________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૮૫ ભેદજ્ઞાનીને મરણનો ભય નથી, એને તો વસ્ત્ર બદલવા જેવું લાગે છે.
છે જેમ એક ત
જેને આત્મસ્વરૂપમાં જ આત્મબુદ્ધિ થઈ છે ને દેહાદિને પોતાથી જુદા જાણ્યા છે એવા અંતરાત્માને મરણપ્રસંગ આવતાં શું થાય છે તે હવે કહે છે
आत्मन्येवात्मधीरन्यां शरीरगतिमात्मनः। मन्यते निर्भयं त्यक्त्वा वस्त्र वस्त्रांतरग्रहम्।। ७७।।
ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેમાં જ જેણે એકત્વબુદ્ધિ કરી છે, ને દેહની ગતિપરિણતિને પોતાથી અન્ય જાણી છે એવા ધર્માત્માને દેહ છૂટવાનો પ્રસંગ આવતાં પણ તે નિર્ભય રહે છે, હું મરી જઈશ એવો ભય તેને થતો નથી, તે તો જેમ એક વસ્ત્ર છોડીને બીજાં વસ્ત્ર ગ્રહણ કરવામાં આવે તેમ મરણને પણ ફક્ત દેહનું રૂપાંતર જાણે છે. એક શરીર પલટીને બીજાં શરીર આવે, તે બન્ને શરીરોથી પોતાના આત્માને જાદો જાણે છે.
ધર્મી અંતરાત્મા પોતાના જ્ઞાનપરિણમનને જ પોતાનું જાણે છે, શરીરના પરિણમનને તે પોતાનું નથી જાણતા, તેને તો તે જડનું પરિણમન જાણે છે. શરીરની ઉત્પત્તિ, બાલ-યુવાન-વૃદ્ધ અવસ્થાઓ કે મરણ તે બધાયથી હું જુદો છું, હું તો જ્ઞાનસ્વરૂપ છું; શરીર છૂટતાં મારું જ્ઞાન છૂટતું નથી માટે મારું મરણ નથી, એવા ભાનમાં ધર્માત્માને મરણનો ભય નથી. એક શરીર બદલીને બીજાં આવ્યું,
ત્યાં મને શું? હું તો સળંગપણે રહેનાર જ્ઞાનસ્વરૂપ જ છું. જેમ વસ્ત્ર પલટતાં માણસ દુ:ખી થતો નથી તેમ શરીરને વસ્ત્રની માફક પોતાથી ભિન્ન જાણનાર જ્ઞાનીને શરીર પલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
, જાણે છે. એ કરવામાં આવે
બને છે