Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 342
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના: ૩૩૩ અંત આવવાનો છે; બનારસીદાસ આ દેહ છોડીને જાય છે તે હવે ફરીને આવા અજ્ઞાનમય સંસારમાં નહીં આવે. જુઓ, આ જ્ઞાનીની જાગૃતદશા! બાહ્યથી જોનારને એમ લાગે કે આ મૂર્ણાયેલા છે; પણ અંદર એમનું જ્ઞાન જાગૃત છે તેને અજ્ઞાની જાણતો નથી. ને અજ્ઞાની બહારથી મોટીમોટી વાતો કરતો હોય, રોગ વખતે ધીરજ રાખતો હોય, છતાં અંતરમાં ભિન્ન ચૈતન્યના વેદન વગર, રાગમાં જ જ્ઞાનને જોડીને મુર્ણાયેલો છે. આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની અંતરદશાનો મોટો ફેર છે, બહારથી તેનું માપ નથી. ચિદાનંદસ્વરૂપની દૃષ્ટિમાં જ્ઞાની સદાય સર્વ પ્રસંગે નિઃશંક વર્તે છે; ઈન્દ્રિયો સુષુપ્ત હોય ત્યારે પણ તેની ચેતના જાગૃત છે, ઊંઘ વખતેય તે આરાધક છે; ને અજ્ઞાની પ્રાણી બહિરાત્મદષ્ટિથી શરીરાદિની અવસ્થાને પોતાની માનીને સદાય ભ્રમરૂપ જ વર્તે છે; જાગતો હોય તો પણ તે મોહનિદ્રામાં સૂતેલો છે, વિરાધક છે. અંતરમાં જે દૃષ્ટિ પડી છે તે સર્વ અવસ્થામાં પોતાનું કાર્ય કર્યા જ કરે છે. રાગ ઉપર અને દેહ ઉપર જ જેની દષ્ટિ છે એવા અજ્ઞાનીની સર્વ અવસ્થાઓ ભ્રમરૂપ છે; ભલે તે જાગતો હોય કે શાસ્ત્રો ભણતો હોય, તોપણ દેહાદિને આત્મા માનનારો તે જીવ અબુધ છે, ઊંઘતો જ છે, મૂર્ખ જ છે. અને આત્માને દેહથી ભિન્ન જાણનાર જ્ઞાની ઊંઘ વખતે કે મૂછ વખતે પણ પ્રબુદ્ધ છે, સ્વરૂપમાં જાગૃત છે, વિવેકી છે. અહીં કોઈ બહિરાત્મા કહે છે કે બાલવૃદ્ધ વગેરે શરીરની અવસ્થારૂપે આત્માને માનનાર અજ્ઞાની પણ શાસ્ત્રો ભણીને અને નિદ્રારહિત થઈને મુક્તિ પામી જશે !–તો આચાર્યદવ તેના ઉત્તરમાં કહે છે કે ભલે ઘણાં શાસ્ત્રો ભણ્યો હોય અને જાગતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372