________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
(૫૨૭) બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ, દીક્ષાથી પૂર્વ જીવનમાં સ્ત્રીઓ સાથે અનુભૂત હાસ્ય, ક્રીડા, રતિ, અભિમાન અને આકસ્મિક માસનું ક્યારેય અનુચિંતન ન કરે. (૫૨૮) બ્રહ્મચર્યરત ભિક્ષુ જલ્દીથી કામવાસનાને વધારનાર પ્રણીત આહારનો સદા પરિત્યાગ કરે. (૫૨૯) તે ચિત્ત સ્થિરતાને માટે ઉચિત સમયમાં ધર્મ મર્યાદાનુસાર પ્રાપ્ત પરિમિત ભોજન કરે, પણ માત્રાથી અધિક ગ્રહણ ન કરે. (૫૩૦) બ્રહ્મચર્ય રત ભિક્ષુ વિભૂષાનો ત્યાગ કરે. શ્રૃંગારને માટે શરીરનું મંડન ન કરે. (૫૩૧) શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ પ્રકારના કામ-ગુણોનો સદા ત્યાગ કરે.
૦ વિવેચન પરર થી ૫૩૧ -
૧૬૪
દશ સૂત્રો છે - વિવિ એટલે રહસ્યભૂત, તેમાં જ સ્ત્રી આદિના અભાવથી વસે. અનાકીર્ણ - અસંકુલ, તે તે પ્રયોજનથી આવેલ શ્રી આદિ અનાકુળપણાથી, રહિત - અકાદચારી વંદનાદિ નિમિત્તે આવનાર સ્ત્રીજનને તજેલ. - x - × -
ઉક્ત રૂપ બ્રહ્મચર્યના પાલન નિમિત્તે આશ્રય કરે. - x - x - માઁ - ચિત્ત, તેનો પ્રહ્લાદ, અહો! આ અભિરૂપા છે, ઇત્યાદિ વિકલ્પજન્ય આનંદ, તેને ઉત્પન્ન કરતી, તે મનઃ પ્રહ્લાદજનની, તેથી જ વિષય આસક્તિને વિશેષથી વધારતી એવી કામરાગ વદ્ધિની તેવી સ્ત્રી કથાનો ત્યાગ કરે.
સંસ્તવ - સહ પરિચય, સ્ત્રી સાથે બેસવું, એક આસને રહેવું, તેણીની સાથે સતત વાતો કરવા રૂપ, તે પણ નિત્ય અને વારંવાર.
અંગ - મસ્તક વગેરે, પ્રત્યંગ - સ્તન, બગલ આદિ, સંસ્થાન - આકાર વિશેષ અથવા અંગ, પ્રત્યંગનું સંસ્થાન - આકાર વિશેષ. શોભન બોલવું વગેરે, તેના સહગન મુખાદિ વિકાર રૂપ. પ્રેક્ષિત - અર્ધ કટાક્ષાદિ આ બધું, બ્રહ્મચર્યરત પુરુષ ચક્ષુ વડે ગ્રહણ કરે છે, તેથી ચક્ષુ ગ્રાહ્ય થઈને વર્જન કરે. અર્થાત્ ચક્ષુ વડે જ રૂપનું ગ્રહણ અવશ્ય થાય તેથી તેના દર્શનનો પણ પરિહાર કરવો જોઈએ. પરંતુ રાગ વશ થઈને તેને વારંવાર જોવી જોઈએ નહીં. કેમ કે ચક્ષુ સમક્ષ આવેલ તેણીના રૂપને ન જોવાનું શક્ય નથી, પણ તેમાં થતા રાગ - દ્વેષનો ત્યાગ કરરવો જોŪ.
હાસ્ય સૂત્રમાં :- રતિ - સ્ત્રીના સંગમાં જન્મેલી પ્રીતિ, દર્પ - મનસ્વિનીના માન ભંગથી ઉત્પન્ન ગર્વ, સહસા અવત્રાસિત એટલે પરાંમુખ થવું, આંખનુ સ્થગન, મઘટ્ટનાદિથી ત્રાસોત્પાદન. - X-.
પ્રણીત સૂત્ર - મદ એટલે કામનો ઉદ્વેગ, તેની વૃદ્ધિ કરવી. આ કામવૃદ્ધિના હેતુનો વિશેષથી ત્યાગ કરવો.
ધર્મ વડે એષણીય, ગૃહસ્થ પાસેથી પ્રાપ્ત, પોતે રાંધેલ નહીં. ધર્મના હેતુથી અથવા ધર્મલાભ વડે પામેલ. - x - ઘર્મ - ઉત્તમ ક્ષમાદિ રૂપ, તેને પામીને. “આ કઈ રીતે મારું” એમ નિરતિચાર થાય. આગમમાં કહેલ પ્રમાણાદિ યુક્ત આહાર, યાત્રાર્થે - સંયમના નિર્વાહણ અર્થે, પણ રૂપાદિને માટે આહાર ન કરે. તે પણ ચિત્ત સ્વાસ્થ્ય
For Private & Personal Use Only
-
Jain Education International
www.jainelibrary.org