________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૭૩ મોહને લીધે જીવ દુઃખી થઈ રહ્યો છે. શરીર તે હું એવી માન્યતા તે જ અનાદિનો ભ્રમણારોગ છે; તે રોગ ટળીને નિરોગતા કેમ થાય તેની આ વાત છે. દેહ હું નથી, હું તો ચૈતન્ય છું, દેહની નિરોગતાથી મને સુખ નથી કે દેહના રોગથી મને દુઃખ નથી, હું દેહથી પાર અતીન્દ્રિય ચૈતન્ય છું–આવા ચૈતન્યનું ભાન કરે તો મિથ્યા માન્યતારૂપી રોગ ટળે, સમ્યગ્દર્શન આદિ નિરોગતા પ્રગટે,-તે જ સુખ છે.
દેહ તે હું એવી વાસનાની ગંધ જીવને બેસી ગઈ છે એટલે દેહનાં કાર્યોને જ પોતાનાં કાર્યો માનીને અજ્ઞાની વર્તે છે; પણ ચૈતન્યની ગંધ-(રુચિ) અંદરમાં બેસાડતો નથી. દાદિ છેદાય કે ભેદાય, રહે કે જાય, પણ તે હું નથી, શરીર છેદાવ કે ભેદાવ તેથી હું કાંઈ છેડાતો-ભેરાતો નથી, દેહના વિયોગે મારો નાશ થતો નથી, હું તો ચૈતન્યસ્વરૂપ અસંયોગી શાશ્વત છું.આવી ભેદજ્ઞાનની ભાવનાથી આત્મજ્ઞાન કરે તો અવિદ્યાના સંસ્કારનો નાશ થઈ જાય છે. જેમ કૂવા ઉપરના કાળા કઠણ પત્થરા પણ દોરીના વારંવાર ઘસારાથી ઘસાઈ–ઘસાઈને તેમાં લિસોટા થઈ જાય છે, તેમ દેહથી ભિન્ન ચિદાનંદ તત્ત્વની વારંવાર ભાવનાના અભ્યાસથી અનાદિ અવિધાના સંસ્કારનો નાશ થઈને ભેદજ્ઞાન થાય છે, ને અપૂર્વ જ્ઞાનસંસ્કાર પ્રગટે છે. (૧૨)
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com