Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અવધારીને. આના વડે પ્રથમ સંવેગ આદિ ગોપુર કરીને તેમ ઉપલક્ષણથી કહ્યું. આગળીયો, બારણા, કઈ રીતે? તે કહે છે. તપ - અનાશનાદિ બાહ્ય, તેનાથી પ્રધાન. સંવર - આશ્રવ નિરોધ લક્ષણ તપ સંવર તેને. મિથ્યાત્વ આદિ દુષ્ટ્રનિવારકપણાથી અર્ગલા - પરિધ, તેનાથી પ્રધાન બારણા પણ અર્ગલા કહેવાય. પ્રાકાર - ક્યા? તે કહે છે - ક્ષમા નિપુણ - શત્રુ રક્ષણ પ્રતિ શ્રદ્ધા વિરોધી અનંતાનુબંધી કોપને ઉપરોધીપણાથી પ્રાકાર કરે. ઉપલક્ષણથી માનાદિ નિરોધી માર્દવાદિને પણ લેવા અટ્ટાલક, ઉસ્થૂલક, શતક્ની સંસ્થાનીય મનોગુતિ આદિ ત્રણ ગુમિ વડે ગુપ્ત. આ પ્રકારના વિશેષણ છે. તેથી જ દુઃખથી અભિભૂત થાય તેથી દુuઘર્ષ.
અહીં જે “પ્રાકારાદિ કરાવીને" કહેલ, તેનું પ્રતિવચન કહેલ છે. હવે પ્રાકાર અને અટ્ટાલકમાં અવશ્ય જાણવું. તેના હોવાથી પ્રહરણાદિમાં વૈરીઓ સંભવે છે. તેથી કહે છેo- ઘનુષ - કોદંડ, પરાક્રમ - જીવ વીર્ષોલ્લાસરૂપ ઉત્સાહ કરીને, જીવા - પ્રત્યંચા, ઇ - ઇદિ પાંચે સમિતિઓ. સદા - સર્વકાળ. વૃતિ - ધર્મમાં અભિરતિ રૂપ, કેતા - શૃંગમય ધનુ મધ્યમાં કાષ્ઠમય મુઠ્ઠીરૂપ. તેને મનઃ સત્યાદિ વડે બાંધે. પછી શું? તે કહે છે.
તપ: - અવ્યંતર છ ભેદે લેવા. તે જ કર્મ પ્રતિ અભિભેદીપણે છે. નારીચ - લોઢાનું બાણ, તેનાથી યુક્તપણાથી અનુક્રમે ધનુષ્ય વડે ભેદીને - કર્મ વિદારીને, જ્ઞાનાવરણાદિ કંચુક વત્ કર્મકંચુક, તેને વિદારીને. કર્મકંચુકના ગ્રહણથી આત્મા જ વૈરી થાય છે. કર્મનું કંયુકત્વ તેમાં રહેલ મિથ્યાત્વ આદિ પ્રકૃતિ ઉદયવર્તી શ્રદ્ધાનગરનો રોધ કરીને આત્માનું દુર્નિવારત્વ છે.
કર્મના ભેદમાં જિતપણાથી જેનો સંગ્રામ ચાલ્યો ગયો છે. તે વિગત સંગ્રામ છે. જેમાં શારીસ્કિ, માનસિક દુઃખો હોય છે, તે ભવ - સંસાર, તેનાથી મૂકાય છે. આ રીતે જે “પ્રાકાર કરાવીને” ઇત્યાદિ કહ્યું તે સિદ્ધ સાધન છે. આ રીતે શ્રદ્ધા નગર રક્ષણ કહીને તત્વથી ઇંદ્રની અવિજ્ઞતા બતાવી, ઇંદ્રને અભિમત પ્રાકારાદિ કરણમાં મુક્તિ ન થાય તેમ કહ્યું.
• સૂત્ર - ૨૫૧, ૫ર - આ કાર્યને સાંભળીને - 1 - 1 - 1 - દેવેન્દ્રએ રાજર્ષિને રામ કહ્યું -
હે ક્ષત્રિય આ પહેલાં તમે પ્રસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળા બનાવીને પાછી જજે (વજિત થશે).
• વિવેચન ૫૨ -
જેમાં મનુષ્યોના નયન અને મન પ્રસન્ન થાય છે, તે પ્રાસાદ. અનેક પ્રકારે વાસ્તુવિધામાં બતાવ્યા મુજબ બનેલ તે વર્તમાનગૃહ. વાલીગ્રપોતિકા તે “વલભી'નો વાયક છે, તેથી વલભી કરાવીને, બીજા મતે આકાશ અને તળાવ મધ્યે સ્થિત ક્ષુલ્લક પ્રાસાદ - ચંદ્રશાળા, તે ક્રીડા સ્થાન રૂપ કરાવીને ત્યારપછી જજો. હે ક્ષત્રિય ! આના વડે જે પ્રેક્ષાવાન છે તે છતાં સામર્થ્યમાં પ્રાસાદાદિ કરાવીને - જેમ બ્રહ્મદત્ત આદિ, પ્રેક્ષાવાના સામર્થ્ય હોવાથી થવાય છે, ઇત્યાદિ હેતુ અને કારણના સૂચનકારી છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org