________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO: આત્મભાવના જાણીને તેની જ શ્રદ્ધા અને લીનતા કરે છે; અજ્ઞાની પરમાં સુખ માનીને તેની જ શ્રદ્ધા ને લીનતા કરે છે, એટલે તેને જગતના બાહ્ય વિષયો સુખકર અને પ્રિય લાગે છે, આત્મા તેને પ્રિય લાગતો નથી. જ્ઞાનીને આત્મા જ પ્રિય લાગે છે, આત્મા સિવાય બીજું કાંઈ તેને પ્રિય લાગતું નથી.- “જગત ઈષ્ટ નહિ આત્મથી.'
આત્માના સ્વભાવ સિવાય બહાર લક્ષ જઈને જે શુભ વૃત્તિ ઊઠે તે શુભવૃત્તિનો જેને પ્રેમ છે તેને પણ જગતના બાહ્ય વિષયોનો પ્રેમ છે, આત્માના સ્વભાવનો પ્રેમ નથી. દ્રવ્યલિંગી મુનિ થઈને જે એમ માનતો હોય કે અઠ્ઠાવીસ મૂળગુણ વગેરે શુભ વિકલ્પો મને મોક્ષનું કારણ થશે,–તો તેને રાગનો જ વિશ્વાસ છે, પણ મુક્તિદાતાર એવો જે પોતાનો વીતરાગી આત્મા તેનો વિશ્વાસ તેને નથી. બાહ્યપદાર્થોના વિશ્વાસે તે ઠગાઈ જશે; કેમકે જે બાહ્ય પદાર્થોના આધારે તે સુખ માને છે તે બાહ્યપદાર્થોમાં જીવનું સુખ નથી, જીવ તેનાથી જુદો છે; માટે બાહ્યવિષયોમાં જે સુખ માને છે તે જરૂર ઠગાય છે-છેતરાય છે. અને જ્ઞાની તો ચિદાનંદ સ્વભાવમાં જ સુખ માનીને તેની જ શ્રદ્ધા અને તેમાં રમણતા કરે છે, તે કદી છેતરાતા નથી, કેમકે પોતાનો આત્મા કદી દગો દેતો નથી, તેની સન્મુખ થતા તે સુખ આપે જ છે, ને તેનો કદી વિયોગ થતો નથી. સંયોગ તો દગો દઈને ક્ષણમાં છૂટા પડી જાય છે, તેથી સંયોગના વિશ્વાસે જે સુખી થવા માંગે છે તે જરૂર છેતરાય છે. આ શરીર ને આ અનુકૂળ સંયોગો જાણે સદાય આવા ને આવા રહ્યા કરશે એમ તેનો વિશ્વાસ કરીને અજ્ઞાની તેમાં સુખ માને છે, પણ જ્યાં સંયોગો પલટી જાય ને પ્રતિકૂળતા થઈ જાય ત્યાં જાણે કે મારું સુખ ચાલ્યું ગયું! એમ તે છેતરાય છે. પણ અરે ભાઈ ! અનુકૂળ સંયોગ વખતે પણ તેમાં કાંઈ તારું સુખ ન હતું, તું તેમાં સુખ માનીને છેતરાયો. જ્ઞાની તો જાણે છે કે સંયોગનો શો વિશ્વાસ ? તેમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com