Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 252
________________ અવગ્રહ પ્રતિમાધ્યયન કા નિરૂપણ સાતમું અધ્યયન હવે સાતમા અધ્યયનના ગુજરાતી ભાષાંતરનો પ્રારંભ કરાય છે. ટીકાર્ચ-છા અધ્યયનમાં પાષણ સંબંધી નિરૂપણ કરવામાં આવેલ છે. અને પાત્ર વિગેરે ઉપકરણને સાધુજન કઈ પણ ગૃહસ્થ શ્રાવકની સંમતિથી જ ગ્રહણ કરે છે. કેમ કે- સાધુ, મુનીજને પૂર્ણ રીતે અસ્તેય અર્થાત્ ચોરી ન કરવારૂપ મહાવ્રતને સ્વીકાર કરીને જ જીવન યાપન કરવાવાળા હોય છે. તેથી આ સાતમા અધ્યયનમાં પ્રતિજ્ઞા વિશેષરૂપ અવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા વિશેષ રૂપ અવગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી ચાર પ્રકારને સમજે. અર્થાત્ દ્રવ્ય વિશેષને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા તથા ક્ષેત્ર વિશેષને સ્વીકાર કરીને રહેવાની પ્રતિજ્ઞા એવં કાળ વિશેષમાં જ નિવાસ કે ભિક્ષાટન વિગેરે કરવાની પ્રતિજ્ઞા તથા ભાવ વિશેષને સ્વીકારવાની પ્રતિજ્ઞા કરવી આ રીતે ચાર પ્રકારને અવગ્રહ સમજે. જેમ કે દેવેન્દ્રાવગ્રહ ૧, રાજાવગ્રહ ૨, ગૃહપત્યવગ્રહ ૩, શાતરાવગ્રહ ૪ અને સાધર્મિકાવગ્રહ ૫, આમાં દ્રવ્યાવગ્રહ ત્રણ પ્રકારને કહેલ છે. સચિત્ત ૧, અચિત્ત ૨, અને મિશ્ર ૩, ના ભેદથી ત્રણ પ્રકારને થાય છે. તેમાં શિષ્યાદિને સચિત્તાવગ્રહ કહેવાય છે. અર્થાત કેવા પ્રકારના શિષ્યાદિરૂપ સચિન દ્રવ્યને ગ્રહણ કરવું જોઈએ તેને સચિત્તાવગ્રહ કહે છે. તથા સરક મુખવસ્ત્રિક (મુહ. પત્ત) રજોહરણદિને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાને અચિત્તાવગ્રહ કહે છે. તથા સચિત્ત શિષ્યાદિ અને અચિત્ત રજોહરણાદિએ બન્નેને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાને-મિશ્રાવગ્રહ અર્થાત્ સચિત્તા sચિત્તાવગ્રહ કહે છે. એ જ પ્રમાણે ગામ, નગર અને અરણ્યના ભેદથી ક્ષેત્રાવગ્રહ પણ ત્રણ પ્રકારના માનવામાં આવે છે. અર્થાત્ ગામ વિશેષમાં જ રહેવું તથા નગર વિશેષમાં જ રહેવું કે અરણ્ય-જંગલ વિશેષમાં જ રહેવાની પ્રતિજ્ઞાને ક્ષેત્રાવગ્રહ કહે. વામાં આવેલ છે. પરંતુ કાળાવગ્રહ બે પ્રકારને જ માનવામાં આવે છે. ૧ વસન્તાદિ હત બદ્ધકાળ અને ૨ વર્ષાકાળના ભેદથી બે પ્રકાર થાય છે. તથા ભાવાવગ્રહ પહેલાં બે પ્રકારનું માનવામાં આવે છે. ૧ મત્યવગ્રહ અને ૨ ગ્રહણાવગ્રહ તેમાં મત્યવગ્રહ બે પ્રકારને થાય છે. ૧ અથવગ્રહ અને ૨ વ્યંજનાવગ્રહ તેમાં પણ અથવગ્રહ છ પ્રકારનો થાય છે. ૧ એકેન્દ્રિય ૨ શ્રીન્દ્રિય ૩ ત્રીન્દ્રિય ૪ ચતુરિન્દ્રિય ૫ પંચેન્દ્રિય ૬ નેઇદ્રિય પરંતુ વ્યંજનાવગ્રહ ચતુરિંદ્રિય અને મનને છોડીને ચાર પ્રકારને જ માનવામાં આવે છે. આ પ્રમાણે બધાનું સંકલન કરવાથી મત્યવગ્રહ દસ પ્રકારને સિદ્ધ થાય છે. તેમ જ ઉપરોક્ત પાંચ પ્રકારને દેવેન્દ્રાદિ સંબંધી અવગ્રહ ગ્રહણાવગ્રહ વિશેષરૂપ ભાવાવગ્રહમાં અંતર્ભત થઈ જાય છે. કેમ કે પરિગ્રહ રહિત શ્રમણના પીડ-વસતિવસ્ત્ર અને પાત્ર ગ્રહણના પરિણામ દશામાં ગ્રહણવગ્રહ કહેવાય છે. આ ગ્રહણાવગ્રહ હોય ત્યારે કયા પ્રકારથી મને શુદ્ધ પિંડ- વસતિ વિગેરે પ્રાતિહારિક કે અપ્રાતિહારિક મળશે આ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્ર : ૪ २४१

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393