________________
ખૂબ આનંદ આવ્યો. સુપાત્રદાનનો આવો લાભ મળી જવા બદલ હું તો ધન્ય બની ગયો !” ‘અરે કાકા ! આવી બેવકૂફી કરી ?’ ‘પ્રેમ શું થયું ?”
‘થાય શું ? તમારે મુનિ ભગવંતને ગોચરી વહેરાવવી જ હતી તો બીજું કોઈ પણ દ્રવ્ય વહોરાવવું હતું. આ
સિંહ કેસરિયો લાડવો વહોરાવી દીધો ?’
VID
મમ્મા શેઠ ! કેટલું બધું દુર્ભાગ્ય તમારું કે મુનિવરને ગોચરી તો તમે ઉલ્લાસપૂર્વક વહોરાવી પણ પછી સુપાત્રદાનના એ સુકૃતને વખોડીને તમે જીતની બાજી હારમાં પલટાવી દીધી !
‘એમાં વાંધો શું આવ્યો ?’
‘વાંધો ? જિંદગીમાં તમે એવો સ્વાદ નહીં અનુભવ્યો હોય જેવો સ્વાદ આ સિંહ કેસરિયા લાડવાનો હતો આવો સ્વાદિષ્ટતમ લાડવો જીવનમાં પહેલી જ વાર નો તમારા હાથમાં આવ્યો હતો અને તમે એ આપી દીધું મુનિભગવંતને ! બેવકૂફી નહીં તો બીજું શું ?
અને ‘અરર, મેં આ લાડવો વહોરાવી દેવાની બેવકૂફી કાં કરી ?' આ પશ્ચાતાપમાં તમે ચડ્યા અને તમારા દાનના સુક્તને તમે કલંકિત કરી દીધું જેના દુષ્પ્રભાવે આજે સાતમી નરકમાં આવી ચડ્યા છો.
પ્રભુ ! સુકૃતસેવન વખતના મારા ઉત્સાહને, સુકૃતસેવન બાદ અનુમોદનાના અમૃતથી હું ધબકતો જ રાખું પરંતુ પશ્ચાતાપના ઝેરથી હું એની સ્મશાનયાત્રા તો ક્યારેય ન કાઢી બેસું એવી સદ્ગુદ્ધિનું સ્વામિત્વ તું મને અર્પીને જ રહેજે.