________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO: આત્મભાવના
આત્મભાવનારૂપ પરિણતિ વગર મુક્તિ નથી
*
હવે શિષ્ય પૂછે છે કે હે નાથ ! આપે આત્મામાં સ્થિરતાનો અભ્યાસ કરવાનું કહ્યું પણ તે તો વ્યર્થ લાગે છે, આત્માના અભ્યાસમાં પરિપક્વ થવાનો ઉદ્યમ કરવાની કાંઈ જરૂર લાગતી નથી, કેમ કે શરીર અને આત્મા ભિન્ન છે-એવી ધારણાથી અથવા એવું સાંભળવાથી અથવા સ્વયં બીજાને કહેવાથી જ મુક્તિ થઈ જશે !–પછી સ્થિરતાનો ઉધમ કરવાનું શું પ્રયોજન છે?-શિષ્યના આવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય પૂજ્યપાદ સ્વામી કહે છે કે
श्रृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात्। नात्मानं भावयेत् भिन्नं यावत्तावन्न मोक्षभाक् ।। ८१।।
દેહ અને આત્મા જુદા છે એમ વારંવાર ઈચ્છાપૂર્વક સાંભળવા છતાં, તથા બીજાને કહેવા છતાં, અને એવી ધારણા કરવા છતાં, જ્યાં સુધી પોતે અંતર્મુખ થઈને આ કલેવરથી ભિન્ન આત્માને ભાવતો નથી-અનુભવતો નથી. ત્યાં સુધી જીવ મુક્તિ પામતો નથી.
દેથી આત્મા જુદો છે–એવી વાણી ગુરુ પાસે લાખો વરસ સુધી સાંભળે અને પોતે પણ લાખો માણસોની સભામાં તેનો ઉપદેશ કરે, તે તો બંને પર તરફની આકુળવૃત્તિ છે. વાણી તો પર છેઅનાત્મા છે, તેના આશ્રયે આત્માની પ્રાપ્તિ થતી નથી. વાણી સાંભળવાનો ને કહેવાનો અભ્યાસ તે કાંઈ સ્વ-અભ્યાસ નથી, એટલે તે કાંઈ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો સ્વ-અભ્યાસ છે; સ્વ-અભ્યાસ એટલે શું? જ્ઞાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com