________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ : આત્મભાવના
દુ:ખના કારણરૂપ દેહબુદ્ધિને છોડ...ને દેહથી ભિન્ન અંતરાત્મામાં પ્રવેશ કર
એ રીતે બહિરાત્માનું સ્વરૂપ વર્ણવીને હવે કહે છે કે આ દેહમાં આત્મબુદ્ધિ તે જ સંસારના દુઃખનું મૂળ છે. માટે હે જીવ! તે બહિરાત્મપણું છોડ, ને અંતરઆત્મામાં પ્રવેશ કરીને અંતરાત્મા થા
मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः। त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः।। १५ ।।
આ જડ શરીરમાં આત્મબુદ્ધિ કરવી તે સંસારદુઃખનું મૂળકારણ છે, માટે હે જીવ! દેહમાં આત્મપણાની મિથ્યા કલ્પના છોડીને, બાહ્યવિષયો તરફની પ્રવૃત્તિ રોક, ને અંતરના ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ
કર.
જીવને ભ્રાંતિરૂપી ભૂત એવું વળગ્યું છે કે તે દેહને જ આત્મા માનીને, શણગારે-નવરાવે-ધોવરાવે તેમાં સુખ માને છે. ધર્માત્માને બહારમાં કયાંય આત્મબુદ્ધિ હોતી નથી. સંસારના દુઃખનું મૂળ શું? કે શરીરાદિ હું એવી મિથ્યાબુદ્ધિ જ સંસારદુઃખનું મૂળ છે. દેહને આત્મા માને તે પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને આત્મા તરફ કેમ વાળે ? તે તો ઈન્દ્રિયો તરફ જ જ્ઞાનનું વલણ કરે છે, ને બહારમાં જ વ્યાપાર કરે છે, તે જ દુઃખ છે. ઇન્દ્રિયવિષયોથી પાછું વાળીને જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આત્મામાં આનંદનું ભાણું ભર્યું છે, તેને છોડીને મૂઢ જીવ બહારના વિષયોમાં આનંદ માને છે. અહીં આચાર્યદવ તેને મૂઢબુદ્ધિ છોડવાની પ્રેરણા કરે છે કે અરે જીવ ! બાહ્ય વિષયોમાં ભટકવું છોડ ને અંતરાત્મામાં પ્રવેશ કર. બહારમાં શરીરાદિથી તારું જીવન નથી, શરીરમાં મૂર્છાથી તો તારું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com