Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 354
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના: ૩૪૫ પણ માર્ગનો જ નિર્ણય નહિ કરે ને વિપરીત માર્ગ માનશે તો અનંતકાળે પણ નીવેડા નહિ આવે. અરે! આવો અવતાર પામીને જિંદગીમાં સત્ય માર્ગના નિર્ણયનો પણ અવકાશ ન લ્યું તો તેણે જીવનમાં શું કર્યું? માર્ગના નિર્ણય વગર તો જીવન વ્યર્થ છે. માટે આત્માના હિત માટે માર્ગનો નિર્ણય કરવો જોઈએ. નિર્ણય કરે તેનું પણ જીવન સફળ છે. જેણે યથાર્થ માર્ગનો આત્મામાં નિર્ણય કરી લીધો છે તે ક્રમે ક્રમે તે માર્ગે ચાલીને મુક્તિ પામશે. - આ રીતે આત્મસ્વરૂપની આરાધનાથી જ મુક્તિ થાય છેમાટે તેની જ ભાવના કરવી. (૯૮) આત્મભાવના ભાવો.....ને પરમપદને પામો આત્મસ્વરૂપની ભાવના કરવાથી આત્મા પોતે સ્વતઃ પરમાત્મપદને પામે છે-એમ હવે કહે છે इतीदं भावयेन्नित्यम् अवाचांगोचरं पदम्। स्वतएव तदाप्नोति यतो नावर्तते पुनः।। ९९ ।। આગલી ગાથાઓમાં ભિન્નઉપાસનાનું અને અભિન્નઉપાસનાનું સ્વરૂપ કહ્યું, એ બન્નેમાં શુદ્ધાત્મસ્વરૂપની સન્મુખતા છે. એ રીતે જાણીને નિરંતર તે શુદ્ધ આત્માની ભાવના કરવી જોઈએ; તેની ભાવનાથી વચનને અગોચર એવું પરમપદ આત્મા સ્વતઃ પામે છે-કે જેમાંથી કદી પણ પુનરાગમન થતું નથી. સિદ્ધ ભગવાન તથા અહંત ભગવાનને જાણીને પહેલાં તો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372