Book Title: Agam Jyot 1967 Varsh 02
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 236
________________ પુસ્તક ૩-જુ ૭૭ શાસનમાં ગણાતા સર્વ સૂત્રમાં આ એક આવશ્યકસૂત્ર જ એવું છે કે જેને વિધાન દ્વારા દરેક વર્ષે, દર માસે અને દરેક પખવાડીએ ઉપગ થવા સાથે દરરોજ સવારે અને સાંજ એમ બબ્બે વખત ઉપયોગ થાય છે. આ મહત્તા આવશ્યક સૂત્રને જેવી રીતે વરી છે, તેવી રીતે બીજા કેઈ પણ સૂત્રને વરેલી નથી. આવશ્યકસૂત્રની બીજી રીતે પણ મહત્તા વળી અન્ય સૂત્રે જ્યારે માત્ર સાધુના આચારને પ્રદર્શિત કરે છે કે માત્ર શુદ્ધિ કરવાના રસ્તાઓ બતાવે છે ત્યારે આ આવશ્યકસૂત્ર આચારની પ્રતિજ્ઞા કરાવવાવાળું હવા સાથે શુદ્ધિને કરાવવાવાળું અને તે પણ હંમેશને માટે દેવ, ગુરુના બહુમાનને જાળવવા સાથે આત્માના ઔદયિક ભાવને ખસેડી લાપશમિઆદિ ભાવને અર્પણ કરનારૂં છે. આવ, ભણવા માટે પર્યાયની જરૂર નહીં તેથી જ આ આવશ્યકસૂત્રને માટે અન્ય સૂત્રની માફક પર્યાયની અપેક્ષાએ પ્રામાપ્રાપ્તપણે વિચારવાનું સૂત્રકારેએ રાખ્યું નથી, પણ દિક્ષાને દિવસે પણ આ આવશ્યકસૂત્રના અધ્યયનને માટે યોગ્યતા ગણી છે અને તેથી જ આ આવશ્યકસૂત્રને મૂળસૂત્ર તરીકે ગણવામાં આવે છે. જો કે આવશ્યકના પણ છ અધ્યયન હોવાથી છ દિવસ તે અધ્યયનને માટે થાય છે, પણ બીજા સૂત્રોની માફક છેદપસ્થાનીય નામના ચારિત્રના પર્યાયની અપેક્ષાએ પ્રાસ્તાપ્રાપ્તપણે વિચારવાનું હોતું નથી. આવશ્યક સાધુને પ્રથમ આપવું અને આ જ કારણથી વિશેષઆવશ્યકભાષ્યકાર જિનભદ્રગણક્ષમાશ્રમણુજી મહારાજ બાળક અને રેગીના શરૂઆતના ખેરાકની માફક આવશ્યકસૂત્રને સર્વ સૂત્રોમાં પ્રથમ દેવા લાયક ગણવે છે અને તે જ જિનભદ્રગણક્ષમાશ્રમણુજી વિશેષઆવ-શ્યક ભાષ્યમાં તેમજ ભગવાન્ હરિભદ્રસૂરિજી વિગેર સમર્થ પચાર જણ બીજા ન હોવાથી અવામાં

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316