________________
૩૮
રાણી કલાવતી !
રાજરાણી બનવાનું સદ્ભાગ્ય તમને સાંપડ્યું છે. રૂપ, યૌવન અને તંદુરસ્તી આ બધું ય તમને હાથવગું હોવા સાથે પતિ તરીકે તમને રાજા મળ્યો છે અને એટલે જ તમે ધરતી પર સ્વર્ગના સુખનો અનુભવ કરી રહ્યા છો.
પણ, એક દિવસ બન્યું છે એવું કે તમારા હાથમાં તમારી દાસીને એકદમ ચળકતા અને આકર્ષક કંકણ જોવા મળ્યા છે અને એ કંકણ જાઈને એ સ્તબ્ધ થઈ ગઈ છે.
‘આ કંકણ તમે લાવ્યા ક્યાંથી ?” જે હંમેશાં મારા મનમાં રહે છે”
‘કમાલ !' જેના મનમાં હું હંમેશાં રહું છું'
‘ઓહ !' રાત-દિવસ હું જેને ભૂલી શકતી નથી”
‘આશ્ચર્ય !” ‘જેનાં દર્શને મારા આનંદનો પાર નથી રહેતો
વાહ !' એના તરફથી મને આ કંકણ મળ્યા છે”
કલાવતી ! “જેનાં દર્શનથી મારા આનંદનો પાર નથી રહેતો, એમણે આ સુંદર કંકણો મને મોકલ્યા છે” દાસીને
તમે કરેલી આ વાત પરદા પાછળ છુપાયેલ રાજાએ સાંભળી લેતાં એને કારમો આઘાત લાગ્યો છે.