________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪: આત્મભાવના
ચિતને ચૈતન્યમાં સ્થિર કરી
રાગદ્વેષરહિત થઈને, ચૈતન્યસ્વભાવની સન્મુખ એકાગ્ર થવું તે જ અવિક્ષિપ્તમન છે, તે જ આત્માનું તત્ત્વ છેઃ ને રાગદ્વેષાદિમાં જોડાયેલું મન તો વિક્ષિસ છે, તેને આત્માનું તત્ત્વ ગણતા નથી. વિક્ષિત મન તો આસ્રવ-બંધ છે, અને અવિક્ષિત મન તે સંવર-નિર્જરા છે. તેથી વિક્ષિત મન છોડીને, ચૈતન્યસ્વરૂપમાં વળીને અવિક્ષિત મન ધારણ કરવાનું આચાર્યદેવ કહે છે
अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः। धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः।। ३६ ।।
અવિક્ષિત મન એટલે કે રાગદ્વેષરહિત અંતરમાં ઠરેલું જ્ઞાન, તે જ આત્માનું તત્ત્વ છે, અને રાગાદિરૂપે પરિણત વિક્ષિત મન તે તો આત્માનો વિભ્રમ છે–તે વાસ્તવિકસ્વરૂપ નથી. માટે હે ભવ્ય ! તું તે અવિક્ષિત મનને ધારણ કરે, અને રાગદ્વેષમાં વર્તતા વિક્ષિત મનને ધારણ ન કર.
“અવિક્ષિસમન' એટલે નિર્વિકલ્પ સ્થિરતા, તે આત્મતત્ત્વ છે. અંતરમાં ઠરેલી નિર્મળ પર્યાયને જ અભેદપણે આત્મા કહી દીધો; અને “વિક્ષિપ્તમન' એટલે સંકલ્પ-વિકલ્પ, તે આત્માનું સ્વરૂપ નથી. દેહાદિમાં આત્માની બુદ્ધિ કરવી તે ભ્રાંતિ છે, તેને અહીં વિક્ષિત મન કહ્યું છે. પરમાં આત્મબુદ્ધિવાળા જીવનું મન કદી સંકલ્પ-વિકલ્પ રહિત થઈને ઠરતું નથી, એટલે અવિક્ષિપ્ત થતું નથી. પણ રાગદ્વેષથી વિક્ષિપ્ત જ રહે છે. તે ખરેખર આત્માનું તત્ત્વ નથી. દેહાદિથી ને વિકારથી ભેદજ્ઞાન કરીને જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com