Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 348
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના: ૩૩૯ પરમાત્માની ઉપાસના-આરાધના કરીને તેમના જેવો પરમાત્મા પોતે થઈ જાય છે.-કઈ રીતે ? કે દીપકથી ભિન્ન એવી જે વાટ તે પણ દીપકની આરાધના કરીને (અર્થાત્ તેની અત્યંત નિકટતા પામીને) પોતે દીપકસ્વરૂપ થઈ જાય છે, તેમ અરિહંત અને સિદ્ધ પરમાત્માના સ્વરૂપને ધ્યાવતાં આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે. સમયસારની પહેલી ગાથામાં પણ આ વાત કરી છે, ત્યાં વંવિતું ધ્વસિન્ડે એમ કહીને સર્વ સિદ્ધને વંદન કર્યા...કઈ રીતે? કે સિદ્ધભગવંતો પૂર્ણ શુદ્ધતાને પામેલા છે, તેઓ સાધ્યસ્વરૂપ જે શુદ્ધઆત્મા તેનાં પ્રતિછંદના સ્થાને છે, તેથી તે સિદ્ધ ભગવાનને ધ્યાવી–ધ્યાવીને એટલે કે તેમના જેવા પોતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરીને આ આત્મા પણ તેમના જેવો શુદ્ધ થઈ જાય છે. આ રીતે ભિન્નમાંથી અભિન્નમાં આવી જાય, પરલક્ષ છોડીને સ્વતત્ત્વને લક્ષમાં લ્ય ત્યારે તેની ભિન્ન-ઉપાસના પણ સાચી કહેવાય; ને તે પોતે ઉપાસ્ય જેવો પરમાત્મા બની જાય. પણ એકલા પર સામે જ જોયા કરે તો તેને ભિન્ન-ઉપાસના પણ સાચી થતી નથી, ને તેનું ખરું ફળ તે પામતો નથી. વળી પ્રવચનસાર ગા. ૮૦ માં પણ કહ્યું છે કે – જે જાણતો અહંતને ગુણ-દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેથી સર્વતઃ શુદ્ધ એવા ભગવંત અરિહંતદેવના આત્માને ઓળખતાં, તેમના જેવા પોતાના શુદ્ધ સ્વરૂપને પણ જીવ ઓળખી લે છે, એટલે તેનો મોહ નાશ થઈ જાય છે. આ રીતે પરમાત્માને ઓળખીને ઉપાસના કરનાર પોતે પણ પરમાત્મા થઈ જાય છે. જુઓ, આ પરમાત્માની ઉપાસનાનું ફળ! પણ ઉપાસના કઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372