Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ અને મરુભૂતિ, રાજાની આ સલાહને અવગણીને તમે ક્ષમા માગવા એની પાસે પહોંચી ગયા છો. તમને એણે પોતાની સંમુખ આવતા જોયા છે. અને એની આંખોમાં ખુન્નસ ઊભરાવા લાગ્યું છે. “આ નાલાયક અહીં આવી રહ્યો છે? આવવા દે એને મારી નજીક. એની હાલત બગાડી ન નાખું તો મારું નામ કમઠ નહીં? એના મનના આ વિચારોની તમને ક્યાં ખબર છે? તમે તો સહજભાવે એની નજીક પહોંચીને એના ચરણમાં ઝૂક્યા છો અને એટલું જ બોલ્યા છો કે ‘ભાઈ, મને માફ કરી દો' અને એણે પળનો ય વિલંબ કર્યા વિના બાજુમાં પડેલ પથ્થર ઉઠાવીને તમારા માથે ઝીંકી દીધો છે. ખોપરી તમારી ફાટી ગઈ છે. તમે ‘ઓહ! આ જાલિમ વેદના? શું સહન થાય?' બસ, આટલા જ દુર્ગાનના શિકાર બન્યા છો અને એ દુર્ગાને તમને સીધા હાથણીના પેટમાં ફેંકી દીધા છે. મરુભૂતિ, તમે ક્ષમાપના કરવા સરળ ભાવે કમઠના ચરણમાં ઝૂક્યા અને કમઠે તમને ખતમ કરી નાખવા હાથમાં પથ્થર ઉઠાવી લીધો ! પ્રભુ, આટલું પણ દુર્થાન જો દુર્ગતિનું કારણ બની જતું હોય તો સતત દુર્ગાનમાં અને દુર્ભાવમાં જ વ્યસ્ત રહેતા મારી તો હાલત જ શી થશે? એક વિનંતિ કરું તને? કાં તારું મન તું મને આપી દે અને કાં તો મારું મન તું લઈ લે. એ સિવાય મારું દુર્ગતિગમન સ્થગિત થઈ જાય એવું મને તો નથી લાગતું !

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100