________________
૧૬
પ્રબળ વૈરાગી મુનિવર જમાલિ!
પ્રભુ વીરની ભગિની સુદર્શનાના તમે પુત્ર. પ્રભુની પુત્રી પ્રિયદર્શનાના તમે પતિ અને પ્રભુ વીરના તમે શિષ્ય. પOO|પOOક્ષત્રિયો સાથે તમે વૈરાગ્યવાસિત બનીને પ્રભુ વીર પાસે સંયમજીવન અંગીકાર કર્યું છે. અગિયાર અંગનો તમે અભ્યાસ કર્યો છે.
એક દિવસ પ્રભુ પાસે તમે અલગ વિહાર કરવાની અનુજ્ઞા માંગી છે પણ ભાવિ લાભ ન જાણવાથી પ્રભુ સંપૂર્ણ મૌન રહ્યા છે. કોઈ જ ઉત્તર આપ્યો નથી અને એ છતાં ય તમે પ00 સાધુઓ સાથે પ્રભુથી અલગ થઈને વિહાર કરીને શ્રાવસ્તી નગરીમાં આવ્યા છો અને ત્યાંના હિંદુક નામના ઉદ્યાનમાં કોક યક્ષના ચૈત્યમાં રહ્યા છો.
કેટલાક સમય બાદ અશાતા વેદનીય કર્મના ઉદયના કારણે તમારા શરીરમાં એવો તીવ્ર દાહજ્વર ઉત્પન્ન થયો છે કે તમારામાં બેસવા-ઊઠવાની પણ શક્તિ નથી રહી. તમે સાધુઓને બોલાવીને કહ્યું છે કે “મારે આરામ કરવો છે. મારા માટે તમે શીધ્ર સંથારો પાથરો.'
સાધુઓએ સંથારો પાથરવાનું શરૂ તો કરી દીધું છે પરંતુ દાહજ્વરની પીડા તમને એટલી બધી અધિક છે કે તમે પળની ય રાહ જોઈ શકવા સમર્થ નથી અને એટલે જ તમે સાધુઓને પૂછી બેઠા છો કે “સંથારો પથરાઈ ગયો છે કે નહીં?”
[ ,
સંથારો જ્યારે પથરાયો જ નથી ત્યારે “સંથારો પથરાઈ ગયો છે” એમ તમારાથી બોલાય જ શી રીતે ?”
જમાલિ મુનિવર ! પ્રભુવીરના ‘હેમાને વચન સામે તમે કેવો બળવો કરી બેઠા !