________________
સુબાહુ મુનિવરે પૂર્ણ ઉત્સાહ સાથે પોતાની તમામ તાકાત પ00/૫00 મુનિ ભગવંતોની વૈયાવચ્ચમાં એ રીતે લગાડી દીધી છે કે નથી એમને પોતાનાં ગોચરી-પાણી યાદ આવતા કે નથી એ પોતાના શારીરિક થાકની પરવા કરતા. સહુની શાતામાં અને સમાધિમાં નિમિત્ત બન્યા રહેવાના એક માત્ર ખ્યાલ સાથે એ વૈયાવચ્ચના યોગમાં આગળ વધી રહ્યા છે.
એક દિવસ, સહુ મુનિઓ વચ્ચે તમારા ગુરુદેવે શબ્દો ચોર્યા વિના દિલ દઈને બાહુ-સુબાહુ મુનિવરોના આ ભવ્યતમ વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરી છે. એ સાંભળીને સહુ મુનિઓ તો ભાવવિભોર બની ગયા છે પણ તમારા બંનેના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ ગઈ છે. તમે વિચારમાં ચડી ગયા છો કે ‘વૈયાવચ્ચમાં આ બંને મુનિઓ શારીરિક શ્રમ સિવાય બીજું કરે છે શું? છતાં ગુરુદેવ એમની પ્રશંસા કરી રહ્યા છે કારણ કે એ બંને ચક્રવર્તીના દીકરા છે જ્યારે અમે શાસ્ત્ર સ્વાધ્યાયનો બૌદ્ધિક શ્રમ કરી રહ્યા છીએ છતાં ગુરુદેવને મન એની કોઈ કિંમત નથી કારણ કે અમે ચક્રવર્તીના દીકરા નથી ને?' ઈષ્યના આ વિચારે તમે બંને મુનિવરો પહેલે ગુણસ્થાનકે આવી જઈને સ્ત્રીવેદ બાંધી બેઠા છો !
બાહુ-સુબાહુના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા ગુરુદેવના મુખે સાંભળતા પીઠ અને મહાપીઠ મુનિવરો !
તમારા અંતરમાં ઈષ્યની આગળ સળગી ગઈ છે. પ્રભુ, પ્રશંસનીય સત્કાર્યો કરવા જેટલું સત્ત્વ હોવું એ જુદી વાત છે અને અન્યના સત્કાર્યોની થતી રહેતી પ્રશંસા સાંભળીને પ્રસન્નતા અનુભવી શકતી સબુદ્ધિના સ્વામી બન્યા રહેવું એ જુદી વાત છે. સત્ત્વ તો મારી પાસે છે જ પણ સબુદ્ધિની હું તારી પાસે યાચના કરું છું.
૬૩