Book Title: Dharm Sangraha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 195
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ પ્રત્યુપન્ન વિષયવાળું છે અને પ્રત્યાખ્યાન દ્વારા અનાગત વિષયવાળું છે. એથી કોઈ દોષ નથી=‘અઈઅં નિંદામિ'માં અતીતનું પ્રતિક્રમણ કહ્યું અને ષટ્આવશ્યકમાં અશુભયોગની નિવૃત્તિ માત્ર કરનાર પ્રતિક્રમણ શબ્દ છે એમ કહ્યું તેથી ત્રણકાલના વિષયવાળું પ્રતિક્રમણ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ રીતે=પૂર્વમાં કહ્યું કે અશુભયોગની નિવૃત્તિ માત્રરૂપ પ્રતિક્રમણ છે એ રીતે, ત્રિકાલ વિષયવાળું પ્રતિ પગલે પાછા ફરવારૂપ પ્રતિક્રમણ છે એ સિદ્ધ થયું. અને આ=પ્રતિ પગલે પાછા ફરવું એ વ્યુત્પત્તિ માત્ર છે=પ્રતિક્રમણ શબ્દની વ્યુત્પત્તિ માત્ર અર્થ છે અને રૂઢિ ક્યારેક આવશ્યક વિશેષમાં છે=ષઆવશ્યકમાંથી પ્રતિક્રમણ આવશ્યકમાં છે અને ક્યારેક આવશ્યક ક્રિયામાં છે=પ્રતિક્રમણ શબ્દનો અર્થ છ આવશ્યકની ક્રિયા છે એ પ્રમાણે કહેવાયું છે. અને આ રીતે=છ આવશ્યકરૂપ પ્રતિક્રમણની ક્રિયા છે એ રીતે, આગળમાં કહેવાશે એ પ્રતિક્રમણ વિધિ ઘટે છે. ૧૭૮ અને તે પ્રતિક્રમણ ૧. દૈવસિક, ૨. રાત્રિક, ૩. પાક્ષિક, ૪. ચાતુર્માસિક, ૫. સાંવત્સરિકના ભેદથી પાંચ પ્રકારનું છે. ત્યાં=પાંચ પ્રકારના પ્રતિક્રમણમાં, દિવસના અંતમાં દૈવસિક પ્રતિક્રમણ છે. વળી આતો કાલ–દૈવસિક પ્રતિક્રમણનો કાલ, ઉત્સર્ગથી આ પ્રમાણે કહેવાયો છે=ગાથામાં બતાવે છે એ પ્રમાણે કહેવાયો છે. “અર્ધ ડૂબેલું બિંબ હોતે છતે=સાંજના સૂર્યાસ્ત વખતે અર્ધ ડૂબેલ સૂર્ય હોતે છતે, ગીતાર્થો સૂત્ર ભણે છે. એ પ્રકારના વચનના પ્રમાણથી દૈવસિક આવશ્યકનો=સાંજના દૈવસિક-પ્રતિક્રમણનો કાલ છે.” ।।૧।। (યતિદિનચર્યા૩૨૪) રાત્રિના અંતે રાત્રિક કહેવાય=રાઈ પ્રતિક્રમણ કહેવાય. અને તેનો=રાત્રિક પ્રતિક્રમણનો, આ પ્રમાણે કાલ છે=ઉત્સર્ગથી આ પ્રમાણે કાલ છે. “આવશ્યકના સમયમાં આચાર્યો નિદ્રા મુદ્રાનો ત્યાગ કરે છે અને તેને કરે છે=પ્રતિક્રમણને, કરે છે. જે પ્રમાણે દસ પડિલેહણ પછી=દસ વસ્ત્રની પડિલેહણા પછી, સૂર્ય ઊગે=સૂર્યનો ઉદય થાય.” ।।૧।। વળી, અપવાદથી દૈવસિક=દૈવસિક પ્રતિક્રમણ, દિવસના ત્રીજા પ્રહરથી પછી અર્ધરાત્રિ સુધી થાય છે. વળી યોગશાસ્ત્રની વૃત્તિમાં “મધ્યાહ્નથી માંડી અર્ધરાત્રિ સુધી” એ પ્રમાણે કહેવાયું છે. રાત્રિક પ્રતિક્રમણ અર્ધરાત્રિથી માંડીને મધ્યાહ્ન સુધી કહેવાયું છે. વળી કહેવાયું છે. “આવશ્યકની ચૂલિકામાં રાઈ પ્રતિક્રમણ યાવત્ ઉગ્વાડપોરિસી સુધી થાય છે અને વ્યવહારના અભિપ્રાયથી=વ્યવહાર સૂત્રના અભિપ્રાયથી તેના પછી=ઉગ્વાડપોરિસી પછી, યાવત્ પુરિમુઢ સુધી થાય છે.” ।।૧|| વળી પાક્ષિકાદિત્રય પક્ષના અંતે થાય છે. ત્યાં પણ=પાક્ષિકાદિ ત્રણમાં પણ, પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીમાં જ થાય છે. વળી જો પૂનમમાં કે અમાસમાં થાય તો ચૌદશમાં અને પાક્ષિકમાં ઉપવાસનું ઉક્તપણું હોવાથી પાક્ષિક પણ છટ્ઠથી થાય અને તે રીતે=પાક્ષિક પ્રતિક્રમણ છટ્ઠથી થાય તેમ સ્વીકારવામાં આવે તે રીતે, ‘અઠ્ઠમ, છઠ, ચોથભક્ત=ઉપવાસ, ક્રમસર સંવચ્છરી પ્રતિક્રમણમાં, ચોમાસી પ્રતિક્રમણમાં અને પક્ખી-પ્રતિક્રમણમાં છે.’ એ પ્રકારના આગમનો વિરોધ થાય. અને જ્યાં

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244