________________
૧૬૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મિથ્યાત્વ વિરાધનાદિ દોષો સંભવે છે.
આનો વર્જક શું કરે? પાપ સંતાપથી ઉપતત પામીને નિવૃત્તિ હેતુતાથી અભિલષિત ફળ પ્રદાનથી ધર્મરૂપ બગીચામાં વિચરે. અથવા ધર્મમાં ચોતરફથી રમણ કરે છે માટે તે ઘમરામ છે, તે ધર્મારામના સંયમ રૂપ માર્ગે ભિક્ષ જાય. કૃતિ - ચિત્તનું સ્વાથ્ય, તેનાથી યુક્ત. એવો તે ધર્મસારથી, બીજાને પણ ધર્મમાં પ્રવતવિ. એ રીતે ધમરામમાં આસક્ત થાય. ઉપશાંત થઈ, બ્રહ્મચર્યમાં સમાહિત રહે. હવે તેનું માહાભ્ય કહે છે -
• સૂત્ર - ૩૭ -
જે દુષ્કર બ્રહાચર્યનું પાલન કરે છે, તેને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર એ બધાં નમસ્કાર કરે છે.
• વિવેચન - ૫૩૭ -
દેવ - જ્યોતિષ્ક અને વૈમાનિક, દાનવ - ભુવનપતિઓ, ગંઘર્વ - રાક્ષસ - કિંમર તે વ્યંતર વિશેષ છે. આ ભૂત, પિશાચાદિ બધાં પણ તે બ્રહ્મચર્યવાનું યતિ ને નમસ્કાર કરે છે. કેમકે તેઓ કાયરજનને દુરનુચર એવા અનુષ્ઠાનને - બ્રહ્મચર્યને આદરે છે. હવે સગરનો ઉપસંહાર -
• સૂત્ર - પ૩૮ -
આ બ્રહાચર્ય ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, જિનોપદિષ્ટ છે. આ ધર્મ દ્વારા અનેક સાધક સિદ્ધ થયા છે, થાય છે અને થશે. તેમ હું કહું છું.
• વિવેચન - ૫૩૮ -
અનંતરોક્ત બ્રહ્મચર્ય રૂપ ધર્મ, ધ્રુવ - પરપ્રવાદિ વડે કંપાવવા છતાં પ્રતિષ્ઠિત છે. નિત્ય - સ્થિર એક સ્વભાવવાળો છે, દ્રવ્યાર્થપણાથી શાશ્વત છે, પર્યાયાર્થિપણાથી અચાન્ય રૂપે ઉત્પન્ન છે. અથવા નિત્ય - ત્રણેકાળે પણ સંભવે છે. અનવરત હોવાથી શાશ્વત છે. અથવા આ બધાં એકાર્થિક છે. તીર્થકર વડે પ્રતિપાદિત છે. તેનું ત્રિકાળ ગોચરફળ કહે છે- અનંતી અવસર્પિણી ઉત્સર્પિણીમાં સિદ્ધ થયા છે, અહીં પણ અને મહાવિદેહમાં પણ થયા છે. આના વડે બ્રહ્મચર્ય રૂપ ધર્મથી મોક્ષે જાય છે તે કહ્યું - x
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org