Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ સમ્પાદકીય મતિ, કૃતિ, વાણી જે કલ્યાણી, તે પૂજાર્દિક ભૂષણ છે, મતિ, કૃતિ, વાણી નહી. કલ્યાણી, તા ખીજી દાંભિક દૂષણ છે. -શ્રી ગાવ નરામ. અઢાર વર્ષ પૂર્વે સદ્ગત થયેલા, ન આચાર્ય, ન પન્યાસ, ન ગણિ કે ન પ્રવર્તક; નાની એવી એકાદ ઉપાધિથી પણ મુક્ત એક ધર્મવીર સાધુપુરુષનું આ જીવન છે. સત્યને પરમ ધર્માં માનનાર, માન્યા માટે મરી ફીટનાર, અન્યાયની સામે સદા સંતપ્ત રહેનાર, શાસનસેવાને સાધનાના પરમમંત્ર લેખી મરદાનગી ભર્યું ‘ મરવું ' જીવન જીવી જાણનાર સાધુરાજ શ્રી ચારિત્રવિજયજી ( કચ્છી ) ની આ જીવનરેખા છે. જીવનમાં વિદ્વત્તાના અથાગ સાગર નહિ, કવનમાં શાસ્ત્રનું એક પણ પાનું રચનાર નહિં, મુનિમાતરંગામાં એક પણ પદને પામનાર નહિ, પણ કેવલ અંતરાત્માના ધર્મને અનુસાર, સ્યાદ્વાદના સાચા મને સમજનાર, પરિણામની શુદ્ધિને અપનાવનાર અને અપનાવી કાયા—માયાને વિસરાવન ૨ એક પુરુષશ્રેષ્ઠની અસ્મિતાના આ અક્ષરે છે, વેષે જૈન પણ વને, સંસારની કાઈ પણ સાધુતાને શે।ભાવે એવી, માનતાની મહાસેવાની વિશ્વામુખી અને ઉદાર ભાવના પાછળ કંડાર અને સાદું જીવન જીવી જનાર એક વિશ્વપ્રેમી મુનિરાજતા આ સ્મારક ગ્રંથ છે. કાઈક કવિતા જ એવી હોય છે, જે ક' કે માત્રામેળ હાય કે ન હોય ગાવાનું જ મન થઈ જાય છે. કાઈ ચિત્રો જ એવાં હોય છે કે, તે સજીવ હોય કે નિર્જીવ, તેની સાથે વાત કરવાનું મન થઈ આવે છે. કાઈ કાઈ તેજપ્રતિ ાએ પણ એવી હોય છે કે, એ તેજકણ વીણવાની શક્તિ હાય કે ન હોય, એને અક્ષરમાં અમર કરવાની લાલય રસ્તે જાતે પણ થઈ આવે છે. મારા સંબંધમાં પણ એમ જ કહી શકાય. એકદા પડતી રાતે અમદાવાદમાં ચતુર્માસ રહેલ ` વિદ્વાન ત્રિપુરી ' તરીકે ઓળખાતા ત્રણ મુનિવરે શ્રી દનવિજયજી, શ્રી જ્ઞાનવિજયજી અને શ્રી ન્યાયવિજયજી બુનક્ષ ખેડા હતા, વાતે ચાલતી હતી આજની સાધુતા વિષે. ઘણીખરી તેજહીન લાગતી, નૈતિક પ્રતિભા વિષેાણી, મત, સંપ્રદાય અને વાડામાં પૂરાયેલી સાધુતા પ્રતિને મારે। તીવ્રતર અંસાષ હું વ્યક્ત કરી રહ્યો હતો, મુનિત્રિપુટી સ્મિત ભર્યાં ચહેરે મારા કટાક્ષને સાંભળી રહી હતી. એ વેળા વાતવાતમાં-થેાડા વખત પહેલાં સાંભળેલી-પાર્લ.તાણાની જલહેનારતના પ્રસંગની એક સાધુની વારતાની યાદી આવી અને મેં મારા થનને સ્પષ્ટ કર્યું: “ સાહેબ ! સાધુતા એટલે અન્તરદીપક પ્રગટાવવાની સાધના ! એ અંતરદીપક પ્રગટયો એટલે મત, વાડા કે સંપ્રદાય, અથવા ચીલ ચીલે ચાલવા પ્રેરતા નિયમે એને રોકી ન શકે ! એની વાણી, વર્તન કે વિચાર આપ મેળે જ પ્રગટેલાં, પાયેલાં ને પ્રરૂપેલાં રહે ! ' * જળપ્રલય વખતે સેવા કરનાર સાધુ કાણુ તે જાણા છે ?' ત્રિપુટીએ હસતાં હસતાં કહ્યું, એ સાધુનું નામ મને સ્મરણમાં ન હતું. * એ તા અમારા ગુરુજી-મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી ‘ ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 230