________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર : આત્મભાવના હોત તો હું મરી ગયો” એમ જાણ્યું કોણે? જાણનારો તો જીવતો જ
તેમ મોહનિદ્રામાં સૂતેલો જીવ, દેહાદિના સંયોગ-વિયોગથી સ્વપ્નની માફક એમ માને છે કે હું મર્યો, હું જભ્યો; હું મનુષ્ય થઈ ગયો, હું તિર્યંચ થઈ ગયો. તે માન્યતાને લીધે તે બહુ દુઃખી થાય છે. પણ જ્ઞાનીએ જડ-ચેતનની ભિન્નતા બતાવીને તેને જગાડ્યો, જાગતાં જ તેને ભાન થયું કે અરે, હું તો અવિનાશી ચેતન છું ને આ શરીર જડ છે તે કાંઈ હું નથી; શરીરના સંયોગ-વિયોગે મારું જન્મ-મરણ નથી. આવું ભાન થતાં જ તેનું દુઃખ દૂર થયું ને તે આનંદિત થયો કે વાહ! જન્મ-મરણ મારામાં નથી, હું તો સદા જીવંત ચૈતન્યમય છું. હું મનુષ્ય કે હું તિર્યંચ થઈ ગયો નથી, હું તો શરીરથી જાદો ચૈતન્ય જ રહ્યો છું. જો હું શરીરથી જાદો ન હોઉં તો શરીર છૂટતાં હું કેમ જીવી શકું? હું તો જાણનારા સ્વરૂપે સદાય જીવંત છું.
જેમ સ્વપ્નમાં પોતાને મરેલો ભાસ્યો પણ જાગતાં તો જીવતો જ છે, તેમ અજ્ઞાનદશામાં પોતાને દેહરૂપ માન્યો તે જ્ઞાનદશામાં જુદો જ અનુભવે છે.
સ્વપ્નમાં મૃત્યુની માફક, સ્વપ્નમાં કોઈ દરિદ્રી જીવ પોતાને સુખી કે રાજા માને, પણ જ્યાં જાગે ત્યાં તો ખબર પડી કે એ સુખ સાચું ન હતું. તે મોહનિદ્રામાં સૂતેલો જીવ બાહ્ય સંયોગોમાં-પુણ્યમાં -રાગમાં જે સુખ માને છે તે તો સ્વપ્નાના સુખ જેવું છે. જ્યાં ભેદજ્ઞાન કરીને જાગ્યો ત્યાં ભાન થયું કે અરે, બાહ્યમાં-રાગમાં કયાંય મારું સુખ નથી; તેમાં સુખ માન્યું તે તો ભ્રમ હતો, સાચું સુખ મારા આત્મામાં છે.
શરીર સુખી તો સુખી સર્વ વાતે” એવી જેની માન્યતા છે તે પણ દેહને જ આત્મા માને છે. અરે મૂઢ! શરીર તો જડ છે, તે જડમાં છું તારું સુખ છે? શરીર નિરોગ હોય છતાં અંદર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com