________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
આત્મભાવના : ૩૯
ભવ્ય જીવો ૫૨ તેમણે મોટો ઉપકાર કર્યો છે. કુંદકુંદાચાર્યદેવ અહીં થયેલા, વિદેહ ગયેલા, દિવ્યધ્વનિ લાવેલા, ને આ સમયસાર રચ્યું; તે અંતરના કારણ-સમયસારનું વાચક છે; ને તે કારણસમયસારના આશ્રયે કાર્યસમયસાર થવાય છે. આમ ત્રણ ‘સમયસાર ’થયાઃ-એક કારણસમયસાર, તેના આશ્રયે થતું કાર્યસમયસાર, અને તેના વાચકરૂપ આ પરમાગમ સમયસાર. આવા શુદ્ધ સમયસારને ઓળખીને આત્મામાં તે સમયસારની સ્થાપના કરે તો તેના આશ્રયે મોક્ષના કારણરૂપ સમ્યગ્દર્શનાદિ પ્રગટે. તે સમ્યગ્દર્શનાદિ પર્યાયરૂપ મોક્ષમાર્ગને પણ કારણસમયસાર ' કહેવાય છે, કેમકે તે મોક્ષનું કારણ છે. આ અપૂર્વ છે-પૂર્વે કદી આવા આત્માની શ્રદ્ધા કે ઓળખાણ કરી નથી. અરિહંતપરમાત્મા થયા તે તો કાર્ય-પ૨માત્મા છે, ને તે કાર્યનું જે કારણ છે તે ત્રિકાળી કારણપ૨માત્મા છે. પહેલા જ તબક્કે આ વાત સાંભળતા બહુમાન લાવીને હા પાડે, ને તેનો નિર્ણય કરીને વિશ્વાસ કરે તે ધર્મની અપૂર્વ શરૂઆત છે. જ્ઞાનસ્વભાવનું લક્ષ કરવું તે જ ૫૨મતિનો માર્ગ છે, ને એવા હિતનો જ ઉપદેશ ભગવાને કર્યો છે એટલે કે જ્ઞાનસ્વભાવ તરફ વળવાનો જ ભગવાનનો ઉપદેશ છે. પરાશ્રયનો ભગવાનનો ઉપદેશ નથી, તે તો છોડવાનો ભગવાનનો ઉપદેશ છે. પહેલાં આવો નિર્ણય કરે તેણે ભગવાન પરમાત્માને અને તેમના હિતોપદેશને જાણ્યો છે. પણ રાગાદિથી લાભ માને તો તેણે હિતોપદેશી સર્વજ્ઞ-વીતરાગ ૫રમાત્માને માન્યા નથી, તેમના ઉપદેશને જાણ્યો નથી.
'
અરિહંત પ૨માત્મા હજી દેસહિત છે, તેઓ દિવ્યધ્વનિથી ઉપદેશ આપે છે; અને સિદ્ધ ૫૨માત્મા દેહરહિત થઈ ગયા છે, તેઓ લોકાગ્રે બિરાજમાન છે. અરિહંત અને સિદ્ધ પ૨માત્મા ઇન્દ્રિયવિષયો વગર નિજાનંદનો અનુભવ કરે છે. આવા ભગવાનના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com