Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 40
________________ ચક્રવર્તી બ્રહ્મદત્ત ! ચક્રવર્તીના તમારા ફાટફાટ વૈભવને તુચ્છ બનાવી દેવાનું કામ એક નાચીજ ગોવાળે કર્યું છે ! તમારી બંને આંખો અંન્ને ફોડી નાખી છે. જ્યારે તમારા અન્નનો નશો ઊતરી ગયો છે ત્યારે એને ખ્યાલ આવ્યો છે કે મેં કેટલું બધું અધમ કૃત્ય કરી લીધું છે ? એ તમારા પર ક્રોધે ભરાણો છે. તમે જાણી-જોઈને એને આવા અપકૃત્યમાં ધકેલી દીધો છે એવું એના મનમાં ઠસી ગયું છે અને તમને જાલિમ શિક્ષા કરવાના ખ્યાલમાં એનું મન ચડી ગયું છે. એણે એક ખતરનાક નિશાનબાજ ગોવાળને સાધીને એના દ્વારા તમારાં બંને નેત્રો દોડાવી નાખ્યા છે. રાજસેવકોએ એ ગોવાળને પકડી લીધો છે અને એ ગોવાળે પેલા બ્રાહ્મણનું નામ આપી દીધું છે. ભારે ક્રોધિત થઈ ચૂકેલા તમે એ બ્રાહ્મણને કુટુંબ સહિત મરાવી તો નાખ્યો છે પરંતુ એટલાથી ય શાંતિ ન થતા તમે મંત્રીને આજ્ઞા કરી દીધી છે કે ‘પ્રતિદિન અનેક બ્રાહ્મણોનાં નેત્રો કાઢીને મારી પાસે લાવો. એનું મર્દન કરતા રહીને મારે મારા વેરને શાંત કરવું છે’ અલબત્ત, ડાહ્યા મંત્રીશ્વરે તમારી સામે નેત્રોને બદલે ભલે ગુંદાનો થાળ મૂકવાનો શરૂ કર્યો છે પરંતુ તમે તો બ્રાહ્મણોનાં નેત્ર સમજીને ક્રોધબુઢિથી ચોળી નાખવાનું હિચકારું કાર્ય સળંગ સોળ સોળ વરસ સુધી કરતા રહ્યા છો અને જીવન સમાપ્ત કરીને સાતમી નરકમાં રવાના થઈ ગયા છો. પ્રભુ ! કલ્પનાનું ચાહે સુખ હોય કે પાપ, એ ય જો આત્મા માટે આટલું બધું દારૂણ બની શકતું હોય તો હું તો સમજી જ નથી શકતો કે જાગ્રત અવસ્થાનો મોટા ભાગનો સમય કાલ્પનિક સુખમાં અને પાપમાં જ વિતાવતા મારા આત્માનું ભવાંતરમાં થશે શું ? એક વિનંતિ કરું તને ? મને કલ્પનામાંથી તું ભાવનામાં લઈ જા. મારું કામ થઈ જશે.' ૩૯

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100