Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 282
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવનાઃ ૨૭૩ હે જીવ ! તારે દેહાતીત થવું હોય તોદેહથી ભિન્ન આત્માને ભાવ. * આત્માને નહિ દેખનાર બહિરાત્મદર્શી બહિરાત્મા શું ફળ પામે છે? ને અંતરમાં આત્માને દેખનાર અંતરાત્મા શું ફળ પામે છે? તે બતાવે છે देहान्तरगतेर्बीजं देहेस्मिन्नात्मभावना । बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना।।७४।। આ શરીર તે હું છું-એવી દેહમાં જ આત્મભાવના તે નવા નવા શરીર ધારણ કરવાનું બીજ છે, અને દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ આત્મભાવના તે દેહરહિત એવા વિદેહી સિદ્ધપદનું કારણ છે. એકકોર દેહભાવના, ને બીજીકોર આત્મભાવના,-એમ બે જ ભાગ લીધા છે. રાગાદિ ભાવોથી જે આત્માને લાભ માને છે તેને પણ ખરેખર દેહમાંજ આત્મભાવના છે; રાગથી જેણે લાભ માન્યો તેને તે રાગના ફળમાં જે જે સંયોગ મળશે તેમાં પણ તે આત્મબુદ્ધિ કરશે, ને તેથી નવા નવા દેહને ધારણ કરીને સંસારમાં રખડશે. પણ અરે! હું તો રાગથી પા૨, ને દેહથી પાર ચૈતન્યતત્ત્વ છું-એવી આત્મભાવના કરવી તે મોક્ષનું કારણ છે. આવી આત્મભાવનાવાળો જીવ પોતે શરીરાદિ જડપ્રાણોને અનુસરતો નથી, તેથી તે પ્રાણો પણ તેને અનુસરતા નથી, એટલે તે જીવને પ્રાણધારણ (ભવભ્રમણ ) થતું નથી. જે જીવ શરીરાદિ જડપ્રાણોનું મમત્વ કરે છે તેને જ તે પ્રાણ વળગે છે એટલે કે ભવભ્રમણ થાય છે. જુઓ, અત્યારે તો રાજા વગરના રાજ જેવું થઈ ગયું છે; Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372