________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭): આત્મભાવના પ્રગટ કરીને પરમાત્મા થઈ જાય છે. માટે કહે છે કે હું મુમુક્ષુ ! તું તારા ચિત્તના ઉપયોગને વારંવાર ચૈતન્યસ્વરૂપમાં જોડ.
જુઓ ભાવલિંગી સંતમુનિને સમાધિમરણનો અવસર હોય, આસપાસ બીજા મુનિઓ બેઠા હોય...ત્યાં તે મુનિને કોઈવાર તૃષાથી કદાચ પાણી પીવાની જરાક વૃત્તિ ઊઠી જાય ને પાણી યાદ કરે.. કે.” પાણી!” ત્યાં બીજા મુનિઓ તેને વાત્સલ્યથી સંબોધે છે કે અરે મુનિ !! અંતરમાં નિર્વિકલ્પ રસના પાણી પીઓ! અંતરમાં અતીન્દ્રિય આનંદના સાગરમાંથી આનંદનાં અમૃત પીઓ...ને આ પાણીની વૃત્તિ છોડો...અત્યારે સમાધિનો અવસર છે...અનંતવાર દરિયા ભરાય એટલાં જળ પીધાં...છતાં તૃષા ન છીપી.માટે એ પાણીને ભૂલી જાઓ.ને અંતરના નિર્વિકલ્પ અમૃતનું પાન કરો.નિર્વિકલ્પ આનંદમાં લીન થાઓ....
આનંદ ધોધ બની
ભદશાન निर्विकल्यसमुत्पन्न शानमेव सुधारसम्म विवेक अंजलिकल्वा तपिबंतितपस्विनः
તે મુનિ પણ તરત પાણીની વૃત્તિ તોડીને નિર્વિકલ્પ થઈને અતીન્દ્રિય આનંદનાં અમૃત પીએ છે...ને એ રીતે અખંડ આરાધનાપૂર્વક સમાધિથી દેહ છોડે છે.
(સમાધિમરણની તૈયારીવાળા ક્ષેપકમુનિને રત્નત્રયની અખંડ આરાધનામાં ઉત્સાહિત કરવા, અને ઉપસર્ગ-પરિષહાદિથી રક્ષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com