________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્યની વ્યાખ્યા બાંધવી એ મહા મુશ્કેલીનું કામ છે. જુદા જુદા વિદ્વાને કાવ્યની વ્યાખ્યા જુદી જુદી રીતે કરે છે. કાવ્યનું તેમજ સાહિત્યનું ક્ષેત્ર એટલું બધુ વિશાળ છે કે તેની વ્યાખ્યા એક વખત નિયત કર્યા પછી જે આપણે તપાસીશું તે જરૂર તે વ્યાખ્યા અધુરીજ લાગશે. જે જે વિદ્વાન તેની વ્યાખ્યા બાંધે છે તે દરેક પતે તે વિશાળ ક્ષેત્રના જે પ્રદેશમાં હોય છે તેને અનુસરીને જ વ્યાખ્યા બાંધે છે, એટલે તે વ્યાખ્યા અપૂર્ણ રહી જાય, એ સંભવનીય છે.
કેટલાક આશ્મભૂમિના કવિઓ કવિતાને " કુદરતનું અનુકરણ” એમ કહે છે. ત્યારે કેટલાક તે તેને તદ્દન
કલપનાજ ” કહે છે. પરંતુ દરેક કાવ્ય વા કવિતાને સાધારણ ધર્મ જેવા જશે તે માલુમ પડશે કે કવિની સચોટ શબ્દ ગુંથણીથી વ્યક્ત કરેલી લાગણુઓ (Feelings) જ છે. ઉપરની બે વ્યાખ્યામાંથી કઈ વધારે ખરી તે મારે એટલું તે કહેવું પડશે કે કવિતા એ ફક્ત કુદરતનું અનુકરણ છે. પણ આ બધી વાત એક બાજુ રહેવા દઈ આપણે જોઈશું તે માલુમ પડશે કે તેના વર્ષ કહ્યું, એ સૂત્ર દરેક કવિતા વા કાવ્યને એક સરખી રીતે લાગુ પડે છે. “ જે વાકયનો આમા રસ છે તે વાકય કાવ્ય છે. * એટલે એ તે નિ:સંશય છે કે જેને
For Private And Personal Use Only