________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮: આત્મભાવના -નહિ, જ્ઞાનની જ જાણવાની તાકાત છે. આંખ તો એકકોર બહાર રહી જાય છે. સર્વજ્ઞ પરમાત્મા આંખના અવલંબન વગર આત્મામાં જ એકાગ્રતાથી આખા જગતને સાક્ષાત દેખે છે–જાણે છે. જાણવું તે ઈન્દ્રિયોની ક્રિયા નથી, જાણવું તે તો જ્ઞાનની ક્રિયા છે,-એમ ધર્મી બન્નેને ભિન્ન ભિન્ન ઓળખે છે.
દેહ અને આત્મા સંયોગમાં રહ્યા ત્યાં અજ્ઞાનીને એમ થાય છે કે દેહનાં કામ જાણે આત્મા જ કરે છે; અથવા આ આંખ વગેરે જડ ઈન્દ્રિયો જાણવાનું કામ કરે છે. પણ જડ અને ચેતનની ભિન્ન ભિન્ન ક્રિયાને તે ઓળખતો નથી. ભાઈ, જાણવાનું કામ કાંઈ આ આંખ નથી કરતી. જાણવાનું કામ તો અંદર જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કરે છે. ધર્મી અંતરાત્મા જાણે છે કે જ્ઞાતાદા તો હું છું, મારો જ્ઞાનદર્શનસ્વભાવ આ દેહમાં નથી, દેહથી તો હું તદ્દન જુદો છું. પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માને શરીરાદિ પદાર્થોથી અત્યંત ભિન્ન તે અનુભવે
અત્યંત અભાવ
અાત્મા :
શરીર
ભાઈ, શરીર ને આત્મા તો અત્યંત ભિન્ન છે; સંયોગે રહ્યા હોવા છતાં બન્નેના સ્વભાવ વચ્ચે અત્યંત અભાવરૂપી મોટો પર્વત ઊભો છે; એકબીજાનો અંશ પણ એકબીજામાં ભેળસેળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com