________________
પાંચ સાત દિવસ બાદ એક દિવસ માં ગપુર ચિંતાગ્રસ્ત મુખે ઓસરીમાં બેઠે છે, તેને મહેશ ગઈ કાલને હજી સુધી ઘેર પાછો ફર્યો નથી, તે પોતે અશક્ત હતો તેથી અમીના સવારથી બધે બળતી ફરે છે. આથમતે પહેરે તે પાછી ફરીને કહેવા લાગી, “સાંભળ્યું, બાબા ? માણિક શેષને ત્યાં નાએ આપણા મહેશને ડબામાં મોકલ્યો છે. ”
ગપુર બોલ્યો, “જા, જા, ગાંડી ! ”
“હાં, બાબા, સાચે. તેમના નેકરે કહ્યું, તારા બાપને કહેજે કે જાય દરિયાપુરના ડબામાં શેધવા.”
“તેણે શું કર્યું હતું ?”
“તેમના બાગમાં ઘૂસી જઈ ઝાડપાલે દી નાખ્યો, બાબા.”
ગપુર સ્તબ્ધ થઈ બેસી રહ્યો. મહેશ સંબંધી તેણે મનમાં મનમાં બહુ પ્રકારની દુર્ઘટનાઓની કલ્પના કરી હતી. પરંતુ તે આવું કરશે એવી બીક તેને ન હતી. તે જેવો રાંક તે ગરીબ હતો, એટલે ખાસ કરીને તેને પાડોશીઓમાંથી કોઈ તેને આટલી ભારે શિક્ષા કરે એવો ભય તેને હતું નહિ. તેમાં પણ માણિક ઘોષ; ગ–બ્રાહ્મણ પ્રત્યે તેમની ભક્તિ આ ગાળામાં પ્રસિદ્ધ હતી.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org