Book Title: Dharm Sangraha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 177
________________ ૧૬૦ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ સત્પાત્રદાનપૂર્વક જ શ્રાવકે ભોજન કરવું જોઈએ એ પ્રમાણે નિષ્કર્ષ છે. વળી અત્રય કહેવાયેલો જ છે=વિશેષથી ગૃહસ્થધર્મ છે એ પ્રમાણે અવય પહેલાં કહેવાયેલો જ છે. અને અહીં ભોજન કરવું એ અનુવાદ છે અર્થાત્ કર્તવ્ય નથી પરંતુ શ્રાવક ભોજન કરે છે તે મધ્યાહનની અર્ચા પછી કરવું જોઈએ એ પ્રકારે અનુવાદકકથન છે. મધ્યાતની પૂજા અને ભોજનનો કાલનિયમ નથી. દિ=જે કારણથી, તીવ્રબુભક્ષાવાળાની ભૂખનો કાલ ભોજનકાલ છે એ પ્રકારની રૂઢિ હોવાથી મધ્યાતથી પૂર્વમાં પણ ગ્રહણ કરાયેલ પ્રત્યાખ્યાનને પૂર્ણ કરીને દેવપૂજાપૂર્વક ભોજનને કરતો શ્રાવક દોષ પામતો નથી. અને અહીં સુપાત્રદાનના વિષયમાં આ વિધિ છે. ભોજનવેલામાં સાધુઓને નિમંત્રણ કરીને તેઓની સાથે ઘરે આવે છે અથવા સ્વયં મુનિને આવતા જોઈને સન્મુખ ગમતાદિ કરે છે. દિ=જે કારણથી, સાધુઓને પ્રતિપત્તિપૂર્વક સત્કારપૂર્વક, વહોરાવવું શ્રાવકોને વ્યાપ્ય છે. અને તે=પ્રતિપતિ, યોગશાસ્ત્રમાં આ પ્રમાણે છે. અભ્યત્થાન=સાધુ આવે ત્યારે ઊભા થવું અને ત્યારે સાધુ આવે ત્યારે આલોકમાં સાધુના અવલોકનમાં અભિયાન=સમ્મુખ ગમન, તેના આગમનમાં=સાધુના આગમનમાં, મસ્તક ઉપર અંજલિનો સંશ્લેષ=હાથ જોડવા, સ્વયં આસન આપે.” (યોગશાસ્ત્ર-૩-૧૨૫) “ભક્તિથી આસનનું ગ્રહણ, વંદના, પર્યાપાસના તેમના જવામાં સાધુના જવામાં, અનુગમ=સાધુની પાછળ જવું, એ ગુરુની પ્રતિપત્તિ છે-ગુરુની ભક્તિ છે.” (યોગશાસ્ત્ર-૩-૧૨૬) દિનકૃત્યમાં પણ કહેવાયું છે. “આસનથી નિમંત્રણ કરે=સાધુઓને બેસવા નિમંત્રણ કરે ત્યાર પછી પરિજનથી સંયુક્ત એવો શ્રાવક ક્ષમાદિ ગુણયુક્ત મુનિના ચરણમાં વંદન કરે." (શ્રાદ્ધદિનકૃત્ય-૧૭૩) શ્લોકમાં ‘તાદે' શબ્દના સ્થાને “પાદે પાઠ છે. આ પ્રમાણેકપૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, સવિનય પ્રતિપત્તિને કરીનેaઉચિત ભક્તિ કરીને, સંવિગ્ન-અસંવિગ્ન ભાવિત ક્ષેત્રનો, સુભિક્ષ-દુભિક્ષ આદિ કાલનો, સુલભ-દુર્લભ આદિ દેય દ્રવ્યનો=આપવા યોગ્ય દ્રવ્યનો વિચાર કરીને આચાર્ય-ઉપાધ્યાય-ગીતાર્થ-તપસ્વી-બાલવૃદ્ધ-ગ્લાનસહ=સમર્થ, અસહ=અસમર્થ આદિ પુરુષાદિની અપેક્ષાથી સ્પર્ધા-મહત્વ-મત્સર-સ્નેહ-લજ્જા-ભયદાક્ષિણ્ય-પરાનુવર્તના=બીજાનું અનુસરણ, પ્રત્યુપકારની ઈચ્છા, માયા, વિલંબ, અનાદર, વિપ્રિયઉક્તિ= કટુવચનો, પશ્ચાત્તાપ, દીનતા આદિ દોષના વર્જનવાળું એકાંત આત્મા અનુગ્રહ બુદ્ધિથી ભિક્ષાના ૪૨ દોષાદિથી અદૂષિત સંપૂર્ણ પોતાનું અન્ન-પાન-વસ્ત્ર-ભોજન આદિના અનુક્રમથી સ્વયં દાન આપે અથવા પાસે રહીને પત્ની આદિ પાસેથી અપાવે, જે કારણથી દિનકૃત્યમાં કહેવાયું છે. “વળી દેશ-ક્ષેત્રને જાણીને તે પ્રકારે પુરુષ અવસ્થાને જાણીને જેમ રોગીની વૈદ્ય ચિકિત્સા કરે છે તેમ ત્યાર પછી ક્રિયાનો પ્રયોગ કરે છે=શ્રાવક સાધુને આહારદાનાદિની ક્રિયા કરે છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૭૪) દેશ મગધ, અવંતી આદિ સાધુ વિહાર યોગ્યાયોગ્ય રૂપ છે. ક્ષેત્ર સંવિગ્ન ભાવિત અથવા

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244