________________
છબી
અને લજજાથી તેનું આખું શરીર જાણે સણસણું ઊઠવું.
બીજે દિવસે બપોરે ઓરડામાં ધીમો અવાજ થતાં હરિલક્ષ્મીએ આંખ ઉઘાડી જોયું તે, વિપિનની સ્ત્રી બહાર જતી હતી. બોલાવીને કહ્યું, “મઝલી-વહુ, કેમ ચાલ્યાં ?”
મઝલી–વહુ શરમાઈ જઈ પાછી ફરી બોલી, “મેં ધાર્યું કે આપ ઊંઘી ગયાં છે. આજ કેમ છે, દિદિ ? ”
હરિલક્ષ્મીએ કહ્યું, “આજ ઘણું સારું છે. કેમ, તમારા છોકરાને લાવ્યાં નહિ ?”
મઝલી-વહુ બોલી, “આજે તે એકાએક ઊંઘી ગયો, દિદિ” “એકાએક ઊંઘી ગયો એટલે શું ? ”
“અભ્યાસ બગડે એટલા માટે હું એને દિવસે બહુ ઊંઘવા દેતી નથી, દિદિ.”
હરિલક્ષ્મીએ પૂછયું, “બરે તડકામાં તોફાન કરતે રખડ્યા કરતું નથી ?”
મઝલી–વહુએ કહ્યું, “રખડે તે છેતે ? પણ ઊંધવા કરતાં તે બલ્ક એ સારું.”
“તમે પિતે ઊંઘતાં નથી, નહિ ?”
મઝલવહુએ હસતે મેઢે માથું ધુણાવી કહ્યું, “ના.” - હરિલક્ષ્મીએ માન્યું હતું કે સ્ત્રીઓના સ્વભાવ પ્રમાણે ' હમણાં કદાચ તે પિતાને વખત નથી મળતો કહી કામની મોટી યાદી આપવા બેસશે; પરંતુ એણે એવું કશું કર્યું નહિ. ત્યારબાદ બીજી વાત ચાલી. વાત વાતમાં હરિલક્ષ્મીએ પોતાના બાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org