________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૮૭
તાડપત્રલિખિત ધવલસિદ્ધાંતના પણ દર્શન કર્યા હતા.)
આચાર્યભગવંતોએ સર્વજ્ઞભગવાનની વાણીનો સીધો નમૂનો આ શાસ્ત્રોમાં ભર્યો છે. એ ઉપરાંત બીજા પણ અનેક મહાસમર્થ આભના થોભ જેવા કુંદકુંદાચાર્યદેવ વગેરે સંતો જૈનશાસનમાં પાકયા, ને તેમણે સમયસારાદિ અલૌકિક મહાશાસ્ત્રો રચ્યાં....તેનો એકેક અક્ષર આત્માના અનુભવમાં કલમ બોળીબોળીને લખાયો છે. એ સંતોની વાણીનાં ઊંડાં રહસ્યો ગુરુગમ વગર સાધારણ જીવો સમજી શકે તેમ નથી. મહાવી૨ ભગવાનની પરંપરાથી કેટલુંક જ્ઞાન મળ્યું તથા પોતે સીમંધર ભગવાનના ઉપદેશનું સાક્ષાત્ શ્રવણ કર્યું, તે બન્નેને આત્માના અનુભવ સાથે મેળવીને આચાર્ય ભગવાને શ્રી સમયસારમાં ભરી દીધું છે. આ સમાધિશતકનાં બીજડાં પણ સમયસારમાં જ ભર્યા છે. પૂજ્યપાદ સ્વામી પણ મહાસમર્થ સંત હતા, તેમણે આ સમાધિશતકમાં ટૂંકામાં અધ્યાત્મભાવના ભરી દીધી છે. તેમાંથી પંદર ગાથાઓ વંચાણી છે, હવે સોળમી ગાથા વંચાય છે.
* * *
****
***
********
મુમુક્ષુજીવના ઉજ્જ્વળ મનરૂપી છીપમાં શ્રીગુરુનાં વચનરૂપ સ્વાતિબિંદુ પડતાં સમ્યક્ત્વરૂપી સાચાં મોતી પાકે છે.
****************************
Please inform us of any errors on rajesh@Atma Dharma.com