________________
જ
A
6
ss
યુગપ્રધાન આચાર્ય મંગુ!
ગજબનાક વિદ્વત્તા અને અભુત પ્રવચનશૈલી. વાણીમાં આદેયતા અને આચરણમાં પવિત્રતા. મુખ પર તેજસ્વિતા અને આંખોમાં અમીસભરતા. આપના આ બાહ્ય વ્યક્તિત્વથી આકર્ષાઈને એ સમયના લોકોએ આપને યુગપ્રધાન’ નું ગૌરવ આપી દીધું હતું.
કમાલનું આશ્ચર્ય તો એ સર્જાયું હતું કે આપની જાદુઈ ભરી દેશના સાંભળવા લોકો સંસારનાં કામો તો પડતા મૂકતા જ હતા પરંતુ આપના સિવાયના અન્ય મુનિભગવંતોનો અનાદર કરીને પણ આપનાં જ પડખાં સેવતા હતા. દર્શન તો આપના જ અને સાંનિધ્ય પણ આપનું જ. પ્રવચનશ્રવણ તો આપનું જ અને ભક્તિ પણ આપની જ. સ્મરણ તો આપનું જ અને આજ્ઞાપાલન પણ આપનું જ.
પણ,
પુણ્યના આ પ્રચંડ વૈભવે આપની પથારી ફેરવી નાખી. ભક્તજનોને ત્યાંથી આવતા ભોજનનાં સ્વાદિષ્ટ દ્રવ્યોનો આપને એવો ચસકો લાગ્યો કે ગોચરીના તમામ પ્રકારના દોષો પ્રત્યે આંખમીંચામણાં કરવાના આપે ચાલુ કર્યા. ગોચરી સ્નિગ્ધ જ આવવી જોઈએ અને મધુર જ આવવી જોઈએ, આ લક્ષ્ય આપને સ્થિરવાસ કરવા તૈયાર કરી દીધા અને સ્થિરવાસના મનમાં આવી ગયેલ એ વિચારને આપે અમલી પણ બનાવી દીધો.
પછી તો પૂછવાનું જ શું હતું?
રસગારવની પાછળ આપના જીવનમાં શાતાગારવ આવ્યું. વિહાર તો આપે બંધ કર્યો જ પણ સ્વાધ્યાયમાં પણ આપ શિથિલ બની ગયા. રાતની નિદ્રા તો જીવનમાં હતી જ પણ દિવસની નિદ્રાએ પણ જીવનમાં પગપેસારો કર્યો. વાચના આપવામાં તો આપ ખાડા પાડવા લાગ્યા જ પણ ઉપદેશ આપવામાં ય આપ આળસુ બની ગયા. પરિસહ સહવાના તો આપે જીવનમાંથી દૂર કર્યા જ પણ કટુ શબ્દોના શ્રવણથી પણ આપે છેડો ફાડી નાખ્યો.
અને,
રસગારવ તથા શાતાગારવ પછી આપના જીવનનો કબજો ઋદ્ધિગારવે લઈ લીધો. “મારા જેવું પુણ્ય તો કોઈનું ય નહીં. પ્રભાવકતામાં મારી તોલે કોઈ નહીં. પ્રવચનશૈલી તો મારા જેવી કોઈની ય નહીં.” ઋદ્ધિગારવના આ નશાએ આપને મિથ્યાભિમાનમાં રાચતા કરી દીધા. સ્વભાવમાં આપ તોછડા બની ગયા અને વ્યવહારમાં આપ સ્વચ્છંદી બની ગયા. અને આવશ્યક ક્રિયાઓના ક્ષેત્રે આપ સર્વથા બેદરકાર બની ગયા. અને આ જ સ્થિતિમાં આપે જીવનના અંતિમ શ્વાસ પૂર્ણ કર્યા.
* * *
‘પણ તું છે કોણ?' નગરની ખાઈ પાસે આવેલ યક્ષના મંદિરના એ યક્ષને પોતાની જિલ્ડા બહાર કાઢીને સહુ સાધુઓને દેખાડતો જોઈને એક સાહસિક સાધુએ પૂછી લીધું. આ પ્રશ્ન પૂછાતાંની સાથે જ એ યક્ષ પ્રત્યક્ષ થઈ ગયો.
‘હું તમારો મંગુ નામનો ગુરુ” ‘તું-તમે અમારા ગુરુ છો ?' હા, ધર્મના માર્ગમાં પંગુ થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય પ્રમાદથી મૂળ-ઉત્તર ગુણોનો ઘાત કરીને
૧૦