સેવન. બાકી તો મૈથુનને યોગ્ય માનવામાં ધર્મસાધનાનો જ અનાદર થશે. (ગા.૧૯-૨૩) મંડલતંત્રવાદીઓ ગમ્ય-અગમ્યનો વિવેક સ્વીકારતા નથી. “ઈચ્છા પૂરી થવા દો તો રાગ-દ્વેષ રૂપ સંકુલેશ ન થાય' આવું તેઓ માને છે. પણ ગ્રંથકારશ્રી સંભોગથી સમાધિ માન્ય કરતા નથી. તેઓ મંડલતંત્રવાદીમતનું નિરાકરણ કરતા જણાવે છે કે અગ્નિમાં નાખેલા ઇંધણથી અગ્નિનો ભડકો વધે છે તે રીતે પત્નીની જેમ મા-બેન સાથે ભોગસુખની પ્રવૃત્તિમાં રાગાદિરૂપ સંકલેશ વધે જ છે, ઘટતો નથી. માટે તેમની તથા રજનીશની પણ તેવી વાત સાચી નથી. (ગા.૨૪). બૌદ્ધ લોકો તપનો અનાદર કરે છે. “તપ એ દુઃખ રૂપ છે. દુઃખરૂપ એવા ઉપવાસથી તપસ્વી થવાતું હોય તો આખી દુનિયા તપસ્વી બની જશે. વળી તપ એ આર્તધ્યાનનો હેતુ છે.” આવી બૌદ્ધની વાત વ્યાજબી નથી. કારણ કે જૈન આગમમાં કહેલ છે કે “આર્તધ્યાન ન થાય, ઈન્દ્રિયની શક્તિ ન ઘટે, સંયમની આરાધના હાનિ ન પામે તે રીતે તપ કરવો.” માટે તપ દુઃખરૂપ નથી. વિવેકયુક્ત આવો તપ આરોગ્ય, આત્મકલ્યાણ વગેરે લાભો કરાવે છે. વળી તપ વીર્યંતરાયકર્મના ક્ષયોપશમથી થાય છે. માટે તપ ઔદયિક = કર્મોદયજન્ય નથી. માટે બૌદ્ધની તપ કર્મોદયથી થાય' એ વાત પણ ખોટી છે. (ગા.૨૫-૨૬). આ બત્રીસીમાં છેલ્લો મુદો દયા અંગે છે. દયા માટે જીવતત્ત્વનો બોધ હોવો જરૂરી છે. માટે જ દશવૈકાલિકસૂત્રમાં કહેલ છે કે “પ્રથમ જ્ઞાન, પછી અહિંસા.” ગ્રંથકારશ્રી વિવિધ નયથી દયાનું નિરૂપણ કરતા જણાવે છે કે બીજાના પ્રાણોની રક્ષા તે વ્યવહારનયથી દયા છે. અને નિર્વિકલ્પ સ્વભાવરૂપ પોતાના ભાવપ્રાણોનું રક્ષણ કરવું તે નિશ્ચયથી દયા છે. વિવેકપૂર્વક શાસ્ત્રોક્ત રીતે શક્ય જયણાથી પ્રવૃત્તિ કરવામાં જો બીજા જીવને પીડા થઈ જાય તો પણ તે દોષકારક નથી. અને જયણા વગરનો જીવ પરપીડા ન કરે તો પણ તે હિંસા જ છે. આવું નિરૂપણ કરતી વખતે ગ્રંથકારશ્રી ઓઘનિયુક્તિનો સંદર્ભ ટાંકે છે. ગ્રંથકારશ્રી જણાવે છે કે તત્ત્વાર્થસૂત્રમાં પણ પ્રમાદને હિંસાનું કારણ કહેલ છે. તથા અહિંસાનું લક્ષણ અપ્રમાદ છે. (ગા.૨૭ થી ૨૯). આગળ વધતાં રહસ્યોદ્દઘાટન કરતા ગ્રંથકાર શ્રીમદ્જી જણાવે છે કે સમગ્ર શ્રતને ધારણ કરનાર તથા વિશુદ્ધ નિશ્ચયનયમાં એકાગ્ર ચિત્તવાળા સાધુ શ્રેષ્ઠ રહસ્ય બતાવે છે કે ચિત્તનો પરિણામ-ભાવ એ જ પ્રમાણભૂત છે. અર્થાત્ કર્મબંધ કે કર્મનિર્જરા પ્રત્યે બાહ્ય પ્રવૃત્તિ નહિ પણ અંતઃકરણનો અધ્યવસાય જ મુખ્યતયા જવાબદાર છે. તેથી જ બહારમાં વિરાધના દેખાવા છતાં ગજસુકુમાળ મુનિ વગેરેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. (ગા.૩૦) ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે કે બેદરકારીથી હિંસામાં જોડાવું તે વિશુદ્ધ મન-વચન-કાયાવાળા જીવનું ચિહ્ન નથી. માટે સદાચાર અને શુદ્ધ ભાવ દ્વારા મોક્ષમાર્ગે આગળ ધપવું જોઈએ. (ગા.૩૧) ગ્રંથકારશ્રી અંતમાં મહત્ત્વની હિતશિક્ષા આપતા જણાવે છે કે કલિકાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 372