Book Title: Updesh Prasad Part 05
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/022161/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશપ્રાસાદ લાગી મ લેખક : શ્રી વિરાટ Page #2 -------------------------------------------------------------------------- ________________ છે હીં અહં નમઃ શાસનસમ્રાટ આયાદિવ શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી સશુભ્યો નમઃ પીયૂષપાણિ આચાર્યવર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી સ ભ્યો નમઃ વિરાટ પ્રકાશન સુડતાલીસમું આચાર્ય શ્રીમદ્ વિજયલક્ષ્મીસૂરીશ્વરજી વિરચિત ઉપદેશપ્રસાદ મહાગ્રંશ (ભાગ પાંચમો) ગુર્જર ભાવાનુવાદ -: પ્રેરક :મધુર ઉપદેશક-રાજેશ્વર રાજશેખરસૂરીશ્વરજી મ. - આયોજકઃબાલમુનિ બાલમુનિ શ્રી ધનંજયવિજયજી મ.સા. શ્રી અરિયવિજયજી મ.સા. છે -: લેખકઃશાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યભગવંત | શ્રીમદ્ વિજયવિશાલસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી વિરા) ) :: : = Page #3 -------------------------------------------------------------------------- ________________ -: પ્રકાશક : શ્રી વિરાટ પ્રકાશન મંદિર છે. શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન, તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦. -પ્રાપ્તિસ્થાનો શ્રી પીયૂષપાણિ પાર્શ્વનાથ તીર્થધામ મુ. વરસાવા, પો. મીરા, જી. થાણા, મહારાષ્ટ્ર, પીન-૪૦૧૧૦૪. Ph.: 022-28457014, M : 09820898653 || શ્રી વિશાલ જૈન કલા સંસ્થાના (જૈન મ્યુઝિયમ) તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦ N : 8128941641 ભરત ગ્રાફિક્સ ૭, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. Ph. : 079-22134176, M : 9925020106 આવૃત્તિ - પાંચમી વીર સં. ૨૫૩૭ - વિ.સં. ૨૦૬૭ • નમિ સંવત ૨૮ • ઈ.સ. ૨૦૧૦ પ્રચારાર્થે કિંમત : રૂા. ૨૦૦-૦૦ સેટ ભાગ ૧ થી ૫ - કિં. રૂા. ૯૦૦-૦૦ મુદ્રક : ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો: ૯૯૨૫૦૨૦૧૦૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આચાર્યદિવેશ રાજેશ્વર રાજશેખરસૂરીશ્વરજી મ.સા.નો. સંક્ષિપ્ત પરિચય વિછીયા (ઝાલા) નિવાસી દશાશ્રીમાળી ઝવેરી શિવલાલ નાગરદાસ – માતા કાંતાબેનની કુક્ષીએ ઈન્દોરમાં જન્મ્યા ને મુંબઈમાં મોટા થયા. શ્રી રમેશભાઈ દીક્ષિત થયા પહેલા પોતાના મોટાભાઈ વિશાલવિજયજીના પ્રભાવમાં રહ્યા. ત્રણ વર્ષ તેમની પાસે રહ્યા અને કર્મગ્રંથ, તત્ત્વાર્થ, સંસ્કૃત બુક આદિનો સુંદર અભ્યાસ કર્યો. તેમની પરિપક્વતા જાણી મહાસુદ-૧૩ ના રોજ કીનોલી (મુરબાડ) મુકામે આ. શ્રી પ્રિયંકરસૂરિજી મ.સા.ના વરદ્ હસ્તે દીક્ષા વડી દીક્ષા થઈ. નામ રાખ્યું રાજશેખરવિજયજી. મુનિ શ્રી વિશાલવિજયજીના શિષ્ય તેર વર્ષના નાનકડા રાજશેખરવિજયજી દીક્ષાદિનથી જ ગુરુ સંગાથે વિચરતા રહ્યા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમની કુશાગ્ર બુદ્ધિ ખીલતી રહી. ડહાપણ ઝળકતું રહ્યું. સમર્પણભાવમાં આત્મા રંગાતો રહ્યો. થોડા વખતમાં જ વ્યાકરણન્યાય-સિદ્ધાંત-સાહિત્ય-સ્તવનો-સઝાયોનો અદ્ભુત અભ્યાસ કર્યો. તેઓશ્રીનો સુમધુર કંઠ દહેરાસર-ઉપાશ્રયને મંત્રમુગ્ધ કરતો રહ્યો. તેઓશ્રી અભુત કાર્યદક્ષતા ધરાવતા હતા. એ સમયે ગુરુમ. સાથે કોઈપણની સહાય વીના આખું હિન્દુસ્તાન વિચર્યા અને તીર્થયાત્રાઓ કરી. પૂ. મેરુસૂરિજી મ., પૂ. દેવસૂરિજી મ., પૂ. હેમચંદ્રસૂરિજી મ.ની નિશ્રામાં પોતાના ગુરુમહારાજ સાથે મોટા યોગો કર્યા અને આચાર્યપદવી સુધી પહોંચ્યા. આમ શ્રી રાજશેખરસૂરિજી સર્જક અને વ્યાખ્યાનદાતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સંવત ૨૦૩૦ માં ગુરુ મહારાજની નિશ્રામાં રહીને પાલીતાણામાં મ્યુઝીયમ માટે ટ્રસ્ટ કાયમ કર્યું. આ સંસારનું એકમાત્ર જૈન મ્યુઝીયમ છે. પાલીતાણામાં આવ્યા અને મ્યુઝીયમ ન જોયું તેણે કશું નથી જોયું એમ કહેવું પણ અસ્થાને નહિ ગણાય. આવા અલૌકિક મ્યુઝીયમની સ્થાપના-વિકાસ-જાળવણી આદિમાં તેઓશ્રીનો અનન્ય ફાળો હતો. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ. રાજશેખરસૂરિજી મ. ગુરુની સાથે પડછાયાની જેમ રહ્યા. એક દિવસ પણ ગુરુથી છુટા પડેલ નહિ. સં. ૨૦૬૫ નું ચોમાસુ ગુરુમહારાજની નિશ્રામાં ભાયંદર મુકામે કર્યું. શાંત સુધારસ ગ્રંથના આધારે અભુત વ્યાખ્યાનો આપ્યા. હજારોની મેદની આવતી. સ્તવનસઝાયોમાં તો તેમની માસ્ટરી હતી. પ્રતિક્રમણમાં તેઓશ્રી સ્તવન-સઝાય પ્રકાશે ત્યારે મોટી સંખ્યામાં આવેલ ભાવુકવર્ગ ડોલવા લાગે. સરલતા-સહજતા-પરોપકારીતા-વિચક્ષણતા આદિ ગુણો જોઈ ધન્યતાનો અનુભવ થાય. ગુરુકૃપાએ જૈન મ્યુઝીયમની સ્થાપના કરી. તે આજે કરોડોમાં પણ ન થઈ શકે. તેમની કલ્પના બુદ્ધિ પણ અચરજ પમાડે તેવી હતી. ગુરુકૃપાથી દાદાગુરુની સ્મૃતિમાં શ્રી પિયૂષપાણિ પાર્શ્વનાથ તીર્થધામ નામનું મહાન તીર્થ મુંબઈ (દહીંસર પાસે)માં સ્થાપન કર્યું. જે આખા દેશમાં પ્રસિદ્ધ છે. પર મા છેલ્લા ચોમાસામાં ભાયંદર મુકામે હજારો શ્રાવકોની પર્ષદામાં વ્યાખ્યાન આપતા. ૪૫ આગમની તપશ્ચર્યાની ક્રિયા કરાવતા તેમજ પ્રતિક્રમણમાં સ્તવનો સઝાયથી સહુને ડોલાવતા. આમ ભાયંદર મુકામે તેઓશ્રી સહુના વહાલા થયા. તેઓ કલા મર્મજ્ઞ દિર્ઘદષ્ટા અને સમય આવે સહુને સાચવી લેનાર હતા. તેઓશ્રીને એકાદ વરસથી સામાન્ય હાર્ટની તકલીફ હતી. ડૉક્ટરે કહેલું બહુ ચિંતા જેવું નથી દવા લેજો ને સાચવજો. પણ આશો સુદ ૧૩ ના વિજય મુહૂર્તે તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની પાલખીને શ્રી પીયુષપાણિ તીર્થમાં લઈ જવાઈ. ૨૫ હજાર માણસ સાથે હતું ને પાંચ હજાર માણસો તો વરસતા વરસાદે પીયુષપાણિમાં પહોંચી ગયેલ. જય જય નંદા, જય જય ભદાના જયઘોષપૂર્વક શેઠ શ્રી રતિલાલ જેઠાભાઈ સલોત પરિવારે સારો એવો ચઢાવો બોલી અગ્નિદાહનો લાભ લીધો. રાજેશ્વર રાજશેખરસૂરિજી સદેહે આપણી સાથે નથી, પણ તેમને આરંભેલ કાર્યો આપણે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાના છે. - આચાર્ય શ્રી વિશાલસેનસૂરિ (વિરાટ) Page #6 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભરમાં એક માત્ર અદ્વિતીય અને અલૌકિક જૈન મ્યુઝીયમ શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન -: પ્રેરણા - આશીર્વાદ - માર્ગદર્શન :કલાવિદ્ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિશાલસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ (શ્રી વિરાટ્) ઉદ્દેશ અને હેતુ ૧. સર્વને સુવિદિત છે કે અર્થલોલુપ તત્ત્વો પ્રાચીન જૈન કલાકૃતિઓ, હસ્તપ્રતો, મૂર્તિઓ આદિની ચોરી કરીને કે કરાવીને તેને મામુલી કે મોંઘી કિંમતે વેચી નાંખે છે. ૨. આ પણ સુવિદિત છે કે કલા-મૂલ્યના અજ્ઞાનના લીધે વ્યક્તિગત કે સંઘના જ્ઞાનભંડારોમાં દસ્તાવેજી હસ્તપ્રતો, કલાકૃતિઓ આદિનો ઉધઈ, ભેજ, વાંદા આદિ વિનાશ કરે છે. ૩. એવું પણ બને છે કે સંઘના જ્ઞાનભંડારોમાંથી આવી દુર્લભ વસ્તુઓ ચોપડે નોંધાયેલી હોવા છતાં ય, તે કોની પાસે છે તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. ૪. અને આ પણ જગજાહેર છે કે જગ્યાના અભાવે તેમજ આવી દુર્લભ કૃતિઓના ઐતિહાસિક મહત્ત્વના જ્ઞાનના અભાવે તે દરિયામાં પણ પધરાવી દેવાય છે. આ ચિંતાજનક પરિસ્થિતિને શક્ય તમામ પ્રયાસોથી રોકવા તેમજ સમાજને પ્રાચીન સાહિત્ય કલા અને સંસ્કૃતિના વારસાનું યથાર્થ મહામૂલ્ય સમજાવવા તેમજ સાધનોની મર્યાદામાં રહીને જ્યાંથી પણ તેવો પ્રાચીન વારસો મળે ત્યાંથી તે મેળવીને તેનું યોગ્ય જતન કરવાનો આ સંગ્રહાલયનો મુખ્ય અને વિશાળ શુભ ઉદ્દેશ છે. આ ઉપરાંત વર્તમાન સાહિત્ય, કલા અને સંસ્કૃતિને શિલ્પ, ચિત્ર અને અક્ષરમાં અંકિત કરીને ભાવિ પેઢીને આજનો દસ્તાવેજી વારસો આપવાની અમારી નેમ અને સંનિષ્ઠ પ્રયત્ન છે. સંગ્રહાલયના લાભ (૧) ગૌરવવંતા જૈન ઈતિહાસ અને જૈન વિભૂતિઓ વિષે દસ્તાવેજી અને પ્રત્યક્ષ જ્ઞાન અને માહિતી મળે છે. (૨) પ્રાચીન શિલ્પ, રંગ, રેખા, શૈલી, લીપી આદિ શીખવા મળે છે. (૩) તત્કાલિન વેષ, વ્યવહાર, વિચાર વગેરેની ઐતિહાસિક જાણકારી મળે છે. નિવેદક ટ્રસ્ટીઓ આવી મહત્ત્વાકાંક્ષી યોજના માટે આપનો સહકાર અપેક્ષિત છે. શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન (જૈન મ્યુઝીયમ) તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં અહં નમઃ કાંઈક પ્રાસ્તાવિક પરમ ઉપકારી તીર્થંકર પરમાત્માએ વિશ્વના એકાંતહિતને માટે જે કલ્યાણકારી વાણી ફરમાવી, તે અનેક પાત્રોમાં ઝીલાઈ આજે પણ કલ્યાણ માર્ગને પ્રશસ્ત કરી રહી છે. ઉપદેશ વિના-બોધ વિના અંધારું છે. મુખ્યતાએ બોધ આપવાના અધિકારી ગીતાર્થ ગુરુ મહારાજો છે. ઉપદેશ આપવાની કળામાં સાધુઓ નૈપુણ્ય અને જ્ઞાન મેળવે એ ઉદેશથી વ્યાખ્યાનલેખનના કુશળ આલેખનકાર આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજાએ ઉપદેશપ્રાસાદ એટલે ઉપદેશનો મહેલ નામનો આ મહાગ્રંથ વરસ દિવસના વ્યાખ્યાનોની ગોઠવણપૂર્વક રચ્યો છે, આ ગ્રંથને મહેલની ઉપમા લઈ યથાર્થ નામાભિધાન અર્પે છે. આ મૂળગ્રંથ સરળ સંસ્કૃતમાં છે. તેમાં વિપુલ સાહિત્યનું સંકલન અને ઘણું બધું તત્ત્વ ભર્યું છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજીની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી ઘણો ઉપકાર કર્યો છે, કેમકે વર્તમાનમાં પણ ઘણા સાધુ-મુનિરાજો આદિ આ ગ્રંથના આધારે વ્યાખ્યાન વાંચવાની શરૂઆત કરી શક્યા છે. ઘણી જરૂરી હોઈ આ પાંચમી નવી આવૃત્તિ છપાવાઈ. પ્રસ્તુત ગ્રંથની આ પાંચમી આવૃત્તિ જ આ ગ્રંથની લોકપ્રિયતાનું પ્રતિક છે. | મુખ્ય ગ્રંથ પણ ખંડમાં વહેંચાયેલા છે. પ્રથમ ખંડમાં સમ્યક્ત્વનું સ્વરૂપ, બીજા ખંડમાં દેશવિરતિ-શ્રાવકધર્મનું સ્વરૂપ અને ત્રીજા ખંડમાં સર્વવિરતિ-મુનિધર્મનું સ્વરૂપ વર્ણવેલું છે, આ ત્રણે ખંડને પાંચ ભાગમાં વહેંચી ગુજરાતી ભાષાંતર રૂપે જૈનધર્મ પ્રસારક સભાએ વર્ષો પહેલા છપાવેલ, જે આજે દુષ્માપ્ય છે. ભાષાનું સૌષ્ઠવ ને વિષયનું સરલ-વિશિષ્ટ નિરૂપણ થાય, કથાઓને થોડી મઠારવામાં આવે તો ગ્રંથ વધારે ઉપકારક થાય એ ઉદ્દેશથી આ પાંચે ભાગો અમે નવેસરથી લખ્યા છે, આમાં વધારે કાંઈ કહેવાપણું રહેતું નથી. કારણ કે ગ્રંથ પોતે જ પોતાની વાત કહેશે. શ્રાવક માત્રના ઘરમાં આ પાંચે ભાગ હોવા જરૂરી છે. એક આખા વરસનો આમાં નિત્ય નવો સ્વાધ્યાય છે, ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વિષયો-તેનું નિરૂપણ અને તે પર ૩૬૦ જ્ઞાનબોધવર્ધક આકર્ષક કથાઓ છે, જે ઘણો બોધ આપશે ને ઉપકાર કરશે. ૧૦ વર્ષ પૂર્વે છપાયેલા આ પાંચ ભાગોની ઘણા વખતથી ઘણી માંગણી હતી, સ્થાનકવાસી-તેરાપંથી ઘણાં સાધુ-સાધ્વીજીની પણ માંગ હતી. સાચા અર્થમાં આ ગ્રંથો સાચા ગ્રાહકનાં હાથમાં પહોંચે તેવા ગૌરભર્યા આશયથી આ ગ્રંથોનું પડતર ભાવે વેચાણ રાખેલ છે. શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિવસ આ. વિશાલસેનસૂરિ (શ્રી વિરાટ) પાલીતાણા Page #8 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિરાટ પ્રકાશનના પ્રકાશનો) () ગુજરાતી શ્રી વર્ધમાન દેશના ............. ....... ગુજરાતી ચાર ચારિત્ર ..................................................... ••••••• ............ ગુજરાતી કુલદીપક કે કુલાંગાર ?........... .............. શ્રાદ્ધાચારવિચાર . ...... હિન્દી શ્રી સમરાદિત્ય (સંપૂર્ણ) ............. ............... હિન્દી (૬-૭) વિશાલ ભજનાવલિ ભાગ ૧-૨.................... .............. હિન્દી (૮) વિશાલ ગીત ગુંજન .............. . હિન્દી (૯-૧૦) વિશાલ સ્તવન માધુરી ભાગ ૧-૨ .. .............. હિન્દી (૧૧) રાજકુમારી સુદર્શના .. ............... હિન્દી (૧૨) કુલભૂષણ ...................................................... ગુજરાતી (૧૩) સિંહલની રાજકન્યા ................. ............ ગુજરાતી (૧૪) સુદર્શના ચરિત્રમ્ ...... ............... સંસ્કૃત (૧૫) સુદંસણા ચરિયું ............. માગધી (૧૬) શ્રાદ્ધવિધિ પ્રકરણ ........... ........................ ગુજરાતી (૧૭) સંબોધ પ્રકરણ (મૂળ) (૧૮-૨૨) ઉપદેશપ્રાસાદ ભાગ ૧ થી ૫ (પાંચમી આવૃત્તિ) ................ ગુજરાતી (૨૩) શ્રી મલયાસુંદરી ચરિત્રમ્.... ................ સંસ્કૃત (૨૪) શ્રી ચંદ્રપ્રભજિન પૂજા સાથે ...... ............. ગુજરાતી (૨૫) સુદર્શના (નવી આવૃત્તિ) ..................... ............... હિન્દી (૨૬) સાધના સૌરભ ............. .............. ગુજરાતી (૨૭) ભગવાન મહાવીરની અંતિમ દેશના ભાગ-૧-૨ (બીજી આવૃત્તિ) . ગુજરાતી ............. માગધી. Page #9 -------------------------------------------------------------------------- ________________ ome & વિષયાનુક્રમ છે VU , ૭૨ ૭૪ ૭૯ . ૮૧ ૪ ••••. ૮૬ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ રસત્યાગ નામનો ચોથો તપાચાર .......... ૧ | સુસ્થિતમુનિનું દષ્ટાંત.......... .......... ૫૮ મંગુસૂરિનું દૃષ્ટાંત ....................... | સુસ્થિતમુનિરાળું દષ્ટાંત આગળ કહે છે... સલીનતા નામનો છઠ્ઠો તપાચાર........... ૬ | તપની પ્રધાનતા ........................ શ્રવણમાત્રગ્રાહી તપાસનું દષ્ટાંત........... ૬ હરિકેશમુનિની કથા .................. સ્કન્દક સાધુનું દષ્ટાંત ...................... ૭ | વીર્યાચાર પ્રાયશ્ચિત્ત નામનો સાતમો તપાચાર ...... ૧૦ | સુધર્મ શ્રેષ્ઠીની કથા ................. માતંગ પુત્રનું દૃષ્ટાંત ....................૧૪ પૂર્ણતા ગુણ ...................... પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત .........૧૫ જયઘોષ દ્વિજની કથા................. વિબુદ્ધસૂરિનું દૃષ્ટાંત .....................૧૯ | મગ્નતા ગુણ ................... ગુણવ્રત તથા શિક્ષાવ્રતનું પ્રાયશ્ચિત્ત ....... ૨૦ | સોમવસુની કથા .................... ધનેશ્વરસૂરિની કથા...................... | સ્થિરતા ગુણ .................... ધર્મકર્મમાં દંભનો ત્યાગ ............... | રાજુમતીનું દષ્ટાંત ............. સુજ્જસિરિની કથા.................... | મુનિનો સ્થિરતા ગુણ............... આઠમું વિનય તપ.................... મોહ તજવો............................ પંચાખ્ય ભારવાહક કથા............... | અર્ધદત્તની કથા ...................... પુનઃ વિનયનું જ વર્ણન કરે છે .......... જ્ઞાન તથા અજ્ઞાન ................... અઈનક મુનિનું દાંત ................ | સાલ મહાસાલની કથા ................ નવમો વૈયાવૃત્ય નામનો તપ ............ | સમગુણ ............................. ૧૦૬ દશમો તપાચાર ........................ પાંચ ઈન્દ્રિયોના સ્વરૂપ ............... . ૧૦૯ સુભદ્રાની કથા. | સુભદ્રની કથા .. ...................... ...... ૧૦૯ ધ્યાન નામનો અગિયારમો તપાચાર ......પર | ઈન્દ્રિયોનું સ્વરૂપ (ચાલુ).............. વસુભૂતિની કથા........................ ૫૫ | સુકુમારીકા સાધ્વીની કથા .............. કાયોત્સર્ગ નામનો બારમો તપાચાર......... ૫૮ ઈન્દ્રિયોનો જય કરવો.................. ૮ -૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ આ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ સુભાનુકુમારની કથા .................. ૧૧૮ | કદંબ વિપ્રની કથા.................. ૧૫૮ જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી છે ........... ૧૨૦ | કર્મના ફળ.......................... ૧૬૦ રતિસુંદરીની કથા ................... ૧૨૨ | ઢંઢણઋષિકુમારની કથા................ ૧૬૦ તૃપ્ત ને અતૃપ્તનું સ્વરૂપ ................ ૧૨૪] ચિત્તની એકાગ્રતા ..................... ૧૬૪ બુદ્ધિસુંદરીની કથા ..... ૧૨૪ | સુકોશલમુનિની કથા .................. ૧૬૫ લેપ્ય અને અલેપ્ય .................... ૧૨૬ | લોક સંજ્ઞા ........................... ગુણસુંદરીની કથા..................... | શ્વેત -શ્યામ પ્રાસાદની કથા ............. ૧૬૮ મંત્રીપણાની નિંદા..................... | ચક્ષુ સ્વરૂપ ......................... ૧૭૦ શકટાલ મંત્રીની કથા.................. આર્યરક્ષિતસૂરિની કથા ............... ૧૭૧ નિઃસ્પૃહતા ........................... મૂચ્છ તજવી....................... ૧૭૪ કાલવૈશિકમુનિની કથા.................. સંયતમુનિની કથા............ ૧૭૪ સમ્યકત્વમેવ ને મુનિપણાની એકતા... | અનુભવ....................... ૧૭૬ વિદ્યા-અવિદ્યા આભીરીવંચક વણિકની કથા........ ૧૭૬ સમુદ્રપાળની કથા.................. યોગ .... .......... ...... ૧૭૯ વિવેક ગુણ ......................... ઉજિકતમુનિની કથા. ૧૭૯ શ્રમણભદ્રની કથા ................ .......... ૧૮૧ માધ્યચ્ય ગુણ. રવિગુપ્ત બ્રાહ્મણની કથા ૧૮૩ અહન્મિત્રની કથા ............... દ્રવ્યપૂજા-ભાવપૂજા ........... ...... ૧૮૫ નિર્ભયતા ગુણ. .............. ધનસાર વણિકની કથા . સ્કન્દકમુનિની કથા............... ધ્યાન ...... ............ ૧૮૭ આત્મપ્રશંસા ........... | લપકમુનિની કથા . ............... મરિચિકુમારની કથા.............. દુર્ગાનના ૬૩ સ્થાનોનું સ્વરૂપ........ તત્ત્વદૃષ્ટિ...... ૧૯૫ એક આચાર્યનું દૃષ્ટાંત .............. ૧૫૩ નંદન ઋષિની કથા ................... ૧૯૬ સંપત્તિની ક્ષણભંગૂરતા ............. ... ૧૫૫| રોહિણી વ્રત .................... ૧૯૮ કર્મની વિચિત્રતા...... ............. ૧૫૮] રોહિણીની કથા................. યજ્ઞ..........••••• ............••••• થા ......... .......... ૧૮૫ I૭ ૧૮૯ તપ ...... ૧૯૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સપ્તનય ................ વિષય વિષય પૃષ્ઠ ૨૦૨ | પ્રત્યેક બુદ્ધ નગ્નતિનું ચરિત્ર .......... ૨૬૫ એક પોપટની કથા................... ૨૦૩ કેટલાક લજ્જાથી પણ ગ્રહણ કરેલા શીલની દઢતા ....... ૨૦૬ | વ્રતને તજતા નથી .............. ૨૭૦ સ્થૂલભદ્રમુનિની કથા .................. ૨૦૬ | ભવદેવની કથા...................... ૨૭૦ મનુષ્યભવની દુર્લભતા ................ ૨૧૦| ચંબૂસ્વામીનું ચરિત્ર ................... ૨૭૨ પાશાનું દષ્ટાંત (ચાણક્યની કથા) ...... ૨૧૦ | શ્રી જંબૂસ્વામીની કથા................. ૨૭૨ ઔત્પાતિકી બુદ્ધિ ..................... ૨૧૬ | ભાવવંદનાનું ફળ................. રોહકની કથા......................... ૨૧૬ | સાંબકુમારની કથા .................... બે પ્રકારના આયુષ્ય .................. ૨૨૧ | ભવ્ય પ્રાણી પ્રયત્ન વડે બીજી અશરણ ભાવના ............... ૨૨૮ | પ્રતિબોધ પામે છે..................... સગરચક્રીના પુત્રોની કથા............ ૨૨૮ | શ્રેણિક રાજાની કથા...................... ૨૮૪ સંસારની અસારતા ................ ૨૩૨ | શ્રી તીર્થસ્તવના....................... ૨૮૮ શ્રીદત્ત શ્રેષ્ઠીની કથા.. ૨૩૩ | ચૈત્યના ભંગ કરનારે શું કરવું? ...... ૨૯૧ હુતાશિની પર્વ ...................... ૨૩૯ | ધર્મનું મહાભ્ય ....................... ૨૯૩ હતાશિની (હોળી)ની કથા............. ૨૩૯ | મંગળ કુંભનું દષ્ટાંત .................... યશોભદ્રસૂરિ અને બલભદ્ર મુનિ ....... ૨૪૯ | ગુરુ પટ્ટાવળી ........................ ૨૯૭ યશોભદ્રસૂરિની કથા ........... ૨૫૦ | | તપાગચ્છ નામ પડ્યા પછીના સુલભબોધિનું સ્વરૂપ .............. ૨૫૨ આચાર્યની પટ્ટાવળી.................. ૩૦૨ છ મુનિઓની કથા...................... શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર .... ૩૦૫ પ્રત્યેક બુદ્ધ .......................... શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર (ચાલુ) .... ૩૦૯ કરકંડુ રાજાની કથા .................... ૨૫૮ | સિદ્ધાચલ પર રહેલા પ્રાસાદનું વર્ણન... ૩૧૧ બીજા પ્રત્યેક બુદ્ધ ....................... ૨૬૧ | ઉપદેશરૂપ પ્રાસાદના અવયવોનું વર્ણન . ૩૧૩ દ્વિમુખરાજાની કથા.................... ૨૬૧] પ્રશસ્તિ.. ૨૫૩ ....... ૩૧૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૐ હ્રીં અહં નમઃ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા વિરચિતઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ પાંચમો (ગુજરાતી વિવરણ) ૨૮૬ રસત્યાગ નામનો ચોથો તપાચાર विकृतिकृद्रसानां यत्त्यागो यत्र तपो हि तत् । गुर्वाज्ञां प्राप्य विकृति, गृह्णाति विधिपूर्वकम् ॥१॥ ભાવાર્થ - “વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનો તપ કહેવાય છે, તેમાં પણ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક વિકૃતિ (વિગઈ) ગ્રહણ કરવી.” દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ તથા પફવાન વગેરે છ ભક્ષ્ય અને મધ, માંસ, મદિરા તથા માખણ એ ચાર અભક્ષ્ય મળી દશ વિકૃતિ (રસ) કહેલા છે. તે સર્વ રસોનો અથવા તેમાંથી કેટલાકનો જીવનપર્યત અથવા અમુક વર્ષ સુધી અથવા પર્વ તિથિ, છ માસ, ચાર માસ, વગેરે અવધિ રાખીને ત્યાગ કરવો. કેમકે તે સર્વે વિકારના કારણ છે. કોઈ વખત કારણને લઈને વિકૃતિ (રસ) લેવાની જરૂર પડે તો, મુનિએ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક ગ્રહણ કરવા. તે વિષે શ્રી નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે - "विणयपुव्वं गुरुं वंदिऊण भणइ, इमेण कारणेण इमं विगई एवइ पमाणेणं इत्तियं कालं तुब्भेहिं अणुन्नाए भोत्तुमिच्छामि, एवं पुच्छिए अणु-नाए पच्छा भिक्खं पविट्ठो गहणं વતિ.” એટલે વિનયપૂર્વક ગુરુને વાંદીને કહે કે “અમુક કારણને લીધે આટલા પ્રમાણવાળા અમુક વિકૃતિને આટલા કાળ સુધી આપની આજ્ઞાથી ખાવા ઈચ્છું છું. એમ પૂછી ગુરુની આજ્ઞા લઈને પછી ભિક્ષા માટે જાય, અને તે વિગઈ ગ્રહણ કરે.” રસત્યાગનો નિર્વાહ જીવનપર્યત થઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ શકે છે અને ઉપવાસ વગેરે તો અમુક કાળપર્યત જ થઈ શકે છે, વળી ઉપવાસાદિક તો ઘણા લોકો કરે છે અને રસત્યાગ તો તત્ત્વ જાણનારા જ કરે છે. તેથી ઉપવાસાદિક કરતાં પણ રસત્યાગનું અધિક ફળ છે. તેથી કરીને જ અનેક મુનિજનો વિકૃતિનો ત્યાગ કરે છે. શ્રી ઋષભસ્વામીની પુત્રી સુન્દરીએ સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરીને સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો હતો, તેમજ ઓગણીશમી પાટે શ્રી માનદેવસૂરિને જ્યારે સૂરિપદે સ્થાપન કર્યા તે સમયે તેના બને ખભા ઉપર તેના નિઃસ્પૃહાદિક ગુણોથી પ્રસન્ન થયેલી સરસ્વતી તથા લક્ષ્મીદેવીને સાક્ષાત જોઈને “આ (માનદેવસૂરિ) કોઈ વખત ચારિત્રથી ભ્રષ્ટ થશે.” એવી વિચારણાથી ગુરુનું ચિત્ત ખેદ પામ્યું. તે જાણીને માનદેવસૂરિએ રાગી શ્રાવકોના ઘરની ભિક્ષાનો તથા સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો. તે તપના પ્રભાવથી નફુલપુરમાં પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓ માનદેવસૂરિની સેવા કરવા લાગી. તે જોઈને “આ સૂરિ સ્ત્રીઓથી પરિવરેલા કેમ છે?” એવી કોઈ મુગ્ધને શંકા થઈ. તેને તે દેવીઓએ જ શિક્ષા આપી. પછી તે દેવીઓએ સૂરિને કહ્યું કે “હે સ્વામી! અમને કંઈપણ કાર્ય બતાવો. સૂરિ બોલ્યા કે, “હું સંઘનો ઉપદ્રવ નિવારણ કરવા માટે તમારા નામોથી ગર્ભિત લઘુશાંતિ સ્તોત્ર રચું છું, તેનું અધિષ્ઠાતાપણું તમારે સ્વીકારવું.” આ પ્રમાણેના ગુરુના વાક્યને તે દેવીઓએ અંગીકાર કર્યું. હવે વ્યતિરેક યુક્તિ વડે કહે છે કે “જે મુનિ રસત્યાગ કરતા નથી તે મંગુસૂરિ વગેરેની જેમ મોટી હાનિને પામે છે.” મંગુસૂરિનું દષ્ટાંત મથુરાનગરીમાં મંગુ નામના આચાર્ય પાંચસો સાધુ સહિત રહેતા હતા. તેના ઉપદેશથી રાગી થયેલા લોકો તેને યુગપ્રધાન તરીકે માનતા હતા અને બીજા સર્વ કામો પડતાં મૂકીને તથા બીજા સર્વ મુનિઓનો અનાદર કરીને જાણે ભક્તિ વડે વશ થયા હોય તેમ ઘણા લોકો તે સૂરિને જ સેવતા હતા. તે લોકો હમેશાં નિગ્ધ અને મધુર આહારાદિક વડે સૂરિની સેવા કરતા હતા. અનુક્રમે કર્મના વશથી સૂરિ રસમાં લોલુપ થયા. તેથી એક સ્થાને જ વાસ અંગીકાર કર્યા પછી અધિક સુખ મળવાથી (સાતાગારવથી) વિહાર તથા ઉપદેશ આપવામાં પણ આળસુ થયા. ઋદ્ધિગારવના વશપણાથી મિથ્યાભિમાની થયા અને યથાયોગ્ય વિનયાદિ ક્રિયામાં પણ મંદાદરવાળા થયા અને રસમાં લોલુપ થવાથી ક્ષેત્ર, કુળ વિગેરે સ્થાપન કરીને ગૌચરીની ગવેષણા કરવામાં પણ આળસુ થયા. અનુક્રમે તે આચાર્ય મૃત્યુ પામીને તે જ નગરની ખાઈ પાસે આવેલા કોઈ પક્ષના મંદિરમાં તેના અધિષ્ઠાયક વ્યંતરપણે ઉત્પન્ન થયા. ત્યાં વિર્ભાગજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી હમણા તો “આમ કરવું જ યોગ્ય છે' એમ વિચારીને તે મંદિર પાસેથી જતા આવતા સાધુઓને યક્ષ પ્રતિમાના મુખમાંથી મોટી જિલ્લા બહાર કાઢીને દેખાડવા લાગ્યો. એ રીતે હંમેશા કરવાથી એકદા કોઈ સાહસિક સાધુએ તેને પૂછ્યું કે “તું કોણ છે? અને ૧. રાણકપુરજીવાળી પંચતીર્થીમાં નાડોલ આવે છે તે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ આ જિલ્લા બહાર કાઢીને શા માટે બતાવે છે?” તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને ખેદ સહિત સર્વ વૃત્તાંત કહી બતાવ્યો કે “હું ધર્મરૂપી માર્ગમાં પંગુ (લંગડો) થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય, પ્રમાદથી મૂળોત્તર ગુણનો ઘાત કરીને મહાવ્રતનો ભંગ કરવાથી આ નગરની ખાઈમાં યક્ષ થયો છું, માટે તમારે રસમાં લોલુપ થવું નહીં. હું જિહ્વાના સ્વાદથી ભ્રષ્ટ થયો છું, તેવું જણાવવાને માટે જિલ્લા બહાર કાઢીને બતાવું છું.” આ સાંભળીને તે સર્વ સાધુઓ રસત્યાગરૂપી તપમાં તત્પર થયા અને સર્વ લોકોને ઉપદેશ કરવા લાગ્યા કે હે ભવ્ય પ્રાણીઓ ! પુરુષોને ઈન્દ્રિયવિજય મહાસંપત્તિનું કારણ થાય છે. કહ્યું છે કે : इन्द्रियाण्येव तत्सर्वं, यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च ॥१॥ ભાવાર્થ:- “સ્વર્ગ અને નરક એ બેની જે પ્રાપ્તિ થવી, તે સર્વ ઈન્દ્રિયો વડે જ છે; કેમ કે ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાથી સ્વર્ગ મળે છે અને તેમને છૂટી મૂકવાથી નરક પ્રાપ્ત થાય છે.” સંગ્રામમાં જય મેળવનારા ઘણા જોવામાં આવે છે. પણ ઈન્દ્રિયોનો જય કરનારા દુર્લભ હોય છે. કહ્યું છે કે – शतेषु जायते शूरः, सहस्रेषु च पंडितः । वक्ता शतसहस्त्रेषु, दाता भवति वा न वा ॥१॥ ભાવાર્થ:- “સો માણસોમાં કોઈ એક જ શૂરો હોય છે, હજાર માણસમાં એક પંડિત નીવડે છે, લાખ માણસમાં કોઈ એક જ વક્તા હોય છે અને સર્વ મનુષ્યોમાં દાતાર તો કોઈ હોય છે અથવા નથી પણ હોતા. કારણ કે – न रणे निर्जिते शूरो, विद्यया न च पंडितः । न वक्ता वाक्पटुत्वेन, न दाता धनदायकः ॥२॥ ભાવાર્થ:- “યુદ્ધમાં જીત મેળવવાથી કાંઈ શૂરો કહેવાય નહીં, વિદ્યા ઉપાર્જન કરવાથી કાંઈ પંડિત કહેવાય નહીં, વાણીની ચતુરાઈથી કાંઈ વક્તા કહેવાય નહીં અને ધન આપે તેટલા પરથી કાંઈ દાતા કહેવાય નહીં.” ત્યારે ? ___इन्द्रियाणां जये शूरो, धर्मं चरति पंडितः । सत्यवादी भवेद्वक्ता, दाता भीताभयप्रदः ॥३॥ ભાવાર્થઃ- “જે ઈન્દ્રિયોનો જય કરે તે જ શૂરો કહેવાય છે, જે ધર્મનું આચરણ કરે તે જ પંડિત કહેવાય છે, જે સત્ય બોલે છે તે જ વક્તા કહેવાય છે અને ભય પામેલાને જે અભયદાન આપે તે જ દાતાર કહેવાય છે.” Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ સમગ્ર ઈન્દ્રિયોનો જય કરવાનું મૂળ કારણ રસનેન્દ્રિયનો જય કરવો તે છે. તે રસનેન્દ્રિયનો જય ભોજન તથા વચનની વ્યવસ્થા વડે થાય છે. માટે નિર્દોષ કર્મથી દોષ રહિતપણે પ્રાપ્ત થયેલો પરિમિત આહાર શુભ ક્રિયાની પ્રવૃત્તિ માટે ગ્રહણ કરવો. અત્યંત આહાર કરવાથી નવા-નવા મનોરથોની વૃદ્ધિ થાય છે, પ્રબલ નિદ્રાનો ઉદય થાય છે, નિરંતર અપવિત્રપણું પ્રાપ્ત થાય છે, શરીરના અવયવો પુષ્ટ થાય છે અને તેથી કરીને સર્વ ક્રિયાઓમાં પ્રમાદ થાય છે, તેમજ ઘણું કરીને નિરંતર રોગીપણું પ્રાપ્ત થાય છે. માટે હંમેશાં રસનેન્દ્રિયને અતૃપ્તિવાળી જ રાખવી. એક રસનેન્દ્રિયને અતૃપ્ત રાખીએ, તો બીજી સર્વ ઈન્દ્રિયો પોતપોતાના વિષયોથી નિવૃત્ત થઈને તૃપ્તિ પામે છે અને રસનેન્દ્રિયને તપ્ત રાખીએ તો બીજી સર્વ ઈન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ઉત્સુક રહેવાથી અતૃપ્ત જ રહે છે. જુઓ રસનેન્દ્રિયમાં લોલુપ થયેલા મંગુસૂરિ અનેક દુર્ગતિનાં દુઃખો પામ્યા, તથા કંડરિક મુનિ પણ જિલ્લાની જ લોલુપતાથી હજાર વર્ષ સુધી પાલન કરેલ સંયમ હારી ગયા. માટે સાધુઓએ તથા શ્રાવકોએ અવશ્ય રસત્યાગ તપ કરવો. હવે કાયફલેશ નામના પાંચમા તપાચાર વિષે કહે છે - वीरासनादिना क्लेशः, कायस्यागमयुक्तितः । तनुबाधनरूपोत्र, विधेयस्ततपः स्मृतम् ॥१॥ ભાવાર્થ:- “આગમમાં કહેલી યુક્તિ પ્રમાણે વીરાસન વગેરે આસનો વડે શરીરને બાધ પમાડવારૂપ જે કાયફલેશ સહન કરવો તે કાયફલેશ તપ કહેવાય છે.” અહીં મૂળ શ્લોકમાં વીરાસનાદિ શબ્દમાં આદિ શબ્દ મૂક્યો છે, તેથી ઉગ્રાસન વગેરે આસનો જાણવાં તથા કેશકુંચન જાણવું. તે વિષે કહ્યું છે કે - वीरासण उक्कुड आसणाई, लोआइओ अ विन्नेओ। कायकिलेसो संसारवासनिव्वेअ हेउत्ति ॥१॥ ભાવાર્થ - “વીરાસન, ઉત્કટાસન વગેરે તથા કેશલોચ વગેરે કાયફલેશ સંસારવાસમાં નિર્વેદ (ખેદ) કરવાના હેતુભૂત જાણવા.” કેશલોચ વિષે બીજા શાસ્ત્રમાં પણ હ્યું છે કે - પશાર્મ-પુર:M, નીવહિંસા-પરિગ્રહ છે. दोषा ह्येते परित्यक्ताः, शिरोलोचं प्रकुर्वता ॥१॥ ભાવાર્થ :- “કેશનો લોચ કરનાર પુરુષે પશ્ચાત્કર્મ, પૂર્વકર્મ, જીવહિંસા અને પરિગ્રહ એટલા દોષોનો ત્યાગ કર્યો છે એમ સમજવું.” સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારનો લોચ કહેલો છે. તેમાં પાંચ ઈન્દ્રિયોનો જય અને ચાર Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ કષાયોનો ત્યાગ એ નવ પ્રકારે ભાવલોચ કહેલો છે અને દશમો કેશલોચ એ દ્રવ્યલોચ કહેલો છે. તે દ્રવ્યલોચ નવ પ્રકારના ભાવલોચપૂર્વક કરવો જોઈએ. અહીં ચાર ભાંગા થાય તે આ પ્રમાણેકોઈક પ્રથમ ભાવલોચ કરીને પછી દ્રવ્યલોચ કરે છે. કહ્યું છે કે – “સાધુ હોય તે જ સાધુ થાય છે.” આ ઉપર બૂસ્વામી વગેરેના દાંત જાણવાં (૧) કોઈક પ્રથમ ભાવલોચ કરે છે, પછી દ્રવ્યલોચ કરતા નથી. અહીં મરુદેવી માતા વગેરેના દષ્ટાંતો જાણવાં. (૨) કોઈક પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરે છે. તે ઉપર ઠુમ્મક સાધુ વગેરેના દૃષ્ટાંત જાણવાં અને (૩) કોઈક પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરતા નથી. અહીં ઉદાયિ રાજાને મારનાર વિનયરત્નનું દષ્ટાંત જાણવું. અથવા આધુનિક વેશધારી અને આજીવિકા માટે યતિલિંગ ધારણ કરનારના દષ્ટાંતો જાણવાં. (૪) અહીં કોઈ શંકા કરે કે – “પરિષદમાં અને આ કાયફલેશમાં શો તફાવત છે?” તેનો જવાબ આપે છે કે – “પરિષહ પોતાથી અને બીજાથી એમ બંને પ્રકારથી ઉત્પન્ન થતાં ક્લેશરૂપ હોય છે અને કાયફલેશ માત્ર પોતે કરેલા ફલેશના અનુભવરૂપ હોય છે. એટલો તેમાં તફાવત છે. આ કાયફલેશ તપ કરવાથી નિરંતર કર્મક્ષયરૂપી ગુણ પ્રાપ્ત થાય છે, તેથી છદ્મસ્થ જિનકલ્પી વગેરે પ્રાયે નિરંતર ઊભા જ રહે છે અને કદાચ બેસે છે તો પણ ઉત્કટિક વગેરે વિષમ આસન વડે જ બેસે છે. તે જ ભવમાં સિદ્ધિગામી શ્રી વિરપ્રભુએ આ તપ સારી રીતે આચર્યું છે. કેમકે શ્રી વિરપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી રહ્યા, તેમાં કોઈ પણ વખતે તે પર્યસ્તિકા (પલાંઠી) વાળીને એક ક્ષણવાર પણ બેઠા નથી, તેમજ એક મુહૂર્ત માત્ર નિદ્રા લીધી છે તે પણ ઊભા રહીને જ લીધેલી છે. આ કાયફલેશ તપ પણ સિદ્ધાન્તની યુક્તિને અનુસરીને કર્યું હોય તો જ ફળદાયી થાય છે. નહિ તો બાળ તપસ્વીઓ ઘણા પ્રકારના કાયફલેશને સહન કરે છે. કમઠાદિકની જેમ પંચાગ્નિ તપ કરે છે, સૂર્ય સન્મુખ દૃષ્ટિ રાખીને તથા ઊંચા હાથ રાખીને ઊભા રહે છે, પંચકેશ વધારે છે, તથા વૃક્ષની શાખા ઉપર પગ બાંધીને નીચે મસ્તક લટકે છે, પૂરણ, જમદગ્નિ અને કૌશિક વગેરે તાપસીની જેમ મહાકષ્ટ સહન કરે છે, પરંતુ તે સર્વ આપ્ત આગમની યુક્તિરહિત હોવાથી નિષ્ફળ છે. જે ભવમાં અવશ્ય સિદ્ધિ મળવાની છે તે ભાવમાં પણ વીતરાગ પ્રભુ રૂડા આગમને અનુસરીને આ કાયક્લેશ તપનું આચરણ નિરંતર કરે છે, માટે તપના અર્થી મુનિઓએ આ તપનું આરાધન અવશ્ય કરવું.” Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૦૦ સંલીનતા નામનો છઠ્ઠો તપાચાર इन्द्रियादिचतुर्भेदा, संलीनता निगद्यते । बाह्यतपोऽन्तिमो भेदः, स्वीकार्यः स्कन्दकर्षिवत् ॥१॥ ભાવાર્થ :- “ઈન્દ્રિયાદિક ચાર પ્રકારે સંલીનતા કહેલી છે, તે બાહ્યતપનો છેલ્લો ભેદ સ્કંદકઋષિની જેમ અંગીકાર કરવો.” સંલીનતા એટલે ગુપ્તપણું અર્થાત્ શયન, ભોજન વિગેરે અપ્રગટપણે કરવું તે. તે સંલીનતાના ચાર ભેદ છે. તે વિષે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે - इंदियकसायजोए, पडुच्च संलीणया मुणेयव्वा । तह य विवित्तचरिया, पन्नत्ता वीयरागेहिं ॥१॥ ભાવાર્થ :- “ઈન્દ્રિય, કષાય અને યોગ આશ્રયી ત્રણ સંલીનતા તથા વિવિક્તચર્યા એ ચોથી સંલીનતા જાણવી, એમ વીતરાગ જિનેશ્વરે કહ્યું છે.” શ્રોત્રઈન્દ્રિય વડે મધુર કે અમધુર (કટુ) શબ્દો ઉપર રાગ-દ્વેષ ન કરવો, તે શ્રોત્રેન્દ્રિય સંલીનતા કહેવાય છે. એ પ્રમાણે ચક્ષુ ઈન્દ્રિય વિગેરેમાં પણ સમજવું. એમ પાંચ પ્રકારે ઈન્દ્રિય સંલીનતા જાણવી. ઉદયમાં નહિ આવેલા કષાયોને રોકવા તથા ઉદયમાં આવેલાને નિષ્ફલ કરવા તે કષાયસંલીનતા જાણવી. મન, વચન, કાયાના અશુભ યોગોનો નિરોધ કરવો ને શુભ યોગની ઉદીરણા કરવી તે યોગસંલીનતા જાણવી અને સ્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત આરામાદિકમાં નિવાસ ક૨વો, તે વિવિક્ત શયન ભોજન સંલીનતા જાણવી. આ પ્રમાણે ચારે પ્રકારની સંલીનતા પાળવી. જેઓ તેનું પાલન કરતા નથી, તેઓ શ્રવણમાત્રથી જ ધર્મનું ગ્રહણ ક૨ના૨ તાપસની જેમ મોટી દુઃખપરંપરાને પામે છે. શ્રવણમાત્રગ્રાહી તાપસનું દૃષ્ટાંત કોઈ ગામમાં કોઈ એક બ્રાહ્મણ પાપથી ભય પામીને તાપસ થયો. તેણે ‘કૃપયા ધર્મ:’ (દયાથી ધર્મ થાય છે) એ વાક્ય સાંભળ્યું હતું. એકદા કોઈ તાપસ સન્નિપાતના વ્યાધિથી પીડાતો હતો, તેને વૈઘે ઠંડું જલ પીવાનો નિષેધ કર્યો હતો. એક વખત બીજા સર્વ તાપસો કોઈ પ્રસંગે અન્ય સ્થાને ગયા હતા. તે વખતે પેલા રોગી તાપસે આ નવીન તાપસ પાસે ઠંડું પાણી માગ્યું. તેથી ‘કૃપા વડે ધર્મ થાય છે' એમ જાણીને તેણે તે રોગીને ઠંડું જલ આપ્યું. તેથી તે રોગી બહુ પીડા પામ્યો. તે વૃત્તાંત જાણીને બીજા તાપસોએ તે નવીન તાપસને ઘણો ધિક્કાર્યો કે - “અરે મૂર્ખ ! Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તેં આ રોગીને મારી નાંખ્યો, અથવા અજ્ઞાની શું ન કરે ?” તેથી તે નવીન તાપસે વિચાર્યું કે - “હું અજ્ઞાની છું, તેથી મારે જ્ઞાન શીખવું જોઈએ.” પછી અભ્યાસ કરતાં તેણે સાંભળ્યું કે “તપ કર્યા વિના જ્ઞાન નિરર્થક છે, તપથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે તપસ્વી પુરુષો આ સચરાચર ત્રૈલોક્યને જુએ છે.” ઈત્યાદિક સાંભળીને ‘પોતાને જ આધીન એવું તપ હું કરું” એમ વિચારીને કોઈને પણ કહ્યા વિના તે નવીન તાપસ પર્વતની ગુફામાં ગયો. ત્યાં તપ કરવાનો આરંભ કર્યો. કંદ, મૂળ અને ફળાદિકનો પણ ત્યાગ કરીને તેણે કેટલાએક દિવસો નિર્ગમન કર્યા. ક્ષુધાની પીડાથી કંઠગત પ્રાણ થયો, તેવામાં તેની શોધ કરવા નીકળેલા કેટલાક તાપસોએ તેને જોયો અને કહ્યું કે – “આ રીતે તપ થાય નહીં, કેમકે ‘શરીરમાદ્ય વસ્તુ ધર્મસાધન' ‘ધર્મનું પહેલું સાધન શરીર છે’ એવું વચન છે, માટે શરીરનું રક્ષણ કરવું અને ધર્મનું મૂળ કારણ સમાધાન (સમતા) છે તેમાં યત્ન કરવો. તે સાંભળીને ‘સમતાને વિષે હું યત્ન કરું' એમ નિશ્ચય કંરીને તે તાપસ કોઈ ગામમાં ગયો. ત્યાં ભક્તજનોથી પૂજા પામવા લાગ્યો. કેટલેક દિવસે તેને ધન પ્રાપ્ત થયું. તે જાણીને કેટલાક ધૂર્ત માણસોએ તેનો પરિચય કરવા માંડ્યો. તે ધૂર્તો ઉપર વિશ્વાસ આવવાથી તેણે સમાધાનમૂલક ધર્મ કહ્યો કે – “જે કાંઈ સુવર્ણ, સ્ત્રી વિગેરે સહેજે પ્રાપ્ત થાય તેનો ઉપયોગ કરવો અને પ્રાપ્ત ન થાય તેની આગળ કે પાછળ સ્પૃહા કરવી નહીં.” આ પ્રમાણે સમાધાનમૂળ ધર્મ સાંભળીને તે ધૂર્તોએ ઉપાય હાથ લાગવાથી તેની પાસે ગણિકા મોકલીને સર્વ ધન હરી લીધું. તે વાત જાણવામાં આવવાથી લોકોએ તેને કાઢી મૂક્યો. આ પ્રમાણે તે તાપસ શ્રવણમાત્રથી જ ધર્મને ગ્રહણ કરનાર, શાસ્ત્રવચનના ભાવાર્થને નહિ જાણનાર, શાસ્ત્રના ઉપદેશને અયોગ્ય તથા સંલીનતા તપના રહસ્યને નહિ જાણનાર હોવાથી અનેક ભવપરંપરાને પામ્યો. ચાર પ્રકારના સંલીનતા તપયુક્ત સ્કન્દક સાધુનું દૃષ્ટાંત પાંચમા અંગમાં કહ્યું છે કે - કલિંગપુરીના ઉદ્યાનમાં શ્રી વીરસ્વામી સમવસર્યા. તે પુરીની સમીપે શ્રાવસ્તિ નામની નગરીમાં સ્કન્દક નામે એક તાપસ રહેતો હતો. તે બ્રાહ્મણના સમગ્ર શાસ્ત્રો જાણતો હતો. એકદા મહાવીરસ્વામીના શિષ્ય પિંગલ નામના મુનિએ સ્કન્દકને પૂછ્યું કે “હે સ્કંદક ! લોક સાન્ત છે કે અનન્ત છે ? જીવ સાન્ત છે કે અનન્ત છે ? સિદ્ધિ સાન્ત છે કે અનન્ત છે ? સિદ્ધ સાન્ત છે કે અનન્ત છે ? અને કેવા પ્રકારના મરણથી જીવ સંસારની વૃદ્ધિ અથવા હાનિ પામે ?” આ પ્રશ્નો સાંભળીને સ્યાદ્વાદને નહિ જાણનાર સ્કન્ધક તાપસે મૌન ધારણ કર્યું. પિંગલ મુનિએ ત્રણવાર તે પ્રશ્નો કર્યા, પણ સ્કંદક ઉત્તર આપી શક્યો નહીં. તેવામાં શ્રાવસ્તિનગરીના લોકો શ્રી વીરપ્રભુને વાંદવા જતા હતા, તે જોઈને સ્કંદકે પણ પ્રભુના શિષ્ય પૂછેલા પ્રશ્નોના ઉત્તરો જાણવા માટે પોતાના ત્રિદંડ, કમંડલુ, વૃક્ષના પલ્લવ, અંકુશ, રુદ્રાક્ષની માળા અન ગેરુથી રંગેલા વસ્ત્ર વગેરે ઉપકરણો લઈને શ્રી વીરપ્રભુ પાસે આવવાનો સંકલ્પ કર્યો,. તે વખતે શ્રી જિનેશ્વરે ગૌતમ ગણધરને કહ્યું કે : “આજે તમને તમારા પૂર્વ મિત્ર સ્કન્દકનો સમાગમ થશે.” ગૌતમે પૂછ્યું કે – “હે સ્વામિન્ ! ક્યારે થશે ?” પ્રભુ બોલ્યા કે “હમણા તે - - ઉ.ભા.-૫-૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ માર્ગમાં જ ચાલ્યા આવે છે.” ગૌતમે પૂછ્યું કે “હે સ્વામિન્ ! તે આપના શિષ્ય થશે કે નહીં ?” સ્વામી બોલ્યા કે “થશે.” તે સાંભળીને ગૌતમસ્વામી તેની સન્મુખ ગયા, અને જલ્દીથી તેને મળીને પૂછ્યું કે “હે સ્કન્દક ! તમે કુશળ છો ?” (અહીં ગૌતમ ગણધરે અસંયમી સન્મુખ ગમન, કુશળ પ્રશ્ન વગેરે કર્યું, તે અનેક લાભ જોવાથી, અથવા પ્રથમથી જ પોતાના ગુરુને તેના આવવાનું જ્ઞાન થયું હતું, તે વડે પ્રભુનો જ્ઞાનાતિશય જણાવવા માટે અથવા તે ‘સ્કંદકને વ્રતનો સમય સમીપે જ છે’ એમ ભાવાર્હત્ વીરપ્રભુના વાક્યથી જાણીને પોતાનું નિર્માનીત્વ જણાવવા માટે કર્યું છે.) પછી શ્રી ગૌતમસ્વામીએ તેને કહ્યું કે “હે પૂર્વ મિત્ર ! તમે પિંગલ મુનિએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો પૂછવા માટે મારા ધર્મગુરુ પાસે આવો છો.” તે સાંભળીને સ્કંદકે પૂછ્યું કે - “તમે મારા મનની હકીકત શી રીતે જાણી ? ગૌતમ ગણધરે કહ્યું કે “અમારા ગુરુ ત્રિકાળમાં એકાન્તે કરેલું, પ્રત્યક્ષ કરેલું અથવા ભવિષ્યમાં કરવાનું તે સર્વ જાણે છે. તેમને સાદિ અનન્ત ભાંગે જ્ઞાન રહેલું છે. તેમના વચનથી મેં તમારું આગમન વગેરે જાણ્યું.” સ્કંદક બોલ્યા કે – “તો હવે આપણે તમારા ધર્મગુરુ પાસે જઈએ.” પછી તે ગૌતમ ગણધરની સાથે પ્રભુ પાસે આવ્યા. શ્રી વીરસ્વામીએ પણ ગૌતમસ્વામીની જેમ જ વાત કરી. પછી સ્કન્દકે પ્રભુના સર્વજ્ઞપણાની પ્રતીતિ માટે તે પ્રશ્નોના અર્થ પૂછ્યાં. એટલે સ્વામી બોલ્યા કે “લોક દ્રવ્યાદિક ચાર પ્રકારનો છે. તેમાં દ્રવ્યથી લોક એક છે, પંચાસ્તિકાયના સ્વરૂપવાળો છે, સાન્ત છે અને પરિમાણયુક્ત છે. ક્ષેત્રથી લોક આયામ, વિખંભ અને પરિધિથી અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ છે, માટે સાન્ત છે. કાળથી અનાદિ અનન્ત છે, કોઈ પણ વખત આ લોક નહોતો, નથી કે નહિ હશે એવું નથી. અતીત કાળે હતો, વર્તમાન કાળે વિદ્યમાન છે અને ભવિષ્યકાળે પણ વિદ્યમાન હશે; તેથી હંમેશા નિત્ય છે અને શાશ્વત છે. ભાવથી લોક અનન્ત છે. કેમકે અનન્ત વર્ણ ગંધાદિક પર્યાય યુક્ત છે. - જીવ પણ દ્રવ્યથી એક અને નિત્ય છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળો અને સાન્ત છે; કાળથી ત્રણે કાળમાં અનન્ત છે અને શાશ્વત છે અને ભાવથી અનન્ત જ્ઞાનાદિ રત્નત્રયના પર્યાયોથી યુક્ત છે; કેમકે પ્રથમના ત્રણ શરીર (ઔદારિક, વૈક્રિય અને આહારક)ને આશ્રીને અનન્તા ગુરુલઘુ પર્યાયો છે અને તૈજસ તથા કાર્યણ એ બે શરીરને આશ્રીને અનન્તા અગુરુલઘુ પર્યાયો છે, તેણે કરીને જીવ યુક્ત છે તેથી ભાવથી જીવ અનન્ત છે. સિદ્ધિ એટલે સિદ્ધ જીવની સમીપનું ક્ષેત્ર સિદ્ધશિલા જાણવી. તે સિદ્ધશિલા દ્રવ્યથી એક, સાન્ત અને ધ્રુવ છે; ક્ષેત્રથી પીસ્તાલીશ લાખ યોજન આયામ વિખુંભ પરિણામવાળી છે, કાળથી અનાદિ અનન્ત છે અને ભાવથી અનન્ત વર્ણાદિક પર્યાયોએ કરીને યુક્ત છે. સિદ્ધ એટલે સકળ કર્મનો ક્ષય કરવાથી જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે તે. તે સિદ્ધ દ્રવ્યથી એકત્ર અને સાન્ત છે; ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળા છે, કાળથી સિદ્ધ સાદિ અનંત છે અને ભાવથી અનંત જ્ઞાનાદિક પર્યાયોથી યુક્ત, સાન્ત તથા અનંત છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ તે સાંભળીને સ્કન્દકે “કેવા મરણથી જીવ સંસારની વૃદ્ધિ તથા હાનિ કરે?' એ પ્રશ્ન પૂછ્યો. ભગવાને ઉત્તર આપ્યો કે “બાલમરણથી સંસારની વૃદ્ધિ થાય અને પંડિત-મરણથી ભવપરંપરાની હાનિ થાય. તેમાં બાળમરણ બાર પ્રકારનું છે, તેવું મરણ કરવાથી જીવ ચાર ગતિવાળા સંસારરૂપ કાંતારમાં ભટકે છે. તેમાં સુધાદિકની પીડાથી અથવા સંયમભ્રષ્ટ થઈને મૃત્યુ પામે તે બાલમરણ (૧). પાંચ ઈન્દ્રિયોને આધીન રહીને તેની પીડાથી મૃત્યુ પામે તે વશાર્તમરણ (૨). મનમાં શલ્ય રાખી મૃત્યુ પામે તે અન્તઃશલ્ય મરણ (૩). માણસ પોતાના ભવનું નિયાણું કરીને મૃત્યુ પામે તે તદ્દભવમરણ (૪). પર્વત પરથી પડીને મરે તે ગિરિપતન મરણ (૫). વૃક્ષ પરથી પડીને મરે તે તરુપતનમરણ (૯). જલમાં ડૂબીને મરે તે જલપ્રવેશમરણ (૭). અગ્નિમાં પ્રવેશ કરીને મારે તે જ્વલનપ્રવેશમરણ (૮). વિષભક્ષણ કરીને મરે તે વિષભક્ષણમરણ (૯). શસ્ત્રથી મરે તે શસ્ત્રમરણ (૧૦). વૃક્ષની શાખા પર પાશા બાંધીને મરે તે વૃક્ષપાશમરણ (૧૧). ગીધ પક્ષી, હાથી વગેરેના પ્રહારથી મારે તે ગૂધપૃષ્ઠમરણ (૧૨). પંડિત મરણ બે પ્રકારનું છે – પાદપોપગમન અને ભક્ત-પ્રત્યાખ્યાન. આ બે મરણથી અનંત ભવનો ક્ષય થાય છે.” આ પ્રમાણે સાંભળીને તે સ્કન્દક સંદેહ રહિત થયા અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને બોલ્યા કે - “હે ભગવન્! આપનું વાક્ય ખરેખરું સત્ય છે.” પછી તે સ્કન્દકે ઈશાન ખૂણે જઈ પોતાના સર્વ ઉપકરણો મૂકી દઈને શ્રી જિનેન્દ્ર પાસે દિક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અગિયાર અંગનો અભ્યાસ કરી પ્રભુની આજ્ઞા લઈને બાર પ્રતિમા અંગીકાર કરી. પછી પ્રભુની આજ્ઞાથી ગુણરત્નસંવત્સર તપ અંગીકાર કર્યું. તે તપમાં પહેલે માસે એક એક ઉપવાસ કરીને બીજે દિવસે પારણું, બીજે મહિને નિરંતર છઠ્ઠ તપ કરીને પારણું, એવી રીતે ચડતાં-ચડતાં સોળમે મહિને સોળ ઉપવાસે પારણું થાય છે, સ્કન્દક મુનિ એ પ્રમાણે તપ કરતાં, દિવસે ઉત્કટ આસને સૂર્ય સન્મુખ રહીને આતાપના લેતા, અને રાત્રે વીરાસન વાળીને વસ રહિત રહેતા હતા. આ ગુણરત્નસંવત્સર તપમાં બોંતેર પારણાના દિવસો આવે છે. એવી રીતે છઠ્ઠ, અટ્ટમ અર્ધમાસ તથા માસક્ષમણાદિ તપે કરીને આત્માને ભાવતા સતા શરીરનું સઘળું માંસ શુષ્ક થઈ ગયું. માત્ર જીવની શક્તિ વડે ગમન કરતા અને બોલતા સતા ગ્લાનિ પામી જતા હતા. તેમનું શરીર એટલું બધું કૃશ થઈ ગયું હતું કે તે ચાલતા અથવા બેસતા ત્યારે જાણે સુકાં કાષ્ટનું ભરેલું અથવા પાંદડાનું ભરેલું અથવા તલ અને સરસવના કાષ્ટનું ભરેલું અથવા કોલસાનું ભરેલું ગાડું ચાલતું હોય તેમ તેમના શરીરના હાડકાં ખડખડ શબ્દ કરતાં હતાં. એકદા ધર્મ જાગરણ કરતાં રાત્રિના પાછલા ભાગે તેમણે વિચાર્યું કે - “હવે હું અનશન ગ્રહણ કરું.” પછી પ્રાતઃકાલે શ્રી જિનેશ્વરની આજ્ઞા લઈને અત્યંત હર્ષપૂર્વક ધીમે ધીમે તેઓ વિપુલગિરિ પર ચડ્યા. ત્યાં પૃથ્વીશીલાપટ્ટનું પ્રમાર્જન કરીને પૂર્વાભિમુખે પદ્માસનવાળી દર્ભના સંથારા પર બેસીને યોગમુદ્રાએ “નમોઘુર્ણ ઈત્યાદિ ભણીને બોલ્યા - “હે ભગવન્! આપ ત્યાં રહ્યા સતા મને અહીં રહેલાને જુઓ. પ્રથમ મેં આપની પાસે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા છે. હવે અત્યારે પણ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ આપની જ સાક્ષીએ અઢાર પાપસ્થાનકોનું અને ચાર પ્રકારના આહારનું હું છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પ્રત્યાખ્યાન કરું છું. આ પ્રમાણે કહી સર્વ પાપ આલોચીને તથા પ્રતિક્રમીને મૃત્યુને અણઈચ્છતા છતાં એક માસની સંલેખના કરી. પ્રાંતે બાર વર્ષ સુધી ચારિત્રનું પાલન કરી કાળધર્મ પામીને અશ્રુત દેવલોકમાં દેવતા થયા, ત્યાં મોટું આયુષ્ય ભોગવી ત્યાંથી આવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણું પામી સમસ્ત દુઃખનો અંત કરી સિદ્ધિપદને પામશે. ચાર પ્રકારનું સંલીનતા નામનું શુદ્ધ તપ ધારણ કરીને શ્રી મહાવીર સ્વામીના શિષ્ય સ્કંદક નામના સાધુ વિપુલ નામના પર્વત ઉપર માસની સંલેખના કરીને અશ્રુત સ્વર્ગમાં ગયા.' © - ૨૮૮ પ્રાયશ્ચિત્ત નામનો સાતમો તપાચાર गीतार्थादिगुणैर्युक्तं, लब्ध्वाचार्य विवेकिना । प्रायश्चित्तं तपो ग्राह्यं, पापफलप्ररोधकम् ॥१॥ ભાવાર્થ - વિવેકી પુરુષે ગીતાર્યાદિક ગુણોથી યુક્ત એવા આચાર્યને પામીને પાપના ફળને રોકનારું પ્રાયશ્ચિત્ત નામનું તપ ગ્રહણ કરવું.” ગીતાર્થ એટલે નિશીથ વગેરે છેદસૂત્રાદિના ભાવાર્થને જાણનાર, આદિ શબ્દ કરીને કૃતયોગી (કરેલા છે યોગ જેણે) વગેરે ગુણોથી યુક્ત મુનિ જાણવા. કહ્યું છે કે - गीअत्थो कडजोगी, चारित्ती तह गाहणाकुसलो । खेअन्नो अविसाई, भणिओ आलोयणायरिओ ॥१॥ ભાવાર્થ:- “ગીતાર્થ એટલે સમગ્ર સિદ્ધાન્તના અર્થને જાણનાર, કૃતયોગી એટલે મન, વચન અને કાયાના યોગનો અભ્યાસ કરનાર અથવા વિવિધ પ્રકારનું તપ કરનાર, ચારિત્રી એટલે અતિચાર રહિત સંયમનું પાલન કરનાર તથા ગ્રાહણકુશલ એટલે ઘણી યુક્તિથી આલોચના લેનારને વિવિધ પ્રકારના પ્રાયશ્ચિત્ત તપ ગ્રહણ કરાવવામાં કુશળ, ખેદજ્ઞ એટલે સમ્યફ પ્રકારે પ્રાયશ્ચિત્ત લેતાં તથા કરતાં જે પરિશ્રમ થાય તેને જાણનાર, અવિષાદી એટલે પ્રાયશ્ચિત્ત લેનારના અનેક દોષો સાંભળ્યા છતાં ખેદ નહિ પામતાં ઉલટા પ્રાયશ્ચિત્ત લેનારને તેવા તેવા પ્રકારના દાંતો કહેવાપૂર્વક વૈરાગ્યવાળાં વાક્યોથી ઉત્સાહ પમાડનાર, એવા પ્રકારના આચાર્ય આલોચનાને માટે યોગ્ય કહેલા છે.” માટે આલોયણ લેનારે અવશ્ય ગીતાર્થ ગુરુની શોધ કરવી. કહ્યું છે કે - Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ आलोअणादिनिमित्तं, खित्तंमि सत्तजोयणसयाई । काले बारसवासा, गीअत्थगवेसणं कुज्जा ॥१॥ ભાવાર્થ:- આલોચનાદિક લેવા માટે ક્ષેત્રથી સાતસો યોજન સુધી અને કાળથી બાર વર્ષ સુધી ફરીને ગીતાર્થની શોધ કરવી.” अग्गीओ न विजाणई, सोहिं चरणस्स देइ ऊणहि । तो अप्पाणं आलोअगं च पाडेइ संसारे ॥२॥ ભાવાર્થ:- “અગ્નીઓ-કેતુ અગીતાર્થ આલોયણ આપી જાણતા નથી, તેથી તે જો ચારિત્ર સંબંધી અધિક અથવા ન્યૂન આલોયણ આપે, તો તેથી પોતાને અને આલોચના લેનારને બન્નેને સંસારમાં પાડે.” अखंडिअचारित्तो, वयगहणाओ हविज्ज जो निच्चं । तस्स सगासे दंसणवयगहणं सोहिगहणं च ॥३॥ ભાવાર્થ:- “જે હમેશાં વ્રત ગ્રહણ કર્યા પછી અખંડ ચારિત્રવાળા હોય, તેની પાસે દર્શન (સમકિત) અને વ્રતનું ગ્રહણ કરવું, તથા તેની જ પાસે આલોયણ લેવી, અથવા અનશન આદરવું. આવા પ્રકારના ગુરુને પામીને અવશ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. કદાપિ આલોચના લેવા જતાં માર્ગમાં જ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તો પણ તેને આરાધક જાણવો. કેમકે પાંચમા અંગમાં કહ્યું છે કે – आलोअणापरिणओ, सम्मं संपट्ठिओ गुरुसगासे । जइ अंतरावि कालं, करिज्ज जइ आराहओ तहवि ॥१॥ ભાવાર્થ:- “આલોયણા પરિણત (આલોયણા લેવાને તત્પર) થયો સતો, ગુરુ પાસે જવાને સમ્યક પ્રકારે સંપ્રસ્થિત થયો હોય એટલે માર્ગે પડ્યો હોય એવો મુનિ કદાપિ માર્ગમાં પણ કાળ કરે તો તે તદપિ (આલોયણ લીધા વિના પણ) આરાધક છે.” જો કદાચિત આચાર્ય વગેરેની જોગવાઈ ન મળે તો સિદ્ધની સાક્ષીએ પણ આલોયણા લેવી. કહ્યું છે કે – आयरिआइ सगच्छे, संभोइअ इअर गीयत्थपासत्थे । सारूवी पच्छाकड, देव य पडिमा अरिहसिद्धे ॥१॥ ભાવાર્થ:- “સ્વગચ્છના આચાર્યાદિક, સાંભોગિક, ઈતર, ગીતાર્થ પાસત્ય, સારૂપિક, પશ્ચાત્ કૃત, દેવ, પ્રતિમા અને અહંન્ત સિદ્ધની સાક્ષીએ ઉત્તરોત્તર અભાવે આલોચના લેવી.” Page #23 -------------------------------------------------------------------------- ________________ _ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ આ ગાથાનો વિસ્તારાર્થ એ છે કે – સાધુ અથવા શ્રાવકે અવશ્ય પ્રથમ પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવી, તેને અભાવે ઉપાધ્યાય પાસે, તેને અભાવે પ્રવર્તક પાસે, તેને અભાવે સ્થવિર પાસે અને તેને અભાવે ગણાવચ્છેદક પાસે જે કોઈ ગચ્છમાં મોટા હોય તેની પાસે) આલોચના લેવી. પોતાના ગચ્છમાં ઉપરના પાંચેનો અભાવ હોય તો સાંભોગિક એટલે સમાન સામાચારીવાળા બીજા ગચ્છના આચાર્ય વગેરે પાંચેની પાસે અનુક્રમે એકએકના અભાવે આલોચના લેવી. તેમના અભાવે ઈતર અસાંભોગિક એટલે જુદી સામાચારીવાળા સંવિગ્ન ગચ્છમાં તે જ ક્રમે આલોચના લેવી. તેમના પણ અભાવે ગીતાર્થ પાસત્ય એટલે ગીતાર્થ થયા પછી પાસસ્થા થઈ ગયેલ હોય તેની પાસે, તેના અભાવે ગીતાર્થ સારૂપિક એટલે શ્વેતવસ્ત્રધારી, મુંડ, બદ્ધકચ્છ રહિત, રજોહરણ રહિત, બ્રહ્મચર્ય રહિત, સ્ત્રીવર્જિત, ભિક્ષા વડે ભોજન કરનાર એવાની પાસે અથવા શિખા ધારણ કરનાર અને ભાર્યાવાળા સિદ્ધપુત્રની પાસે તેના અભાવે ગીતાર્થ પશ્ચાત્ કૃત એટલે ગીતાર્થ થયા પછી ચારિત્રના વેષને તજીને સ્ત્રીવાળા થયેલ ગૃહસ્થ પાસે આલોચના લેવી. આવા પાસાદિકને પણ આલોયણ લેતી વખતે ગુરુની જેમ વંદનાદિક વિધિ કરવો. કેમકે ધર્મનું મૂળ વિનય છે. જો કદાચ પાસત્કાદિક પોતે પોતાને હીન ગુણવાળા સમજીને વંદનાદિક કરવાની ના કહે, તો તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરી આલોચના લેવી. જેણે ચારિત્રનો વેષ તજી દીધો છે એવા પશ્ચાત્ કૃત પાસે લેતાં તેને અલ્પકાળનું સામાયિક ઉચ્ચરાવીને તથા વેષ ધારણ કરાવીને પછી વિધિપૂર્વક આલોયણા લેવી. તેવા પાસત્કાદિકના પણ અભાવે જે ઉદ્યાનાદિકમાં બેસીને અહંન્ત અને ગણધરાદિકે ઘણીવાર આલોચના આપી હોય, અને તે જે દેવતાએ જોયું-સાંભળ્યું હોય, ત્યાં જઈ તે સમ્યગુદૃષ્ટિ દેવતાની અટ્ટમ વગેરે તપથી આરાધના કરીને તેમને પ્રત્યક્ષ કરી તેની પાસે આલોચના લેવી. જો કદાચ જેણે આલોયણ સાંભળેલ તે દેવતા આવી ગયો હશે તો તેને સ્થાને ઉત્પન્ન થયેલો બીજો દેવતા મહાવિદેહમાં વિચરતા અરિહંતને પૂછીને આલોચના આપશે, તેના પણ અભાવે અરિહંતની પ્રતિમા પાસે આલોચીને પોતે જ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. તેના પણ અયોગે ઈશાન કોણ તરફ મુખ રાખી અહંન્ત સિદ્ધની સમક્ષ આલોચના કરવી. પણ આલોચના કર્યા વિના રહેવું નહીં. કેમકે શલ્ય સહિત રહેવાથી આરાધકપણું નષ્ટ થાય છે. આ વગેરે વ્યાખ્યાન વ્યવહારસૂત્રમાં પણ લખેલું છે. આલોચનાના અનેક ગુણો છે. કહ્યું છે કે - लहु आल्हाइजणणं, अप्परनिवत्ति अज्जवं सोही । दुक्करकरणं आणा, निस्सल्लत्तं च सोहीगुणा ॥