Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 165
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ (૫૨૭) બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ, દીક્ષાથી પૂર્વ જીવનમાં સ્ત્રીઓ સાથે અનુભૂત હાસ્ય, ક્રીડા, રતિ, અભિમાન અને આકસ્મિક માસનું ક્યારેય અનુચિંતન ન કરે. (૫૨૮) બ્રહ્મચર્યરત ભિક્ષુ જલ્દીથી કામવાસનાને વધારનાર પ્રણીત આહારનો સદા પરિત્યાગ કરે. (૫૨૯) તે ચિત્ત સ્થિરતાને માટે ઉચિત સમયમાં ધર્મ મર્યાદાનુસાર પ્રાપ્ત પરિમિત ભોજન કરે, પણ માત્રાથી અધિક ગ્રહણ ન કરે. (૫૩૦) બ્રહ્મચર્ય રત ભિક્ષુ વિભૂષાનો ત્યાગ કરે. શ્રૃંગારને માટે શરીરનું મંડન ન કરે. (૫૩૧) શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ પ્રકારના કામ-ગુણોનો સદા ત્યાગ કરે. ૦ વિવેચન પરર થી ૫૩૧ - ૧૬૪ દશ સૂત્રો છે - વિવિ એટલે રહસ્યભૂત, તેમાં જ સ્ત્રી આદિના અભાવથી વસે. અનાકીર્ણ - અસંકુલ, તે તે પ્રયોજનથી આવેલ શ્રી આદિ અનાકુળપણાથી, રહિત - અકાદચારી વંદનાદિ નિમિત્તે આવનાર સ્ત્રીજનને તજેલ. - x - × - ઉક્ત રૂપ બ્રહ્મચર્યના પાલન નિમિત્તે આશ્રય કરે. - x - x - માઁ - ચિત્ત, તેનો પ્રહ્લાદ, અહો! આ અભિરૂપા છે, ઇત્યાદિ વિકલ્પજન્ય આનંદ, તેને ઉત્પન્ન કરતી, તે મનઃ પ્રહ્લાદજનની, તેથી જ વિષય આસક્તિને વિશેષથી વધારતી એવી કામરાગ વદ્ધિની તેવી સ્ત્રી કથાનો ત્યાગ કરે. સંસ્તવ - સહ પરિચય, સ્ત્રી સાથે બેસવું, એક આસને રહેવું, તેણીની સાથે સતત વાતો કરવા રૂપ, તે પણ નિત્ય અને વારંવાર. અંગ - મસ્તક વગેરે, પ્રત્યંગ - સ્તન, બગલ આદિ, સંસ્થાન - આકાર વિશેષ અથવા અંગ, પ્રત્યંગનું સંસ્થાન - આકાર વિશેષ. શોભન બોલવું વગેરે, તેના સહગન મુખાદિ વિકાર રૂપ. પ્રેક્ષિત - અર્ધ કટાક્ષાદિ આ બધું, બ્રહ્મચર્યરત પુરુષ ચક્ષુ વડે ગ્રહણ કરે છે, તેથી ચક્ષુ ગ્રાહ્ય થઈને વર્જન કરે. અર્થાત્ ચક્ષુ વડે જ રૂપનું ગ્રહણ અવશ્ય થાય તેથી તેના દર્શનનો પણ પરિહાર કરવો જોઈએ. પરંતુ રાગ વશ થઈને તેને વારંવાર જોવી જોઈએ નહીં. કેમ કે ચક્ષુ સમક્ષ આવેલ તેણીના રૂપને ન જોવાનું શક્ય નથી, પણ તેમાં થતા રાગ - દ્વેષનો ત્યાગ કરરવો જોŪ. હાસ્ય સૂત્રમાં :- રતિ - સ્ત્રીના સંગમાં જન્મેલી પ્રીતિ, દર્પ - મનસ્વિનીના માન ભંગથી ઉત્પન્ન ગર્વ, સહસા અવત્રાસિત એટલે પરાંમુખ થવું, આંખનુ સ્થગન, મઘટ્ટનાદિથી ત્રાસોત્પાદન. - X-. પ્રણીત સૂત્ર - મદ એટલે કામનો ઉદ્વેગ, તેની વૃદ્ધિ કરવી. આ કામવૃદ્ધિના હેતુનો વિશેષથી ત્યાગ કરવો. ધર્મ વડે એષણીય, ગૃહસ્થ પાસેથી પ્રાપ્ત, પોતે રાંધેલ નહીં. ધર્મના હેતુથી અથવા ધર્મલાભ વડે પામેલ. - x - ઘર્મ - ઉત્તમ ક્ષમાદિ રૂપ, તેને પામીને. “આ કઈ રીતે મારું” એમ નિરતિચાર થાય. આગમમાં કહેલ પ્રમાણાદિ યુક્ત આહાર, યાત્રાર્થે - સંયમના નિર્વાહણ અર્થે, પણ રૂપાદિને માટે આહાર ન કરે. તે પણ ચિત્ત સ્વાસ્થ્ય For Private & Personal Use Only - Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226