Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ સ્થવિરો સાથે બહારના જનપદવિહાર વિચરે છે.
ત્યારપછી કંડરીક મુનિ સ્થવિરોની સાથે કેટલોક કાળ ઉગ્ર - ઉગ્ર વિહારથી વિચરી. પછી શ્રમયથી કંટાળી, શ્રામસ્યથી નિર્ભત્સિત થઈ. શ્રમણ ગુણયોગથી મુક્ત થઈ, સ્થવિરોની પાસેથી ધીમે-ધીમે પાછા ફરતા ગયા અને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીક રાજાનું ભવન હતું, જ્યાં અશોક વનિકા હતી, જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું, જ્યાં પૃથ્વી શિલાપટ્ટક હતો ત્યાં આવ્યા, આવીને ચાવત શિલાપટ્ટકે બેઠા. બેસીને અપહતમનઃ સંકલ્પ થઈને ચાવત ચિંતામાં પડેલા હતા.
ત્યારપછી પુંડરીક રાજાની ધાત્રી ત્યાં આવે છે. યાવત કંડરીકને જુએ છે, જોઈને તે વાત પુંડરીક રાજાને કહે છે. પુંડરીક પણ અંતઃપુર અને પરિવાર સાથે સંપરિવૃત્ત થઈને ત્યાં આવે છે. આવીને ત્રણ વખત આદિક્ષણ પ્રદક્ષિણા કરીને ચાવત તમને ધન્ય છે ઇત્યાદિ બધું કહે છે. યાવતુ કંડરીક મૌન રહે છે. ત્યારપછી પંડરીક રાજાએ આ પ્રમાણે પૂછયું - શું આપને ભોગોથી પ્રયોજન છે ? (કંડરીકે કહ્ય) - હા, છે.
ત્યારે કૌટુંબિક પુરુષોને પુંડરીક રાજા બોલાવે છે, બોલાવીને કલિકલુષ વડે અભિષિક્ત કર્યો. રાજ્યાભિષેક કર્યો, યાવત તે કંડરીક રાજ્યનું પ્રશાસન કરતા વિચરે છે. ત્યારે તે પંડરીકે સ્વયં જ પંચમૌષ્ટિકલોચ કર્યો, કરીને ચતુર્યામધર્મ સ્વીકાર્યો. સ્વીકારીને કંડરીકના આચારભાંડને સર્વ સુખના સમુદાય સમાન ગ્રહણ કર્યા. કરીને આવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે - મને સ્થવિરોની પાસે ધર્મ સ્વીકારીને પછી જ આહાર કરવાનું કહ્યું છે. આ પ્રમાણે અભિગ્રહ કરીને સ્થવિર પાસે જવા નીકળ્યા.
કંડરીકને પ્રણિત પાન-ભોજન કરવાથી તે સમ્યફ પરિણમ્યો નહીં, વેદના ઉત્પન્ન થઈ, તે વેદના અતિ ઉજ્જવલ, વિપુલ રાવલ દુખે કરીને સહન થઈ શકે તેવી હતી. પછી તે રાજ્યમાં અને ચાવત અંતઃપુરમાં મૂર્ણિત થઈને યાવત આસક્ત થઈને આd - દુખાર્તા - વશાત્ત થઈને અકામ જ મરણ પામીને સાતમી નરકે ૩૩ - સાગરોપમસ્થિતિમાં ગયો.
પંડરીક પણ સ્થવિરોને મળીને, તેમની પાસે ફરીવાર ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યો, અઠ્ઠમ તપના પારણે અદીન યાવત આહાર કરે છે. તેના વડે અને કાલાતિક્રાંત, શીતલ, રૂક્ષ, અરસ, વિરસ આહાર પરિણત ન થતાં અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. પછી તે વેદના અધારણીય છે, એમ વિચારીને બે હાથ જોડી યાવત્ અજલિ કરીને આ પ્રમાણે બોલ્યા અર્થાત (આવી ભાવના ભાવી) -
અરહંત ભગવંત યાવત મોક્ષસંપ્રાપ્તને નમસ્કાર થાઓ. તથા સ્થવિર ભગવંતોને, મારા ધર્માચાર્યોને, ધમપદેશકોને નમસ્કાર થાઓ. પૂર્વે પણ મેં વિરોની પાસે જાવજીવને માટે સર્વે પ્રાણાતિપાતના પચ્ચખાણ કરેલા છે. યાવત સર્વે અકરણીય યોગના પચ્ચક્ખાણ કર્યા છે. હાલ પણ તે જ ભગવંતોની પાસે યાવત સર્વે પ્રાણાતિપાત અને યાવત સર્વે અકરણીય યોગના પ્રત્યાખ્યાન કરું છું. આ મારું જે શરીર છે, તે પણ યાવત્ છેલ્લા ઉચ્છવાસ - નિઃશ્વાસથી વોસિરાવું છું. એ પ્રમાણે આલોચના અને Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org