१॥ શબ્દાર્થ - “લઘુતા, આહલાદ ઉત્પન્ન થવો તે, સ્વપરની નિવૃત્તિ, આર્જવ, શુદ્ધતા, દુષ્કર કરવાપણું, આજ્ઞા અને નિઃશલ્યત્વ - એ શોધિ એટલે આલોયણાના ગુણો છે.” તાત્પર્યાર્થઃ- લઘુતા એટલે જેમ ભાર વહન કરનારનો ભાર લઈ લેવાથી તે લઘુ (હળવો) Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ થાય, તેમ હૃદયમાંથી શલ્ય નાશ થવાથી આલોયણા લેનારને લઘુતા પ્રાપ્ત થાય છે, આલાદજનક એટલે પ્રમોદ (હર્ષ) ઉત્પન્ન થાય છે, સ્વપરનિવૃત્તિ એટલે પોતાની તથા અન્યની દોષથી નિવૃત્તિ થાય છે, અર્થાત્ આલોચના લેવાથી પોતાના દોષની નિવૃત્તિ થાય છે. એટલું જ નહિ પણ તેને જોઈને બીજોઓ પણ પોતાના દોષની આલોચના લેવા તત્પર થાય છે, તેથી બીજાની પણ દોષથી નિવૃત્તિ થાય છે, આર્જવ એટલે સારી રીતે આલોયણ લેવાથી નિષ્કપટતા-સરલતા પ્રાપ્ત થાય છે, શોધિ એટલે અતિચારરૂપ મળનો નાશ થવાથી શુદ્ધતા પ્રાપ્ત થાય છે, દુષ્કરકરણ-દુષ્કર કરવાપણું થાય છે, એટલે કે પાપકાર્યનું પ્રતિસેવન તે કાંઈ દુષ્કર નથી, તે તો અનાદિકાળથી પરિચિત છે, પરંતુ કાંઈપણ દોષ થયો હોય તેની આલોચના લેવી તે દુષ્કર છે, કેમકે આલોચનાની ઈચ્છા તો જયારે મોક્ષના સન્મુખભાવે પ્રબળ વીર્યનો ઉલ્લાસ થાય ત્યારે જ થઈ શકે છે. તે વિષે શ્રી નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે – "तं न दुक्करं जं पडिसेविज्जई, तं दुक्करं जं सम्मं आलोइज्जइति ।" “જે (અકાર્યનું) પ્રતિસેવન કરવું તે દુષ્કર નથી, પણ જે તેની સમ્યફ પ્રકારે આલોચના લેવી તે દુષ્કર છે.” આ કારણથી જ આ આલોચનાને અત્યંતર તપમાં ગણેલ છે. સમ્યગું આલોચન માસક્ષપણાદિક તપ કરતાં પણ દુષ્કર છે. અહીં લક્ષ્મણાસાધ્વીનું તથા ચંડકૌશિકના પૂર્વભવમાં દેડકીની હિંસા કરનાર તપસ્વી (મુનિ)નું દૃષ્ટાંત જાણવું. હવે જ્ઞાનાદિકની આલોચના કહે છે - त्रिविधाशातना जाते, ज्ञानादिनां यथाक्रमम् । अतिचारविशुद्ध्यर्थं, सूत्रोक्तं तत्तपश्चरेत् ॥१॥ ભાવાર્થ - “જ્ઞાનાદિકની અનુક્રમે ત્રણ પ્રકારની આશાતના થયે છતે તેના અતિચારની વિશુદ્ધિ માટે સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું.” જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના જાણવી. તેમાં જ્ઞાનાદિકનો અવિનય થાય, ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત લઈ યથાયોગ્ય તપ કરવો જોઈએ. જિતકલ્પ અનુસારે “કાલે વિણયે બહુમાણે” ઈત્યાદિ આઠ પ્રકારના જ્ઞાનાચારની દેશ આશાતનામાં એક આયંબિલ અને સર્વાશાતનામાં એક ઉપવાસ કરવો અને સ્થાનાંગ સૂત્ર અનુસારે જઘન્ય આશાતનામાં પુરિમઢ, મધ્યમમાં એકાસણું અને ઉત્કૃષ્ટમાં આયંબિલ કરવું. આચાર્ય, ઉપાધ્યાય, પુસ્તક, પાટી, કવળી, ઓળીયા, નવકારવાળી વગેરે દરેકની આશાતનામાં જઘન્યથી એક આયંબિલ આવે. નિંદા, પ્રષ, મત્સર, ઉપહાસ વગેરે રૂપ દરેક આશાતનામાં એક એક ઉપવાસ આવે. ઈર્યાવહી પ્રતિક્રમ્યા વિના સ્વાધ્યાય વગેરે કરે તો એક પુરિમનું પ્રાયશ્ચિત્ત આવે. પોતાના પ્રમાદથી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પુસ્તકાદિનો અગ્નિથી દાહ થયો હોય અથવા નષ્ટ થયા હોય તો શક્તિ છતે તે પુસ્તકો ફરીથી નવાં લખાવવાં, અક્ષરોને પગ અડકે તો નીવિ આવે, જ્ઞાન સમીપ છતાં (પાસે હોવા છતાં) આહારનિહાર કરવાથી નવિ આવે, થૂક વડે અક્ષર કાઢે તો પુરિમષ્ઠ આવે, જપમાળા (નવકારવાળી) તૂટે અથવા તેને પગનો સ્પર્શ થાય કે ખોવાય તો નીવિ આવે, કાળ વખતે સિદ્ધાંત ભણે-ગણે અથવા કોઈને ભણવામાં અંતરાય કરે તો પુરિમઢનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે જાણીને જે માણસ જ્ઞાન સંબંધી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહિ, આલોવે નહિ તે માણસ વરદત્તના જીવ વસુદેવ આચાર્યની જેમ અને પુસ્તક પાટી વગેરેને બાળી નાખનાર ગુણમંજરીના જીવ સુંદરીની જેમ મહાન દુઃખ પામે છે.' હવે ‘નિસંકિય નિક્કખિય' ઈત્યાદિ આઠ પ્રકારના દર્શનાચારને વિષે દેશશંકામાં આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે, સર્વ શંકા થાય તો ઉપવાસ આવે. (આ પ્રમાણે આઠેમાં સમજી લેવું.) સ્થાનાંગસૂત્રમાં દર્શનાચારના અતિચાર સંબંધી જઘન્યથી પુરિમષ્ઠ, મધ્યમથી એકાસણું અને ઉત્કૃષ્ટથી ઉપવાસ કહેલો છે. પ્રમાદથી દેવગુરુને વંદના ન કરે તો પુરિમષ્ઠ, પ્રતિમાની સાથે વાસકુંપી, ધૂપધાણું વગેરે અથડાઈ જાય, પ્રતિમા પડી જાય, વગર ધોયેલા વસ્ત્ર વડે પૂજા કરે તો પુરિમષ્ઠ અને દેવ, ગુરુ, પુસ્તક, સંઘ, ચૈત્ય, તપ, સાધુ, શ્રાવક અને સામાચારીની દેશથી આશાતના કરે તો આયંબિલ અને સર્વાશાતનામાં પ્રત્યેક ઉપવાસ, દેરાસરની અંદર તંબોળ ખાવું, જળ પીવું, ભોજન કરવું ઈત્યાદિ દશ પ્રકારની ચૈત્યની આશાતના દેશથી થાય તો આયંબિલ, સર્વથી આશાતના થાય તો ઉપવાસ; સામાન્ય મિથ્યાત્વ ક્રિયા કરે તો પુરિમષ્ઠ, ઉત્કૃષ્ટથી આયંબિલ, અન્ય તીર્થિકના દેવગુરુનું વંદન પૂજન કરે, શ્રાદ્ધ સંવત્સરી કરે, માંડલા માંડે, ઉતાર મૂકે ઈત્યાદિ બાદર મિથ્યાત્વ એકવાર કરવાથી પ્રત્યેકે એકએક ઉપવાસ, વારંવાર તેવી કરણી કરે તો પ્રત્યેક દશ દશ ઉપવાસ, સાધર્મિકની સાથે અપ્રીતિ કરે તો જઘન્યથી એકાસણું, મધ્યમથી આયંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ, સ્થાપનાચાર્યનું પડિલેહણ ન કરે તો પુરિમઢ, પડી જાય તો એકાસણું, ખોવાઈ જાય તો ઉપવાસ, પ્રતિમાની અંગુલી વગેરે પોતાના પ્રમાદથી નષ્ટ થાય તો દશ ઉપવાસ, સૂક્ષ્મપણે દેવદ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો જઘન્યથી પુરિમઢ, મધ્યમથી ઉપવાસ અને પ્રમાદથી વારંવાર ભોગમાં લે તો દસ ઉપવાસ, દેવદ્રવ્ય ભક્ષણ કરીને જે મનુષ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહિ તે સંકાશ શેઠ, સાગરશેઠ વગેરેની જેમ અનેક દુઃખસંતતિને પામે છે. પૃથ્વી પર પડી ગયેલાં પુષ્પ પ્રમાદથી પ્રભુને ચડાવે તો આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાથી થોડા તપ વડે શુદ્ધિ થાય છે અને જો ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત ન લે તો તે માતંગના પુત્રની જેમ ઘણું દુઃખ પામે છે. માતંગપુત્રનું દૃષ્ટાંત કામરૂપપટ્ટણમાં કોઈ ચાંડાલને ઘેર દાંતવાળો પુત્ર ઉત્પન્ન થયો. તે જોઈને તેની માતાએ ભય પામીને ગામ બહાર જઈ તે પુત્રને તજી દીધો. તેવામાં તે નગરનો રાજા ફરવા નીકળ્યો. તેણે ૧. આ દષ્ટાંતો પૂર્વે વ્યાખ્યાન ૨૧૫ મા આવી ગયેલાં છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ તેને દીઠો. એટલે પરિજન દ્વારા પોતાના મહેલમાં લઈ જઈ તેને ઉછેર્યો. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. પ્રાંતે રાજાએ તેને જ ગાદી પર બેસાડીને દીક્ષા લીધી. તે રાજર્ષિ અનુક્રમે જ્ઞાની થયા, એટલે પુત્રને પ્રતિબોધ કરવા ત્યાં આવ્યા. રાજાને ખબર થતાં તે મોટી સમૃદ્ધિથી ગુરુને વાંદી પાસે બેઠો. તેવામાં તે ચાંડાલની સ્ત્રી પણ ત્યાં આવી. ગુરુને વાંદીને બેઠી. તે માતંગીને જોઈને રાજા હર્ષ પામ્યો અને તે માતંગી પણ રાજાને જોઈને હર્ષ પામી. તેના રોમાંચ વિકસિત થયા અને તત્કાળ તેના બન્ને સ્તનમાંથી દૂધની ધારા નીકળી. તે જોઈને રાજાએ આશ્ચર્ય પામી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી! મારા દર્શનથી આ માતંગીના સ્તનમાંથી દૂધ કેમ નીકળ્યું?” મુનિ બોલ્યા કે “હે રાજ! આ માતંગી તારી માતા છે. તેણે તને જન્મતાં જ ગામ બહાર તજી દીધો હતો, ત્યાંથી મેં લઈને તારું પાલન કર્યું હતું, અને મારે પુત્ર નહિ હોવાથી તેને રાજય આપ્યું હતું તે સાંભળીને રાજાએ પૂછ્યું કે “હે ગુરુ! કયા કર્મથી માતંગ કુળમાં મારો જન્મ થયો? અને કયા કર્મથી મને રાજ્ય મળ્યું? મુનિ બોલ્યા કે “તું પૂર્વભવે શ્રીમાનું અને વિવેકી શ્રેષ્ઠિ હતો, એકદા જિનેન્દ્રની પૂજા કરતાં એક સુગંધી પુષ્પ પદ્માસન ઉપર પડ્યું. તે અતિ સુગંધી છે એમ જાણીને તેં ફરીથી તે પુષ્પ પ્રભુ પર ચડાવ્યું. અવિધિએ સ્નાન કર્યા વિના એ પ્રમાણે કરવાથી તે માલિન્યપણાનું પાપકર્મ અર્જિત કર્યું, તે પાપની આલોચના કર્યા વિના. મરણ પામી માતંગ કુળમાં તું ઉત્પન્ન થયો અને વિધિપૂર્વક પૂજા કરવાના પુણ્યથી તું રાજય પામ્યો.” આ પ્રમાણે સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તરત જ તેણે રાજય તજી દઈને દીક્ષા લીધી. અંતે સમગ્ર દુષ્કર્મ આલોચી પ્રતિક્રમીને સ્વર્ગે ગયો. “સિદ્ધાંત, સંઘ અને પ્રતિમાની અર્ચના વગેરેમાં અવિવેકને લીધે જે આશાતના થઈ હોય તેની સદ્ગુરુ પાસે તત્કાળ આલોચના લઈ યોગ્ય તપ તપીને દરેક માણસે શુદ્ધ થવું.” ૨૮૯ પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત पंचाणुव्रतसंबन्ध्यतिचारशुद्धिहेतवे । प्रायश्चित्त तपःकार्य, गीतार्थगुरुणोदितम् ॥१॥ ભાવાર્થ:- પાંચ અણુવ્રત સંબંધી અતિચારની શુદ્ધિને માટે ગીતાર્થ ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત તપ કરવું.” પાંચ વ્રત માંહેલા પહેલા વ્રતની આલોચના આ પ્રમાણે છે - શ્રાવકોને પૃથ્વીકાયાદિક એકેન્દ્રિય જીવની વિરાધના ઘણું કરીને સામાયિકને સ્થાને અથવા અભિગ્રહનું ઉલ્લંઘન કરતાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ જાણવી. તેમાં પાંચે સ્થાવરનો કારણ વિના સંઘટ્ટ કરવાથી એક પુરિમઢ, તેઓને થોડી પીડા કરી હોય તો એકાસણું, ગાઢ પીડા કરી હોય તો નીવિ અને ઉપદ્રવ કર્યો હોય તો આયંબિલ કરવું. અનંતકાય ને વિકસેન્દ્રિયનો સંઘટ્ટ કરવાથી પુરિમ, અલ્પ પીડા કરી હોય તો એકાસણું, અધિક પીડા કરી હોય તો આયંબિલ અને ઉપદ્રવ કર્યો હોય તો ઉપવાસ. અહંકારથી પંચેન્દ્રિયનો વધ કર્યો હોય તો દશ ઉપવાસ, ઘણા એકેન્દ્રિયનો વધ કર્યો હોય તો દશ ઉપવાસ, ગળ્યા વિનાનું જળ એક વાર પીધું હોય તો બે ઉપવાસ, જળ ગળ્યા પછી તેનો સંખારો ઢોળાયો હોય તો બે ઉપવાસ, વારંવાર સંખારો ઢોળાયો હોય તો દસ ઉપવાસ, સંખારો સુકાઈ ગયો હોય તો દશ ઉપવાસ, ખારો અને મીઠો (ખારા અને મીઠા પાણીનો) સંખારો એકત્ર કરવામાં આવ્યો હોય તો ત્રણ ઉપવાસ, ગળ્યા વિનાના જળથી સ્નાન કર્યું હોય અથવા તેને ગરમ કર્યું હોય તો ત્રણ ઉપવાસ, લીલ-ફુલનો સંઘટ્ટ કર્યો હોય તો એક ઉપવાસ, લીલા ઘાસ ઉપર બેસવા કે ચાલવાથી એક ઉપવાસ, ગર્ભપાતે ૧૦૮ ઉપવાસ, કરોળીયાના પડ ઉખેડવાથી દશ ઉપવાસ, ઉધઈનાં ઘર નષ્ટ કરવાથી દશ ઉપવાસ, ખાળકૂવામાં, કીડીઓના દરમાં તથા પોલાણવાળી જમીનમાં જળ જાય તેમ સ્નાન કરવાથી અને ગરમ જળ અથવા ઓસામણ વગેરે તેને સ્થાને ઢોળવાથી એક ઉપવાસ; પાણી ગળતા ઢોળે, ફાટેલા ગળણાથી પાણી ગળે, લાકડાં પૂંજ્યા વિના અગ્નિમાં નાખે, સડેલું ધાન્ય ખાંડે, દળે, શેકે, ભરડે કે તડકે મૂકે, ઉકરડો સળગાવે, ક્ષેત્રમાં સૂઢ કરે, વાસીદું અગ્નિમાં નાંખે, કોઉ નાંખે, ચોમાસામાં ઢાંક્યા વિના દીવો કરે, ખાટલા ગોદડાં તડકે નાંખે, વાસી ગાર લીંપે, વાસી છાણા થાપે, ચકલી વગેરેના માળા ભાંગે, જીવ જોયા વિના વસ્ત્ર ધુએ, રાત્રિએ સ્નાન કરે, ઘંટી, ખાંડણીયો ચૂલો વગેરે પૂંજયા વિના ઉપયોગમાં લે. સોય ખુએ ઈત્યાદિ કાર્ય નિર્ધ્વસ (નિર્દય)પણે કરવાથી દરેક કાર્યમાં જઘન્ય એક ઉપવાસનું, મધ્યમથી ત્રણ ઉપવાસનું અને ઉત્કૃષ્ટ દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. સુવાવડ કરવાથી બે અથવા ત્રણ ઉપવાસ, ઘણી સ્ત્રીઓની સુવાવડ કરવાથી દશ ઉપવાસ, જલો મૂકાવવાથી એક ઉપવાસ, કૃમિના નાશ માટે ઔષધ ખાધું હોય તો ઉત્કૃષ્ટ દશ ઉપવાસ; જલાશયમાં સ્નાન કરે, લુગડાં કે ગોદડાં વગેરે ધોવે તો દશ ઉપવાસ અને કાંચકી વગેરેથી કેશ ઓળીને જુ-લીખની વિરાધના કરે તો દશ ઉપવાસ. આ પ્રમાણે આલોચના સાંભળીને જે કોઈ પાપની આલોચના ન કરે તે મોટું દુઃખ પામે છે. ધર્મરાજાએ પૂર્વે પોતાના કુમકના ભવમાં ઘણા સ્થાવર અને અનંતકાયાદિકનો વધ કર્યો હતો, તેથી તેને ઘણું દુઃખ પ્રાપ્ત થયું હતું. પછી તેણે તે પાપની ગુરુ પાસે આલોચના કરી અને ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું, તેથી તે જ ભવમાં તે પાછો મોટો ઈભ્ય થયો. લાખો સાધર્મિકોને અન્નદાન આપીને તેણે સુખી કર્યા ત્યાર પછી બીજો મનુષ્યજન્મ પામતી વખતે તેના પ્રભાવથી બાર વર્ષનો દુકાળ પડવાનો હતો તે પડ્યો નહીં, તેથી તેનું ધર્મરાજા નામ પડ્યું. આ દષ્ટાંત અમે સાતમા વ્રતમાં સવિસ્તર આપેલું છે. એક ગોવાળે બાવળની સૂઈથી જૂને પરોવી મારી Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૭ હતી, તેનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી તે એકસો ને આઠ ભવ સુધી શૂળીથી મરણ પામ્યો હતો. મહેશ્વર નામના શ્રેષ્ઠિની સ્ત્રીએ એક જૂ મારી હતી, તે જાણીને કુમારપાળ રાજાએ તેનું સર્વસ્વ લઈને તેના વડે તે જૂ ના પ્રાયશ્ચિત્ત બદલ યુકાવિહાર નામનું ચૈત્ય કરાવ્યું હતું. શ્રી હરિભદ્રસૂરિએ પોતાના પ્રાયશ્ચિત્તને સ્થાને ચૌદસો ને ચુમાંલીશ ગ્રન્થો બનાવ્યા છે. આ વગેરે દૃષ્ટાંતો પોતાની મેળે જાણી લેવા. હવે બીજા વ્રતનું પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છે - પાંચ મોટા અસત્ય છે, તે બોલવાથી જઘન્ય એક આયંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત. અહંકારથી અસત્ય બોલે તો દસ ઉપવાસ, કલહ કરતાં, ચાડી કરતાં ને ખોટું કલંક દેતાં એક આયંબિલ, ધર્મનો લોપ થાય એવું બોલે તો દશ ઉપવાસ, 'શ્રાપ દેવાથી અથવા હાથવતી કરકડા મોડવાથી એક ઉપવાસ; દુષ્ટપણાથી કોઈને મારવાનું કહે તો દશ ઉપવાસ, કોઈના પર કલંક ચડાવવા માટે તેને વ્યભિચારી કહેવો, શાકિની કહેવી અથવા કોઈને નિધિ મળ્યો છે - એ વગેરે દોષ આપવો તેથી દશ ઉપવાસ. અક્ષ૨, ૪મસિ (શાહી) અને ગુપ્ત કહેલ વાતનો ભેદ કરે તો એક આયંબિલ, ખોટી રીતે કોઈનો દંડ કરાવે તો દશ ઉપવાસ. વચન દ્વારા કોઈને મારી નાંખે તો એકસો ને એંશી ઉપવાસ, એક પખવાડિયા સુધી ક્રોધ રહે તો એક ઉપવાસ, ચાર માસ સુધી ક્રોધ રહે તો બે ઉપવાસ, વર્ષ સુધી ક્રોધ રહે તો દશ ઉપવાસ. (આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સમજવું) એક વર્ષથી વધારે મુદત ક્રોધ રહે તેની આલોચના છે જ નહીં અભિચિકુમારે પોતના પિતા ઉદાયિ મુનિ ઉપર દ્વેષ રાખ્યો હતો. છેવટે મરણસમયે પણ તેણે ઉદાયિ વિના બીજા સર્વ જીવોને ખમાવ્યા અને ઉદાયિ પરના દ્વેષની આલોચના કરી નહીં, તેથી તે અધોગામી દેવતા થયો હતો. અસત્ય વાણી બોલવાના પાપની આલોચના નહિ લેનારા રજ્જાસાધ્વી, કુવલયપ્રભસૂરિ અને મિચિ વગેરેના દૃષ્ટાંતો અહીં જાણવાં. સ્થૂલ અદત્તાદાનમાં પ્રમાદથી ખોટાં તોલાં તથા માપ રાખવાં, રસ પદાર્થમાં બીજો ૨સ મેળવી વેચવો, દાણચોરી કરવી ઈત્યાદિકમાં જઘન્યથી પુરિમઢ, મધ્યમથી આયંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ, અહંકારથી તે કાર્યો કરે તો દશ ઉપવાસ, વિશ્વાસઘાત કરવાથી એક ઉપવાસ. અદત્તાદાનની આ પ્રમાણેની આલોયણા નહિ લેનાર અને અદત્ત ગ્રહણ કરવામાં આસક્ત ધવલ નામનો શ્રેષ્ઠિ શ્રીપાલ રાજા ઉપર વિશ્વાસઘાતની સ્પૃહા રાખવાથી તે જ ભવમાં મોટી વ્યથાને પામ્યો હતો અને કેસરી રોહિણેય વગેરે ચોરો ચોરીનો ત્યાગ કરીને જિનેશ્વરના માર્ગના રાગી (ભક્ત) થયા હતા. મૈથુનવિરમણ નામના ચોથા વ્રતમાં પ્રમાદથી સ્વદારા સંબંધી નિયમનો ભંગ થયો હોય તો એક ઉપવાસ, વેશ્યા સંબંધી નિયમનો ભંગ થયો હોય તો બે ઉપવાસ, અહંકારથી ભંગ કર્યો ૧. ‘તારું ભૂંડું થજો’ ઈત્યાદિ બોલવું તે શ્રાપ. ૨. આ સ્ત્રીજાતિ સંબંધી દોષ જાણવો, ડાકણ કહે છે તે. ૩. અક્ષર ફેરવવો, ૪. શાહી બદલાવવી. ૫. ભવનપતિ વ્યંતરાદિ. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ હોય તો દશ ઉપવાસ, હીન જાતિની પરસ્ત્રીને અજ્ઞાતપણે સેવવાથી દશ ઉપવાસ, જાણીને સેવવાથી લાખ સજ્ઝાય સહિત` દશ ઉપવાસ, આમ નામના રાજાએ ડંબની સ્ત્રી સાથે ભોગ કરવાની ઈચ્છા કરી હતી, તે વાત બપ્પભટ્ટસૂરિના જાણવામાં આવી, તેથી રાજા લજ્જિત થયો. પછી બ્રાહ્મણના કહેલા પ્રાયશ્ચિત્તથી રાજાએ તપાવેલી લોઢાની પુતળીનું આલિંગન કરવાની ઈચ્છા કરી. તે જાણીને ગુરુએ રાજાને શિખામણ આપી કે “હે રાજન્ ! એમ કરવાથી પાપનો ક્ષય થતો નથી.” પછી રાજાના પૂછવાથી ગુરુએ સર્વજ્ઞશાસ્ત્રને આધારે પ્રાયશ્ચિત્ત આપ્યું. તે પ્રાયશ્ચિત્ત તપ કરવાથી રાજા પાપ રહિત થઈને ગુણ પામ્યો હતો. ઉત્તમ જાતિની પરસ્ત્રીને અજાણતાં સેવવાથી એક લાખને એંશી હજાર સજ્ઝાય સહિત દશ ઉપવાસ, જાણીને સેવવાથી ૧૮૦ ઉપવાસ, તિર્યંચ સંબંધી નિયમનો ભંગ થયો હોય તો એક આયંબિલ, સ્વપ્નમાં ભંગ થયો હોય તો ચાર લોગસ્સ ને એક નવકારનો કાયોત્સર્ગ, એકસો આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ. હસ્તક્રિયા કરવાથી ત્રણ ઉપવાસ, વારંવાર હસ્તક્રિયા કરવાથી દશ ઉપવાસ, પરસ્ત્રીના હ્રદયનો સ્પર્શ કરવાથી એક ઉપવાસ, ઢીંગલા-ઢીંગલીના વિવાહ કરવાથી એક પુરિમâ. ઢીંગલા ગૂંથવાથી એકાસણું અને તેની સાથે ક્રીડા કરવાથી એક આયંબિલ. પરસ્ત્રીને બળાત્કારે સેવવાથી એકસો એંશી ઉપવાસ, તેના પર દૃષ્ટિરાગ રાખવાથી બે ઉપવાસ અને તેની સાથે તીવ્ર પ્રેમપૂર્વક વાતચીત કે હસ્ત વગેરેનો સ્પર્શ કરવાથી ત્રણ ઉપવાસની આલોયણ આવે છે. રુપી નામની રાજપુત્રી બાળવિધવા હતી. તેણે શીલસન્નાહ નામના અમાત્ય ઉપર દૃષ્ટિરાગ કર્યો હતો. અનુક્રમે તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી હતી. છેવટે સંલેખનાને સમયે ગુરુએ ઘણી રીતે બોધ કરી સમજાવી તો પણ રુપીસાધ્વીએ તે દૃષ્ટિરાગ સંબંધી પાપની આલોચના લીધી નહીં. તે પાપ ગુપ્ત રાખવાથી (દંભ કરવાથી) અનન્ત ભવ-પરંપરા પામી. જો તે પાપની આલોચના લીધી હોત તો થોડા તપથી જ તેની કાર્યસિદ્ધિ થાત. કુમારિકા સાથે ભોગ કરવાથી અટ્ટમ, ઈત્વર પરિગ્રહિતા (અમુક મુદત સુધી રખાયત તરીકે કોઈએ રાખેલ)નો સમાગમ કરવાથી બે ઉપવાસ, મૈથુન સંબંધી અશુભ ચિંતવન કરવાથી એક ઉપવાસ. શ્રી લક્ષ્મણા નામની સાધ્વીએ ચકલાના મૈથુનની સ્તુતિ કરી હતી. તે પાપની આલોયણ ગુરુ પાસે લીધી નહીં, પણ પોતાની બુદ્ધિથી જ તે પાપના નાશને માટે પચાસ વર્ષ સુધી મહા ઉત્કટ તપ કર્યો, તો પણ તે પાપ નાશ પામ્યું નહીં; ઉલટી અનેક ભવ સુધી વિડંબના પામી પણ જો દંભનો ત્યાગ કરીને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત તપથી આલોચના કરી હોત તો થોડા કાળમાં જ શુદ્ધ થાત. પાંચમા પરિગ્રહ પરિમાણ નામના વ્રતમાં નવ પ્રકારના પરિગ્રહના નિયમનો ભંગ થાય તો જધન્યે પુરિમઢ, મધ્યમથી આયંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસની આલોયણા આવે છે; દર્પથી નિયમનો ભંગ કરે તો દશ ઉપવાસની આલોયણ આવે છે. આ વ્રતનું પ્રાયશ્ચિત્ત તપ મહણસિંહ ૧. લાખ નવકાર ગણવા અથવા લાખ શ્લોક વાંચવા-સંભારવા તે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ નામના શ્રાવકની જેમ તત્કાળ સ્વીકારી લેવું. સાધુએ પણ પોતાના ઉપકરણાદિક અધિક રાખવાથી તત્કાળ આલોયણ લેવી તે પાપને આલોવવું; નહિ તો વિબુદ્ધસિંહસૂરિની જેમ અનાર્ય કુળમાં જન્મવું પડે છે. તે કથા નીચે પ્રમાણે છે. વિબુદ્ધસિંહસૂરિનું દષ્ટાંત શ્રી વિબુદ્ધસિંહ નામના સૂરિ પોતાના શિષ્યો સહિત સમસ્ત આપ્તપ્રણીત ધર્મમાં રક્ત હતા. પરંતુ એક યોગપટ્ટ ઉપર તેને ઘણી પ્રીતિ થઈ હતી. તે યોગપટ્ટ વિના કોઈપણ સ્થાને તેને પ્રીતિ ઉપજતી નહોતી. યોગપટ્ટ એટલે ઉભી પલાંઠી વાળીને કેડ તથા પગને સાથે બાંધવામાં આવતું સુતરનું વસ્ત્ર સમજવું. તે યોગપટ્ટ ઉપરની મૂછ તેણે તજી નહીં. જિનેન્દ્રોએ તો મૂછને જ સમસ્ત પરિગ્રહનું મૂળ કારણ કહેલું છે. તે મૂછનું પાપ તેણે મૃત્યુ વખતે પણ સમ્યગુ પ્રકારે આલોચ્યું નહીં. તેથી તે સૂરિ કાળ કરીને અનાર્ય દેશમાં આરબના પ્લેચ્છ કુળમાં રાજપુત્ર થયા. ત્યાં તેના શરીર પર યોગપટ્ટના આકારનું ચિહ્ન થયું. તલ, લાખું વગેરે ચિહ્નની જેમ તે ચિહ્ન જોઈને સર્વે માણસો વિસ્મય પામ્યા; કારણ કે આવું ચિહ્ન કોઈ વખત જોવામાં આવ્યું નહોતું અને તેનું કારણ તો માત્ર જ્ઞાની જ જાણે તેમ હતું. અહીં તેના શિષ્યોને સંયમ અને તપના બળથી અનુક્રમે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયાં. તે જ્ઞાન વડે પોતાના ગુરુની શી ગતિ થઈ છે? તે જોતાં મ્લેચ્છ કુળમાં તેમની ઉત્પત્તિ જાણીને તે શિષ્યો વિચારવા લાગ્યા કે “અહો ! ધનાદિક વિના માત્ર સ્વલ્પ મૂછ પણ આ પ્રમાણે વ્રતભંગના ફળને આપનારી થઈ પડી, એવી મૂછને ધિક્કાર છે, તેમજ તેવી મૂછની અનાલોચનાને પણ ધિક્કાર છે. પણ હવે આપણે તેમને સર્વજ્ઞા ધર્મ પમાડવે કરીને તેમનો ઉદ્ધાર કરી પ્રત્યુપકાર કરવો જોઈએ. કહ્યું છે કે : સમકિતદાયક ગુરુતણો, પચ્ચયવાર ન થાય; ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. સ્થાનાંગસૂત્રમાં પણ “તિË સુપડિયાર" ત્રણ વાનાનો પ્રતિકાર થઈ શકે નહિ, ઈત્યાદિ કહેલું છે. એમ વિચારીને તે શિષ્યો તુરની વાણી તથા અરબ શાસ ભણવા લાગ્યા. પછી મ્લેચ્છ લોકોમાં માન્ય થાય એવો વેષ ધારણ કરીને અને પોતાનો પતિવેષ ગોપવીને તે દેશ તરફ તેઓએ વિહાર કર્યો. અનુક્રમે અનાર્ય દેશ આવ્યો, ત્યાં સર્વ સ્થાને નિર્દોષ આહારાદિક મળશે નહીં, એમ જાણીને તે સર્વેએ માસક્ષમણ વગેરે તપ અંગીકાર કર્યું. પછી જયાં પોતાના ગુરુ ઉત્પન્ન થયા હતા ત્યાં આવ્યા અને કુરાનમાં જે જે નિર્દોષ વિષયો હતા. તેનું આલંબન કરીને વૈરાગ્યની યુક્તિથી ઉપદેશ કરવા લાગ્યા, તેથી તેઓ ઘણા લોકોની સ્તુતિને યોગ્ય થયા. અનેક જનોનાં મુખથી તેમની પ્રશંસા સાંભળીને તે રાજપુત્ર પણ તેમની પાસે આવવા લાગ્યો. તે સાધુઓની વાણી સાંભળીને રાજપુત્રને ઘણો હર્ષ થયો. તે કોઈ કોઈ વાર એકલો જ ત્યાં આવતો અને કોઈ કોઈ વાર પરિવાર ૧. પ્રત્યુપકાર. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ સહિત આવતો. મુનિઓ પણ એકાંતમાં તે રાજપુત્રને પોતાનો સાધુવેશ દેખાડતા હતા. એકદા સાધુઓની ક્રિયા, વેષ, યોગપટ્ટરૂપી નિશાની, મુનિના વાક્ય અને પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને તેને જાતિસ્મરણ થયું, એટલે તેણે વિચાર્યું કે “અહો ! મને ધિક્કાર છે કે મેં યોગપટ્ટ સંબંધી પ્રાયશ્ચિત્ત લીધું નહીં, તેથી હું ત્રણ રત્નો (સમક્તિ, જ્ઞાન અને ચારિત્ર) હારી ગયો અને માત્ર યોગપટ્ટની મૂછથી પરમાત્માના ધર્મથી વ્યતિરિક્ત હીનજાતિમાં ઉત્પન્ન થયો. આ સર્વે મારા શિષ્યો છે, તેઓએ મારા પર ઘણો ઉપકાર કર્યો છે, કેમકે તેઓ આહારાદિકનો પણ ત્યાગ કરીને મારે માટે નિઃસ્પૃહપણે આવું ઉગ્ર તપ કરે છે, તેમને અહીં આવ્યા ઘણા દિવસો થઈ ગયા છે, માટે દેહના આધારભૂત આહારાદિક વિના તેઓ કેમ રહી શકશે? માટે હું જલદીથી મારા સ્વજનોને છેતરીને એમની સાથે જઈ આર્યદેશની સીમાએ પહોંચીને દીક્ષા ગ્રહણ કરું.” પછી અવસર જોઈને રાજપુત્રે તે શિષ્યો સાથે આર્યદેશમાં આવી દીક્ષા લઈને પોતાનો જન્મ સફળ કર્યો. “નાના છિદ્રવાળું નાવ પણ જેમ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ અલ્પ મૂછથી પણ સૂરિ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા માટે સર્વ ભવ્ય જીવોએ પાપની શુદ્ધિ માટે આલોચના અવશ્ય લેવી.” ૨૯૦ ગુણવ્રત તથા શિક્ષાવ્રતનું પ્રાયશ્ચિત્ત त्रीणि गुणव्रतानि स्युः, सेव्यानि प्रत्यहं तथा । शिक्षाव्रतानि चत्वार्येषामपि तत्तपो भवेत् ॥१॥ ભાવાર્થ:- “ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. તેમનું નિરંતર સેવન કરવું. તે બન્ને પ્રકારના વ્રત સંબંધી પણ તે તપ (પ્રાયશ્ચિત્ત તપ) અતિચાર આલોચનારૂપ કહેલો છે.” તે આ પ્રમાણે – પહેલા ગુણવ્રતમાં તીછું જળમાં ને સ્થળમાં અને ઊંચે તથા નીચે નિયમ કરતાં અધિક ગમન થાય તો જઘન્યથી એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત સમજવું. બીજા ગુણવ્રતમાં અજાણતાં મઘ માંસ ઉપભોગમાં આવે તો ત્રણ ઉપવાસ અને દર્પથી અથવા આકુટીથી મદ્ય માંસ વાપરવામાં આવે તો દશ ઉપવાસ. ગુણી માણસે મઘમાંસના સ્વાદની ઈચ્છા માત્ર પણ કરવી નહીં. કદાચ ઈચ્છા થઈ જાય તો તેની પણ અવશ્ય આલોચના લેવી. એકદા શ્રી કુમારપાળ રાજાને કાંઈક સૂકું ઘેબર ખાતાં દાઢ મળે કરડ કરડ’ શબ્દ થયો. તેથી પ્રથમ ભક્ષણ કરેલા માંસનું સ્મરણ થઈ આવ્યું. તેણે તરત જ વિચાર્યું કે “અહો! મેં અયોગ્ય Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૧ ધ્યાન કર્યું.” પછી તેના પ્રાયશ્ચિત્ત માટે પોતાના સર્વ દાંત પાડી નાંખવા તૈયાર થઈ ગયા. મંત્રીએ તેમ કરતાં અટકાવીને તે વૃત્તાન્ત ગુરુને જણાવ્યો. ગુરુએ લાભ જોઈને તેના પ્રાયશ્ચિત્તને ઠેકાણે એક હજાર ને ચોરાશી સ્તંભવાળું આરસ પત્થરનું ચૈત્ય કરાવવાનો ઉપદેશ આપ્યો. કોઈવાર અનાભોગે માખણ ખાવામાં આવ્યું હોય તો એક ઉપવાસ. જાણીને (આકુટીથી) ભક્ષણ કરે તો ત્રણ ઉપવાસ. અનન્તકાયનું એકવાર અનાભોગે ભક્ષણ કરવાથી એક ઉપવાસ અને જાણીને ભક્ષણ ક૨વાથી ત્રણ ઉપવાસ. કોહી ગયેલી વનસ્પતિના ભક્ષણથી એક આયંબિલ, બોળ અથાણું ભક્ષણ કરવાથી તથા ટાઢાં દૂધ, દહીં અને છાશમાં દ્વિદલ ખાવાથી અને સોળ પ્રહર ઉપરાંતનું દહીં ભક્ષણ કરવાથી તેમજ બાવીશે અભક્ષ્યના ભક્ષણથી એક એક ઉપવાસ. મધના ભક્ષણમાં તેનો નિયમ છતાં ભંગ થાય તો બે ઉપવાસ, નિયમ ન હોય અને મધનું ભક્ષણ કરે તો એક ઉપવાસ, ચૌદ નિયમનો ભંગ થાય તો જધન્યથી એક પુરિમઠ્ઠ અને ઉત્કર્ષથી એક ઉપવાસ. સૂક્ષ્મ કર્માદાનમાં બે ઉપવાસ અને લુહારનો, વાડી વાવવાનો (માળીનો), ૨થ (ગાડાં વગેરે) ઘડવાનો ધંધો કરવાથી તથા લાખ, ગળી, મણશીલ, ધાવડી, સાબુ, ભાંગ, ચાર મહાવિગય, પશુ-પક્ષીના અંગોપાંગ છેદન, અફીણ, હળ અને હથિયાર વગેરેનો વેપાર કરવાથી દશ ઉપવાસ. વિષ આપીને અથવા અપાવીને પછીથી તેનું નિવારણ કર્યું હોય તો દશ ઉપવાસ, પણ નિવારણ કર્યું ન હોય તો એકસો ને એંશી ઉપવાસ, સુઈ બનાવવાથી એક આયંબિલ. છરી બનાવવાથી ત્રણ ઉપવાસ. હથિયારનો વેપાર જ રાજીઆ શ્રાવકની જેમ શ્રાવકે નિષેધવો (ન કરવો). તેની કથા એવી છે કે “ખંભાતમાં તપગચ્છી રાજીઆ અને વજીઆ નામના બે ભાઈઓ રહેતા હતા. તેને ઘણાં દૂર દેશથી જલમાર્ગે વહાણો આવ્યાં. તેમાં તરવાર, છરી, કટારી, સૂડી, દાતરડાં, તીર, બંદુક, પીસ્તોલ અને બરછી વગેરે લોઢાના બનાવેલા ઘણા હથિયાર મોટી કિંમતવાળાં હતાં. તે જોઈને તેણે વિચાર્યું કે ‘આ હથિયારોથી પરંપરાએ અનેક જીવોની હિંસા થશે, માટે તે સર્વને ભાંગીને જીણો ચૂરો કરી ખાડો ખોદી દાટી દેવાં જોઈએ.' આ પ્રમાણે વિચારીને તેણે પોતાના સેવકોને હથિયારોને તેવી રીતે દાટી દેવાનો હુકમ કર્યો. સેવકોએ ઘણો ધનનો લાભ દેખાડ્યો, તો પણ તેમનું કહેવું કબૂલ રાખ્યું નહીં.” રાત્રિભોજનના નિયમનો ભંગ થાય તો ત્રણ ઉપવાસ. રાત્રિએ બીજાને પીરસે તો એક પુરિમâ અને વારંવાર તેમ કરે તો દશ ઉપવાસ. અજાણતાં લગભગ વેળાએ જમવાથી એક આયંબિલ. પ્રભાતે ઝલઝાંખલ સમયે ખાય તો એક આયંબિલ. સાધુઓને તો સર્વથા જીવનપર્યંત રાત્રિભોજનનો નિષેધ કરેલો હોય છે, તેથી તેમણે તો તેની ઈચ્છા માત્ર પણ કરવી નહીં. કેમકે ઈચ્છા કરવાથી પણ મોટો દોષ લાગે છે. તે ઉપર દૃષ્ટાંત કહે છે - Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ધનેશ્વરસૂરિની કથા શ્રીપુર નામના નગરમાં ધનેશ્વર નામના સૂરિ ચાતુર્માસ રહ્યા હતા. તેમનામાં ઉપવાસ કરવાની શક્તિ નહોતી. અન્યદા પર્યુષણ પર્વ આવતાં બીજા સાધુઓ તથા શ્રાવકો છ૪ અક્રમ વગેરે તપ કરવા લાગ્યા. તે વખતે સૂરિએ વિચાર્યું કે “હું ઉપવાસ કરી શકતો નથી, તો પણ આજે તો ઉપવાસ કરું.” એમ વિચારીને તેમણે પ્રથમ પોરસીનું પચ્ચખાણ કર્યું પછી પુરિમષ્ઠનું કર્યું, પછી અવઢનું કર્યું એમ વધતું વધતું પચ્ચકખાણ કરવા લાગ્યા. બીજા સાધુઓએ ગુરુને કહ્યું કે - “અમે આહાર લઈ આવીએ, તમે પચ્ચકખાણ પારો.” ગુરુ બોલ્યા કે “આજે તો ઉપવાસ જ છે.” પછી સાયંકાળનું પ્રતિક્રમણ કર્યું. સંથારાની વિધિ ભણીને સંથારો કર્યો, પણ ભૂખને લીધે તેમને નિદ્રા આવી નહીં. મધ્યરાત્રિએ બોલ્યા કે – “હે મુનિઓ! અસુર થયું છે, માટે અન્ન લઈ આવો.” સાધુઓ બોલ્યા કે - “હજુ તો મધ્યરાત્રિનો સમય છે, સૂર્યોદય થયો નથી, શંખ વગાડનારે હજુ શંખ પણ વગાડ્યો નથી, કૂકડાઓ પણ બોલતા નથી. આપે જ અમોને શીખવ્યું છે કે રાત્રિભોજનથી મૂળગુણની હાનિ થાય છે માટે આ વખતે ભિક્ષા લેવા જવું યોગ્ય નથી. લોકો પણ હજુ સૂતા છે.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે – “હે શિષ્યો ! શંખ પોતાના પિતા સમુદ્રને મળવા ગયો છે, સૂર્યનો રથ ભાંગી ગયો છે અને કૂકડા પણ ઉડીને બીજે ઠેકાણે આકાશમાં ગયા છે. કહ્યું "उयहिं सरेविण शंख गय, कुक्कुड गया नहंसि । रह भग्गो सूरय तणो, तेण न विहाइ रत्ति ॥१॥" ભાવાર્થ - શંખ સમુદ્રને મળવા ગયો છે, કુકડા આકાશમાં ગયા છે અને સૂર્યનો રથ ભાંગી ગયો છે, તેથી રાત્રિ વીતી ગઈ જણાતી નથી.” આ પ્રમાણે સાંભળીને સાધુઓ બોલ્યા કે “આપ જે કહો છો તે સત્ય છે, પણ સુધાતુર માણસો શું શું કરતા નથી? જુઓ !” पंच नश्यन्ति पद्माक्षि, क्षुधार्तम्य न संशयः । तेजो लज्जा मतिर्ज्ञानं, मदनश्चापि पंचमः ॥१॥ ભાવાર્થ - કમળના સરખા નેત્રવાળી સ્ત્રી! ક્ષુધાતુર માણસનું તેજ, લજ્જા, બુદ્ધિ, જ્ઞાન અને પાંચમો કામદેવ-એ પાંચે વાનાં નાશ પામે છે, એમાં કોઈ સંદેહ નથી.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે “મેં સુધાની પીડાથી આવું જલ્પન કર્યું છે, તેથી મને તેનો મિથ્યાદુકૃત હો.” એ પ્રમાણે નિષ્કપટપણે સર્વની સમક્ષ પોતાનું પાપ આલોચીને સૂરિએ ચિત્ત દઢ કર્યું. પછી પ્રાતઃકાળે પણ પોરિસીનું પચ્ચકખાણ કરીને ત્યારપછી પારણું કર્યું. Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૩ ત્રીજા ગુણવ્રતની આલોચના આ પ્રમાણે છે - શત્રુનો ઘાત, રાજાપણાની પ્રાપ્તિ, ગામનો ઘાત, અગ્નિ લગાડવાની વૃત્તિ અને હું વિદ્યાધર થાઉં તો ઠીક એવી ઈચ્છા ઈત્યાદિ દુર્ધ્યાન કર્યું હોય, “બળદોને દમન કરો, ખેતર ખેડો, ઘોડાઓને કેળવો, ગાડાં હાંકો” ઈત્યાદિ પાપકર્મનો ઉપદેશ કર્યો હોય તો જઘન્યથી એક ઉપવાસ અને અહંકારથી તેમ કર્યું હોય તો દશ ઉપવાસ. ઢંઢણઋષિનો જીવ જે પૂર્વભવે પુરોહિત હતો, તેણે પોતાના ખેતરમાં ૫૦૦ હળ વડે એકેક ચાસ વધારે ખેડાવ્યો હતો અને તેથી દોઢ હજાર` પ્રાણીઓને ભોજનનો અંતરાય થયો હતો, તે પાપની આલોચના કરી નહીં, તેથી મુનિના ભવમાં તેમને છ મહિને નિર્દોષ આહાર મળ્યો હતો. હળ, યંત્ર, ઉખળ (ખાંડણીયો), મુશલ (સાંબેલું), ઘંટી, ઘાણી વગેરે હિંસા થાય તેવી વસ્તુ આપવાથી તથા જિનચૈત્યમાં વિલાસાદિક કરવાથી જધન્યે એક ઉપવાસ અને દર્પથી કરે તો દશ ઉપવાસ. કામણ, વશીકરણ વગેરે કરવાથી દશ ઉપવાસ. સરોવર, દ્રહ, તળાવ વગેરે જળાશયોનું શોષણ કરાવવાથી અને દાવાનળ લગાડવાથી દસ ઉપવાસ. કોઈ સ્થાનકે એકસો ને આઠ ઉપવાસ પણ કહેલા છે. પહેલા શિક્ષાવ્રતમાં સામાયિક કરવાનો નિયમ હોય અને ન કરે તો એક ઉપવાસ ગંઠિ સહિત, સામાયિકનો ભંગ થયો હોય તો એક નીવિ, પર્વતિથિએ આરંભની જયણા ન કરે તો એક પુરિમઢ, સામાયિકમાં બાદર અપ્લાય, પૃથ્વીકાય અને તેજસ્કાયનો સ્પર્શ થાય તો એક આયંબિલ, સામાયિકમાં ભીના વસ્ત્રનો સ્પર્શ થાય તો એક પુરિમâ, લીલાં તૃણાદિક તથા બીજાદિકનું મર્દન કરે તો એક આયંબિલ, પુરુષને સ્ત્રીનો સ્પર્શ થાય અથવા સ્ત્રીને પુરુષનો સ્પર્શ થાય તો એક આયંબિલ, આંતરાપૂર્વક સ્પર્શ થાય તો એક નીવિ, તેમના વસ્ત્ર વગેરેનો સ્પર્શ થાય તો એક પુરિમઢ, સૂતાં સૂતાં રાજકથા કરે તો એક પુરિમઢ, સાધુને સ્રીનો સ્પર્શ થાય તો જઘન્યથી એક પુરિમઢ, મધ્યમ એકાસણું અને ઉત્કૃષ્ટ એક આયંબિલ, સર્વ અંગનો સ્પર્શ થયો હોય તો દશ ઉપવાસની આલોયણ આવે છે. સાવઘસૂરિએ સાધ્વીના વસ્ત્રનો સંઘટ્ટ થયા છતાં તે પાપની આલોચના કરી નહીં, તેથી તે અનન્ત દુઃખ પામ્યા, માટે તત્કાળ તેની આલોચના કરવી કે જેથી અલ્પ તપ વડે તે કર્મથી નિવૃત્તિ થાય. દેશાવકાશિક નામના દશમા વ્રતનો ભંગ થાય અથવા તેમાં અતિચાર લાગે તો એક આયંબિલની આલોયણા આવે છે. કાકજંઘ રાજાની જેમ અવશ્ય એનું પ્રાયશ્ચિત્ત લઈ લેવું. અગિયારમા વ્રતમાં લીધેલા નિયમનો ભંગ કરે અથવા બરાબર નિયમ પાળે નહિ તો એક ઉપવાસ અને અતિચાર લાગે તો એક આયંબિલ. તેમજ આવસ્તી નિસ્સિહી બરાબર ન કહે, ઉચ્ચાર અને પ્રસ્રવણની ભૂમિને ન પ્રમાર્જે, પ્રમાર્યા વિના કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરે, અવિધિએ બારણાં ઉઘાડે અથવા બંધ કરે, શરીરને પ્રમાર્ષ્યા વિના ખંજવાળે, ભીંત પૂંજ્યા વિના તેને ૧. પાંચસે હળ ખેડનારા ૧૦૦૦ બળદ ને તેને હાંકનારા ૫૦૦ માણસો. ઉ.ભા.-૫-૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ અઠીંગીને બેસે, ગમનાગમન ન આલોવે, વસતિને પ્રમાર્ષ્યા વિના સજ્ઝાય કરે, કેવળ કામળી જ પહેરે, જળ, અગ્નિ, વીજળી અને પૃથ્વીકાયનો સંઘટ્ટ કરે, ઈત્યાદિકના પ્રાયશ્ચિત્ત બદલ પ્રત્યેકે જધન્યથી પણ નીવિની આલોયણા આવે છે. કાજો ઉદ્ધરે નહીં અથવા બેઠા-બેઠા પ્રતિક્રમણ કરે તો જઘન્યે એક પુરિમઠ્ઠ અને ઉત્કૃષ્ટ એકાસણું, પૌષધમાં વમન થયું હોય. કારણ વિના દિવસે શયન કર્યું હોય અને જમ્યા પછી વાંદણા ન દીધાં હોય તો પ્રત્યેકે એક એક આયંબિલ. મુખવસિકાના સંઘટ્ટમાં એક નીવિ, મુખવગ્નિકા ખોવાઈ ગઈ હોય તો એક ઉપવાસ, રજોહરણના સંઘટ્ટમાં એક આયંબિલ અને રજોહરણ ખોવાઈ જાય તો એક અક્રમ. આ પ્રમાણે પૌષધની આલોચના સાંભળીને ભવ્ય જીવોએ ઉનાળાની ઋતુમાં તૃષાથી પીડાયા છતાં પણ જળની ઈચ્છા માત્ર કરવી નહીં. કદાચ ઈચ્છા ઉત્પન્ન થઈ જાય તો તત્કાળ તેની આલોચના લેવી, નહિ તો નંદ મણિકાર શ્રાવકની જેમ મોટું દુ:ખ પ્રાપ્ત થાય છે. અતિથિ સંવિભાગનો નિયમ લીધો હોય તો તે નિયમ ન પાળવાથી અથવા ભાંગવાથી એક ઉપવાસ અને તેના અતિચારમાં એક આયંબિલ. સાધુને અશુદ્ધ આહાર આપીને તેની આલોચના ન કરે તો તે નાગશ્રી વગેરેની જેમ ભવપરંપરાને પામે છે, માટે કદાચિત્ મુનિને અયોગ્ય આહાર અપાયો હોય તો તેની તરત જ આલોયણ લેવી (પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું). તપસ્વી સાધુને દેરાના ચોખાની રાંધેલી ખીર વહોરાવનાર શ્રીમંત શ્રાવકની જેમ. હવે પ્રસંગોપાત બીજા પણ કેટલાંક પ્રાયશ્ચિત્ત કહે છે. આપઘાત કરવાનું ચિંતવન કર્યું હોય તો એક ઉપવાસ, નિયાણું કરે તો એક ઉપવાસ, કદાચ નિયાણું કર્યું હોય તો તરત જ તેની આલોચના લઈ લેવી. દ્રૌપદીના જીવે સુકુમાલિકાના ભવમાં પાંચ પુરુષોથી સેવાતી એક વેશ્યાને જોઈ નિયાણું કર્યું હતું, તે પાપની આલોચના કરી નહીં તો તેથી અનેક પ્રકારની વ્યથાને પામી હતી. ગર્ભવતી સ્ત્રીને આઠ માસ થાય ત્યાં સુધી સાધુએ તેના હાથથી આહાર ગ્રહણ કરવો; જો નવમે માસે ગ્રહણ કરે તો તેને એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે, એકાસણા વગેરે તપનો ભંગ થયો હોય તો તેના પ્રાયશ્ચિત્તમાં તે જ (એકાસણું વગેરે) તપ આપવો અથવા તે તપનો જેટલો સ્વાધ્યાય હોય તે 'આપવો. આ પ્રમાણે આલોચનાનું વર્ણન આચાર્ય મહારાજે કહેલું છે. તે સાંભળ્યા છતાં પણ જે તેનો આદર ન કરે તે હીન-ગતિને પ્રાપ્ત કરે છે. એકદા રાજગૃહીનગરીમાં શ્રી વીરસ્વામીને વાંદીને શ્રેણિક રાજા સહિત સર્વ સભા બેઠી હતી. તે વખતે ચમરેન્દ્રની અગ્રમહિષી કાલી નામની દેવી સર્વ ઋદ્ધિ સહિત પ્રભુ પાસે આવી નમીને સૂર્યાભદેવની જેમ નૃત્ય કરી પોતાને સ્થાને ગઈ. પછી તે દેવીના પૂર્વભવનું વૃત્તાંત શ્રી ગૌતમસ્વામીએ વીરપ્રભુને પૂછ્યું, એટલે ભગવાન્ બોલ્યા કે “આમલકલ્પનગરમાં કાળ નામના ૧. એક ઉપવાસના બદલામાં ૨૦૦૦ સ્વાધ્યાય અપાય છે તે પ્રમાણે સમજી લેવું. Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૫ ગૃહસ્થની પુત્રી કાળી નામે કુમારિકા હતી. તેણે મા-બાપની રજા લઈને શ્રી પાર્શ્વનાથસ્વામી પાસે દીક્ષા લીધી. પ્રભુએ તેને પુષ્પચૂલા નામની સાધ્વીને શિષ્યા તરીકે સોંપી. પછી તે કાળી સાધ્વી તેમની પાસે સામાયિક વગેરે અગિયાર અંગનું અધ્યયન કરીને સંયમતપ વડે પોતાના આત્માને ભાવવા લાગી. અન્યદા તે કાળી સાધ્વી મલ પરિષહ સહન કરવાને અસમર્થ થઈ સતી હાથ, પગ, મુખ, મસ્તક, સ્તનાંતર, કક્ષાંતર, ગુહ્યાંતર વગેરે અવયવો જળથી ધોવા લાગી, અને જે ઠેકાણે બેસીને સ્વાધ્યાય કરે ત્યાં પ્રથમ જળ વડે પૃથ્વીને શુદ્ધ કરવા લાગી. તે સર્વ જોઈને મહત્તરાએ તેને શીખામણ આપી કે “સાધુ-સાધ્વીને દેહાદિકની જળ વડે શુદ્ધિ કરવી ઘટતી નથી, માટે તેનું તું પ્રાયશ્ચિત્ત લે.” તે સાંભળીને કાળી સાધ્વી મૌન રહી સતી વિચારવા લાગી કે “મારે આવી રીતે પરાધીનપણે અહીં રહેવું યોગ્ય નથી.” પછી તે જૂદા ઉપાશ્રયમાં જઈને રહી. ત્યાં અંકુશ રહિત થવાથી સ્વચ્છંદપણે જળ વડે અંગની શુદ્ધિ કરવા લાગી. એ પ્રમાણે ઘણા વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને પ્રાંતે તે પાપની આલોચના-પ્રતિક્રમણા કર્યા વિના પંદર દિવસના અનશનથી કાળ કરીને અઢી પલ્યોપમના આયુષ્યવાળી અસુરકુમાર નિકાયમાં દેવી થઈ છે; ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. છેદસૂત્ર વગેરે શાસ્ત્રોમાં બહુશ્રુત આચાર્યોએ અનેક વિચારથી ગર્ભિત આ પ્રાયશ્ચિત્ત તપનું વર્ણન કરેલું છે, તેથી તે તપનો તાત્કાલિક સ્વીકાર કરીને પાપની આલોચના લેવી, પણ શુભને ઈચ્છનારા પુરુષોએ શ્રુતથી વ્યતિરિક્ત કાંઈ પણ બોલવું નહીં.” © ૨૧ ધર્મકર્મમાં દંભનો ત્યાગ दंभतो नन्वयत्नेन, तपोऽनुष्ठानमादृतम् । तत्सर्वं निष्फलं, ज्ञेयमूषरक्षेत्रवर्षणम् ॥१॥ ભાવાર્થ:- “તપ અનુષ્ઠાનાદિ નિશ્ચયે જો અયતના વડે અને દંભથી કરવામાં આવે તો તે સર્વ ઉખર જમીનમાં વૃષ્ટિની જેમ નિષ્ફળ જાણવાં.” તે ઉપર સુજસિરિની કથા છે, તે આ પ્રમાણે - સુજ્જસિરિની કથા અવન્તીનગરી પાસે શંબુક નામના ખેટને વિષે સુજ્જશિવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે દરિદ્રી અને નિર્દય હતો. તેની સ્ત્રી યજ્ઞયશા અન્યદા ગર્ભવતી થઈ. પ્રસૂતિ સમયે પ્રસવની વેદનાથી તે મરી ગઈ. તેણે એક કન્યાને જન્મ આપ્યો હતો. તેનું નામ સુજ્જસિરિ રાખ્યું Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ હતું. આ સુજસિરિનો જીવ પૂર્વ ભવે કોઈ રાજાની રાણીનો હતો. તે રાણીએ પોતાની શોકના પુત્રને મારી નાંખવાનો વિચાર કર્યો હતો. તેથી આ ભવે તેની માતા જન્મતાં જ મૃત્યુ પામી. અનુક્રમે તે પુત્રી આઠ વર્ષની થઈ. તેવામાં બાર વર્ષનો દુષ્કાળ પડ્યો; એટલે આજીવિકા માટે તે સુજ્જશિવ બ્રાહ્મણ પુત્રીને લઈને પરદેશ ચાલ્યો. માર્ગે જતા કોઈ ગામમાં ગોવિંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘેર તેણે સુજસિરિ વેચી. અનુક્રમે તે ગોવિંદ પણ નિધન થયો. એકદા તેને ઘેર કોઈ મહિયારી ગોરસ વેચવા આવી. તેની પાસેથી ગોવિંદની સ્ત્રીએ ચોખાને બદલે ગોરસ લીધું અને ચોખા લાવવાને માટે સુજ્જસિરિને ઘરમાં મોકલી. તે ઘરમાં જઈ આમ-તેમ જોઈને પાછી આવી અને બોલી કે “ચોખા ક્યાં છે? મેં તો ક્યાંય જોયા નહીં.' તે સાંભળીને ગોવિંદની સ્ત્રી પોતે ઘરમાં ગઈ, તો ઘરના એક ખૂણામાં તેના મોટા પુત્રને કોઈ વેશ્યા સાથે ક્રીડા કરતાં જોયો. તે પુત્રે તેને આવતી જોઈને તિરસ્કાર કર્યો, તેથી તે મૂછ પામી ગઈ. ગોવિંદને તેની ખબર પડતાં તેણે શીત ઉપચારથી તેને સજ્જ કરી. એટલે તે સ્ત્રીને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેણે પોતાનો પૂર્વભવ જાણીને કહી બતાવ્યો. તે સાંભળીને ગોવિંદ પોતાની સ્ત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. આ સમયે શ્રી ગૌતમસ્વામીએ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને પૂછ્યું કે “હે ભગવંત! તેણે પોતાનો પૂર્વભવ શો કહી બતાવ્યો કે જેથી ગોવિંદને પણ વૈરાગ્ય ઉપયો?” એટલે ભગવાન બોલ્યા કે “તે સ્ત્રીએ લાખ ભવ ઉપર દંભ કર્યો હતો. પૂર્વે તે ક્ષિતિપ્રતિષ્ઠનગરના રાજાની રૂપી નામની પુત્રી હતી. તે પુત્રીનું પાણિગ્રહણ થયું કે તરત જ તેનો પતિ મૃત્યુ પામ્યો, એટલે તે રૂપી વિધવા થવાથી તેણે શીલના રક્ષણ માટે ચિતામાં પ્રવેશ કરવા પોતાના પિતાની રજા માગી. રાજાએ કહ્યું કે “હે પુત્રી ! ચિતામાં પ્રવેશ કરવાથી પતંગના મૃત્યુની જેમ નિષ્ફળ મરવાપણું છે, તેથી તું તે વાત છોડી દઈને જૈનધર્મમાં રક્ત થઈ શીલવ્રતનું પાલન કર.” તે સાંભળીને રૂપીએ ભાવથી શીલ અંગીકાર કર્યું. અન્યદા તે રાજા પુત્ર રહિત મરણ પામ્યો, એટલે પ્રધાનોએ તે પુત્રીને જ ગાદી પર બેસાડી, અને તેને રૂપી રાજાના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે રૂપી યુવાવસ્થા પામી તેના ગાત્રમાં કામદેવે પ્રવેશ કર્યો. એકદા સભાને વિષે શીલસન્નાહ નામનો મંત્રી બેઠો હતો તેની સામું રૂપીએ સરાગ દૃષ્ટિએ જોયું. તે મંત્રીએ પણ તેના ચિત્તનો અભિપ્રાય જાણી લીધો. એટલે શીલભંગથી ભીરુ મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર નીકળી ગયો અને વિચારસાર નામના કોઈ બીજા રાજાનો સેવક થઈને રહ્યો. એકદા તે રાજાએ મંત્રીને પૂછ્યું કે “તેં પ્રથમ જે રાજાની સેવા કરી હતી તેનું નામ તથા તારું કુળ, જાતિ, નગર વગેરે કહે.” મંત્રીએ કહ્યું કે “મેં જે રાજાની પ્રથમ સેવા કરી હતી તેની આ મુદ્રા જુઓ. બાકી તેનું નામ તો ભોજન કર્યા પહેલાં લેવું યોગ્ય નથી. કેમકે જો ભોજન અગાઉ તેનું નામ લેવામાં આવે તો તે દિવસ અન્ન વિનાનો જાય છે.” તે સાંભળીને રાજા વિસ્મય પામ્યો, એટલે તરત જ સભામાં ભોજનસામગ્રી મંગાવી, હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું કે “હવે તે રાજાનું નામ લે.” જ્યારે મંત્રીએ “રૂપી રાજા' એ પ્રમાણે નામ કહ્યું કે તરત જ “શત્રુરાજાએ આપના નગરને ઘેરો ઘાલ્યો Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ છે” એ વાક્ય રાજાએ સાંભળ્યું. તત્કાળ કવળ નાખી દઈને રાજા યુદ્ધ કરવા ગયો. પરસ્પર મોટું યુદ્ધ ચાલ્યું. તે વખતે યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ પણ ત્યાં ગયો. તેને મારવા માટે શત્રુના સુભટો તેની સન્મુખ આવ્યા. તેમને શાસનદેવીએ ખંભિત કર્યા, અને આકાશવાણી કરી કે “નમોસ્તુ શીલસન્નાહાય બ્રહ્મચર્યરક્તાય “બ્રહ્મચર્યમાં આસક્ત એવા શીલસન્નાહને નમસ્કાર છે” એમ બોલીને દેવતાઓએ શીલસન્નાહ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. શીલસન્નાહ તે વાક્ય સાંભળીને વિચાર કરવા લાગ્યો, એટલે તરત જ તેને જાતિસ્મરણ થયું અને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું. તત્કાળ તેણે પંચમુષ્ટિ લોન્ચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે મુનિના ઉપદેશથી તે બને રાજાઓ બોધ પામી યુદ્ધથી નિવૃત્ત થયા. પૂર્વભવમાં શીલસન્નાહ મુનિ સાવદ્ય વચન બોલ્યા હતા, તેથી તેના પ્રાયશ્ચિત્ત માટે તેણે મૌનવ્રત ધારણ કર્યું. પ્રાંતે તે મુનિ ચારિત્ર પાળીને પ્રથમ દેવલોકમાં દેવતા થયા અને ત્યાંથી આવીને એ શીલસન્નાહ સ્વયંબુદ્ધ મુનિ થયા છે. શીલસન્નાહ મુનિ વિહાર કરતાં કરતાં એકદા રૂપી રાજાના નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. તેને વાંદવા માટે રૂપી રાજા સામત્તાદિક સહિત ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ગુરુની દેશના સાંભળીને રૂપીરાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે શીલસન્નાહ મુનિ સમેતશિખર ગયા. ત્યાં જિનેશ્વરોને વંદના કરીને એક શિલાપટ્ટ ઉપર સંથારો કરી સંલેખના કરવા તૈયાર થયા. તે વખતે રૂપી સાધ્વી બોલ્યા કે “હે ગુરુ ! મને પણ સંલેખના કરાવો.” ગુરુ બોલ્યા કે “ભવસંબંધી સર્વ પાપોની આલોચના લઈને શલ્ય રહિત થયા પછી ઈચ્છિત કાર્ય કરો, કેમકે જ્યાં સુધી શલ્ય ગયું ન હોય ત્યાં સુધી બહુ ભવભ્રમણ કરવું પડે છે. જેમ કોઈક રાજાના અશ્વના પગમાં ખીલો વાગ્યો હતો, તેનો નાનો સરખો કકડો અંદર ભરાઈ રહ્યો હતો, તેથી તે અશ્વ અતિ કૃશ થવા લાગ્યો. રાજાએ તેને માટે અનેક ઉપચારો કર્યા પણ તે નિષ્ફળ ગયા. પછી એક કુશળ પુરુષે તે અશ્વના આખા શરીરે આછો કાદવ ચોપડ્યો એટલે જે ઠેકાણે શલ્ય હતું તે ભાગ ઉપસી આવ્યો. તે જોઈને પુરુષે તેમાંથી નખહરણીવતી’ તે શલ્ય કાઢી નાખ્યું, એટલે તે અશ્વ સ્વસ્થ થયો. વળી તે સાધ્વી ! એક તાપસ હતો. તેણે એકદા અજાણ્યું ફળ ખાધું, તેથી તે રોગગ્રસ્ત થયો. પછી દવા માટે તે વૈદ્ય પાસે ગયો. વૈધે પૂછયું શું ખાધું છે? ત્યારે તાપસે સત્ય વાત કહી દીધી. તેથી તે વૈધે તેને વમન તથા વિરેચન આપીને સાજો કર્યો.” આ પ્રમાણે સાંભળીને તે રૂપી સાધ્વીએ માત્ર એક દૃષ્ટિવિકાર (શિલસન્નાહ સામું વિકાર દૃષ્ટિએ જોયું હતું તે) વિના બીજા સર્વ પાપની આલોચના લીધી. ગુરુએ કહ્યું કે “પ્રથમ સભામાં તે મારી સામું સરાગ દૃષ્ટિએ જોયું હતું તેની આલોચના કર.” તે બોલી કે “તે તો મેં સહજ નિર્દભપણે જોયું હતું.” તે સાંભળીને ગુરુએ તેને ઉપદેશ આપવા માટે લક્ષ્મણા રાજપુત્રીનું દૃષ્ટાંત કહી સંભળાવ્યું કે – ૧. ધર્મદેશનાદિ શુભ નિમિત્ત વિના ન બોલવું એ પ્રમાણેનું મૌનવ્રત જાણવું. ૨. આ હકીકત શીલસનાહના ભવના પ્રાંત ભાગની છે તે વચ્ચે લખવામાં આવી છે. ૩. લોકભાષામાં “નેરણી' કહેવામાં આવે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ગઈ ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરને વિષે જબૂદાડિમ નામના રાજાની લક્ષ્મણા નામે યુવાન પુત્રી હતી, તે સ્વયંવર મંડપમાં એક યોગ્ય પતિને વરી. તેના પાણિગ્રહણ વખતે ચોરીમાં જ તેનો પતિ અકસ્માત મરણ પામ્યો, તેથી લક્ષ્મણા અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. તેના પિતાએ તેને શિખામણ આપી કે “હે પુત્રી ! કર્મની વિચિત્ર ગતિ છે, માટે વિલાપ કરવાથી શું ફળ છે? તેથી તું જીવિત પર્યત શીલનું પાલન કર.” ઈત્યાદિ કહીને રાજાએ તેને શાંત કરી. એકદા શ્રી જિનેશ્વર તે રાજાના ઉદ્યાનમાં સમવસર્યા. ભગવાનની દેશનાથી બોધ પામીને રાજાએ પુત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી, લક્ષ્મણા સાધ્વી પોતાના ગુરુણી (પ્રવર્તિની) પાસે રહીને સંયમ પાળવા લાગી. એકદા ગુરુણીજી (મહત્તરા)ના કહેવાથી તે વસતિ શોધવા ગઈ. ત્યાં ચકલાના મિથુન ને ચુંબનાદિ પૂર્વક કામક્રીડા કરતું જોઈને તેણે વિચાર્યું કે “પતિથી વિયોગ પામેલી મને ધિક્કાર છે! અહો ! આ પક્ષીઓ પણ પ્રશંસા કરવા લાયક છે કે જેઓ સાથે રહીને નિરંતર ક્રિીડા કરે છે. અહો ! શ્રી જિનેશ્વરોએ આનો સર્વથા નિષેધ કેમ કર્યો હશે? જરૂર શ્રી જિનેન્દ્રો અવેદી હોવાથી વેદોદયના વિપાકથી અજાણ્યા હોવા જોઈએ.” આવા વિચારથી તેણે જિનેશ્વરમાં અજ્ઞાનદોષ પ્રકટ કર્યો અને દાંપત્યસુખની પ્રશંસા કરી. પછી તરત જ પોતાનું સાધ્વીપણું યાદ આવવાથી તે પોતાને નિંદવા લાગી કે “અરેરે ! મેં મારું વત ફોગટ ખંડિત કર્યું ! આ પાપનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે જઈને લઉં.” એમ નિર્ણય કરતાં વળી વિચાર આવ્યો કે “હું બાલ્યાવસ્થાથી જ શીલવતને પાળનારી રાજપુત્રી છે. તથા સર્વ લોકની સમક્ષ આ નિંદવા લાયક દુષ્કર્મનું શી રીતે પ્રાયશ્ચિત્ત લઈ શકે! તેમ કરવાથી તો મારી આજ સુધીની જે શીલ પ્રશંસા છે તે નષ્ટ થાય, માટે અન્યની સાક્ષીનું શું કામ છે? આત્માની સાક્ષીએ જે કરવું તે જ પ્રમાણ છે” ઈત્યાદિ વિચાર કરીને તે સાધ્વીએ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધા સિવાય પોતાની મેળે જ પ્રાયશ્ચિત્ત તરીકે છ8, અટ્ટમ, દશમ, આયંબિલ, નીવિ વગેરે અનેક તપસ્યાઓ ચૌદ વર્ષ પર્યત કરી; સોળ વર્ષ સુધી માસક્ષપણ કર્યા અને વશ વર્ષ સુધી સતત આયંબિલ કર્યા. એકદા તેણે વિચાર્યું કે “મેં આટલી બધી તપસ્યા કરી, પણ તેનું સાક્ષાત્ ફળ તો મેં કાંઈ જોયું નહીં.” ઈત્યાદિ આર્તધ્યાન કરતાં તે મૃત્યુ પામીને એક વેશ્યાને ઘેર અતિ રૂપવતી દાસી થઈ. તેનું રૂપ જોઈને સર્વ કામી પુરુષો તેને જ ઈચ્છવા લાગ્યા. પોતાની પુત્રીને જોયા છતાં પણ તેની કોઈ ઈચ્છા કરતું નથી, એમ જોઈને અક્કા રોષ પામીને વિચારવા લાગી કે “આ રૂપવતી દાસીના કાન, નાક અને હોઠ કાપી નાંખવા યોગ્ય છે.” Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૯ તે જ રાત્રિએ કોઈ વ્યંતર દેવતાએ તે દાસીને ઊંઘમાં અક્કાના વિચારનું સ્વપ્ન આપ્યું, તેથી ભય પામીને તે દાસી પ્રાતઃકાળે ત્યાંથી ભાગી. ભમતાં-ભમતાં છ માસ વ્યતીત થયા ત્યારે કોઈ ગૃહસ્થના પુત્રે તેને પોતાના ઘરમાં રાખી. એકદા તે શ્રેષ્ઠિની પત્નીને ઈર્ષ્યા આવવાથી તેણે ક્રોધ વડે તે દાસી ઊંઘી ગઈ હતી ત્યારે તેના ગુહ્યસ્થાનમાં લોઢાની કોશ નાંખી, તેથી તે દાસી મૃત્યુ પામી. શેઠાણીએ તેના શરીરના ટુકડે ટુકડા કરીને ગીધ વગેરે પક્ષીઓને ખવરાવી દીધા. શ્રેષ્ઠિએ તે વૃત્તાંત જાણ્યું એટલે વૈરાગ્ય પામીને તરત જ ચારિત્ર લીધું. તે દાસી ઘણા ભવમાં ભ્રમણ કરીને નરદેવ (ચક્રવર્તી)નું સ્ત્રીરત્ન થઈ ત્યાંથી મરીને છઠ્ઠી નરકમાં ગઈ, ત્યાંથી શ્વાનયોનિમાં ઉપજી. અનેકવાર મરણ પામીને નિર્ધન બ્રાહ્મણપણું પામી. પછી અનુક્રમે વ્યન્તરપણું, બ્રાહ્મણપણું, નરકે ગમન, સાત ભવ સુધી પાડો, મનુષ્ય, માછલી અને અનાર્ય દેશમાં સ્ત્રીપણું પામી, મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી કુષ્ટિ મનુષ્ય થઈ. પછી પશુ અને સર્પ યોનિમાં ઉત્પન્ન થઈ. મરીને પાંચમી નરકે ગઈ. ઈત્યાદિ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને તે લક્ષ્મણાનો જીવ પદ્મનાભસ્વામીના વારામાં કોઈક ગામમાં કુબડી સ્રી થશે. તેને તેના મા-બાપ અવિનીતપણાને લીધે ઘરમાંથી કાઢી મૂકશે. પછી તેને અરણ્યમાં ભ્રમણ કરતાં કાંઈક પુણ્યોદયથી શ્રી પદ્મનાભપ્રભુના દર્શન થશે, ત્યાં તે પોતાના કર્મવિપાકનો પ્રશ્ન ક૨શે, ત્યારે પ્રભુ સર્વ વૃત્તાન્ત કહેશે. તે સાંભળીને તે કુબ્જા વૈરાગ્ય પામી દીક્ષા લેશે. પછી પૂર્વનાં સર્વ દુષ્કૃતોની આલોચના-પ્રતિક્રમણા કરીને સમાધિ વડે કેવળજ્ઞાન પામી સિદ્ધિપદને પામશે.” ઈતિ લક્ષ્મણા સાધ્વી પ્રબંધઃ આ પ્રમાણે શીલસન્નાહ મુનિએ કહેલો વૃત્તાંત સાંભળ્યા છતાં પણ રૂપી સાધ્વી બોલી કે “હે ગુરુ મારામાં કાંઈ પણ શલ્ય નથી.” આ પ્રમાણે કહેવાથી તેણે માયા વડે ફરીને પણ સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. ગુરુએ તેને અયોગ્ય જાણીને સંલેખના ન કરાવી અને પોતે એક માસની સંલેખના કરી, કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. રૂપી સાધ્વી વિરાધક ભાવે મૃત્યુ પામી વિદ્યુકુમાર નિકાયમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને શ્યામ અંગવાળી અને કામવાસનાથી વિહ્વળ એવી કોઈ બ્રાહ્મણની પુત્રી થઈ, ત્યાંથી નરકમાં ગઈ, ત્યાંથી નીકળી તિર્યંચ થઈ. એવી રીતે ત્રણે ઉણા લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને મનુષ્યભવ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કરી સાધુપણાના ગુણને પામી; પરંતુ પૂર્વની માયાને લીધે ત્યાંથી કાળ કરીને ઈન્દ્રની અગ્રમહિષી (ઈન્દ્રાણી) થઈ. ત્યાંથી ચ્યવીને તે ગોવિંદની સ્ત્રી થઈ અને આ ભવમાં ચારિત્ર પામીને મોક્ષે ગઈ.” ઈતિ રૂપી શ્રમણી સંબંધઃ ૧. પ્રથમની હકીકત સાથે મેળવતાં અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે જશે એમ ઘટમાન લાગે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ હવે પેલી સુજસિરિ ગોવિંદના ઘરમાં રહેતી હતી ત્યાંથી તેને લોભ પમાડીને એક આભીરી પોતાને ઘેર લઈ ગઈ. ત્યાં દૂધ, દહીં વગેરે ખાઈને તે મનોહર રૂપવાળી થઈ. તેનો પિતા જે સુજ્જશિવ હતો તે મનુષ્ય અને પશુનો ક્રયવિક્રય કરવા વડે પાંચ મહોર મેળવી ફરતો-ફરતો એકદા રાત્રિ રહેવા માટે તે આભીરીને ઘેર આવ્યો. ત્યાં પોતાની પુત્રી સુજસિરિના રૂપથી મોહ પામીને ઘણા દ્રવ્યનો વ્યય કરી તેને પરણ્યો. એકદા બે સાધુને જોઈને સુજસિરિના નેત્રમાં જળ ભરાયું. તેનું કારણ તેના પતિએ પૂછયું ત્યારે તે બોલી કે “મારા સ્વામી ગોવિંદની પત્ની આવા ઘણા સાધુઓને પ્રતિભાભીને પંચાંગ નમસ્કાર કરતી હતી, તેનું સ્મરણ થવાથી મને શોક થાય છે.” તે સાંભળીને સુજ્જશિવે તેને પોતાની પુત્રી તરીકે ઓળખી અને તેણે પણ પોતાના પિતા તરીકે સુજ્જશિવને ઓળખ્યો. તેથી તે બને લજ્જિત થયા. પછી તે બન્ને અગ્નિમાં બળી મરવાનો નિશ્ચય કરી ચિતા ખડકીને તેમાં પેઠા, પણ કાષ્ઠ નિર્દાહક જાતિના હોવાથી અગ્નિ પણ બૂઝાઈ ગયો. લોકોએ તેમનો અત્યંત તિરસ્કાર કર્યો, એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. અનુક્રમે એક મુનિ મળ્યા, એટલે તેની પાસે સુજ્જશિવે દીક્ષા લીધી. સુજસિરિ ગર્ભવતી હતી, તેથી તેને દીક્ષા આપી નહીં. પછી તે ગર્ભના દુઃખથી વિચાર કરવા લાગી કે “આ ગર્ભને વિવિધ પ્રકારના ક્ષારાદિકના ઉપાયથી પાડી નાંખું.” ઈત્યાદિ રૌદ્રધ્યાન કરતી સતી પ્રસવની વેદનાથી મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ. તેના ગર્ભથી નવા જન્મેલા પુત્રને કોઈ કૂતરાએ મુખમાં લઈને એક કુંભારના ચક્ર ઉપર મૂક્યો. કુંભારે તેને પુત્ર તરીકે રાખ્યો. સુસઢ તેનું નામ પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. એકદા તે સુસઢ મુનિના ઉપદેશથી બોધ પામી દીક્ષા ગ્રહણ કરી; પરંતુ જપતપાદિમાં તેમજ વ્રતનું આચરણ કરવામાં ને ક્રિયામાં શિથિલાચારી થયો. ગુરુએ તેને ઘણો ઉપદેશ આપ્યો તો પણ તેણે શિથિલપણું છોડ્યું નહીં. છેવટ તે કાળ કરીને પહેલા દેવલોકમાં સામાનિક દેવતા થયો. ત્યાંથી અવીને તે ભરતક્ષેત્રમાં વાસુદેવ થશે. ત્યાંથી સાતમી નરકે જઈને હાથી થશે, ત્યાંથી અનન્તકાયમાં ઉત્પન્ન થશે. ઈત્યાદિ બહુ કાળ સુધી ભમીને અત્તે તે સિદ્ધિપદને પામશે.” આ સુસઢની કથા નિશીથસૂત્રમાં કહેલી છે, તે અહીં ટુંકામાં પ્રસંગે કહેવામાં આવી છે. “ઉત્તમ જીવે આલોચના લેતી વખતે નિરંતર કુટિલપણાનો અવશ્ય ત્યાગ કરવો. આગમના અર્થને જાણનાર પુરુષોએ આલોચના દેવી તેમ જ લેવી, કેમકે આલોચનાની ઈચ્છા માત્ર પણ શુભ ફળદાયક છે.” ૧. બળે સળગે નહિ એવી જાતના. Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૯૨ આઠમું વિનય તપા चतुर्धा विनयः प्रोक्तः, सम्यग्ज्ञानादिभेदतः । धर्मकार्ये नरः सोऽर्हः, विनयाह्वतपोऽञ्चितः ॥१॥ ભાવાર્થ :- “સમ્યગુ જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનય કહેલો છે. તે વિનય નામના તપથી યુક્ત પુરુષ ધર્મકાર્યને વિષે યોગ્ય છે.” જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનય છે, તે આ પ્રમાણે-બહુમાનપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, તેનો અભ્યાસ કરવો, સ્મરણ કરવું ઈત્યાદિ જ્ઞાનવિનય કહેવાય છે. (૧) આહાર નિહાર વગેરે ક્રિયા કરતાં મૌન ધારણ કરવું તે પણ જ્ઞાનવિનય છે. (૨) સામાયિક વગેરે સકળ પ્રવચન શ્રી જિનેશ્વરપ્રણીત હોવાથી તેમાં કોઈપણ જાતનો વિસંવાદ નથી, તેથી યથાર્થ વસ્તુતત્ત્વની પ્રતીતિમાં નિશંક થવું તે દર્શનવિનય કહેવાય છે. (૩) ચારિત્રનું શ્રદ્ધાન કરવું, તેનું સમ્યફ પ્રકારે આરાધન કરવું, અન્યની પાસે ચારિત્રના ગુણોની સ્તવના કરવી અને ચારિત્રનું સ્વરૂપ કહી બતાવવું એ વગેરે ચારિત્રવિનય કહેવાય છે. (૪) આચાર્ય વગેરે ગુરુનું પ્રત્યક્ષ દર્શન થાય એટલે તરત જ ઉભા થવું, તેમની સન્મુખ જવું, હાથ જોડવા વગેરે વિનય કરવો અને તેમની ગેરહાજરી હોય ત્યારે પણ મન, વચન અને કાયાના યોગે કરીને પગે લાગવું અને તેમના ગુણનું કીર્તન તથા વારંવાર સ્મરણાદિ કરવું તે ઉપચારવિનય કહેવાય છે. આ સંબંધમાં પાંચ કળશી ભારવાહકની કથા છે; તે આ પ્રમાણે : પંચાખ્ય ભારવાહક કથા કોઈ એક ગામમાં ભાર વહન કરનારા પાંચસો મજૂર રહેતા હતા. તેમાં એક મુખ્ય હતો. તે પાંચ કળશી અનાજનો ભાર ઉપાડતો હતો. તેનામાં એવો લોકોત્તર ગુણ જોઈને રાજાએ તેના પર કૃપા કરીને વર આપ્યો કે “જ્યારે તું ભાર ઉપાડીને માર્ગમાં ચાલે ત્યારે તારી સામે જો રથ, ઘોડા, ગાડાં, સૈન્ય અને હાથી વગેરે આવતા હોય તો તેને જોઈને તારે તારો સ્વીકાર કરેલો માર્ગ છોડીને આવું-પાછું જવું નહીં, કેમકે ભારથી પીડાયેલા પ્રાણીને ચાલતો માર્ગ છોડવો અતિ દુષ્કર છે. હું પણ તને દૂરથી જોઈને માર્ગ આપીશ, તેથી તારે મારો પણ ભય રાખવો નહીં. તો પછી બીજાનો ભય તો શા માટે જ હોય ? આ મારી આજ્ઞાનો કોઈ લોપ કરશે તેને હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે આજ્ઞા મળવાથી તે મજૂર ઈચ્છા મુજબ માર્ગમાં ચાલતો હતો. તેને આવતો જોઈને સર્વ કોઈ તેને માર્ગ આપતા હતા, પણ તેના પર કોઈ રોષ કરતું નહોતું. એકદા તે ભાર ઉપાડીને માર્ગમાં જતો હતો, તેવામાં તેની સામે કોઈ સાધુને આવતા તેણે જોયા. તેને જોઈને તે Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૩૨ મજૂરે વિચાર કર્યો કે “મારો ભાર તો ગમે તેટલો પણ પરિમિત છે, અને આ મુનિએ ધારણ કરેલ પાંચ મહાવ્રતરૂપી ભાર તો અપરિમિત છે, તે કોઈનાથી કળી શકાતો નથી; તેટલો બધો ભાર ઉપાડીને તે ચાલે છે, તેથી એમની પાસે મારું પરાક્રમ નિરર્થક છે.” એમ વિચારીને તેણે મુનિને રસ્તો આપ્યો. એ આઘો ખસ્યો એટલે તેની પાછળના સર્વે મજુરોને પણ ખસવું પડ્યું, તેથી તેઓ રોષ પામીને બોલ્યા કે “તેં રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું” પછી તેઓએ રાજાને જાહેર કર્યું. રાજાએ તેને બોલાવીને પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હે દેવ ! આપની આશા જરા પણ મેં ખંડિત કરી નથી.” રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે ફરીથી બોલ્યો કે “હે રાજા ! મારા કરતાં આ મુનિનો ભાર અધિક છે, તેથી હું બાજુ પર ખસ્યો છું.” રાજાએ પૂછ્યું કે “તેના પર શો ભાર છે?” તે બોલ્યો કે “હે સ્વામી ! મેરુપર્વત કરતાં પણ અધિક ભારવાળા પાંચ મહાવ્રતો કે જેને વહન ક૨વાને હું અસમર્થ છું અને આ મુનિ તો તે ભારનું વહન કરે છે અને તેમાં નેત્રસ્ફુરણ જેટલો કાળ પણ પ્રમાદ કરતા નથી. હું તો માત્ર બહારનો ભાર ઉપાડું છું અને ઈર્યાદિ સમિતિ રહિત હોવાથી અનેક જીવોનું ઉપમર્દન કરીને અનેક ભવોથી પણ દુર્મોચ્ય એવા પાપના સમૂહને વૃદ્ધિ પમાડું છું. પ્રથમ મેં પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી, પરંતુ પાંચ મહાવ્રતના ભારને વહન કરવામાં અશક્ત થવાથી પ્રવ્રજ્યાનો મેં ત્યાગ કર્યો. આ પાંચ કળશીનો ભાર તો હું સહેજે ઉપાડી શકું છું, પણ પ્રથમ સ્વીકાર કરેલા પાંચ મહાવ્રતરૂપી અત્યંતર ભાર ઉપાડી શકતો નથી, માટે હું માર્ગમાંથી આઘો ખસ્યો તે મેં યુક્ત કર્યું છે.” भक्तिभरा नमस्यन्ति, इन्द्रादयो गतस्मयाः । महाव्रतभराकीर्णान्, तदग्रेऽहं कियन्मितः ॥१॥ ભાવાર્થ :- “હે રાજા ! મહાવ્રતરૂપી ભારને વહન કરનારા મુનિઓને ભક્તિથી ભરપૂર ઈન્દ્રાદિક પણ ગર્વરહિત થઈને નમસ્કાર કરે છે, તો તેવા મુનિની પાસે હું કોણ માત્ર છું ?” વળી હે રાજા ! આ મુનિ પાંચ મહાવ્રતોમાંના દરેકને પાંચ પાંચ ભાવના વડે નિરંતર નિર્મળ કરે છે. તેમાં પહેલા પ્રાણાતિપાત વિરમણ નામના વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે. યતઃ પ્રવચનસારોદ્વારે इरियासमिए तहा सया जए, उवेह भुंजेज्ज व पाणभोयणं । आयाणनिक्खेव दुर्गुच्छ संजए, समाहिए संजयए मणोवई ॥ १ ॥ શબ્દાર્થ :- “ઈર્યાસમિતિવાળા તથા સર્વદા જોઈને પાન ભોજન કરનારા (એષણા સમિતિવાળા), આદાન-નિક્ષેપ અને જુગુપ્સા કરનારા, તથા સમાહિત થઈ તે મનને અને વચનને નિયમમાં રાખનારા યતિ પહેલા વ્રતની પાંચ ભાવના ભાવે છે.’ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ munos વિસ્તરાર્થ - ઈર્યા એટલે ગમન કરવું તે, તેમાં સમિત એટલે ઉપયોગ રાખનાર, સમસ્ત જીવોની હિંસાના ત્યાગને માટે ઈર્યાસમિત થવું તે પહેલી ભાવના, તથા સર્વદા સારી રીતે ઉપયોગ રાખીને ઈક્ષણપૂર્વક (જોઈને) પાન અને ભોજન ગ્રહણ કરવું અથવા વાપરવું એ બીજી ભાવના, આદાન-નિક્ષેપ એટલે પાત્રાદિક પ્રમાર્જના-પૂર્વક ગ્રહણ કરવા અથવા મૂકવાં તે, તથા આગમમાં જેનો નિષેધ કર્યો હોય તેની જુગુપ્સા (નિંદા) કરે, પોતે ન આચરે તે ત્રીજી ભાવના તથા સાધુ સમાહિત એટલે સાવધાન થઈને મનને દૂષણ રહિત પ્રવર્તાવે, કેમકે મન દૂષણવાળું હોય તો કાયલીનતા વગેરે કર્યા છતાં પણ તે કર્મબંધ માટે થાય છે. પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિએ મનોગુપ્તિ રાખી નહીં તેથી કાયા વડે હિંસા નહીં કર્યા છતાં પણ મનથી સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું એમ સંભળાય છે, માટે મનને નિયમમાં રાખવું એ ચોથી ભાવના, તેવી જ રીતે વાણી પણ દૂષણ રહિત બોલવી કે જેથી હિંસા થાય નહીં, તે પાંચમી ભાવના. બીજા અસત્યવિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે - अहस्स सच्चे अणुवीय भासए, जे कोह लोहं भयमेव वज्जए । से दीहरायं समुपेहिया सया, मुणी हु मोसं पडिवज्जए सिया ॥२॥ શબ્દાર્થ:- “જે હાસ્ય રહિત સત્ય બોલે, વિચારીને બોલે તથા ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે તે મુનિ દીર્ધરાત્રને સદા જુએ છે, માટે મુનિએ સર્વદા અસત્યનો ત્યાગ કરવો.” વિસ્તરાર્થ:- હાસ્યનો ત્યાગ કરીને સત્યવાણી બોલવી, કેમકે હાસ્યથી કદાચ અસત્ય પણ બોલાય છે તે પહેલી ભાવના (૧). વિચારોને એટલે સમ્યગુ જ્ઞાનપૂર્વક વિચાર કરીને બોલવું, વગર વિચારે બોલનાર કોઈ વાર અસત્ય પણ બોલી જાય છે અને તેથી પોતાને વેર, પીડા વગેરે પ્રાપ્ત થાય છે, તથા જીવહિંસા પણ થાય છે તે બીજી ભાવના (૨) તથા જે ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે તે મુનિ દીર્ધરાત્ર એટલે મોક્ષને પોતાની સમીપે જુએ છે; માટે હંમેશા અસત્યનો ત્યાગ કરવો. ક્રોધાદિક ત્યાગ કરવાનું તાત્પર્ય એ છે કે - ક્રોધને આધીન થયેલો માણસ જયારે બોલે છે ત્યારે તેને સ્વપરની અપેક્ષા રહેતી નથી, તેથી તે જેમ તેમ બોલતાં અસત્ય પણ બોલે છે, માટે તેનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે (૩). લોભને આધીન થયેલો માણસ પણ અત્યંત ધનના લોભથી ખોટી સાક્ષી પૂરવા વગેરેથી અસત્ય બોલે છે, માટે તેનો ત્યાગ કરવો (૪). તથા ભયભીત માણસ પોતાના પ્રાણાદિકનું રક્ષણ કરવાની ઈચ્છાથી સત્યવાદીપણાનો ત્યાગ કરે છે, માટે પોતાના આત્મામાં નિરંતર નિર્ભયતા ધારણ કરવી (૫). ૧. ક્રોધાદિકના ત્યાગની ત્રણ ભાવના મળીને પાંચ થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે सयमेव उग्गह जायणे घडे, मइमं निसम्म स भिक्खु उग्गहं । अन्नविय भुंजिय पाणभोयणं, जाइत्ता साइंमियाण उग्गहं ॥३॥ - શબ્દાર્થ ઃ- “સાધુ પોતાની જાતે જ 'અવગ્રહની યાચના કરે, પછી મતિમાન એવો તે સાધુ (યોગ્ય) ચેષ્ટા કરે, અવગ્રહની આજ્ઞા સાંભળીને તેમાં રહે, પાન અને ભોજન આજ્ઞા લઈને કરે, તથા સાધર્મિક પાસે અવગ્રહની યાચના કરીને નિવાસ કરે.” વિસ્તરાર્થ :- બીજાની સાથે કહેવડાવ્યા વિના પોતે જ સાધુ ભગવંતની આજ્ઞા પ્રમાણે ઈન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધર્મિકના ભેદવાળા પાંચ પ્રકારના અવગ્રહની યાચના કરે, અન્ય માણસ પાસે યાચના ન કરાવે, કારણ કે જે સ્વામી ન હોય તેની પાસે યાચના કરી હોય ને ખરા સ્વામી પાસે યાચના ન કરી હોય તો પરસ્પર વિરોધાદિક દોષો પ્રાપ્ત થાય છે (૧). પછી તે આજ્ઞા લીધેલા અવગ્રહમાં તૃણાદિક ગ્રહણ કરવા માટે મતિમાન સાધુ ચેષ્ટા એટલે યત્ન કરે, અર્થાત્ અવગ્રહ આપનારનું આજ્ઞાવચન સાંભળીને તૃણાદિક પણ વાપરે, આજ્ઞા વિના વાપરે તો અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય (૨). તથા સાધુ સર્વદા અવગ્રહની સ્પષ્ટ મર્યાદાપૂર્વક યાચના કરે, અર્થાત્ સ્વામીએ એકવાર અવગ્રહ આપ્યા છતાં પણ વારંવાર મારું વગેરે પરઠવવાના કાર્યમાં અવગ્રહની યાચના કરે (૩). ગુરુ વગેરેની આજ્ઞા લઈને પાન-ભોજન વગેરે વાપરે, અર્થાત્ જે કાંઈ ચીજ વાપરવી તે સર્વ ગુરુની આજ્ઞાપૂર્વક જ વાપરવી જોઈએ, નહિ તો અદત્ત ભોગવ્યાનો દોષ લાગે છે (૪). સરખા ધર્મનું જે આચરણ કરે તે સાધર્મિક કહેવાય છે, અર્થાત્ એક જ શાસનમાં વર્તનારા સંવેગી સાધુઓએ પ્રથમથી તે સ્થાન યાચનાપૂર્વક ગ્રહણ કરેલું હોય તે તેમની પાસેથી માસ વગેરે અવધિનું તથા પંચકોશાદિ ક્ષેત્રનું માન કરીને રહેવા માટે માગી લેવું, તેમની આજ્ઞાથી જ ઉપાશ્રય વગેરે સર્વ ગ્રહણ કરવું, નહિ તો અદત્તનો ભાંગો લાગે છે. હવે ચોથા બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે ઃ आहारगुत्ते अविभूसियप्पा, इत्थि न निज्झाय न संथवेज्जा । बुद्धे मुणी खुद्दकहं न कुज्जा, धम्माणुपेही बंभचेर संध ॥४॥ ભાવાર્થ :- “આહારની ગુપ્તિ કરે, પોતાના દેહને અવિભૂષિત રાખે, સ્ત્રીને જુએ નહીં, સ્ત્રીની પ્રશંસા અથવા પરિચય કરે નહીં અને બુદ્ધિમાન મુનિ ક્ષુદ્રકથા કરે નહીં, તો તે ધર્માનુપ્રેક્ષી મુનિ બ્રહ્મચર્યને બરાબર ધારણ કરે છે એમ જાણવું.” વિસ્તરાર્થ ઃ- આહારની ગુપ્તિ રાખવી, એટલે સ્નિગ્ધ ભોજન કરવું નહીં. તેમજ અતિમાત્ર ભોજન કરવું નહીં, કેમકે તેથી ધાતુ પુષ્ટ થવાથી વેદનો ઉદય થાય અને તેથી કરીને કદાચ બ્રહ્મચર્યનું ખંડન પણ થાય (૧). અવિભૂષિતાત્મા એટલે શરીરને સ્નાન વિલેપન વગેરે વિવિધ ૧. ઉપાશ્રય વગેરેની. Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પ્રકારની વિભૂષાથી રહિત રાખવું (૨). સ્ત્રીને અને તેના અંગોપાંગોને પણ જોવાં નહીં (૩). સ્ત્રીની પ્રશંસા કરવી નહીં, તથા તેનો પરિચય પણ કરવો નહીં (૪). તથા બુદ્ધિમાન એટલે તત્ત્વને જાણનાર મુનિએ શુદ્ર એટલે અપ્રશસ્ય એવી સ્ત્રીકથા કરવી નહીં (૫). આ પાંચ ભાવનાથી જેનું અંતઃકરણ ભાવિત થયું છે, એવો ધર્માનુપ્રેક્ષી એટલે ધર્મના આસેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને ધારણ કરે છે, અર્થાત્ તે વ્રતને પુષ્ટ કરે છે. પાંચમા મહાવ્રતની ભાવના આ પ્રમાણે છે : जे सद्दरूवरसगंधमायए, फासे य संपप्पमणुण्णपावए । गेही पउसं न करेज्ज पंडिए, से होइ दंते विरए अकिंचणे ॥५॥ શબ્દાર્થ - “જે સાધુ મનોજ્ઞ ને અમનોજ્ઞ એવા આગંતુક શબ્દ, રૂપ, રસ અને ગબ્ધ એ ચાર તથા સ્પર્શ મળી પાંચ પ્રકારના ઈન્દ્રિયના વિષયોને પામીને તેના પર ગૃદ્ધિ કે પ્રષ કરે નહીં તે પંડિત, જિતેન્દ્રિય ને સર્વ સાવધ કર્મથી વિરક્ત એવો સાધુ અકિંચન એટલે પરિગ્રહ રહિત કહેવાય છે.” ભાવાર્થ - “જે સાધુ શબ્દ, રૂપ, રસ, ગંધ એ ચાર પ્રકારના ભાવતા એવા ઈન્દ્રિયના વિષયો પ્રત્યે તેમજ સ્પર્શ પ્રત્યે-મનોજ્ઞ અને અમનોજ્ઞ-ઈષ્ટ અને અનિષ્ટ એવાને પામીને તેના પર ગૃદ્ધિ તે મૂછ અને પ્રદ્વેષ તે દ્વેષ યથાક્રમે ન કરે, અર્થાત્ ઈષ્ટ વિષયોને પામીને ગૃદ્ધિ ન કરે અને અનિષ્ટને પામીને દ્વેષ ન કરે તે મુનિ દાંત, જિતેન્દ્રિય, સર્વસાવદ્ય યોગથી વિરત અને અકિંચનનિષ્પરિગ્રહી થાય છે. પાંચ પ્રકારના વિષયો સંબંધી અભિવૃંગ ને પ્રàષ એટલે રાગ અને દ્વેષ તજી દેવો એ પાંચમા વ્રતની પાંચ ભાવના જાણવી. આ પ્રમાણે દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ મળીને પચીશ ભાવના જાણવી. ઈત્યાદિ અનેક યુક્તિથી મહાવ્રતનો ભાર ઉપાડવો દુષ્કર છે. પંચાગ નામના મજુર પાસેથી આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજા બોલ્યો કે “હે પંચાખે ! તું મહા પરાક્રમી છે, આટલો પાંચ કળશીનો મોટો ભાર વહન કરે છે, મહાકષ્ટનો અનુભવ કરે છે, છતાં તે પંચમહાવ્રતનો ત્યાગ શા માટે કર્યો? કેમકે તેમાં કાંઈ ભાર નથી, આ વ્રત તો સુખેથી નિર્વાહ થઈ શકે તેવાં છે, મને તો તેમાં કાંઈ પણ દુષ્કર જણાતું નથી.” તે સાંભળીને પંચાગ બોલ્યો કે “હે સ્વામી! આપે ઘણીવાર ઈન્દ્રિયોને યોગ્ય એવા વિષયો ભોગવ્યા છે, હવે આપના પુત્રને રાજ્ય સોંપીને મુનિને યોગ્ય એવું સંયમ એક જ દિવસને માટે અંગીકાર કરો, અને તેને યોગ્ય ક્રિયાનુષ્ઠાન કરો.” આ પ્રમાણેનાં પંચાગના વચનથી તે અભિમાની રાજા વ્રતને માટે ઉદ્યમી થયો. તે વાત જાણીને તેની રાણીઓ બોલી કે “હે પ્રાણનાથ ! અમે તમારું પડખું એક ક્ષણ પણ છોડશું નહીં, તમારા વિના અમે કોઈપણ વસ્તુથી રતિ પામશું નહીં. વળી મનોહરરમણિક કામિનીના ભોગને યોગ્ય એવું આ તમારું શરીર અંત, પ્રાંત અને તુચ્છ આહારાદિક Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ બાવીશ પ્રકારના પરીષહો સહેવાથી નાશ પામશે. તે વખતે પછી તમને નિરંતર પશ્ચાત્તાપ થશે, કેમકે દુઃખ ભોગવવું તે સહેલું નથી. હે નાથ! જો કે હમણાં તમે નિઃસ્પૃહ અને ત્રિકાળ પરવસ્તુને નહિ ઈચ્છનારા એવા મુનિના ગુણોને તિરસ્કાર કરવા માટે અહંકારને લીધે આ કાર્ય કરવા ઈચ્છો છો, પણ તે યુક્ત નથી, કેમકે તે કાર્ય તો સમગ્ર પ્રકારના દર્પ, દંભ અને ગર્વથી રહિત એવા પુરુષો જ કરી શકે છે.” ઈત્યાદિ સાંભળીને રાજા બોલ્યો કે - “અહો ! આ અતિદુષ્કર કાર્ય મેં અજ્ઞાનથી જ ચિંતવ્યું. કેમકે જયારે સર્વથા નિરાશાભાવ પ્રાપ્ત થાય છે, ત્યારે જ તે વ્રતને યોગ્ય સ્વભાવ (આત્મભાવ) પ્રગટ થાય છે.” પછી રાજાએ તે ભારવાહક મુખ્યને કહ્યું કે “સમસ્ત પુદ્ગલની આશા રહિત એવું મુનિપણું અતૃપ્ત જીવોને એક દિવસ પણ ફરસી શકતું નથી.” પંચાખ્ય બોલ્યો કે “હે રાજા ! તે મુનિએ યૌવન અવસ્થા છતાં પણ પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું કાંચન, કામિની અને રાજ્યનું સુખ તૃણ માત્રની જેમ છોડી દઈને જીવનપર્યત સંયમનો ભાર વહન કરવાનું સ્વીકાર્યું છે અને તે જ પ્રમાણે તે છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પાલન કરશે. મેં પણ શ્રી મુમુક્ષુ (તીર્થકર) પ્રણીત સ્યાદ્વાદયુક્ત આગમનાં વચનોને સાંભળીને મહાવ્રત ગ્રહણ કર્યા હતાં, પરંતુ હું તો તેમાં નપુંસક બળદ જેવો થઈ ગયો. હાથીનો ભાર તો હાથી જ ઉપાડી શકે; ગધેડો ઉપાડી શકે નહીં. વળી વિશ્વમાં આ સમગ્ર પૃથ્વી, સમુદ્ર, પર્વત અને વૃક્ષો વગેરેનો ભાર ઉપાડવામાં સમર્થ એવા કેટલાક પુરુષોને સાંભળીએ છીએ પણ આ મહાવ્રતનો ભાર વહન કરવામાં તો તે ક્ષમાવાન મુનિ જ સમર્થ છે એમ હું માનું છું, તે માટે જ હે રાજન્ ! હું માર્ગમાં તેમને વિનયથી નમ્યો છું, તથા તેમની પ્રશંસા પણ તેટલા માટે જ કરી છે.” આ પ્રમાણે પંચાગનાં વચનો સાંભળીને રાજા વગેરે સર્વ જૈન મુનિનો વિનય કરવામાં તત્પર થયા અને પંચાખની આવી બુદ્ધિથી રંજિત થયેલા રાજાએ તેને સેવક કરીને રાખ્યો અને તેની પાસે ધર્મકથા શ્રવણ કરવા લાગ્યો. - “આ ભારવાહકે જો કે દુઃખે ધારણ કરી શકાય તેવા ચારિત્રના ગુણોનો ત્યાગ કર્યો હતો, તો પણ તેણે રાજાદિકને ધર્મના રાગી કર્યા. તેનું કારણ એ કે સર્વ ગુણોના મોટા ભાઈ સમાન વિનયગુણને તેણે છોડ્યો નહોતો અને તે જ ગુણથી તે પરિણામે સર્વોત્તમપણું પામશે.” ૨૯૩. પુનઃ વિનયનું જ વર્ણન કરે છે बाह्याभ्यन्तरभेदाभ्यां, द्विविधो विनयः स्मृतः । तदेकैकोऽपि द्विभेदो, लोकलोकोत्तरात्मकः ॥१॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ભાવાર્થ - “બાહ્ય તથા અભ્યતર ભેદ વડે વિનય બે પ્રકારનો કહેલો છે. તે બાહ્ય તથા અત્યંતરના પણ લોક અને લોકોત્તર એવા બે બે ભેદ છે.” વંદન કરવું, વચનથી સ્તુતિ કરવી, ઉભા થવું, સન્મુખ જવું એ વગેરે બાહ્ય વિનય કહેવાય છે અને અન્તઃકરણથી વંદનાદિક કરવું, તે અત્યંતર વિનય કહેવાય છે. આ બે પ્રકારના વિનયના ચાર ભાંગા થઈ શકે છે. તે આ પ્રમાણે - કોઈક પ્રાણી માત્ર બાહ્ય વિનય દેખાડે છે, પણ અભ્યત્તર વિનય હોતો નથી. શીતલાચાર્યની જેમ (૧). કોઈ પ્રાણી અભ્યત્તર વિનય કરે છે, પણ બાહ્ય વિનય કરતો નથી; સાતમા દેવલોકના દેવતાની જેમ. તે વિષે પાંચમા અંગમાં કહ્યું છે કે સાતમા દેવલોકના દેવોએ શ્રી મહાવીર સ્વામીને ભાવથી વંદન કરીને મન વડે જ પ્રશ્ન કર્યો. તેથી પ્રભુએ પણ “મારા સાતસો શિષ્યો મોક્ષ પામશે એવો ઉત્તર આપ્યો. તે વખતે સંદેહ ઉત્પન્ન થવાથી ગૌતમ વગેરે મુનિઓએ સ્વામીને પૂછ્યું કે “હે ભગવન્! આ દેવોએ બાહ્ય વિનય કેમ ન કર્યો ?' ત્યારે પ્રભુએ આન્તર ભક્તિથી પૂછેલા પ્રશ્નાદિકનું સર્વ વૃત્તાન્ત કહ્યું, તે સાંભળીને તેઓ વિસ્મય પામ્યા (૨). કોઈક પ્રાણી અતિમુક્તક ઋષિની જેમ બન્ને પ્રકારનો વિનય કરે છે (૩). તથા કોઈ પ્રાણી ગોષ્ઠામાહિલ્લ અને મંખલીપુત્ર વગેરેની જેમ બેમાંથી એકેય પ્રકારનો વિનય કરતા નથી (૪). આ બન્ને પ્રકારના વિનય લૌકિક તથા લોકોત્તર ભેદે કરીને બે બે પ્રકારના છે. તેમાં પિતા વગેરેને વિષે બાહ્ય વિનય કરવો તે લૌકિક બાહ્ય વિનય કહેવાય છે અને તે પિતા વગેરેને વિષે આત્તર પ્રીતિથી વંદન, અભ્યત્થાનાદિક કરવાં, તે લૌકિક અભ્યત્તર વિનય કહેવાય છે. લોકોત્તર એવા જૈન માર્ગમાં રહેલા આચાર્યાદિકનો અભ્યસ્થાનાદિક બાહ્ય વિનય કરવો, તે લોકોત્તર બાહ્ય વિનય કહેવાય છે તથા તે આચાર્યાદિકનું અંતરંગ પ્રીતિથી વિધિવંદનાદિક વડે ધ્યાન કરવું તે લોકોત્તર અભ્યત્તર વિનય કહેવાય છે. બીજા સર્વ ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જો વિનયવાળો હોય તો તે ધર્મ પામી શકે છે. કહ્યું છે કે – अन्यैर्गुणैः प्रभ्रष्टोऽपि, यद्यस्ति विनयो दृढः । भूयो गुणानवाप्नोति, अर्हन्नकनिदर्शनम् ॥१॥ ભાવાર્થ:- “બીજા ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જો વિનય ગુણ દઢ રહ્યો હોય તો તે ફરીથી પણ અનિકની જેમ ગુણને પામે છે.” અઈનક મુનિનું દૃષ્ટાંત તગરા નામની નગરીમાં દત્ત નામે શ્રાવક રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની સાથે પાંચ ઈન્દ્રિય સંબંધી સુખ ભોગવતાં અનિક નામનો પુત્ર થયો. એકદા અઈન્મિત્ર નામના સૂરિ પાસે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ આહત ધર્મ શ્રવણ કરીને વૈરાગ્ય પામેલા દત્તે પોતાની સ્ત્રી અને પુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી. દત્ત મુનિ સારી રીતે ક્રિયાયુક્ત છતાં પણ “આગળ જતાં મારો પુત્ર સંયમનું પાલન કરશે એમ ધારીને તથા પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે ઉત્તમ ભોજન લાવી લાવીને પુત્રનું પોષણ કરતા હતા, કોઈપણ વખત પુત્રને ભિક્ષા લેવા મોકલતા નહીં. તે જોઈને બીજા સાધુઓ “આ બાળ સાધુ સમર્થ છતાં પણ તેની પાસે શા માટે ભિક્ષા મંગાવતા નથી?' ઈત્યાદિક મનમાં વિચાર કરતા, પણ તેને કાંઈ પણ કહી શકતા નહીં. કેમકે પુત્રનું પિતા પાલન કરે તેમાં કોણ નિષેધ કરી શકે? પછી કેટલેક કાળે દત્ત મુનિ ઉનાળાના સમયમાં સમાધિથી મરણ પામ્યા. તેના વિયોગથી અહંન્નક સાધુને મહાદુઃખ પ્રાપ્ત થયું. પિતાના વિરહથી દુઃખી થયેલા તેને બીજા સાધુઓએ બે-ત્રણ દિવસ સુધી તો આહાર લાવી આપ્યો. પછી તેઓએ અહંન્નકને કહ્યું કે હવે તું પોતે જ ભિક્ષા માટે અટન કર. તારા પિતાની જેમ હવે હંમેશા કોઈ લાવીને આહાર આપશે નહીં. આ પ્રમાણે કર્ણમાં સીસુ રેડ્યા જેવું વચન સાંભળીને અન્નક ખેદયુક્ત થઈ બીજા સાધુઓની સાથે ભિક્ષા માટે ચાલ્યા. પૂર્વે કોઈપણ વખત તેણે જરા પણ શ્રમ લીધો નહોતો અને શરીર અત્યંત સુકુમાર હતું. તેથી ગ્રીષ્મ ઋતુના સૂર્યના ઉગ્ર કિરણોથી તપેલી ધૂળમાં ચાલવાથી તેના પગ દાઝવા લાગ્યા, માથું પણ સૂર્યના કિરણોથી તપી ગયું અને તૃષા લાગવાથી મુખ પણ સુકાઈ ગયું. તેવી રીતે ચાલતા તે અહિંન્નક મુનિ બીજા સાધુઓથી પાછળ રહી ગયા. એટલે વિશ્રામને માટે કોઈ એક ગૃહસ્થના મહેલની છાયામાં ઉભા રહ્યા. ત્યાં ઉભા રહેલા કામદેવ સમાન આકૃતિવાળા તેને ચંદ્રના જેવા મુખવાળી અને જેનો પતિ પરદેશ ગયેલો હતો એવી તે ઘરની માલિક સ્ત્રીએ દીઠા. તે બાળમુનિને જોઈને તેણે વિચાર્યું કે “અહો ! શું આનું અપૂર્વ સૌંદર્ય છે કે જે જોવા માત્રથી જ મારા મનનું આકર્ષણ કરે છે! માટે આ યુવાનની સાથે વિલાસ કરીને મારું યૌવન સફળ કરું.” એમ વિચારીને તેણે તે સાધુને બોલાવવા માટે દાસીને મોકલી. દાસીએ તેને બોલાવ્યા. એટલે તે પણ તેના ઘરમાં ગયા. તેને આવતા જોઈને હર્ષના ભારથી જેના કુચકુંભ પ્રફુલ્લિત થયા છે એવી તે સ્ત્રી તેની સામે આવી અને હાસ્યથી મિશ્રિત થયેલા દાંતના કિરણોથી અધરોષ્ઠને તેજસ્વી કરતી તથા નેત્રને નીચા રાખીને વાંકી દૃષ્ટિથી કટાક્ષ કરતી તે સ્ત્રીએ તેને પૂછ્યું કે “હે પ્રાણના જીવન સમાન ! તમે શું માંગો છો?” ત્યારે અહંન્નક મુનિ બોલ્યા કે – “હે સારા લોચનવાળી કામદેવની પ્રિયા ! હું ભિક્ષા માગું છું.” તે સાંભળીને તેણે વિચાર્યું કે “આ સાધુને હું કામદેવને ઉદીપન કરનારા ઔષધોથી મિશ્રિત સ્નિગ્ધ, મધુર અને જોવા માત્રથી જ વિકાર ઉત્પન્ન કરે તેવો આહાર આપીને વશ કરુ” એમ વિચારીને તેણે મનોહર એવા ઘણા મોદક તેને આપ્યા. તે પણ પર્યટન કરવાથી ગ્લાનિ પામ્યા હતા, તેથી આવા સુંદર મોદક મળવાથી ઘણો હર્ષ પામ્યા. પછી તે સ્ત્રીએ સ્નેહયુક્ત દૃષ્ટિથી જોતાંજોતાં તેને પૂછ્યું કે “હે યુવાન ! મારા અંગમાં વ્યાપેલા કામવિકારના તાપસમૂહનું નિવારણ કરવામાં સમર્થ, તથા કદલીના સ્તંભ જેવી કોમળ અંધાવાળી અને માખણના જેવા સુકુમાર અંગવાળી કમનીય કામિનીઓને સ્પૃહા કરવા યોગ્ય એવું આ યૌવન પામીને શા માટે પરીષહરૂપી કુઠાર વડે વૃક્ષની જેમ આ પ્રફુલ્લ યૌવન રૂપી વાડીનું ઉન્મેલન કરો છો? વ્રત ગ્રહણ કરવાનો Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૩૯ આ સમય નથી. કેટલાએક સ્ત્રીસુખની લાલસાવાળા જીવો સુધા તૃષાદિક કષ્ટ સહન કરે છે, આતુર રહ્યા કરે છે; તો પણ તેઓને સ્વપ્ન પણ તેવા સુખની પ્રાપ્તિ દુર્લભ જણાય છે. તમને તો તેવું સુખ અત્યારે અનાયાસે પ્રાપ્ત થયું છે, માટે આટલા દિવસ પાલન કરેલા વ્રતનું આ ફળ પ્રાપ્ત થયું છે એમ જાણો. વળી - कुरूपदुःखस्थविरकर्कशांगजनोचिताम् । इमां कष्टक्रियां मुंच, मुधा स्वं वंचयस्व मा ॥१॥ ભાવાર્થ:- “કુરૂપ, દુઃખી, વૃદ્ધ અને કઠોર અંગવાળા જનોને યોગ્ય એવી આ કષ્ટકારી ક્રિયાને મૂકી ઘો; ફોગટ તમારા આત્માને છેતરો નહીં.” વળી આપણા બેઉનું રૂપ અને શરીર અન્યોન્યના સંગમથી આજે સફળપણાને પામો. જો કદાચ તમને દીક્ષામાં અત્યંત આગ્રહ જ હોય તો ભોગ ભોગવીને પછી વૃદ્ધાવસ્થામાં ફરીથી દીક્ષા ગ્રહણ કરજો. આ પ્રમાણેના તેના વચનો સાંભળીને તથા તેના હાવભાવ જોઈને અન્નકનું મન વ્રત ઉપરથી ભગ્ન થઈ ગયું. કહ્યું છે કે – दृष्टाश्चित्रेऽपि चेतांसि, हरन्ति हरिणीदृशः । किं पुनस्ताः स्मितस्मेरविभ्रमभ्रमितेक्षणाः ॥१॥ ભાવાર્થ:- “મૃગલીના સરખા નેત્રવાળી સ્ત્રીઓ માત્ર ચિત્રમાં જોઈ હોય તો પણ તે ચિત્તનું હરણ કરે છે, તો પછી હાસ્યથી પ્રફુલ્લિત અને વિલાસથી ભ્રમિત એવા નેત્રોવાળી સ્ત્રીઓને સાક્ષાત્ જોવાથી ચિત્ત હરણ કરે તેમાં શું કહેવું?” પછી તેનું વચન અંગીકાર કરીને અન્નક તેના જ ઘરમાં રહ્યો અને અત્યંત આસક્ત થયેલી તે સ્ત્રી સાથે સ્વેચ્છાપૂર્વક કામક્રીડા કરવા લાગ્યો. અહીં સર્વે સાધુઓ ગોચરી લઈને ઉપાશ્રયે આવ્યા, અન્નકને જોયો નહીં, તેથી તેમણે તેની શોધ આખા શહેરમાં કરી, પણ કોઈ ઠેકાણે તેનો પત્તો લાગ્યો નહીં; તેથી તેઓએ તે વૃત્તાંત તેની માતા કે જે સાધ્વી થયેલી હતી તેને કહ્યો. તે સાંભળીને સાધ્વી પુત્ર પરના અતિરાગાંધપણાથી પુત્રશોક વડે જાણે તેના શરીરમાં ભૂત પેઠું હોય તેમ બેભાન જેવી અને ઉન્મત્ત જેવી થઈ ગઈ અને “હે અહંન્નક! હે અહંન્નક' એમ ઊંચે સ્વરે ગદ્ગદ્ કંઠે વિલાપ કરતી શહેરના સર્વ ચૌટા અને શેરીઓમાં ભમવા લાગી. મોહથી ઘેલી બનેલી તે પગલે-પગલે અલના પામતી, નયનમાંથી પડતી આંસુની ધારાથી માર્ગની ધૂળને આર્ટ્સ કરતી અને જે કોઈ સામું મળે તેને “મારા પ્રાણથી પણ પ્રિય પુત્ર અહંકને તમે ક્યાંય પણ જોયો છે?” એમ વારંવાર પૂછતી તે આખા નગરમાં અટન કરવા લાગી. તેની આવી ઉન્મત્ત અવસ્થા જોઈને સજ્જન પુરુષોને અનુકંપા આવતી હતી અને દુર્જનો તેની મશ્કરી કરતા હતા. ઉ.ભા.-૫-૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ એકદા મહેલની બારીમાં બેઠેલા અન્નકે તેને દીઠી. તેની તેવી ઉન્મત્ત સ્થિતિ જોઈ તેને ઓળખીને અન્નક વિચાર કરવા લાગ્યો કે “અહો ! મારું કેવું અવિનયપણું ! “અહો મેં કેવું દુષ્કર્મ કર્યું! ક્ષણિક સુખને માટે મેં આ સ્ત્રીના વચનથી મુક્તિના સુખને આપનારા વ્રતનો ત્યાગ કર્યો અને આવા દુઃસહ કષ્ટમાં મારી માતાને નાંખી. લૌકિક શાસ્ત્રમાં અડસઠ તીર્થો કરતા પણ માતાના વિનયનું ફળ અત્યંત કહેલું છે. તેમાં પણ આ મારી માતા તો જૈનધર્મજ્ઞ હોવાથી અને ચારિત્ર અંગીકાર કરેલી વિશેષ કરીને પૂજય છે. હા ! હા ! ચારિત્રનો ભંગ કરીને મેં મારા આત્માને ભવસાગરમાં નાંખ્યો એટલું જ નહીં પણ આ મારી માતાના મહાવ્રતનો લોપ થવામાં પણ હું જ સહાયભૂત થયો. અહો ! પરંપરાથી મારા પાપમાં કેટલી બધી વૃદ્ધિ થઈ? આ ચંદ્રવદના સીએ પ્રારંભમાં મિષ્ટ લાગે તેવું બહારથી સુંદર પણ પરિણામે અનન્ત દુઃખ આપનાર હાવભાવાદિ રૂપ વિષનું મને પાન કરાવ્યું. તેના લાવણ્યને, સુંદર વેષને અને નિપુણતાને ધિક્કાર છે! આની સર્વ ચતુરાઈ કેવળ નરકને જ આપનારી છે. તે ચેતન ! હવે તારે માટે બે માર્ગ છે. એક તો આ ચંદ્રમુખીએ બતાવેલ પાપમાર્ગ અને બીજો આ આર્યાએ બતાવેલો પુન્યમાર્ગ. આ બેમાંથી જે કલ્યાણકારી હોય તેનું આચરણ કર. પણ અત્યારે તો મારે મારી દુઃખી માતાના શોકનું ઉમૂલન કરવું યોગ્ય છે.” એમ વિચારીને અન્નક એકદમ તે ઘરમાંથી બહાર નીકળ્યો. તેની પાછળ તે ચંદ્રમુખી પણ એકદમ આવીને વિરહના વિલાપ વગેરે અનેક પ્રકારના અનુકૂળ ઉપસર્ગ કરતી બોલી કે “હે નિર્દય ! હમણા તને સ્ત્રીહત્યાનું પાપ લાગશે. હે કઠોર ! શા માટે મને વૃક્ષના શંગ ઉપરથી પાડી નાંખે છે? શા માટે મને દુઃખરૂપી ચિતામાં હોમે છે ? શા માટે માલતીના પુષ્પની માળા જેવી કોમળ સુંદર અને અકુટિલ એવી મને તજે છે? મને રસીલી બનાવીને હવે વિરસ કેમ કરે છે !” આ પ્રમાણેના તેના વચનો સાંભળીને અન્નક બોલ્યો કે “હે પાપસમુદ્ર ! ક્ષણિક સુખને માટે આવા ફોગટ વિલાપો શા માટે કરે છે? પહેલા હું અજ્ઞાનગ્રસ્ત હતો, તેથી તેમને વિલાસમાં પાડી નાંખ્યો અને મેં ત્રણ લોકને અદ્વિતીય શરણરૂપ પરમાત્માના ધર્મને દૂષિત કર્યો. હવે અહીં રહેવું મને યોગ્ય નથી. આ મારી માતાને ધન્ય છે કે જેણે મને વિવેક માર્ગ દેખાડ્યો. સંસારમાં પડવાના માર્ગ બતાવનાર તો દુનિયામાં ઘણા દેખાય છે, પરંતુ ભવસાગરમાં પડેલાનો ઉદ્ધાર કરવામાં ને તેને પવિત્ર કરવામાં સમર્થ તો મારી માતા સમાન બીજું કોઈ નથી. હવે જીવિત પર્યત ઈન્દ્રની અગ્રમહિષીનું સુખ મળે તો તેને પણ ઈચ્છતો નથી, તો પછી મનુષ્ય જાતિની સ્ત્રીના સુખની ઈચ્છા તો શેની જ કરું? મન-વચન-કાયાએ કરીને મેં સર્વ સંસારસુખનો ત્યાગ કર્યો છે?” ઈત્યાદિ કહીને પછી લજ્જા સહિત વિનયયુક્ત પોતાની માતાને નમીને તે બોલ્યો કે “હે માતા ! આ તમારા કુળમાં અંગારા જેવો અન્નક તમને નમે છે.” એમ કહીને નેત્રમાં અશ્રુ લાવીને તે માતાને નમ્યો. તેને જોઈને તે માતા સ્વસ્થ ચિત્તવાળી થઈ સતી હર્ષથી બોલી કે “હે પુત્ર ! આટલા દિવસ તું ક્યાં રહ્યો હતો?” ત્યારે અન્નકે દંભરહિતપણે પૂર્વે અભ્યાસ કરેલા પ્રશસ્ત ધર્મરાગથી અનંતગણા શુભ વૈરાગ્યયુક્ત અધ્યવસાયવાળા થઈને પોતાનું સર્વ વૃત્તાન્ત Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૪૧ યથાર્થ કહી આપ્યું.” તે સાંભળીને માતા બોલી કે : “હે વત્સ ! હવે તું ફરીથી ચારિત્ર ગ્રહણ કર.” તે બોલ્યો કે : “હે માતા ! હંમેશા સંયમક્રિયાનું પાલન કરવું અને દુષ્કર લાગે છે. નિરંતર સુડતાલીશ દોષ રહિત આહાર ગ્રહણ કરવો, એક નિમેષ માત્ર પણ પ્રમાદ કરવો નહીં, “કરેમિ ભંતે' ના ઉચ્ચાર સમયથી આરંભીને પ્રાણાંત સમય સુધી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવું. ઈત્યાદિ સાધુની સમગ્ર ક્રિયા નિરંતર કરવા હું શક્તિમાન નથી. હું મહાપાપી છું, તેથી વ્રતનું પાલન કરી શકીશ નહીં, તેથી હે માતા ! જો તમારી આજ્ઞા હોય તો હું અનશન ગ્રહણ કરું.” તે સાંભળીને ભદ્રા સાધ્વી હર્ષ પામી સતી બોલી કે “હે ભદ્ર! આ સમયે અનશન પણ તારે માટે યોગ્ય છે.” અનંત ભવભ્રમણ કરવામાં નિમિત્તરૂપ વ્રતભંગ યોગ્ય નથી, પરંતુ તું આવા સ્વલ્પ માત્ર પંચ મહાવ્રતનું પાલન કરવામાં ઉગ પામે છે, તો અનશન પાળવું તે તો મહાદુષ્કર છે. યોગ્ય માણસને જ તે અનશન પ્રાપ્ત થાય છે. તું તો શુભ અને અશુભ મુગલોને જોઈને રાગ અને વિરાગ ધારણ કરે છે, માટે હમણાં તો તારો વિશ્વાસ જ્ઞાનીના વચનથી આવશે, તે વિના આવશે નહિ. અન્નક વિચારવા લાગ્યો કે “ખરેખર મારી માતાનો રાગ મારા પર અત્યંત છે.” પછી માતાની પરીક્ષા કરવા માટે તે બોલ્યો કે “હે માતા ! હમણાં થોડા દિવસમાં મારા શરીરનો સર્વથા નાશ થશે, તે વ્યથા તમે શી રીતે સહન કરશો?” ભદ્રા બોલી : “હે પુત્ર તું સત્ય કહે છે, પરંતુ એક વાત કહું તે સાંભળ, તારા વિરહથી દુઃખ પામીને મેં વિચાર્યું હતું કે “મારો પુત્ર ધર્મ કર્યા વિના ઈન્દ્રાદિકને પણ દુર્લભ એવા સંયમરૂપી રત્નનો તૃણની માફક ત્યાગ કરશે તો સંસારના મહાદુઃખો પામશે; તેથી તેને હું તત્કાળ બોધ કરું.” તે સાંભળીને અન્નક બોલ્યો કે “હે માતા! તમે આ લોકમાં અને પરલોકમાં બન્નેમાં સુખદાયી થયા છો. વધારે શું કહું? તમે મારો સમ્યફ પ્રકારે ઉદ્ધાર કર્યો છે. પ્રથમ તમે મને જન્મ આપનાર થયાં અને પછી અનંત જન્મનો નાશ કરનાર ધર્મ આપનાર થયાં.” ઈત્યાદિ માતાની સ્તુતિ કરીને ગુરુ પાસે જઈ તેણે ફરીથી ચારિત્ર લીધું. પછી જ્ઞાનીના વચનથી વિશ્વાસ પામીને માતાએ આજ્ઞા આપી એટલે તેણે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને, પોતાના દુરિતની નિન્દા કરીને, સર્વ પ્રાણીઓને ખમાવીને, સૂર્યનાં કિરણોથી તપેલી બાહ્ય વનની શિલા ઉપર બેસીને ચાર શરણ અંગીકાર કરી પાદપોપગમન અનશન ગ્રહણ કર્યું. પછી અતિ દારુણ ઉષ્ણ વેદનાને સમ્યફ પ્રકારે સહન કરતા તે અહંન્નક મુનિ શરીરે અતિ કોમળ હોવાથી માખણના પિંડની જેમ એક મુહૂર્તમાત્રમાં જ ગળી જઈ તત્કાળ સ્વર્ગસુખને પામ્યા. ચંદ્રમુખી સ્ત્રીના સ્નેહપાશમાં બંધાયા છતાં પણ અન્નકે પોતાની માતાને જોઈને વિનય તો નહીં અને તેથી જ તે ફરીને પોતાના દુષ્કૃતનો ત્યાગ કરી સ્વર્ગનું સુખ પામ્યા.” Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૯૪ નવમો વૈચાવૃત્ય નામનો તપ यथाहं तत्प्रतीकारो व्याधिपरिषहादिषु । वैयावृत्त्यं तद्भाव्यं, विश्रामणाशनादिभिः ॥१॥ " -- ભાવાર્થ :- “વ્યાધિ ને પરીષહાદિકમાં જેમ ઘટે તેમ તેનો પ્રતિકાર (ઉપાય) કરવો અને વિશ્રામણા તથા અશનાદિકે કરીને વૈયાવૃત્ય કરવું.” વિશ્રામણા એટલે ગ્લાન મુનિને અથવા માર્ગમાં અટન કરવાથી શ્રમિત થયેલા મુનિને નિવૃત્તિ માટે તેના હાથ, પગ, પૃષ્ઠ, જાંઘ વગેરે અવયવોને હાથની મુષ્ટિથી દબાવવા તે. તે વિશ્રામણા ગુરુ વગેરેની અવશ્ય નિરંતર કરવી જોઈએ. અશન એટલે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે આપીને શક્તિ પ્રમાણે અનુકૂળ વર્તન કરવું તે. આ વિશ્રામણા કરવા વડે અને અશનાદિક આપવા વડે વૈયાવૃત્ય કરી કહેવાય છે. આવું વૈયાવૃત્ય સર્વને અવશ્ય કરવા લાયક છે. આ વિષય ઉપર ઘણાં દૃષ્ટાંતો છે. તેમાં ભરતચક્રી તથા બાહુબલિએ પોતાના પૂર્વ ભવમાં હંમેશાં પાંચસો સાધુને અન્ન પાણી લાવી આપવાનો તથા વિશ્રામણા કરવાનો અભિગ્રહ લીધો હતો, તેના તથા વાસુદેવના જીવ નંદીષેણ મહર્ષિએ રોગીનું વૈયાવૃત્ય કરવાનો અભિગ્રહ લીધો હતો તેના દૃષ્ટાંત જાણવાં. તથા પરીષહ-ઉપસર્ગ થાય ત્યારે તેનો પ્રતિકાર અવશ્ય કરવો. તે ઉપર હરિકેશી મુનિનું વૈયાવૃત્ય કરનાર હિંદુક નામના યક્ષનું દૃષ્ટાંત છે, તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રથી જાણી લેવું. આ વૈયાવૃત્યનું ફળ સૂત્રમાં વિશેષ અધિક વર્ણવ્યું છે. યત : "वेयावच्चेण भंते जीवे किं जणइ ? गोयमा निच्चगोयं कम्मं न बंधइ " वेयावच्चं निययं करेह, उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिवाई ॥१॥ पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुअं अगुणणाए । न हु वेयावच्चं चिअ, असुहोदय नासए कम्मं ॥२॥ ભાવાર્થ ઃ- ગૌતમસ્વામી પૂછે છે કે “હે ભગવન્ ! વૈયાવૃત્ય કરવાથી જીવને શું ઉત્પન્ન થાય ?” પ્રભુ કહે છે કે “હે ગૌતમ ! વૈયાવચ્ચ કરનાર નીચ ગોત્રકર્મ બાંધે નહીં.” વળી “નિરંતર વૈયાવૃત્ય કરવું, જો કે બીજા ઉત્તમ ગુણો કોઈ ધારણ કરે, પણ તે સર્વ ગુણો કોઈવાર પ્રતિપાતી થાય છે (ભ્રષ્ટ થાય છે), પણ વૈયાવૃત્ય ગુણ અપ્રતિપાતી છે. તે ગુણથી પ્રાણી ભ્રષ્ટ થતો નથી. ૧. મદે કરીને ભ્રષ્ટ થયેલા માણસનું ચારિત્ર નષ્ટ થાય છે અને આવૃત્તિ વિના (વારંવાર Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ m undo સંભાર્યા વિના) શ્રત નષ્ટ થાય છે. પણ વૈયાવૃત્ય ગુણ કદાપિ નાશ પામતો નથી, અને અશુભોદયવાળા કર્મનો નાશ કરે છે. ૨. આ વૈયાવૃત્ય કરવાનું તથા ન કરવાનું ફળ વિપુલમતિના દષ્ટાંતથી જાણવું. કહ્યું છે કે - गुरुभत्तिं अकुणंता, कुगइं जीवा लहंति पणरवि । तं च कुणंता सुगइं; विउलमई इत्थ दिटुंतो ॥१॥ ભાવાર્થ:- “ગુરુની ભક્તિ નહિ કરવાથી જીવો મુગતિને પામે છે અને પાછાં ગુરુભક્તિ કરવાથી સારી ગતિને પામે છે, તે ઉપર વિપુલમતિનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે - વિપુલમતિની કથા વિરાટ દેશમાં વિજયપુરી નામે નગરી છે. તેમાં શ્રીચૂડ નામે રાજા રાજય કરતો હતો. તે રાજાનો બહુ માનીતો જિનદત્ત નામે શ્રેષ્ઠિ પરમ શ્રાવક હતો. તે શ્રેષ્ઠિને સદબુદ્ધિ વાળી વિપુલમતિ નામે પુત્રી હતી. તે જ નગરીમાં ધનમિત્ર નામે એક શ્રાવક રહેતો હતો. તે જિનદત્તનો મિત્ર હતો. તે બન્ને મિત્રો જૈનધર્મ પાળતા હતા. એકદા શિયાળાની ઋતુ આવી. શીતઋતુનું વર્ણન કોઈ કવિએ ભોજરાજાની પાસે કર્યું છે કે - शीते त्राणपटी न चास्ति शकटी भूमौ च घृष्टा कटी। निर्वाता न कुटी न तंडुलपुटी तुष्टिर्न चैका घटी ॥ वृत्ति रभटी प्रिया न गुमटी तन्नाथ मे संकटी । श्रीमन् भोज तव प्रासादकरटी भक्ता ममापत्तटी ॥१॥ ભાવાર્થ:- “આ ટાઢની ઋતુમાં મારી પાસે શીતથી રક્ષણ કરનારું વસ્ત્ર નથી, તાપવા માટે સગડી નથી, પૃથ્વી પર કટી ઘસવી પડે છે, અર્થાત્ ભૂમિ પર પાથરવાનું પણ સાધન નથી. તેમાં વાયુનો સંચાર ન થાય એવી ઝુંપડી નથી, ખાવા માટે ચપટી ચોખા નથી, એક ઘડી પણ પ્રસન્નતા નથી, સારી રીતે વૃત્તિ થાય તેવું સાધન નથી અને સુંદર સ્ત્રી નથી. “હે સ્વામી! એ સર્વ પ્રકારના મારે સંકટો છે, તો પણ “હે ભોજરાજા! તમારા પ્રસાદરૂપ હાથીએ મારી આપત્તિરૂપ નદીને ભાંગી નાખી છે, અર્થાત્ સર્વ આપત્તિ મટાડી દીધી છે.” रात्रो जानुर्दिवा भानुः कृशानुः संध्ययोर्द्वयोः । राजन् शीतं मया नीतं, जानुभानुकृशानुभिः ॥२॥ ભાવાર્થઃ- “રાત્રિએ જાનુ, દિવસે ભાનુ (સૂર્ય) અને બન્ને સંધ્યા સમયે કૃશાન (અગ્નિ) શીતની રક્ષા કરનાર છે. તેથી હે રાજા જાનુ, ભાનુ અને કૃશાનુએ કરીને મેં શીતનો નાશ કર્યો છે.” ૧. પગ સંકોચીને સૂવાથી ટાઢ થોડી લાગે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ४४ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ આવા ટાઢના વખતમાં ધનમિત્રે જિનદત્તને કૌતુકથી કહ્યું કે - “કોઈપણ માણસ ગામ બહારના ઉદ્યાનમાં ઠંડા જલથી ભરેલા તળાવમાં આ માઘ માસને સમયે આખી રાત્રિ સુધી કંઠપ્રમાણ જળમાં ઉભો રહે તો તેને હું એક લાખ દીનાર આપું.” તે સાંભળીને લોભી જિનદત્તે સર્વ લોકની સમક્ષ તેમ કરવાનું અંગીકાર કર્યું અને આખી રાત્રિ તેવી જ રીતે નિર્ગમન કરી પછી પ્રભાતે આવીને ધનમિત્રને કહ્યું કે “મને લાખ દીનાર આપ.” ધનમિત્ર બોલ્યો કે “તું આખી રાત્રિ તેવી જ રીતે રહ્યો છે તેની ખાત્રી શી? જિનદત્ત બોલ્યો કે “તારા ઘરમાં આખી રાત્રિ દીવો બળતો હતો, તે નિશાનીથી તારે ખાત્રી માનવી.' ધનમિત્ર બોલ્યો કે “ત્યારે તો દીવો જોવાથી તારી ટાઢ જતી રહી, માટે હવે તને ધન નહીં આપું તે સાંભળીને જિનદત્ત ખેદયુક્ત ચિત્તે ઘેર ગયો. તેને ચિંતાતુર જોઈને વિપુલમતિ પુત્રી બોલી કે હે પિતા! તમે ખેદ કરો મા, તમને જે રીતે ધનની પ્રાપ્તિ થશે તેમ હું કરીશ.” પછી પુત્રીના કહેવાથી જિનદત્તે ભર ઉનાળામાં ધનમિત્રને પોતાને ઘેર ભોજનનું આમંત્રણ કર્યું. મધ્યાહ્ન સમયે તેને જમવા બેસાડ્યો. ભોજનમાં મીઠાવાળો અને સ્નિગ્ધ પદાર્થ વિશેષ હતો. તેથી ભોજન કરતા વચમાં ધનમિત્રે પાણી પીવા માગ્યું. તે વખતે જિનદત્તે શીતળ જળની ભરેલી ગાગર દેખાડીને કહ્યું કે : “જેમ તે વખતે શિયાળામાં દીવો જોવાથી મારી ટાઢ નાશ પામી હતી, તેમ આજે આ પાણીની ગાગર જોવાથી તારી તૃષા પણ નાશ પામો.' ધનમિત્ર આનો જવાબ આપી શક્યો નહીં, એટલે તે હારી ગયો; તેથી શરતમાં ઠરાવેલ લાખ રૂપિયા તેણે જિનદત્તને આપ્યા પછી જિનદત્તે તેને જળ આપ્યું. ભોજન કર્યા પછી ધનમિત્ર પોતાને ઘેર ગયો અને વિચારવા લાગ્યો કે “આ બુદ્ધિ કોની?' તે વખતે કોઈએ કહ્યું કે “જિનદત્તની પુત્રી વિપુલમતિની.” તે સાંભળી ધનમિત્રે પરણવા માટે વિપુલમતિનું માંગુ કર્યું પણ જિનદત્તે વિચાર્યું કે “મારી પુત્રી હું એને પરણાવીશ તો તે ક્રોધથી તેનું વિરૂપ કરશે.” એમ ધારીને તેને આપી નહીં. ત્યારે વિપુલમતિ બોલી કે “હે પિતા ! મને ધનમિત્ર સાથે પરણાવો. બુદ્ધિના પ્રસાદથી બધું સારું થશે. કેમકે - यस्य बुद्धिर्बलं तस्य, निर्बुद्धेश्च कुतो बलम् । बद्धो गजो वने मत्तो, मूषकैः परिमोचितः ॥१॥ ભાવાર્થ - “જેને બુદ્ધિ છે તેને જ બલ છે, નિબુદ્ધિને બળ ક્યાંથી હોય? વનમાં મદોન્મત્ત હાથીને બાંધેલો હતો તેને બુદ્ધિમાન ઉંદરે મુક્ત કર્યો હતો.” (આ દષ્ટાંત પંચતંત્રમાંથી જાણી લેવું.) પુત્રીના આવા વચન સાંભળી જિનદત્તે ધનમિત્રની સાથે તેને પરણાવી. વિવાહ થયા, પછી ઘેર લઈ જઈને ધનમિત્રે વિપુલમતિને પાણી વિનાના એક કૂવામાં નાંખી અને તેને કહ્યું કે : “તને પુત્ર થાય ત્યાં સુધી કપાસ કાંતતી અને કાંગના ચોખા ખાતી આમાં રહેજે. હું દ્રવ્ય ઉપાર્જન કરવા પરદેશ જાઉં છું. એમ કહીને ધનમિત્ર પરદેશ ગયો. પછી વિપુલમતિએ તે કૂવાથી પિતાના ૧. ધનમિત્રે કહેલી હકીકતની જિનદત્તને ખબર પડ્યા પછી કોઈ માણસ દ્વારા વિપુલમતિએ કહેવરાવેલી યુક્તિ પ્રમાણે આ સુરંગ ખોદાવી. Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૪૫ ઘર સુધી સુરંગ ખોદાવીને તે રસ્તે પિતાને ઘેર ગઈ. કૂવામાં પોતાને ઠેકાણે એક ચાકરને રાખ્યો. તે હંમેશા કાંગના ચોખા ગ્રહણ કરતો. કાંતવા આપેલો કપાસ પિતાને સોંપ્યો અને કંતાવી રાખવા કહ્યું પછી ‘જ્યાં મારો પતિ છે ત્યાં હું જાઉં છું.’ એમ કહીને તે પતિવાળા ગામે ગઈ. ત્યાં વેશ્યાની વૃત્તિથી પતિને વશ કરી તેની સાથે ક્રીડા કરવા લાગી. અનુક્રમે તેનાથી પુત્ર થયો. પછી પતિની પહેલા જ તે ઘેર આવી કૂવામાં રહી. કેટલેક દિવસે ધનમિત્ર ઘેર આવ્યો. તેને તેના આપ્તજનોએ કહ્યું કે ‘તારી સ્ત્રીને કૂવામાંથી બહાર કાઢ' ધનમિત્રે તેને બહાર કાઢી તો સૂત્ર અને પુત્ર સહિત તે બહાર નીકળી. ધનમિત્રે તેને ઓળખી એટલે તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે વિપુલમતિને ઘરની સ્વામિની કરી. લોકમાં વિપુલમતિની ઘણી પ્રતિષ્ઠા થઈ. એકદા તે નગરીમાં ભવદેવ નામના સૂરિ આવ્યા. તેમને વાંદવા માટે સ્ત્રી સહિત ધનદત્ત ગયો. ગુરુને વાંદીને તેણે પૂછ્યું કે ‘હે સ્વામી ! આ મારી સ્રીએ પૂર્વભવમાં શું પુણ્ય ઉપાર્જન કર્યું છે કે જેના પ્રસાદથી તેની આવી તીક્ષ્ણ બુદ્ધિ થઈ છે ? ગુરુ બોલ્યા કે ‘હે મહાભાગ્યવાન ! કુસુમપુર નામના નગરમાં ભાનુદેવને રોહિણી નામે બાળવિધવા પુત્રી હતી. એકદા તેને ઘેર પરગામથી કોઈ ગૃહસ્થ વણિકનો પુત્ર આવ્યો. તેને જોઈને રોહિણીને કામવિકાર ઉત્પન્ન થયો, તેથી તેણે તેના સામું કટાક્ષપૂર્વક ચપળ દૃષ્ટિથી જોયું. તે વખતે આહાર લેવા આવેલા શીલસાર મુનિ તે સમજી ગયા. કહ્યું છે કે - जइवि न सइ न संपज्जइ, न हु अ झाएइ हिअयमज्झमि । मयणाउरस्स दिट्ठी, लक्खिज्जइ तहवि लोएण ॥१॥ ભાવાર્થ :- ‘જો કે પોતાને સ્ત્રી નથી, સ્ત્રીની ઈચ્છા નથી, તેને હૃદયમાં ધ્યાતા નથી, તો પણ બુદ્ધિમાન મુનિ જોવા માત્રથી મદનાતુરની દૃષ્ટિને સમજી શકે છે.’ પછી “અહો ! કામદેવનો પ્રચાર અતિ દુર્જય છે.” એમ વિચારતાં તે મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. તે શીલસા૨ મુનિ અનુક્રમે સમગ્ર સૂત્ર અને અર્થનો અભ્યાસ કરી ગીતાર્થ થયા. તેથી ગુરુએ તેને આચાર્યપદે સ્થાપન કર્યા. અનુક્રમે વિહાર કરતાં એકદા ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા તે કુસુમપુરે પધાર્યા ત્યાં તેમને દેશના આપી. તે સાંભળીને રોહિણી પ્રતિબોધ પામી અને દીક્ષા લેવા તૈયાર થઈ. દીક્ષા લેવાના સમયે ગુરુએ કહ્યું કે – जहा सुविसुद्धे कुडे, लिहिअं चित्तं विहाइ रमणिज्जं । तह अणइयार जीवे, सम्मत्तं गुणकरं होइ ॥ १ ॥ जह लंघहणिअरस्स, रोगिणो ओसहं गुणाय भवे । आलोयणा विसुद्धस्स, धम्मकम्मं तहा सयलं ॥२॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ અર્થ:- “જેમ શુદ્ધ કરેલી ભીંત ઉપર ચિત્રેલું ચિત્ર રમણીય લાગે છે, તેવી જ રીતે અતિચાર રહિત શુદ્ધ જીવને વિષે રહેલું સમકિત અધિક ગુણકારી થાય છે. જેમ લંઘન કરેલા રોગીને ઔષધ ગુણકારી થાય છે, તેમ આલોયણ રૂપી લંઘનથી વિશુદ્ધ થયેલા જીવને સર્વ ધર્મકાર્ય ગુણકારી થાય છે.” તે સાંભળીને રોહિણીએ સર્વ પાપની આલોચના લીધી, પણ પેલા દષ્ટિવિકારની આલોચના લીધી નહીં. ત્યારે ગુરુ બોલ્યા કે “હે મહા અનુભાવવાળી ! તે દિવસે હું તારે ઘેર આહાર લેવા આવ્યો હતો, તે વખતે મેં તારો દૃષ્ટિવિકાર સાક્ષાત્ જોયો હતો, તેની આલોચના કેમ કરતી નથી?” રોહિણીએ જવાબ આપ્યો કે “તે વણિકપુત્રની સામું મેં માત્ર સહજ જ જોયું હતું; રાગથી જોયું નહોતું.” તે સાંભળીને ગુરુએ તેને લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત આપીને ઘણું સમજાવી તો પણ તેને માન્યું નહીં અને કહેવા લાગી કે “વારંવાર કહીને ખોટું દૂષણ જ શા માટે બતાવો છો? જો આપને ખોટું દૂષણ જ આપવું હોય તો મારે ચારિત્ર જ લેવું નથી.” એમ સમ્યકત્વ ગ્રહણ કરેલી તે ગુરુ ઉપર દ્વેષ કરીને પોતાને ઘેર ચાલી ગઈ. પછી પ્રતિસમયે ઉભરાતા દ્વેષથી તે નિરંતર ગુરુની નિંદા કરવા લાગી. અનુક્રમે તેવા જ દુર્ગાનમાં મૃત્યુ પામીને તે કૂતરી થઈ. તુ વખતે તેના ગુહ્યસ્થાનમાં અનેક કૃમિ ઉત્પન્ન થયા. તેની વ્યથાથી મરણ પામીને સર્પિણી થઈ. ત્યાં દાવાનળથી બળી મારીને નરકે ગઈ. ત્યાંથી નીકળીને વાઘણ થઈ. ત્યાં પારધિના બાણથી મૃત્યુ પામીને પાછી નરકે ગઈ. ઈત્યાદિ તિર્યંચ તથા નરકમાં અસંખ્ય વાર ઉત્પન્ન થઈને અત્યંત દુસહ દુઃખો પામી. પછી મનુષ્યપણામાં બહુ વખત સ્ત્રીપણું પામીને દુર્ભાગ્ય, દારિદ્ર, વ્યાધિ, શોક, પતિ વિયોગ વગેરે અનેક પ્રકારના દુઃખો ભોગવીને અસંખ્ય કાળે ધન્ય નામના પુરમાં ગોવર્ધન શેઠની ધની નામે પુત્રી થઈ. તે યુવાવસ્થા પામી એટલે તેને નગરશેઠના પુત્રે જોઈ અને તેના સ્વરૂપથી મોહિત થઈ તેની માંગણી કરીને તે તેને પરણ્યો. પછી શયન ગૃહમાં સુવા ગયો. તે વખતે તેના અંગનો સ્પર્શ થતાં જ તેને એવો તાપ લાગ્યો કે જાણે જાજ્વલ્યમાન અગ્નિના તાપમાં પડ્યો હોય. આવો તાપ સહન નહિ થવાથી તે રાત્રિમાં જ જતો રહ્યો. પ્રાતઃકાળે પુત્રીને રુદન કરતી જોઈને તેના પિતાએ તેને ધીરજ આપી. પછી પોતાના ઘરના ગોવાળને ઘરજમાઈ કરીને તેની સાથે પરણાવી. તે ગોવાળ પણ તેના સ્પર્શથી તાપ પામીને તેને મૂકીને નાસી ગયો. પછી શોકાતુર થયેલી પુત્રીને તેના પિતાએ કહ્યું કે “હે પુત્રી ! આપણા કુળને અયોગ્ય એવો તારો પુનર્વિવાહ પણ મેં કર્યો, તો પણ તારા પૂર્વ કર્મના પ્રભાવથી દુર્ભાગ્ય જ આગળને આગળ આવીને ઉભું રહે છે. હવે તું દાનાદિક ધર્મક્રિયામાં તત્પર થઈને મારા ઘરમાં જ રહે.” ધનીએ તે વાત કબૂલ કરી અને પિતાના કહેવા પ્રમાણે ધર્મક્રિયા કરવા માંડી. એકદા ત્યાં કોઈ સાધુઓ આવ્યા, તેમને વંદના કરીને ધનીએ પૂછ્યું કે “હે ગુરુ! એવો કોઈ મંત્ર, જંત્ર કે તંત્ર છે કે જેથી મને સૌભાગ્યની પ્રાપ્તિ થાય અને હું યુવાન પુરુષને સ્પૃહા કરવા લાયક થાઉં?” Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ મુનિએ જવાબ આપ્યો કે “અમે કાંઈ જાણતા નથી, પણ પુષ્પાકર ઉદ્યાનમાં અમારા ગુરુ શીલાકર નામના આચાર્ય પધાર્યા છે, તે સર્વ જાણે છે.” તે સાંભળીને ધની આચાર્ય મહારાજ પાસે ગઈ અને વંદના કરીને તેને પણ પ્રથમની જેમ સૌભાગ્યમંત્રાદિ માટે પૂછ્યું. આચાર્ય બોલ્યા કે - तिलुक्कवसीकरणो, समत्तमणचिंतिअत्थसंजणणो । जिणपन्नत्तो धम्मो, मंतो ते चेव न हु अन्नो ॥१॥ जेहिं विहिओ न धम्मो, पुव्वं ते एत्थ दुत्थिया जीवा। किं पसरइ दारिइं, चिंतारयणेवि संपत्ते ॥२॥ અર્થ :- “ત્રણે લોકને વશ કરનાર અને સમગ્ર મનચિંતિત પદાર્થને આપનાર એવો એક જિનેશ્વરકથિત ધર્મરૂપી મંત્ર જ શ્રેષ્ઠ છે; બીજો કોઈ મંત્ર તેવો નથી જેણે પૂર્વ જન્મમાં ધર્મનું અનુષ્ઠાન કર્યું નથી તેઓ જ આ જન્મમાં દુઃખી થાય છે; બાકી જેને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હોય તેની પાસે શું દારિદ્ર રહી શકે?” તે સાંભળીને ગોવર્ધન શેઠે પૂછ્યું કે “હે ગુરુ ! આ મારી પુત્રીએ પૂર્વ જન્મમાં કેવું પાપકર્મ કર્યું છે કે જેથી આ ભવમાં આવા દુર્ભાગ્યથી કલંકિત થઈ?” આચાર્ય બોલ્યા કે “આ તારી પુત્રીએ પ્રથમ રોહિણીના ભવમાં ગુરુની અવજ્ઞા કરી હતી; તેથી અસંખ્ય જન્મમાં અનેક દુઃખો અનુભવીને આ ભવે તારી પુત્રી થઈ છે. પૂર્વભવનું કર્મ ભોગવવું કાંઈક બાકી રહ્યું છે, તેથી આ જન્મમાં પણ તેને આવું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે સાંભળતાં જ બનીને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તેણે પોતાનો પૂર્વભવ દીઠો એટલે તે બોલી કે “હે પૂજ્ય ગુરુ ! આપનું કહેવું સત્ય છે.” ગુરુ બોલ્યા કે – इहलोइए वि कज्जे, सुगुरुं पणमंति माणवा निच्चं । किं पुण परलोअपहे, धम्मायरिअं पईवसमं ॥१॥ ભાવાર્થ :- “મનુષ્યો આ લોકના કાર્યોમાં પણ સદ્દગુરુને હંમેશાં નમે છે, તો પછી પરલોકના માર્ગમાં પ્રદીપ સમાન આચાર્યને નમવું તેમાં તો શું કહેવું?” આ પ્રમાણે સાંભળીને પનીએ પૂર્વે કરેલા પાપની આલોચના કરીને ગુરુ પાસે બાર વ્રતરૂપ ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ધર્મક્રિયામાં તત્પર થઈ. તીવ્ર તપ કરવા લાગી. પારણાને દિવસે વસ્ત્ર, અન્ન, પાન, પાત્ર, શયા વગેરે જે જે જેને અનુકૂળ હોય તે તેમને સાધુઓને) પ્રાસુક અને એષણીય આપવા લાગી. પછી મનના ઉલ્લાસપૂર્વક શુભ પરિણામે કરીને તે ધનીએ ચારિત્ર ગ્રહણ કર્યું અને અતિચાર રહિત ચારિત્રનું પ્રતિપાલન કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી Aવીને આ તારી વિપુલમતિ નામે સ્ત્રી થઈ છે. ગુરુની ભક્તિ કરવાથી તેની આવી નિર્મળ બુદ્ધિ થઈ છે અને ભોગસંપત્તિ પણ પ્રાપ્ત થઈ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ આ પ્રમાણે પોતાના પૂર્વભવનું વૃત્તાંત ગુરુમુખથી સાંભળીને તે વિપુલમતિને જાતિસ્મરણ થયું, તેથી સંશય રહિત થઈને હર્ષથી તેણે ગુરુને પૂછ્યું કે “હે સ્વામી ! વૈયાવૃત્યના કેટલા પ્રકાર છે ?” ગુરુ બોલ્યા કે “હે ભાવિક સ્ત્રી ! વૈયાવૃત્યના દશ પ્રકાર છે. ૪૮ आयरिय उवज्झाए, थेर तवस्सी गिलाण सेहे अ । साहम्मिय कुल गण, संघसंगयं तमिह कायव्वं ॥१॥ ભાવાર્થ :- “આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન (રોગી) નવદીક્ષિત શિષ્ય, સાધર્મિક, કુળ, ગણ અને સંઘ એ દશના સંબંધમાં જે વૈયાવચ્ચ કરવી તે દશ પ્રકાર જાણવા.’ આ પ્રમાણે સાંભળીને વિપુલમતિ નિરંતર વૈયાવૃત્ય કરવામાં તત્પર થઈ. અનુક્રમે મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવી થોડા કાળમાં સિદ્ધિસુખને પામશે. “આ અત્યંતર તપનું નિરંતર આરાધન કરનાર પ્રાણી આહાર કરતાં છતાં પણ તપનું ફળ પામે છે. આ તપનું ફળ પ્રત્યક્ષ જોઈને વિપુલમતિએ તે તપ સ્વીકાર્યો અને તેથી ધ્રુવ (મોક્ષ) પદને પામી.” ૨૯૫ દશમો તપાચાર स्वाध्यायः पंचधा प्रोक्तो, महतीनिर्जराकरः । तपःपूर्त्तिरनेन स्यात्, सर्वोत्कृष्टस्ततोऽर्हता ॥ १ ॥ ભાવાર્થ ઃ- “સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, તે કર્મની મોટી નિર્જરાના કરનારા છે. એના વડે તપની પૂર્ણતા થાય છે, માટે જ અરિહંતે તે સ્વાધ્યાય તપને સર્વોત્કૃષ્ટ તપ કહેલો છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, તેમાં પહેલો પ્રકાર વાચના છે. વાચના એટલે સૂત્ર તથા અર્થનો અભ્યાસ કરવો અને કરાવવો તે. તે પ્રકાર વજસ્વામી અને ભદ્રબાહુ સ્વામી વગેરેની જેમ નિરંતર કરવો, બીજો પૃચ્છના નામનો સ્વાધ્યાય છે. સૂત્ર તથા અર્થસંબંધી સંદેહ દૂર કરવા માટે અને તેને હૃદયમાં દૃઢ કરવા માટે બીજા વિશેષ જ્ઞાતાને પૂછવું તે પૃચ્છના કહેવાય છે. તે પૃચ્છના ચિલાતિપુત્ર. મહાબલનો જીવ, સુદર્શન શેઠ અને હરિભદ્ર બ્રાહ્મણ વગેરેની જેમ અવશ્ય કરવી. ત્રીજો પરાવર્તના નામનો સ્વાધ્યાય છે. ભણી ગયેલા સૂત્રાદિક વિસરી ન જવાય માટે તેનું વારંવાર ગણવું – આવૃત્તિ કરવી તે પરાવર્તના કહેવાય છે. તે અતિમુક્તક તથા ક્ષુલ્લક ઋષિની જેમ ક૨વું, તથા વણકરની જેમ વિસ્તારવું. કોઈ એક વણકર પાંજણી પાતાં તે તંતુઓના પ્રાંત ભાગને પકડીને ૧. વૃદ્ધયુનિ. ૨. એક સૂરિનો પરિવાર. ૩. ઘણા આચાર્યોનો પરિવાર. Page #60 -------------------------------------------------------------------------- ________________ moc ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ બંને છેડે ઊભી રહેલી પોતાની બે સ્ત્રીઓ પાસે જ્યારે જ્યારે જતો ત્યારે ત્યારે કુચમર્દન તથા અધરચુંબનાદિ કરતો હતો. તેની આ પ્રમાણેની ચેષ્ટા માર્ગે જતા કોઈ મુનિએ જોઈ એટલે તે ઊભા રહ્યા. તે વખતે વણકર મુનિને કહ્યું કે : “હે સાધુ! તમે શું જુઓ છો? આવું સુખ તમે ક્યાંય જોયું છે? તમારે તો સ્વપ્નમાં પણ આવું સુખ ક્યાંથી હોય?” આ પ્રમાણે અભિમાનવાળું તેનું વચન સાંભળીને મુનિએ અવધિજ્ઞાનનો ઉપયોગ દીધો. તેથી તે વણકરનું માત્ર એક ક્ષણનું જ આયુષ્ય બાકી રહેલું જોઈને તેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે : “હે ભદ્ર! કેટલી વખત જીવવા માટે આવી કામચેષ્ટા કરે છે? તારું આયુષ્ય તો હમણાં જ પૂર્ણ થવાનું છે.” તે સાંભળીને વણકર ભય પામીને બોલ્યો કે : “ત્યારે તમે મને કાંઈ પણ જીવવાનો ઉપાય કહો.” પછી મુનિએ તેને નવકાર મંત્ર આપ્યો. તે મંત્રને એકવાર ગણીને તેનું પરાવર્તન કરતો તે મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. પોતાના પતિનું અકસ્માત મૃત્યુ જોઈને તેની સ્ત્રીઓએ મુનિને કલંક ચડાવ્યું કે “તમે મારા સ્વામીને મૂઠ વગેરે પ્રયોગથી મારી નાંખ્યો.” મુનિએ તેમને ઘણો ઉપદેશ તથા શિખામણ આપી, પણ તે સ્ત્રીઓએ પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં અને ગામના લોકોને ભેગા કરી મુનિને કલંક આપવા લાગી. મુનિ પણ તે દેવના આગમનની રાહ જોતા ત્યાં જ ઊભા રહ્યા. એટલામાં તે વણકર દેવ પોતાના ગુરુના ઉપકારનું સ્મરણ થતાં તત્કાળ ત્યાં આવ્યો અને ગામના લોકોને તથા પોતાની સ્ત્રીઓને સર્વ વૃત્તાંત કહીને તેમની શંકા દૂર કરી, ગુરુને નમી તથા સ્તવીને સ્વર્ગે ગયો. ચોથો અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા એટલે સ્ત્રાર્થનો મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં ધ્યાન કરવું તે. કાયોત્સર્ગાદિકમાં અને અસ્વાધ્યાયને દિવસે મુખે પરાવર્તન થઈ શકે નહીં, માટે તે વખતે અનુપ્રેક્ષા વડે જ શ્રુતસ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તન કરતાં અનુપ્રેક્ષા અધિક ફળદાયી છે, કેમકે અભ્યાસના વશથી મનનું શૂન્યપણું છતાં પણ મુખ વડે પરાવર્તન થઈ શકે છે અને અનુપ્રેક્ષા તો મન સાવધાન હોય ત્યારે જ થઈ શકે છે. મંત્રની આરાધના વગેરેમાં સ્મરણ (અનુપ્રેક્ષા) થી જ વિશેષ સિદ્ધિ થાય છે. કહ્યું છે કે – संकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । ૌનગાનાન: શ્રેષ્ઠ, કાપ: જ્ઞાષ્ય: પર: પર: આશા ભાવાર્થ - “ઘણા માણસોમાં રહીને જાપ કરવો તે કરતાં એકાંતે કરવો તે શ્રેષ્ઠ છે, તેમાં પણ મુખથી બોલીને કરવા કરતાં મૌન ધારણ કરીને કરવો તે શ્રેષ્ઠ છે, મૌન જપ કરતાં પણ મનથી જાપ કરવો તે શ્રેષ્ઠ છે. એવી રીતે ઉત્તરોત્તર જપ વખાણવા લાયક છે.” વળી સંલેખના, અનશન વગેરે કરવાથી બહુ ક્ષીણ શરીરવાળા થઈ જવાને લીધે પરાવર્તનાદિક કરવાની શક્તિ જ્યારે રહેતી નથી ત્યારે અનુપ્રેક્ષાએ કરીને જ પ્રતિક્રમણ વગેરે નિત્યક્રિયા થાય છે અને તેથી જ ઘાતકર્મનો ક્ષય થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ને પ્રાંતે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. પાંચમો ધર્મકથા નામનો સ્વાધ્યાય છે. ધર્મકથા એટલે ધર્મનો ઉપદેશ અને સૂત્રાર્થની વ્યાખ્યા કરવી તથા સાંભળવી તે. તે ધર્મકથા નંદિષેણ ઋષિની જેમ કરવી. આ પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરીને તપની પૂર્તિ થાય છે. તે વિષે આલોચનાના ગ્રંથમાં કહ્યું છે કે “એકાસણાનો ભંગ થાય તો પાંચસો નવકાર ગણવા. ઉપવાસનો ભંગ થાય તો બે હજાર નવકાર ગણવા. નીવિનો ભંગ થાય તો છસો ને સડસઠ નવકાર ગણવા. આયંબિલનો ભંગ થાય તો એક હજાર નવકાર ગણવા. ચોવિહારનો ભંગ થાય તો એક ઉપવાસ કરવો તથા હમેશાં એકસો નવકાર ગણવાથી વર્ષે છત્રીસ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે. હંમેશાં બસો નવકાર ગણવાથી વર્ષે ૭૨ હજાર અને હંમેશા ૩૦૦ ગણવાથી એક વર્ષે એક લાખ અને સાઠ હજાર નવકારનો સ્વાધ્યાય થાય છે. ઈત્યાદિ પોતાની મેળે જાણી લેવું.” આવી રીતના સ્વાધ્યાય તપને જિનેશ્વરે સર્વોત્તમ એટલે સર્વ તપમાં ઉત્તમ તપ કહેલો છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે - बारसविहंमि तवे, अब्भिंतरबाहिरे कसलदिट्टे । न वि अत्थि न वि अ होहि, सज्झायसमं तवोकम्मं ॥१॥ ભાવાર્થ ઃ- “સર્વજ્ઞ ભગવંતે કહેલા અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપકર્મ કોઈ છે પણ નહીં, અને કોઈ થશે પણ નહીં.” मणवयणकायगुत्तो, नाणावरणं च खवइ अणुसमयं । सज्झाये वÉतो, खणे खणे जाइ वेरग्गं ॥२॥ ભાવાર્થ - “સ્વાધ્યાયમાં વર્તતો માણસ મન, વચન અને કાયાની ગુપ્તિએ કરીને પ્રતિ સમયે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે, તથા તેને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.” इग दुति मासखवणं, संवच्छरमवि अणसिओ हुज्जा। सज्झायज्झाणरहिओ, एगोवासफलं पि न लभिज्जा ॥३॥ ભાવાર્થ :- “એક માસ, બે માસ કે ત્રણ માસક્ષપણ કરે અથવા એક વર્ષ સુધી અનશન (ઉપવાસ) કરે, પણ જો તે સ્વાધ્યાય ધ્યાન રહિત હોય, તો એક ઉપવાસનું પણ ફળ મેળવતો નથી.” उग्गम उप्पाय एसणाहिं, सुटुं च निच्च भुंजतो । जइ तिविहेणाउत्तो, अणुसमयं भविज्ज सज्जाए ॥४॥ ता तं गोयम एगग्ग-माणसं नेव उवमिउं सक्का । संवच्छरखवणेणवि, जेण तहिं निज्जराणंता ॥५॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૫૧ ભાવાર્થ :- “ઉદ્ગમ, ઉત્પાદ અને એષણાના દોષ વિનાના શુદ્ધ આહારને દ૨૨ોજ ભોગવતો સતો પણ જો તે પ્રતિસમયે ત્રિવિધ યોગ વડે સ્વાધ્યાયમાં આયુક્ત-તત્પર હોય તો કે ગૌતમ ! તે એકાગ્ર મનવાળાને સાંવત્સરિક તપ વડે કરીને પણ ઉપમી શકીએ નહીં, અર્થાત્ તેની સાથે પણ સરખાવી શકીએ નહીં, કારણ કે સાંવત્સરિક ઉપવાસ કરતાં તેને અનંતગુણી નિર્જરા થાય છે.” ૪-૫ હવે પ્રસંગાગત વ્યતિરેક ફળ આગળ કહેવાશે એવા સુભદ્રાના સંબંધથી જાણવું. સુભદ્રાની કથા વારાણસીપુરીમાં એક સાર્થવાહ હતો. તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેને કાંઈ પણ સંતતિ થતી નહોતી. તેને માટે તે બહુ વિકલ્પ કરતી હતી. એકદા તેને ઘેર સાધ્વી સંઘાટક (બે સાધ્વી) ભિક્ષા માટે આવ્યા. તેમને પ્રતિલાભીને સુભદ્રાએ વિજ્ઞપ્તિ કરી પૂછ્યું કે “હે પૂજ્ય ! જે સ્ત્રીના પુત્રો આંગણામાં ક્રીડા કરતા હોય તે સ્ત્રીને ધન્ય છે ! માટે મારે કાંઈ સંતતિ થશે કે નહીં ?” સાધ્વી બોલ્યા કે “હે ભદ્રે ! અમે ધર્મ વિના બીજું કાંઈ બોલતાં નથી.” ત્યારે સુભદ્રા બોલી કે “તો ધર્મ કહો.” ત્યારે તે સાધ્વીઓએ સારી રીતે ધર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળીને સુભદ્રા બોધ પામી. પછી અપુત્રપણાના દુઃખથી પીડાયેલી તે સુભદ્રાએ કેટલેક કાળે પતિની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું પાલન કરતાં તે સ્વાધ્યાયમાં તત્પર રહેતી. તા પણ રૂપવંત એવા બાળકોને દેખીને મોહના વશથી તે પોતાના ઉદર પર, ખોળામાં, હ્રદય ઉપર અને જંઘા ઉપર બેસાડતી તથા કેટલાંક બાળકોને આંગળીનો આધાર આપીને ભમાડતી અને કેટલાંકને સુખડી વગેરે ખાવાનું પણ આપતી, કહ્યું છે કે - केसि पि देइ खज्ज, अन्नेसिं भुज्जईमन्नेसिं । अब्भंगइ उव्वट्टर, हाइ य तह फासुअजलेण ॥१॥ धाइकम्माइआ जं दोसा जिणवरेहिं इह भणिया । इहलोअ पारलोईअ, दुक्खाण निबंधणब्भुआ ॥२॥ ભાવાર્થ :- “કોઈ બાળકને ખાવાનું આપે, કોઈને ખવરાવે, કોઈને અલ્ટંગ કરે, ઉવટ્ટણું કરે, તેમ જ ફાસુ જળ વડે હવરાવે, ઈત્યાદિ ધાત્રીકર્મ (ધાવ્ય માતા દ્વારા કરાતાં કાર્યો) થી જે દોષ જિનેશ્વર ભગવંતે કહેલો છે તે આલોકમાં ને પરલોકમાં દુઃખના નિબંધનભૂત (કારણભૂત) જાણવો.” ૧-૨ આ પ્રમાણે સુભદ્રા સાધ્વીની ચેષ્ટા જોઈને બીજી વૃદ્ધા સાધ્વીઓએ તેને શિખામણ આપી કે “તને આમ કરવું ઘટતું નથી, સ્વાધ્યાયાદિક ક્રિયામાં તું કેમ પ્રમાદ કરે છે ? મુનિઓ તો દ્રવ્ય અને ભાવથી બાળક સાથેની ક્રીડા અથવા તેની ઈચ્છાનો ત્યાગ કરીને નિરન્તર અધ્યાત્મમાં જ આસક્ત હોય છે.” તે સાંભળીને સુભદ્રા અતિ કોપ પામીને બીજા ઉપાશ્રયમાં ગઈ, ત્યાં નિરંકુશ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ થઈને યથેચ્છ રીતે બાળકોની સાથે ક્રીડા કરવા લાગી. છેવટે પાક્ષિક અનશનથી કાળ કરીને પ્રથમ સ્વર્ગમાં દેવીપણે ઉત્પન્ન થઈ. એકદા તે સુભદ્રાદેવી શ્રી મહાવીર સ્વામીને વાંદવા માટે સર્વ સમૃદ્ધિ સહિત આવી, ત્યાં પણ પૂર્વના અભ્યાસથી તેમ જ બાળક પરના રાગથી ઘણા બાળકો વિકર્વીને નાટક કરી તે પોતાના. વિમાનમાં ગઈ. તેના ગયા પછી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે “હે ભગવન્! આ દેવીએ ઘણા બાળકોને શા માટે વિકુવ્યં?” જિનેશ્વરે કહ્યું કે “હે ગૌતમ ! એ બહુપુત્રિકા નામની દેવી છે. તેણે પૂર્વભવના અભ્યાસના વશથી અહીં પણ બાળકો વિદુર્ભા હતાં, શક્રેન્દ્રની સભામાં પણ તેણે નૃત્ય કરતી વખતે ઘણાં બાળકો વિદુર્ભા હતાં, તેથી તે દેવી બહુપુત્રિકા નામથી પ્રસિદ્ધ થઈ છે.” તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂક્યો, એટલે સ્વામીએ સર્વ વૃત્તાન્ત કહ્યો, ગૌતમસ્વામીએ “હવે પછી તે ક્યાં જશે?” એવો પ્રશ્ન કર્યો, ત્યારે પ્રભુ બોલ્યા કે “એ દેવી ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વિંધ્યાચળ પર્વતની સમીપે વેભેલ નામના સન્નિવેશમાં સોમા નામે કોઈ બ્રાહ્મણની રૂપવતી પુત્રી થશે, તેને કોઈ રાષ્ટ્રકુટ નામનો દ્વિજ પરણશે, ત્યાં તેને યુગલ સંતાન ઉત્પન્ન થશે, એમ દર વર્ષે બબે સંતતિ ઉત્પન્ન થતાં સોળ વર્ષમાં બત્રીશ પુત્રપુત્રીનો સમુદાય થશે. બાળકોમાં કોઈ તેની પીઠ ઉપર અને કોઈ માથા ઉપર ચડી જશે, કોઈ પ્રહાર કરશે, કોઈ ખાવાનું માગશે, કોઈ ઉત્સંગમાં મૂત્રાદિક કરશે, એમ રાત્રિ-દિવસ પુત્રોનાં દુઃખથી પીડા પામીને ઘણો ઉદ્વેગ પામી સતી મનમાં વિચાર કરશે કે “મારા કરતાં વંધ્યા સ્ત્રી શ્રેષ્ઠ છે, કે જે સુખે રહે છે અને નિરાંતે નિદ્રા લે છે.” પછી એકદા સાધ્વીના સંઘાડાને પ્રતિલાભતાં તેને જાતિસ્મરણ ઉત્પન્ન થશે, તેથી પોતાનો પૂર્વભવ જાણીને તે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરશે. પછી એકાદશ અંગનો અભ્યાસ કરી સર્વ જનોની સમક્ષ પોતાના પૂર્વભવનું ચરિત્ર પ્રગટ કરી અંતે એકમાસના અનશનથી કાળધર્મ પામીને બે સાગરોપમના આયુષ્યવાળો દેવ થશે, ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. “સુભદ્રા સાધ્વી સ્વાધ્યાયાદિક ક્રિયામાં પ્રવર્તતાં છતાં પણ બાળકોને જોઈને તેના પરના મોહથી ક્રિયામાં શિથિલ થઈ, તો તેનું ફળ બીજા મનુષ્યભવમાં પામીને પછી તેની આલોચના કરી પ્રાંતે મુક્તિ પામી.” ૨૯૬ ધ્યાન નામનો અગિયારમો તપાચાર सिद्धाः सिध्यन्ति सेत्स्यन्ति, यावन्तः केऽपि मानवाः । ध्यानतपोबलेनैव, ते सर्वेऽपि सुभाशयाः ॥१॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૫૩ ભાવાર્થ :- “જે કોઈ મનુષ્યો સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે તે સર્વે શુભાશયવાળા ધ્યાનતપના બળે કરીને જ સિદ્ધિપણું પામે છે એમ જાણવું.” અહીં એવો મતલબ છે કે નાનાપ્રકારનાં દુસ્તર તપ તપે, તો પણ તે શુભ ધ્યાનથી જ સિદ્ધિને પામે છે, કેમકે મરુદેવી માતા અને ભરત ચક્રી વગેરે તપ વિના પણ સિદ્ધિ પામ્યા છે, માટે મોક્ષનું વ્યવધાન રહિત અવધ્ય સાધન શુભ ધ્યાન જ છે. બીજા સર્વ સત્કૃત્યો પરંપરાએ કરીને જ મોક્ષના સાધન છે, સર્વ સુકૃત્યો કરતાં શુભ ધ્યાનનું જ સર્વ પ્રકારે અતિશયપણું છે. કહ્યું છે કે - निर्जराकरणे बाह्याच्छ्रेष्ठमाभ्यन्तरं तपः । तत्राप्येकातपत्रत्वं, ध्यानस्य मुनयोः जगुः ॥१॥ ભાવાર્થ :- “નિર્જરા કરવામાં બાહ્ય તપ કરતાં અભ્યત્તર તપ શ્રેષ્ઠ છે, તેમાં પણ ધ્યાનતપનું એક છત્રપણું છે. તે તપ ચક્રવર્તી છે', એમ મુનિઓ કહે છે. ધ્યાનના કાળનું પ્રમાણ આ પ્રમાણે કહ્યું છે - अन्तर्मुहूर्त्तमात्रं यदेकाग्रचित्ततान्वितम् । तद्ध्यानं चिरकालानां, कर्मणां क्षयकारणम् ॥१॥ ભાવાર્થ:- “અન્તર્મુહૂર્ત માત્ર જે એકાગ્ર ચિત્તપણું તે ધ્યાન કહેવાય છે. તેવું ધ્યાન ઘણા કાળના બાંધેલા કર્મોનો ક્ષય કરવામાં કારણભૂત છે.” આ અર્થને પુષ્ટિ કરનારું સિદ્ધાન્તનું વાક્ય પણ છે કે – अंतोमुहत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुमि । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥१॥ ભાવાર્થ:- “એક જ વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર જે ચિત્તની એકાગ્રતા તે છબસ્થોનું ધ્યાન છે અને યોગનિરોધ તે જિનેશ્વરોનું ધ્યાન છે.” આ ધ્યાન ઘણા કાળના સંચિત કરેલા અનન્ત કર્મોનો પણ તત્કાળ ક્ષય કરે છે. તે વિષે ભાષ્યકાર કહે છે કે – जह चिरसंचिअमिधणमणलो य पवणसहिओ दुअं डहइ । तह कम्मिंधणममि खणेण झाणाणलो डहइ ॥१॥ . ભાવાર્થ :- “જેમ ચિરકાળના એકઠાં કરેલા કાષ્ઠોને પવનની સાથે રહેલો અગ્નિ બાળી નાખે છે, તેમ અનન્ત કર્મરૂપી ઈંધનને એક ક્ષણમાત્રમાં જ ધ્યાનરૂપી અગ્નિ બાળી નાખે છે.” Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ अहवा घणसंघाया, खणेण पवणाहया विलिज्जति । झाणपवणावहूआ, तह कम्मघणा विलिज्जति ॥१॥ ભાવાર્થ - “અથવા જેમ પવનથી હણાયેલો મેઘસમૂહ એક ક્ષણમાત્રમાં વીંખાઈ જાય છે (નાશ પામી જાય છે), તેમ ધ્યાનરૂપી પવનથી હણાયેલો કર્મરૂપી મેઘ ક્ષણમાત્રમાં વેરાઈ જાય હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત નિમિત્તો ધ્યાનને અનુસાર જ ફળ આપે છે. તે વિષે કહ્યું છે કે - प्रशस्तकारणानि स्युः, शुभानि ध्यानयोगतः । अनर्हाण्यपि तान्येव, अनर्हध्यानपुष्टितः ॥१॥ अप्रशस्तनिमित्तानि, शुभानि ध्यानशुद्धितः । तद्रूपाणि भवन्त्येव, अशुभाश्रवसंश्रयात् ॥२॥ ભાવાર્થ: - “શુભ ધ્યાનના યોગથી પ્રશસ્ત એવાં કારણો શુભ થાય છે અને તે જ કારણો અશુભ ધ્યાનની પુષ્ટિથી અશુભ (અયોગ્ય) પણ થાય છે. તેમ જ ધ્યાનની શુદ્ધિથી અપ્રશસ્ત નિમિત્તો શુભ થાય છે અને અશુભ આશ્રવનો આશ્રય કરવાથી તે જ કારણો અશુભ થાય છે.” આ બે શ્લોકોનું તાત્પર્ય એવું છે કે શ્રી જિનેશ્વરના મતમાં જેટલા સુકૃત્યોના પ્રકારો છે, તે સર્વે જો કે મુક્તિના હેતુઓ છે, પરંતુ તે સત્કૃત્યો શુભધ્યાનસંયુક્ત હોય તો જ મુક્તિના કારણ છે, નહિ તો મુક્તિના કારણ નથી. તે ઉપર ઘણા વખત સુધી ચારિત્રનું આરાધન કરનાર અંગારમદક નામના આચાર્યનું દષ્ટાંત સ્વયમેવ જાણી લેવું અને શુભ ધ્યાન સતે સ્ત્રી ધનાદિક જે કાંઈ ભાવવૃદ્ધિના કારણભૂત છે તે પણ મુક્તિના કારણે થાય છે. કહ્યું છે કે - अहो ध्यानस्य माहात्म्यं, येनैकापि हि कामिनी । - અનુપ વિરાખ્યાં , ગવાય શિવાય ચ | ભાવાર્થ:- “અહો ! ધ્યાનનું કેવું માહાભ્ય છે કે જેથી એક જ સ્ત્રી અનુરાગ અને વિરાગે કરીને ભવને માટે તથા મોક્ષને માટે થાય છે, એટલે અનુરાગથી ભવને માટે થાય છે અને વિરાગથી મોક્ષને માટે થાય છે.” સૂત્રમાં પણ કહ્યું છે કે - जे जित्तिआ य हेऊ, भवस्स ते चेव तित्तिआ मुक्खे। गुणगणाईआ लोगा, दुण्हवि पुन्ना भवे तुल्ला ॥१॥ ભાવાર્થઃ- “જે જેટલા સંસારના હેતુ છે તે જ તેટલા મોક્ષના હેતુ છે. ગુણ ગણાતીત લોકમાં બંને પૂર્ણ છે અને સરખા જ છે.” Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૫૫ આ વગેરે અનેક યુક્તિએ કરીને ધ્યાનનું માહાત્મ્ય શાસ્ત્રમાં વર્ણવ્યું છે. તે સાંભળીને અપ્રશસ્ત અનેક નિમિત્તો મળે તો પણ વસુભૂતિની જેમ શુભ ધ્યાન તજવું નહીં. વસુભૂતિની કથા વસંતપુરમાં શિવભૂતિ અને વસુભૂતિ નામના બે ભાઈઓ હતા. એકદા મોટા ભાઈ શિવભૂતિની સ્ત્રી કમળશ્રીએ કામદેવ જેવા વસુભૂતિ દિયરને જોઈને રાગ ઉત્પન્ન થવાથી ભોગને માટે તેની પાસે યાચના કરી, ત્યારે વસુભૂતિ બોલ્યો કે “હે મુગ્ધા ! ‘મોટા ભાઈની પત્ની માતા સમાન જાણવી’ એમ નીતિશાસ્ત્રમાં કહેલું છે.” તે સાંભળીને કમલશ્રી બોલી કે - હે સ્વામી ! મારા અંગમાં વ્યાપેલી કામજ્વરની વ્યથા શાંત કર, નહિ તો તને મોટું પાપ લાગશે. તું લોકવ્યવહારથી અજ્ઞાત છે, તેથી શાસ્ત્રના વાક્યથી ભ્રાન્તિ પામ્યો છે. વ્યવહારને નહિ જાણનારાનું એક દૃષ્ટાંત તને કહું તે સાંભળ. હરિસ્થળ નામના ગામમાં ન્યાય, જ્યોતિષ, વ્યાકરણ અને વૈદ્યકશાસ્ત્રમાં કુશળ થયેલા પણ વ્યવહારથી વિકળ ચાર બ્રાહ્મણના પુત્રો પરસ્પર પ્રીતિવાળા હતા. એક દિવસ તે ચારે જણ પોતપોતાની વિદ્યાથી ગર્વિત થયેલા પરદેશના કૌતુકો જોવા માટે પોતાના ગામથી નીકળ્યા. માર્ગમાં કોઈ ગામ આવ્યું ત્યાં ભોજન માટે રોકાયા. પછી જે નૈયાયિક હતો તેણે ઘી લાવવાનું, જ્યોતિષીએ બળદ ચારવાનું, વૈયાકરણીએ રસોઈ કરવાનું અને વૈધે શાક લાવવાનું કામ માથે લીધું. પછી પોતપોતાના કાર્યમાં ચારે પ્રવૃત્ત થયા. નૈયાયિક ઘી લઈને આવતાં માર્ગમાં વિચાર કરવા લાગ્યો કે ‘ધૃતાધારું પાત્ર પાત્રાધારું ધૃતં વા’ ઘીને આધારે પાત્ર છે કે પાત્રને આધારે ઘી રહ્યું છે ? એમ વિચારીને ખાત્રી કરવા માટે તે ધૃતપાત્રને ઉંધું વાળ્યું, એટલે તેમાંનું બધું ઘી પૃથ્વી પર પડી ગયું. પછી આગળ ચાલતાં સામેથી હાથી આવતો જોઈને તેણે વિચાર્યું કે “આ હાથી પ્રાપ્ત (અડકનાર)ને મારે કે અપ્રાપ્તને મારે ? જો અપ્રાપ્તને હણે તો કોઈપણ જીવે નહીં, અને તેવી જ રીતે જોવામાં પણ આવતું નથી. જો કદાચ પ્રાપ્તને હણે તો તેના મહાવતને હણશે, હું તો અતિ દૂર છું અને તેને અડકતો પણ નથી.” ઈત્યાદિ વિચાર કરે છે, તેવામાં હાથીએ તેને તત્કાળ સૂંઢથી પકડ્યો. હવે બીજો જે જોષી હતો તે બળદ ચારવા ગયો, ત્યાં બળદો લીલાં ઘાસ ચરતા-ચરતા દૂર નીકળી ગયા. તેથી તેની શોધ માટે તે જ્યોતિષશાસ્ત્રનું અવલોકન કરવા લાગ્યો કે “આ મારા બળદો અંધ નક્ષત્રમાં, કાણ નક્ષત્રમાં, ચીપ્પટ નક્ષત્રમાં કે દિવ્યચક્ષુ નક્ષત્રમાં – કયા નક્ષત્રમાં ગયા છે ? વળી તેઓ કઈ દિશામાં ગયા છે અને ચર લગ્નમાં ગયા છે કે સ્થિર લગ્નમાં ગયા છે ?” ઈત્યાદિ વિચાર કરવા લાગ્યો. તેટલામાં તો તે બળદો અતિ દૂર નીકળી ગયા. હવે ત્રીજો જે વૈયાકરણી હતો રસોઈ કરતો હતો, તેણે ચૂલા પર ખીચડી મૂકી હતી. તેમાં ‘ખદબદ' શબ્દ થવા લાગ્યો. તે સાંભળીને તેણે વિચાર્યું કે “અહો ! આ ‘ખદબદ’ શબ્દ કયા વ્યાકરણમાં કયા સૂત્રથી સિદ્ધ થયો છે ?” ઈત્યાદિ વિચાર કરવા લાગ્યો. એટલે ખીચડી દાઝી ગઈ. હવે ચોથો જે વૈદ્ય હતો, તે શાક લેવા ગયો હતો. ત્યાં કેળાં, કેરી, કંકોડા, ભાજી, લીંબુ વગેરે ઘણા શાક જોઈને તેણે વિચાર્યું કે આ સર્વે શાક વાત, - ઉ.ભા.-૫-૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ પિત્ત, કફ, શ્લેખ અને ત્રિદોષ વગેરે મહાવ્યાધિઓને ઉત્પન્ન કરવાના કારણભૂત છે, માટે તે શાક તો લેવા નહિ પણ આ લીંબડાનું શાક ઠીક છે, કેમકે વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે - निंबो वातहरः कलौ सुरतरुः शाखाप्रशाखाकुलः, पित्तनः कृमिनाशनः कफहरो दुर्गन्धनिर्नाशनः । कुष्ठव्याधिविषापहो व्रणहरो द्राक्पाचनः शोधनो, बालानां हितकारको विजये निंबाय तस्मै नमः ॥१॥ ભાવાર્થ - “શાખા-પ્રશાખાએ કરીને યુક્ત એવો આ લીંબડો કલિયુગને વિષે કલ્પવૃક્ષ સમાન વિજય પામે છે, તે વાતનું હરણ કરે છે, પિત્તને હણે છે. કૃમિનો નાશ કરે છે, કફનું હરણ કરે છે, દુર્ગધનો નાશ કરે છે, કુષ્ટ (કોઢ)ના વ્યાધિનો અને વિષનો નાશ કરે છે. ત્રણ-ચાંદા વગેરેનું હરણ કરે (ઝાવે) છે, શીધ્ર પાચન કરનાર છે, કોઠાને શુદ્ધ કરે છે, વળી બાળકોને વિશેષ હિત કરનાર છે માટે તે નિંબવૃક્ષને નમસ્કાર છે. આમ વિચારીને તે વૈદકશાસ્ત્રને આધારે લીંબડાનું શાક લઈને આવ્યો, આ પ્રમાણે તેઓ શાસ્ત્ર ભણેલા હતા. છતાં લોકવ્યવહારને નહિ જાણવાથી પોતપોતાના કાર્યમાં ભ્રષ્ટતાને પામ્યા. માટે હે દિયર! તું પણ શાસ્ત્રની જડતા છોડીને મારી સાથે ક્રીડા કર, નહિ તો તને મોટો દોષ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આગ્રહવાળા ભાભીનાં વચનો સાંભળી વસુભૂતિ વૈરાગ્ય પામી ઘર તજી દઈને યતિ થયો. કહ્યું છે કે - अपसर सखे दूरादस्मात् कटाक्षविषानलात्, प्रकृतिविषमाद्योषित्सद्विलासलसत्फणात् । इतरफणिना दष्टः शक्यश्चिकित्सितुभौषधै चटुलवनिताभोगिग्रस्तं त्यजन्ति हि मंत्रिणः ॥१॥ ભાવાર્થ :- “મિત્ર ! જેમાં કટાક્ષરૂપી વિષનો અગ્નિ રહેલો છે, વિલાસરૂપી જેને ઉછળતી ફણા છે અને જે સ્વભાવથી જ વિષમ છે, એવા આ સ્ત્રીરૂપી સર્પથી દૂર ખસી જા. કેમકે બીજા લૌકિક સર્પથી ડસાયેલા માણસની ઔષધાદિકથી ચિકિત્સા કરી શકાય છે, પણ સ્ત્રીરૂપી ચપળ સર્પથી ગ્રસ્ત થયેલાને તો મંત્રિઓ પણ છોડી દે છે, તેઓ પણ તેની ચિકિત્સા કરી શકતા નથી.” આ પ્રમાણે સ્ત્રીનો સંગ વિષમ જાણીને તે મહાત્મા વસુભૂતિ સર્વથા સ્ત્રીસંગનો ત્યાગ કરીને વિહાર કરવા લાગ્યા. તેની ભાભી પણ તેણે દીક્ષા લીધાના ખબર જાણીને રાગના ઉદયથી ૧. સર્પના પક્ષમાં મંત્ર જાણનાર અને સ્ત્રીના પક્ષમાં પ્રધાન વગેરે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૫૭ આર્તધ્યાને મૃત્યુ પામી કોઈક ગામમાં કૂતરી થઈ. ત્યાં તે વસુભૂતિ મુનિને ગૌચરી માટે ફરતા જોઈને પૂર્વરાગના વશથી તે કૂતરી શરીરની છાયાની જેમ તે મુનિની સાથે જ ચાલવા-રહેવા લાગી. સર્વ કાળે અને સર્વ સ્થાને તે કૂતરીને સાથે રહેતી જોઈને લોકો તે મુનિને શુનીપતિ (કૂતરીનો સ્વામી) કહેવા લાગ્યા. આવા લોકવાક્યથી લજ્જા પામીને મુનિ કોઈ પ્રકારે તે કૂતરીની દૃષ્ટિ ભૂલાવી ત્યાંથી જતા રહ્યા. મુનિને નહિ જોવાથી તે કૂતરી આર્ત્તધ્યાનથી મૃત્યુ પામી કોઈ વનમાં વાનરી થઈ. ત્યાં પણ કોઈવાર વસુભૂતિ મુનિને માર્ગમાં વિચરતા જોઈને કૂતરીની જેમ તેમની પાછળ પડી ને સાથે જ ફરવા લાગી. તેવી રીતે જોઈને લોકો મુનિને વાનરીપતિ કહેવા લાગ્યા. જેમ જેમ લોકો મુનિને વાનરીપતિ કહેતા, તેમ તેમ તે વાનરી અત્યંત હર્ષ પામતી અને હંમેશા મુનિની પાસે વિષયની ચેષ્ટા કર્યા કરતી. આ સર્વ જોઈને મુનિ વિચારતા કે “અહો ! મારા કર્મની ગહન ગતિ છે !” પછી શુનીની જેમ આ વાનરીને પણ કોઈ પ્રકારે ભૂલાવો ખવરાવીને મુનિ જતા રહ્યા, એટલે તે વાનરી પણ આર્તધ્યાનથી મૃત્યુ પામીને કોઈ જલાશયમાં હંસી થઈ. તે જલાશય પાસે તે મુનિ એકદા શીતપરિષહ સહન કરવા માટે પ્રતિમા ધારણ કરીને ઊભા હતા, તેને જોઈને હંસી કામાતુર બની ગઈ, તેથી બે હાથ વડે સ્ત્રીની જેમ પાણીથી ભીંજાયેલી બન્ને પાંખો વડે તેણે મુનિને આલિંગન કર્યું અને વારંવાર કરુણ સ્વરે અવ્યક્ત મધુર અને વિરહ વેદનાવાળી વાણી બોલવા લાગી. મુનિ તો શુભધ્યાનમાં જ મગ્ન રહ્યા અને ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. મુનિને નહિ જોવાથી તે હંસી આર્ત્તધ્યાન વડે તેનું જ સ્મરણ કરતી મૃત્યુ પામીને વ્યન્તર નિકાયમાં દેવી થઈ. ત્યાં તેણે વિભંગ જ્ઞાનથી પોતાનો અને મુનિનો સર્વ સંબંધ જાણીને “આ મારા દિયરે મારું વચન માન્યું નથી.” એ વાત સંભારી ક્રોધાયમાન થઈને તે મુનિને હણવા તૈયાર થઈ, પણ મુનિના ધ્યાનતપના પ્રભાવથી તે તેને મારી શકી નહિ. પછી તે દેવી મુનિની પાસે પોતાની દિવ્ય શક્તિથી અનેક સ્ત્રીઓના રૂપો વિકુર્તીને બોલી કે “હે મુનિ ! તમે શું વિચારો છો ? તમારું સંયમ સઘઃ સફળ થયું છે, માટે આ દિવ્ય ભોગ ભોગવો. હવે શા માટે ફોગટ તપ કરો છો ? તમારી વયને યોગ્ય પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું સુખ અંગીકાર કરો.” ઈત્યાદિ પ્રતિકુળ અનેક ઉપસર્ગો તે દેવીએ કર્યા, પણ મુનિ કિંચિત્ માત્ર ક્ષોભ પામ્યા નહીં. તેઓ વિચારવા લાગ્યા કે “સંસારમાં આસક્ત થયેલા બાહ્યદૃષ્ટિવાળા જીવોને સુંદર સ્ત્રી અમૃતના ઘડા જેવી લાગે છે, તે સ્રીને માટે ધન ઉપાર્જન કરે છે અને તેને જ માટે મોહનિમગ્ન થઈને રાવણાદિકની જેમ પ્રાણનો પણ ત્યાગ કરે છે, પરંતુ જેઓ નિર્મળ અને એકાન્ત આનંદમય આત્મસ્વરૂપને જોવામાં દક્ષ થયેલા છે તેઓને તો આ સ્ત્રીઓ મળ, મૂત્ર, માંસ, મેદ, અસ્થિ મજ્જા અને શુક્ર વગેરે અશુચિ પદાર્થનું પાત્ર માલમ પડે છે. તેવી સ્ત્રીઓનો ત્યાગ કરનાર જંબૂસ્વામી વગેરે જ સર્વોત્તમ છે.” ઈત્યાદિ નિર્મળ ધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી સર્વ લોકોની સમક્ષ પોતાનો અને તે દેવીનો સર્વ સંબંધ કહીને અનુક્રમે તે મુનિ મુક્તિપદને પામ્યા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ “ક્ષમા ગુણ ધારણ કરનાર મુનિને ધ્યાનથી ચલિત કરવા માટે રાગથી વિહ્વળ થયેલી તે સ્ત્રી કોઈપણ ભવમાં સમર્થ થઈ નહીં અને તે મુનીશ્વર પણ અનેક પ્રકારના પરિષણો ઉત્પન્ન થયા છતાં એકાગ્ર ધ્યાનથી ભ્રષ્ટ થયા નહીં.” ૨૯૦ કાચોત્સર્ગ નામનો બારમો તપાચાર प्रायो वाङ्मनसोरेव, स्याद्ध्याने हि नियंत्रणा । कायोत्सर्गे तु कायस्याप्यतो ध्यानात् फलं महत् ॥१॥ ऊर्ध्वस्थशयिताद्यैश्च, कायोत्सर्गः क्रियारतैः । एकोनविंशतिदोषैर्मुक्तः कार्यों यथाविधि ॥२॥ ભાવાર્થ:- ધ્યાનમાં પ્રાયે વાણી અને મનની જ નિયંત્રણા (કબજે રાખવાપણું) થાય છે. પણ કાયોત્સર્ગમાં તો કાયાની પણ નિયંત્રણા થાય છે. માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગનું મોટું ફળ છે (૧), ક્રિયામાં આસક્તિવાળા પુરુષોએ ઊભા રહેવા વડે તથા શયન વગેરેએ કરીને ઓગણીશ દોષે કરીને રહિત એવો કાયોત્સર્ગ યથાવિધિ કરવો. (૨) એકાંત સ્થાનમાં લાંબા હાથ રાખીને કાયોત્સર્ગ કરવામાં આવે છે, તે કાયોત્સર્ગનિર્યુક્તિમાં કહેલી ઘોડાયાઉંડમા એ ગાથામાં કહેલા ઓગણીશ દોષ રહિત ઊભા રહીને અથવા શયનાદિક વડે કરવો. આદિનું ગ્રહણ કર્યું છે માટે બેઠા-બેઠા પણ કરી શકાય છે. તેમાં છબસ્થ અવસ્થામાં તીર્થકર અને જિનકલ્પી મુનિ વગેરે તો ઊભા રહીને જ કાયોત્સર્ગ કરે છે, કેમકે તેઓ બેસવું, સુવું વગેરે કાંઈ કરતા નથી. કદાચિત જિનકલ્પી બેસે છે, ત્યારે પણ તે ઉત્કટિક આસને જ બેસે છે અને સુવે તો પણ તે જ આસને રાત્રિના ત્રીજા પ્રહરે સુવે છે, સ્થવિરકલ્પીએ પોતાની શક્તિ પ્રમાણે કાયોત્સર્ગ કરવો, પણ તેના ઓગણીશ દોષ તજવા. આ પ્રસંગ ઉપર એક વૃત્તાંત લખીએ છીએ. સુસ્થિતમુનિનું દષ્ટાંત શ્રી રાજગૃહી નગરીમાં દર્દૂર નામના દેવતાએ શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષાથી પ્રસન્ન થઈને તેને અઢાર સરનો એક હાર, દિવ્ય વસ્ત્રયુગલ તથા બે કુંડળ આપ્યા હતાં. રાજાએ હાર ચેલણાને આપ્યો અને વસ્ત્ર તથા કુંડલ સુનંદાને આપ્યા. તે જોઈને ચેલણાએ ખેદ પામીને કહ્યું Page #70 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ કે “જો તમે મને તે વસ્તુઓ નહીં આપો તો હું મારું જીવિત તજી દઈશ.” રાજાએ કહ્યું કે “તને જેમ રુચે એમ કર.” તે સાંભળીને ચેલણાને ઘણો રોષ ચઢ્યો. તેથી મહેલના ગોખમાં એકલી આર્તધ્યાન કરતી બેઠી. રોષનો આવેશ હોવાથી રાત્રિ છતાં તેને નિદ્રા ન આવી. તે વખતે તે ગોખ નીચે સેચનક હાથીનો મહાવત અને મગધસેના નામની દાસી પરસ્પર વાતો કરતા હતા. તેમાં દાસીએ પોતાના જાર મહાવતને કહ્યું કે “કાલે દાસીઓનો મહોત્સવ છે, તેથી તું મને આ ચંપકમાળા હાથીના કંઠમાંથી ઉતારીને આપ, જેથી તે પહેરીને હું મારી જાતિમાં અધિક શોભા પામું.” મહાવત બોલ્યો કે “રાજાની આજ્ઞાના ભંગનું દુઃખ સહન કરવા હું સમર્થ નથી.” દાસીએ કહ્યું કે “ત્યારે હું પ્રાણ તજીશ.” મહાવત બોલ્યો કે “હું બ્રહ્મદત્ત ચક્રીની જેવો મૂઢ નથી, કે જેથી સ્ત્રીના વચનથી ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થાઉં.” (તે બ્રહ્મદત્તને બકરાએ બોધ આપ્યો હતો વગેરે કથા પૂર્વે લખાઈ ગઈ છે.) તે સાંભળીને દાસી બોલી કે – “હું મરું તો મારા જીવની જાઉં, તેમાં તારું શું ગયું? તું તો બીજી સ્ત્રીમાં આસક્ત થઈ મારું નામ પણ નહીં લે; પરંતુ તારું મન પથ્થર કરતા પણ વધારે કઠણ દેખાય છે.” ઈત્યાદિક તેમની વાતો સાંભળીને ચેલણાએ વિચાર્યું કે “હું જો પ્રાણનો ત્યાગ કરું તો તેમાં રાજાને કાંઈ પણ હાનિ થવાની નથી. તેને તો બીજી પાંચસો રાણીઓ છે, પણ હું તપ સંયમાદિક કર્યા વિના મનુષ્યજન્મથી ભ્રષ્ટ થાઉં” એમ વિચારીને તે પાછી રાજા ઉપર અનુરાગવાળી થઈ. એકદા તે હારનો દોરો તૂટી ગયો. પેલા દર્દીરાંક દેવતાએ હાર આપતી વખતે કહ્યું હતું કે “આ હાર તૂટ્યા પછી તેને જે સાંધશે તે મસ્તક ફાટવાથી મરણ પામશે.” રાજાએ શહેરમાં પડહ વગડાવ્યો કે “જે આ અઢાર સરનો હાર સાંધી આપશે તેને રાજા એક લાખ દિનાર આપશે.” તે સાંભળીને એક વૃદ્ધ મણિકારે પોતાના કુટુંબના સુખ માટે પડહ ગ્રહણ કર્યો. તે વખતે રાજાએ તેને અર્ધો લાખ દ્રવ્ય પ્રથમ આપ્યું અને કહ્યું કે “જ્યારે હાર પૂરો સંધાશે ત્યારે બાકીનું દ્રવ્ય આપશું.” પછી તે હાર લઈને તે મણિકારે પોતાના ઘરના ભાગમાં એક સરખી ભૂમિ પર તે હાર મૂક્યો, પછી એક સૂક્ષ્મ દોરી ઘી તથા મધથી વાસિત કરીને મોતીનાં છિદ્રમાં પરોવવા લાગ્યો, પણ મોતીના છિદ્ર વાંકા હોવાથી તેને સાંધવાને સમર્થ થયો નહીં. તેવામાં મધની ગંધથી ઘણી કીડીઓ ત્યાં આવી. તે દોરીનો છેડો પકડીને ધીમે-ધીમે મોતીનાં છિદ્રમાં ચાલી, એટલે તે દોરી પરોવાઈ ગઈ. પછી તે મણિકારે ગાંઠ વાળીને હાર સાંધી દીધો; પરંતુ તત્કાળ તેનું મસ્તક ફાટી ગયું, તેથી તે મૃત્યુ પામીને તે જ ગામમાં વાનર થયો. એકદા દરેક ઘર ફરતાં-ફરતાં પોતાનું ઘર તથા પુત્રાદિકને જોઈને તેને જાતિસ્મરણ થયું. તે જોઈને પુત્રો ઉપરની અનુકંપાથી તેણે “હું તમારો પિતા છું” એવા અક્ષર પુત્રની પાસે લખ્યા. તે જોઈને તેના સર્વે સ્વજનોએ આશ્ચર્ય પામી વિચાર્યું કે “અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે!” પછી તે વાનરે અક્ષર લખ્યા કે “બાકીનું દ્રવ્ય રાજાએ તમને આપ્યું કે નહીં ?” પુત્રો બોલ્યા કે “નથી આપ્યું” તે સાંભળીને તેને રાજા ઉપર દ્વેષ ઉત્પન્ન થયો, પછી તે હારની ચોરી કરવા માટે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ છિદ્ર જોવા લાગ્યો. એકદા ચેલણા રાણી સાયંકાળે વાવમાં સ્નાન કરતી હતી, તે વખતે તેણે સર્વ અલંકારો ઉતારીને બહાર મૂક્યા હતા, તેમાં તે હાર દેખીને લાગ જોઈને વાનરે તે હાર ગુપ્ત રીતે ઉપાડી લીધો અને પોતાના પુત્રને આપ્યો. રાણી ન્હાઈને અલંકાર પહેરવા લાગી તે વખતે હાર જોયો નહીં, તેથી તે વિલખી થઈ ગઈ. તેણે તે વૃત્તાંત રાજાને કહ્યો. રાજાએ અભયકુમારને બોલાવીને કહ્યું કે “આ હાર સાત દિવસમાં શોધી લાવ, તે સિવાય તારો જીવવાનો ઉપયા દેખાતો નથી.” પછી અભયકુમાર મંત્રીએ તે હારની નિરંતર શોધ કરવા માંડી. હવે તે નગરમાં કોઈ આચાર્યના પાંચ શિષ્યો આવ્યા હતા. તેમના શિવ, સુવ્રત, ધન્ય, જોણક અને સુસ્થિત એવા નામ હતાં. તેમાંથી સુસ્થિત મુનિ જિનકલ્પીપણું અંગીકાર કરવાની ઈચ્છાથી તેની પાંચ પ્રકારની ભાવના ભાવતા હતા. (તુલના કરતા હતા.) તેના નામ આ પ્રમાણે :તવેળ સત્તળ, સુત્તેળ, પાત્તળ વભેળ ય । तुलना पंचहा वुत्ता, जिणकप्पं पडिवज्जओ ॥१॥ * ભાવાર્થ :- “જિનકલ્પ પ્રતિપન્ન કરવાને ઈચ્છનાર મુનિને માટે તપ, સત્ત્વ, સૂત્ર, એકત્ત્વ અને બળ એ પાંચ પ્રકારની તુલના કહી છે.” પહેલી તપ ભાવના આ પ્રમાણે છે કે – પ્રથમ તે પોરસી વગેરે તપનો અભ્યાસ કરે છે, તેમાં ગિરિનદીમાં ઉતરતા સિંહની જેમ ક્ષુધાનો વિજય ક૨વાને માટે ત્રણ ગણું તપ કરવું. જેમ કોઈ પર્વતમાંથી નીકળતી નદી જળથી ભરપૂર હોય, તે નદીને ઉતરતો સિંહ સરલ માર્ગ આવે ત્યાં સુધી વક્ર ગતિએ ચાલે, તેવી જ રીતે એક-એક ઉપવાસની વૃદ્ધિ કરતા કાંઈપણ હાનિ ન થાય તેમ છ માસના ઉપવાસ કરવા સુધી તપને વૃદ્ધિ પમાડે. બીજી સત્ત્વ ભાવના એ છે કે- રાત્રિને વખતે પ્રથમ ઉપાશ્રયમાં રહીને કાયોત્સર્ગ કરતા સર્પ, ચોર, ગોપાળ તથા ભયંકર સંગ્રામ વગેરેથી ભય પામે નહીં અને રાત્રિના પહેલા ત્રણ પ્રહર સુધી ધ્યાનમાં જ સ્થિત રહે, બિલકુલ નિદ્રા લે નહીં. તેને કાયોત્સર્ગ કરવાના પાંચ સ્થાન છે. તેમાં પ્રથમ ઉપાશ્રયમાં, બીજું ઉપાશ્રય બહાર, ત્રીજું ચૌટામાં, ચોથું શૂન્ય ઘરમાં અને પાંચમું સ્મશાનમાં. આ સ્થાનોમાં ધ્યાનમગ્ન રહેતા ભયંકર સ્વરૂપવાળા દેવતાઓ બીવડાવે તો પણ કિંચિત્ ભય પામે નહીં; સર્વત્ર નિર્ભયરહે. (આ ભાવનામાં ભય અને નિદ્રાનો જય કરવાનો છે.) ત્રીજી સૂત્ર ભાવના એવી રીતે છે કે - નંદીસૂત્ર વગેરે સર્વ શાસ્ત્ર પોતાના નામની જેમ કોઈપણ વખતે ભૂલે નહીં, કંઠે રાખે અને કાળના પ્રમાણને સૂત્રના આધારે બરાબર જાણે. શ્વાસોચ્છ્વાસ, પ્રાણ, સ્તોક, મુહૂર્ત તથા પોરસી વગેરે કાળના પ્રમાણને દિવસે તથા રાત્રિએ મેઘાદિકથી આકાશ છવાયું હોય તો પણ યથાસ્થિત જાણે, તથા પડિલેહણનો કાળ, બે ટંકનો પ્રતિક્રમણનો કાળ, ભિક્ષાનો કાળ તથા વિહારાદિકનો કાળ પણ દેહની છાયા ન દેખાતી હોય ત્યારે પણ બરાબર જાણે. ચોથી એકત્વ ભાવના એવી રીતે છે કે - જો કે પ્રથમ ગૃહસ્થીપણાનું સ્ત્રી ધનાદિક સંબંધી Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૬૧ મમત્વ સાધુએ છોડી દીધું છે, તો પણ પાછળથી આચાર્યાદિક પદ પ્રાપ્ત થવાથી ગચ્છ વગેરે ઉપર મમત્વ ઉત્પન્ન થાય છે, તેવું મમત્વ ન કરવું અને દૃષ્ટિપાત, આલાપ, પરસ્પર કુશળપૃચ્છા અને કથાવ્યતીકર કહેવા વગેરેની જે પ્રથમ પ્રવૃત્તિ હતી, તે સર્વનો ત્યાગ કરવો, છેવટે દેહ અને ઉપધિ આદિકનું મમત્વ પણ તજવું. પાંચમી બળ ભાવના આ પ્રમાણે છે કે - તપ પ્રમુખના વશથી જો શરીરનું બળ ક્ષીણ થયું હોય તો પણ ચિત્તના પૈર્યનો ત્યાગ કરે નહીં. મહા ઘોર પરિષહ ઉત્પન્ન થાય, અથવા બીજા દુર્ધર પ્રાણીઓના ભયજનક ઉપસર્ગો થાય તો પણ પોતાનું વૈર્ય મૂકે નહીં. આ પ્રમાણે પાંચે ભાવનાથી કાંઈ પણ ક્ષોભ ન પામે તો પછી જિનકલ્પને અંગીકાર કરી શકાય છે. સુસ્થિતમુનિ બીજી સત્ત્વ ભાવનાએ કરીને આત્માને ભાવતા હતા, તેમાં પણ ઉપાશ્રય બહાર રહીને કાયોત્સર્ગ કરવારૂપ બીજા સત્ત્વયોગની ભાવના કરતા હતા. તે પાંચ મુનિઓ અભયકુમાર મંત્રીની યાનશાળામાં માસકલ્પ રહ્યા હતા. હવે અભયકુમારે ઘણી શોધ કરી તો પણ હાર મળ્યો નહીં, તેથી “છ દિવસ વીતી ગયા અને સાતમો દિવસ છે, કોણ જાણે કાલે શું થશે?” ઈત્યાદિ વિચારથી તે શોકાતુર થયા સતા “આજે તો સાધુ પાસે જઈને તેમની પર્યાપાસના કરુ” એવો વિચાર કરીને ઉપાશ્રયમાં આવી રાત્રિપોસહ લઈ ત્યાં જ રાત્રિ રહ્યા. તે સમયે સુસ્થિતમુનિ પ્રતિક્રમણ કરીને ઉપાશ્રયની બહાર જઈ કાયોત્સર્ગે રહ્યા. - અહીં પેલા મણિકારના પુત્રને વિચાર થયો કે “જો કદાચ રાજાને આ હાર મારી પાસે છે એમ ખબર પડશે, તો આખા કુટુંબ સહિત મારા જીવિતની હાનિ થશે.” પછી તેણે તે હાર વાનરને પાછો આપ્યો. માણસો ઉપર કૃપાવાન વાનરે તે હાર બીજે કાંઈ ન મૂકતા સાધુના ઉપાશ્રય પાસે આવ્યો, ત્યાં મુનિને ઉપાશ્રયની બહાર એકલા કાયોત્સર્ગે રહેલા જોઈને તે હાર મુનિના કંઠમાં પહેરાવી દીધો. હવે ઉપાશ્રયમાં રહેલા બીજા ચાર સાધુઓ એક એક પ્રહરના વારા પ્રમાણે સુસ્થિતમુનિના શરીરને પ્રમાર્જવા (તેની સંભાળ લેવા) આવતા હતા. તેમાં પ્રથમ શિવસાધુ પહેલે પ્રહરે કાયોત્સર્ગે રહેલા સુસ્થિતમુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે આવ્યા તે વખતે તેમના કિંઠમાં દિવ્ય કાંતિવાળો હાર જોઈને તેણે ધાર્યું કે “જરૂર જેને માટે અભયમંત્રી ચિંતાતુર છે તે જ આ હાર જણાય છે. પછી સુસ્થિતમુનિના દેહનું પ્રમાર્જન કરીને પહેલો પ્રહર પૂરો થયે ઉપાશ્રયની અંદર નિસ્ટિહિ કહીને પ્રવેશ કરતાં તેને બદલે શિવસાધુ બોલ્યા કે “અહો ! મહાભય પ્રાપ્ત થયું.” તે સાંભળીને અભયે પૂછ્યું કે “નિર્ભય એવા મુનિઓને ભય ક્યાંથી હોય?” સાધુએ કહ્યું કે “પૂર્વે અનુભવેલા ભયનું સ્મરણ થયું.” અભયે કહ્યું કે “હે પૂજય! તે વૃત્તાન્ત જાણવા ઈચ્છું છું.” ત્યારે મુનિ બોલ્યા કે - અવન્તીનગરીમાં સોમ અને શિવદત્ત નામે બે ભાઈઓ રહેતા હતા. તે બન્ને ધન મેળવવાની ઈચ્છાથી વ્યાપાર કરવા માટે સૌરાષ્ટ્ર દેશમાં ગયા. ત્યાં અનેક પ્રકારના અધમ તથા કર્માદાનના વ્યાપાર કરીને તેમણે ઘણું દ્રવ્ય મેળવ્યું. પછી પોતાના ઘર તરફ આવવા તૈયાર થયા. તે વખતે સર્વ ધન એક વાંસળીમાં ભરીને મોટા ભાઈએ તે વાંસળી પોતાની કેડે બાંધી. માર્ગમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ચાલતાં તેને વિચાર થયો કે “જો હું નાના ભાઈને મારી નાખું તો આ ધનનો ભાગીદાર કોઈ રહે નહીં અને સર્વ ધન મારા હાથમાં જ રહે.” એમ વિચાર કરતો કરતો તે નાના ભાઈ સહિત ગન્ધવતી નદી પાસે આવી પહોંચ્યો, એટલે તેણે વિચાર્યું કે “આ દ્રવ્યના પ્રભાવથી પ્રતિક્ષણે મને રૌદ્રધ્યાન થયા કરે છે, માટે આ અનર્થ કરનારી વાંસળીને નદીના મોટા દ્રહમાં જ નાંખી દઉં.” એમ વિચારીને તેણે તરત જ નદીના મોટા ધરામાં તે વાંસળી નાંખી દીધી. તે જોઈને નાના ભાઈએ કહ્યું કે “અરે ભાઈ ! આ તમે શું કર્યું?” મોટો ભાઈ બોલ્યો કે “દુષ્ટ બુદ્ધિ સહિત મેં વાંસળીને અગાધ જળમાં નાંખી દીધી છે.” એમ કહીને તેણે પોતાના દુષ્ટ વિચારો નાના ભાઈને કહ્યા. તે સાંભળીને નાનો ભાઈ પણ બોલ્યો કે “તમે બહુ સારું કર્યું, મારી પણ તેવી જ દુષ્ટ બુદ્ધિ થતી હતી, તે પણ નાશ પામી.” પછી તે બન્ને ભાઈઓ પોતાને ઘેર આવ્યા. અહીં તે વાંસળીને એક ક્ષધિત મત્સ્ય ગળી ગયો. તે મત્સ્ય ભારે થઈ જવાથી તરત જ કોઈ એક મચ્છીમારની જાળમાં પકડાયો. તેને મારીને મચ્છીમાર ચૌટામાં વેચવા આવ્યો. તે બંને ભાઈઓની માતાએ મૂલ્ય આપીને તે મત્સ્ય વેચાતો લીધો અને ઘેર આવીને પોતાની દીકરીને વિદારવા આપ્યો. તે દીકરીએ મત્સ્ય કાપતાં તેમાં વાંસળી દીઠી. તેને છાની રીતે લઈને પોતાના ખોળામાં સંતાડી. તે જોઈને માતાએ પૂછ્યું કે “તેં સંતાડ્યું?” પુત્રી બોલી કે “કાંઈ નહીં.” માતા ખાત્રી કરવા માટે તેની પાસે ગઈ. એટલે પુત્રીએ તેને હાથમાં રહેલા છરા વડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો. તેથી તે ડોશી મૃત્યુ પામી. પછી ગભરાઈને તે અમારી બહેન એકદમ ઉઠી, એટલે તેના ખોળામાંથી તે વાંસળી ભૂમિ પર પડતી અમે સાક્ષાત્ જોઈ. તેથી અમને બંને ભાઈઓને વિચાર થયો કે “અહો ! તે જ આ અનર્થ કરનાર ધન છે કે જેને અમે ફેંકી દીધું હતું !” ઈત્યાદિ વિચારીને માતાની ઉર્ધ્વક્રિયા કરીને અમે બન્ને ભાઈઓએ વૈરાગ્યથી તે વાંસળીનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. માટે તે શ્રાવક! તે ભય અત્યારે મને યાદ આવ્યો. તમે જ જુઓ કે તે અર્થ (ધન) કેવું ભયકારી છે ?” અભય બોલ્યો કે, “હે પૂજય ! આપનું વાક્ય સત્ય છે. ધન સ્નેહવાળા ભાઈઓમાં પણ પરસ્પર વૈર કરાવનારું છે, સેંકડો દોષ ઉત્પન્ન કરનારું છે અને હજારો દુઃખોને આપનારું છે. તેના ભયથી આપે જે આ ચારિત્ર લીધું તે બહુ સારું કર્યું છે, કેમકે દુઃખને આપનારા એવા અનેક વિકલ્પોને કરાવનારું ધન છે.” આ દષ્ટાંતથી અભયકુમાર ધનનું દુઃખદાયી પરિણામ જાણ્યા છતાં પોતે ધનનો આદર કર્યો છે એમ વિચારીને તે શિવસાધુની તથા કાયોત્સર્ગ રહેલા સુસ્થિતમુનિની પ્રશંસા કરવા લાગ્યા. Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ * ૨૯૮ સુસ્થિતમુનિ વાળું દૈષ્ણત આગળ કહે છે तथैव सुस्थितं साधु, कायोत्सर्गजुषं मुदा । देहप्रमार्जनार्थाय, द्वियामे सुव्रतो ययौ ॥१॥ ભાવાર્થ :- જ પ્રમાણે હર્ષપૂર્વક કાયોત્સર્ગને સેવનારા સુસ્થિતમુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે બીજે પ્રહરે સુવ્રત સાધુ ગયા.” આ શ્લોકમાં સૂચવેલા સુવ્રત મુનિનો સંબંધ આ પ્રમાણે છે - હવે બીજે પ્રહરે સુસ્થિતમુનિના દેહને પ્રમાર્જવા માટે સુવ્રત સાધુ ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે પણ પોતાનું કાર્ય કરીને હાર જોઈ બીજો પ્રહર પૂરો થયે પાછા વળ્યા, અને “અહો ! મહાભય ઉત્પન્ન થયો” એમ બોલ્યા તે સાંભળીને અભયકુમાર મંત્રીએ પૂછ્યું કે “હે પૂજ્ય ! જેમણે ગૃહકાર્યોનો સર્વથા ત્યાગ કર્યો છે, એવા મુનિને મોટો ભય શું?” સાધુ બોલ્યા કે “પૂર્વે અનુભવેલ ભય સ્મરણમાં આવ્યો.” મંત્રીએ તેનું સ્વરૂપ પૂછ્યું, એટલે સુવ્રતમુનિ બોલ્યા કે “અંગદેશને વિષે વ્રજ નામના ગામમાં મદહરનો પુત્ર હું સુવ્રત નામે હતો. મારે સીરિભટ્ટા નામની પત્ની હતી. એકદા તે ગામમાં ચોરો પેઠા, તેમના ભયથી સર્વ લોકો નાસી ગયા. હું એકાન્ત સ્થળમાં સંતાઈ ગયો. તે વાતથી અજાણી મારી સ્ત્રીએ ચોરોને કહ્યું કે “તમે સ્ત્રીઓને કેમ હરી જતા નથી.” તેના આવા વાક્યથી ચોરોએ તેનો અભિપ્રાય જાણીને તેનું હરણ કર્યું અને પોતાના પલ્લીપતિને અર્પણ કરી, પછી મારા સ્વજનો મને વારંવાર કહેવા લાગ્યા કે “તું વધૂને બંધનથી કેમ છોડાવતો નથી !” તો પણ હું તેની શોધ કરતો નહોતો. અન્યદા સ્વજનોનો બહુ આગ્રહ થવાથી હું એકલો ચોરની પલ્લીમાં ગુપ્ત રીતે ગયો. ત્યાં એક વૃદ્ધ ડોશીને ઘેર રહ્યો. એક દિવસ મેં તે ડોશીને મારી સ્ત્રીનું હરણ થયેલું જણાવ્યું. તેથી તે વૃદ્ધાએ પલ્લીપતિને ઘેર જઈને તે સ્ત્રીને કહ્યું કે “તારે માટે તારો પતિ અહીં આવ્યો છે.” તે સાંભળી સીરિભટ્ટા બોલી કે “આજે પલ્લીપતિ બહાર જવાનો છે, તેથી તેના ગયા પછી સાંજે મારા પતિને મારી પાસે મોકલજો.” પછી તે વૃદ્ધાના કહેવાથી હું મારી સ્ત્રી પાસે ગયો, તેણે મારું સારી રીતે આસનાદિકથી સન્માન કર્યું. તેવામાં પલ્લીપતિ અપશુકન થવાથી પાછો આવ્યો. તેથી મારી સ્ત્રીએ મને પલંગની નીચે સંતાડી દીધો. પલ્લીપતિ પણ આવીને તે જ પલંગ ઉપર બેઠો. તેથી હું ભયભીત થયો. પછી મારી સ્ત્રીએ પલ્લીપતિને પૂછ્યું કે, “હે પલ્લીશ ! જો કદાચ મારો પતિ અહીં આવે તો તમે શું કરો?” તેણે જવાબ આપ્યો કે “સત્કારપૂર્વક તને તારા પતિને પાછી સોંપી દઉં.” તે સાંભળીને તેણે વક્ર ભ્રકુટી કરીને સંજ્ઞા કરી, એટલે તે ફરીથી બોલ્યો કે - “જો Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ હું તારા પતિને જોઉં તો તેનો વધ કરું.” એટલે મારી સ્ત્રીએ નેત્રની સંજ્ઞાથી મને દેખાડ્યો કે તરત જ મારા કેશ પકડીને મને બહાર કાઢ્યો અને લીલી વાધરથી મને બાંધી લીધો. પછી પલ્લીપતિ વગેરે સર્વ જનો સૂઈ ગયા. મને બાંધ્યો હતો ત્યાં કેટલાએક કૂતરા આવ્યા. તેમણે મારા સર્વ બંધન ભક્ષણ કર્યા, તેથી હું બંધનમુક્ત થયો. પછી તે ચોરના જ ખગથી મેં પલ્લી પતિને મારી નાખ્યો અને મારી સ્ત્રીના કેશ પકડીને ખેંચી અને કહ્યું કે “જો બૂમ પાડીશ તો હું તારું પણ શિર છેદી નાખીશ.” એટલે તે સ્ત્રી મૌન ધરી રહી. પછી તેને લઈને હું બહાર નીકળી ચાલવા માંડ્યો. તે મારી સ્ત્રીએ માર્ગમાં કંબલ ફાડીને તેના કકડા નાખવા માંડ્યા, પ્રાતઃકાળે હું તેની સાથે એક વાંસની જાળમાં વિસામો ખાવા માટે રોકાયો. થોડીવારે મારી સ્ત્રીએ નાંખેલા કંબલના કકડાને અનુસાર તે પલ્લીપતિના અનુચરો આવી પહોંચ્યા અને મને ખૂબ માર માર્યો. પછી મારા પાંચ અંગોને પાંચ ખીલાથી જડી લઈ મને પૃથ્વી સાથે ચોંટાડી દીધો અને મારી ભાર્યાને લઈને તેઓ પાછા ચાલ્યા ગયા. થોડીવારે એક વાનર મારી પાસે આવ્યો અને તે મને જોઈને મૂછ પામ્યો. કેટલીક વારે સાવધ થઈને તે શલ્યોદ્ધરણી (શલ્યનો ઉદ્ધાર કરનારી) અને સંરોહણી (ઘા રુઝાવનારી) ઔષધિ લઈને મારી પાસે આવ્યો. તેનાથી મને શલ્ય રહિત કર્યો. પછી મારી સમીપે તેણે અક્ષરો લખ્યા કે - “હું તારા ગામમાં સિદ્ધકર્મા નામનો વૈદ્ય હતો, તે વખતે પણ મેં તને સાજો કર્યો હતો. તે હું મરીને આ વનમાં વાનર થયો છું. આ વનમાં કોઈ એક વાનરે મને પ્રહાર કરીને સર્વે પરિવાર લઈ લીધો છે. હું યૂથથી ભ્રષ્ટ થયેલો અહીં તારી પાસે આવ્યો છું. તને જોઈને મને જાતિસ્મરણ થયું તેથી મેં તને શલ્યથી મુક્ત કર્યો છે. હવે તું પણ મારો સહાયભૂત થા; જેથી મારા શત્રુ વાનરનો હું પરાજય કરું.” તે સાંભળીને હું તે મર્કટની સાથે ગયો, ત્યાં બને મર્કટોનું યુદ્ધ શરૂ થયું. તેમાં મારી સાથેના મર્કટનો પરાજય થયો, ત્યારે તેણે મને કહ્યું કે “તેં મારી સહાયતા કેમ ન કરી?” મેં કહ્યું કે “તમે બન્ને રૂપ અને વર્ણાદિકે કરીને સમાન દેખાઓ છો, તેથી મારો મિત્ર કોણ અને તેનો શત્રુ કોણ તે હું ઓળખી શક્યો નહીં.” તે સાંભળીને તે મર્કટ નિશાની માટે પોતાના કંઠમાં પુષ્પમાળા નાખીને ફરીથી યુદ્ધ કરવા ગયો. તે વખતે મેં બીજા વાનરને પત્થર વડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો, જેથી તે મૃત્યુ પામ્યો. પછી હું મારા મિત્ર વાનરની રજા લઈને પાછો ચોરની પલ્લીમાં ગયો. ત્યાં મારી ભાર્યા સાથે આલિંગન કરીને સુતેલા પલ્લીપતિના ભાઈને મેં ખડ્રગ વડે મારી નાંખ્યો અને બળાત્કારથી મારી સ્ત્રીને લઈને મારે ઘેર આવ્યો. પરંતુ સર્વ પ્રકારના દુઃખનો અનુભવ થવાથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી મેં તત્કાળ સંસાર છોડીને ચારિત્ર ગ્રહણ કર્યું. હે મંત્રી ! આજે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં તે ભયનું સ્મરણ થયું.” તે સાંભળી મંત્રી બોલ્યો કે “હે મુનિ ! આપે તે સ્ત્રીનો સંગ છોડીને ચારિત્ર લીધું તે ઘણું ઉત્તમ કામ કર્યું છે.” - પછી ત્રીજે પ્રહરે ધન્યમુનિ સુસ્થિતમુનિના દેહને પ્રમાવા ગયા. તે પણ તેવી જ રીતે હાર જોઈને “અહો ! મોટો ભય ઉત્પન્ન થયો” એમ બોલતા ઉપાશ્રયમાં આવ્યા. અભયકુમારે પૂછ્યું કે “હે પૂજય ! વીતરાગના માર્ગમાં રહેલાને અતિ ભય ક્યાંથી હોય?” મુનિ બોલ્યા કે, Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ “પૂર્વે અનુભવેલ ભય યાદ આવ્યો.” મંત્રીએ કહ્યું “હે સ્વામી! તે વૃત્તાંત પ્રકાશિત કરો.” ત્યારે મુનિ કહેવા લાગ્યા કે “અવન્તિનગરી સમીપે એક ગામડાના રહીશ કોઈ કુલપુત્ર (કણબી)નો પુત્ર હું ધનક નામનો છું. મારા માતા-પિતાએ મને અવન્તીમાં પરણાવ્યો હતો. એકદા હું સાયંકાળને વખતે મારે સાસરે જતો હતો. સંધ્યા સમય થતાં હું અવન્તિનગરીના સ્મશાને જઈ પહોંચ્યો. ત્યાં એક યુવતીને રોતી સાંભળીને મેં તેને પૂછ્યું કે, “તું કેમ એ છે?” તે બોલી કે, “જે માણસ કદી દુઃખ પામ્યો નથી અથવા જે દુઃખ ભાંગવા સમર્થ નથી અથવા જે બીજાનું દુઃખ જાણી દુઃખી થતો નથી તેવા માણસને દુઃખનું વૃત્તાંત કહેવું નહીં અને જે દુઃખ પામ્યો છે, જે દુઃખનો નિગ્રહ કરવા સમર્થ છે અથવા જે પારકા દુઃખે દુઃખીઓ થાય છે તેને દુઃખની વાત કહેવી. તે સાંભળીને મેં કહ્યું કે “હું તારા દુઃખનું નિવારણ કરીશ.” ત્યારે તે બોલી કે “આ શૂળી ઉપર ચડાવેલો મારો સ્વામી છે. તે નિર્દોષ છતાં તેને રાજાએ આવી દશા પમાડી છે. હું રાજપુરુષોથી ભય પામતી “મને કોઈ જાણે નહીં એમ વિચારીને આ સંધ્યા સમયે મારા સ્વામી માટે ભોજનાદિક લઈને આવી છું; પણ મારું શરીર નાનું હોવાથી હું તેને ભોજન કરાવવા શક્તિમાન થતી નથી, તેથી હું રુદન કરું છું.” તે સાંભળીને મેં તેને કહ્યું કે, “મારી પીઠ પર ચડીને તું તારા પતિને ભોજન કરાવ.” ત્યારે તેણે મને કહ્યું કે, “નીચી દૃષ્ટિ જ રાખવી, ઊંચું જોવું નહીં; જો ઊંચું જોઈશ તો હું પતિવ્રતા હોવાથી લજ્જ પામીશ. એમ કહીને તે મારી પીઠ ઉપર ચડી પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ. થોડીવારે મારા પૃષ્ઠ ઉપર રુધિરના બિંદુઓ પડવા લાગ્યાં. તેથી મેં કાંઈક ઊંચી દૃષ્ટિ કરી જોયું તો છરા વડે તે માણસનું માંસાદિક લેતી અને તેને કાપીને પાત્રમાં નાંખતી મેં તેને જોઈ. આવા બિભત્સ કર્મને જોઈને મેં તેને પડતી મૂકી અને ભયથી હું ગામના દરવાજા પાસે આવેલા એક યક્ષના દેરામાં પેઠો. મારી પાછળ જ દોડતી આવતી તેણે મને જોયો; એટલે મારો એક પગ દેરાના ઉંબરાની બહાર અને એક પગ અંદર હતો. તે જ વખતે તેણે બહારના પગ ઉપર તે જ અસિ વડે પ્રહાર કર્યો અને તેનાથી કપાયેલો મારો ઉપ્રદેશ લઈને તે નાસી ગઈ. પછી હું દ્વારદેવીની પાસે કરુણ સ્વરે રુદન કરવા લાગ્યો; તેથી દેવીને કરુણા ઉત્પન્ન થઈ; એટલે કોઈ શૂળીએ ચડાવેલા સજીવન માણસનો ઉપ્રદેશ કાપી લાવીને મારા પગ સાથે સાંધી તેણે મને સાજો કર્યો. પછી હું રાત્રિને જ વખતે મારા સસરાને ઘેર ગયો. ત્યાં ઘરમાં દીવો બળતો હોવાથી દ્વારના છિદ્રમાંથી ઘરની અંદર શું થાય છે તે જોવા લાગ્યો. તો તે જ સ્ત્રીને અને તેની માને મદ્ય માંસ ખાતી મેં જોઈ. તેની માએ તેને પૂછ્યું કે, “અહો પુત્રી ! આવું સુંદર તાજું માંસ તું ક્યાંથી લાવી?” તે બોલી “હે માતા! આ માંસ તારા જમાઈનું છે.” એમ કહીને તેણે સર્વ વૃત્તાન્ત કહ્યો. ત્યારે તેની માતા બોલી કે, “એમ કરવું તને યોગ્ય નહોતું” પુત્રી બોલી કે, “હું શું કરું? તેણે મારા વચન પ્રમાણે કર્યું નહીં અને ઊંચું જોયું, તેથી મેં તેમ કર્યું.” આ પ્રમાણે તે બન્નેની વાતો સાંભળીને હું પાછો ફરી દેવીના ચૈત્યમાં આવ્યો અને ત્યાં રાત્રિ નિર્ગમન કરી કોઈ સાધુ પાસે ધર્મોપદેશ સાંભળીને મેં દીક્ષા ગ્રહણ કરી. હાલમાં આ સુસ્થિતમુનિની સેવા કરું છું. આજે તે પૂર્વનો અનુભવેલો ભય સ્મરણમાં આવ્યો.” તે સાંભળીને અભયકુમારે તેમની અતિ પ્રશંસા કરી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ હવે ચોથે પ્રહરે જોણક મુનિ પ્રમાર્જન કરવા નિમિત્તે ગયા. તેઓ પણ હાર જોઈને “મહાભય ઉત્પન્ન થયું” એમ બોલ્યા. અભયકુમારે પૂછતાં તે જોણક સાધુ પોતાનું પૂર્વ ચરિત્ર કહેવા લાગ્યા કે “અવન્તીનગરીમાં જણક નામનો હું સાર્થવાહ હતો. મારી સ્ત્રી ઉપર હું અતિ રાગવાન હતો.” એક વખત મારી ભાર્યાએ મને કહ્યું કે, “તમે મને મૃગપુચ્છ લાવી આપો.” મેં કહ્યું કે, “હું ક્યાંથી લાવી આપું?” તે બોલી કે, “રાજગૃહી નગરીના રાજાને ઘેર મૃગો છે, ત્યાંથી લાવી આપો.” પછી હું રાજગૃહીનગરીના ઉદ્યાનમાં ગયો, ત્યાં સ્વરૂપવાન વેશ્યાનો સમૂહ છેલ પુરુષોની સાથે ક્રીડા કરતો મેં જોયો, તેમાંથી એક મુગ્ધસેના નામની સુંદર યુવતીને કોઈ વિદ્યાધરે હરણ કરી. મેં તે વિદ્યાધરને બાણથી વીંધી નાખ્યો. એટલે તેના હાથમાંથી છૂટીને તે યુવતી સરોવરમાં પડી. તેમાં ઉગેલા કમળો લઈને તે બહાર નીકળી અને મને કમળનું ભેગું કરી મારી સાથે સ્નેહ કરવા લાગી ત્યાર પછી તેણે મને આગમનનું કારણ પૂછયું, એટલે મેં પણ સ્ત્રીની પ્રેરણાથી કરેલા પ્રયાણનું વૃત્તાંત નિવેદન કર્યું.” તે વૃત્તાન્ત સાંભળીને તે યુવતીએ મને કહ્યું કે, “ખરેખર તમારી સ્ત્રી અસતી જણાય છે, તેણે કપટ કરીને તમને છેતર્યા છે.” તે યુવતીનું આ વાક્ય મને સત્ય લાગ્યું નહીં, મને એવો ભાસ થયો કે “સ્ત્રી બીજી સ્ત્રીના ગુણ સાંભળીને ખુશી થતી નથી, પણ ઈર્ષાળુ થાય છે.” પછી હું મુગ્ધસેના વેશ્યાને ઘેર ગયો. તેણે ઘણા ઉપચારોથી મારી સેવા કરી. એક દિવસ તે વેશ્યાએ શ્રેણિક રાજા પાસે નૃત્ય કરવાનો આરંભ કર્યો, તે વખતે હું તેની સાથે ગયો હતો. સર્વ જનોના હૃદય નૃત્યમાં લીન થયેલા જોઈને મેં મૃગપૃચ્છ હરણ કર્યું, પણ તેના રક્ષકે મને દીઠો એટલે તેણે રાજા પાસે જાહેર કર્યું. તે ગુન્હામાંથી મને મુગ્ધસેનાએ છોડાવ્યો. અન્યદા તે મુગ્ધસેનાને લઈને હું મારા ગામ તરફ ચાલ્યો અને ગામની બહાર ઉદ્યાનમાં તે વેશ્યાને મૂકીને રાત્રે હું ગુપ્ત રીતે મારે ઘેર ગયો. તે વખતે મારી ભાર્યાને એક જાર પુરુષની સાથે ભોજન કરતી જોઈ. ત્યાર પછી મારી સ્ત્રી કાંઈ કામ માટે બહાર ગઈ અને તે જાર સૂઈ ગયો, ત્યારે તેને મેં મારી નાંખ્યો. મારી સ્ત્રીએ આવીને તેને મરેલો જોયો, એટલે તરત જ તેને ઊંચકીને ઘરના વાડામાં એક ખાડો ખોદી તેમાં દાટી દીધો. તે સર્વ સ્ત્રીચરિત્ર જોઈને પાછો હું ઉદ્યાનમાં પેલી વેશ્યા પાસે આવ્યો અને તેને સર્વ વાત કહી. પછી વેશ્યા સાથે હું રાજગૃહીનગરીમાં આવી તેને ઘેર ઘણા કાળ સુધી રહ્યો. પછી વેશ્યાની રજા લઈને હું ફરીથી મારી સ્ત્રીનું ચરિત્ર જોવાની ઉત્કંઠાથી ઘેર ગયો, મારી સ્ત્રી નિરંતર મારી સેવા કરવા લાગી. મેં પણ તેનું ચરિત્ર પ્રકટ કર્યું નહીં. હવે તે હંમેશા પેલા જારને જ્યાં દાટ્યો હતો તે સ્થાનની ભોજનાદિક નૈવેદ્યથી પૂજા કરી પછી જમતી હતી. એક દિવસે મારી સ્ત્રીએ મારે માટે ઘેબર વગેરે મિષ્ટ ભોજન તૈયાર કર્યું, તે વખતે મેં તેને કહ્યું કે “આજે પ્રથમથી કોઈને તારે આ ભોજન આપવું નહીં, જે તને અધિક પ્રિય હોય તેને જ આપવું. ત્યારે Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ તે બોલી કે, “મારે તમારાથી બીજો કોઈ અધિક નથી.” એમ કહીને તે મારી દૃષ્ટિ ચૂકાવીને પેલા જારવાલા સ્થળની પૂજા કરવા ગઈ. મેં તે જાણીને કહ્યું કે “હે અપ્રાથ્યપ્રાર્થિકે! (મૃત્યુને માગનારી!) હજુ સુધી તું તારું ચરિત્ર છોડતી નથી.” ત્યારે તેણે જવાબ આપ્યો કે “મેં કોઈપણ વખત તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, હું કોઈ વખત કડવું વચન પણ બોલી નથી અને શા માટે કારણ વિના ઠપકો આપો છો?” એમ બોલીને ક્રોધથી અશ્રુપાત કરતી તેણે તપાવેલા તેલથી ભરેલો લોઢાનો તવો મારી ઉપર ફેંક્યો. તેમાંથી ઉછળતા તેલના બિંદુઓ એટલા બધા મારા શરીર ઉપર પડ્યા કે મારા શરીરની બધી ચામડી નાશ પામી ગઈ.. પછી હું ભયથી એકદમ નાસીને મહામુશ્કેલીએ મારી માના ઘરમાં પેસી ગયો. ત્યાં જતા જ હું મૂછ ખાઈને પડી ગયો. મારા સ્વજનોએ મને શતપાક તૈલ વગેરે ઉપચારો કરીને સાજો કર્યો. પછી મેં સર્વ કુટુંબને સત્ય વૃત્તાંત કહીને સાધુ પાસે આવી ધર્મોપદેશ સાંભળીને વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. અત્યારે પણ તે ભયનું મને સ્મરણ થયું.” તે સાંભળીને અભયકુમાર બોલ્યા કે, હે પૂજય! તમે તો બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના ભયથી રહિત છો, પણ અમે જ કર્મના સમૂહથી ભારે થતાં સર્વે ભયની મધ્યે રહીએ છીએ.” ઈત્યાદિ ઘણી રીતે તેમની પ્રશંસા કરીને અભયકુમારે રાત્રિ પોસહ પૂર્ણ કર્યો. સૂર્યોદય થયો ત્યારે મંત્રી ઉપાશ્રયની બહાર નીકળ્યા. ત્યાં કાયોત્સર્ગમાં તત્પર અંત:કરણવાળા સુસ્થિતમુનિના કંઠમાં પેલો હાર જોઈને તેણે વિચાર્યું કે, “અહો ! રાત્રિના દરેક પ્રહરે તે ચારે મુનિઓ “મહાભય પ્રાપ્ત થયો” એમ બોલ્યા હતા તે સત્ય છે; કેમકે નિઃસ્પૃહ મુનિઓને તો કાંચન મહાભય રૂપ જ છે. અહો ! સાધુઓની નિર્લોભતા કેવી છે ! રાજ્ય સમાન દિવ્ય હાર જોઈને પાંચમાંથી કોઈએ કિંચિત્ પણ લોભ કર્યો નહીં. ખરેખર સર્વ ભયો લોભમાં જ રહેલા છે. આ પ્રમાણે વિચારી સુસ્થિતમુનિને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તથા સ્તુતિ કરીને અભયકુમાર બોલ્યા કે “અહો ! તમે જ ખરેખર લોભને જીત્યો છે.” પછી તે હાર મુનિના કંઠથી પોતે જ ઉતારીને હર્ષ પામતા રાજસભામાં જઈ શ્રેણિક રાજાને આપ્યો, અને રાત્રિનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે “મુનિઓના ગુણની સ્તુતિ વગેરે કરવાથી અનન્ત ભવના દુઃખ-ચિંતાદિકનો નાશ થાય છે. તો પછી તમારી ઐહિક ચિંતાનો નાશ થાય તેમાં તો કહેવું જ શું! તેમના મહિમાથી સ્વયમેવ સર્વ દુઃખનો ક્ષય થાય છે. ઉપાશ્રયની બહાર કાયોત્સર્ગમાં ઉભા રહેલા સુસ્થિત સાધુ ચારે પ્રહર સુધી યોગમાં નિશ્ચલ રહ્યા, તે છેલ્લા તપાચારને આચરતા સદ્ગુણી મુનીશ્વરની હું સ્તુતિ કરું છું.” O Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૨૯૯ તપની પ્રધાનતા तपो मुख्यं हि सर्वत्र, न कुलं मुख्यमुच्यते । हरिकेशी श्वापाकोऽपि, स्वःपूज्योऽभून्महाव्रतैः ॥१॥ ભાવાર્થ - સર્વત્ર તપ જ મુખ્ય છે, કુળ મુખ્ય કહેવાતું નથી. જુઓ ! હરિકેશી નામનો ચાંડાળ પણ પાંચ મહાવ્રતોથી દેવને પૂજય થયો હતો.” હરિકેશીમુનિની કથા મથુરાપુરીમાં શંખ નામના યુવરાજે ધર્મશ્રવણ કરીને દીક્ષા ગ્રહણ કરી વિહાર કરતાકરતા રાજપુર (હસ્તિનાપુર)માં આવ્યા. ત્યાં ભિક્ષાને માટે તપ્ત વાલુકાવાળી નરક પૃથ્વી સમાન અને દેવના પ્રભાવથી દાવાનલ રૂપ હુતવહા નામની એક શેરી હતી. તે શેરીમાં જે કોઈ ચાલતું તે તરત જ મૃત્યુ પામતું હતું. મુનિએ તે શેરીને માણસના સંચાર વિનાની જોઈને પુરોહિતના પુત્રને પૂછ્યું કે, “આ શેરીમાં માણસો ચાલે છે કે નહીં?” તેણે ભલે આ બળી જાય' એવા દુષ્ટ આશયથી કહ્યું કે, “ચાલે છે. તે સાંભળી મુનિ ઉતાવળા તે શેરીમાં જ ચાલ્યા. તેમના તપના પ્રભાવથી તે શેરી શીતળ થઈ ગઈ. પેલો પુરોહિતનો પુત્ર ગવાક્ષમાં બેઠો હતો. તેણે મુનિને ઈર્યાપથિકી શોધતા અને ધીમે ધીમે ચાલતા જોઈને “અહો ! આ કોઈ મહાતપસ્વી લાગે છે એમ જાણી વિસ્મિત થયો. પછી એક દિવસ તે મુનિ પાસે ઉદ્યાનમાં જઈ તેમને નમીને બોલ્યો કે, “હે પૂજય ! મેં આપને પેલી શેરીમાં જવાની આજ્ઞા આપી હતી તે પાપથી હું શી રીતે મુક્ત થઈશ?' મુનિએ કહ્યું કે, પ્રવ્રજયા ગ્રહણ કર.” તે સાંભળીને તેણે દીક્ષા લીધી; પરંતુ બ્રાહ્મણ હોવાથી તેણે જાતિમદ કર્યો. છેવટ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગે તે ગયો. ત્યાંથી આવીને તે ગંગાકાંઠે સ્મશાનનો સ્વામી બલકોટ નામનો ચાંડાળ હતો તેને ગૌરી અને ગાંધારી નામની બે સ્ત્રી હતી. તેમાં ગૌરીની કુલિમાં તે ઉત્પન્ન થયો. પૂર્વ ભવે જાતિમદ કર્યો હતો. તેથી કદરૂપો અને શ્યામ થયો. ચાંડાળોને પણ ઉપહાસ કરવા લાયક થયો. તેનું બળ નામ પડ્યું. તે કોઈને પણ ભાંડવામાં કુશળ અને વિષવૃક્ષની જેમ સૌને દ્વેષ કરવા લાયક થયો સતો ઘણા લોકોને ઉદ્વેગ પમાડતા વૃદ્ધિ પામવા લાગ્યો. એકદા તેનો બંધુવર્ગ પાનગોષ્ઠીમાં તત્પર થયો હતો. તે વખતે તેણે ભાંડચેષ્ટા કરીને સર્વની સાથે કલહ કર્યો; તેથી તેઓએ તેને પોતાથી દૂર કર્યો. તે દૂર જઈને બેઠો તેવામાં ત્યાં એક સર્પ નીકળ્યો. તેને જોઈને તે સર્વે ચાંડાલોએ એકદમ ઉઠીને “આ ઝેરી સાપ છે' એમ કહીને તેને મારી નાંખ્યો. થોડીવારે બીજો દીપક જાતિનો સર્પ નીકળ્યો. ૧. મદિરાપાન કરવામાં Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૬૯ તે વિષરહિત છે એમ જાણીને તેઓએ તેને જવા દીધો. તે સર્વ જોઈને બળે વિચાર્યું કે વિષધારી સર્પ હણાય છે અને દીપક (નિર્વિષ) સર્પ મૂકી દેવાય છે, માટે સર્વ કોઈ પોતાના જ દોષથી ફ્લેશ પામે છે એમ સિદ્ધ થયું, તો હવે ભદ્રપ્રકૃતિ રાખવી તે જ યોગ્ય છે.” એમ વિચારતાં તેણે જાતિસ્મરણ થયું; તેથી પોતાનો સ્વર્ગવાસ તથા જાતિમદને વિચારતો તે બળ સંવિગ્ન સાધુ પાસે ગયો. તેમની પાસે ધર્મ શ્રવણ કરીને તેણે દીક્ષા લીધી. પછી તે વિહાર કરતાં અન્યદા તિંદુક નામના ઉદ્યાનમાં હિંદુક યક્ષના ચૈત્યમાં તે મુનિ પ્રતિમા ધારણ કરીને રહ્યા. એક દિવસ તે ચૈત્યમાં કૌશલિક રાજાની પુત્રી ભદ્રા ઘણી સખીઓ સાથે પરવરેલી આવી ત્યાં યક્ષને નમીને ક્રીડા કરવામાં પ્રવૃત્ત થઈ. ક્રિીડા કરતાં તે સર્વેએ વરને આલિંગન કરવાનું મિષ કરીને ચૈત્યના જુદા જુદા સ્થંભ પકડ્યા. તેમાં રાજપુત્રી કાયોત્સર્ગે ઉભેલા તે મુનિને સ્થંભ ધારીને તેમને જ આલિંગન કરીને બોલી કે “હું આ વરને વરી છું.” થોડીવારે વર્ણ શ્યામ અને વિકરાળ એવા તે મુનિને જોઈને તે બૂમ પાડતી સતી થૂ થૂ કરવા લાગી. તે જોઈને યક્ષને ક્રોધ ચડ્યો; તેથી તેણે તે રાજકન્યાનું મુખ વાંકું કરી નાંખ્યું, શરીર કદરૂપુ કર્યું અને પરવશ કરી દીધી. પછી તે યક્ષ બોલ્યો કે, “જે આ સ્ત્રી મુનિને પતિપણે સ્વીકારશે તો જ તેને હું મુક્ત કરીશ.” તે સાંભળીને રાજાએ જીવતી રાખવાના હેતુથી તેમ કરવાનું કબૂલ કર્યું. પછી તે રાજપુત્રી સ્વજનોની અનુજ્ઞાથી યક્ષના ચૈત્યમાં જ રહી અને મુનિને અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી, પણ મુનિએ તેની જરા પણ ઈચ્છા કરી નહીં; એટલે તે પાછી ઓસરી. પછી યક્ષે ઘડીમાં પોતાનું સ્વરૂપ અને ઘડીમાં મુનિનું સ્વરૂપ દેખાડી છેતરીને આખી રાત્રિ તેની વિડંબના કરી. પ્રાતઃકાળે “મુનિ તો તને ઈચ્છતા નથી.” એવા યક્ષના વચનથી તે રાજપુત્રી ખિન્ન મનવાળી થઈ સતી પોતાને ઘેર ગઈ. પાછી આવેલી જોઈને પુરોહિતે રાજાને કહ્યું કે, “આ ઋષિપત્ની બ્રાહ્મણને કહ્યું.” તે સાંભળીને રાજાએ તે પુરોહિતને જ આપી. તેણે તેને પોતાની પત્ની કરી. અન્યદા પ્રિયા સહિત યજ્ઞદીક્ષા ગ્રહણ કરીને તેણે યજ્ઞનો આરંભ કર્યો. - હવે હરિકેશી નામના ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા બળ નામના તે જિતેન્દ્રિય મુનિ એક દિવસ ભિક્ષા માટે બ્રાહ્મણના યશપાટકમાં જ ગયા. તે તપસ્વીને આવતા જોઈને બ્રાહ્મણો અનાર્યની જેમ તેનો ઉપહાસ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “અરે ! તું કોણ છે? તારું આવું બિભત્સ રૂપ જોવાને પણ અમે યોગ્ય નથી. તું શી ઈચ્છાથી અહીં આવ્યો છે? અમારી દૃષ્ટિથી દૂર જા.” ઈિત્યાદિ વચનો સાંભળીને પેલો યક્ષ જે નિરંતર મુનિની સાથે જ રહેતો હતો તે કોપાયમાન થયો. તેણે મુનિના દેહમાં પ્રવેશ કરીને કહ્યું કે, “હું શ્રમણ (સાધુ) છું. બીજાને માટે તૈયાર કરેલું અન્ન લેવા માટે હું આવ્યો છું. અહીં તમોએ ઘણું અન્ન રાંધ્યું છે; તો તેમાંથી શેષનું પણ અવશેષ પ્રાંતે રહેલું હોય તે મને સાધુને આપો.” એ પ્રમાણેના વચનો સાંભળી યાજ્ઞિકો બોલ્યા કે, “આ સિદ્ધ ૧. કાયોત્સર્ગ કરીને સ્થિર રહેવું તે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ કરેલું ભોજન બ્રાહ્મણોને જ દેવા યોગ્ય છે, તને શુદ્રને દઈ શકાય તેમ નથી, જગતમાં બ્રાહ્મણ સમાન બીજું કોઈ પુણ્યક્ષેત્ર નથી, તેમાં વાવેલું બીજ મોટા ફળને આપે છે.” મુનિના શરીરમાં રહીને યક્ષ બોલ્યો કે, “તમે યજ્ઞમાં હિંસા કરો છો, આરંભમાં રક્ત છો, અજિતેન્દ્રિય છો, તેથી તમે તો પાપક્ષેત્ર છો, વિશ્વમાં મહાવ્રતને ધારણ કરનાર મુનિના જેવું બીજું કોઈ પુણ્યક્ષેત્ર નથી. આ પ્રમાણે તે યક્ષે યજ્ઞાચાર્યનું અપમાન કર્યું. તે જાણીને તેના શિષ્યો બોલ્યા કે, “અમારા ઉપાધ્યાયનો તું પ્રત્યનિક છે, માટે હવે તો તને કાંઈ પણ આપશું નહીં; નહિ તો કદાચ અનુકંપાને લીધે કાંઈ અંત પ્રાંતાદિ પણ આપત.” યક્ષ બોલ્યો કે, “સમિતિવંત, સમાધિવાળા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને જિતેન્દ્રિય એવા મને જો તમે એષણીય અન્ન નહિ આપો; તો પછી આ યજ્ઞથી તમને શું લાભ મળવાનો છે? કાંઈ પણ લાભ મળશે નહીં.” તે સાંભળીને અધ્યાપકે પોતાના શિષ્યોને કહ્યું કે, “આને લાકડી અને મુઠી વગેરેથી મારીને કાઢી મૂકો.” તે સાંભળીને સર્વે શિષ્યો એકદમ તેના તરફ દોડ્યા અને મુનિને દંડાદિક વડે મારવા લાગ્યા. તે વખતે રાજપુત્રી ભદ્રા તેમને અટકાવીને બોલી કે, “હે શિષ્યો ! આ મુનિ કદર્થનાને યોગ્ય નથી; કેમકે દેવના વચનથી મને રાજાએ આ મુનિને આપી હતી, તો પણ તેણે મનથી પણ મારી ઈચ્છા કર્યા વિના મને છોડી દીધી; તે આ ઋષિ છે, દેવેન્દ્ર ને નરેન્દ્રને પણ વંદનિક છે, આ મહાયશસ્વી, મોટા પ્રભાવવાળા, મહાદુષ્કર વ્રતધારી અને ઘોર પરાક્રમવાળા એવા મુનિની તમે હિલના કરો નહીં. તેમની હીલના કરવાથી તેમના તપના પ્રભાવ વડે તમે ને અમે સર્વે બળીને ભસ્મ થઈ જઈશું, માટે તેવું ન થાય તેમ કરો” તે સાંભળીને યક્ષે “આ ભદ્રાનું વચન મિથ્યા ન થાઓ” એમ ધારી સર્વ છાત્રોનું નિવારણ કર્યું. કહ્યું છે કે - एयाइं तीसे वयणाइ सोच्चा, पत्तीए भद्दाए सुभासियाई । इसिस्स वेयावडियट्ठयाए, जक्खा कुमारोवि णिवारयति ॥१॥ ભાવાર્થ - “પોતાના પતિને કહેલા ભદ્રાના આવા સુભાષિત વચન સાંભળીને મુનિની વૈયાવચ્ચ કરનાર યક્ષે તે શિષ્યોનું નિવારણ કર્યું. કેવી રીતે કર્યું તે કહે છે – તરત જ રોષ પામીને યક્ષે આકાશમાં અનેક રૂપો વિકર્વી તે ઉપસર્ગ કરનારા સર્વે છાત્રોને અંગ વિદારતા અને લોહી વમતા કર્યા. તે જોઈ ફરીથી ભદ્રા બોલી કે, “હે છાત્રો ! આ મુનિની તમે અવગણના કરો છો, તે પર્વતને નખથી ખોદવા જેવું, લોહદંડને દાંતથી ખાવા જેવું અને જાજવલ્યમાન અગ્નિને પાદપ્રહાર કરવા જેવું કરો છો. તેમને સામાન્ય ભિક્ષુ માનીને મૂર્ખને યોગ્ય એવું કાર્ય કરો છો તે તમને ઘટતું નથી; માટે જો તમે જીવિતને કે ધનને ઈચ્છતા હો તો તે મુનિને મસ્તક નમાવીને તેમને શરણે જાઓ.” પછી તે સોમદેવ નામનો યજ્ઞાચાર્ય, જેમના નેત્ર અને જિલ્લા બહાર નીકળેલ છે એવા અને કાષ્ઠ સમાન થઈ ગયેલા તેમજ ઉર્ધ્વ મુખવાળા છાત્રોને Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ જોઈને પોતાની પત્ની ભદ્રા સહિત તે મુનિ પાસે જઈ તેમને સ્તુતિ દ્વારા પ્રસન્ન કરવા માટે કહેવા લાગ્યો કે, “હે ભગવન્! અમારા અપરાધને ક્ષમા કરો. આ બાળક મૂર્ખ અને અજ્ઞાની છાત્રોએ આપની હીલના કરી, તેની આપ ક્ષમા કરો. કેમકે મુનિજનો તો ઘણા કૃપાળુ હોય છે; તેઓ કદી પણ કોઈના પર કોપ કરતા નથી.” તે સાંભળીને મુનિ બોલ્યા કે, “પ્રથમ અત્યારે કે હવે પછી મને કિંચિત્ પણ તમારા ઉપર પ્રશ્લેષ નથી, પણ કોઈ યક્ષ મારું વૈયાવૃત્ય કરે છે, તેણે આ તમારા છાત્રોને પરાભવેલા જણાય છે.” અધ્યાપક બોલ્યો કે, “હે પૂજય ! તમે ધર્મતત્ત્વના જ્ઞાની ક્રોધ કરો જ નહીં, પણ અમે તો આપના ચરણને શરણે આવ્યા છીએ. માટે આ પુષ્કળ શાલિ વગેરે અન્ન ઈચ્છાનુસાર ગ્રહણ કરો અને તે વાપરીને અમારા પર અનુગ્રહ કરો.” તે સાંભળીને મુનિએ માસક્ષમણનું પારણું હોવાથી શુદ્ધ અન્નપાન ગ્રહણ કર્યું, એટલે પેલા યક્ષે સર્વ છાત્રોને સાજા કર્યા અને પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી હર્ષવન્ત થઈને તે સર્વ બ્રાહ્મણો બોલ્યા કે, “બાહ્ય સ્નાનાદિક ધર્મની સ્પૃહાવાળા અમે આપે અંગીકાર કરેલા યજ્ઞાદિકનું તત્ત્વ જાણતા નથી; તેથી પૂછીએ છીએ કે - તમારે યજ્ઞ કરવાના વિધિમાં કયો અગ્નિ છે ? તે અગ્નિનું સ્થાન કર્યું છે કે જ્યાં અગ્નિનું સ્થાપન કરાય છે? ધૃતાદિક નાંખવા માટે તમારે સરવો કયો છે? અગ્નિ પ્રદીપ્ત કરવા માટે તમારે કારીસ (મુંગળી) રૂપ શું છે કે જેનાથી અગ્નિ ફુકાય છે? અગ્નિને સળગાવવા માટે સમિધ (કાષ્ઠ) ક્યાં છે? પાપને ઉપશમન કરવામાં હેતુરૂપ એવી શાંતિને માટે તમારી અધ્યયનપદ્ધતિ કઈ છે? અને કેટલા તેમજ કોના સંબંધી હોમવિધિથી શેનો હોમ કરો છો ? તે સર્વ કૃપા કરીને કહો.” મુનિએ જવાબ આપ્યો કે “અમારે તપ (આહાર મૂછત્યાગ) રૂપ અગ્નિ છે; કેમકે તે કર્મેન્ધનને બાળનાર છે. જીવ અગ્નિનું સ્થાન છે; કારણ કે તપરૂપી જ્યોતિ (અગ્નિ) તેને આશ્રયે રહે છે. મન, વચન અને કાયાના યોગરૂપ સરવો છે. તેના વડે થતા શુભ વ્યાપાર તે સ્નેહ (વૃત)ને સ્થાને છે. શરીરરૂપ અગ્નિ ધમવાનું કારસ (મુંગળી) છે. કર્મરૂપી સમિધ (કાષ્ઠ) છે અને સંયમ તથા યોગરૂપ શાન્તિ ક્રિયા છે. એવી રીતે મુનિઓને હોમ કરવાનો વિધિ છે. તેવા પ્રકારથી હું પણ હોમ કરું છું.” ફરીને અધ્યાપકે સ્નાનનું સ્વરૂપ પૂછ્યું કે “તમારે સ્નાન કરવા માટે ક્યો દ્રહ (ધરો) છે? પાપ ટાળવા માટે અને શાંતિ માટે કયુ તીર્થ છે? કયુ પુણ્યક્ષેત્ર છે? તે તીર્થોના કેટલા સ્વરૂપ છે કે જે સંસારરૂપી સમુદ્રથી તારે છે? શેને વિષે સ્નાન કરીને પવિત્ર થયેલા આપ કર્મમળનો ત્યાગ કરો છો ? અમારી જ જેવાં તમારે પણ શુદ્ધિ કરવાના દ્રાદિ જળાશયો (તીર્થો) છે કે કાંઈ જૂદાં જ છે? તે અમે જાણતા નથી. માટે તે યક્ષપૂજય મુનિ! તે સર્વ આપની પાસેથી અમે જાણવા ઈચ્છીએ છીએ.” મુનિ બોલ્યા કે, “અમારે ધર્મરૂપી દ્રહ (ધરો) છે અને બ્રહ્મચર્યરૂપી તીર્થ છે કે જેને વિષે અનાવલિપ્ત (સંસારમાં નહિ લપટાયેલો) અને પ્રસન્ન લેશ્યાવાળો આત્મા સ્નાન કરવાથી નિર્મળ, શુદ્ધ અને શીતળ થઈને સર્વ દોષનો ત્યાગ કરે છે.” ઈત્યાદિ મુનિના શુભ ઉ.ભા.૫- Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ વાક્યોથી તે બ્રાહ્મણો બોધ પામીને જૈનધર્મી થયા. મુનિ પણ અન્યત્ર વિહાર કરતાં અનુક્રમે કર્મનો ક્ષય કરીને પરમપદને પામ્યા. ખરેખર સૌથી અધિક તપ જ દેખાય છે, કોઈ ઠેકાણે જાતિનું અધિકપણું દેખાતું નથી. જુઓ! હરિકેશી ચાંડાળના પુત્ર છતાં પણ તપના જ પ્રભાવથી મહાનુભાગ થઈને આવી ઋદ્ધિને પામ્યા.” ૩૦૦ વિચાર बाह्याभ्यन्तरसामर्थ्यानिन्हवेन प्रवर्तनम् । सर्वेषु धर्मकार्येषु, वीर्याचरणमुच्यते ॥१॥ ભાવાર્થ:- “બાહ્ય તથા અભ્યત્તર સામર્થ્યને ગોપવ્યા વિના તેને સર્વધર્મકાર્યોમાં પ્રવર્તાવવું તે વીર્યાચાર કહેવાય છે.” વાણી અને કાયાને આધીન જે સામર્થ્ય તે બાહ્ય સામર્થ્ય કહેવાય છે અને મન સંબંધી જે વીર્ય તે અત્યંત સામર્થ્ય કહેવાય છે. તે બંનેને અનિન્દવપણે પ્રવર્તાવવું એટલે સર્વ ધર્મકાર્યમાં વીર્યને ફોરવવું તેને વીર્યાચાર કહે છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે - अणिगहिअ बलवीरिओ, परिक्कमइ जो जहत्तमाउत्तो। जुंजइ अ जहाथाम, नायव्वो वीरिआयारो ॥१॥ ભાવાર્થ:- “બલ અને વીર્ય ને ગોપવ્યા સિવાય જે યથોક્ત રીતે જ્ઞાનાદિ આચારનો આશ્રય કરીને અનન્ય ચિત્તે પરાક્રમ કરે છે અને તે બાહ્યાભ્યતર પરાક્રમને યોગ્ય સ્થાને જોડે છે એટલે તેનો ઘટિત ઉપયોગ કરે છે તે વર્યાચાર જાણવો.” અહીં આચાર અને આચારવાળાનો કથંચિત અભેદ માનીને તેને વીર્યાચાર કહેલો છે. તે મન, વાણી અને કાયાના ભેદે કરીને ત્રણ પ્રકારનો છે. તેના અતિચાર પણ મન, વાણી અને કાયાના વીર્યને ગોપવવા રૂપ ત્રણ જ છે. તે વિષે શ્રાવકના એકસો ને ચોવીશ અતિચારોના વર્ણનની ગાથામાં કહ્યું છે કે - ૧. વચન અને કાયાનું બલ, ૨. મનનું બલ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ पण संलेहण पनरस्स कम्मा, नाणाइ अट्ठ पत्तेयं । बारस तव विरिय तिग, पण सम्मवयाई अइयारा ॥१॥ ભાવાર્થ - “સંલેખનાના પાંચ અતિચાર છે, કર્માદાનના પંદર છે, જ્ઞાનાદિ (જ્ઞાન, દર્શન, ચારિત્ર) આચારના પ્રત્યેકે આઠ આઠ છે, તપાચારના બાર છે, વિર્યાચારના ત્રણ છે અને સમ્યકત્વ તથા બાર વ્રતના પાંચ પાંચ અતિચાર છે.” એટલે પ+૧૫+૨૪+૧૨+૩+૬૫ મળી ૧૨૪ થાય છે. અહીં કોઈ શંકા કરે કે – “આ બકરીના ગળાના આંચળ જેવા (નકામા) વીર્યાચારને સારી રીતે ઉપયોગમાં લેવાનું શું પ્રયોજન છે? કેમકે ભવ્ય પ્રાણીઓને ભવ-સ્થિતિનું તો નિયતપણું છે, તેથી જ્યારે જે ભવ્ય પ્રાણી સિદ્ધિમાં જવાનો હશે, ત્યારે તે પ્રાણી વિર્યાચારનો ઉપયોગ કર્યા વિના પણ મોક્ષે જશે.” ગુરુમહારાજ તેનો જવાબ આપે છે કે “તેં જે અહીં ભવસ્થિતિનું નિયતપણું હેતુપણે દર્શાવ્યું, તે યુક્તિવિકળ અનિયત પણ નથી, પણ નિયતાનિયત છે. તે શી રીતે? એમ પૂછીશ તો સાંભળ - પુણ્ય-પાપને અનુસાર ભવસ્થિતિ ઘટે છે અને વૃદ્ધિ પામે છે. તેથી તેનું અનિયતપણું કહેવાય છે અને જે જ્યારે મુક્તિ જવાનો છે તે ત્યારે જ મુક્તિ પામશે. એ યુક્તિથી નિયત પણ કહેવાય છે. પરંતુ જો “જે જ્યારે મોક્ષે જવાનો છે, તે ત્યારે જ મોક્ષે જશે' એવો એકાન્તવાદ સ્વીકારીએ તો ગોશાળાનો મત પ્રાપ્ત થાય છે. ગોશાળો “જેનું જે જ્યારે થવાનું છે તેનું તે ત્યારે જ થાય છે એવો નિયતિવાદ માને છે અને તેમ માનવાથી તો પ્રત્યક્ષ મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. કેમકે જિનશાસનમાં કાલાદિક પાંચ કારણો જગતના વિવર્તમાં હેતુરૂપ કહેલા છે. તેમાંના માત્ર પ્રત્યેકને હેતુ માનેલા નથી પણ પાંચે મળીને હેતુરૂપે માનેલાં છે, માટે ભવસ્થિતિને નિયતાનિયત જ માનવી જોઈએ. આ વચન યુક્તિથી વિકળ છે એમ સમજવું નહીં. કેમકે જેમ એક જ વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અવિરોધ રહે છે, તેમજ એક ભવસ્થિતિમાં કથંચિત્ નિયતપણું અને કથંચિત અનિયતપણું પણ રહી શકે છે. અહીં તાત્પર્ય એ છે કે – જીવ પુણ્યાદિક ઉપક્રમ કરવાથી વહેલો પણ મોક્ષ પામે છે અને જિનાજ્ઞા લોપવાથી તથા મહાપાપો કરવાથી અધિક કાળ સંસારમાં પરિભ્રમણ પણ કરે છે. તે અપેક્ષાએ ભવસ્થિતિ અનિયત જાણવી. આ બાબત સિદ્ધાન્તથી પણ વિરુદ્ધ નથી, કેમકે મહાનિશીથાદિ શાસ્ત્રોમાં આપણે સાંભળીએ છીએ કે – સાવદ્યાચાર્ય વગેરેને ભવસ્થિતિ એક જ ભવ બાકી રહેવા રૂપ હતી. પણ ઉત્સુત્રભાષણાદિક વડે તેઓની ભવસ્થિતિ અધિક થઈ હતી. કોઈ જીવ ભવસ્થિતિના પ્રતિનિયત સમયે જ મોક્ષની પ્રાપ્તિને યોગ્ય એવું પુણ્ય કરવા શક્તિમાન થાય અને બીજે વખતે તેવું પુણ્ય કરી ન શકે, તે નિયત કાળે જ મોક્ષે જાય, તેની અપેક્ષાએ ભવસ્થિતિ નિયત જાણવી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ કેવળજ્ઞાનીએ જે સ્થિતિ કહી હોય તે તો નિયત સ્થિતિ જ જાણવી. કેમકે કેવળજ્ઞાની તો સંપૂર્ણ જ્ઞાનના પ્રભાવથી “આ જીવ આ પ્રમાણે પુણ્યાદિ ઉપક્રમ કરશે અને આ જીવ તેમ નહિ કરે” ઈત્યાદિ દરેક જીવના ઉપક્રમનું સ્વરૂપ જાણીને જ ભવસ્થિતિ કહે છે, જાણ્યા વિના કહેતા નથી, માટે નિયત જાણવી. પણ જો ભવસ્થિતિનું એકાત્ત નિયતપણું જ અંગીકાર કરીએ, તો પ્રાણીને તેવા પ્રકારના દુષ્કર ધર્મકૃત્યો કરવાનું અને હિંસાદિક પાપવ્યાપારના પરિહારનું નિષ્ફળપણું પ્રાપ્ત થશે, તે કાંઈ યુક્તિયુક્ત નથી. માટે ભવ્ય પ્રાણીઓની ભવસ્થિતિનું નિયતાનિયતપણું સિદ્ધ છે એમ સમજવું. તેની સિદ્ધિ થવાથી ધર્મક્રિયામાં શક્તિ ફોરવવા રૂપ વીર્યાચારની પણ સફળતા સિદ્ધ થઈ. તે વિષે સૂત્રમાં કહ્યું છે કે – तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झयव्वय धुवंमि । अणिगूहियबलविरिओ, सव्वत्थामेण उज्जमइ ॥१॥ ભાવાર્થ :- “ચાર જ્ઞાનને ધારણ કરનાર, દેવતાઓથી પૂજિત અને ધ્રુવ (નિશ્ચયે) સિદ્ધિપદને પામનારા એવા તીર્થકરો પણ બલ અને વીર્ય ને ગોપવ્યા વિના સર્વ સામર્થ્ય વડે ઉદ્યમ કરે છે.” इअ जह तेवि हु नित्थण्णपायसंसारसायरा वि जिणा । अब्भुज्जमंति तो सेसयाण को इत्थ वामोहो ॥२॥ ભાવાર્થ:- “આ પ્રમાણે જ્યારે જેમને સંસારસાગર પ્રાયે તરી ગયેલા જેવો જ છે એવા જિનેશ્વરો પણ (શુભ યોગમાં) ઉદ્યમવંત થયા છે, તો પછી અહીંઆ બીજાઓને શું વ્યામોહ કરવા જેવું છે? અર્થાત્ શો વિચાર કરવાનો છે? તેમણે તો અવશ્ય શુભ નિમિત્તમાં મન-વચન-કાયાનું બળ વીર્ય ફોરવવા યોગ્ય જ છે.” અહીં વીર્યના ગોપન તથા અગોપનનું ફળ સુધર્મશ્રેષ્ઠિના દષ્ટાંત વડે બતાવે છે - સુધર્મશ્રેષ્ઠિની કથા પૃથ્વીપુરમાં સુધર્મા નામે એક શ્રેષ્ઠિ રહેતો હતો, તેનું અંતઃકરણ જૈનધર્મથી વાસિત હતું. એકદા ગુરુમુખથી વૈરાગ્યની કથા સાંભળતાં તેમાં ભારવાહક વગેરેના દષ્ટાંતો સાંભળીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તે ભારવાહકનું દષ્ટાંત આ પ્રમાણે – કોઈ એક ભારવાહક મોટા કષ્ટથી કાષ્ઠ લાવી તે વેચીને આવેલા પૈસામાંથી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. એકદા ગ્રીષ્મઋતુમાં મધ્યાહ્ન સમયે તે કાષ્ઠનો ભારો માથે ઉપાડીને વેચવા માટે ગામમાં અટન કરતો હતો. અતિ ભારની પીડાથી માથેથી ભારો ઉતારીને કોઈ ગૃહસ્થની હવેલીની છાયામાં વિશ્રાંતિ લેવા ઉભો રહ્યો. તે વખતે હવેલીના ગોખમાં તે ગૃહસ્થની સ્વામિની ૧. બળ, શરીર સંબંધી જાણવું. ૨. વીર્ય, મનસંબંધી જાણવું. Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૭૫ તિલોત્તમા અપ્સરાના જેવી મનોહર રૂપવતી બેઠી હતી. તેને જોઈને તેણે વિચાર્યું કે ‘અહો ! સમગ્ર ત્રૈલોક્યનું સુખ તો આ યુવતીએ જ ખેંચી લીધું છે, પરંતુ આવા સુખનું કારણ માત્ર દ્રવ્ય જ છે, તો હું પણ દ્રવ્યનું ઉપાર્જન કરીને આવું સુખ મેળવી જન્મ સફળ કરું.” એમ વિચારીને ત્યારથી તેણે ભોજનાદિકમાં કૃપણતા (કસ૨) કરવા માંડી. કાઇ વેચતા જે પૈસા આવે તેમાંથી થોડા ખર્ચે અને વધારે સંગ્રહ કરે. એ પ્રમાણે નિરંતર દ્રવ્ય ઉપાર્જન કરવાના ધ્યાનરૂપી કલ્લોલથી ચપળ મનવાળો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસ અતિ કૃપણતાને લીધે જેનું અંગ અતિ કૃશ થઈ ગયું છે એવો તે ભારવાહક સૂર્યના કિરણોના તાપથી આકુળવ્યાકુળ થઈ ગયો, શરીરના સર્વ અવયવો પરસેવાના બિંદુઓથી ભીંજાઈ ગયા, લુહારની ધમણની જેમ શ્વાસોશ્વાસ લેવા લાગ્યો અને કેડે બે હાથ રાખીને ફરતો ફરતો અરણ્યના એક કૂવા પાસે આવ્યો. ત્યાં વિશ્રામ લેવા માટે કૂવાના થાળામાં સૂઈ ગયો. તત્કાળ નિદ્રા આવી ગઈ, તેમાં તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે જાણે પોતે મહાન કષ્ટો અનુભવીને દ્રવ્ય મેળવ્યું. તેનાવડે વિવાહાદિક કાર્યો કર્યા. પૂર્વે ગોખમાં બેઠેલી યુવતી જોઈ હતી તેના જેવી સુંદર સ્ત્રી પરણ્યો. તેની સાથે હાવભાવ, કટાક્ષ વગેરે ક્રીડા અનુભવવા લાગ્યો. પરસ્પર પ્રશ્નોત્તર કરતાં તે સ્ત્રીને કાંઈ રોષ ઉત્પન્ન કર્યો તેથી તે સ્ત્રી વક્રદૃષ્ટિ કરી બોલી કે “આવું લજ્જાવાળું વાક્ય કેમ બોલો છો ? અહીંથી દૂર જાઓ.” આ પ્રમાણે કોમળ અને સુંદર વાણી સાંભળીને તે પ્રેમગર્ભિત ચેષ્ટાથી પ્રસન્ન થયો, તેથી બે હાથ વડે તેને ગાઢ આલિંગન કરવા તૈયાર થયો, એટલે તે સ્ત્રીએ વિલાસથી જ દોરડી વડે તેના પર પ્રહાર કર્યો. તે જોઈને તે ભારવાહક જરા દૂર ખસ્યો. આવા સ્વપ્નમાં તેનું થાળામાં પડેલું શરીર પણ નિદ્રામાં સાક્ષાત્ ખસ્યું, એટલે તે થાળામાંથી કૂવામાં પડી ગયો. પડતાં પડતાં તેની નિદ્રા જતી રહી, એટલે તે વિચારવા લાગ્યો કે ‘અહો ! આ શું થયું ? મેં શું જોયું ? તે સ્ત્રી ક્યાં ગઈ ? તેના વિલાસની કેવી છટા ! અહો ! જેનું નિરંતર ધ્યાન ધર્યું હતું તે આજે સ્વપ્નમાં ફળીભૂત થયું, પરંતુ આ તો સ્વપ્નની સ્ત્રીએ પોતાની માયાજાળમાં બાંધીને મને આ અંધકૂવામાં નાંખી દીધો, તો પછી સાક્ષાત્ સ્ત્રીનો અનુભવ કર્યો હોય, તો તે તો ખરેખર નરકગતિમાં જ નાખે, તેમાં પ્રાણીઓએ કાંઈ પણ સંદેહ રાખવા જેવું નથી.' આ પ્રમાણે કૂવામાં રહ્યો સતો તે વિચાર કરે છે, તેવામાં ત્યાં એક રાજા આવી ચડ્યો. તેણે કૂવામાં પડેલા માણસને જોઈને તેને બહાર કાઢી પૂછ્યું કે, ‘તને આ કૂવામાં કોણે નાખ્યો તે કહે. હું તેને શિક્ષા કરીશ.' ભારવાહક બોલ્યો કે, ‘હે સ્વામી ! તેની પાસે તમે તો શી ગણત્રીમાં છો ? ઈન્દ્રાદિક પણ તેને શિક્ષા કરવામાં સમર્થ નથી, તો પછી બીજાની તો વાત જ શી કરવી !' તે સાંભળીને પોતાના બળથી ગર્વ પામેલો તે રાજા ગાજી ઉઠ્યો કે, ‘અરે હું પૃથ્વીપતિ છું તેથી એવી કોઈપણ વસ્તુ નથી કે જે હું કરી ન શકું' ત્યારે તે ભારવાહકે પોતાના સ્વપ્નનું વૃત્તાંત સર્વ કહ્યું. તે સાંભળી રાજા પ્રતિબોધ પામી બોલ્યા કે, ‘તેં સત્ય કહ્યું છે. સ્ત્રીના વિલાસને જીતનાર તો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ માત્ર મહર્ષિઓ જ છે.” પછી તે ભારવાહક પૂરેપૂરો પ્રબોધ પામવાથી તેને પ્રથમ દ્રવ્ય તથા સ્ત્રી ઉપર જેવી આસક્તિ થઈ હતી, તેવી જ હવે સત્ત્વ, રજસ અને તમોગુણથી રહિત એવા નિર્ગુણ માર્ગમાં આસક્તિ થઈ.” આ પ્રમાણેના અનેક દૃષ્ટાન્તો સાંભળીને તે સુધર્મા શેઠ પ્રતિબોધ પામ્યો હતો. તે પોતાના એક મિત્રને હમેશાં ધર્મકથાઓ કહીને ઉપદેશ આપવા લાગ્યો. પણ તે મિત્ર તીવ્ર મોહ અને અજ્ઞાનસમન્વિત હોવાથી એક ક્ષણમાત્ર પણ જૈનધર્મ ઉપર રૂચિવાળો થયો નહીં. તેથી વિષાદ પામીને સુધર્માશ્રેષ્ઠિએ એકલા જ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે એકાદશ અંગનો અભ્યાસ કર્યો. એકદા તે મુનિનગરમાં પ્રવેશ કરતાં કોઈ ઠેકાણે વિવાહ ઉત્સવ હોવાથી મધુર ગીત, નૃત્ય અને વાજિંત્રના મનોહર નાદ સાંભળીને તથા કામને ઉદ્દીપન કરે તેવાં સુંદર લાવણ્યથી, વસ્ત્રાભૂષણથી અને મનોહર ગીતના આલાપથી કામી જનના મનને વિહ્વળ કરનાર સ્ત્રીઓના સમૂહને જોઈને તત્કાળ પાછા ફર્યા અને અરણ્યના કોઈ વિભાગમાં જઈને લીલા તૃણ, પર્ણ અને બીજાદિકની વિરાધના ન થાય તેવી રીતે કોઈ વૃક્ષની નીચે ઈર્યાપથિકી પડિક્કમીને ધ્યાનમગ્ન થયા સતા વિચારવા લાગ્યા કે “અહો ! મારો આત્મા અતિ લોલુપ છે, તેથી જો તે મોહજનક નિમિત્તો જોઈને હું પાછો નિવર્યો ન હોત તો મોટી કર્મવૃદ્ધિ થાત. તે પુરુષોને જ ધન્ય છે કે જેઓ રંભા અને તિલોત્તમા જેવી યુવતીઓના સમૂહમાં રહ્યા છતાં એક ક્ષણમાત્ર પણ આત્મતત્ત્વની રમણતાને મૂકતા નથી.” આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતાં તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે ઉપરના વૃક્ષ ઉપરથી એક પાંદડું પોતાના ચોલપટ્ટ ઉપર પડ્યું. તે જોઈને મુનિએ વિચાર્યું કે “આ પત્રમાં હું પણ અનેકવાર ઉત્પન્ન થયો હોઈશ. પરંતુ મારો પૂર્વનો મિત્ર કઈ ગતિમાં ગયો હશે?” એમ વિચારીને તેણે અવધિજ્ઞાન વડે જોયું તો તે જ પત્રમાં પોતાના મિત્રને એકેન્દ્રિયપણે ઉત્પન્ન થયેલો જોયો. તે વખતે મુનિ બોલ્યા કે, “હે મિત્ર! પૂર્વે મેં તને અનેક પ્રકારે વાર્યા છતાં પણ તેં મોહની આસક્તિ છોડી નહીં; હવે તો તું મન, વાણી અને બીજી ઈન્દ્રિયો વિનાનો થયો છે; તેથી હવે હું તને શું કહું? તેં મનુષ્યભવ નિરર્થક ગુમાવ્યો. અરેરે! પરમાત્માનો કહેલો ધર્મ તેં સમ્યગુ પ્રકારે અંગીકાર કર્યો નહીં.”ઈત્યાદિ ભાવદયા ભાવતાં અનુક્રમે તે મુનિ અનન્તાનંદપણું (મોક્ષ) પામ્યા. વિલાસમાં લાલસાવાળા તે મિત્રને સારી રીતે બોધ કર્યા છતાં પણ તેણે પોતાનું વીર્ય ગોપવી રાખ્યું; તેથી તે વૃક્ષના પત્રપણાને પામ્યો અને સુધર્મા મુનિએ પોતાનું વીર્ય ફોરવ્યું, તો તે આ જ જન્મમાં અવ્યયપદને પામ્યા.” Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ૩૦૧ પૂર્ણતા ગુણ पूर्णतागुणसंपृक्तं, वाचंयममहामुनिम् । जयघोषो द्विजः प्रेक्ष्य, पूर्णानन्दमयोऽभवत् ॥१॥ ભાવાર્થ:- “વાણીને નિયમમાં રાખનાર એવા મહામુનિને પૂર્ણતા ગુણથી યુક્ત જોઈને જયઘોષ નામનો બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયો હતો.” પૂર્ણતા ગુણનું વર્ણન પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે - पूर्णता या परोपाधेः, सा याचितकमंडनम् । या तु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ॥१॥ ભાવાર્થ. “જે પરઉપાધિથી પૂર્ણતા થયેલી છે તે માગેલા અલંકાર જેવી છે; અને જે સ્વાભાવિક પૂર્ણતા છે તે જાતિવંત રત્નની પ્રભા જેવી છે.” આ શ્લોકનું તાત્પર્ય એ છે કે પરઉપાધિ એટલે પુગલના સંબંધથી ઉત્પન્ન થયેલ દેહ, દ્રવ્ય, કામિની, કીર્તિ વગેરે ઉપાધિથી નરેન્દ્ર અને દેવેન્દ્રાદિક જે પૂર્ણતા માને છે તે માગીને પહેરેલા અલંકારાદિકની જેમ થોડો વખત શોભા આપે છે તેમ થોડા વખતની શોભા છે. અનંતકાળ પર્યત તે શોભા રહેતી નથી. કેમકે તેવા અલંકારાદિકથી જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે ઐશ્વર્ય તો આ વિશ્વાસી ઘણા જીવોએ અનન્તવાર ભોગવીને ઉચ્છિષ્ટ કરેલું છે. તેથી તે પ્રાણીઓને અશુદ્ધતાના કારણભૂત છે. આવી રીતે સમજીને જે આત્મસ્વરૂપના અનુભવની શોભા ધારણ કરે તે શોભા જ નિર્મળ રત્નની કાન્તિ જેવી શુદ્ધ છે એમ જાણવું.” આ પૂર્ણતા જેને સમ્યકત્વાદિ પ્રાપ્ત થયું હોય તેને જ હોય છે. તે વિષે કહ્યું છે કે - कृष्णपक्षे परिक्षीणे, शक्ले च समुदञ्चति । દોરે સવિલનાધ્યક્ષા, પૂનવિથો વઢના પારા (જ્ઞાનસાર) શબ્દાર્થ - “કૃષ્ણપક્ષ ક્ષીણ થાય અને શુક્લપક્ષનો ઉદય થાય, ત્યારે જ પૂર્ણાનન્દ રૂપી ચન્દ્રની કળા સમગ્ર લોકની સમક્ષ પ્રકાશમાન થાય છે.” - વિસ્તરાર્થઃ- કૃષ્ણપક્ષ ક્ષય પામે અને શુક્લપક્ષ ઉદય પામે, ત્યારે સમસ્ત લોકને પ્રત્યક્ષ એવી ચન્દ્રની કળા પ્રકાશે છે એ લોકસિદ્ધ રીતિ છે; તેવી જ રીતે કૃષ્ણપક્ષરૂપી અર્ધ પુગલ પરાવર્ત ઉપરાંત તમામ સંસાર ક્ષય પામે અને શુક્લપક્ષરૂપી અર્ધ પુદ્ગલ પરાવર્તની અંદર રહેલો ૧. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત જ્ઞાનસાર (અષ્ટક)ના પહેલા પૂર્ણાષ્ટકમાં આ શ્લોક છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ સંસાર પ્રવર્તમાન થાય ત્યારે પૂર્ણાનંદ (આત્મા) રૂપી ચંદ્રની સ્વરૂપાનુયાયી ચૈતન્ય પર્યાય પ્રગટ થવા રૂપ કળા પ્રત્યક્ષ થાય છે. (શોભે છે). કૃષ્ણપક્ષમાં તો અનાદિ ક્ષયોપશમીભૂત ચેતનાવર્યાદિ પરિણામ મિથ્યાત્વ અવિરતિમય હોવાથી સંસારના હેતુભૂત હોય છે તે શોભતું નથી. આ પૂર્ણતાને સ્વમતિકલ્પનાથી અનેક પ્રકારે કહેલી છે, પરંતુ સ્યાદ્વાદ રીતે તો જે આત્મસ્વરૂપનું સાધન કરવાની અવસ્થા તે જ પૂર્ણતા પ્રશસ્ત છે. પૂર્ણતાના ચાર પ્રકાર છે - નામપૂર્ણતા, સ્થાપનપૂર્ણતા, દ્રવ્યપૂર્ણતા અને ભાવપૂર્ણતા. તેમાં નામપૂર્ણ એટલે કોઈ વસ્તુનું નામ માત્ર જે પૂર્ણ હોય તે; જેમકે પૂર્ણપોળી. કાષ્ઠ અથવા પાષાણાદિકમાં જે પૂર્ણની આકૃતિ કરીએ તે સ્થાપનાપૂર્ણ. દ્રવ્યપૂર્ણના ઘણા અર્થો થાય છે, તેમાં દ્રવ્યમાં પૂર્ણ-ધનાઢ્ય માણસ; દ્રવ્ય કરીને પૂર્ણજળ વગેરે કરીને પૂર્ણ ઘડો વગેરે; દ્રવ્યથી પૂર્ણપોતાના કાર્યથી પૂર્ણ થયેલો; (અહીં દ્રવ્ય એટલે “અર્થ ક્રિયા કરનારું એવું દ્રવ્યનું લક્ષણ સમજવું). દ્રવ્યોને વિષે પૂર્ણ-ધર્માસ્તિકાય સ્કન્ધ વગેરે. (અહીં “અણુવઓગો દવેં' “જેનામાં ઉપયોગ શૂન્યતા હોય તે દ્રવ્ય એવું વચન કહેલું છે.) જે પૂર્ણપદના અર્થને જાણનાર છતાં ઉપયોગ રહિત હોય તે આગમથી દ્રવ્ય કહેવાય. જ્ઞશરીર, ભવ્ય શરીર તથા તેથી વ્યતિરિક્ત એ ત્રણ પ્રકારે કરીને નોઆગમથી દ્રવ્ય કહેવાય છે, તેમાં પૂર્ણપદ જાણનાર જીવનું જે શરીર છે તે જ્ઞશરીર કહેવાય છે, પૂર્ણપદને જાણનાર હવે પછી થવાનો હોય એવો જે લઘુ શિષ્યાદિક તે ભવ્યશરીર કહેવાય છે, તે બન્નેથી વ્યતિરિક્ત એટલે ગુણાદિકની સત્તા વડે પૂર્ણ હોય, તો પણ તેની પ્રવૃત્તિથી રહિત અને કર્મથી આવરણ પામેલો એવો આત્મારૂપી દ્રવ્ય તે તવ્યતિરિક્ત કહેવાય છે. અહીં તેના ભાવ સ્વભાવની વિવક્ષા કરી નથી, કેમકે દ્રવ્ય કોઈપણ વખતે પર્યાય વિનાનું હોતું જ નથી. પરંતુ અહીં તો દ્રવ્ય નિપાના પ્રતિપાદનને માટે પર્યાય રહિત માત્ર દ્રવ્યની જ વિવફા કરેલી છે. આ પ્રમાણે જીવસમાસાદિક ગ્રંથમાં નિર્ણય કરેલો છે. પૂર્ણતા તો જીવના ગુણરૂપ છે. તે ગુણ ગુણી વિના રહી શકે નહીં. તેથી તેમાં દ્રવ્યનું પ્રાધાન્ય રાખવાથી દ્રવ્યજીવ કહેવાય છે. ભાવપૂર્ણ એટલે આગમથી પૂર્ણ-પદાર્થના સમગ્ર ઉપયોગવાળો અને નોઆગમથી જ્ઞાનાદિ ગુણો વડે સંપૂર્ણ. સંગ્રહનયને આધારે સર્વે જીવો પૂર્ણતા ગુણે કરીને યુક્ત છે. નૈગમનયને આધારે આસન્નસિદ્ધિવાળા ભવ્ય જીવો જેઓ પૂર્ણતા ગુણના અભિલાષી હોય તે પૂર્ણતા ગુણથી યુક્ત કહેવાય છે. વ્યવહારનયને આધારે પૂર્ણતા ગુણ પ્રાપ્ત કરવા માટે તેનો અભ્યાસ કરનારા જીવો પૂર્ણ છે. ઋજુસૂત્રના મતમાં પૂર્ણતા ગુણનો વર્તમાન સમયમાં વિચાર કરનારા જીવો પૂર્ણ છે. શબ્દનયના મતમાં સમ્યગ્દર્શનાદિક સાધક ગુણોના આનંદથી પૂર્ણ થયેલા જીવો પૂર્ણ છે. સમભિરૂઢ નયનો આશ્રય કરીએ તો અરિહન્ત, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિઓ આત્મસ્વભાવના સુખનો આસ્વાદ કરીને સંસારમાં ઉદ્વેગ પામેલા હોવાથી પૂર્ણતા ગુણથી યુક્ત છે અને એવંભૂતનયને આધારે સિદ્ધના જીવો અનન્ત ગુણવાળા અવ્યાબાધ આનંદથી પૂર્ણ થયેલા હોવાથી પૂર્ણતા ગુણે Page #90 -------------------------------------------------------------------------- ________________ nos ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ યુક્ત છે. અહીં ભાવપૂર્ણતા એટલે ત્રિકાળને વિષે પણ પરપુગલના સંયોગથી ઉત્પન્ન થતા સુખની વાંછાથી રહિત થવું તે. તેનાથી ન્યૂનપણું ન માનવું છે. તેવા પૂર્ણતા ગુણે કરીને યુક્ત એવા સાધુને જોઈને જયઘોષ નામનો બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયો હતો. તેની કથા આ પ્રમાણે – જયઘોષ દ્વિજની કથા વાણારસીનગરીમાં સાથે જન્મેલા જયઘોષ અને વિજયઘોષ નામના બે ભાઈઓ કાશ્યપગોત્રી હતા. એકદા જયઘોષ સ્નાન કરવા ગંગાને કિનારે ગયો. ત્યાં મુખમાં શબ્દ કરતા દેડકાને લઈને ખાતો એક સર્પ તેણે જોયો. તે સર્પને પણ એક કુરર પક્ષીએ ઉપાડીને ઊંચો ઉડાડી પૃથ્વી પર નાંખી ખાવા માંડ્યો. તે પક્ષીથી ભક્ષણ કરાતાં છતાં પણ તે સર્પ પેલા શબ્દ કરતાં દેડકાને તોડી તોડીને ખાતો હતો. આ પ્રમાણે પરસ્પર ભક્ષણ કરતા તે પ્રાણીઓને જોઈને જયઘોષે વિચાર્યું કે “અહો ! સંસારનું સ્વરૂપ કેવું છે?” यो हि यस्मै प्रभवति, ग्रसते तं स मीनवत् । न तु गोपयति स्वीयशक्तिं कोऽपि न दीनवत् ॥१॥ ભાવાર્થ:- જે એના કરતાં વધારે સમર્થ છે, તે તેને મત્સ્યની પેઠે પ્રસન કરે છે. કોઈપણ પ્રાણી દીનની જેમ પોતાની શક્તિને ગોપવતા નથી.” અને कृतान्तस्तु महाशक्तिरिति स ग्रसतेऽखिलम् । तदसारेऽत्र संसारे, का नामास्था मनीषिणाम् ॥२॥ ભાવાર્થ - “યમરાજ તો મહાશક્તિમાન છે, તેથી તે સમગ્ર પ્રાણીને ગળી જાય છે, તો આવા અસાર સંસારમાં બુદ્ધિમાન પુરુષોની કેમ આસ્થા હોય? ન જ હોય. પરંતુ આ સંસારમાં માત્ર એક ધર્મ જ યમરાજની શક્તિને કુંઠિત કરવા સમર્થ છે, તેથી હું તેનો જ આશ્રય કરું. આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તે ગંગાનદીને સામે તીરે ગયો. ત્યાં તેણે પૂર્વે કહેલા પૂર્ણતા ગુણથી યુક્ત એવા સાધુઓને જોયા. એટલે તેમની વાણીથી જૈનધર્મનું રહસ્ય જાણીને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. અનુક્રમે વિહાર કરતાં તે જયઘોષ મુનિ વાણારસીનગરીના ઉદ્યાનમાં આવ્યા. તે પુરીમાં વિજયઘોષે યજ્ઞ કરવા માંડ્યો હતો, ત્યાં જયઘોષ મુનિ માસક્ષપણને પારણે ભિક્ષા માટે ગયા. તેને યજ્ઞ કરનાર વિજયઘોષે ઓળખ્યા નહીં. તેથી પોતે જ તેને ભિક્ષાનો નિષેધ કરી કહ્યું કે, “હે ભિક્ષુક ! તને હું ભિક્ષા આપીશ નહીં. બીજે ઠેકાણે યાચના કર, કેમકે વેદ જાણનાર બ્રાહ્મણો જ યજ્ઞમંડપમાં નિષ્પન્ન થયેલું અન્ન ખાવાને યોગ્ય છે.” આ પ્રમાણે તે યાજકે (યજ્ઞ કરનારાએ) નિષેધ કર્યા છતાં પણ તે મુનિ સમતા ધારણ કરીને રહ્યા. પછી અન્નની ઈચ્છાથી નહીં, પણ તેને તારવાની બુદ્ધિથી તે બોલ્યા કે, “હે બ્રાહ્મણ! Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ વેદમુખ એટલે વેદમાં મુખ્ય ધર્મ શો કહ્યો છે? યજ્ઞમુખ એટલે મુખ્ય યજ્ઞ કયો છે? નક્ષત્રમુખ એટલે નક્ષત્રોમાં મુખ્ય કોણ છે? અને ધર્મમુખ એટલે ધર્મને શરૂ કરનાર કોણ છે? તે તું કાંઈ પણ જાણતો નથી.” તે સાંભળીને યાજક બોલ્યો કે, “ત્યારે તમે જ તે સર્વ કહો.” મુનિ બોલ્યા કે, “વેદમાં અહિંસાધર્મ જ સર્વ ધર્મમાં મુખ્ય કહેલો છે, સર્વ યજ્ઞોમાં ભાવયજ્ઞ મુખ્ય છે, નક્ષત્રોમાં મુખ્ય ચંદ્રમા છે અને ધર્મમુખ કાશ્યપગોત્રી ઋષભદેવ જ છે. કેમકે તેમણે જ ધર્મનો પ્રથમ ઉપદેશ કરેલો છે અને તેમણે પ્રરૂપેલા ધર્મનું આરાધન કરનારા જ બ્રાહ્મણ કહેવાય છે.” તે વિષે શ્રી ઉત્તરાધ્યયનના પચ્ચીશમા અધ્યયનમાં કહ્યું છે કે – जहा पउमं जले जायं, नो वि लिप्पइ वारिणा । एवं अलित्त कामेहि, तं वयं बंभमाहणं ॥१॥ ભાવાર્થ- જેમ જળમાં ઉત્પન્ન થયેલું કમળ જળથી લેપતું નથી, તેવી જ રીતે જેઓ કામભોગથી લેપાતા નથી, તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.” વળી – न वि मुंडिएण समणो, न ॐकारेण बंभणो। न मुणी रण्णवासेण, कुसचीरेण न तावसो ॥२॥ ભાવાર્થ- માત્ર મુંડન કરાવવાથી (લોચ કર્યાથી) કાંઈ સાધુ કહેવાય નહીં, માત્ર કાર (૩ૐ ભૂર્ભુવઃ સ્વઃ ઈત્યાદિ ગાયત્રી મંત્ર) બોલવાથી બ્રાહ્મણ કહેવાય નહીં, માત્ર અરણ્યમાં રહેવાથી મુનિ કહેવાય નહીં અને માત્ર દર્ભ અથવા વલ્કલના વસ્ત્ર ધારણ કરવાથી કાંઈ તાપસ કહેવાય નહીં.” समयाए समणो होइ, बंभचेरेण बंभणो। नाणेण य मुणी होइ, तवेण होइ तावसो ॥३॥ ભાવાર્થઃ- “સમતા ગુણ ધારણ કરવાથી શ્રમણ (સાધુ) કહેવાય છે, બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ કહેવાય છે, જ્ઞાનથી મુનિ કહેવાય છે, અને તપ કરવાથી તાપસ કહેવાય છે.” વળી - कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तीओ। कम्मुणा वइसो होइ, सुद्दो हवइ कम्मणा ॥१॥ ભાવાર્થ:- “કર્મ (ક્રિયા વડે) કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, કર્મે કરીને જ ક્ષત્રિય કહેવાય છે, કર્મ કરીને જ વૈશ્ય કહેવાય છે અને કર્મે કરીને જ શુદ્ર કહેવાય છે. કર્મે કરીને જ બ્રાહ્મણ કહેવાય છે, તે વિષે કહ્યું છે કે - क्षमा दानं तपो ध्यानं, सत्यं शौचं धृतिः क्षमा । ज्ञानं विज्ञानमास्तिक्य-मेतद्ब्राह्मणलक्षणम् ॥१॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ :- ‘ક્ષમા, દાન, તપ, ધ્યાન, સત્ય, શૌચ, ધૃતિ, ક્ષમા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ બ્રાહ્મણનાં લક્ષણ છે.’ કર્મે કરીને ક્ષત્રિય કહેવાય છે, એટલે ભયથી રક્ષણ કરવારૂપ કર્મો કરીને ક્ષત્રિય કહેવાય છે, કૃષિ તથા પશુપાલન વગેરે કરવાથી વૈશ્ય કહેવાય છે અને કાસદીયું નોકરી વગેરે કર્મ ક૨વાથી શુદ્ર કહેવાય છે. આ પ્રમાણે પોતપોતાને યોગ્ય કર્મ ન કરે તો તે બ્રાહ્મણાદિક જાતિથી ને તેવી સંજ્ઞાથી પણ ભ્રષ્ટ થયેલા જાણવા. અહિંસાદિક ગુણોથી યુક્ત એવા શ્રેષ્ઠ બ્રાહ્મણો જ તરવા અને તારવામાં સમર્થ હોય છે.' આ પ્રમાણે તે મુનિના ધર્મવાક્યો સાંભળીને વિજયઘોષ સંશય રહિત થઈ ‘જરૂર આ મુનિ મારા ભાઈ છે' એમ જાણીને પ્રસન્ન થઈ બોલ્યો કે - ‘હે મુનિ ! તમે જ ખરા વેદને જાણનારા છો. હે યથાસ્થિત વસ્તુતત્ત્વને જાણનારા ! તમે જ યજ્ઞના કરનારા છો. ભાવયજ્ઞ કરીને તમે જ પોતાને અને પરને તારવાને સમર્થ છો. માટે હે ઉત્તમ ભિક્ષુ ! આ ભિક્ષા ગ્રહણ કરીને તમે મારા પર અનુગ્રહ કરો.' મુનિ બોલ્યા કે, ‘હે બ્રાહ્મણ ! મારે ભિક્ષાની કાંઈ જરૂર નથી; પરંતુ જલદીથી તું આ કૃત્યથી નિવૃત્તિ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કર. ભયના આવર્ત્તવાળા આ સંસારસાગરમાં ભટક નહીં. જેમ એક લીલો તથા એક સૂકો એવા માટીના બે ગોળાને ભીંત પર ફેંકીએ તો આર્દ્ર ગોળો ભીંત સાથે ચોંટી જશે અને સૂકો ગોળો નીચે પડશે, અર્થાત્ તે ચોંટશે નહીં. તેમ જે દુર્બુદ્ધિ માણસો કામની લાલસાવાળા હોય છે તેઓ જ સંસારમાં લીન થાય છે અને જેઓ તે લાલસાથી વિરક્ત છે તેઓ લીન થતા નથી.' કહ્યું છે કે - एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा । विरत्ता उ न लग्गंति, जहा सुक्के उ गोलए ॥१॥ (આ ગાથાનો અર્થ ઉપર આવી ગયેલો છે.) ઈત્યાદિ ઉપદેશ સાંભળીને તે વિજયઘોષે સર્વ સંગ તજીને દીક્ષા ગ્રહણ કરી. પછી બન્ને ભાઈઓ અનુક્રમે પૂર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષસુખને પામ્યા. “વાસ્તવિક કલ્પના રહિત અને આત્મગુણ સાધન કરવામાં તત્પર એવી પૂર્ણતા તે જ્ઞાનદષ્ટિરૂપ પોતાની જ કાંતિ છે, માટે હે ભવ્ય પ્રાણીઓ ! તમે તેને અનુયાયી ચેતના કરો.” ૩૦૨ મગ્નતા ગુણ हित्वाक्षविषयांश्चित्तं समाधिसौख्यलालसम् । यस्य जातं नमस्तस्मै, मग्नतागुणधारिणे ॥१॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ :- “જેનું ચિત્ત ઈન્દ્રિયોના વિષયોને છોડીને સમાધિસુખનું લાલસુ (તલ્લીન) થયું છે, તેવા મગ્નતા ગુણ ધારણ કરનારને નમસ્કાર છે.” મગ્નતા ગુણનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે આ જીવ અનાદિ કાળથી પુદ્ગલના સ્કન્ધથી ઉત્પન્ન થયેલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ વગેરે વિષયોમાં ભ્રમણ કરતાં કરોડો કલ્પના કરીને ઈષ્ટ વિષયોને ઈચ્છતો સતો વાયુએ ઉપાડેલા પલાશના સૂકાં પાંદડાંની જેમ ભટક્યા કરે છે. તે જીવ કોઈ વખત સ્વપરના વિવેકરૂપ ભેદજ્ઞાનને પામીને અનન્ત જ્ઞાનદર્શનના આનંદવાળા આત્મભાવનો સત્તાપણે નિશ્ચય કરીને પછી ‘આ વિભાવથી ઉત્પન્ન થયેલું સુખ મારું નહીં, હું તેનો ભોક્તા નહીં. એ તો માત્ર ઉપાધિ જ છે, મેં આજ સુધી આ પરવસ્તુઓમાં મમતા રાખીને તેનો કર્તા, ભોક્તા (ભોગવનાર) અને ગ્રાહક (ગ્રહણ કરનાર) હું છું એમ જે માન્યું હતું તે યોગ્ય નથી. ત્રિકાળજ્ઞ કેવળી ભગવાનના વાક્યરૂપી અંજન વડે જેને સ્વપરનો વિવેક પ્રાપ્ત થયેલો છે, તેને પરવસ્તુમાં રમણરૂપ આસ્વાદન યોગ્ય નથી.” એવી રીતે વિચાર કરીને આત્માને અનન્ત આનંદમય જાણી ૫રમાત્મસત્તારૂપ સ્વરૂપમાં મગ્ન થાય છે. આવો માણસ મગ્નતા ગુણને ધારણ કરનાર કહેવાય છે. આ મગ્નતા ગુણ નયનિક્ષેપાદિક વડે ઘણા પ્રકારનો છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. ધન અને મદિરાપાન વગેરેમાં જે મગ્ન હોય તે દ્રવ્યમગ્ન કહેવાય છે. અથવા દ્રવ્યમગ્નના બે પ્રકાર જાણવા. આગમથી મગ્ન અને નોઆગમથી મગ્ન. તેમાં આગમથી મગ્ન એટલે પદાર્થોને જાણે, પણ તેમાં ઉપયોગ વર્તે નહીં તે અને નોઆગમથી મગ્ન પૂર્વે કહ્યા પ્રમાણે ધન-મદિરાદિકમાં મગ્ન હોય તે. તચતિરિક્ત તે મૂઢ, શૂન્ય, જડ હોય તે. ભાવમગ્ન બે પ્રકારે છે, અશુદ્ધ અને શુદ્ધ. તેમાં અશુદ્ધ ભાવમગ્ન તે નિરંતર ક્રોધાદિકમાં મગ્ન, વિભાવમાં આત્માને ભાવનારો. શુદ્ધ ભાવમગ્નના બે પ્રકાર છે, તેમાં પ્રથમ સાધક એટલે આત્મસ્વરૂપને સાધનાર તે આત્મસ્વરૂપની સન્મુખ રહેલો. નયની અપેક્ષાએ વિચારીએ તો પહેલા ચાર નયની અપેક્ષાએ વિધિ સહિત બાહ્ય સાધનામાં પ્રવૃત્તિ કરનાર અને વસ્તુસ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છાવાળો સાધક કહેવાય છે અને શબ્દાદિક ત્રણ નયની અપેક્ષાએ તો સમ્યગ્દર્શન, જ્ઞાન અને સંયમ વગેરે આત્મસમાધિમાં મગ્ન થયેલો સાધક કહેવાય છે. બીજો સિદ્ધમગ્ન તે આવરણ રહિત સંપૂર્ણ વસ્તુસ્વરૂપમાં મગ્ન થયેલો જાણવો. અહીં જ્ઞાનાદિક આત્મસ્વરૂપમાં મગ્નપણું ગુણાન્વિત જાણવું. પરભાવમાં આસક્ત થયેલામાં ખરું મગ્નપણું જાણવું નહીં. કહ્યું છે કે स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥१॥ ભાવાર્થ :- “જગતના તત્ત્વનું અવલોકન કરનાર સ્વભાવસુખમાં મગ્ન થયેલાને અન્ય ભાવોનું કર્તાપણું હોતું નથી, માત્ર સાક્ષીપણું જ અવશેષ રહે છે.” ૧. આત્માથી વ્યતિરિક્ત પુદ્ગલાદિક સર્વ વિભાવ કહેવાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ અર્થાત્ સ્વભાવિક સહજ સુખમાં મગ્ન થયેલા અને લોકના યથાર્થ સ્વરૂપને જાણનારા દર્શનશીલ એવા મનુષ્યોને જ્ઞાનાવરણીયાદિક કર્મોને ઉત્પન્ન કરનાર બાહ્ય પુદ્ગલ સ્કન્ધો લેવામાં અથવા મૂક્વામાં કર્તાપણું હોતું નથી, પણ જ્ઞાનપણાના સ્વભાવથી સાક્ષીપણું જ હોય છે. આ ઉપર સૂક્ષ્મ વિચાર કરીએ તો – ક્રિયા કરવામાં જેનું એકાધિપત્યપણું (સ્વતંત્રપણું) હોય તે કર્તા કહેવાય છે. આ કર્તાપણું જીવમાં તેના ગુણોનું જ હોઈ શકે છે. કુંભાર ચક્રાદિક ઉપકરણથી ઘટાદિક પદાર્થો કરે છે તેમ જીવ પણ ચૈતન્યવીર્યરૂપી ઉપકરણથી પોતાના ગુણો ઉત્પન્ન કરી શકે છે. ક્રિયાશૂન્યપણું હોવાથી ધર્માસ્તિકાયાદિક દ્રવ્યમાં એકાધિપત્ય કર્તાપણું નથી. જીવનું કર્તાપણું પણ પોતાના કાર્ય (આત્મધર્મ) સંબંધે છે. કોઈપણ જીવ જગતનો કર્તા નથી, પરંતુ પોતાના કાર્યના પરિણામ પામતા ગુણોના પર્યાયની પ્રવૃત્તિનો જ કર્તા છે. જો પરભાવોનો કર્તા જીવને માનીએ તો અસત્ આરોપ અને સિદ્ધિઅભાવ વગેરે દૂષણો પ્રાપ્ત થાય છે, માટે જીવ લોકાલોકનો જ્ઞાતા છે પણ પરભાવનો કર્તા નથી, પરંતુ સ્વભાવ મૂઢ થઈને અશુદ્ધ પરિણામમાં પ્રવૃત્ત થઈ અશુદ્ધ નિશ્ચયનયે રાગાદિક વિભાવનો અને અશુદ્ધ વ્યવહારનયે જ્ઞાનાવરણાદિક કર્મનો કર્તા થાય છે, તેમ છતાં પણ તે જીવ સ્વાભાવિક રૂચિવાળો અને અનન્ત અવિનાશી આત્મસ્વરૂપવાળો હોઈને આત્માના પરમાનંદનો જ ભોક્તા છે. તે પરભાવોનો કર્તા નથી પણ જ્ઞાતા (સાક્ષીમાત્ર) છે. આ મગ્નતા ગુણ ધારણ કરનાર પ્રાણી કેવો હોય છે? તે વિષે પૂર્વ પૂજય પુરુષો કહે છે કે - परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादाः, स्फरा दारादराः क्व च ॥१॥ શબ્દાર્થ - પરબ્રહ્મમાં મગ્ન થયેલા મનુષ્યને પુલ સંબંધી કથા જ શિથિલ થઈ જાય છે. તેને પછી આ સુવર્ણના ઉન્માદો ક્યાં? અને દેદીપ્યમાન સ્ત્રીઓનો આદર પણ ક્યાં?' વિસ્તરાર્થ:- “પરબ્રહ્મ એટલે જ્ઞાનાદિ આત્મસ્વરૂપમાં મગ્ન થયેલા મનુષ્યને પુદ્ગલ સંબંધી કથા, એટલે શરીરાદિકના સુંદર વર્ણ વગેરેની કથા, શિથિલ એટલે નષ્ટ થઈ જાય છે, કેમકે તે શરીરાદિક પરવસ્તુ છે, અગ્રાહ્ય છે, અને અભોગ્ય છે એમ તેને નિર્ધાર થયેલો હોય છે. અર્થાત આવા પુદ્ગલાદિકની કથા પણ જેને કરવા લાયક નથી, તેને પછી તેના પર આગ્રહ તો ક્યાંથી જ થાય? તે કારણથી જ તેને આ કાંચન એટલે સુવર્ણનો ઉન્માદ જ ક્યાંથી હોય ? કેમકે પાપસ્થાનોના નિમિત્તભૂત હોવાથી આત્મગુણરૂપી સંપત્તિવાળા મનુષ્યને સુવર્ણાદિકનું ગ્રહણ કરવાપણું જ હોતું નથી, તેમજ એવા પુરુષને દેદીપ્યમાન એવી જે સ્ત્રી તેનો આદર પણ ક્યાંથી જ હોય? ન જ હોય.” Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ અહર્નિશ પુદ્ગલ સંબંધી કથામાં મગ્ન રહેનાર સર્વ સ્થાને ઉન્માદવાળા જ હોય છે. જુઓ ! રામચંદ્રે ત્રિકાળમાં પણ અસંભવિત એવો સુવર્ણનો મૃગ જોઈને તેને ગ્રહણ કરવા અનેક પ્રકારના ઉન્માદો કર્યા હતા. ત્યાર પછી સ્ત્રીને માટે પણ તેણે ઘણો આદર પ્રગટ કર્યો હતો. અર્થાત્ સીતાનું હરણ થતાં ઘણો ઉન્માદ બતાવ્યો હતો અને તેને પાછી લાવવા પારાવાર પ્રયાસ કર્યો હતો, માટે વ્યથા ઉત્પન્ન કરનારી તે પુદ્ગલની કથાને જેણે જ્ઞાનગોચર કરેલી છે, તે જ મગ્નતા ગુણયુક્ત કહેવાય છે. આ સંબંધમાં ઉપયોગી સોમવસુનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે સોમવસુની કથા કૌશાંબીનગરીમાં સોમ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે હંમેશા ધર્મશાસ્ત્ર શ્રવણ ક૨વામાં પ્રીતિવાળો હતો. એકદા પુરાણમાં તેણે આ પ્રમાણે લોમઋષિની કથા સાંભળી કે ‘કોઈ એક દીર્ઘદર્શી (સૂક્ષ્મદ્રષ્ટિવાળા) તાપસે બાર હજાર વર્ષ સુધી તપ કર્યું. તે માસક્ષપણને પારણે પાંચ જ ઘેર ભિક્ષા માગતો હતો. જો કદાચ તે પાંચ ઘરમાંથી તેને ભિક્ષા ન મળતી તો ફરીથી માસના ઉપવાસ કરતો, પણ છઢે ઘેર ભિક્ષા માગતો નહીં. એ પ્રમાણે ચાર માસક્ષપણ સુધી કરતો અને આહાર મળતો ત્યારે મળેલા આહારના ચાર ભાગ કરીને એક ભાગ જળચરને, બીજો સ્થળચરને અને ત્રીજો ખેચરને આપીને અવશેષ રહેલા ચોથા ભાગને એકવીશ વાર પાણીથી ધોઈને પોતે ખાતો હતો. આવી રીતે તપ કરતા તે તાપસ મૃત્યુ પામીને ઈન્દ્ર થયો, ત્યાં તેણે સર્વ દેવોને પૂછ્યું કે ‘આ સ્વર્ગ કોણે બનાવ્યું છે ?' ત્યારે દેવતાઓ બોલ્યા કે ‘આ સ્વર્ગ કોઈએ બનાવ્યું નથી. તે તો સ્વયંસિદ્ધ જ છે,’ તે સાંભળીને તેણે (ઈન્દ્ર) વિચાર્યું કે ‘આ સ્વર્ગ જીર્ણ થઈ ગયું છે માટે હું નવું સ્વર્ગ બનાવું.' દેવતાઓએ કહ્યું કે ‘નવીન સ્વર્ગ કોઈથી બની શકે જ નહીં.' ઈન્દ્રે કહ્યું કે, ‘પ્રથમના ઈન્દ્રો નવીન સ્વર્ગ બનાવવામાં અશક્ત હતા, પણ હું તો સમર્થ છું.' ત્યારે દેવો બોલ્યા ‘હે સ્વામી ! તમે પ્રથમ મૃત્યુલોકને જુઓ પછી તમારી ધારણા પ્રમાણે કરો.’ ૮૪ તે સાંભળીને ઈન્દ્ર મનુષ્યલોક જોવા ગયો. ત્યાં કોઈ એક અરણ્યમાં એક આંકડાના વૃક્ષની નીચે લોમ નામના ઋષિને તપસ્યા કરતા જોયા. તે ઋષિને ઈન્દ્રે પૂછ્યું “હે ઋષિ ! તમે મઠ કર્યા વિના તપ કેમ કરી શકો છો ?' લોમઋષિ બોલ્યા કે – “જ્યારે ચૌદ ચોકડી જાય છે, ત્યારે મારા શરીરનો એક વાળ ખરે છે. એવી રીતે આ મારા આખા શરીરના સાડાત્રણ કરોડ વાળ ખરી જશે, ત્યારે મારું મૃત્યુ થવાનું છે. હજુ તો મારા મસ્તકના ચાર કેશ પણ પૂરા પડ્યા નથી. એકેક ચોકડી વીશ હજાર વર્ષે થાય છે. તે પ્રમાણે સર્વ રોમ પડશે ત્યારે મારું મૃત્યુ થશે. તેથી આ દેહ અનિત્ય છે. જો આ શરીર શાશ્વતું હોત તો તેને માટે મઠ વગેરે કરવાનો મોહ રાખત, પણ તેમ તો નથી.” તે સાંભળી ઈન્દ્રે વિચાર કર્યો કે “આ ઋષિની પાસે મારું આયુષ્ય જળના કણીઆ જેટલું જ છે. તો નવીન સ્વર્ગ કરવાનો શો મોહ કરવો ?” એમ નિશ્ચય કરી ઈન્દ્ર પોતાને સ્થાને ગયો. ૧. માછલા વિગરે. ૨. પશુઓ. ૩. પક્ષીઓ. ૪ તેંતાલીશલાખ અને વિશહજાર વર્ષની એક ચોકડી કહેવાય છે. એમ ટબામાં લખ્યું છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૮૫ આ પ્રમાણે પુરાણની કથા સાંભળીને તે સોમ બ્રાહ્મણે વિચાર્યું કે “કુળધર્મ તો શ્રેષ્ઠ નથી. માટે ધર્મની પરીક્ષા કરીને જ્ઞાનધર્મનું આચરણ કરું.” પછી તેણે નાનાપ્રકારના દર્શનો જોતા જોતા કોઈ એક મતના પરિવ્રાજકને ધર્મ પૂછ્યો કે “પ્રભુએ ત્રણ પદમાં ધર્મ કહેલો છે. મીઠું ખાવું, સુખે સૂવું અને પોતાનો આત્મા લોકપ્રિય કરવો. આ ત્રણ પદનો શો અર્થ સમજવો ?” પરિવ્રાજકે જવાબ આપ્યો કે “પ્રથમનું જમેલું જીર્ણ થયા પછી (પચી ગયા પછી) રૂચિ પ્રમાણે જમવું તે મીઠું ભોજન, કોમળ શય્યામાં સૂવું તે સુખશયન અને મંત્ર તથા ઔષધિના પ્રયોગથી લોકોમાં પ્રશંસા થાય તેમ કરવું તે લોકપ્રિય થવું.” તે સાંભળીને સોમવસુએ વિચાર્યું કે “આ સમ્યગ્ ધર્મ નથી કેમકે આ તો પાપવૃત્તિમય છે.’’ એમ વિચારીને તેણે તે ત્રણે પદનો અર્થ કોઈ મુનિ પાસે જઈને પૂછ્યો. એટલે મુનિએ જવાબ આપ્યો કે “જે ભોજન પોતે કર્યું ન હોય, કરાવ્યું ન હોય અને તેના કરનારને અનુમોદન પણ કર્યું ન હોય એવું ભોજન એકાંતરે ખાવામાં આવે તો તે પરમાર્થથી મિષ્ટ કહેવાય છે. કેમકે તે દાતા, દાન ને દેય એમ ત્રણે પ્રકારની શુદ્ધિવાળું હોવાથી દાન કરનાર અને લેનાર બન્નેને સુખકારી છે. વિધિપૂર્વક અલ્પ નિદ્રા લેવી તે સુખશયન કહેવાય છે અને કોઈપણ પ્રકારની ઈહા (ઈચ્છા) ન કરવી, એવું મહાનિરીહપણું હોવાથી લોકપ્રિય થવાય છે.' આ પ્રમાણે સાંભળીને સોમવસુએ વિચાર્યું કે ‘આ અર્થ માર્ગાનુયાયી અને સમિચીન જણાય છે.’ એ પ્રમાણે તત્ત્વજ્ઞાન સાંભળીને તે બ્રાહ્મણ હર્ષ પામ્યો અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી યુક્ત એવા તે સાધુએ આચરણ કરેલી ત્રિપદીને જોઈને તથા સાંભળીને ચારિત્ર ગ્રહણ કર્યું, એકદા તે સોમ સાધુ અરણ્યમાં પ્રતિમા ધારણ કરી ઉભા રહ્યા હતા, તે વખતે ઈન્દ્રિયોના વિષયોને નિવારીને આત્મસ્વરૂપના અવલોકનમાં જ તત્પર થઈ તન્મય ચિત્ત કરીને આત્મસ્વરૂપના જ્ઞાનમાં મગ્ન થયા. કહ્યું છે કે - ज्ञानमग्नस्य यत्सौख्यं, तद्वक्तुं नैव शक्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ॥१॥ ભાવાર્થ :- ‘જ્ઞાનમાં મગ્ન થયેલા મનુષ્યને જે સુખ હોય છે, તે કહેવાને કોઈ સમર્થ નથી. તે સુખને પ્રિયાના આલિંગન સાથે અથવા તો ચંદનના વિલેપન સાથે ઉપમા આપી શકાય તેમ નથી.' આત્મસ્વરૂપની ઉપલબ્ધિથી પ્રાપ્ત થયેલું જે સુખ તે વાણીગોચર છે જ નહીં. તે અધ્યાત્મસુખને બાહ્ય સુખની ઉપમા વડે ઉપમિત કરાય જ નહીં, કેમકે આરોપિત સુખ આત્મજ્ઞાનના સુખની બરાબર થઈ શકે નહીં. કહ્યું છે કે - - लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । इक्को नवरिं न लब्भई, जिणिंदवरदेसिओ धम्मो ॥१॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ :- ‘દેવોનું સ્વામીપણું (ઈન્દ્રપણું) પામી શકાય છે, તેમ જ પ્રભુતા પણ પામી શકાય છે, તેમાં કોઈ સંદેહ જેવું નથી, પરંતુ એક જિનેન્દ્ર પ્રરૂપણ કરેલો ધર્મ જ પામી શકાતો નથી, તે જ એક વિશેષ દુર્લભ છે.’ धम्मो पवत्तिरूवो, लब्भइ कइया वि निरयदुक्खतया । जो निअवत्थुसहावो, सो धम्मो दुल्हो लोए ॥२॥ ભાવાર્થ :- ‘નરકના દુઃખથી પીડા પામીને કોઈક વખત પ્રવૃત્તિરૂપ ધર્મ તો પામી શકાય છે, પણ જેમાં આત્મવસ્તુનો સ્વભાવ રહેલો છે એવો જે ધર્મ તે આ લોકમાં દુર્લભ છે.” એ જ કારણથી વસ્તુસ્વરૂપ ધર્મના સ્પર્શ વડે કરીને જ તે સાધુ શુભ ધ્યાનમાં મગ્ન થઈ તે કાયોત્સર્ગે રહ્યા. તે વખતે કોઈ એક ચક્રવર્તી ચોરાશી લાખ હાથી, ઘોડા અને રથથી યુક્ત તથા છત્તું કરોડ પદાતિ સહિત અનેક વારાંગનાઓને નૃત્ય કરાવતો તે માર્ગે નીકળ્યો. તેણે તે મુનિને જોઈને વિચાર્યું કે, ‘અહો ! આ મુનિમાં આત્મસ્વરૂપમાં મગ્ન થવાનો ગુણ કેવો અપ્રતિમ છે ? તે વાણીથી કહી શકાય તેમ નથી. મારા સૈન્યમાં રહેલા સ્પર્શનાદિક પાંચે ઈન્દ્રિયોના વિષયોને જોયા છતાં પણ તે જોતા નથી, માટે હું હાથી પરથી ઉતરીને તેમને બોલાવું,' એમ વિચારીને હાથી પરથી નીચે ઉતરીને તે બોલ્યા કે, હે મુનિ ! હું ચક્રવર્તી રાજા તમને વાંદું છું' એમ વારંવાર રાજાએ કહ્યું તો પણ તે મુનિએ ધ્યાનમાં હોવાથી સાંભળ્યું નહીં, કારણ કે તે તો આત્માનો સ્વભાવિક ધર્મ અને તેની અઢાર હજાર શિલાંગરથાદિ સેના-તેને જોવામાં જ એકતાનવાળા હતા, પરવસ્તુ તો વિભાવ દશાવાળી હોવાથી તે પરાવલોકન કરતા નહોતા. આ પ્રમાણે આત્મગુણમાં મગ્ન થયેલા (ભાવિતાત્મા) તે મુનિની સામે ચક્રવર્તી અરધા પહોર સુધી જોઈ રહ્યો, તો પણ તેમણે પોતાનું ધ્યાનમગ્નપણું છોડ્યું નહીં. પછી રાજાએ મુનિના ગુણની પ્રશંસા કરતાં સતાં શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. મુનિ પણ અનુક્રમે કેવળજ્ઞાન અને સિદ્ધિપદને પામ્યા. સમગ્ર સાધ્ય (આત્મસ્વરૂપ)ને સાધનાર એવા પોતાના આત્મામાં જ રહેલા મગ્નતા ગુણને પામીને આત્મઋદ્ધિ-પોતાની સેના જોવામાં જ તત્પર અને સમાધિમાં રહેલા સોમવસુ મુનિએ ઈન્દ્રિય-વિષયોથી ભરપૂર એવા ચક્રવર્તીની સેના સામું પણ જોયું નહીં.” 303 સ્થિરતા ગુણ दर्शनादिगुणावाप्तौ, विभावेष्वपवर्तना । सा स्थिरता दिवा रात्रावरक्तद्विष्टतां गता ॥१॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ભાવાર્થ :- “દર્શનાદિક ગુણોની પ્રાપ્તિ માટે રાત્રિદિવસ વિભાવ પદાર્થોમાં રાગદ્વેષ તજીને તે પદાર્થોથી પાછા ફરવું તેને સ્થિરતા કહેલી છે.” આ સ્થિરતા પૂર્વાચાર્યોએ ઘણે પ્રકારે વર્ણવેલી છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણની સ્થિરતા ક્રિયારહિત હોવાથી અને પુદગલોની સ્થિરતા અંધાદિ નિબદ્ધ હોવાથી તે આત્મતત્ત્વના સાધનમાં હેતુભૂત નથી, પણ આત્માની સ્થિરતા જ હેતુભૂત છે. તેમાં નામસ્થિરતા અને સ્થાપનાસ્થિરતા તો પૂર્વની જેમ સુગમ છે. દ્રવ્યથી સ્થિરતા એટલે યોગચેષ્ટાનો રોધ કરવો તે. દ્રવ્યને વિષે સ્થિરતા એટલે મમ્મણ શ્રેષ્ઠિની જેમ પ્રાપ્ત થયેલા દ્રવ્ય (ધન)નો વ્યય કરવાની ઈચ્છા પણ ન કરવી તે. અથવા દ્રવ્યસ્થિરતા એટલે શરીરમાં રોગાદિક ઉત્પન્ન થવાથી મળકોષ્ટબંધરૂપ (મલમૂત્રાદિકનો રોધ) થાય છે તે. અથવા તે બન્નેથી વ્યતિરિક્ત-સ્વરૂપના ઉપયોગથી શૂન્ય અને સાધ્યથી વિકળ એવા મનુષ્યની પ્રામાદિકને વિષે તથા કાયોત્સર્ગાદિમાં સ્થિરતા થાય છે તે પણ દ્રવ્ય સ્થિરતા કહેવાય છે. કહ્યું છે કે : अस्थिरे हृदये चित्रा, वाङ्नेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥१॥ ભાવાર્થ - “હૃદય સ્થિર ન હોય એટલે પરભાવમાં પ્રવર્તતું હોય, છતાં વિચિત્ર એવી વાણી, નેત્ર તથા આકારની દ્રવ્યક્રિયારૂપ ગોપના-તે પુંશ્ચલી (અસતી) સ્ત્રીની જેમ હિત કરનારી કહેલ નથી.” જૈનશાસનમાં ભાવની અભિલાષી એવી દ્રવ્યક્રિયા જ પ્રશસ્ત કહેલી છે. ભાવરહિત ક્રિયા બિલાડાના ધ્યાન જેવી નિષ્ફળ છે. કેટલાએકને દ્રવ્ય ક્રિયા પરંપરાએ કરીને ધર્મના હેતપણે થાય છે એમ તત્ત્વાર્થમાં કહેલું છે, પણ તે દેવાદિકના સુખની તથા યશ વગેરેની વાંચ્છા રહિત કરેલી ક્રિયા સમજવી, લોકસંજ્ઞામાં આરૂઢ થયેલાએ લોકમાં ખ્યાતિ વગેરેની ઈચ્છા માટે કરેલી ન સમજવી. ભાવસ્થિરતા અશુદ્ધ અને શુદ્ધ ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં રાગદ્વેષમાં તન્મયતા-સ્થિરતા તે અશુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે અને સમ્યગૂ જ્ઞાનાદિક સ્વરૂપમાં તન્મયપણારૂપ સ્થિરતા તે શુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે. સાધ્યની અભિલાષાએ કરીને સાધ્યને યોગ્ય ઉદ્યમના પરિણામના કારણભૂત યોગાદિક દ્રવ્યાશ્રવનો ત્યાગ કરવાથી થયેલી જે સ્થિરતા તે પહેલા ચાર નયરૂપ છે, જે સમ્યગ્દર્શનાદિકે કરીને આત્મસ્વરૂપ નિષ્પાદન કરવા માટે અભ્યાસવાળી સ્થિરતા તે શબ્દનયસ્થિરતા છે. જે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં રહેલી અપ્રશ્રુતિ પરિણતિરૂપ સ્થિરતા તે છઠ્ઠા નયને યોગ્ય છે, અને જે ક્ષાયિકજ્ઞાનાદિકના સુખથી અપ્રશ્રુતિરૂપ સ્થિરતા તે એવંભૂતસ્થિરતા કહેવાય છે. વિભાવ પદાર્થમાં પણ સર્વ નયની અપેક્ષાએ સ્થિરતા હોઈ શકે છે, પણ તેવી સ્થિરતા તત્ત્વવિકળ પુરુષોને હોય છે. અહીં તો પરભાવમાં અપ્રવર્તનરૂપ જે સ્થિરતા તે જ પરમાનંદના સંદેહવાળી હોવાથી ગ્રહણ યોગ્ય છે. કહ્યું છે કે – ઉ.ભા.-૫-૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ स्थैर्यरत्नप्रदीपचेद्दीप्रः संकल्पदीपजैः । तद्विकल्पैरलं धूमैरलंधूमैस्तथाश्रवैः ॥१॥ ભાવાર્થ :- “જે મનુષ્યને સ્થિરતારૂપી રત્નપ્રદીપ દેદીપ્યમાન છે તેને સંકલ્પરૂપી દીવાથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધૂમનું શું પ્રયોજન છે ? તેમજ આશ્રવરૂપી ધૂમનું પણ શું પ્રયોજન છે.” આ શ્લોકનો વિસ્તરાર્થ એવો છે કે - “જે માણસને સ્થિરતારૂપી રત્નનો દીવો દેદીપ્યમાન છે, તે માણસને પરવસ્તુની ચિંતાથી ઉત્પન્ન થયેલ અશુદ્ધ ચપળતારૂપ જે સંકલ્પ તે સંકલ્પરૂપ દીવાથી ઉત્પન્ન થતા જે વારંવાર સ્મરણરૂપ વિકલ્પો તે રૂપ ધૂમાડાથી સર્યું, અર્થાત્ તેને આવા ધૂમાડા કાંઈ લાભ કરી શકતા નથી. જો કે અભેદ રત્નત્રયીનો પ્રાદુર્ભાવ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય છે, તો પણ આત્મસ્વરૂપમાં લીન થયેલા મનુષ્યને સંસાર સંબંધી સંકલ્પવિકલ્પ તો થતાં જ નથી, તથા દ્રવ્યથી અને ભાવથી પ્રાણાતિપાતાદિક આશ્રવોથી પણ સર્યું, અર્થાત્ જેને સ્થિરતારૂપ રત્નદીપક હોય તેને આશ્રવો કાંઈ પણ લાભ કરી શકતા નથી.” આત્મસમાધિમાં લીન થયેલાને આશ્રવો હોતા જ નથી, અસત્ સ્વરૂપથી બ્રાન્તિ પામેલાને જ આશ્રવ પ્રાપ્ત થાય છે, તેની જ તેવી પરિણતિ થાય છે. જ્યારે આત્મસ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય છે, ત્યારે પોતાની પરિણતિ આત્મકાર્ય કરવામાં જ વાપરે છે. પણ પરકાર્ય કરવામાં વાપરતા નથી. કર્તા, કર્મ વગેરે છએ કારકો પણ આત્મસ્વરૂપની મૂઢતાથી જ પરકાર્યમાં વ્યાપાર કરતા જણાય છે. વાસ્તવિક રીતે તે અશુદ્ધિ કરનારા જ છે. જ્યારે સ્વપરનો વિવેક કરીને “હું જુદો છું, હું ૫૨ વસ્તુનો કર્તા અથવા ભોક્તા નથી.’ એ પ્રમાણે આત્મવિવેક પ્રાપ્ત થાય છે ત્યારે ષટ્કારકરૂપ ચક્રને આત્મકાર્ય કરવામાં જ પ્રવર્તાવે છે. તે વખતે છ કારકોની પ્રવૃત્તિ આ પ્રમાણે થાય છે : “આત્મા (પોતાના) આત્માને આત્માએ કરી આત્માને માટે (આત્મજ્ઞાન માટે) આત્માથી આત્મામાં જ પ્રવર્તાવે છે.” આ પ્રમાણે સ્વરૂપમાં સ્થિરતાવાળા મનુષ્યોને આશ્રવો હોતા નથી. અહીં સ્થિરતા ગુણ ઉપર તે ગુણયુક્ત રાજીમતીનો સંબંધ છે, તે આ પ્રમાણે - રાજીમતીનું દૃષ્ટાંત દશ ધનુષ્યના દેહવાળા શ્રી નેમિનાથે કુમારાવસ્થામાં ત્રણસો વર્ષ નિર્ગમન કર્યાં. અન્યદા બન્ધુઓના આગ્રહથી પદ્માવતી, ગોરી, ગંધારી વગેરે કૃષ્ણની પટ્ટરાણીઓએ તથા બત્રીશ હજાર ગોપાંગનાઓએ જલક્રીડા સમયે હાવભાવના વાક્યોથી કટાક્ષરૂપી બાણોથી અને પુષ્પના કંદુક (દડા) મારવાથી નેમિનાથને ખેદ પમાડી પરણવાની કબૂલાત માગી. નેમિનાથ મૌન ધરીને રહ્યા. તેથી કૃષ્ણની રાણીઓએ કૃષ્ણને કહ્યું કે, ‘નેમિનાથે પાણિગ્રહણ કરવાનું માન્યું છે.' તે સાંભળીને હર્ષ પામેલા કૃષ્ણે સત્યભામાની નાની બહેન રાજીમતીને માટે તેના પિતા ઉગ્રસેન પાસે માગણી કરી. ઉગ્રસેને પણ રાજીમતી સાથે નેમિનાથનો વિવાહ કબૂલ કર્યો. પછી લગ્નને દિવસે યાદવોની Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૮૯ સાથે રથમાં બેસીને નેમિનાથ ઉગ્રસેનના ઘર સમીપે આવ્યા. ત્યાં એક વાડામાં દઢ બંધનથી બાંધેલા એવાં દીન પશુપક્ષીઓને કરુણ સ્વરે રુદન કરતાં નેમિનાથે સાંભળ્યાં. તેથી તેણે સારથિને પૂછ્યું કે, “આ બિચારાઓને કેમ બાંધેલા છે?” સારથિએ કહ્યું કે, “આપના લગ્નપ્રસંગમાં સર્વ યાદવોને જમાડવા માટે આ પશુઓને બાંધેલાં છે.” તે સાંભળીને નેમિનાથ બોલ્યા કે - धिगनाराजकं विश्वं, धिगमी निःकृपा जनाः । यदेवमशरण्यानां, पशूनां कुर्वते वधम् ॥१॥ “આ સ્વામી વિનાના વિશ્વને ધિક્કાર છે અને આ નિર્દય માણસોને પણ ધિક્કાર છે કે જેઓ શરણરહિત એવા (નિરપરાધી) પશુઓનો વધ કરે છે.” પછી નેમિનાથના હુકમથી સારથિએ વાડામાંથી સર્વ જીવોને મુક્ત કરાવ્યા અને રથ પાછો વાળ્યો. તે જોઈ નેમિનાથના માતાપિતા વગેરે ખેદ પામીને નેમિનાથને કહેવા લાગ્યા કે, “હે વત્સ! આવા હર્ષને ઠેકાણે વિરસ કરવો યોગ્ય નથી.” નેમિનાથ બોલ્યા કે, “હે માતાપિતા! મેં અહીં આવવાનો જે આરંભ કર્યો છે તે સર્વને કૃપાધર્મ જણાવવા માટે અને પશુના સમૂહને મૂકાવવા માટે જ કર્યો છે.” એમ કહીને રુદન કરતા સર્વ યાદવોની ઉપેક્ષા કરીને નેમિનાથ ઘરે આવ્યા. પછી ઈન્દ્રની આજ્ઞાથી જૂભક દેવોએ લાવીને ધરેલા સુવર્ણથી પ્રભુએ વરસીદાન આપીને ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લીધા પછી ચોપન દિવસે આશ્વિન માસની અમાવાસ્યાએ (ભાદરવા વદ અમાસે) ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર સ્થિત હતો તે વખતે જન્મથી જ બ્રહ્મચર્યાવસ્થાએ રહેલા પ્રભુને રૈવતક પર્વત ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અહીં ભોજરાજ (ઉગ્રસેન)ની પુત્રી રાજીમતી પ્રભુએ જ્યારે રથ પાછો વાળ્યો ત્યારે આવેલી મૂછને લીધે તત્કાળ પૃથ્વી પર પડી ગઈ. તેની સખીઓએ તેને અનેક ઉપચારોથી સાવધ કરી, એટલે રાજીમતી મુખરૂપી ચંદ્રના સંબંધથી જાણે કરમાઈ ગયા હોય તેવા હસ્તકમળને કપાળ પર રાખી વિલાપ કરવા લાગી કે “હે ઈશ! જયારે તમે પાછું વળવાનું આગળથી જ ધારી રાખ્યું હતું, તો મને આવી રીતે છેતરી શા માટે? સત્પષને આવું કાર્ય કરવું યોગ્ય નથી. કેમકે આરંભ કરેલા કાર્યને ઉત્તમ પુરુષો કદી તજતા નથી, તે તમે શું નથી સાંભળ્યું? શું મેં પૂર્વ ભવમાં કોઈ દંપતીના ભોગસુખમાં કાંઈ વિધ્ધ કર્યું હશે? અથવા શું કોઈના હાથનું વિઘટન કર્યું હશે કે જેથી હું આપના કરકમળનો સ્પર્શ પણ પામી નહીં ?” આ પ્રમાણે વિલાપ કરતી રાજીમતીને તેની સખીઓએ કહ્યું કે, “હે સખી તું શા માટે શોક કરે છે? એ કઠોર હૃદયવાળા નેમિ ગયા તો ભલે ગયા. તેનું શું કામ છે? યાદવોમાં બીજા પોતાના સ્વરૂપથી કામદેવને પણ જીતનારા ઘણા કુમારો છે, તેમાંથી કોઈપણ શું તને પરણશે નહીં?” આ પ્રમાણે સખીઓના વચન સાંભળીને રાજીમતી બોલી કે, “હે સખીઓ ! આવું કુળને કલંક લગાડનારું વચન તમે કેમ બોલો છો? શું કોઈ પણ શાસ્ત્રમાં બીજી વાર કન્યાદાન અપાય એમ Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ८० કહ્યું છે ? માટે નેમિ જ મારા સ્વામી હો. બીજાને હું મન-વચનથી ઈચ્છતી નથી.” એમ કહીને તે રાજીમતી કેટલેક કાળે શોકરહિત થઈ અને જેમ ચક્રવાકી પોતાના પતિના સમાગમની ઉત્કંઠાથી ચંદ્રોદયની રાહ જુએ, તેમ દીક્ષા લેવાની ઉત્કંઠાથી ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાની રાહ જોતી દિવસો દુઃખથી નિર્ગમન કરવા લાગી. અહીં ભગવાને દીક્ષા લીધી, ત્યારે તેના નાના ભાઈ રથનેમિ રાજીમતીને પરણવાની વાંચ્છાથી તેને નવાં નવાં ભેટણાં મોકલવા લાગ્યો. તે જોઈ રાજીમતી એમ ધારતી કે, “પોતાના ભાઈના પ્રેમને લીધે આ રથનેમિ મને ભેટો મોકલે છે, માટે મારે તે ગ્રહણ કરવી જોઈએ.” એમ ધારીને તે ગ્રહણ કરવા લાગી. એક દિવસે વિવાહની ઈચ્છાથી રથનેમિએ રાજીમતીને પ્રાર્થના કરી, એટલે રાજીમતીએ કહ્યું કે, “મદનફળ (મીંઢોળ) સુંઘીને તું વમન કર, પછી તે વમન કરેલું ખાઈ જા.” તે બોલ્યો કે, “શું હું કૂતરો છું કે વમન કરેલું ખાઉં ?” રાજીમતી બોલી કે, “ત્યારે તમારા ભાઈએ ત્યાગ કરેલી એવી મને ભોગવવાને શા માટે ઈચ્છા કરો છો ? વળી કયો માણસ હસ્તીને છોડીને ગધેડાની ઈચ્છા કરે ? અને કયો માણસ રત્નનો અનાદર કરીને કાચના કકડાને ઈચ્છે ? હું તો જન્માંત૨માં પણ નેમિનાથ વરને જ ઈચ્છું છું, બીજાને ઈચ્છતી નથી.” ઈત્યાદિ યુક્તિથી સમજાવીને રથનેમિનો મનોરથ ભંગ કરી પાછો મોકલ્યો. એકદા જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા નેમિનાથ પ્રભુ ગિરનાર પર સમવસર્યા. તે વખતે રાજીમતીએ ત્યાં જઈ પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુના નાના ભાઈ રથનેમિએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. અન્યદા જિનેશ્વરની આજ્ઞા લઈને રથનેમિ ભિક્ષાને માટે નગરીમાં ભ્રમણ કરી પાછા ફર્યા. રસ્તામાં વરસાદ પડવા લાગ્યો. તેથી તેણે વિચાર્યું કે “મારા શરીરના સંપર્કથી અપ્લાય જીવોનો વિનાશ ન થાઓ.” એમ વિચારીને તે એક ગુફામાં પેઠા. અહીં રાજીમતી પણ પ્રભુને વાંદીને પાછી વળતી હતી, તે પણ વૃષ્ટિથી ભય પામીને રથનેમિ વાળી જ ગુફામાં પેઠી. તે ગુફામાં રથનેમિ સ્થિરતા કરી રહેલા છે તેની તેને ખબર નહોતી અને પેઠા પછી પણ અંધકારને લીધે એક ખૂણામાં બેઠેલા રથનેમિને તેણે જોયા નહીં, એટલે પોતાના ભીંજાયેલા વસ્ત્રને તે નીચોવવા લાગી. તે વખતે સ્વર્ગલોકને જીતવાને માટે જ તપ કરતી હોય નહીં એવી રૂપવતી તે સાધ્વીને વસ્રરહિત જોઈને રથનેમિ સાધુ વિષયોત્કંઠિત થયા. તે વખતે “આ મુનિના ભાઈએ મારો જન્મથી આરંભીને તિરસ્કાર કર્યો છે.” એમ ધારીને કામદેવ પણ ભાઈના વેરને લીધે તે મુનિને પીડા કરવા લાગ્યો. રથનેમિ મુનિ કામવિકારથી ગ્રસ્ત થયા છતાં વિચાર કરવા લાગ્યા કે, “જાણે સમસ્ત જગતના સૌંદર્યનો પિંડ હોય એવી આ મૃગેક્ષણાને ૧. ગિરનાર પરથી ઉતરતાં રાજીમતી એક ગૂફામાં પ્રથમ જ્યાં રથનેમી કાયોત્સર્ગે રહેલા તેમાં પેઠા અને વરસાદથી ભીંજાયેલા કપડાં ઉતારીને સુકવ્યાં તે વખતે તેનું નિર્વસ્ત્ર શરીર જોઇને રથનેમિને કામ ઉપજ્યો. આ પ્રમાણે અન્યત્ર કથન છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૯૧ એકવાર પણ મેં ભોગવી નહીં, તેથી મારો જન્મ નિરર્થક છે.” એમ વિચારીને ચાકરની જેમ કાંઈક શરીરના કંપને ધારણ કરતા તે મુનિ વિસંસ્થૂલપણે ઉભા થઈ ધીરે ધીરે રાજીમતીની સન્મુખ આવીને વિકસ્વર નેત્રથી તેના સામું જોતાં બોલ્યા કે, “હે ભદ્રે! સ્વેચ્છાથી આવ, આવ, આપણે જન્મ સફળ કરીએ પછી વૃદ્ધાવસ્થામાં આપણે ફરીને વ્રત ગ્રહણ કરશું.' આ પ્રમાણે સાંભળીને શુદ્ધ મનવાળી તે સાધ્વી ધૈર્ય ધારણ કરીને તત્કાળ વસ્ત્ર પહેરી લઈ અમૃત સમાન વાણીથી તે મુનિ પ્રત્યે બોલી કે, “હે મુનીન્દ્ર ! સંયમને ધારણ કરનાર એવા તમારે આ પ્રમાણે બોલવું યુક્ત નથી. હે મુનિ ! તમારો નિર્મળ કુળમાં જન્મ ક્યાં ? અને આ કાજળથી પણ કાળું એવું કુકર્મ ક્યાં ? માટે આદર કરેલા નિર્મળ વ્રતનો નિર્વાહ કરો. ધીર પુરુષો કદાપિ પણ ભ્રષ્ટ થતા નથી. વળી સંયમની સાથે ભોગવિલાસ કરવાથી, ધર્મની ઉડ્ડાહ કરવાથી, ઋષિની હત્યા કરવાથી અને દેવદ્રવ્યનો વિનાશ કરવાથી બોધિબીજનો નાશ થાય છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. પૂર્વે ગૃહસ્થાવસ્થામાં મેં વાણીથી પણ તમારી ઈચ્છા કરી નથી, તો આજે વ્રતની પ્રતિજ્ઞા લઈને પછી તમારો આદર કેમ કરી શકું ? ‘હે મુનિ ! અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પો પણ સારા કે જે વમન કરેલું વિષ પાછું ગ્રહણ કરતા નથી, પણ તમે તો તે કરતાં પણ હીન છો કે વમેલાને પાછું ઈચ્છો છો, શીલનું ખંડન કરનારા જીવિતને ધિક્કાર છે ! હે શ્રેષ્ઠ સાધુ ! જો તમે સ્ત્રીને જોઈ જોઈને તેના પર આસક્ત થશો તો, વાયુથી હણાયેલા વૃક્ષની જેમ ધૈર્યથી હણાઈને અસ્થિર આત્માવાળા થશો. માટે હે મુનિ ! એક કોડી વાસ્તે કરોડોનો નાશ ન કરો અને ધૈર્ય ધારણ કરીને શુદ્ધ ધર્મનું આચરણ કરો.” આ પ્રમાણે રાજીમતીના અનેક પ્રકારના યુક્તિયુક્ત વાક્યો સાંભળીને રથનેમિ મુનિએ વિચાર્યું કે, “સ્ત્રી જાતિમાં પણ ગુણસંપત્તિના ભંડારરૂપ આ રાજીમતીને ધન્ય છે ! અને કુકર્મરૂપી સમુદ્રમાં ડૂબેલો હોવાથી હું પુરુષ છતાં પણ મને ધિક્કાર છે !” પછી રાજીમતીની સન્મતિથી બોધ પામીને રથનેમિ મુનિએ તત્કાળ તે સાધ્વીને મિથ્યાદુષ્કૃત આપીને પ્રભુ પાસે જઈ ફરીથી સાધુધર્મ અંગીકાર કર્યો. રાજીમતી સાધ્વી પણ ગૃહસ્થપણામાં ચારસો વર્ષ, છદ્મસ્થપણામાં એક વર્ષ અને કેવળજ્ઞાન અવસ્થામાં પાંચસો વર્ષ રહીને કુંલ નવસો ને એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામી. “કામદેવના પાંચ બાણના નિવારણ માટે પાંચ મહાવ્રતરૂપી શસ્ત્રો ધારણ કરવાં. તેમાં પણ વિશેષે કરીને સ્થિરતા ધારણ કરવી. કેમકે સ્થિરતા વિના પાંચે મહાવ્રતો પ્રાયઃ નિષ્ફળ છે.’ ૩૦૪ મુનિનો સ્થિરતા ગુણ नेच्छन्ति मुनयः केचिच्चिकित्सां व्याधिपीडिताः । निष्प्रकंपा यतेर्धर्मे, श्रीमत्सनत्कुमारवत् ॥१॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ - - “કેટલા ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ:- “કેટલાએક મુનિઓ વ્યાધિથી પીડિત થયા છતાં પણ તે રોગની ચિકિત્સા કરવાને ઈચ્છતા નથી અને શ્રીમાનું સનસ્કુમાર ચક્રીની જેમ યતિધર્મમાં કંપરહિત (સ્થિર) રહે છે.” સનકુમાર ચક્રવર્તીની કથા કાંચનપુરમાં વિક્રમશ નામે રાજા હતો. તેને પાંચસો રાણીઓ હતી. તે પુરમાં નાગદત્ત નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. એકદા રાજા માર્ગમાં જતાં વિષ્ણુશ્રીને જોઈને મોહ પામ્યો. તેથી તેનું હરણ કરીને તેને પોતાના અન્તઃપુરમાં રાખી. તે વિષે ધર્મોપદેશમાળાની વૃત્તિમાં કહ્યું છે કે - सन्ति मार्गणघातानां, सोढारः प्रचुरा युधि । विरलास्तु स्मरशस्त्रप्रहाराणामिहावनौ ॥१॥ ભાવાર્થ - “યુદ્ધમાં બાણના ઘાતને સહન કરનારા ઘણા હોય છે, પણ કામદેવના શઅપ્રહારને સહન કરનારા આ પૃથ્વીમાં વિરલા હોય છે.” પોતાની સ્ત્રીના વિયોગથી વિહ્વળ થયેલો નાગદત્ત મહાદુઃખી હાલતે આખા શહેરમાં ભટકવા લાગ્યો. વિષ્ણુશ્રીને અંતઃપુરમાં લાવવાથી રાજાની ઉપર બીજી સર્વે રાણીઓએ કોપ પામીને તે વિષ્ણુશ્રીને કાર્મણપ્રયોગથી મારી નાંખી, પરંતુ વિષ્ણુશ્રીના મોહમાં પડેલા રાજાએ તેને મરેલી ધારી નહીં, પણ કાંઈ કારણસર રીસાણી છે એમ માનીને તેના પગમાં પડ્યો અને બોલ્યો કે, “હે પ્રિયે ! અપરાધ વિના મારા પર તું શા માટે કોપ કરે છે?” આવાં વાક્યથી પણ જ્યારે તે બોલી નહીં, ત્યારે તેને પોતાના ખોળામાં બેસાડી. મંત્રીઓએ રાજાને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ રાજાએ તેને અગ્નિસંસ્કારાદિક કાંઈ કરવા દીધું નહીં. છેવટે મંત્રીઓએ રાજાને કોઈ બાબતનો વિચાર કરવાના મિષથી કાર્યમાં વ્યગ્ર કર્યો. પછી રાજાની દૃષ્ટિને છેતરીને તે વિષ્ણુશ્રીના શબને વનમાં લઈ જઈને મૂકી દીધું. થોડીવારે રાજા વિચાર કરીને પાછો આવ્યો, ત્યારે વિષ્ણુશ્રીને જોઈ નહીં. તેથી તે મૂછ પામ્યો. મંત્રીઓએ તેને ચંદનના જળથી સિંચન કરી સાવધ કર્યો. એટલે રાજાએ કહ્યું કે, “મારી પ્રિયા ક્યાં છે? જ્યાં હોય ત્યાંથી લાવીને મને બતાવો.” મંત્રી બોલ્યા કે, “હે સ્વામી ! આપના વિરહથી પીડા પામીને વાડીમાં ગયેલ છે. પરંતુ આપના ઉપરનો ક્રોધ તજીને આપના ગુણનું સ્મરણ કરી હમણાં પાછી આવશે, માટે આપ તેની ચિંતા ન કરો.” તે સાંભળીને રાજા અન્નાદિકનો ત્યાગ કરીને બેઠો. આ પ્રમાણે રાજા બે દિવસ સુધી શોકમગ્ન રહ્યો. ત્યારે મંત્રીઓ તેને વિષ્ણુશ્રીના શબ પાસે લઈ ગયા. તે શબને જોયું તો તેનું મુખ પહોળું થઈ ગયેલું હોવાથી અંદરના દાંત દેખાવાને લીધે તે ભયંકર લાગતું હતું, પક્ષીઓએ વજ જેવી ચાંચ મારીને તેના બન્ને નેત્રો ઉખેડી નાંખેલા હતાં. તેના દેહમાં કીડા પડ્યા હતા, નાક અને કાન પક્ષીઓ ખાઈ ગયા હતા. શિયાળ, Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ કાગડા, કૂતરા અને ઘુવડ વગેરેએ તે શબને ચાવી નાખ્યું હતું. તેથી તેમાંથી નીકળતું દુર્ગધવાળું પાણી પૃથ્વીને આર્ટ કરતું હતું. આવી સ્થિતિમાં તે શબને જોઈને રાજાને પરમ વૈરાગ્ય પ્રાપ્ત થયો. તે વિચારવા લાગ્યો કે - “જયાં સુધી મારો જીવ આ શરીરને તજીને જાય નહીં, ત્યાં સુધીમાં હું આ શરીરે કરીને મારા આત્માનું હિત કરું.” ઈત્યાદિ વિચારીને તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. પછી ચારિત્રનું પાલન કરી તપ તપીને ત્રીજા સ્વર્ગે દેવતા થયો. ત્યાંથી ચ્યવીને રત્નપુરમાં જિનધર્મ નામે વણિક થયો. પેલો નાગદત્ત પણ ભવમાં ભ્રમણ કરીને સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થયો. તેણે તાપસપણું અંગીકાર કર્યું. તે તાપસ બે માસ ઉપવાસના પારણા માટે રત્નપુરમાં આવ્યો. રાજાએ પારણા માટે નિમંત્રણ કર્યું. ત્યાં જિનધર્મ શ્રાવકને જોઈને તેણે રાજાને કહ્યું કે, “જો આ વણિકના પુષ્ઠ પર ઉષ્ણ ભોજનપાત્ર રાખીને જમાડો તો હું જપું.” તે સાંભળીને રાજાએ તે પ્રમાણે કરાવ્યું. ભોજનપાત્ર અતિ ઉષ્ણ હોવાથી જિનધર્મના પૃષ્ઠની ચામડી ઉખડી ગઈ, તો પણ તેણે ક્રોધ કે દ્વેષ કર્યા વિના પોતાના પૂર્વ કર્મનું જ એ ફળ છે એમ ધાર્યું. પછી તેણે સાત ક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરીને વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે અનશન કરી એક માસે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર થયો. પેલો તાપસ તે ઈન્દ્રનો ઐરાવણ હસ્તી થયો. તે હસ્તી ત્યાંથી ચ્યવને ભવમાં ભ્રમણ કરી અમિત નામે યક્ષ થયો અને જિનધર્મનો જીવ જે ઈન્દ્ર થયો હતો તે આયુષ્ય પૂર્ણ થતાં આવીને ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત સનકુમાર નામનો ચોથો. ચક્રવર્તી હસ્તિનાપુરમાં અશ્વસેન રાજાની પટરાણી સહદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયો. તે ચક્રીને મહેન્દ્રસિંહ નામે એક મિત્ર હતો. એકદા વસન્ત ઋતુને વિષે યુવાવસ્થાના આરંભમાં મિત્ર સહિત સનકુમાર નંદનવન જેવા મકરંદ નામના વનમાં ગયો. ત્યાં કોઈ અશ્વપાલકે એક જાતિવંત અશ્વ કુમારને ભેટ તરીકે આપ્યો. તેના પર ચઢીને સનકુમાર તેને ચલાવવા લાગ્યો. તેવામાં તે અશ્વ એક ક્ષણમાં સર્વ જનને અદશ્ય થઈ ગયો. તે ખબર અશ્વસેન રાજાને થતાં તેણે ઘણી શોધ કરાવી. પણ અશ્વ તથા પુત્રની શોધ મળી શકી નહીં. પછી સનકુમારનો મિત્ર મહેન્દ્રસિંહ રાજાની રજા લઈને મિત્રની શોધ માટે ચાલ્યો. એક વર્ષ સુધી તે મોટા અરણ્યમાં ભટક્યો, પણ મિત્રની પ્રાપ્તિ થઈ નહીં. એકદા સારસ પક્ષીનો ધ્વનિ સાંભળીને તે શબ્દને અનુસાર આગળ ગયો, તો એક સરોવર તેના જોવામાં આવ્યું. તે સરોવરની પાસે કદલીગૃહમાં સ્ત્રીઓના સમૂહથી અનુસરતા બંદિજનના મુખથી એક સ્તુતિનો શ્લોક મહેન્દ્રસિંહે સાંભળ્યો કે - कुरुदेशैकमाणिक्य, अश्वसेननृपांगज । श्रीमन् सनत्कुमार त्वं, जय त्रैलोक्यविश्रुत ॥१॥ ભાવાર્થઃ- “કુરુદેશના એક માણિક્ય સમાન અને અશ્વસેન રાજાના પુત્ર એવા હે શ્રીમાનું સનકુમાર ! ત્રણ લોકમાં વિખ્યાત એવા તમે જય પામો !” Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ આ પ્રમાણે શ્લોક સાંભળીને મહેન્દ્રસિંહ અતિ હર્ષ પામ્યો. તેથી આગળ જઈને જુએ છે, તો તેણે સાક્ષાત્ સનત્કુમારને જોયો. સનત્કુમાર પણ મિત્રને જોઈને અત્યાનંદ પામ્યો. બન્ને મિત્રો પ્રેમથી પરસ્પર આલિંગન કરી મળીને એક આસન પર બેઠા. કુશલ વૃત્તાન્ત પૂછતા મહેન્દ્રસિંહ બોલ્યો કે, “હે કુમાર ! આટલા બધા દિવસો તમે ક્યાં નિર્ગમન કર્યાં ?” કુમારે કહ્યું કે, “મને નિદ્રા આવે છે, માટે હું જરા સૂઈ જાઉં છું. તમને મારું સર્વ વૃત્તાન્ત આ મારી બકુલવતી નામની પ્રિયા પ્રજ્ઞપ્તિવિદ્યાથી જાણીને કહેશે.” એમ કહીને સનત્કુમાર સૂઈ ગયો. પછી બકુલવતી બોલી કે, “હે મહેન્દ્રસિંહ ! તમારા મિત્રનું અપહરણ કરીને તે વિપરીત શિક્ષાવાળો અશ્વ તેમને એક મોટા અરણ્યમાં લાવ્યો. ત્યાં ત્રીજે દિવસે ક્ષુધા-તૃષાથી પીડા પામીને તે અશ્વ મરણ પામ્યો. ૯૪ કુમાર પણ જલ વિના આંખે અંધારા આવવાથી મૂર્છા ખાઈને પૃથ્વી પર પડી ગયા. તે વખતે કોઈ એક યક્ષે તેને જળ છાંટીને સાવધ કર્યા. એટલે કુમારે તે યક્ષને પૂછ્યું કે, “આવું જળ ક્યાં છે ?' યક્ષ બોલ્યો કે, “આવું જળ માનસરોવરમાં છે.” કુમારે કહ્યું કે, “જો હું તેમાં સ્નાન કરું તો મારા શરીરનો તાપ શાન્ત થાય.” તે સાંભળીને તે યક્ષ તેને માનસરોવર ઉપર લઈ ગયો. કુમારે તેમાં સ્નાન કર્યું. પછી જલપાન કરીને કુમાર સરોવરની પાળ ઉપર બેઠા, તેવામાં પૂર્વના ચાર ભવના વૈરી અમિત યક્ષે તેમને જોયા. એટલે તે યક્ષ ક્રોધ કરીને કુમાર સાથે યુદ્ધ કરવા આવ્યો. બન્નેનું મહાયુદ્ધ થયું. ચિરકાળ સુધી યુદ્ધ કરીને છેવટ તમારા મિત્રે ક્રોધથી વજ્ર જેવી મૂઠી વડે તે યક્ષને પ્રહાર કર્યો. તે દેવ હોવાથી મરણ પામ્યો નહીં, પણ ભય પામીને નાસી ગયો. પછી કુમાર ત્યાંથી આગળ ચાલ્યા. આગળ જતાં ભાનુવેગ નામના વિદ્યાધરે પોતાની આઠ પુત્રીઓ સાથે કુમારનો વિવાહ કર્યો. તે આઠ સ્ત્રી સહિત સૂતા હતા, તેવામાં તે અમિત યક્ષે આવીને કુમારને ઉપાડી કોઈક સ્થાને નાંખી દીધા. પ્રાતઃકાળે જાગૃત થઈને કુમાર આગળ ચાલ્યા. માર્ગમાં એક મોટો પ્રાસાદ જોઈને કુમારે તેમાં પ્રવેશ કર્યો, ત્યાં હરિણના સરખા નેત્રવાળી એક કન્યાને જોઈને કુમારે તેને પૂછ્યું કે, ‘તું કોણ છે ?” તે બોલી કે “સાકેતપુરના રાજાની હું પુત્રી છું. મારા પિતાને કોઈ નિમિત્તિયાએ કહ્યું કે, ‘આ તમારી પુત્રી ચોથા ચક્રવર્તી સનત્કુમારને યોગ્ય છે.’ તે જાણીને એક વિદ્યાધરે મારું હરણ કરી મને અહીં આણી છે. હું નથી જાણતી કે હવે પછી તે શું કરશે ?’” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યા કે, “તું ભય પામીશ નહીં. હું જ સનત્કુમાર છું.” એટલામાં તે કન્યાનું હરણ કરનાર વજ્રવેગ વિદ્યાધર ત્યાં આવ્યો, તેને મારીને કુમાર તે કન્યાને પરણ્યા. પછી વજ્રવેગની બહેન સંધ્યાવલી કે જેને કોઈ નિમિત્તિયાએ કહ્યું હતું કે ‘તારા ભાઈને મારનાર પુરુષ તારો પતિ થશે' એ વાક્યનું સ્મરણ કરીને તે સંધ્યાવલી કુમારને પરણી. આ સર્વ વૃત્તાંત જાણીને વજ્રવેગનો પિતા કુમારને મારવા આવ્યો, પણ સંધ્યાવલીએ આપેલી પાઠસિદ્ધ વિદ્યાથી કુમારે તેને જીતી લીધો. તેની સાથેના યુદ્ધમાં કુમારને ચક્રરત્ન ઉત્પન્ન ૧. પાઠમાત્ર કરવાથી જ સિદ્ધ થાય-સાધવી ન પડે તેવી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ~ ~~ થયું. પછી સર્વ વિદ્યાધરો હર્ષથી કુમારને વૈતાદ્યપર્વત ઉપર લઈ ગયા. ત્યાં કુમાર સો કન્યા પરણ્યા. ત્યાંથી આજ ક્રીડા કરવા માટે તમારા મિત્ર અહીં આવ્યા, ત્યાં તમારો મેળાપ થયો. આ પ્રમાણે બકુલવતી વાત કરે છે તેવામાં ચક્રી નિદ્રાથી જાગૃત થયા. પછી મિત્ર તથા સ્ત્રીઓને લઈને કુમાર વૈતાઢ્ય પર્વત ઉપર ગયા. ત્યાંથી મિત્રની પ્રાર્થનાને લીધે કુમાર પોતાના નગરમાં આવ્યો. તેને જોઈને અશ્વસેન રાજા અતિ આનંદ પામ્યા. પછી કુમારને રાજ્યગાદી પર બેસાડીને તેમણે ધર્મનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અશ્વસેનના પુત્ર સનકુમાર ચક્રી દશ હજાર વર્ષે સમગ્ર ભરતક્ષેત્ર સાધી ચક્રવર્તી થયા. એકદા સૌધર્મ દેવલોકના ઈન્દ્ર દિવ્ય નાટક જોતા હતા, તે વખતે ઈશાન દેવલોકથી કોઈ મહા તેજસ્વી દેવ કાર્યનિમિત્તે ત્યાં આવ્યો. તે દેવે સૂર્યની કાંતિથી નક્ષત્રની જેમ પોતાની કાંતિથી બીજા સર્વ દેવોની કાંતિને નિસ્તેજ કરી દીધી. તે દેવના ગયા પછી સૌધર્મ દેવલોકના દેવોએ સૌધર્મ ઈન્દ્રને પૂછ્યું કે, “હે નાથ ! આ દેવ આવો અધિક કાન્તિવાળો કેમ થયો?” ઈન્ડે કહ્યું કે, “તેણે પૂર્વભવમાં દુષ્કર એવો આયંબિલ વર્ધમાન તપ કર્યો છે, તેનો આ મહિમા છે.” ફરીથી દેવોએ પૂછ્યું કે, “હે સ્વામી! બીજો કોઈ દેવોમાં કે મનુષ્યોમાં આવી કાન્તિવાળો છે?” ઈન્દ્ર કહ્યું કે, “ચક્રવર્તી સનકુમાર જેવો તેજસ્વી અને રૂપવાન છે તેવો મનુષ્યલોકમાં કે દેવલોકમાં પણ કોઈ નથી.” આ પ્રમાણેના ઈન્દ્રના વાક્ય ઉપર વિશ્વાસ નહિ આવવાથી કોઈ બે દેવો બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને ચક્રીના મહેલમાં આવ્યા. ત્યાં ચક્રીનું અનુપમ રૂપ જોઈને વિસ્મય પામી તે બન્ને બોલ્યા કે, “હે ચક્રી ! શું તારું રૂપ ! શી તારી કાંતિ ! અને શી તારા શરીરની અભૂત લાવણ્યતા ! ખરેખર તારા અંગનું વર્ણન કરવામાં મોટા કવીશ્વરો પણ મૂંગા થઈ ગયા છે. માત્ર તારા શરીરનું રૂપ જોવામાં પણ કોઈ માણસ એક ભવમાં સમર્થ થાય તેમ નથી, પરંતુ કેટલા એક ભવ સુધી તારું રૂપ જોયા કરે તો આખું શરીર બરાબર જોઈ શકે.” તે સાંભળીને રૂપથી ગર્વિત થયેલ ચક્રી બોલ્યા કે, “હે બ્રાહ્મણો ! અત્યારે તો ખેલ અને તૈલાદિકનું મારા શરીર પર અભંગન કરેલું છે, તેથી તેના શરીરમાં શું લાવણ્ય જુઓ છો? પણ જયારે સ્નાન કરીને હું સભામાં આવે ત્યારે મારું રૂપ તમે જોજો.” એમ કહીને તે બ્રાહ્મણોને રજા આપી, ચક્રીએ સ્નાન કર્યું. પછી અંગ ઉપર ઉત્તમ વસ્ત્રો તથા સર્વ અલંકારો ધારણ કરી છત્રાદિક રાજચિહ્નોથી ભૂષિત થઈ સભામાં આવીને સિંહાસન ઉપર બેઠા. પછી તે બન્ને બ્રાહ્મણોને બોલાવી પોતાનું રૂપ દેખાડ્યું. દેદીપ્યમાન ભૂષણોથી સુશોભિત એવા તે ચક્રીને જોઈને તે બન્ને બ્રાહ્મણો સાયંકાળે જેમ કમળો કરમાઈ જાય તેવા પ્લાન મુખને ધારણ કરતા સતા વિચારવા લાગ્યા કે, “અહો ! મનુષ્યોનું રૂપ કેવું ક્ષણભંગૂર છે!” તેમને વિચારમાં પડેલા તેમજ પ્લાન મુખવાળા જોઈને ચક્રીએ પૂછ્યું કે, “હે બ્રાહ્મણો ! શું વિચાર કરો છો ?” તેઓ પોતાનું સ્વરૂપ કહી સંભળાવીને બોલ્યા કે, “તમારા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થઈ ગયા છે.” ચક્રીએ પૂછ્યું કે, ૧. પીઠી અથવા તેને લગતો સુગંધી પદાર્થ વિશેષ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ “તમે તે કેમ જાણ્યું?” તેઓ બોલ્યા કે, “અમે જ્ઞાનથી જાણ્યું છે, તો પણ તમે ભક્ષણ કરેલા તંબોલને ઘૂંકી જોઈને ખાત્રી કરો. મૂળ વર્ણ તજીને તમારું થંક પરુ જેવું થઈ ગયું છે. કાશ, શ્વાસ, અજીર્ણ, અર્શ, જવર વગેરે સોળ વ્યાધિઓ તમારા શરીરમાં ઉત્પન્ન થયા છે.” તે સાંભળીને ચક્રી પોતાના શરીરને વિવર્ણ તેજવાળું જોઈ વિચારવા લાગ્યા. તે આ પ્રમાણે – 'अचिन्तयच्च धिगिदं, सदागदपदं वपुः । मुधैव मुग्धाः कुर्वन्ति, तन्मूर्छा तुच्छबुद्धयः ॥१॥ शरीरमन्तरुत्पन्नाधिभिर्विविधैरिदम् । दीर्यते दारुणैर्दारु, दारुकीटगणैरिव ॥२॥ अद्यश्वीनविनाशस्य, शरीरस्य शरीरिणाम् । .. सकामनिर्जरासारं, तप एव महत्फलम् ॥३॥ ભાવાર્થઃ- “ચક્રીએ વિચાર્યું કે નિરન્તર વ્યાધિના સ્થાનભૂત એવા આ શરીરને ધિક્કાર છે! આવા શરીરની મૂછ તુચ્છ બુદ્ધિવાળા મૂર્ખ માણસો ફોગટ જ કરે છે. શરીરની અંદર ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના ભયંકર વ્યાધિઓએ કરીને કીડાના સમૂહ વડે કાષ્ઠની જેમ આ શરીર વિદીર્ણ થાય છે. આજ કે કાલ નાશ પામવાળા શરીરનું મોટું ફળ સકામનિર્જરાના સારવાળો તપ કરવો તે જ છે.” ઈત્યાદિ વિચાર કરીને સનકુમાર ચક્રીએ ચક્રપણાની ઋદ્ધિને તજી દઈને વિનયંધર નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી વિચરવા લાગ્યા. તેમની પાછળ છ માસ સુધી વિવિધ પ્રકારના આલાપ કરતી તેમની રાણીઓ તથા મંત્રીઓ વગેરે ફર્યા, પણ તે મુનીન્દ્ર દષ્ટિ વડે જેવા જેટલી પણ તેમની સંભવના કરી નહીં. છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરીને પારણાને દિવસે ગૌચરી માટે ફરતાં અન્યદા કુરીયા અને બકરીના દૂધની છાશ તેમને પ્રાપ્ત થઈ. તેનો આહાર કરવાથી તેમના શરીરમાં સાત વ્યાધિઓ ઉત્પન્ન થઈ. તે આ પ્રમાણે - शुष्ककच्छु ज्वरः श्वासः, काशश्चान्नारुचिस्तथा । __ अक्षिदुःखं तुंददुःखं, सप्तैते अत्यन्तदारुणाः ॥१॥ ભાવાર્થ - “સૂકી ખરજ, જ્વર, શ્વાસ, કાશ (ખાંસી), અન્ન પર અરુચિ, નેત્રરોગ અને ઉદરરોગ એ સાત વ્યાધિઓ અત્યન્ત દારુણ છે. આ સાત વ્યાધિના દુઃખને તેમણે સાતસો વર્ષ સુધી સહન કર્યું, પણ કોઈ વખત પોતાના દેહમાં વ્યાધિઓ છે એવો ઉપયોગ પણ તેમણે દીધો નહીં. સંયમની ક્રિયારહિત એક ક્ષણ પણ ૧. આ શ્લોકો શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રની સ્વોપલ્લવૃત્તિમાં ચોથા ચકીની ભાવનામાં તેમણે આપ્યા છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૯૭ - તેમનો નિર્ગમન થતો નહીં કે જે વખતે વ્યાધિનું સ્મરણ થાય. આવી તેમની ચારિત્રમાં સ્થિરતા જોઈને સભામાં બેઠેલા સૌધર્મ ઈન્દ્રે સર્વ દેવોની સમક્ષ કહ્યું કે – “અહો ! સનત્કુમાર મુનિની કેવી અનુપમ સ્થિરતા છે કે, જે વ્યાધિના પ્રતિકારની ઈચ્છા પણ કરતા નથી.” તે સાંભળીને પેલા પ્રથમના જ બે દેવો પરીક્ષા કરવા માટે વૈદ્યનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા. તે વેદ્યોએ મુનિને કહ્યું કે - “હે મુનિ ! જો આપની આજ્ઞા હોય તો અમે વૈદ્યો આપના વ્યાધિની નિર્દોષ ઔષધિથી ચિકિત્સા કરીએ.” મુનિ બોલ્યા કે - “દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના વ્યાધિઓ છે. તેમાં દ્રવ્ય એટલે બાહ્યવ્યાધિના પ્રતિકારને તો હું પણ જાણું છું.” એમ કહીને તે મુનિએ પોતાની એક આંગળીને પોતાના શ્લેષ્મ (થુંક) વડે લેપ કરીને સુવર્ણ જેવી કરી બતાવી. પછી મુનિ બોલ્યા કે - “આઠ કર્મને ભાવવ્યાધિઓ કહેલા છે. તે કર્મોની એકસો ને અઠ્ઠાવન પ્રકૃતિઓ કહેલી છે. તેમના પ્રતિકારને હું પોતે ક્રિયા વડે કરું છું. તે પ્રતિકાર જ્ઞાનવિકળ અને ક્રિયામાં નપુંસક જેવા પુરુષોને અતિ દુષ્કર છે. હું મારા ચિત્તને શુભ ક્રિયા રહિત ક્ષણવાર પણ રાખતો નથી, તે છતાં પણ ભાવરોગોથી હમેશાં ભય પામતો રહું છું. માટે જો તમે ખરા વૈદ્ય હો તો મારા ભાવરોગનો પ્રતિકાર કરો.” આ પ્રમાણે સાંભળીને તે બન્ને દેવો પોતાના આગમનનું કારણ કહી તેમની સ્તુતિ કરીને પોતાને સ્થાને ગયા અને સર્વ વૃત્તાંત ઈન્દ્રને નિવેદન કર્યો. સનકુમાર મુનિશ્વર ખડ્ગધારા સમાન તીવ્ર વ્રતનું પાલન કરીને અંતે અનશન ગ્રહણ કરી ઉપાધિરહિત સમાધિ વડે દેહને તજી દઈ ત્રીજા દેવલોકમાં મહર્દિક દેવતા થયા. ૩૦૫ મોહ તજવો स्वरूपानवबोधेन, मोहमूढा ममत्वगाः । भ्रमन्ति भवकान्तारे, हेयो मोहस्ततोऽशुभः ॥१॥ ભાવાર્થ :- ‘આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે મોહમાં મૂઢ થયેલા અને સંસારમાં મમતાવાળા જીવો ભવાટવીમાં ભ્રમણ કર્યા કરે છે, માટે એ અશુભ મોહ ત્યાગ કરવા લાયક છે.’ આ શ્લોકના અર્થનું સમર્થન કરવા માટે અહીં એવી ભાવના કરવાની કે જ્ઞાનાદિક ગુણના સુખનો રોધ કરનારા, ચંચળ સ્વભાવવાળા, અનન્ત જીવોએ અનંતવાર ભોગવી ભોગવીને મૂકી દીધેલા, જડ અને અગ્રાહ્ય એવા પુદ્ગલોમાં ગ્રહણરૂપ જે વિકલ્પ (પુદ્ગલો ઉપર જે મમતા) તે મોહ કહેવાય છે. આવા મોહમાં આસક્ત થયેલા જીવો ભવાટવીમાં પરિભ્રમણ કરે છે, તેથી તે મોહનો ત્યાગ કરવો યોગ્ય છે. કહ્યું છે કે - Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ अप्पा नाणसहावी, सणसीलो विसुद्धसुहरूवो । सो संसारे भमइ, एसो दोसो खु मोहस्स ॥१॥ ભાવાર્થ:- “જ્ઞાન દર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપ એવો આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે દોષ મોહનો જ છે. મોહનો ત્યાગ શુદ્ધ આત્મજ્ઞાને કરીને થઈ શકે છે, “જ્ઞાનાદિક અનન્ત ગુણ પર્યાયવાળો, નિત્યાનિત્ય વગેરે અનન્ત સ્વભાવવાળો, અસંખ્ય પ્રદેશી સ્વભાવપરિણામી (આત્મભાવના પરિણામવાળો) પોતાના સ્વભાવનો જ કર્તા અને ભોક્તા ઈત્યાદિ ગુણવાળો શુદ્ધ આત્મા તે હું જ છું. હું અનન્ત સ્યાદ્વાદ સત્તાનો રસિક છું. એક સમયમાં ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં રહેલા સર્વ દ્રવ્યપર્યાયોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને જણાવનારું જે જ્ઞાન તે મારો આત્માનો) ગુણ છે.' ઈત્યાદિક આત્મસ્વરૂપને જાણનારો મનુષ્ય જ મોહનો જય કરે છે, બીજો જય કરી શકતો નથી. કેમકે મોહનીય કર્મ અતિ દુર્જય છે. આ સંબંધમાં અદત્તની કથા છે, તે નીચે પ્રમાણે – અહંદત્તની કથા અચલપુરના રાજાનો પુત્ર યુવરાજ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા ગ્રહણ કરીને વિહાર કરતાં અવન્તિનગરીમાં આવ્યો. ત્યાં મધ્યાહ્નકાળે ભિક્ષા માટે રાજમંદિર તરફ જતા તે મુનિને જોઈને લોકોએ કહ્યું કે, “આ ગામમાં રાજાનો પુત્ર અને પુરોહિતનો પુત્ર સાધુને જોઈને તેને પીડા કરે છે, માટે આપે આ ગામમાં રહેવા જેવું નથી.' આ પ્રમાણે સાંભળ્યા છતાં પણ ભયરહિત મુનિ ત્યાં જઈને ઊંચે સ્વરે “ધર્મલાભ' એમ બોલ્યા. તે સાંભળીને એક સ્થાનમાં રહેલા જાણે બે પાપગ્રહો હોય તેવા તે બન્ને જણા મુનિ પાસે આવીને બોલ્યા કે, “હે સાધુ! તું અમારી પાસે નૃત્ય કર. અમે વાજીંત્ર વગાડીએ ત્યારે સાધુએ કહ્યું કે, “બહુ સારું પછી સાધુ નૃત્ય કરવા લાગ્યા અને તે બન્ને વાજીંત્ર વગાડવા લાગ્યા. થોડીવારે સાધુએ તે બન્નેને તિરસ્કારથી કહ્યું કે, “અરે ! કોળિકો! (કોળીના પુત્રો) તમને વાજીંત્ર વગાડતા બરાબર આવડતું નથી, કેમ કે તમે મૂર્ખ છો.” આ પ્રમાણે સાંભળીને તે બન્ને ક્રોધથી મુનિને મારવા દોડ્યા, એટલે નિયુદ્ધકુશળ મુનિએ તેમના શરીરના અવયવોને સંધિમાંથી ઉતારી નાંખ્યા. આ પ્રમાણે મુનિના દ્વેષીઓને શિક્ષા આપીને તે યુવરાજમુનિ ત્યાંથી નગર બહાર ચાલ્યા ગયા. પછી રાજા તથા પુરોહિતને તે વાતની ખબર થતાં પોતાના પુત્રોની અતિદુઃખી અવસ્થા જોઈને અતિખેદ પામ્યા સતા તત્કાળ યુવરાજત્રઋષિની પાસે આવ્યા. ત્યાં તેમને ઓળખીને રાજા વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે, “હે ભાઈ! તમારા ભત્રીજાને સાજા કરી ને તે બાળકનો અપરાધ ક્ષમા કરો.” મુનિ બોલ્યા કે, “હે રાજા ! જો તે બન્ને પુત્રો હિતકારી એવા વ્રતને આદરે તો તરત જ તે બન્નેને હું સાજા કરું, તે સિવાય તેમને સાજા નહિ કરું.” તે સાંભળીને તે બન્ને કુમારોને મુનિ પાસે લાવવામાં આવ્યા. તેઓએ મુનિનું વચન અંગીકાર કર્યું. તેથી મુનિએ પ્રથમ તેમનો લોચ કર્યો અને પછી તેમને સાજા કરીને દીક્ષા આપી. Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ૯ ત્યાર પછી રાજપુત્ર શંકારહિત વ્રતનું પાલન કરવા લાગ્યો. પણ પુરોહિતનો પુત્ર જાતે બ્રાહ્મણ હોવાથી ચારિત્રનું પાલન કરતાં છતાં પણ “મને આ મુનિએ બળાત્કારે દીક્ષા આપી છે.' એમ મનમાં તેમના પર અભાવ રાખવા લાગ્યો. અનુક્રમે તે બન્ને મરણ પામીને દેવતા થયા. કૌશાંબી નામની નગરીમાં કોઈ એક તાપસ નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તે મરણ પામીને પોતાના ઘરના ઉકરડામાં જ શૂકર (ભૂંડ) થયો. તેને પોતાનો મહેલ વગેરે જોવાથી જાતિસ્મરણ થયું. અન્યદા તેના છોકરાઓએ તેના જ શ્રાદ્ધને દિવસે તેને જ (તે શૂકરને) માર્યો. તે મરીને પોતાના ઘરમાં સર્પ થયો. એકદા તે સર્પ ઘરમાં ફરતો હતો, તેને જોઈને તેના પુત્રોએ મારી નાંખ્યો. તે પોતાના પુત્રનો જ દીકરો થયો. તેને પૂર્વની જેમ જાતિસ્મરણ થયું. તેથી “પુત્રની વહુને મા અને પુત્રને પિતા શી રીતે કહું ?” એમ વિચારીને તેણે મૌન ધારણ કર્યું. તેથી તેનું નામ અશોકદત્ત પાડ્યું હતું, છતાં મૂક નામ સર્વત્ર પ્રસિદ્ધ થયું. એકદા તે નગરીમાં ચાર જ્ઞાનને ધારણ કરનારા કોઈ સૂરિ સમવસર્યા. તેમણે પોતાના બે સાધુને નીચેની ગાથા શીખવીને મૂકને ઘેર મોકલ્યા. तावस किमिमिणा मूअव्वएण, पडिवज्ज जाणिउं धम्मं । मरिऊण सुअरोरग्ग, जाओ पुत्तस्स पुत्तोसि ॥१॥ ભાવાર્થ - “હે તાપસ શ્રેષ્ઠિ! આ મૌનવ્રત કરીને શું? માટે ધર્મને જાણીને તેનો આદર કર. તું મરીને શૂકર અને પછી સર્પ થયો હતો અને હમણાં પુત્રનો પુત્ર થયો છે.” આ ગાથા સાંભળીને વિસ્મય પામેલા મૂકે તે મુનિને નમીને પૂછ્યું કે, “આ વાત તમે શી રીતે જાણી ?' તે સાધુઓ બોલ્યા કે, “અમારા ગુરુ ગામ બહાર ઉદ્યાનમાં રહેલા છે, તેમના વચનથી અમે જાણીએ છીએ.” તે સાંભળીને મૂક તેમની સાથે ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુ પાસે દેશના સાંભળીને તેણે મૌનપણું મૂકી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. અહીં દેવલોકમાં જાતિમદવાળો પુરોહિતનો પુત્ર જે દેવ થયેલો છે તેણે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ જિનેશ્વરને પ્રશ્ન કર્યો કે, “હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું?” પ્રભુએ જવાબ આપ્યો કે, “તું દુર્લભબોધિ છે, પણ સ્વર્ગથી ઍવીને કૌશાંબી નગરીમાં મૂકનો ભાઈ થવાનો છે, તેનાથી તને ધર્મની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સાંભળીને તે દેવે કૌશાંબીમાં આવીને મૂકને કહ્યું કે, “હું સ્વર્ગમાંથી આવીને તારી માતાના ઉદરમાં ઉત્પન્ન થઈશ. તેને અકાળે આમ્રફળ ખાવાનો દોહદ થશે. તેને માટે મેં આજથી આ સમીપના પર્વત પર હંમેશા ફળ આપે તેવો આમ્રવૃક્ષ રોપ્યો છે. તેથી જ્યારે તે માતા તારી પાસે ઘણા આગ્રહથી આમ્રફળ માગે ત્યારે તેની પાસે તારે એટલા અક્ષરો લખવા કે “હે માતા ! ગર્ભમાં રહેલો પુત્ર જો તું મને આપે તો હું તારો દોહદ પૂર્ણ કરું? આ તારું વચન જ્યારે તે સ્વીકારે, ત્યારે તારે તેને આમ્રફળ લાવી આપવાં. મારો જન્મ થયા પછી મને તારે સ્વાધીન રાખીને જૈનધર્મનો બોધ આપવો. વળી વૈતાઢ્ય પર્વત ઉપર પુષ્કરિણી (વાવ)માં Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ , ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ મેં મારા નામથી અંકિત બે કુંડળી ગોપવ્યાં છે, તે મને ખાત્રીને માટે બતાવવાં. કદાચ તું મરીને સ્વર્ગમાં જાય, તો પણ મારી ઉપેક્ષા કરવી નહીં. આ પ્રમાણેનાં તે દેવના વચનને મૂકે અંગીકાર કર્યું, એટલે તે દેવ સ્વસ્થાને ગયો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે આવીને મૂકની માતાની કુક્ષિમાં અવતર્યો. તેને ઋતુ વિના કેરી ખાવાનો દોહદ થયો, તે વખતે દેવની વાણીનું સ્મરણ કરીને મૂક બોલ્યો કે, “હે માતા! જો તું મને આ ગર્ભમાં રહેલા પુત્રને આપે, તો હું તને આમ્રફળ લાવી આપું.” માતાએ તેમ કરવાનું કબૂલ કર્યું. એટલે તે મૂકે દેવે કહેલા પર્વત પરથી આમ્રફળ લાવી આપીને માતાનો દોહદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થતાં તેણે પુત્ર પ્રસવ્યો. માતાપિતાએ હર્ષથી તે પુત્રનું અદ્દત એવું નામ પાડ્યું. પછી મૂક પોતાના ભાઈનું બાલ્યાવસ્થાથી જ લાલન-પાલન કરવા લાગ્યો અને ચૈત્યમાં તથા ઉપાશ્રયમાં સાથે લઈ જવા લાગ્યો, પણ તે બાળક મુનિઓને જોઈને મોટેથી રોવા લાગતો અને તેમને વંદન પણ કરતો નહીં. મૂકે તેને ઘણી રીતે સમજાવ્યો, પણ તે બાળક સાધુની ગુન્યને પણ સહન કરતો નહીં. છેવટે તેને સમજાવતાં મૂક થાકી ગયો, તો પણ તે (અદત્ત) ધર્મ પામ્યો નહીં. એટલે મૂક તો સાધુ પાસે દીક્ષા લઈને અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયો. ત્યાં તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ દીધો તો પોતાના નાના ભાઈ અહંદુત્તને ચાર સ્ત્રી સાથે પરણેલો જોયો. મૂકદેવે તેણે કહેલું અને પોતે સ્વીકાર કરેલું પૂર્વ ભવનું વાક્ય સંભાર્યું અને તેને પ્રતિબોધ કરવા માટે પ્રથમ તેના શરીરમાં જલોદરનો વ્યાધિ ઉત્પન્ન કર્યો. તે વ્યાધિના ભારથી અતિ ઉઠી પણ શકતો નહીં. સર્વે વૈદ્યો તેની ચિકિત્સા કરી કરીને થાક્યા, પણ કોઈથી સારું થયું નહીં. તેથી સર્વ વૈદ્યોએ તેનો ત્યાગ કર્યો. પછી તે મૂકદેવ પોતે વૈદ્યનો આડંબર કરીને અદત્તની પાસે આવ્યો. અહંદૂત તેને જોઈને દીનમુખે બોલ્યો કે, “હે વૈદ્યરાજ! મને રોગથી મુક્ત કરો.” વૈદ્ય બોલ્યો કે, “તારો આ વ્યાધિ અંસાધ્ય છે, તો પણ વિવિધ પ્રકારના ઔષધોથી હું તને નિરોગી કરું, પરંતુ સારું થયા પછી તારે આ મારો ઔષધ તથા શાસ્ત્રોનો કોથળો ઉપાડીને જીવતાં સુધી મારી સાથે ફરવું પડશે.” તે સાંભળીને અહંદુત્તે તે વાત કબૂલ કરી, એટલે તે માયાવી વૈદ્ય ઔષધો આપીને તેને સારો કર્યો. પછી અતિ તેની સાથે ચાલ્યો. દેવવૈધે તેને વૈદકને યોગ્ય એવાં શાસ્ત્રોથી ભરેલો કોથળો ઉપાડવા આપ્યો. તે કોથળાને માયા વડે અત્યંત ભારવાળો કર્યો. અદ્દત્ત તેવા અસહ્ય ભારને હમેશાં વહન કરતો વિચારવા લાગ્યો કે, “આટલો ભાર હું નિરંતર શી રીતે વહન કરી શકીશ?” એક દિવસ કોઈક સ્થાને તેણે સંયમધારી સાધુઓને જોયા. તે વખતે અદત્તના મનમાં વિવિધ પ્રકારનો ઉદ્વેગ થતો હતો. તે જાણીને દેવવૈધે તેને કહ્યું કે, “જો તું દીક્ષા ગ્રહણ કરે તો હું તને છોડી દઉં.” તે સાંભળીને મહાભારથી પીડા પામેલો અદત્ત બોલ્યો કે, “હું વજ જેવા આ ભારને હમેશાં ઉપાડી ઉપાડીને કુજ થઈ ગયો છું, તેથી આવો ભાર ઉપાડવા કરતાં તો મારે વ્રત લેવું તે જ સારું છે.” પછી તે દેવ તેને મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરાવીને સ્વસ્થાને ગયા. Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫. ' ' દેવના ગયા પછી અતિ વ્રત તજીને પાછો પોતાને ઘેર ગયો. દેવે અવધિજ્ઞાનથી તેને ચારિત્રથી ભ્રષ્ટ જાણ્યો, એટલે ફરીથી મૂકદેવે જલોદરનો વ્યાધિ ઉત્પન્ન કર્યો અને પૂર્વની જ જેમ તેને ફરીથી દીક્ષા અપાવી. એ પ્રમાણે ત્રણ વાર દીક્ષા લઈને તેણે મૂકી દીધી. પછી ચોથી વાર દીક્ષા અપાવીને તેને વ્રતમાં સ્થિર કરવા માટે તે દેવ હંમેશાં તેની પાસે જ રહેવા લાગ્યો. એકદા માથે તૃણનો ભારો લઈને ચાલતો તે દેવ કોઈ અગ્નિથી બળતા ગામમાં પેસવા લાગ્યો. તે જોઈને અદત્તે તેને કહ્યું કે, “ઘાસનો ભારો લઈને આ અગ્નિથી બળતા ગામમાં કેમ પેસે છે?” દેવ બોલ્યો કે, “જ્યારે તું આમ જાણે છે, ત્યારે ક્રોધાદિક અગ્નિથી બળતા ગૃહવાસમાં જઈને તું કેમ પ્રવેશ કરે છે?” તે સાંભળીને પણ બોધ નહિ પામેલા અદત્તને સાથે લઈને આગળ ચાલતાં તે દેવ સારો માર્ગ મૂકીને ભયંકર અરણ્ય તરફ ચાલ્યો. તે જોઈને અદત્ત બોલ્યો કે, “સારો માર્ગ મૂકીને ઉન્માર્ગમાં કેમ ચાલે છે?” દેવ બોલ્યો કે, “જ્યારે તું એમ જાણે છે, ત્યારે મુક્તિમાર્ગને મૂકીને ભવાટવીમાં પેસવાની કેમ ઈચ્છા કરે છે?” આવી રીતે કહ્યા છતાં પણ અદત્ત બોધ પામ્યો નહીં, તો પણ “કાયર ન થવું એ જ સંપત્તિનું સ્થાન છે' એમ જાણીને તે દેવ તેની સાથે જ આગળ ચાલ્યો. માર્ગમાં કોઈ એક ચૈત્યમાં લોકોથી પૂજાતાં છતાં નીચે મુખે પડતા એક યક્ષને તેણે દિવ્ય શક્તિથી બતાવ્યો. તે જોઈને અહિદત્તે કહ્યું કે, “આ વ્યંતર જેમ લોકોથી પૂજાય છે તેમ તેમ અધોમુખ થઈને નીચે પડતો જાય છે, માટે આ યક્ષના જેવો બીજો કોઈ અન્ય પૃથ્વી પર જણાતો નથી.” તે સાંભળી તેને દેવે કહ્યું કે, “સંયમરૂપી ઊંચે સ્થાને સ્થાપન કર્યા છતાં પણ તું વારંવાર નીચે પડે છે, માટે હે મૂર્ખશિરોમણિ! તું તેના કરતાં વિશેષ અધન્ય છે.” તે સાંભળીને અદત્તે તેને પૂછ્યું કે, “વારંવાર આવી રીતે બોલનાર તમે કોણ છો?” ત્યારે તે દેવે પોતાનું મૂકના ભવવાળું સ્વરૂપ દેખાડી તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાન્ત કહ્યું. તે સાંભળીને અદત્તે તેને પૂછયું કે, “હું પૂર્વભવે દેવ હતો તેની ખાતરી શી?” એટલે દેવ તેને વૈતાઢ્ય પર્વત પર લઈ ગયો અને પુષ્કરિણી (વાવ)માં ગોપવેલાં તેના નામથી અંક્તિ એવાં બે કુંડળો કાઢીને તેને દેખાડ્યાં. તે જોઈને અહંદતને જાતિસ્મરણ થયું. તેથી પ્રતિબોધ પામીને તે ભાવચારિત્ર પામ્યો. આ રીતે તેને ધર્મમાં સ્થિર કરીને તે મૂકદેવ સ્વસ્થાને ગયો. સર્વ કર્મમાં શ્રી જિનેશ્વરે મોહને અતિ દુર્જય કહેલો છે, તે મોહનો મૂકદેવે ત્યાગ કરાવ્યો ત્યારે જ અહંદૂત્ત ધર્મ પામીને મોક્ષે ગયો.” -- ૩૦૬ જ્ઞાન તથા અજ્ઞાન मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥१॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧o૨. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ:- “અજ્ઞ એટલે આત્મભાવ અને પરભાવને નહિ જાણનારો માણસ. અજ્ઞાન, એટલે અયથાર્થ ઉપયોગમાં વિષ્ટામાં શૂકરની જેમ મગ્ન થાય છે અને માનસરોવરમાં રાજહંસની જેમ જ્ઞાની યથાર્થ ઉપયોગવાળા તત્ત્વાવબોધમાં (આત્મસ્વરૂપમાં) મગ્ન થાય છે.” આ સંબંધમાં સાલ ને મહાસાલનું દષ્ટાંત છે, તે આ પ્રમાણે – સાલ-મહાસાલની કથા પૃષ્ઠચંપાનગરીના રાજાના પુત્રો સાલ અને મહાસાલ બન્ને યુવરાજ હતા. અન્યદા તે નગરીમાં શ્રી વીરસ્વામી સમવસર્યા. પ્રભુને વાંદવા માટે તે બન્ને ભાઈઓ મોટી ઋદ્ધિ સહિત ગયા. ત્યાં વિરપ્રભુને નમીને ધર્મશ્રવણ કરી વૈરાગ્ય પામી પોતાને ઘેર ગયા. પછી પોતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સોંપીને જિનેશ્વર પાસે તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર સાધુ પાસે તેઓએ સંપૂર્ણ અગિયાર અંગનો અભ્યાસ કર્યો. એકદા શ્રી વિરપ્રભુની આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીની સાથે પોતાના કુટુંબને પ્રતિબોધ કરવા માટે તેઓ પૃષ્ઠચંપાએ આવ્યા. તેમનું આગમન સાંભળીને ગાંગિલ રાજા તેમને વાંદવા આવ્યો. ગણધર મહારાજને તથા સાલ મહાસાલ મુનિને નમીને તે દેશના સાંભળવા બેઠો. તે વખતે ચાર જ્ઞાનને ધારણ કરનાર શ્રી ગૌતમસ્વામીએ દેશનાનો આરંભ કર્યો - निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥१॥ ભાવાર્થ :- “નિર્વાણપદ એટલે કર્મરહિત થવાના હેતુભૂત એવા એક મોક્ષપદની જ સ્યાદ્વાદના સાપેક્ષપણાએ વારંવાર ભાવના કરાય એટલે આત્માને તન્મય કરાય, સ્વરૂપમાં એકતા થાય તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, જે જ્ઞાન વડે આત્મા અનાદિ કાળથી નહિ પામેલા આત્મસુખનો અનુભવ કરે છે, બાકી આત્મજ્ઞાનથી વ્યતિરિક્ત બીજા વાણીના વિસ્તારવાળા ઘણા એવા સંવેદન જ્ઞાન વડે કાંઈ આત્મસુખનો નિશ્ચય થતો નથી. કેમકે થોડું પણ અમૃતસદશ જ્ઞાન જ અનાદિ કર્મરોગનો નાશ કરનારું છે.” वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद्गतौ ॥२॥ ભાવાર્થ - “વાદ અને પ્રતિવાદ તેમ જ અનિશ્ચિત પદાર્થને કહેનારા માણસો ઘાણીના બળદની ગતિની જેમ તત્ત્વના પારને પામતા નથી.” વિસ્તરાર્થ - વાદ એટલે પૂર્વપક્ષ અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષ, તેને પરના પરાજય માટે તથા પોતાના જયને માટે કરવાથી વસ્તુધર્મરૂપ તત્ત્વના અંતને પામી શકાતું નથી. વળી પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કર્યા વિના તેનું અનિર્ધારિત સ્વરૂપ કહેવાથી પોતાના અત્યંત સ્વાભાવિક Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથભાગ-૫ ૧૦૩ આત્મજ્ઞાનના અનુભવને પામી શકાતો નથી. જેમ ઘાણીમાં જોડેલો વૃષભ ગમે તેટલું ફરે તો પણ કોઈ બીજા સ્થાનને પામતો નથી. તેમ તત્ત્વજ્ઞાનને નહિ ઈચ્છનારો મનુષ્ય અનેક શાસ્ત્રોમાં શ્રમ કર્યા છતાં પણ તત્ત્વના અનુભવનો સ્પર્શ માત્ર પણ કરતો નથી. એ જ કારણથી સાતે નયો સ્વેચ્છા પ્રમાણે જ્ઞાનના સ્વરૂપને કહે છે. જ્ઞાનના ચાર નિક્ષેપા આ પ્રમાણે છે-શબ્દના આલાપરૂપ જે જ્ઞાન તે નામજ્ઞાન કહેવાય છે. સિદ્ધચક્રાદિકમાં સ્થાપન કરેલું જ્ઞાનપદ તે સ્થાપનાજ્ઞાન કહેલું છે. ઉપયોગરહિત પાઠ માત્ર કરવો તે દ્રવ્યજ્ઞાન કહેવાય છે. તત્ત્વાર્થનું જ્ઞાન જે પુસ્તકમાં લખેલું હોય છે તે પણ દ્રવ્યજ્ઞાન કહેવાય છે. ઉપયોગ વિના સ્વાધ્યાય કરવો તે પણ દ્રવ્યજ્ઞાન છે, અને ઉપયોગપરિણતિ તે ભાવજ્ઞાન છે. તેમાં ભાષાદિકના સ્કંધરૂપ જે જ્ઞાન તે નૈગમનયની અપેક્ષાએ જ્ઞાન જાણવું. સંગ્રહનયની અપેક્ષાએ અભેદ ઉપચારથી સર્વજીવો જ્ઞાનરૂપ જાણવા. વ્યવહારનયની અપેક્ષાએ પુસ્તકાદિકમાં રહેલું જ્ઞાન જાણવું અને ઋજુસૂત્રનયે તત્પરિણામ સંકલ્પરૂપ જ્ઞાન જાણવું અથવા જ્ઞાનના હેતુભૂત વીર્યને નૈગમનય જ્ઞાન કહે છે, સંગ્રહનય આત્માને જ્ઞાન કહે છે, વ્યવહારનય ક્ષયોપશમ પ્રમાણે જ્ઞાનસંબંધી વ્યવહાર પ્રવૃત્તિને જ્ઞાન કહે છે અને ઋજુસૂત્ર વર્તમાન યથાર્થ અયથાર્થ વસ્તુતત્ત્વના બોધને જ્ઞાન કહે છે. શબ્દનયની અપેક્ષાએ સમ્યગ્દર્શનપૂર્વક યથાર્થ વસ્તુસ્વરૂપના બોધરૂપ લક્ષણવાળું કારણ તથા કાર્યની અપેક્ષાવાળું, પોતાને તથા પરને પ્રકાશ કરનારું અને સ્યાદ્વાદથી યુક્ત જે જ્ઞાન તેને જાણવું. સમભિરૂઢનયની અપેક્ષાએ જ્ઞાનવાચી સમગ્ર વચનપર્યાયોની શક્તિની પ્રવૃત્તિરૂપ જ્ઞાન જાણવું અને એવંભૂતનયની અપેક્ષાએ કેવળજ્ઞાનને જ જ્ઞાન જાણવું. અહીં સમ્યગુ રત્નત્રયના ઉપાદેય લક્ષણવાળું પરમજ્ઞાન તે શુદ્ધ જ્ઞાન છે. કહ્યું છે કે – पीयूषसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्यं, ज्ञानमाहुर्मनीषिणः ॥१॥ ભાવાર્થ:- “પંડિતો સમુદ્ર વિના ઉત્પન્ન થયેલા અમૃતરૂપ, ઔષધ વિના ઉત્પન્ન થયેલા જરામરણને નાશ કરનાર રસાયણરૂપ અને સૈન્યાદિક અન્ય કોઈ પણ વસ્તુની અપેક્ષારહિત શક્રચક્રીપણાના ઐશ્વર્યરૂપ-એવું જ્ઞાન કહે છે.” તે માટે હે ભવ્ય પ્રાણીઓ! જ્ઞાનનો સમ્ય પ્રકારે આદર કરવો યોગ્ય છે. ઈત્યાદિ ગૌતમ ગણધરની દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા ગાંગિલ રાજાએ પોતાના પુત્રને રાજય સોંપી માતાપિતા સહિત મોટા ઉત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પછી સાલ મહાસાલ અને ગાંગિલ વગેરેને સાથે લઈને શ્રી ગૌતમસ્વામી જિનેશ્વર પાસે જવા માટે ચંપા તરફ ચાલ્યા. માર્ગમાં સાલ અને મહાસાલ વિચાર કરવા લાગ્યા કે, “આ અમારા બેન, બનેવી અને ભાણેજને ધન્ય છે કે જેઓ અલ્પકાળમાં. જ સર્વવિરતિપણું પામ્યા.” તે વખતે ગાંગિલ વગેરે ત્રણે જણા પણ એવો વિચાર કરવા લાગ્યા કે “આ સાલ અને મહાસાલને ધન્ય છે કે જેઓએ આપણને પ્રથમ રાજ્યલક્ષ્મી આપી અને હમણા મહાનંદસુખને પમાડનારું ચારિત્ર અપાવ્યું.” ઉ.ભા.-૫-૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧u૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ આવી રીતે તે પાંચે જણા લોકોત્તર ધ્યાનમાં મગ્ન થઈ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામ્યા. તેઓશ્રી પ્રભુ પાસે આવ્યા, ત્યારે શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રભુની પ્રદક્ષિણા કરીને તે પાંચે કેવળીની સભા તરફ ચાલ્યા. એટલે ગૌતમસ્વામી બોલ્યા કે, “અરે ! તમે સર્વ અજાણ્યા હો તેમ ત્યાં કેમ ચાલ્યા જાઓ છો? અહીં આવો, ત્રણ જગતના પ્રભુને વંદના કરો. તે સાંભળીને શ્રી વીરપ્રભુએ ગૌતમને કહ્યું કે, “જિનની (કેવળીની) આશાતના ન કરો.” પ્રભુનું વચન સાંભળીને ગૌતમસ્વામીએ તત્કાળ તેમને ખમાવ્યા પછી તેમણે પોતાના મનમાં વિચાર્યું કે - दुर्भग हरिणाक्षीव, भजतेऽद्यापि मां नहि। केवलज्ञानलक्ष्मीस्तत्, किं सेत्स्यामि नवाथवा ॥१॥ ભાવાર્થ :- “હરિણના સરખા નેત્રવાળી સ્ત્રી જેમ દુર્ભાગી પુરુષને ભજે નહીં, તેમ કેવલજ્ઞાનની લક્ષ્મી મને પ્રાપ્ત થતી નથી, તો શું હું આ ભવે સિદ્ધિને પામીશ કે નહીં? એમ તેઓ વિચાર કરતા હતા, તેવામાં તેમણે દેવવાણી સાંભળી કે, “આજે શ્રી જિનેશ્વરે કહ્યું છે કે જે કોઈ મનુષ્ય પોતાની લબ્ધિ વડે અષ્ટાપદ ઉપર જઈ જિનેશ્વરોને વંદના કરે તે જરૂર તે જ ભવે સિદ્ધિને પામે. આ પ્રમાણેની દેવવાણી સાંભળીને ગૌતમ ગણધર શ્રી વિરપ્રભુની આજ્ઞા લઈને અષ્ટાપદ પર્વત તરફ ચાલ્યા. આ અરસામાં કૌડિન્ય, દિન્ન અને સેવાલ નામના તાપસના આચાર્યો “અષ્ટાપદ ઉપર પોતાની શક્તિ વડે ચડવાથી મુક્તિ પામી શકાય એવું ભગવાનનું વાક્ય જનમુખથી સાંભળીને પોતાના પાંચસો શિષ્યો (તાપસો) સહિત અષ્ટાપદ તરફ જવા પ્રથમથી નીકળી ચુક્યા હતા. તેમાં પ્રથમ કૌડિન્ય તાપસ પાંચસો તાપસો સહિત એકાંતર ઉપવાસ કરીને તે અષ્ટાપદની પહેલી મેખલાએ પહોંચ્યો હતો. તેઓ પારણાને દિવસે કંદ વગેરેનું ભોજન કરતા હતા. બીજો તાપસ પોતાના પરિવાર સહિત છઠ તપ કરતો અને પારણામાં પાકેલા પત્રાદિકનું ભોજન કરતો તે પર્વતની બીજી મેખલા સુધી પહોંચ્યો હતો અને ત્રીજો તાપસ પોતાના પરિવાર સહિત અઠ્ઠમ તપ કરતો પારણામાં શુષ્ક સેવાલ ખાતો તે પર્વતની ત્રીજી મેખલા સુધી પહોંચ્યો હતો. પરંતુ કોઈ પણ તાપસ અત્યંત ક્લેશ સહન કર્યા છતાં તે પર્વતના શિખર ઉપર પહોંચી શક્યા નહોતા. તે તાપસોએ ગૌતમસ્વામીને દૂરથી આવતા જોઈને વિચાર્યું કે, “તપ વડે કરીને અતિકશ થયેલા અમે આ પર્વત ઉપર ચડી શક્યા નથી, તો આ સ્થૂળ શરીરવાળા યતિ શી રીતે ચડશે?” આ પ્રમાણે તે સર્વ તાપસો વિચાર કરતા હતા, તેટલામાં તો શ્રી ગૌતમસ્વામી જંઘાચારણ લબ્ધિથી સૂર્યના કિરણોનું અવલંબન કરીને તત્કાળે તે સર્વ તાપસોને ઓળંગીને આગળ ચાલ્યા અને એક ક્ષણમાં તેમને અદશ્ય થઈ ગયા. તે જોઈને વિસ્મય પામેલા સર્વ તાપસી બોલ્યા કે, “આપણે તો આ સાધુના શિષ્ય થઈશું.” ગૌતમસ્વામી તો પર્વતના શિખર પર જઈને ભરતચક્રીએ કરાવેલા Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ચૈત્યને જોઈ તેમાં સ્થાપિત કરેલા ચોવીશ તીર્થકરોને નમ્યા અને “જગચિંતામણિ જગનાહ” ઈત્યાદિ ગાથા વડે સ્તુતિ કરીને ચૈત્ય બહાર નીકળ્યા. પછી રાત્રિ નિર્ગમન કરવા માટે અશોક વૃક્ષની નીચે બેઠા. - તે વખતે ઈન્દ્રનો દિક્પાલ કુબેર તીર્થકરોને નમવા માટે અષ્ટાપદે આવ્યો. તે જિનેશ્વરોને નમીને શ્રી ગૌતમસ્વામી પાસે આવ્યો. તેમને વંદના કરીને દેશના સાંભળવા બેઠો. શ્રી ગૌતમસ્વામી બોલ્યા કે - महाव्रतधरास्तीव्रतपः शोषितविग्रहाः । तारयंति परं ये हि, तरन्तः पोतवत्स्वयम् ॥१॥ ભાવાર્થ:- “તીવ્ર તપસ્યા વડે જેઓએ પોતાના દેહનું શોષણ કર્યું છે એવા મહાવ્રતને ધારણ કરનાર મુનિઓ નાવની પેઠે પોતે તરતા છતાં બીજાને પણ તારે છે.' તે સાંભળીને લૂખું સૂકું અશન લેવાથી આવું પુષ્ટ શરીર થાય નહીં એમ વિચારીને કુબેર વિકસિત મુખ કરીને કાંઈક હસ્યો. તે વખતે તેનો અભિપ્રાય જાણીને ગૌતમ ગણધરે પુંડરીક સાધુનું અધ્યયન પ્રકાશિત કરી છેવટે કહ્યું કે – कृशोऽपि पश्य दुर्ध्यानात्, कंडरीको ययावधः । पुष्टोऽपि पुंडरीकस्तु, शुभध्यानात् सुरोऽभवत् ॥१॥ હે કુબેર! જુઓ કે કંડરીક તપસ્યાથી કૃશ થયેલો હતો છતાં પણ અશુભ ધ્યાનથી મારીને નરકે ગયો અને પુંડરીક મુનિ શરીરે પુષ્ટ હતા, છતાં પણ શુભ ધ્યાનથી દેવ થયા. તે સાંભળીને કુબેર ગણધરને ખમાવીને સ્વસ્થાને ગયો. તે વખતે કુબેરનો સામાનિક દેવ કે જે વજસ્વામીનો જીવ હતો તે સમકિત પામ્યો. તેને કેટલાએક તિર્યર્જુભગ દેવ હતો એમ કહે છે. પ્રાતકાળે ગૌતમસ્વામી પર્વત પરથી ઉતરતા તે તાપસી પાસે આવ્યા, ત્યારે સર્વ તાપસોએ તેમને કહ્યું કે “તમે અમારા ગુરુ છો અને અમે તમારા શિષ્ય છીએ.” ગણધર બોલ્યા કે, “તમારા અને અમારા સર્વના ગુરુ શ્રી મહાવીર છે.” પછી દેવતાએ જેમને મુનિવેશ આપ્યો છે એવા તે તાપસોએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી. ગણધરે પ્રાસુક અને નિર્દોષ એવા પાયસાન (ક્ષીર)નું એક પાત્ર ભરી લાવીને વિધિપૂર્વક અનુક્રમ પ્રમાણે તેમને બેસાડી અક્ષીણમહાનસ લબ્ધિ વડે કરીને યથેચ્છ પારણું કરાવ્યું. તે જ વખતે સેવાલનું ભક્ષણ કરનારા પાંચસો ને એક સાધુ ગણધરની સ્તુતિ કરવામાં મગ્ન થયા સતા જમતા જમતા જ ઉજ્જવલ કેવલજ્ઞાન પામ્યા. સર્વે તૃપ્ત થયા પછી ગણધરે પોતે ભોજન કર્યું. પછી તે સર્વને સાથે લઈને આગળ ચાલ્યા. અનુક્રમે પ્રભુના ૧. આ જગચિંતામણીનું ચૈત્યવંદન ગૌતમસ્વામીએ અહીં બનાવ્યું. Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ સમવસરણની નજીક આવતાં છટ્ઠ તપ કરનારા દિન્નાદિક પાંચસો ને એક સાધુને પ્રભુના પ્રાતિહાર્યની લક્ષ્મી જોતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને કૌડિન્યાદિક ૫૦૧ સાધુઓને પ્રભુનું દર્શન થતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૦૬ પ્રભુ પાસે આવીને ૧,૫૦૩ મુનિથી પરવરેલા ગૌતમસ્વામીએ પ્રભુને પ્રદક્ષિણા દીધી. પછી તે સર્વ સાધુઓ કેવલીની સભામાં જવા લાગ્યા. એટલે ગણધર બોલ્યા કે, “અરે ! તમે સર્વ અહીં આવો અને ત્રણ જગત્ના ગુરુને નમન કરો.” તે સાંભળીને ભગવાને તેમને કહ્યું કે, “કેવલીની આશાતના ન કરો.” તે સાંભળીને ગણધરે મિથ્યાદુષ્કૃત આપી તેમને ખમાવ્યા. પછી ગણધરે વિચાર્યું કે “હું ગુરુકર્મી છું, તેથી આ ભવે મોક્ષ પામીશ નહીં. આ મેં દીક્ષા આપેલા સાધુઓને ધન્ય છે કે જેઓ તત્કાળ કેવળજ્ઞાન પામ્યા.” આ પ્રમાણે અધૈર્ય રાખતા ગૌતમ ગણધર પ્રત્યે શ્રી વીરસ્વામી બોલ્યા કે “પ્રાણીઓને મંદ, તીવ્ર ને તીવ્રતર સ્નેહ હોય છે. ચિરકાળના પરિચયથી તમને મારા ઉપર તીવ્ર એવો પ્રશસ્ત સ્નેહ થયેલો છે, તેથી તમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, તે સ્નેહ નાશ પામશે ત્યારે તમને કેવળજ્ઞાન થશે. અહીંથી કાળધર્મ પામીને આપણે બન્ને સમાન થવાના છીએ, માટે તમે અધૈર્ય ન રાખો.” એ પ્રમાણે પ્રભુના વચન સાંભળીને શ્રી ગૌતમસ્વામી પ્રસન્ન થઈ સંયમ પાલન કરતા સતા પ્રભુની સેવા કરવા લાગ્યા. “આ પ્રમાણે સ્વભાવના (આત્મજ્ઞાનના) લાભથી સાલ, મહાસાલ અને ગાંગિલ વગેરે ભૂપો તથા સર્વ તાપસો તત્કાળ કેવળજ્ઞાન પામીને અનંત સુખવાળા મોક્ષપદને પામ્યા.” ૩૦૦ શમગુણ विकल्पविषयोत्तीर्णः, स्वभावालंबनः सदा । જ્ઞાનસ્ય પરિપાજો ય:, મેં શમ: પીિતિતઃ ॥॥ ભાવાર્થ ઃ- “સંકલ્પવિકલ્પ (ચિત્તવિભ્રમ)ના વિષયથી (વિસ્તારથી) નિવર્તેલો અને સમ્યગ્ રત્નત્રય સ્વરૂપ જે આત્માનો સ્વભાવ તેનું (ગુણપર્યાયનું) નિરંતર આલંબન કરનાર એવો આત્માના ઉપયોગ લક્ષણવાળા જ્ઞાનનો જે પરિપાક-પ્રૌઢ અવસર તે શમ કહેલો છે.” શમના ચાર નિક્ષેપા આ પ્રમાણે - નામશમ અને સ્થાપનાશમ તો પૂર્વની પેઠે જાણવા.આગમથી દ્રવ્યશમ તે શમના સ્વરૂપને જાણનાર જ્ઞાની જે તેના ઉપયોગમાં વર્તતા ન હોય તે. નોઆગમથી દ્રવ્યશમ તે માયાએ કરીને લબ્ધિની સિદ્ધિને માટે અથવા દેવગતિની પ્રાપ્તિ વગેરે માટે ઉપકાર અપકારના વિપાકને શમન કરવાના હેતુથી ક્રોધાદિકનો ઉપશમ કરે તે અને ભાવશમ Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૧૦૭ તે આસ્વરૂપમાં ઉપયોગવાળા તેમાં આગમથી મિથ્યાત્વને તજીને યથાર્થ વસ્તુના ભાસનપૂર્વક ચારિત્રમોહનીય કર્મના ઉદયનો અભાવ હોવાથી ક્ષમાદિક ગુણની જે પરિણતિ તે શમ કહેવાય છે. તે શમ પણ લૌકિક અને લોકોત્તર ભેદે કરીને બે પ્રકારનો છે. તેમાં વેદાંત મતવાળાનો જે શમ ગુણ તે લૌકિક છે અને જૈન પ્રવચનને અનુસરનારમાં જે શમ હોય તે લોકોત્તર છે. તે લોકોત્તર ગુણ જ ખરેખરો શુદ્ધ છે, તેની ઉપર મૃગાપુત્રની કથા છે તે આ પ્રમાણે - મૃગાપુત્રની કથા સુગ્રીવપુરના રાજાનો પુત્ર મૃગાપુત્ર નામે હતો. તે એકદા મહેલના ગોખમાં બેસીને નગરનું સ્વરૂપ જોતો હતો, તેવામાં સમગુણના નિધિ સમાન એક મુનિને નિમેષરહિત દષ્ટિથી પ્રીતિપૂર્વક જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પૂર્વ ભવે પોતે ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેનું તેને સ્મરણ થયું. તે પછી મૃગાપુત્ર પોતાના માતા-પિતા પાસે જઈને બોલ્યો કે - सुयाणि मे पंच महव्वयाणि, नरएसु दुक्खं च तिरिक्खजोणिसु । निविण्णकामो हि महण्णवाओ, अणुजाणह पव्वइस्सामि अम्मो ॥१॥ ભાવાર્થ - “હે માતાપિતા ! મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં છે, તથા નરકને વિષે અને તિર્યયોનિને વિષે જે દુઃખ પડે છે તે પણ મેં જાણ્યું છે, તેથી હું સંસારરૂપ મહાર્ણવથી નિર્વેદ (વૈરાગ્ય) પામ્યો છું, માટે મને અનુજ્ઞા આપો કે જેથી હું પ્રવ્રજ્યા અંગીકાર કરું.” ઈત્યાદિક વાક્યો વડે દેહના ભોગોપભોગાદિકનું અનિત્યપણું કહીને તેણે પ્રવ્રયા લેવાની અનુજ્ઞા માગી. તે સાંભળીને માતાપિતાએ અનેક યુક્તિઓ વડે જીવન પર્યંત ચારિત્રનું પાલન અતિ દુષ્કર બતાવીને કહ્યું કે, “હે પુત્ર ! તારું શરીર અતિ સુકોમળ છે, તું ચારિત્ર પાળવાને સમર્થ નથી, કેમકે પાંચ ઈન્દ્રિયો તથા મન જીતવા મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવાની જેવું ચારિત્ર પાળવું દુષ્કર છે. દેદીપ્યમાન અગ્નિની જ્વાળાનું પાન કરવાની જેમ અથવા મન્દરાચળ પર્વતને તોળવાની જેમ યુવાવસ્થામાં ચારિત્રનું પાલન કરવું અતિ દુષ્કર છે. માટે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેવી યોગ્ય છે.” તે સાંભળીને મૃગાપુત્ર બોલ્યો કે, “હે માતાપિતા ! આ લોકમાં નિઃસ્પૃહ થયેલા માણસને કાંઈ પણ દુષ્કર નથી. કેમકે મેં ચારે ગતિમાં વાણીથી કહી ન શકાય તેવી અનેક વેદનાઓ અનુભવી છે. सव्वभवेसु असाया, वेअणा वेइआ मए । निमेसंतरमित्तं पि, जं साया नत्थि वेइआ ॥१॥ ભાવાર્થ:- “મેં સર્વ ભવોમાં અસાતાવેદનીય વેદી છે, એક નિમિષમાત્ર પણ સતાવેદનીય વેદી નથી.” Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ મેં નરકાદિકની મહાવ્યથાઓ સહન કરી છે, તો પછી મારે દીક્ષાનું પાલન કરવું તેમાં શું મુશ્કેલ છે ? માટે મારે અવશ્ય દીક્ષા લેવી જ છે. સંયમનું પાલન કરતાં જે સમગુણના સુખનો આસ્વાદ મળે છે તે જ મોટું સુખ છે. સામ્યસુખમાં મગ્ન થયેલો જીવ દેશે ઉણા કોટિ પૂર્વના કાળને પણ સુખે સુખે દીનતા રહિત નિર્ગમન કરે છે. એક નિમેષમાત્ર પણ પ્રમાદમાં પડતો નથી. કહ્યું છે કે - शमसूक्तसुधासिक्तं, येषां नक्तंदिनं मनः । कदापि ते न दह्यन्ते, रोगोरगविषोर्मिमिः ॥१॥ ભાવાર્થ - “જે મહાત્માઓનું મન રાત્રિદિવસ શમ જે કષાયાભાવ તેના સૂક્ત એટલે આત્મસ્વરૂપતત્ત્વના વચનો તે રૂપી અમૃતથી સિંચન થયેલું હોય છે. તેઓ રાગરૂપી સર્પના વિષોર્મિથી કદાપિ દગ્ધ થતા નથી. જગતના જીવો રાગાદિક સર્પથી ડસાયા સતા વિષયમાં ઘુમિત થઈને પરિભ્રમણ કરે છે. ઈષ્ટ વસ્તુના સંયોગની અને અનિષ્ટ વસ્તુના વિયોગની ચિંતા અહર્નિશ કરીને અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કરે છે અને બહુ પ્રકારની અગ્રશોચાદિ જે કલ્પના તેના કલ્લોલને ગ્રહણ કરે છે, તેમજ અનંત જીવોએ અનંતીવાર ભોગવીને મૂકી દીધેલા જગતના ઉચ્છિષ્ટ એવા અનેક પુદ્ગલ સ્કંધોની યાચના કરે છે, માટે કોઈપણ પ્રકારે શમ ગુણને પ્રગટ કરવો, એ જ નિરુપમ શ્રેયસ્કર છે. કહ્યું છે કે – स्वयंभरमणस्पर्द्धि, -वर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥२॥ ભાવાર્થ:- “સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર એવો સમતા રસ જેના હૃદયમાં વૃદ્ધિ પામ્યા કરે છે તેવા મુનિને જેના વડે ઉપમા આપી શકાય એવો કોઈપણ પદાર્થ આ ચરાચર જિગતમાં નથી.” અર્ધ રજુ પ્રમાણ છેલ્લો સ્વયંભૂરમણ નામનો જે સમુદ્ર તેના જળની સાથે સ્પર્ધા કરે તેટલો સમતારસ જેના આત્મામાં વૃદ્ધિ પામ્યા કરે છે એવા મુનિ ત્રિકાલે પણ વિષયને ગ્રહણ કરતા નથી. તેઓને અતીત કાળમાં ભોગવેલા ભોગના સ્મરણનો અભાવ છે, વર્તમાન કાળે ઈન્દ્રિયગોચર એવા વિષયોમાં રમણતાનો અભાવ છે અને અનાગત કાળે મનોજ્ઞ વિષયોની ઈચ્છાનો અભાવ છે, એવા મુનિને જે ઉપમાને કરીને અનાગત કાળે મનોજ્ઞ વિષયોની ઈચ્છાનો અભાવ છે, એવા મુનિને જે ઉપમાને કરીને ઉપમા અપાય એવો કોઈપણ આ સચરાચર જગતમાં પદાર્થ નથી, કેમકે સર્વ પદાર્થ તો અચેતન પુદ્ગલ સ્કંધોથી ઉત્પન્ન થયેલ અને રૂપી છે અને સમતારસ તો સહજ, આત્યંતિક અને નિરૂપમ આત્મસ્વભાવ છે, તો તેની સાથે તેની શી રીતે ઉપમા આપી શકાય?” ૧. દુઃખ આવી પડવાનો ભય ધરાવી પ્રથમથી જે શોક-સંતાપ કરવો તે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ઈત્યાદિ વિવિધ ઉપાયો વડે માતાપિતાને પ્રતિબોધ પમાડીને તેમની અનુજ્ઞાથી સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરી મૃગાપુત્રે દીક્ષા ગ્રહણ કરી, કહ્યું છે કે अणिस्सिओ इहलोए, परलोए, अणिस्सिओ। वासिचंदणकप्पो अ, असणे अणसणे तहा ॥१॥ ભાવાર્થ:- “આ લોકને વિષે ઈચ્છારહિત અને પરલોકને વિષે પણ ઈચ્છારહિત તેમજ વાંસ ને ચંદન અને અશન ને અનશન એ જેમને તુલ્ય છે એવા તે મુનિ થયા.” અર્થાત્ આ લોકના સુખને અર્થે કે પરલોકના સુખને અર્થે જે તપ તપતા નથી, વાંસલાથી છેદન કરનાર અને ચંદનથી વિલેપન કરનાર ઉપર જેમને સમભાવ છે અને અશન તે આહારનો સદ્ભાવ અને અનશન તે તેનો અભાવ તેમાં જે તુલ્ય મનોવૃત્તિવાળા છે. આ પ્રમાણે ઘણા વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને મૃગાપુત્ર મુનિ એક માસનું અનશન કરી સર્વ કર્મ ખપાવી સિદ્ધિપદને પામ્યા. “જે માણસના હૃદયમાં અંતર્ગત ધ્યાનને વિશુદ્ધ કરનાર દેદીપ્યમાન સમતાગુણ હોય છે, તે મૃગાપુત્ર મુનીન્દ્રની જેમ તત્કાળ શુભ એવા રત્નત્રયની પુષ્ટિ પ્રત્યે પામે છે.” O ૩૦૮ પાંચ ઇન્દ્રિયોના સ્વરૂપ श्रुत्वेन्द्रियस्वरूपाणि, श्रीज्ञातनंदनास्यतः । स सुभद्रोऽनुचानोऽभूत्, पंचाक्षविषयोन्मुखः ॥१॥ ભાવાર્થ:- “શ્રી મહાવીરસ્વામીના મુખથી પાંચ ઈન્દ્રિયોના સ્વરૂપને સાંભળી પાંચ ઈન્દ્રિયોના વિષયથી પરાક્રમુખ થયેલ તે સુભદ્ર અણગાર (મુનિ) થયા.” તેનું દૃષ્ટાંત આ પ્રમાણેઃ સુભદ્રની કથા શ્રી રાજગૃહનગરમાં કોઈ શ્રેષ્ઠિનો પુત્ર સુભદ્ર નામે હતો. તે જન્મથી જ દરિદ્રપણું પામેલો હોવાથી નિરંતર ભિક્ષાવૃત્તિથી ઉદર નિર્વાહ કરતો હતો. એકદા તે નગરમાં શ્રી મહાવીરસ્વામી ગુણશીલ વનમાં સમવસર્યા. તે પરમાત્માને વાંચવા માટે રાજા તથા સર્વ પૌરજનો જતા હતા. તે જોઈને તે સુભદ્ર પણ સર્વ જનની સાથે પ્રભુ પાસે ગયો. ત્રણ ભુવનને તારવામાં સમર્થ અને જેને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ કોઈની ઉપમા ન આપી શકાય એવી શ્રી જિનેશ્વરની વાણી સાંભળીને આશ્ચર્ય પામેલા સુભદ્ર વિચાર કર્યો કે, “અહો ! આજ મેં નિઃસીમ ગુણના નિધિ સમાન કર્મકલ્મષરહિત એવા પ્રભુને જોયા. આજે મારો જન્મ સફળ થયો.” પછી સમગ્ર જગતના જીવોનો ઉદ્ધાર કરનાર અને બોધિબીજને આપનાર એવા શ્રી પ્રભુએ તે સુભદ્રને ઉદ્દેશીને ઈન્દ્રિયો સંબંધી વ્યાખ્યાન શરૂ કર્યું, તે આ પ્રમાણે - जितान्यक्षाणि मोक्षाय, संसारायाजितानि च । भवेत्तदन्तरं ज्ञात्वा, यद्युक्तं तत्समाचर ॥१॥ ભાવાર્થ - “જીતેલ ઈન્દ્રિયો મોક્ષને માટે થાય છે અને નહિ જીતેલ ઈન્દ્રિયો સંસારને માટે થાય છે. માટે તે બન્નેનું અંતર જાણીને જે યુક્ત લાગે તેનું આચરણ કર.” ઈન્દ્રિયો પાંચ છે – શ્રોત્ર, નેત્ર, નાસિકા, જિલ્લા અને સ્પર્શન (કાયા). તે દરેક ઈન્દ્રિય દ્રવ્ય અને ભાવથી બબ્બે પ્રકારની છે. દ્રવ્યન્દ્રિયના પણ બે પ્રકાર છે. એક નિવૃત્તિઈન્દ્રિય અને બીજી ઉપકરણઈન્દ્રિય. નિવૃત્તિ એટલે ઈન્દ્રિયનો આકાર. તે પણ બાહ્ય અને અત્યંતર ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં બાહ્ય આકાર ફુટ છે. તે દરેક જાતિને વિષે જૂદા જૂદા સ્વરૂપવાળો કાનની પાપડી વગેરે જે બહાર દેખાય છે તે જાણવો. બાહ્ય આકાર વિચિત્ર આકૃતિવાળો હોવાથી અશ્વ, મનુષ્ય વગેરે જાતિમાં સમાન રૂપવાળો નથી. અત્યંતર આકાર સર્વ જાતિમાં સમાન હોય છે. તે આ પ્રમાણે-શ્રોત્રનો અત્યંતર આકાર કદંબ પુષ્પના આકાર જેવા માંસના ગોળારૂપ છે, નેત્રોનો અત્યંતર આકાર મસુરના ધાન્યની જેવો હોય છે, નાસિકાનો અભ્યતર આકાર અતિમુક્તકના પુષ્પ જેવો હોય છે, જિલ્લાનો આકાર અસ્ત્રા જેવો હોય છે અને સ્પર્શન ઈન્દ્રિયની આકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે, પણ તે બાહ્ય અને અત્યંતર એક જ સ્વરૂપે હોય છે. આ પ્રમાણે નિવૃત્તિ ઈન્દ્રિયનું સ્વરૂપ જાણવું. ઉપકરણ ઈન્દ્રિયનું સ્વરૂપ એવું છે કે જેમ ખગની ધારમાં છેદન કરવાની શક્તિ છે, તેમ શુદ્ધ પુગલમય શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ વિશેષ તે ઉપકરણ ઈન્દ્રિય જાણવી. તે ઈન્દ્રિયનો અતિ કઠોર મેઘગર્જનાદિક વડે ઉપઘાત થાય તો બહેરાપણું વગેરે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દ્રવ્ય ઈન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એવા બને ભેદનું સ્વરૂપ જાણવું. હવે ભાવઈન્દ્રિયના પણ બે પ્રકાર છે. લબ્ધિ અને ઉપયોગ. તેમ શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારાં કર્મનો જે ક્ષયોપશમ તે લબ્ધિ ઈન્દ્રિય જાણવી અને પોતપોતાના વિષયમાં લબ્ધિરૂપ ઇન્દ્રિયને અનુસાર આત્માનો જે વ્યાપાર પ્રણિધાન તે ઉપયોગ ઈન્દ્રિય જાણવી. પાંચે ઉપકરણ ઈન્દ્રિયો અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ સ્કૂલ (જાડાઈમાં) છે. તેમાં શ્રોત્ર, નાસિકા અને નેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે પૃથુ છે, જિલ્લાઈન્દ્રિય બેથી નવ અંગુલ વિસ્તારવાળી છે અને સ્પર્શનેન્દ્રિય દેહપ્રમાણ વિસ્તારવાળી છે. ૧. અગથીયાના ફૂલ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૧૧ પાંચે ઈન્દ્રિયોના વિષયનું માન આ પ્રમાણે છે - નેત્ર વિના બીજી ચાર ઈન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગમાત્રમાં રહેલા વિષયને જાણે છે, તેથી વધારે નજીક રહેલાને જાણતી નથી. નેત્રઈન્દ્રિય જઘન્યથી અંગુલના સંખ્યાતા ભાગમાં રહેલા પદાર્થને જોઈ શકે છે, પણ અતિ સમીપે રહેલા અંજન, રજ, મેલ વગેરેને જોઈ શકતી નથી. નાસિકા, જિલ્લા અને સ્પર્શન એ ત્રણ ઈન્દ્રિયો ઉત્કૃષ્ટ નવ યોજનથી આવતા ગંધ, રસ તથા સ્પર્શને ગ્રહણ કરે છે. કર્ણઈન્દ્રિય ઉત્કૃષ્ટ બાર યોજન દૂરથી આવતા શબ્દને સાંભળે છે અને ચક્ષુરિન્દ્રિય સાધિક લાખ યોજન દૂર રહેલા રૂપને જોઈ શકે છે. વળી - एकाक्षादीव्यवहारो, भवेद्रव्येन्द्रियैः किल । अन्यथा बकुलः पंचाक्षः स्यात्पंचोपयोगतः ॥१॥ रणन्नू पुरशृंगारचारुलोलेक्षणामुखात् । निर्यत्सुगन्धिमदिरागंडूषादेव पुष्यति ॥२॥ ભાવાર્થ:- “એકેન્દ્રિયાદિક વ્યવહાર દ્રવ્ય ઈન્દ્રિયોએ કરીને જ થાય છે, નહિ તો બકુલ વૃક્ષ પાંચે ઈન્દ્રિયોના ઉપયોગવાળું હોવાથી પંચેન્દ્રિય કહેવાય. પણ તે એકેન્દ્રિય જ છે. (૧) પગમાં શબ્દ કરતા નૂપુર વગેરે શૃંગાર ધારણ કરેલી સુંદર અને ચપળ નેત્રવાળી સ્ત્રીના મુખથી નીકળતા સુગંધી મદિરાના કોગળાથી બકુલ વૃક્ષ પુષ્પિત થાય છે. અહીં બકુલ વૃક્ષને પાંચે ભાવઈન્દ્રિયોનો ઉપયોગ આ પ્રમાણે સમજવો - નૂપુરના શબ્દવાળા પાદનો સ્પર્શ કરવાથી પ્રફુલ્લિત થાય છે તેથી કર્ણ અને સ્પર્શ એ બે ઈન્દ્રિયોનો ઉપયોગ, સુંદર નેત્રવાળી સ્ત્રીને લીધે પ્રફુલ્લિત થાય છે. તેથી નેત્રઈન્દ્રિયનો ઉપયોગ અને સુગંધી મદિરાના રસથી પ્રફુલ્લિત થવાને અંગે રસેન્દ્રિય ને ધ્રાણેન્દ્રિયનો ઉપયોગ-એમ પાંચે ઈન્દ્રિયના વિષયનો ઉપયોગ જાણવો. આ પ્રમાણે ઈન્દ્રિયોના સ્વરૂપને જાણીને તેના શબ્દાદિ વિષયોમાં ક્ષણમાત્ર પણ મનની પ્રવૃત્તિ કરવી નહીં. કહ્યું છે કે – इंदिअधुत्ताण अहो, तिलतुसमित्तं पि देसु मा पसरं । अह दिन्ना तो नीओ, जत्थ खणो वरिसकोडिसमो ॥१॥ ભાવાર્થ :- “અહો ! ઈન્દ્રિયરૂપી ધૂર્તને તલના ફોતરા જેટલો પણ પ્રસાર (અવકાશ) આપીશ નહીં. જો કદાચ તેને એક ક્ષણમાત્ર પણ અવકાશ આપીશ તો તે જરૂરી કોટી વર્ષ સુધી જશે નહીં.” ઈન્દ્રિયો ગોપવવાના વિષયમાં જ્ઞાતાધર્મકથાંગ સૂત્રને વિષે બે કાચબાનું દષ્ટાંત આપેલું છે. તે સૂત્રમાં આ બે ગાથાઓ છે – Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ विसएसु इंदिआई, रुंभंता रागदोसनिम्मुक्का । पावंति निव्वुइसुहं, कुम्मुव्व मयंगदहसुहं ॥१॥ अवरे उअणत्थपरंपराओ पावंति पावकम्मवसा । संसारसागरगया, गोमाऊअगसिअकुम्मुव्व ॥२॥ ભાવાર્થ:- “રાગદ્વેષથી રહિત થઈને ઈન્દ્રિયના વિષયોને રોકનારા પ્રાણીઓ મૃદંગ દ્રહના સુખને પામનારા કાચબાની જેમ નિવૃત્તિસુખને પામે છે અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચબાની જેમ અનર્થ પરંપરાને પામે છે.” તે બે કાચબાની કથા નીચે પ્રમાણે - વારાણસી પુરીને વિષે ગંગા નદીને કાંઠે મૃદંગ નામના દ્રહમાં ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ દ્રહની બહાર નીકળ્યા હતા. તેવામાં બે શિયાળીયાએ તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈ ભય પામ્યા. તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકોચીને પૃષ્ઠની ઢાલમાં ગોપવી દીધા અને કાંઈપણ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડ્યા રહ્યા. બન્ને શિયાળે પાસે આવીને તે કાચબાઓને વારંવાર ઊંચા ઉપાડીને પછાડ્યા, ગુલાંટો ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યા. પરંતુ તે કાચબાને કાંઈ પણ ઈજા થઈ નહીં. પછી થાકી ગયેલા તે બન્ને શિયાળ થોડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગુપ્તેન્દ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ અને શિયાળ તત્કાળ દોડી આવીને તેની ડોક પકડીને મારી નાખ્યો. બીજો ગુતેન્દ્રિય કાચબો તો અચપળ હોવાથી ચિરકાળ સુધી તેમનો તેમ પડ્યો રહ્યો. પછી ઘણીવાર સુધી રોકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો ચોતરફ જોતો જોતો કુદીને જલ્દીથી દ્રહમાં જતો રહ્યો, તે સુખી થયો. પાંચ અંગોને ગોપવનાર કાચબાની જેમ પાંચે ઈન્દ્રિયોને ગોપવનાર પ્રાણી સુખી થાય છે, એવું આ દૃષ્ટાંતનું તાત્પર્ય છે. આ પાંચે ઈન્દ્રિયોનો પ્રયોગ પ્રશસ્તપરિણામ અને અપ્રશસ્તપરિણામે કરીને બે પ્રકારનો છે. તેમાં શ્રવણ ઈન્દ્રિયનો દેવગુરુના ગુણગ્રામ અને ધર્મદશનાદિકના શ્રવણ કરવામાં શુભ અધ્યવસાયથી જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે અને ઈષ્ટ તથા અનિષ્ટ શબ્દો શ્રવણ કરીને રાગદ્વેષનું નિમિત્ત થાય તે અપ્રશસ્ત ઉપયોગ કહેવાય છે. ચક્ષુઈન્દ્રિયનો દેવ, ગુરુ, સંઘ તથા શાસ્ત્રો જોવામાં અને પડિલેહણ, પ્રમાર્જને વગેરેમાં ઈર્યાસમિતિમાં તથા ધર્મસ્થાનાદિક જોવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને હાસ્ય, નૃત્ય, ક્રીડા, સદન, ભાંડચેષ્ટા, ઈન્દ્રજાલ, પરસ્પર યુદ્ધ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ૧૧૩ તથા સ્ત્રીના સુરૂપ કુરૂપ અંગોપાંગ વગેરે જોવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. નાસિકાનો અરિહંતની પૂજામાં ઉપયોગી પુષ્પો, કેસર, કપૂર, સુગંધી તેલ વગેરેની પરીક્ષામાં ગુરુ અને ગ્લાન મુનિ વગેરેને માટે પથ્ય કે ઔષધ આપવામાં તથા સાધુઓને અન્ન, જળ, ભક્ષ્ય, અભક્ષ્ય વગેરે જાણવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે અને રાગદ્વેષ ઉત્પન્ન કરનારા સુગંધી તથા દુર્ગધી પદાર્થોમાં ઉપયોગ કરાય તો તે અપ્રશસ્ત છે. જિહાઈન્દ્રિયનો સ્વાધ્યાય કરવામાં, દેવગુરુની સ્તુતિ કરવામાં અને પરને ઉપદેશ આપવામાં ગુરુ વગેરેની ભક્તિ કરવામાં અને મુનિઓને આહાર પાણી આપતાં તે વસ્તુની પરીક્ષા કરવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને સ્ત્રી વગેરે ચાર પ્રકારની વિકથા કરવામાં, પાપશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, પરને તાપ ઉપજાવવામાં અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર ઈષ્ટ અનિષ્ટ આહારાદિકમાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. સ્પર્શ ઈન્દ્રિયનો જિનપ્રતિમાનું સ્નાનાદિક કરવામાં તથા ગુરુ અને ગ્લાન સાધુ વગેરેની વૈયાવચ્ચ કરવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને સ્ત્રીને આલિંગન વગેરે કરવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓમાં શુભ તથા અશુભ અધ્યવસાય અને ફલપ્રાપ્તિને અનુસાર પ્રશસ્ત તથા અપ્રશસ્ત ભાવ જાણવો. તેવી રીતે વિચારતા અહીં ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે – કેટલાએક જીવોને શુભ અધ્યવસાયના કારણ (સાધકકારણ)ભૂત જિનબિંબાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને કાલશૌકરિક વગેરેની જેમ અપ્રશસ્તબાધકભાવ ઉદય પામે છે. કેટલાક જીવોને શુભ અધ્યવસાયને સાધનાર સાધકકારણભૂત સમવસરણાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને પંદરસો તાપસોની જેમ પ્રશસ્તસાધકભાવ ઉત્પન્ન થાય છે. કેટલાક જીવોને બાધકકારણભૂત અપ્રશસ્ત વસ્તુ જોઈને પણ આષાઢ નામના નર્તક ઋષિની જેમ પ્રશસ્ત એવો સાધકભાવ વૃદ્ધિ પામે છે અને કેટલાક જીવોને અપ્રશસ્ત બાધક વસ્તુ જોઈને સુભૂમચક્રી, બ્રહ્મદત્તચક્રી વગેરેની જેમ અપ્રશસ્તબાધકભાવ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શ્રી વિરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળીને જેણે શેરીમાં પડેલા ચીથરાની કંથા ઓઢેલી છે અને જેના હાથમાં મૃત્તિકાનું રામપાત્ર રહેલું છે એવો દરિદ્રી સુભદ્ર પ્રતિબોધ પામ્યો. તેથી તેણે તરત જ સર્વ મૂર્છાનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. આકાશની પેઠે અસ્તુલિત વિહારવાળો થયો અને પ્રભુની કૃપાથી તે અગિયાર અંગના સૂત્રાર્થનો જ્ઞાતા થયો. એકદા પૌરલોકો તે મુનિની પૂર્વાવસ્થા સંભારીને હાંસી કરવા લાગ્યા કે, “અહો ! આ સુભદ્ર કેવી રાજ-સમૃદ્ધિ તજીને મુનિ થયો છે! હવે તો સારી રીતે આહારાદિક મળવાથી તે પૂર્વની અવસ્થા કરતાં વધારે સુખી થયો છે. પહેલાં તો આ રંક રંકપુરુષો વડે પણ નિંદ્ય (નિંદવા લાયક) હતો અને હવે તો ઈન્દ્રાદિક દેવોને પણ વંદ્ય (વંદન કરવા યોગ્ય) થયો છે. પહેલા તો તેને ઉચ્છિષ્ટ (એઠું) ભોજનની પ્રાપ્તિ પણ દુર્લભ હતી અને હવે તો યથેચ્છ ભોજન મળે છે. આના વૈરાગ્યનું વૃત્તાંત ને તેનું કારણ આપણે બરાબર સમજયા છીએ.” Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ઈત્યાદિક નિંદા કરતા પૌર લોકોને જોઈને શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મંત્રીએ વિચાર્યું કે, “અહો ! આ પૌરજનો વિના કારણ મહાવૈરાગ્યવાન ને ત્યાગીમાં શ્રેષ્ઠ એવા આ મુનિની નિંદા કરે છે. પરમાર્થ તત્ત્વને નહિ જાણનારા આ મૂઢ લોકો આ નિઃસ્પૃહ મુનિ ઉપર ફોગટ વૈર રાખીને તેના ગુણોને દોષપણે વહન કરે છે. તેમજ મુનિની નિંદા કરવાથી તેઓ દઢતર પાપકર્મના સમૂહને ઉપાર્જન કરે છે. માટે મારે આ સર્વ લોકોને કોઈ પ્રકારે પ્રતિબોધ કરવો જોઈએ.” એમ વિચારીને અવસરણ અભયકુમારે એકદા રાજમાર્ગમાં સર્વ પૌરજનો એકઠા મળેલા હતા, તે વખતે દૂરથી સુભદ્ર મુનિને આવતા જોઈને પોતાના વાહન પરથી નીચે ઉતરી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેમને નમીને પૂછ્યું કે, “હે પૂજ્ય ! એક કાળે કેટલી ઈન્દ્રિયોનો ઉપયોગ હોઈ શકે?ગુરુએ જવાબ આપ્યો કે, “એક કાળે એક જ ઈન્દ્રિયનો ઉપયોગ હોઈ શકે.” ફરીથી મંત્રીએ પૂછ્યું કે - “એક એક ઈન્દ્રિય સેવી સતી દુઃખદાયી થાય કે નહીં?” મુનિ બોલ્યા કે, “એક એક ઈન્દ્રિય પણ મૃગાદિકની જેમ આ લોકમાં તથા પરલોકમાં મહા અનર્થનું કારણ થાય છે. તો પછી પાંચે ઈન્દ્રિયોનું સેવન કરવાથી કેટલો અનર્થ થાય?” કહ્યું છે કે – कुरंगमातंगपतंग,गमीना हताः पंचभिरेव पंच । एकप्रमादी स कथं न हन्याधः सेवते पंचभिरेव पंच ॥१॥ ભાવાર્થ:- “મૃગ, હાથી, પતંગ, ભ્રમર અને મત્સ્ય એ પાંચ પ્રાણીઓ પાંચ ઈન્દ્રિયોમાંથી એકેકના સેવવા વડે હણાયા, એટલે પાંચથી પાંચ હણાયા તો જે પ્રમાદી મનુષ્ય એકલો પાંચે ઈન્દ્રિયો વડે પાંચેના વિષયોને સેવે છે તે કેમ ન હણાય? તે તો અવશ્ય હણાય.” , મૃગો સ્વેચ્છાએ અરણ્યમાં અટન કરે છે, તેને પકડવા માટે પારધીઓ સારંગી, વિણા વગેરેનો નાદ કરે છે, તેથી કર્ણના વિષયમાં લુબ્ધ થયેલા મૃગો મોહ પામીને તે સંગીત સાંભળવા આવે છે, તે વખતે પારધીઓ તેને જલ્દીથી હણી નાખે છે. હાથીને પકડવા માટે દુષ્ટ પુરુષો એક મોટા ખાડામાં કાગળની હાથણી બનાવીને રાખે છે. તે હાથણીને જોઈને તેનો સ્પર્શ કરવાને ઉત્સુક થયેલો હાથી તે ખાડામાં પડે છે, ત્યાંથી તે નીકળી શકતો નથી. પછી સુધા અને તૃષા વગેરેથી પીડા પામેલા તે હાથીને નિર્બળ થયેલો જાણીને કેટલેક દિવસે તેને બાંધે છે, અથવા મારી પણ નાંખે છે. નેત્રના વિષયમાં આસક્ત થયેલું પતંગીયું દીવાની જ્યોતમાં મોહ પામીને તેમાં પોતાના દેહને હોમે છે - તેથી મરણ પામે છે. ધ્રાણ ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થયેલો ભ્રમર કમળના સુગંધથી મોહ પામીને દિવસે તે કમળમાં પેસે છે, પછી રાત્રે તે કમળ બીડાઈ જાય છે, એટલે તે આખી રાત્રિ મહાદુઃખ પામે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ જિલ્લા ઈન્દ્રિયને વશ થયેલા મલ્યો લોઢાના કાંટાના અગ્ર ભાગ પર રાખેલી લોટની ગોળીઓ જોઈને તેમાં લુબ્ધ થઈ માંસની બુદ્ધિથી તે ગોળીઓ ખાવા જાય છે, એટલે તરત જ લોહના કાંટાથી વીંધાઈને મરણ પામે છે. આ પ્રમાણે ઈન્દ્રિયોનું સ્વરૂપ સુભદ્ર મુનિના મુખથી સાંભળીને અભયકુમારે સર્વ પૌરલોકોને કહ્યું કે, “હે પૌરજનો ! તમારામાંથી જે કોઈ માત્ર એક એક ઈન્દ્રિયને વશ કરે, અને તેનું પ્રભુની સાક્ષીએ પચ્ચકખાણ લે તેને હું આ મહામૂલ્યવાળું રત્ન આપું.” તે સાંભળીને તે લોકોમાંથી કોઈપણ તેમ કરવાને તૈયાર થયો નહીં, સર્વ જનો મૌન ધરી રહ્યા. ત્યારે અભયકુમારે મુનિને કહ્યું કે, “હે સ્વામી ! આપે તો પ્રભુની સાક્ષીએ પાંચે ઈન્દ્રિયોના વિષયોનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી આ રત્નો આપ ગ્રહણ કરો.” મુનિ બોલ્યા કે, “એ રત્નોને હું શું કરું? મને તો કાંચન અને પાષાણમાં સમાન બુદ્ધિ છે. મેં તો ત્રિવિધ ત્રિવિધે શરીરની શુશ્રુષા કરવાનો અને પરિગ્રહમાત્રનો ત્યાગ કરેલો છે. ઈન્દ્રિયાદિના સુખની મને ત્રિકાળે પણ ઈચ્છા નથી.” તે સાંભળીને સર્વ પૌરલોકો વિસ્મય પામી કહેવા લાગ્યા કે, “અહો ! આ મુનિ ખરેખરા નિઃસ્પૃહ છે. આપણે મૂર્ખાએ આજ સુધી તેની ફોગટ નિંદા કરી.” આ પ્રમાણે તેમના મુખથી મુનિની સ્તુતિ સાંભળીને કૃતાર્થ થયેલો અભયકુમાર મુનિને નમન કરી જૈનધર્મનો મહિમા વધારીને પોતાને ઘેર ગયો અને સુભદ્ર મુનિ શુભ ઉપયોગથી પૂર્ણ થયા સતા આત્મકાર્ય સાધવામાં તત્પર થયા. ઈન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થાય ત્યારે શ્રી વિરપ્રભુના વાક્યનું સ્મરણ કરીને તે વિષયો પર જરા પણ વિશ્વાસ કરવો નહીં. જુઓ ! ઈન્દ્રિયોને વશ કરવાથી સુભદ્ર મુનિએ એકાંતે રહીને આત્મભાવ પ્રગટ કર્યો.” ૩૦૯ ઈન્દ્રિયોનું સ્વરૂપ (ચાલુ) आत्मानं विषयैः पाशैर्भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किंकराः ॥१॥ ભાવાર્થ :- “ભવવાસથી એટલે સંસારમાં રહેવાથી પરાશમુખ થયેલા એવા ઉદ્વિગ્ન વૈરાગી આત્માને પણ મોહરાજના કિંકરરૂપ ઈન્દ્રિયો વિષયરૂપી પાશ વડે બાંધી લે છે અને તેને પાછા સંસારમાં ભમાવે છે.” તે ઉપર સુકુમારિકાનો સંબંધ છે, તે આ પ્રમાણે – Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ સુકુમારિકા સાધ્વીની કથા વસંતપુરના રાજાના સસક અને ભસક નામના પુત્રોએ વૈરાગ્યથી દીક્ષા લીધી. અનુક્રમે તેઓ ગીતાર્થ થયા. પછી તેમણે પોતાની બેન સુકુમારિકાને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. તે સુકુમારિકા અત્યંત સ્વરૂપમાન હોવાથી અનેક યુવાન પુરુષોના ચિત્તનું આકર્ષણ કરતી હતી. તેથી તે યુવાન પુરુષો સાથ્વીના ઉપાશ્રયમાં પ્રવેશ કરીને સુકુમારિકાના રૂપને રાગદષ્ટિથી જોતા હતા. તે ઉપદ્રવનો વૃત્તાંત મહત્તરા સાધ્વીએ તેના ભાઈઓને કહ્યો. એટલે તેઓ સુકુમારિકાને એક જુદા મકાનમાં રાખીને તેની રક્ષા કરવા લાગ્યા. સુકુમારિકાને ગુપ્ત રાખેલી જાણીને યુવાન પુરુષોએ તે બન્ને ભાઈઓની સાથે યુદ્ધ કરવા માંડ્યું. તે જોઈને સુકુમારિકાને વિચાર થયો કે “મારા માટે મારા ભાઈઓ મોટો ક્લેશ પામે છે, માટે અનર્થ કરનારા એવા મારા શરીરને ધિક્કાર છે!” ઈત્યાદિ વિચાર કરીને વૈરાગ્યથી તેણે અનશન ગ્રહણ કર્યું, તેથી કેટલેક દિવસે તેનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું કે તેના ભાઈઓએ અતિશય મોહના વશથી તેને મૃત્યુ પામેલી જાણી. એટલે તે બન્નેએ ગામ બહાર તેને અરણ્યમાં પરઠવી દીધી. ત્યાં શિતળ વાયુના સ્પર્શથી તેને શુદ્ધિ આવી. તેવામાં કોઈ સાર્થવાહે તેને જોઈ, એટલે “આ કોઈ સ્ત્રીરત્ન છે” એમ જાણી તે તેને પોતાના મુકામમાં લઈ ગયો. પછી અભંગ, ઉદ્વર્તન તથા ઔષધ વગેરે કરીને તેણે અનુક્રમે તેને પૂર્વની જેવી સુંદર રૂપવતી કરી. પછી સુકુમારિકા તે પ્રકારની ભવિતવ્યતાથી અને કર્મની વિચિત્રતાને લીધે “આ સાર્થવાહ મારો અનુપમ ઉપકારી અને વત્સલ છે” એમ માનવા લાગી. તેથી સાર્થવાહના કહેવા પ્રમાણે તેની સ્ત્રી થઈને કેટલોક કાળ તેને ઘેર રહી. એકદા તેણે પોતાના બન્ને ભાઈઓ (મુનિ) ને જોયા. એટલે તેમને વંદના કરીને તેણે પોતાનો સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તે સાંભળીને તેઓએ સાર્થવાહ પાસેથી તેને છોડાવીને ફરીથી પ્રતિબોધ આપ્યો કે - सरित्सहस्त्रदुःपूर-समुद्रोदरसोदरः । तृप्तौ नैवेन्द्रियग्रामो, भव तृप्तोऽन्तरात्मना ॥१॥ ભાવાર્થ:- હે ભવ્ય પ્રાણી ! હજારો નદીઓના જળથી પણ જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્રની જેવો ઈન્દ્રિયસમૂહ કદાપિ તૃપ્તિ પામતો નથી. માટે અન્તરાત્માએ કરીને જ તું તૃપ્ત થા.”, વિસ્તરાર્થ:- “હે ભવ્ય ! આ ઈન્દ્રિયો કોઈ પણ વખત તૃપ્ત થતી જ નથી. કેમકે નહિ ભોગવેલા ભોગની ઈચ્છા રહે છે, ભોગવતી વખતે તેમાં આસક્તિ રહે છે અને ભોગવાયેલા ભોગનું સ્મરણ રહ્યા કરે છે. એટલે ત્રણે કાળમાં ઈન્દ્રિયોની અશુદ્ધ પ્રવૃત્તિ છે અને ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલા જીવની તેના ભોગ વડે કદાપિ તૃપ્તિ થતી જ નથી. તે ઈન્દ્રિયોનો સમૂહ કેવો છે? હજારો નદીઓના પ્રવાહ વડે પણ નહિ પૂરાતા સમુદ્ર જેવો છે. તે ઈન્દ્રિયોનો અભિલાષ શમ-સંતોષ વડે જ પૂરી શકાય તેમ છે. તેને માટે આ હિત કથન છે. તેથી તે ઉત્તમ જીવ! તું તારા આત્મસ્વરૂપે કરીને જ તૃપ્ત થા.” Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૧૭ આ જીવ સંસારચક્રમાં રહેલા પરભાવોને આત્મપણે (પોતાપણે) માનીને ‘આ શરીર જ આત્મા છે' એવી રીતના બાહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મપણાને પામવાથી મોહમાં આસક્ત થયો સતો અનન્ત પુદ્ગલ પરાવર્ત સુધી સંસારચક્રમાં પર્યટન કરે છે. તે જ જીવ નિસર્ગથી (સ્વયમેવ) અથવા અધિગમથી (પરના ઉપદેશથી) આત્મરૂપ તથા પરરૂપનો વિભાગ કરીને ‘હું શુદ્ધ છું’ એવો નિશ્ચય કરી સમ્યક્ રત્નત્રય સ્વરૂપવાળા આત્માને જ આત્મરૂપે જાણી તથા રાગાદિકનો પરભાવપણે નિશ્ચય કરી સમ્યગ્દષ્ટિવાળો અન્તરાત્મા થાય છે, (તે જ અંતરાત્મા કહેવાય છે), અને તે જ અંતરાત્મા સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અવસરે નિર્ધાર કરેલા સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે, માટે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો યોગ્ય છે. કહ્યું છે કે - पुरः पुरः स्फुरत्तृष्णामृगतृष्णानुकारिषु । इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडा: ॥१॥ ભાવાર્થ :- “જડ પુરુષો જ્ઞાનરૂપી અમૃતનો ત્યાગ કરીને આગળ આગળ સ્કુરાયમાન થતી ભોગપિપાસા (વિષયતૃષ્ણા) રૂપી મૃગતૃષ્ણા જેવા રૂપ-રસ-ગંધ-સ્પર્શ શબ્દ લક્ષણ ઈન્દ્રિયોના વિષયો તરફ દોડે છે, આતુર થાય છે.” તેને અર્થે અનેક પ્રકારના યત્ન, દંભ, વ્યાપાર, મુંડન વગેરે કર્મ કરે છે. તત્ત્વને નહિ જાણનારા (તત્ત્વવિકળ) લોકો ઈન્દ્રિયોના ભોગને સુખરૂપ માને છે, પરંતુ તે સુખ નથી પણ ભ્રાંતિ જ છે. કહ્યું છે કે - वारमणंतं मुत्ता, वंता चत्ता य धीरपुरिसेहिं । ते भोगा पुण इच्छइ, भोत्तुं तिहाउलो जीवो ॥१॥ ભાવાર્થ ઃ- “ધીર પુરુષોએ અનન્તીવાર ભોગવેલા, વમન કરેલા અને ત્યાગેલા ભોગોને તૃષ્ણાર્થી આકુલ-વ્યાકુલ થયેલો જીવ ફરીફરીથી ભોગવવાને ઈચ્છે છે.” તેથી જ ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજાઓ અને કંડરીક વગેરે અનેક પુરુષો વિષયોમાં મોહ પામવાથી નરકમાં દીન અવસ્થાને પામ્યા છે. ઘણું કહેવાથી શું ! વિષયનો જરા પણ વિશ્વાસ કરવો નહીં. અહો ! પૂર્વ ભવે આસ્વાદન કરેલા સમતા સુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણ સમાન ગણે છે. ઈન્દ્રાદિક પણ વિષયનો ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણકમળમાં પૃથ્વી પર આળોટે છે, માટે અનાદિકાળથી અનેકવાર ભોગવેલા વિષયોનો ત્યાગ જ કરવો, તેનો કિંચિત્ માત્ર પણ સંગ કરવો નહીં. પૂર્વપરિચિત (પૂર્વે ભોગવેલા) વિષયનું સ્મરણ પણ કરવું નહીં. નિગ્રંથ મુનિજનો તત્ત્વ જાણવાની ઈચ્છાથી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ શાસ્ત્રઅવલોકન વડે જ કાળ નિર્ગમન કરે છે અને નિર્મળ, નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધભાવનો અમે ક્યારે સ્પર્શ કરશું ઈત્યાદિક ધ્યાનમાં જ મગ્ન રહે છે. આ પ્રમાણેના બંધુ મુનિના ઉપદેશના વાક્યો સાંભળીને સુકુમારિકાએ ફરીથી ચારિત્ર પ્રહણ કર્યું, અને નિર્મળ અંત:કરણથી તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગઈ. “ધીર પુરુષોને વિષે મુખ્ય એવા તે મુનિએ વિવિધ પ્રકારના વિષયરૂપી રજુથી બંધાયા વિના જ ભ્રષ્ટ થયેલી પોતાની બેનનો શીધ્ર ઉદ્ધાર કર્યો અને તે પણ પાપને આલોવીને સ્વર્ગને પામી. ૩૧૦. ઈન્દ્રિયોનો જય કરવો स्यादक्षाणां जयो त्यागात्यागोऽत्र परवस्तुषु । जनन्यादिष्वभिष्वंगं, स एव निर्जरां श्रयेत् ॥१॥ ભાવાર્થ:- “ઈન્દ્રિયોનો જય ત્યાગ કરવાથી થાય છે. ત્યાગ એટલે માતા વગેરે પરવસ્તુને વિષે અભિપ્રંગ જે રાગ તેથી રહિત થવું તે. તે ત્યાગ જ નિર્જરાનો આશ્રય કરે છે, અર્થાત્ તેના ત્યાગથી જ નિર્જરા થાય છે.” આ પ્રસંગ ઉપર સુભાનુકુમારની કથા છે તે આ પ્રમાણે – સુભાનુકુમારની કથા આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશમાં સુવપ્રા નામે પુરી છે. તેમાં અરિદમન નામે રાજા હતો. