Book Title: Aatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 517
________________ ૧૦૦ વાસ સારો લાગે છે, તે આખા વિશ્વને પ્રેમથી ચાહે છે, શાંતિ અનુભવે છે. સંગને ભાનપૂર્વક અનુકૂળ થાય છે. જે વખતે જે વસ્તુ આવી મળે તેમાં સંતોષ માને છે. વિજય અને પરાજય બને અવસ્થામાં તેની મને વૃત્તિ સમતલપણું જાળવી રાખે છે. મહત્ત્વાકાંક્ષા તરફ દુર્લક્ષ કરે છે. વિ અને અધિકારણે તેને લલચાવી શકતા નથી. દુ:ખી જી તરફ તે દિલસેજી ધરાવે છે. દુઃખી અને દેખી તેનું હૃદય દ્રવે છે, બનતા પ્રયત્ન તેને મદદગાર થાય છે. પિતાને માથે આવી પડતાં કષ્ટો તરફ તે વધારે કઠણ અને નિડુર બને છે, બળને બદલે નમ્રતા બતાવે છે. વિરોધી સામે શાંત સહનશીલતા ધરાવે છે, અભિમાન તેનાથી દૂર નાસી ગયું હોય છે, ક્રોધ તે દેશવટો માંગી લે છે, આત્મભાનમાં સતત રમણતા-અસ્થિરતા કરે છે. જડ વસ્તુ તરફ તેનુ. ખેંચાણ થતું નથી. આત્માની અંદર તે શાંતિ અનુભવે છે, આત્મધ્યાનમાં તે મસ્ત રહે છે, વગર કારણે વૃત્તિઓને ગતિમાં મૂકી તે પિતાના બળને નાશ કરતું નથી, છતાં જીવને આત્મા તરફ દોરવવા, આત્મભાનમાં જાગૃત કરવામાં પિતાની શક્તિના વ્યયની દરકાર તે કરતો નથી. આત્મધ્યાનમાં રહેને દરેક ક્ષણે પિતાની શક્તિને વિકાસ તે કરતો જાય છે. અમૂલ્ય જીવનની દરેક પળ પવિત્ર આત્મશકિતના વિકાસની પાછળ ખરચતે રહે છે. ૧૬. જીવને જ્યાં સુધી ઈચ્છાઓ વિષ તરફ ઘસડી જાય છે ત્યાં સુધી કર્મની બેડીઓ તોડી છુટા થવાને સમય હજી

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532