Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૨
અધ્યયન
-
-
Jain Education International
X
X
0
દશમું અધ્યયન કહ્યું. હવે અગિયારમું કહે છે. આનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં અપ્રમાદ રહેવા માટે અનુશાસન કહ્યું. તે વિવેકીને જ વિચારવું શક્ય છે. વિવેક બહુ શ્રુતની પૂજાથી જન્મે છે. તેથી બહુશ્રુતપૂજા કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં યાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપમાં બહુસૂત્રપૂજા કે બહુશ્રુતપૂજા નામ છે. તેથી તેના નિક્ષેપને પ્રતિપાદિત કરવાની ઇચ્છાથી નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ ૩૧૭ વિવેચન
ગૅડુ - ઘણું, સુય - સૂત્ર કે શ્રુત. તેની પૂજા. આ ત્રણે પદોના નામ આદિ ચાર પ્રકારે નિક્ષેપા થાય છે. તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્યથી હુ તે દ્રવ્યબહુત્વ, તેનાથી ઘણાં જીવ - ઉપયોગ લક્ષણ, પુદ્ગલ - સ્પર્શાદિ લક્ષણ, ચ શબ્દથી પુદ્ગલોનું જીવની અપેક્ષાથી બહુતરત્વ બતાવે છે. તે પણ એકૈક સંસારીજીવ પ્રદેશમાં અનંતાનંત જ હોય છે. જીવપુદ્ગલો જ ‘દ્રવ્યબહુ’ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશના એક દ્રવ્યત્વથી અને કાળના પણ તત્ત્વપણાથી સમયરૂપત્વથી બહુત્વનો અભાવ છે.
• નિયુક્તિ - ૩૧૧ વિવેચન
ભાવ બહુત્વથી બહુક ચૌદ પૂર્વે - ઉત્પાદપૂર્વ આદિ અનંત ગમ યુક્ત છે. તેમાં ગમ - જેના વડે વસ્તુસ્વરૂપ જણાય તે. ગમ - વસ્તુ પરિચ્છેદ પ્રકારો નામ આદિ, તેના વડે યુક્ત અને ઉપલક્ષણથી પર્યાય આદિ લેવા. આના વડે તદાત્મકપણાથી પૂર્વેનું પણ આનંત્ય કહ્યું. આ કાય ભાવમાં વર્તે છે, જેનાથી ‘ભાવબહુ’ કહેવાય ? તે કહે છે - ‘ભાવ’ આત્મપર્યાયમાં ક્ષાયોપશનિકમાં ચૌદ પૂર્વે વર્તે છે. ક્ષાયિક ભાવમાં કોઈ ‘ભાવબહુ’ કેમ નથી ? છે, તે કહે છે - કર્મના ક્ષયથી ઉત્પન્ન અને અનંત પર્યાયપણાથી કેવળજ્ઞાન પણ ભાવબહુક છે. ‘બહુ’ કહ્યું. હવે સૂત્ર કે શ્રુત કહે છે -
.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
બહુશ્રુત પૂજા
-
૧૧
-
X
• નિયુક્તિ - ૩૧૨ - વિવેચન
દ્રવ્યસૂત્ર કે દ્રવ્યશ્રુત, તેમાં પહેલું પુંડજ આદિ, બીજું કહે છે - દ્રવ્યશ્રુત - તે અક્ષરરૂપપણે ન્યસ્ત, પુસ્તકાદિમાં છે તે. બોલાતું પણ દ્રવ્યશ્રુત કહેવાય છે. ભાવશ્રુત બે ભેદે - સમ્યક્ શ્રુત અને મિથ્યા શ્રુત. તેનું સ્વરૂપ -
વિવેચન
• નિયુક્તિ - ૩૧૩, ૩૧૪
ભવમાં કે ભવ્ય, આમની સિદ્ધિને ભવસિદ્ધિ કે ભવ્યસિદ્ધિક. આ જ પ્રાણીઓ સમ્યક્ દૃષ્ટિ છે. જે શ્રુત ભણે છે, તે સમ્યક્શ્રુત શબ્દથી પ્રક્રમથી ભાવશ્રુત કહેવાય છે. (શંકા) બોલાવવાપણાથી તેને દ્રવ્યશ્રુતત્વ કેમ ન કહ્યું ? આના વડે આનાથી જનિત ઉપયોગ જ ઉપલક્ષિત કરેલ છે, માટે દોષ નથી. આ પ્રમાણે બીજે પણ વિચારવું. તેનું માહાત્મ્ય કહે છે - આઠ પ્રકારના કર્મોને દૂર કરનાર. હવે મિથ્યાશ્રુત કહે છે - મિથ્યાર્દષ્ટિ જીવો અહીં પણ ભવ્ય જીવો જ લેવા. જો અભવ્યો લેશે તો મિથ્યાશ્રુત શબ્દથી અહીં પણ ભાવશ્રુત કહેલ છે, તેવો સંબંધ થશે. કર્મ - જ્ઞાનાવરણ આદિ સ્વીકાર કરાય છે,
For Private & Personal Use Only
B
www.jainelibrary.org