________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬) : આત્મભાવના
અરે ભાઈ ! તારા આત્માનું વાસ્તવિકસ્વરૂપ શું છે તેને એકવાર જાણ તો ખરો! આ મનુષ્યદેહ તો સ્મશાનમાં બળીને ભસ્મ થશે; શરીર તો જડપરમાણુઓ ભેગા થઈને બન્યું છે, તે આત્મા નથી. આત્મા તો અનાદિ અનંત, જ્ઞાનઆનંદસ્વરૂપે અચલ રહેનાર છે. પુણ્ય-પાપની ક્ષણિકવૃત્તિઓ આવે ને જાય તેટલો આત્મા નથી. દથી પાર, રાગથી પાર, અંતરમાં જ્ઞાનાદિ અનંતગુણસ્વરૂપ પોતાનો આત્મા છે, તેની સાથે એકતા કરીને તેના આનંદનું જ્યાં સ્વસંવેદના કર્યું ત્યાં બાહ્ય પદાર્થો અંશમાત્ર પોતાના ભાસતા નથી, ને તેમાં કયાંય સુખબુદ્ધિ રહેતી નથી. ચૈતન્યનું સુખ ચૈતન્યમાં જ છે–એનો સ્વાદ જાણ્યો ત્યાં સંયોગની ભાવના રહેતી નથી. અજ્ઞાનીને અંતરના ચૈતન્યના આનંદના સ્વાદની ખબર નથી તેથી બાહ્ય સંયોગમાં સુખ માનીને તે સંયોગની જ ભાવના ભાવે છે, સંયોગો મેળવીને તેના ભોગવટાવડે સુખ લેવા માંગે છે; પણ જડ સંયોગમાંથી અનંતકાળેય સુખ મળે તેમ નથી, કેમકે ચૈતન્યનું સુખ બહારમાં નથી. અજ્ઞાની જીવ બાહ્ય સંયોગ તરફના રાગ-દ્વેષ, હર્ષ-શોકનું જ વેદન કરે છે, પણ સંયોગથી ને રાગથી પાર અસંયોગી ચૈતન્યસ્વભાવના અતીન્દ્રિય આનંદનું વદન તેને નથી. અહીં પૂજ્યપાદસ્વામી આત્માનું સ્વરૂપ બતાવે છે કે હે જીવ! તારો આત્મા મનુષ્યાદિ શરીરરૂપ નથી, અનંત જ્ઞાન-આનંદ શક્તિસ્વરૂપ તારો આત્મા છે, તેને અંતરમાં સ્વસંવેદનથી તું જાણ.
આ આત્મા દેહથી ભિન્ન, જ્ઞાન-આનંદસ્વરૂપ છે. કર્મ, શરીર અને વિકાર એ ત્રણેની ઉપાધિથી રહિત પોતાનો સહજ જ્ઞાનાનંદસ્વભાવ છે-તેને જ્ઞાની અસંવેદનથી જાણે છે. આત્માની મુક્તિ કરવી હોય તેણે સ્વસંવેદનથી આવો આત્મા જાણવાયોગ્ય છે. જ્ઞાની નિરંતર પોતાના આત્માને આવો જ અનુભવે છે. અજ્ઞાની દેહવાળો ને રાગવાળો જ આત્મા માને છે, તે સંસારનું કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com