Book Title: Aatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 494
________________ 99 જે મનુષ્યને સ્વભાવ સાત્વિક પ્રકૃતિવાળે અને સદ-- વિચારવાળે થઈ રહેલો હોય છે, તેના સહવાસમાં આવવાથી મનુષ્યને શાંતિ મળે છે, તેની પાસે બેસી રહેવાનું ગમે. છે, તેની સમીપમાં રહેવાથી શુભ વિચારના બીજને પોષણ મળે છે. તે વખતે સદ્વર્તન રાખવાનું કામ સહેલું થઈ પડે છે. આનું કારણ માત્ર એ જ છે કે તે સત્પરૂષના સદ્દવિચારેના આંદોલને અને તેથી બંધાયેલું તેમની આસપાસ ભમતું પવિત્ર વાતાવરણ આપણને આવી સુંદર સ્થિતિમાં લાવી મૂકે છે. ૬ બીજી બાજુ કેટલાક એવા હલકા વિચારના, વ્યભિચારી વૃત્તિના દુર્ગણ મનુષ્યના સહવાસમાં આવવામાં આવે છે ત્યારે મનુષ્યોને બેચેની, અસંતોષ, કામની લાગણીઓ અને દ્વેષની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેનાથી દૂર ચાલ્યા જવાનું મન થાય છે. આનું કારણ તે જીઓ ઉત્પન્ન કરેલું તેમનું અશુભ વાતાવરણ છે, તેમનાં ખરાબ આદેલને છે, તેને લીધે તે તે આકૃતિઓ આપણુમાં તેવી તેવી લાગણીઓ ઉત્પન્ન કરે છે, તેને લગતાં તેવા તેવાં બીજ આપણા સ્વભાવમાં હોય છે તેને આ આકૃતિએ જાગૃત કરે છે. અને તે પ્રમાણે વર્તન કરવાની ફરજ પાડતા હોય તેમ તે પ્રવૃત્તિ કરાવે છે. આવી પ્રવૃત્તિને લીધે આપણામાં રહેલા અશુભ બીજને પષણ મળે છે. ૭ જુદા જુદા વિચારવાળાનાં આંદોલને જુદા જુદા પ્રકારે વહ્યા કરે છે. વૈરાગીના મનમાંથી વૈરાગ્યનું વાતાવરણ પ્રગટ

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532