________________
૬૫
૧૬/પ૨૨ થી પ૩૧ માટે કરે, રાગ-દ્વેષને વશ થઈને ન ભોગવે. માત્રાને અતિક્રમીને ન ખાય. અથવા મર્યાદાને ઓળંગીને આહાર ન કરે. - X• કોણ? જે બ્રહ્મચર્યરત છે તે. સર્વકાળ, કેમકે - ક્યારેક પણ કારણથી અતિમાત્રાથી આહાર અદુષ્ટ છે.
વિભૂષા - ઉપકરણની, ઉત્કૃષ્ટ વસ્ત્રાદિ રૂપ વિભૂષાનો ત્યાગ કરે. વાળ - દાઢી આદિને સંવારવા રૂપ શરીર પરિમંડનનો પણ ત્યાગ કરે. અર્થાત્ બ્રહ્મચર્ય રત સાધુ શૃંગારાર્થે ન ધારણ કરે.
શબ્દ સૂત્રમાં કામ- ઇચ્છા મદન રૂપ, ગુણ - સાધન ભૂતકે ઉપકારક. કામગુણો રૂપ જે શબ્દાદિ છે તે. '
હવે પૂર્વે જે કહ્યું કે શંકા આદિ થાય, તેને દષ્ટાંતથી કહે છે - • સૂત્ર - પ૩ર થી પ૩૪ -
સ્ત્રીઓની આકીણ સ્થાન, મનોરમ સ્ત્રી કથા, સ્ત્રીઓનો પરિચય, તેની ઇંદ્રિયને જોતી, તેણીના કૂજન, રૂદન, ગીત અને હાસ્યયુક્ત શબ્દોને સાંભળવા, ભક્ત ભોગ અને સહ અવસ્થાનનું સ્મરણ કરવું, પ્રણીત ભોજન - પાન, માત્રાધિક ભોજન - પાન, શરીર વિભૂષાની ઇચ્છા, દુર્જય કામ ભોગ, આ દશ આભગવેષક મનુષ્યને માટે તાલપુટ વિષ સમાન છે.
• વિવેચન - ૫૩૨ થી ૫૩૪ -
સૂત્ર સુગમ છે, વિશેષ આ - સાવ એટલે પરિચય, તે અહીં પણ એક આસને બેસવાથી લેવો. કૂજિતથી હસિત સુધી ભીંત આદિના અંતરે રહિને ન સાંભળવા રૂપ લેવા. સ્ત્રી સાથેના ભક્તાદિ ભોગોનું સ્મરણ. તેમાં ભુક્ત - ભોગરૂપ, આસિત - તે સ્ત્રી આદિ સાથે રહીને. શરીર વિભૂષાની ઇચ્છા, અહીંઇચ્છાનો પણ નિષેધ છે, કરવાની તો વાત જ ક્યાં રહી? કામના કરાય તે કામ અને ભોગવાય તે ભોગો. સંક્ષેપથી શબ્દાદિ ચેષ્ટા. વિષ - સામાન્ય ઝેર, તાલપુર - જલ્દીથી ઘાત કરનાર, જે હોઠમાંથી અંદર મૂક્તાં તાલ માત્ર કાળના વિલંબથી મૃત્યુ ઉપજાવે છે. તેનો અર્થ આ છે - જેમ આ ઝેર આદિ વિપાકથી દારુણ છે, તેમ સ્ત્રીજનથી આકીર્ણ આલય આદિ પણ દારુણ વિપાકી છે. શંકાદિ કરવાથી સંયમરૂપ ભાવ જીવિતનો પણ નાશનો હેતુ છે.
હવે તેનું નિગમન કરતાં કહે છે - • સૂત્ર - ૫૩૫, ૫૩૬ -
એકાગ્રચિત્તવાળા મુનિ દુજે કામ ભોગોનો સદૈવ ત્યાગ કરે અને બધાં પ્રકારના શંકા સ્થાનોથી દૂર રહે.
જે શૈર્યવાન છે, ધર્મ સારથી છે, ધમરિમમાં રત છે, દાંત છે, બહાચર્યમાં સુસમાહિત છે, તે ભિક્ષુ ધમરામમાં વિચરે છે.
• વિવેચન - ૫૩૫, ૫૩૬ -
દુઃખે કરીને જીતાય છે તે દુર્જય. તે ઉક્તરૂપ કામ ભોગો ને નિત્ય સર્વ પ્રકારે ત્યજે. અનંતરોક્તદશે શંકા સ્થાનોને એકાગ્ર મનથી વર્ષે અન્યથા આજ્ઞા, અનવસ્થા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org