________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧): આત્મભાવના ઊંડા કૂવાનું મીઠું પાણી લેવામાં તેને કષ્ટ નથી લાગતું સ્વાદ ચાખ્યા પછી તેમાં કષ્ટ નથી લાગતું, તેમ અજ્ઞાની જીવે અનાદિથી સદા બાહ્યઇન્દ્રિયવિષયોમાં આકુળતારૂપ ખારા સ્વાદને જ ચાખ્યો છે, પણ પોતાના ચૈતન્યકૂવામાં ભરેલા આત્માના અતીન્દ્રિય અનાકુળ મીઠા સ્વાદને-આનંદને ચાખ્યો નથી, તેથી તેના પ્રયત્નમાં તેને કષ્ટ લાગે છે. પણ જ્યાં અંતર્મુખ ચૈતન્યકૂવામાં ઊંડે ઊતરીને વિષયાતીત આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં તેના વારંવાર પ્રયત્નમાં તેને કષ્ટ લાગતું નથી, ઊલટું બાહ્ય વિષયો તેને ખારા લાગે છે-નીરસ લાગે છે. માટે આત્માની જ ભાવના કરવી. (પર).
*
* *
* * *
* * * *
* *
*
* *
* *
*
* *
* *
બધા પરિણામોને આત્મામાં જોડીને
આત્મભાવના કર
આત્માની ભાવના કઈ રીતે કરવી તે કહે છેतब्रूयात् तत्परान् पृष्छेत् तदिच्छेत् तत्परो भवेत्। येनाऽविद्यामयं रूपं त्यक्तबा विद्यामयं व्रजेत्।।३।।
જુઓ, આત્મભાવનાની કેવી સરસ ગાથા છે! આત્મા જેને વહાલો છે તેણે તેનું કથન કરવું, બીજા પાસે તેની ચર્ચા કરવી, બીજા આત્મ-અનુભવી ધર્માત્મા જ્ઞાનીઓ પાસે જઈને તે આત્મસ્વરૂપ વિશે પૂછવું, તેની જ અભિલાષા કરવી, અને આત્મસ્વરૂપની પ્રાપ્તિને જ પોતાનું ઇષ્ટ બનાવવું, તેમાં જ તત્પર થવું. તે આત્મસ્વરૂપની ભાવનામાં સાવધાન થવું ને તેનો આદર વધારવો.-આ પ્રકારે આત્મસ્વરૂપની ભાવના કરવાથી અજ્ઞાનમય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com