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. તેને દેવસમાન કાંતિવાળો સુભાનુ નામે કુમાર થયો હતો. તે કુમાર યુવાવસ્થા પામ્યો ત્યારે તેને તેના પિતાએ રૂપ, લાવણ્ય અને કળાવાળી એકસો કન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિષયસુખ ભોગવતો ભાનુકુમાર સુખે સુખે દિવસો નિર્ગમન કરતો હતો. એકદા શ્રી સંભવનાથસ્વામી તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે વૃત્તાંત વનપાળે આવીને ભાનુકુમારને કહ્યો કે “અનેક કેવળી, અનેક વિપુલમતિ, અનેક ઋજુમતિ, અનેક અવધિજ્ઞાની, અનેક પૂર્વધર, અનેક આચાર્ય, અનેક ઉપાધ્યાય, અનેક તપસ્વી, અનેક નવદીક્ષિત મુનિઓ તથા અનેક દેવ-દેવીઓથી પરિવરેલા સર્વજ્ઞ, સર્વદર્શી અને આકાશમાં જેમની આગળ ધર્મચક્ર ચાલે છે એવા શ્રી સંભવનાથસ્વામી આપણા ઉદ્યાનમાં સમવસર્યા છે.” તે સાંભળી ભાનુકુમાર પોતાની સોએ સ્ત્રીઓ સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા નીકળ્યો અને સમવસરણમાં રહેલા પ્રભુને વંદના કરીને વિનયપૂર્વક યોગ્ય સ્થાને બેઠો. તે વખતે સ્વામીએ Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૧૧૯ દેશનાનો આરંભ કર્યો કે - “સર્વ ધર્મને વિષે મુખ્ય હેતુ પરભાવનો ત્યાગ કરવો તે જ છે. તેમાં સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વ-ભાવપણાએ કરીને સ્વાદસ્તિ નામના પહેલા ભાંગાથી ગ્રહણ કરેલો જે આત્માનો પરિણામ તે પોતાના આત્માને વિષે રહેલો સ્વધર્મ છે. તેનો સમવાય સંબંધે કરીને અભેદ હોવાથી તે આત્મધર્મ તજવા યોગ્ય નથી, પણ અનાદિ કાળથી ચાલ્યા આવતા મિથ્યાદષ્ટિપણાએ કરીને કુદેવાદિકને વિષે આસક્તિ વગેરે જે અપ્રશસ્તભાવ છે તેના પ્રહણનો ત્યાગ કરવો યોગ્ય છે. તેમાં નામથી ત્યાગ શબ્દના આલાપરૂપ છે. શાસ્ત્ર, યતિધર્મ અને જિનપૂજા વગેરેમાં સ્થાપના કરેલો ત્યાગ તે સ્થાપનાત્યાગ છે. બાહ્યવૃત્તિથી ઈન્દ્રિયોના અભિલાષનો, આહારનો અને ઉપાધિ વગેરેનો જે ત્યાગ કરવો તે દ્રવ્યત્યાગ છે અને અંતરંગ વૃત્તિથી રાગ, દ્વેષ તથા મિથ્યાત્વ વગેરે આશ્રવપરિણતિનો ત્યાગ કરવો તે ભાવત્યાગ છે. વિષ ગરલ અનુષ્ઠાન વડે કરીને જે ત્યાગ તે નૈગમ, સંગ્રહ ને વ્યવહારનયે સમજવો, કડવા વિપાકની ભીતિથી જે ત્યાગ તે ઋજુસૂત્રનયે જાણવો. તદ્વૈતક્રિયાપણે ત્યાગ તે શબ્દ ને સમભિરૂઢનયે સમજવો અને વર્જવાના યત્ન વડે સર્વથા વર્જન તે એવંભૂત નયે સમજવું.” ઈત્યાદિ અનેક યુક્તિવાળા ઉપદેશને સાંભળીને ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમ વડે સર્વવિરતિ ગ્રહણ કરવાની જેની બુદ્ધિ થઈ છે એવો ભાનુકુમાર પ્રભુના ચરણકમળમાં વંદના કરીને બોલ્યો કે “શરણરહિત પ્રાણીઓને શરણ આપવામાં સાર્થવાહ સમાન અને ભવસમુદ્રથી તારનાર એવા હે પ્રભુ ! હે સ્વામી ! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરો (આપો) કે જેથી વિષયકષાયાદિકનો ત્યાગ વૃદ્ધિ પામે.” તે સાંભળીને ભગવાને તેને સામાયિક ચારિત્ર આપ્યું. તેણે મહાવ્રત ગ્રહણપૂર્વક સાધુપણું અંગીકાર કર્યું. તે જ વખતે તેનું આયુષ્ય પૂર્ણ થવાથી તે કુમાર મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. તેવામાં તે કુમારનો પિતા પરિવાર સહિત પ્રભુને વાંદવા આવ્યો. ત્યાં પોતાના પુત્રને મરેલો જોઈને તેને અતિ ખેદ થયો. તેની માતા પણ પુત્રવિયોગથી વિલાપ કરતી રુદન કરવા લાગી. તે વખતે ભાનુકુમારનો જીવ તત્કાળ દેવપણું પામીને પ્રભુની પાસે આવ્યો. ત્યાં પોતાના માતાપિતાને વિલાપ કરતાં જોઈને તે દેવે તેમને કહ્યું કે, “તમને એવું શું દુ:ખ પડ્યું છે કે પરમ સુખદાયક એવા શ્રી જિનેશ્વરના ચરણકમળને પામીને પણ તમે રુદન કરો છો ?” તે સાંભળીને રાજા તથા રાણી બોલ્યાં કે, “અમારો અત્યંત પ્રિય પુત્ર મૃત્યુ પામ્યો, તેનો અમારે વિયોગ થયો, તે દુઃખ અમારાથી સહન થતું નથી.” દેવ બોલ્યો કે, “હે રાજા ! તે પુત્રનું શરીર તમને પ્રિય છે કે તેનો જીવ પ્રિય છે? જો તેનો જીવ પ્રિય હોય તો તે હું છું, માટે મારા પર પ્રીતિ કરો અને જો તેનું શરીર પ્રિય હોય તો આ તેના પડેલા શરીર પર પ્રીતિ કરો. હે માતા ! તમે કેમ વારંવાર વિલાપ કરો છો? તમારો પુત્ર કયે ઠેકાણે-શરીરમાં કે જીવમાં ક્યાં રહેલો છે? તેનું શરીર અને જીવ એ બન્ને તમારી પાસે જ છે, માટે રુદન કરવું યુક્ત નથી.” તે સાંભળીને રાજા બોલ્યો કે, ૧. આ સાત નયે ત્યાગ બરાબર ગુરુગમથી સમજવા યોગ્ય છે. ઉ.ભા.-૫-૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ “તારે વિષે અથવા આ પડેલા શરીરને વિષે એકે ઉપર અમને પ્રીતિ થતી નથી.” દેવ બોલ્યો કે, ‘ત્યારે તો સ્વાર્થ જ સર્વ પ્રાણીનો ઈષ્ટ છે અને પરમાર્થ કોઈને ઈષ્ટ નથી એવું થયું.” આ જગતના સર્વ પદાર્થ અનિત્ય છે, અસત્ય એવો સર્વ સંબંધ અવાસ્તવિક છે. તેમાં તમે કેમ મોહ પામો છો ? સર્વ લૌકિક સંબંધ ભ્રાંતિરૂપ જ છે. હે માતા-પિતા ! વિરતિરહિત પ્રાણીઓનો સંબંધ અનાદિકાળથી હોય છે. પણ તે અશ્રુવ છે, માટે હવે શાશ્વત રહેનારા અને શુદ્ધ એવા શીલ શમ દમાદિ બન્ધુઓનો સંબંધ ક૨વા યોગ્ય છે. મારો ને તમારો સંબંધ પણ અનાદિ છે, પરંતુ તે અનિત્ય હોવાથી હવે હું નિત્ય એવા શમદમાદિ બંધુઓ સાથે સંબંધ જોડવા ઈચ્છું છું – તેનો આશ્રય કરું છું. એક સમતારૂપી કાંતાને જ હું અંગીકાર કરું છું અને સમાન ક્રિયાવાળી જ્ઞાતિને હું આદરું છું. બીજા સર્વ બાહ્ય વર્ગનો (બાહ્ય કુટુંબનો) ત્યાગ કરીને હું ધર્મસંન્યાસી થયો છું. ઉદયિક સંપદાઓનો ત્યાગ કરવાથી જ ક્ષયોપશમિક સ્વ-સંપદા પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી ક્ષાયિક ભાવની રત્નત્રયરૂપ સંપદા પ્રાપ્ત થાય છે.” ઈત્યાદિ દેવના કરેલા ઉપદેશથી રાજા પોતાના સમગ્ર કુટુંબ સહિત પ્રતિબોધ પામ્યો, એટલે તેમણે શ્રીમાન્ સંભવનાથસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાનંદપદની સાધનામાં પ્રવર્ત્ય. અનુક્રમે મહાનંદપદ પ્રાપ્ત કર્યું. “પોતાનો આત્મધર્મ તિરોહિત થયો હોય તે પ્રશસ્ત યોગના સેવનથી સમ્યક્ પ્રકારે આવિર્ભાવને પામે છે-પ્રગટ થાય છે, માટે સુભાનુકુમારની જેમ પ૨વસ્તુ પરના રાગનો તત્કાળ ત્યાગ કરવો, જેથી પ્રશસ્ત યોગ પ્રાપ્ત થાય.” ૩૧૧ જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી છે जिताक्षः साम्यशुद्धात्मा, तत्त्वबोधी क्रियापरः । વિશ્વાભોથે: સ્વયં તોળ:, અન્યાનુત્તારને ક્ષમ: "" -- ભાવાર્થ :- “સામ્યપણાએ કરીને જેનો આત્મા શુદ્ધ છે, જેણે ઈન્દ્રિયોનો જય કરેલો છે, જે તત્ત્વને જાણે છે અને શુદ્ધ ક્રિયામાં તત્પર છે, તે પ્રાણી પોતે સંસારસાગરને તરે છે અને બીજાને તાસ્વા સમર્થ થાય છે.’ "" તત્ત્વબોધી એટલે યથાર્થ સ્વરૂપને જાણનાર, ક્રિયા પર એટલે આત્મસાધનના કારણને અનુસરનારી યોગપ્રવૃત્તિરૂપ અથવા આત્મગુણને અનુસરનારી આત્મવીર્યની પ્રવૃત્તિરૂપ એવી જે ક્રિયા તેમાં તત્પર થયેલો. જે કરાય તે ક્રિયા કહીએ. તે ક્રિયા સાધક અને બાધક એવા ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં આ અનાદિ સંસારમાં અશુદ્ધ એવી કાયા વગેરેના વ્યાપારથી ઉત્પન્ન થયેલી જે ક્રિયા તે બાધક ક્રિયા કહેવાય છે અને શુદ્ધ એવી સમિતિ ગુપ્તિ વગેરેથી ઉત્પન્ન થયેલી Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ mille કાયાદિકની ક્રિયા તે સાધક ક્રિયા કહેવાય છે. આ શુદ્ધ ક્રિયા અશુદ્ધ ક્રિયાને દૂર કરે છે. સંસારનો નાશ કરવા સારુ સંવર અને નિર્જરારૂપ ક્રિયા કરવી તે ભાવક્રિયા કહેવાય છે. બીજી નામક્રિયા સ્થાપનાક્રિયા અને દ્રવ્યક્રિયા પૂર્વની જેમ જાણી લેવી. નૈગમન ક્રિયા કરવાના સંકલ્પને જ ક્રિયા કહે છે. સંગ્રહનય સર્વે સંસારી જીવોને સક્રિય કહે છે. વ્યવહારનય શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીની ક્રિયાને ક્રિયા કહે છે. ઋજુસૂત્રનય કાર્યનું સાધન કરવા માટે યોગવીર્યની પ્રવૃત્તિના પરિણામરૂપ ક્રિયાને ક્રિયા કહે છે. શબ્દનય આત્મવીર્યની ફુરણારૂપ ક્રિયાને ક્રિયા કહે છે. સમભિરૂઢનય આત્મગુણનું સાધન કરવા માટે કરાતી સકળ કર્તવ્ય વ્યાપારરૂપ ક્રિયાને ક્રિયા કહે છે અને એવંભૂતનય આત્મતત્ત્વના એકત્વપણારૂપ વીર્યની તીક્ષ્ણતાને ઉત્પન્ન કરવામાં એકાંત સહાયકારક ગુણપરિણમનરૂપ ક્રિયાને જ ક્રિયા કહે છે. અહીં સ્વરૂપનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ તદ્રુપ ક્રિયા જ મોક્ષને સાધનારી છે. માટે જ્ઞાનતત્ત્વ વડે કરીને આત્મતત્ત્વ સાધવા માટે સમ્યફ ક્રિયા કરવી જોઈએ. કહ્યું છે કે – જ્ઞાનાવારવિયોડપીણાઃ શુદ્ધસ્વસ્થતા પોતપોતાનું શુદ્ધ સ્થાન પ્રાપ્ત થાય ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે પણ ઈષ્ટ માનેલા છે. આનું તાત્પર્ય એ છે કે – ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યાં સુધી નિરંતર નિઃશંકતા વગેરે આઠ દર્શનાચારનું સેવન કરવું. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી કાળ વિનય વગેરે આઠ જ્ઞાનાચારનું નિરંતર સેવન કરવું. યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય ત્યાં સુધી સમિતિ ગુપ્તિરૂપ આઠ ચારિત્રાચારનું સેવન કરવું. ગુફલધ્યાન પ્રાપ્ત થાય ત્યાં સુધી તપાચારનું વું અને સર્વ સંવર પ્રાપ્ત થાય ત્યાં સુધી વીર્યાચારનું સેવન કરવું. આ પાંચ આચારનું પાલન કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે જ્ઞાનપૂર્વક ક્રિયામાં તત્પર થયેલો સમતાએ કરીને શુદ્ધ આત્માવાળો અને જિતેન્દ્રિય પુરુષ ભવસમુદ્રથી પોતે તરી જાય છે અને પોતાને શરણે આવેલા બીજાઓને પણ ઉપદેશ આપીને તારવા સમર્થ થાય છે તે આત્મારામી કહેવાય છે. જ્ઞાન ક્રિયાયુક્ત હોય તો જ હિતને માટે થાય છે, એટલું જ્ઞાન કાંઈ પણ હિત કરી શકતું નથી. કહ્યું છે કે – क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् । गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम् ॥१॥ ભાવાર્થ:- “ક્રિયારહિત એવું માત્ર જાણવારૂપ સંવેદન જ્ઞાન કે જે વાણીના વ્યાપારરૂપ અને મનના વિકલ્પરૂપ છે તે અનર્થક છે, વંધ્ય છે, એટલે મુક્તિને સાધનારું નથી, કેમકે (પુરના) માર્ગને જાણનારો માણસ પણ ગતિરૂપ ક્રિયા કર્યા વિના કદી પણ ઈચ્છિત પુરને પામતો નથી.” તે જ વાતને દઢ કરવા માટે કહે છે - स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ॥१॥ સેવન Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ભાવાર્થ - “તત્ત્વબોધની પ્રાપ્તિરૂપ સ્પર્શજ્ઞાને કરીને પૂર્ણ છતાં પણ કાર્યસાધનસમયે સ્વકાર્યને અનુકૂળ એવી ક્રિયાની અપેક્ષા રાખે છે, તે માટે જ મુનિ મહારાજ આવશ્યકાદિ ક્રિયા યથોક્ત કાળે કરે છે. કેમકે દીવો પોતે પ્રકાશમાન છતાં પણ તેલ પૂરવા વગેરેની અપેક્ષા રાખે છે. અર્થાત્ સ્વયંપ્રકાશી છતાં તેલ, વાટ, પવનથી રક્ષણ વગેરેની અપેક્ષા રહે છે. ક્રિયા કરવાનું ફળ આ પ્રમાણે કહ્યું છે કે - गुणवद्बहुमानाद्यैर्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेद्भावमजातं जनयेदपि ॥१॥ ભાવાર્થ:- “સંયમાદિક ગુણવાળાનું બહુમાન કરવા વડે, આદિ શબ્દ કરીને પાપની દુર્ગા (નિંદા) કરવા વડે અને અતિચારની આલોચનાદિ કરવા વડે, વળી પૂર્વે ગ્રહણ કરેલા વ્રતનું નિરંતર સ્મરણ કરવા વડે થયેલી જે સત્ ક્રિયા, અર્થાત્ તે તે ગુણયુક્ત થતી શુભ ક્રિયા તે ઉત્પન્ન થયેલા ભાવનો નાશ થવા દેતી નથી અને નહિ ઉત્પન્ન થયેલા શુકુલધ્યાનાદિક ભાવને ઉત્પન્ન કરે છે.” શ્રેણિક રાજાને તથા કૃષ્ણ વાસુદેવ વગેરેને ગુણીના બહુમાનથી, મૃગાવતીને પાપના પશ્ચાત્તાપથી, અતિમુક્તમુનિને અતિચારની આલોચના કરવાથી અને રતિસુંદરીને ધર્મમાં સ્થિરતા રાખવાથી ઈત્યાદિ અનેક કારણોથી અનેક ભવ્યજનોને પરમાનંદપદની પ્રાપ્તિ થઈ છે. અહીં પ્રસંગોચિત રતિસુંદરીની કથા છે તે આ પ્રમાણે - રતિસુંદરીની કથા સાકેતપુરમાં જીતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તે જ નગરમાં શ્રેષ્ઠિની પુત્રી ઋદ્ધિસુંદરી, મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી અને પુરોહિતની પુત્રી ગુણસુંદરી નામે હતી. એ ચારે સખીઓ સુંદર રૂપવાળી હતી. શ્રાવક ધર્મ પાળનારી હતી. પરસ્પર પ્રેમવાળી હતી અને દેવગુરુના સ્થળમાં (દરાસરે ને ઉપાશ્રયમાં) એકઠી મળીને ધર્મગોષ્ઠી કરતી હતી. તેઓએ ધર્મક્રિયા કરતાં પરપુરુષનો નિયમ લીધેલો હતો. હવે નંદપુરનો રાજા ચાર સખીઓ પૈકી રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. તેનું રૂપ અને લાવણ્ય સર્વત્ર શ્લાઘા પામ્યું. તેથી હસ્તિનાપુરના રાજાએ એક દિવસ દૂત મોકલીને રતિસુંદરીની માગણી કરી. તે સાંભળીને નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે “એક સામાન્ય માણસ પણ પોતાની પત્નીને આપતો નથી તો હું શી રીતે મારી પત્નીને આપીશ? માટે તું તારે સ્થાને પાછો ચાલ્યો જા.” તે સાંભળીને દૂતે જઈને પોતાના રાજાને સર્વ વાત કહી. તેથી રાજાએ નંદપુર પર ચડાઈ કરી. બન્ને રાજાનું યુદ્ધ થતાં હસ્તિનાપુરના રાજાનો જય થયો. રતિસુંદરીને બળાત્કારથી લઈને પોતાના પુરમાં આવ્યો. પછી તેણે રતિસુંદરીને પ્રાર્થના કરી, ત્યારે તે બોલી કે, “મારે ચાર માસ સુધી શીલવ્રત પાળવાનો નિયમ છે.” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “ચાર માસ પછી પણ તે મારે જ આધીન છે. ક્યાં જવાની છે?” એમ વિચારી Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૨૩ દિવસો નિર્ગમન કરવા લાગ્યા. રતિસુંદરી હમેશાં તેને પ્રતિબોધ આપવા લાગી, પણ રાજાનો રાગ તેના પરથી જરાપણ ઓછો થયો નહીં. એકદા રાજા બોલ્યો કે, “હે ભદ્રે ! તું હમેશાં મને ઉપદેશ આપે છે, તું તપ વડે અતિ કૃશ થઈ ગઈ છે, તેમજ શરીર પરથી સર્વ શ્રૃંગાર કાઢી નાખ્યા છે, તો પણ મારું મન તારામાં અતિ આસક્ત છે. તારાં બીજા અંગના તો હું શું વખાણ કરું ? પરંતુ એક તારા નેત્રનું પણ વર્ણન હું કરી શકતો નથી.” તે સાંભળીને રતિસુંદરીએ પોતાના નેત્રોને જ શીલલોપનું કારણ જાણી રાજાની સમક્ષ તત્કાળ છરી વડે બન્ને નેત્રો કાઢીને રાજાના હાથમાં આપ્યા. તે જોઈ રાજાને અત્યંત ખેદ થયો. તેને રતિસુંદરીએ સારી રીતે ધર્મોપદેશ આપ્યો. રાજાએ પ્રતિબોધ પામીને તેને ખમાવી અને મારે માટે આ સ્ત્રીએ પોતાના નેત્રો કાઢી નાખ્યાં એમ જાણીને મનમાં અતિ દુઃખી થયો. રાજાનું દુઃખ નિવારણ કરવા માટે રતિસુંદરીએ દેવતાનું આરાધન કર્યું. તત્કાળ દેવતાએ રતિસુંદરીને નવા નેત્રો આપ્યાં. રાજાના આગ્રહથી કેટલાક દિવસ રોકાઈને પછી રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. બીજી શ્રેષ્ઠિની પુત્રી જે ઋદ્ધિસુંદરી નામે હતી, તે તાપ્રલિપ્તીનગરીમાં શ્રીવણિક નામના ધનાઢ્યને પરણી હતી. તે વણિક તેને સાથે લઈને વેપાર માટે સમુદ્ર રસ્તે ચાલ્યો. માર્ગમાં વહાણ ભાંગવાથી તે દંપતી એક પાટિયાનું અવલંબન કરીને તરતાં તરતાં કોઈ એક દ્વિપે નીકળ્યાં. ત્યાં તેમણે એક ધ્વજા ઊંચી કરી રાખી. તે જોઈને કોઈ બીજા વણિકે પોતાનું વહાણ તે દ્વિપે લઈ જઈને તે બન્નેને તેમાં લઈ લીધાં. તે બીજો વણિક ઋદ્ધિસુંદરીને જોઈને તેના પર મોહ પામ્યો. તેથી ઋદ્ધિસુંદરીના પતિને તેણે ગુપ્ત રીતે સમુદ્રમાં નાંખી દીધો. પછી તેણે ઋદ્ધિસુંદરીની પ્રાર્થના કરી. ત્યારે તેણે તેને સમજાવવા માટે ઘણો ઉપદેશ કર્યો, તો પણ તે વણિકનો મોહ ઓછો થયો નહીં. તે બોલ્યો કે, “તારે માટે તો તારા પતિને મેં સમુદ્રમાં નાંખી દીધો છે.” એ વાત જાણીને તેણે કાળ નિર્ગમન કરવા માટે કાંઈક મિષ બતાવ્યું. આગળ ચાલતાં તે વહાણ પણ ભાંગ્યું. ઋદ્ધિસુંદરી દૈવયોગે મળેલા એક પાટિયાથી તરીને સોપા૨ક નામના નગરમાં આવી. તે જ નગરમાં તેનો પતિ પણ પાટિયાથી તરીને પ્રથમથી આવેલો હતો. તેની સાથે તેનો મેળાપ થયો. પેલો બીજો વણિક પણ પાટિયું મળવાથી તરીને તે જ નગરમાં આવ્યો. તેને પોતાના પાપને લીધે કુષ્ઠનો વ્યાધિ થયો. એકદા તે પેલા દંપતીની નજરે પડ્યો, એટલે તેને વ્યાધિથી પીડાયેલો જોઈને તેનો પૂર્વ ઉપકાર સ્મરણ કરી તે દંપતીએ ઔષધ વગેરેથી તેને નીરોગી કર્યો. તે વણિકે તે દંપતી પાસે પોતાના પાપની ક્ષમા માગી, ત્યારે તે દંપતીએ તેને ઉપદેશ કરીને ધર્મ પમાડ્યો. પછી તે બન્ને વણિકો વ્યાપાર કરી ધન ઉપાર્જન કરીને પોતપોતાના નગરમાં ગયા. પછી કેટલોક કાળ સુખમાં નિર્ગમન કરીને ઋદ્ધિસુંદરીએ દીક્ષા લઈ આત્મસાધન કર્યું. આ બે સખીઓની કથા કહી. હવે બીજી બે સખીની કથા આગળ કહેવામાં આવશે. “પ્રશાંત ચિત્ત વડે ઈન્દ્રિયોના જયપૂર્વક કરેલી ક્રિયા જ સફળ થાય છે, તેથી રતિસુંદરીની જેમ કષ્ટ પ્રાપ્ત થાય છતાં પણ સુશીલ સ્ત્રીઓ પોતાના કર્તવ્યને તજતી નથી.” Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૩૧૨ તૃપ્ત ને અતૃપ્ત સ્વરૂપ विषयोर्मिविषोद्गारः, स्यादतृप्तस्य पुद्गलैः । ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरंपरा ॥१॥ ભાવાર્થ ઃ- “પૌદ્ગલિક સુખથી અતૃપ્ત એવા મનુષ્યને પુદ્ગલોએ કરીને વિષયની ઊર્મિરૂપી વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે (ઓડકાર આવે છે), અને જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગારની પરંપરા પ્રાપ્ત થાય છે.” આત્મસ્વરૂપના સ્વાદથી રહિત-જેણે તેનો સ્વાદ લીધો નથી એવા પુરુષને અંગરાગ, સ્ત્રીઓનું આલિંગન વગેરે પુદ્ગલોએ કરીને ઈન્દ્રિયવિલાસ રૂપ વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે અને આત્મતત્ત્વના અવબોધથી તૃપ્ત એટલે પૂર્ણ થયેલા પુરુષને તો શુભધ્યાનરૂપી અમૃતના ઉદ્ગારની પરંપરા પ્રાપ્ત થાય છે. આ પ્રસંગ ઉપર બુદ્ધિસુંદરીની કથા છે તે આ પ્રમાણે - બુદ્ધિસુંદરીની કથા ત્રીજી જે બુદ્ધિસુંદરી નામે પ્રધાનપુત્રી હતી તે અત્યંત રૂપવતી હતી. તેને એકદા રાજાએ જોઈ. તેથી તેના પર મોહ પામીને દૂતી મોકલી તેની પ્રાર્થના કરી, પણ બુદ્ધિસુંદરી અન્ય નરને ઈચ્છતી નહોતી. એટલે રાજાની માગણી તેણે કબૂલ કરી નહીં, તેથી ક્રોધ પામેલા રાજાએ કાંઈક પ્રપંચ કરીને પ્રધાનને તેના કુટુંબ સહિત કેદ કર્યો. પછી રાજાએ પ્રધાનને કહ્યું કે “જ્યારે તું મારી આજ્ઞા કબૂલ કરીશ ત્યારે તને હું છોડીશ.” પ્રધાને કહ્યું કે “હે સ્વામી ! આપ આજ્ઞા કરો, તે મારે પ્રમાણ છે.” તે સાંભળીને રાજાએ સર્વને છોડી દીધા ને બુદ્ધિસુંદરીને અન્તઃપુરમાં રાખી તેની પ્રાર્થના કરી. બુદ્ધિસુંદરી બિલકુલ રાજાને ઈચ્છતી નહોતી. તેણે રાજાને ઉપદેશ આપ્યો કે - संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादभिमानिकी । तथ्या तु भ्रान्तिशून्यस्य, स्वात्मवीर्यविपाककृत् ॥१॥ ભાવાર્થ ઃ- “આ સંસારમાં અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વપ્ન જેવી મિથ્યા છે, પણ ભ્રાન્તિરહિત પુરુષને આત્મવીર્યનો વિપાક કરનારી જે તૃપ્તિ તે જ સત્ય તૃપ્તિ છે.” વિસ્તરાર્થ ઃ- હે રાજા ! દ્રવ્યથી ચાર ગતિરૂપ અને ભાવથી મિથ્યાત્વાદિક ભાવવાળા આ સંસારમાં “મેં છળ-બળ કરીને આ કાર્ય કર્યું. મારા જેવો જગતમાં કોઈ નથી’ એવા અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વપ્નની જેમ મિથ્યા એટલે માત્ર કલ્પનારૂપ જ છે, કેમકે તે તૃપ્તિ વિનશ્વર છે, ૫રવસ્તુ છે તથા આત્મસત્તાનો રોધ કરનાર આઠ પ્રકારના કર્મના બંધમાં કારણભૂત એવા રાગ-દ્વેષને ઉત્પન્ન કરનાર છે. માટે તે મૃગતૃષ્ણા જેવી તૃપ્તિ સુખનો હેતુ નથી. પરંતુ ભ્રાન્તિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૨૫ રહિત એટલે સમ્યજ્ઞાને કરીને સહિત પુરુષને સ્વભાવ ને વિભાવના અનુભવવાળી જે તૃપ્તિ છે તે જ સત્ય અને સુખનો હેતુ છે. કેમકે તે તૃપ્તિ આત્મવીર્યનો વિપાક જે પુષ્ટિ તેને કરનાર છે. सुखीनो विषयातृप्ताः नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । મિક્ષરે સુધી તોળે, જ્ઞાનતૃપ્તો નિરંનનઃ ॥॥ ભાવાર્થ :- “અહો ! આ જગતમાં વિષયોથી અતૃપ્ત એવા ઈન્દ્ર, ઉપેન્દ્ર વગેરે સુખી નથી, માત્ર જ્ઞાનથી તૃપ્ત થયેલા નિરંજન એવા એક ભિક્ષુ જ સુખી છે.” વિસ્તરાર્થ ઃ- “અહો ! ઈન્દ્ર તે દેવોના સ્વામી અને ઉપેન્દ્ર તે ચક્રવર્તી વાસુદેવ વગેરે તે કોઈ આ જગતમાં સુખી નથી, કેમકે તેઓ મનોહર ઈન્દ્રિયોના વિષયોને સેવતા છતાં નિરંતર અતૃપ્ત રહે છે. અનેક વનિતાઓના વિલાસથી, ષડ્રેસ ભોજનના ગ્રાસથી, સુગંધી કુસુમના વાસથી અને રહેવાના સુંદર આવાસથી, તેમજ મૃદુ શબ્દના શ્રવણથી અને સુંદર સ્વરૂપોના નિરીક્ષણથી અસંખ્ય કાળ સુધી ઈન્દ્રિયોના વિષયોનો અનુભવ કરતાં છતાં પણ તેઓ તૃપ્ત થતા નથી, પરંતુ તે તૃપ્ત થાય જ કેમ ? કારણ કે સર્વ વિષયો તૃપ્તિના હેતુ જ નથી. માત્ર તેમાં સુખાદિકનો અસદારોપ જ કરેલો છે. આ ચૌદ રજ્જુ પ્રમાણલોકમાં માત્ર એક ભિક્ષુ જ કે જે આહારાદિકમાં લુબ્ધ નથી, સંયમયાત્રા માટે જ તીક્ષ્ણ શીલનું પાલન કરે છે અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે, તે જ સુખી છે, કેમકે તેઓ જ્ઞાન જે આત્મસ્વરૂપનો અવબોધ તેના આસ્વાદન વડે તૃપ્ત થયેલ છે. વળી તે રાગાદિક અંજનની શ્યામતા રહિત છે અને આત્મધર્મના જ ભોક્તા છે. આ પ્રમાણે અનેક પ્રકારે ઉપદેશ આપ્યો, તો પણ રાજા બોધ પામ્યો નહીં, ત્યારે તે બુદ્ધિસુંદરીએ પોતાના જેવી જ એક પોલી પુતળી કરાવીને તેમાં મદિરા ભરી. પછી ઘણે દિવસે જ્યારે રાજા આસક્તિના વચનોથી તેને બોલાવવા લાગ્યો, ત્યારે બુદ્ધિસુંદરીએ પાછળથી ગુપ્ત રીતે તે પુતળીનું મુખ ઉઘાડ્યું. તરત જ તેમાંથી અત્યંત દુર્ગન્ધ નીકળ્યો. તે જોઈને રાજા બોલ્યો કે “શું આ શરીર આવું દુર્ગન્ધવાળું છે ?’’ તો પણ રાજાનો મોહ તેના પરથી ઓછો થયો નહીં. ત્યારે બુદ્ધિસુંદરીએ મહેલની ઊંચી બારીએથી પોતાનો દેહ પડતો મૂક્યો. તેથી તે મૂર્છા પામી. તે જોઈને રાજા અતિ ખેદ પામી તેની આસનાવાસના કરવા લાગ્યો. અનુક્રમે બુદ્ધિસુંદરી સાવધ થઈ, એટલે રાજાએ પરસ્ત્રીગમનનો નિયમ કર્યો. કેટલેક કાળે બુદ્ધિસુંદરી દીક્ષા લઈ આત્મજ્ઞાન વડે થતી સત્ય તૃપ્તિને પ્રાપ્ત કરી મોક્ષપદ પામી. “સંપૂર્ણ તૃપ્તિથી જ શીલ વગેરે સર્વ સદ્ગુણો શુભ આત્મામાં શોભાને પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધિસુંદરીની જેમ તેની પ્રશંસા આખા જગતમાં થાય છે અને છેવટ તે મોક્ષપદને પામે છે.” Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૩૧૩ લેપ્ય અને અલેપ્ય संसारे निवसन् स्वार्थ-सज्जः कज्जलवेश्मनि । लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥१॥ ભાવાર્થ - “સ્વાર્થમાં આસક્ત થયેલો સમગ્ર લોક કાજળના ગૃહ સમાન આ સંસારમાં વસતો સતો (કર્મ વડે) લેપાય છે, પણ જ્ઞાનથી સિદ્ધ થયેલો મનુષ્ય લપાતો નથી.” રાગાદિક પાપસ્થાનકરૂપ કાજળના ગૃહમાં અને તે રાગાદિકના નિમિત્તભૂત ધન સ્વજનાદિકને ગ્રહણ કરવા રૂપ સંસારમાં વસવાથી અહંકારાદિક સ્વાર્થમાં સજ્જ (તત્પર) થયેલો માણસ લેપાય છે, પણ હેય અને ઉપાદેયની પરીક્ષાએ કરીને વસ્તુસ્વરૂપને જાણનારો જ્ઞાની લેપાતો નથી. આ સંબંધમાં ગુણસુંદરીની કથા છે તે આ પ્રમાણે - ગુણસુંદરીની કથા ચોથી પુરોહિતની પુત્રી જે ગુણસુંદરી હતી, તેને શ્રાવસ્તીનગરીના રાજાના પુરોહિતનો પુત્ર પરણ્યો હતો. તે ગુણસુંદરી ઉપર સાકેતપુરનો રહેવાસી કોઈ બ્રાહ્મણ મોહ પામ્યો હતો, તેથી તે બ્રાહ્મણે ભિલ્લની પલ્લીમાં જઈને પલ્લીપતિને કહ્યું કે “તમે શ્રાવસ્તીનગરીમાં લૂંટ કરો, હું તમને મદદ કરીશ. તેમાં જેટલું ધન આવે તે સર્વ તમારે રાખવું અને એક ગુણસુંદરી મને આપવી.” એમ કહીને તે બ્રાહ્મણ પલ્લીપતિને તેના અનુચરો સહિત શ્રાવસ્તી લઈ ગયો. ત્યાં લૂંટ કરી, તેમાંથી તે બ્રાહ્મણ ગુણસુંદરીને લઈને કોઈક નગરમાં ગયો. ત્યાં તેણે ગુણસુંદરીને પોતાની સ્ત્રી થવા કહ્યું ત્યારે તે બોલી કે “હાલ મારે નિયમ છે.” એમ કહીને કેટલાક દિવસો નિર્ગમન કર્યા. પછી ઔષધના પ્રયોગથી તે તદ્દન અશુચિ શરીર રાખવા લાગી. તેનું તેવું દુર્ગંધયુક્ત શરીર જોઈને બ્રાહ્મણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જાણીને ગુણસુંદરીએ તેને કહ્યું કે - મને મારા પિતાને ઘેર લઈ જા.” ત્યારે તે બ્રાહ્મણે તેને તેના પિતાને ઘેર પહોંચાડી. એકદા તે બ્રાહ્મણને સર્પ ડસ્યો. તે વખતે ગુણસુંદરીએ તેને સજ્જ કર્યો. પછી તેને ગુરુ પાસે લઈ જઈને ધર્મદેશના સંભળાવી. ગુરુ બોલ્યા કે “નિર્લેપ ગુણથી યુક્ત એવો જીવ અનેક ગુણોને પામે છે. ચૈતન્યનું સમગ્ર પરભાવના સંયોગના અભાવે કરીને સ્વભાવમાં અવસ્થિત રહેવાપણું તે નિર્લેપ ગુણ કહેવાય છે. કહ્યું છે કે - लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गललैरहम् । चित्रोमांजनैनँव, ध्वायन्निति न लिप्यते ॥१॥ અર્થ - “યુગલોથી પુદ્ગલ સ્કંધો લેપાય છે, હું લપાતો નથી – જેમ વિચિત્ર પ્રકારના અંજનો વડે પણ આકાશ લેપાતું નથી. તેમ આ પ્રમાણે ધ્યાતો સતો પ્રાણી (કર્મથી) લપાતો નથી.” Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧ ૨૭ ભાવાર્થ -પરસ્પર એકઠા મળવાથી આશ્લેષ અને સંક્રમાદિ વડે પુદ્ગલના સ્કન્ધો લેપાય છે, એટલે અન્ય પુદ્ગલોથી ઉપચયને પામે છે, પરંતુ હું નિર્મળ ચિત્ સ્વરૂપ આત્મા પુદ્ગલના આશ્લેષવાળો નથી. વાસ્તવિક રીતે જીવને અને પુદ્ગલને તાદાત્મ સંબંધ છે જ નહીં, માત્ર સંયોગ સંબંધ છે, તે પણ ઉપાધિજન્ય છે. જેમ આકાશ વિચિત્ર અંજનથી લેપ્યા છતાં પણ લેવાતું નથી, તેમ અમૂર્ત આત્મસ્વભાવવાળો હું એક ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોથી પણ લપાતો નથી. આ પ્રમાણે ધ્યાન કરતો જીવ કદાપિ લપાતો નથી.” જે આત્મસ્વભાવને જાણનાર આત્મા આત્મવીર્યની શક્તિને આત્મામાં વાપરે છે. તે નવાં કર્મોથી લપાતો નથી, કેમકે જ્યાં સુધી આત્મશક્તિ પરાનુયાયિની હોય છે ત્યાં સુધી આશ્રવ થાય છે અને જ્યારે આત્મશક્તિ સ્વરૂપાનુયાયિની થાય છે ત્યારે સંવર થાય છે. કહ્યું છે કે - तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो, निःष्क्रियोऽपि न लिप्यते ॥२॥ ભાવાર્થ:- “તપ અને શ્રુતાદિકથી મત્ત એવો મનુષ્ય ક્રિયાવાન હોય તો પણ તે લેપાય છે અને ભાવનાજ્ઞાનથી યુક્ત ક્રિયા ન કરે તો પણ તે લપાતો નથી.” -- જિનકલ્પી સાધુ વગેરેના જેવી ક્રિયાનો અભ્યાસી છતાં પણ તપ અને કૃતાદિકનો અભિમાની હોય છે, તો તે નવાં કર્મ ગ્રહણ કરવા વડે લેપાય છે, કેમકે આહારાદિકની લાલચથી ધર્મના અભ્યાસમાં જે પ્રવૃત્તિ કરવી તે ધર્મ નથી, તેમાં શુભ ભાવનાની અપેક્ષા છે. તેથી જ તેવા શુભ ભાવના-જ્ઞાનથી સંપન્ન મનુષ્ય ક્રિયા ન કરે તો પણ કર્મથી લપાતો નથી. કહ્યું છે કે – न कम्मुणा कम्म खवंति बाला, अकम्मुणा कम्म खवंति वीरा । मेहाविणो लोभमयावतीता, संतोसिणो नो पकरंति पावं ॥१॥ ભાવાર્થ :- “અજ્ઞાની માણસો કર્મે કરીને (શુભ ક્રિયા કરવા વડે કરીને પણ) કર્મને ખપાવતા નથી. વીર પુરુષો કર્મ (શુભ ક્રિયા) નહીં કર્યા છતાં પણ કર્મને ખપાવે છે. બુદ્ધિવાળા માણસો લોભ ને મદથી રહિત હોય છે, તેવા સંતોષી પાપકર્મ કરતા જ નથી.” जहा कुम्मो सअंगाई, सए देहे समाहरे । एवं पावाइ मेहावी, अज्झस्सेण समाहरे ॥२॥ ભાવાર્થઃ- “જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં જ સંકોચી લે છે, તેમ બુદ્ધિશાળી માણસો શુભ અધ્યવસાય વડે જ પાપનો સંહાર કરે છે.” આ પ્રમાણે ગુરુએ ધર્મોપદેશ આપ્યો. તે સાંભળીને તે બ્રાહ્મણે પ્રતિબોધ પામી પરસ્ત્રીગમનના નિષેધનો નિયમ લીધો. ગુણસુંદરી પોતાના રૂપને અને સૌન્દર્યને કૃશ કરવા માટે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ચારિત્ર લઈ તપ કરવા લાગી. તે અનુક્રમે સ્વર્ગસુખને પામી. આ પ્રમાણે પૂર્વે વર્ણન કરેલી રતિસુંદરી વગેરે ચારે સખીઓ સ્વર્ગે ગઈ. ત્યાંથી આવીને ચંપાનગરીમાં ચાર જૂદા જૂદા શ્રીમંત ગૃહસ્થની પુત્રીઓ થઈ. તે ચારે વિનયંધર નામના શ્રેષ્ઠી પુત્રની સાથે પરણી. એકદા રાજાએ તે ચારેને સમાન સ્વરૂપવાળી જોઈ. જાણે એક જ માતાથી ઉત્પન્ન થયેલી હોય તેવી સમાન લાવણ્યવાળી જોઈને તેના પર રાજા મોહિત થયો, તેથી રાજાએ વિનયંધર શ્રેષ્ઠિની સાથે કપટમૈત્રી કરી વિનયંધર રાજાનો માનીતો થવાથી રાજાના અન્તઃપુરમાં પણ સ્વેચ્છાએ ગમનાગમન કરવા લાગ્યો. એકદા રાજાએ વિનયંધરના હાથથી નીચેની ગાથા કાગળ પર લખાવી. एसच्छेर विचखणि, अज्ज उभच्चस्स तुह विओअंभि । सा रयणी चउमासा, जामसहस्सं च वोलीणा ॥१॥ ભાવાર્થ:- “હે વિચક્ષણ સ્ત્રી ! આ આશ્ચર્ય છે કે આજે આ બૃત્યને તારા વિયોગથી ચાર પ્રહરવાળી રાત્રી પણ હજાર પ્રહર જેટલી લાંબી થઈ.” આ ગાથા લખાવીને રાજાએ પોતાની પાસે રાખી. કેટલાક દિવસો ગયા પછી વિનયંધર તો તે વાત પણ ભૂલી ગયો. પછી રાજાએ તે ગાથા સભામાં બતાવીને કહ્યું કે “આ ગાથા વિનયંધરે મારા અંતઃપુરમાં મોકલી છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠિની ચાર સ્ત્રીઓને ગ્રહણ કરવા માટે રાજાએ તેના પર ખોટું કલંક મૂકી તેને કારાગૃહમાં નાખ્યો અને તેની ચારે સ્ત્રીઓને પકડી લાવીને અંતઃપુરમાં રાખી. ત્યાં તે ચારે સ્ત્રીઓ બે ભવમાં પાળેલા શીલવ્રતના પ્રભાવથી તથા પતિવ્રતનો લોપ ન કરવાથી અત્યંત કદરૂપી થઈ ગઈ. તે જોઈને રાજાએ ભય પામી શ્રેષ્ઠિને છોડી દીધો તથા તે સ્ત્રીઓને મુક્ત કરી તે સ્ત્રીઓનો શીલપ્રભાવ પૃથ્વી પર વિસ્તાર પામ્યો. “તે ચારે સ્ત્રીઓના અંગ ઉપર કુશીલ કદાપિ લેશ પણ સ્પર્શ કરવા પામ્યો નહીં અને આ લોકના અનેક પ્રકારના ભોગસુખો પ્રાપ્ત થયા છતાં પણ તેઓ તેમાં લેપાઈ નહીં, તેથી શુદ્ધ કર્મ કરીને સ્વર્ગસુખને પામી.” ૩૧૪ મંત્રીપણાની નિંદા ध्यायत्यशुभकर्माणि, प्रत्यहं राष्ट्रचिन्तया । अनेकपापपाथोधिं, मंत्रत्वं नाद्रियेत् सुधीः ॥१॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ભાવાર્થઃ- “નિરંતર દેશના રક્ષણની ચિંતાથી મંત્રીને અશુભ કર્મોનું ધ્યાન કરવું પડે છે, માટે એવા અનેક પ્રકારના પાપના સમુદ્ર સમાન પ્રધાનપદને ડાહ્યા માણસે આદરવું (સ્વીકારવું) નહીં.” આ પ્રસંગ ઉપર શકટાલ મંત્રીની કથા છે તે નીચે પ્રમાણે - શકટાલ મંત્રીની કથા પાટલીપુરનગરમાં કોણિકના પુત્ર ઉદાયી રાજાના વંશમાં નંદ નામે રાજા થયો. તેને શકટાલ નામે મંત્રી હતો. તે મંત્રીને લક્ષ્મીવતી નામની પત્નીથી સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો થયા હતા. તે નગરમાં ચાતુર્યલક્ષ્મી અને સ્વરૂપલક્ષ્મીના ભંડાર જેવી કોશા નામની વેશ્યા રહેતી હતી. એકદા તે કોશાને જોઈને સ્થૂલભદ્ર તેના પર મોહિત થઈને તેને ઘેર ગયો અને ત્યાં રહ્યો. વિવિધ પ્રકારના વિલાસ કરતા તે બન્નેને અત્યંત નિવિડ પ્રેમ બંધાયો. અત્યંત અનુરાગી એવા તે બન્નેના શરીર ભિન્ન હતાં પણ તેમનું મન ભિન્ન નહોતું. તેથી નખ અને માંસની જેમ તેઓ એકબીજાના વિયોગને સહન કરી શકતા નહોતા. આવી દઢ પ્રીતિ બંધાયાથી સ્થૂલભદ્ર પોતાને ઘેર પણ જતો નહીં, રાત્રીદિવસ કોશાને ઘેર જ પડ્યો રહેતો. આ પ્રમાણે તેણે બાર વર્ષ ત્યાં નિર્ગમન કર્યા. અહીં રાજાની સભામાં હમેશાં વરરૂચિ નામનો કવિ એકસો ને આઠ નવા શ્લોકો બનાવીને નંદ રાજાની સ્તવના કરતો હતો. તે સાંભળીને પ્રસન્ન થયેલો રાજા શબ્દાલ મંત્રીની સામું જોતો હતો, પણ તે કવિ મિથ્યાદષ્ટિ હોવાથી મંત્રી તેના શ્લોકોની પ્રશંસા કરતો નહોતો, તેથી રાજા પ્રસન્ન થયા છતાં પણ તેને કાંઈ પણ દાન આપતો નહોતો. આ પ્રમાણે થવાથી “રાજા મંત્રીને આધીન છે' એમ વરરૂચિના જાણવામાં આવ્યું. પછી કવિએ મંત્રીને પ્રસન્ન કરવાની તજવીજ કરતાં લોકોના મુખથી જાણ્યું કે “મંત્રી પોતાની સ્ત્રીને આધીન છે.” તેથી તે કવિ પોતાના સ્વાર્થને માટે મંત્રીની સ્ત્રીની સેવા કરવા ગયો. એકદા મંત્રીની સ્ત્રીએ પ્રસન્ન થઈને તેને કહ્યું કે “તમારે જે કામ હોય તે મને કહો.” ત્યારે તે બોલ્યો કે “હું રોજ રાજા પાસે નવા શ્લોકો કરીને લઈ જાઉં છું, તેની પ્રશંસા જો મંત્રી કરે તો મને દ્રવ્યનો લાભ થાય. એટલે મારું કામ કરવાનું છે,” પછી તેના ઉપરોધથી મંત્રીની સ્ત્રીએ મંત્રીને તેના શ્લોકની પ્રશંસા કરવા આગ્રહ કર્યો. મંત્રીએ કહ્યું કે હું જૈનધર્મી છું, માટે તે મિથ્યાત્વીની પ્રશંસા કરવી મારે યોગ્ય નથી. તો પણ હે પ્રિયા ! તારા આગ્રહથી હું તેની પ્રશંસા કરીશ.” પછી રાજસભામાં જયારે વરરૂચિ શ્લોકો બોલ્યો, ત્યારે મંત્રીએ તેની કવિત્વશક્તિની પ્રશંસા કરી, તેથી હર્ષિત થયેલા રાજાએ તેને એકસો આઠ દીનાર ઈનામ તરીકે આપ્યા. પછી તે જ પ્રમાણે તે કવિ હમેશાં એકસો આઠ નવા શ્લોકો બોલી તેટલું ઈનામ રાજા પાસેથી લેવા લાગ્યો. આમ થવાથી ભંડાર ખાલી થતો જોઈને મંત્રીએ રાજાને નિષેધ કરીને કહ્યું કે “હવે તો આ કવિ જૂના શ્લોકો બોલે છે, માટે તેને કાંઈ ઈનામ આપવું યોગ્ય નથી. જો આપને મારા વાક્ય પર વિશ્વાસ ન હોય તો મારી સાત પુત્રીઓ આપની પાસે આ કવિના બોલેલા શ્લોકો બોલી બતાવશે.” Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તે સાંભળીને આશ્ચર્ય પામેલા રાજાએ મંત્રીની સાતે પુત્રીઓને બોલાવીને જવનિકામાં બેસાડી તે પુત્રીઓના અનુક્રમે યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા અને રેણા એવા નામ હતાં તે સાતમાં મોટી યક્ષા હતી, તે એક વખત સાંભળેલું શાસ્ત્ર તત્કાળ ગ્રહણ કરતી હતી. એવી રીતે બીજી બે વાર સાંભળવાથી, એમ અનુક્રમે સાતમી સાત વાર સાંભળવાથી ગ્રહણ કરતી હતી. હવે તે વ૨રૂચિને આજ્ઞા થતાં તે ૧૦૮ શ્લોકો બોલ્યો. તે સાંભળીને યક્ષાએ તે જ પ્રમાણે તે શ્લોકો બોલી દેખાડ્યા. બીજી વાર સાંભળવાથી બીજી પુત્રીએ પણ તે જ પ્રમાણે બોલી બતાવ્યા. એવી રીતે અનુક્રમે સાતે પુત્રીઓ બોલી ગઈ. તે સાંભળીને રાજાએ “પારકાં કાવ્યો પોતાના ઠરાવીને બોલે છે !” એમ કહી વરરૂચિનો તિરસ્કાર કરીને તેને કાઢી મૂક્યો. પછી ખેદ પામેલો વરરૂચિ ગંગાને કિનારે ગયો. ત્યાં એક યંત્ર ગોઠવી તેમાં એકસો ને આઠ દીનારની એક પોટકી બાંધીને ગંગાના જલમાં ગુપ્ત રાખી. પ્રાતઃકાલે ગંગાની સ્તુતિ કરી તે યંત્રને પગવતી દબાવ્યું, એટલે પેલી દીનારની પોટકી ઉડીને તેના હાથમાં પડી. એવી રીતે તે હમેશાં કરવા લાગ્યો. તે જોઈ લોકોએ વિસ્મય પામી રાજાને કહ્યું કે “અહો ! ગંગા પણ આ કવિને હમેશાં સ્તુતિ કરવાથી ૧૦૮ દીનારનું દાન આપે છે.” તે વાત રાજાએ મંત્રીને કહી. ત્યારે મંત્રી બોલ્યો કે “હે સ્વામી ! આપણે પ્રાતઃકાળે જોવા જઈશું.” રાત્રીને સમયે મંત્રીએ પોતાના એક ખાનગી માણસને શીખવીને ગંગાને કિનારે મોકલ્યો. તે દ્યૂત વૃક્ષની ઘટામાં પક્ષીની જેમ સંતાઈને રહ્યો. તેવામાં તે વરૂચિ છાની રીતે આવીને ગંગાના જળમાં રહેલા યંત્રમાં એકસો ને આઠ દીનારની પોટકી મૂકીને ઘેર ગયો. પાછળથી પેલા માણસે તે પોટકી કાઢી લઈને તેને ઠેકાણે કઠણ કાંકરા ભરી દીધા અને પેલી પોટકી મંત્રી પાસે જઈને તેને આપી. પ્રાતઃકાળે વરૂચિ બ્રાહ્મણ ગંગા કિનારે જઈને તેની સ્તુતિ કરવા લાગ્યો. તે વખતે મંત્રી સહિત રાજા તથા સર્વ પૌરજનો ત્યાં આવ્યા. તે કવિ વારંવાર સ્તુતિ કરીને પેલા યંત્રને પગવતી દબાવવા લાગ્યો, પણ દુર્ભાગીના મનોરથની જેમ તેના હાથમાં કાંઈ આવ્યું નહીં. તેથી તે જળમાં હાથ નાંખીને પોતે મૂકેલી પોટકી શોધવા લાગ્યો ! તે જોઈ મંત્રી બોલ્યો કે “આજે ગંગાનદી તને કાંઈ આપતી નથી, પરંતુ પોતે જ સ્થાપન કરેલું દ્રવ્ય વારંવાર શું કામ શોધે છે ? લે આ તારું દ્રવ્ય. આજે આ ગંગા મારા પર પ્રસન્ન થઈ છે, તેથી મારા હાથમાં તારું ધન આવ્યું છે.” એમ કહી પોતાની પાસે રાખેલી પેલી દીનારની પોટલી મંત્રીએ બતાવી. તે જોઈ રાજાએ પોતે જ આપેલા દ્રવ્યને ઓળખી તે બ્રાહ્મણની ઘણી નિંદા કરી અને સૌ પોતપોતાને ઠેકાણે ગયા. પરંતુ મંત્રીની આ કૃતિથી ખેદ પામેલો વરરૂચિ નિરંતર મંત્રીના છિદ્ર જોવા લાગ્યો. એકદા શ્રીયકનો વિવાહ પ્રસંગ આવ્યો. તેને માટે મંત્રી સર્વ સામગ્રી તૈયાર કરવા લાગ્યો. તે વખતે તેને ઘેર અનેક શસ્ત્રો, વસ્ત્ર, અશ્વ, હાથી વગેરે જોઈને તે વરરૂચિને છિદ્ર મળ્યું. એટલે તેણે નિશાળના સર્વ છોકરાઓને એક શ્લોક શીખવ્યો. તે આ પ્રમાણે - Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ यत्कर्ता शकटालोऽयं, तन्न जानाति पार्थिवः । हत्वा नन्दं तस्य राज्ये, श्रीयकं स्थापयिष्यति ॥१॥ ભાવાર્થ:- “શકટાલ મંત્રી જે કરે છે તે રાજા જાણતો નથી. તે મંત્રી નંદરાજાને મારીને તેના રાજ્ય પર શ્રીયકને સ્થાપન કરશે.” આ શ્લોક છોકરાઓ ગામમાં સર્વત્ર બોલતા હતા. તે શ્લોક રાજાના સાંભળવામાં પણ આવ્યો. એટલે રાજાએ વિચાર્યું કે – बालका यच्च भाषते, भाषन्ते यच्च योषितः । औत्पातिकी च या भाषा, सा भवत्यन्यथा न हि ॥१॥ ભાવાર્થ :- “બાળકો જે બોલે છે, સ્ત્રીઓ જે બોલે છે અને જે આકાશવાણી થાય છે અથવા અકસ્માત્ કોઈ બોલી જાય છે તે કદિ અસત્ય થતું નથી.” એમ વિચારી ખાત્રી કરવા માટે રાજાએ પોતાના દૂતને મંત્રીને ઘેર જોવા મોકલ્યો. દૂતે જઈ આવીને તૈયારી સંબંધી સર્વ હકીકત કહી બતાવી. તેથી રાજા મંત્રી પર અત્યંત ગુસ્સે થયો. પછી સભા વખતે મંત્રીએ આવીને પ્રણામ કર્યા, તે વખતે રાજાએ કોપથી અવળું મુખ કર્યું. રાજાની મનોવૃત્તિને જાણનાર મંત્રીએ તત્કાળ ઘેર આવી શ્રીયકને કહ્યું કે, “રાજા કોઈ પિશુનના વાક્યથી મારા પર અત્યંત કોપાયમાન થયા છે, તેથી અકસ્માતુ આપણા કુળનો નાશ કરશે, માટે હે વત્સ ! હું સભામાં જઈને જ્યારે રાજાને પ્રણામ કરું, ત્યારે તું ખગ વડે મારું માથું કાપી નાખજે. પછી રાજા તેમ કરવાનું કારણ તને પૂછે, ત્યારે તું કહેજે કે – “સ્વામીનો અભક્ત એવો પિતા હોય તો તે પણ વધ કરવા યોગ્ય છે.” તે સાંભળીને રોતાં રોતાં શ્રીયક બોલ્યો કે “હે પિતા! શું એવું ઘોર કર્મ ચાંડાળ પણ કદાપિ કરે ?” મંત્રીએ કહ્યું કે “તું આવા વિચારો કરવાથી આપણા શત્રુના મનોરથ પૂર્ણ કરીશ, માટે યમરાજના જેવો પ્રચંડ રાજા જ્યાં સુધી આપણા આખા કુટુંબનો નાશ ન કરે, તેટલામાં માત્ર મારા એકના જ નાશથી આખા કુટુંબનું તું રક્ષણ કરી લે. વળી હું મુખમાં તાળપુટ વિષ નાંખી રાજાને પ્રણામ કરીશ, એટલે મૃત્યુ પામેલા એવા મારા શિરને છેદતાં તને પિતૃ હત્યાનું પાતક લાગશે નહીં.” આ પ્રમાણે મંત્રીના બોધથી શ્રીયકે પિતાની આજ્ઞા કબૂલ કરી. પછી રાજાને નમતા મંત્રીનું મસ્તક રાજાની સમક્ષ શ્રીયકે કાપી નાંખ્યું. તે જોઈ રાજા સંભ્રમથી બોલ્યો કે “હે વત્સ! તેં આવું દુષ્કર્મ કેમ કર્યું?” શ્રીયક બોલ્યો કે “સ્વામીએ એમને દ્રોહ કરનાર જાણ્યા, તેથી મેં તેમનું મસ્તક છેવું છે, ભૂત્ય જ તો સ્વામીના અભિપ્રાય પ્રમાણે વર્તનારા જ હોય છે.” પરિશિષ્ટ પર્વમાં આ સંબંધમાં કહ્યું છે કે – Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ भृत्यानां युज्यते दोषे, स्वयं ज्ञाते विचारणा । स्वामिज्ञाते प्रतीकारो युज्यते न विचारणा ॥१॥ " ભાવાર્થ :- “ભૃત્યનો દોષ પોતે જાણ્યો હોય તો તેમાં વિચાર કરવો યોગ્ય છે, પણ ભૃત્યનો દોષ સ્વામીએ જાણ્યો હોય તો તેનો પ્રતિકાર જ યોગ્ય છે, તેમાં વિચાર કરવો યોગ્ય નથી.’ પછી રાજાની આજ્ઞાથી શ્રીયકે પિતાનું સર્વ મૃતકાર્ય કર્યું. પછી નન્દરાજાએ શ્રીયકને કહ્યું કે “રાજ્યના સર્વ કાર્યભાર સહિત આ મંત્રીપણાની મુદ્રા ગ્રહણ કર.” શ્રીયક બોલ્યો કે “હે પૂજ્ય! પિતા તુલ્ય મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર નામે છે, તે કોશા વેશ્યાને ઘેર પિતાની કૃપાથી નિર્બાધપણે ભોગવિલાસ ભોગવે છે, તેને બાર વર્ષ વ્યતીત થઈ ગયા છે, માટે તે મારો મોટો ભાઈ પિતાના સ્થાનને યોગ્ય છે.” તે સાંભળી રાજાએ સ્થૂલભદ્રને બોલાવીને મંત્રીપદ ગ્રહણ કરવા કહ્યું. ત્યારે સ્થૂલભદ્ર બોલ્યો કે “હે સ્વામી ! હું વિચાર કરીને તે અંગીકાર કરીશ.” રાજાએ કહ્યું કે “હમણા જ વિચાર કરી લે.” તે સાંભળીને સ્થૂલભદ્ર અશોક વાડીમાં જઈ વિચાર કરવા લાગ્યો કે “રાજ્યનો કારભાર કરનારા મારા પિતાનો ચપળ કર્ણવાળા રાજાએ અકાળ મૃત્યુથી નાશ કર્યો. માટે રાજ્યના અધિકારીઓને સુખ ક્યાંથી હોય ?” કહ્યું છે કે - त्यक्त्वा सर्वमपि स्वार्थं, राजार्थं कुर्वतामपि । उपद्रवन्ति पिशुना, उबद्धानामिव द्विकाः ॥१ ॥ ભાવાર્થ ઃ- “સર્વ સ્વાર્થનો ત્યાગ કરીને રાજાનું જ કાર્ય ક૨ના૨ ભૃત્યોને પણ ઊંચે બાંધેલા (શબ)ને જેમ કાગડાઓ ઉપદ્રવ કરે તેમ પિશુનો (ચાડિયાઓ) ઉપદ્રવ કરે છે.” यथा स्वदेहद्रविण - व्ययेनापि प्रयत्यते । राजार्थे तद्वदात्मार्थे, यत्यते किं न धीमता ॥२॥ ભાવાર્થ :- “જેમ લોકો રાજાને માટે પોતાના દેહ અને ધનનો વ્યય કરીને પણ યત્ન કરે છે, તેમ બુદ્ધિમાન લોકો આત્માને માટે કેમ યત્ન નથી કરતા ?” આ પ્રમાણે વૈરાગ્યની ભાવના ભાવતાં સ્થૂલભદ્રે પોતાના કેશનો લોચ કરી રત્નકંબલની દશીયોનું રજોહરણ (ઓઘો) બનાવી સભામાં આવી રાજાને કહ્યું કે “મેં તો આ પ્રમાણે વિચાર્યું તમને ધર્મલાભ હો.” એમ કહી તે તત્કાળ રાજભુવનમાંથી બહાર નીકળ્યા. તે જોઈને “શું આ કપટ કરી વેશ્યાને ઘેર પાછો જાય છે ?” એવા અવિશ્વાસથી રાજા પોતાના ગવાક્ષમાંથી તે બાજુ જોઈ રહ્યો. પણ સ્થૂલભદ્ર તો કોહી ગયેલા શબની દુર્ગન્ધથી જેમ નાક મરડીને ચાલે તેમ તે વેશ્યાના ઘર તરફ મુખ મરડીને ચાલ્યા ગયા. તે જોઈને રાજાએ વિચાર્યું કે “અહો ! આ તો પૂજ્ય વીતરાગ જેવા છે, તેને માટે મારા કરેલા ખોટા વિચારને ધિક્કાર હો !” એમ તે આત્મનિંદા કરવા લાગ્યો. Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૩૩. સ્થૂલભદ્ર શ્રીસંભૂતિવિજય આચાર્ય પાસે જઈ સામાયિકના ઉચ્ચારપૂર્વક દીક્ષા અંગીકાર કરી. પછી રાજાએ મંત્રીની જગ્યાએ શ્રીયકને સ્થાપન કર્યો. શ્રીયક હમેશાં કોશાને ઘેર તેને દિલાસો આપવા જવા લાગ્યો. તેને જોઈને કોશા સ્થૂલભદ્રના વિરહ-દુ:ખથી રુદન કરતી હતી. એકદા શ્રીયકે કોશાને કહ્યું કે “હે આર્યે ! આપણે શું કરીએ ? પેલા પાપી વરરૂચિએ મારા પિતાનો ઘાત કરાવ્યો અને તમને સ્થૂલભદ્રનો વિરહ કરાવ્યો.” કોશા બોલી કે “તમે તેનું વૈર લેવાનો ઉપાય વિચારીને મને કહો તો હું કરું.” તે બોલ્યો કે “જો તે વરરૂચિ મદ્યપાન કરે તો વૈરનો બદલો લેવાનો વખત આવે, માટે તું તેને મદ્યપાન કરે તેવું કર.” કોશાએ તેનું વાક્ય સ્વીકારી વરરૂચિને મદ્ય પીતો કર્યો. પછી તે વાત કોશાએ શ્રીયકને કહી. તે સાંભળીને શ્રીયક હર્ષ પામ્યો. પછી એકદા શ્રીયક રાજસભામાં ગયો હતો તેવે વખતે રાજા શકટાલ મંત્રીના ગુણોનું સ્મરણ કરીને તેની પ્રશંસા કરવા લાગ્યો. ત્યારે શ્રીયક બોલ્યો કે “હે સ્વામી ! શું કરીએ ? મદ્યપાન કરનાર વરરૂચિએ આ સર્વ પાપકર્મ કર્યું છે.” રાજાએ પૂછ્યું કે “શું એ વરરૂચિ મદ્યપાન કરે છે ?” શ્રીયક બોલ્યો કે “હે સ્વામી ! તે હું આપને બતાવીશ.” પછી બીજે દિવસે સર્વ સભા ભરાઈ હતી, વરરૂચિ પણ આવેલો હતો. તે વખતે શ્રીયક મંત્રીએ શીખવી રાખેલા અનુચર પાસે રાજાને તથા સભાના સર્વ લોકોને એક એક કમળનું પુષ્પ અપાવ્યું. તેમાં વરરૂચિને મીંઢોળના ચૂર્ણથી મિશ્રિત કરેલું કમળ અપાવ્યું. રાજા વગેરે સર્વજનો તે કમળને સુંઘીને તેની સુગંધની પ્રશંસા કરવા લાગ્યા. તેથી વરરૂચિ પણ પોતાના કમળને સુંઘવા લાગ્યો. તેથી રાત્રીએ પીધેલી ચંદ્રહાસ મદિરાનું તેણે તરત જ વમન કર્યું. તે જોઈને સર્વ લોકોએ તેનો તિરસ્કાર કર્યો, એટલે તે સભામાંથી જતો રહ્યો. પછી લોકોમાં થતી પોતાની નિંદાને દૂર કરવાના હેતુથી તેણે સુરાપાનના પ્રાયશ્ચિત્ત માટે વિદ્વાનોને પૂછ્યું કે “સુરાપાનનું શું પ્રાયશ્ચિત્ત?” બ્રાહ્મણો બોલ્યા કે “શાસ્ત્રમાં કહ્યું છે કે તાપપુષ: પાન લાપાનપીપહૃત્ ! એટલે તપાવેલા સીસાના રસનું પાન કરે તો મદિરાપાનનું પાપ દૂર થાય એમ કહ્યું છે.” તે સાંભળીને વરરૂચિએ . સીસાના રસનું પાન કર્યું, તેથી તે તત્કાળ મૃત્યુ પામ્યો. અહીં સ્થૂલભદ્ર મુનિ ગુરુની સેવા કરતાં શ્રુતસમુદ્રના પારને પામ્યા. જે કારણ માટે ભોગાદિકનો તેણે ત્યાગ કર્યો હતો તે કાર્ય તેણે સારી રીતે નિરંતર સાધવા માંડ્યું. “ઊંચા પ્રકારના મંત્રીપદને હું શું કરું? મેં મૂર્ખાઈને લીધે બાલ્યાવસ્થાથી જ સ્ત્રીના ભોગવિલાસ વડે યુવાવસ્થા ગુમાવી છે.” એવી રીતે શ્રીયકના મોટા ભાઈ સ્થૂલભદ્ર મુનિ ભાવના ભાવતા હતાં. “હે આત્મા! સ્ત્રીની સાથે ભોગવિલાસ કરતાં સર્વ ઈન્દ્રિયોના વિષયનું સુખ અનેક પ્રકારે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ઈચ્છાનુસાર ભોગવ્યું, તો પછી પરાધીન એવા મંત્રીપદમાં શું વિશેષ સુખ મળવાનું છે?” એમ ધારીને તેમણે સ્વાધીન એવું મુનિપદ ધારણ કર્યું.” ૩૧૫ નિઃસ્પૃહતા स्वरूपप्राप्तितोऽधिक्यं प्राप्तव्यं नावशिष्यते । રૂયાભરનાસંપત્યા, નિઃસ્પૃહો ગાયતે મુનઃ II ભાવાર્થ:- સ્વરૂપની પ્રાપ્તિથી બીજું કાંઈ પણ વિશેષ પામવા લાયક અવશેષ રહેતું નથી. આત્મારૂપી રાજાની સંપત્તિ પામીને મુનિ તદન સ્પૃહા રહિત થાય છે.” સ્વરૂપ તે જ્ઞાનાદ, રત્નત્રય, અનંતવીર્ય, અવ્યાબાધ, અમૂર્ત, આનંદરૂપ અને અવિનાશી એવું જે સિદ્ધત્વ તેનું શુદ્ધ પારિણામિક લક્ષણ જાણવું. તેની પ્રાપ્તિ થવા પછી બીજી કોઈ પામવા યોગ્ય વસ્તુ બાકી રહેતી નથી. તેથી કરીને આત્મારૂપી રાજાની સંપત્તિ પામવાથી બુદ્ધિપરિજ્ઞા વડે તજી દીધા છે દ્રવ્યભાવ આશ્રવ જેણે એવા મુનિ નિઃસ્પૃહ થાય છે, અર્થાત્ સર્વ શરીરાદિકના પરિગ્રહમાં મૂચ્છરહિત થાય છે. આ પ્રસંગ ઉપર કાલવૈશિક રાજર્ષિનો સંબંધ છે તો આ પ્રમાણે - કાલવૈશિક મુનિની કથા મથુરાનગરીનો રાજા જિતશત્રુ એકદા કાલી નામની વેશ્યા પર મોહિત થયો એટલે તેને પોતાના અંતઃપુરમાં રાખી. તેની સાથે વિલાસ કરતાં તેને કાલવૈશિક નામે પુત્ર થયો. તે પુત્ર એકદા રાત્રે સૂતો હતો, તેવામાં તેણે શિયાળનો શબ્દ સાંભળી પોતાના મૃત્યોને પૂછ્યું કે, “આ કોનો શબ્દ સંભળાય છે?” ત્યોએ કહ્યું કે, “હે કુમાર ! શિયાળનો શબ્દ સંભળાય છે.” ત્યારે કુમારે કહ્યું કે, “તે શિયાળને ચરણમાંથી બાંધીને અહીં લઈ આવો.”ભૃત્યોએ વનમાં જઈને એક શિયાળને બાંધી લાવીને કુમારને સોંપ્યું. પછી ક્રીડામાં આસક્ત કુમાર તેને વારંવાર મારવા લાગ્યો. તેના મારથી શિયાળ “ખી ખી” શબ્દ વારંવાર કરતું; પરંતુ તે જેમ જેમ “ખી ખી’ શબ્દ કરતું તેમ-તેમ કુમાર વધારે હસતો. એવી રીતે નિરંતર મારતા તે શિયાળ મરણ પામ્યું અને અકામ નિર્જરાથી મરીને વ્યંતરપણું પામ્યું. એકદા યુવાવસ્થા પામેલો કુમાર વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં કોઈ સાધુના મુખથી તેણે નીચે પ્રમાણે ધર્મદશના સાંભળી. निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद्वहिः । अनात्मरतिचांडाली-संगमंगीकरोति या ॥१॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૩૫ ભાવાર્થ :- “આત્મસમાધિ સાધવામાં ઉદ્યત થયેલા પંડિત પુરુષે સ્પૃહા જે પરાશા તેને ચિત્તરૂપી ઘરની બહાર કાઢી મૂકવી; કેમકે તે સ્પૃહા અનાત્મ જે પરભાવ તેમાં રતિ જે પ્રીતિ તરૂપી ચાંડાલીનો સંગ કરનારી છે.” માટે સ્પૃહાને તજી દેવી. વળી - जे परभावे रत्ता, मत्ता विसएसु पावबहुलेसु । आसापासनिबद्धा, भमति चउगइमहारन्ने ॥२॥ ભાવાર્થ:- “જેઓ પરભાવમાં રક્ત છે, જેઓ ઘણાં પાપવાળા ઈન્દ્રિયોના વિષયોમાં મત્ત છે અને જેઓ આશાના પાશમાં બંધાયેલા છે તેઓ ચાર ગતિરૂપ મહાઅરણ્યમાં ભ્રમણ કરે છે.” જેઓએ પરવસ્તુની આશારૂપી પાશ કાઢી નાખ્યા છે એવા મુનિજનો સ્વરૂપચિંતન અને સ્વરૂપરમણના અનુભવમાં લીન અને પીન (પુષ્ટ) થઈને તત્ત્વાનંદમાં રમે છે – ક્રીડા કરે છે. કહ્યું છે કે – तिणसंथारनिसन्नो, मुनिवरो भट्टरागमयमोहो । जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ॥१॥ ભાવાર્થ - તૃણના સંથારા પર બેઠેલા અને જેના રાગ, મદ અને મોહ નાશ પામ્યા છે એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિના સુખને પામે છે તે સુખની પ્રાપ્તિ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય?” आयसहावविलासी, आयविसुद्धोवि यो नये धम्मे । नरसुरविसयविलासं, तुच्छं निस्सार मन्नंति ॥२॥ ભાવાર્થ - “જે આત્મા પોતાના સ્વરૂપમાં જ વિલાસી છે અને જે આત્મા પોતાના ધર્મમાં જ વિશુદ્ધ છે, તે આત્મા મનુષ્ય તથા દેવતાના વિષયવિલાસને તુચ્છ અને નિઃસાર માને છે.” ઈત્યાદિ ધર્મવાક્ય સાંભળીને પ્રતિબોધ પામેલા રાજકુમારે દીક્ષા ગ્રહણ કરી. અન્યદા એકલવિહાર પ્રતિમાને અંગીકાર કરી વિહાર કરતાં તે મુનિ મુદ્રગશૈલ નામના નગરે આવ્યા. તે વખતે તેને અર્થનો વ્યાધિ થયો હતો. તે વ્યાધિથી પીડાતા છતાં તે મુનિ કોઈ વખત મનમાં પણ તેના પ્રતિકારનું ચિંતન કરતા નહોતા; કેમકે તે પોતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ હતાં. તે નગરનો રાજા મુનિનો બનેવી થતો હતો, તેથી તેની રાણી કે જે મુનિની બહેન હતી તેણે પોતાના ભાઈને અર્શના વ્યાધિથી પીડા પામતા જાણીને તથા તેને ઔષધ લેવાનો અભિગ્રહ છે તે વાત પણ જાણીને સ્નેહના વશથી અર્શને નાશ કરનાર ઔષધથી મિશ્ર કરેલું ભોજન તે મુનિને આપ્યું. મુનિએ તે આહાર વાપર્યો. પરંતુ તે વાપરતી વખતે તેની અંદર ઔષધ છે એમ જાણીને પશ્ચાત્તાપ કરતા સતા તેણે વિચાર્યું કે, “મેં ઉપયોગ રાખ્યો નહીં, તેથી આ અયોગ્ય કાર્ય મારાથી થયું અને અર્ચના જંતુનો નાશ ન કરવા સંબંધી અભિગ્રહનો મેં ભંગ કર્યો. પરંતુ આ સર્વ અનર્થ આહારની Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ઈચ્છાથી થયો છે. માટે હું આહારનો જ સર્વથા ત્યાગ કરું.” એમ વિચારીને પુરમાંથી બહાર નીકળી પાસેના પર્વત પર જઈ તેમણે મોટું અનશન સ્વીકાર્યું. તે મુનિને અનશન ગ્રહણ કરેલા જાણીને તેના શરીરનું ઉપદ્રવથી રક્ષણ કરવા માટે રાજાએ પોતાના કિંકરોને તેમની પાસે રાખ્યા. હવે પેલો શિયાળ જે મરીને વ્યન્તર થયો હતો તેણે અવધિજ્ઞાન વડે પૂર્વ ભવનું વૈર સ્મરણ કરી મુનિને ઉપદ્રવ કરવા માટે બાળક સહિત શિયાળણી વિકૂર્વી; પરંતુ જયાં સુધી રાજાના કિંકરો તે મુનિ પાસે રહેતા ત્યાં સુધી તે શિયાળણી મુનિને ઉપદ્રવ કરી શકતી નહીં. પણ જ્યારે તે કિંકરો પાછા નગરમાં જતા ત્યારે તે શિયાળણી “ખી ખી' શબ્દ કરતી મુનિને વારંવાર બટકાં ભરતી હતી. મુનિ તો તે શિયાળણીએ ઉપજાવેલી પીડાને તથા અર્ચના વ્યાધિની પીડાને શાંત ચિત્તે સહન કરતા સતા નિઃસ્પૃહભાવને મૂકતા નહીં, પરંતુ ધર્મધ્યાનમાં જ સ્થિર રહેતા હતાં. આવી રીતે આર્તધ્યાનને વધારનાર રોગ સંબંધી દુઃખ પ્રાપ્ત થવાથી તથા રૌદ્રધ્યાનને વધારનાર શિયાળણીના ઉપદ્રવનું દુઃખ પ્રાપ્ત થવાથી પણ તે મુનિએ આર્ત તથા રૌદ્ર ધ્યાન કર્યું નહીં. એ પ્રમાણે પંદર દિવસ સુધી શિયાળણીએ કરેલી મહાવ્યથાને સહન કરતા મહાસત્ત્વવાળા મુનિ પંદર દિવસનું અનશન પાળી સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. इति निस्पह भावतो रुजं, परिषेहे मुनिकालवैशिकः । सकलैरपि साधुमिस्तथा, सहनीयोऽयमुदारनिःस्पृहः ॥१॥ ભાવાર્થ - “આ પ્રમાણે નિસ્પૃહ ભાવને ધારણ કરનાર કાલવૈશિક મુનિએ જેવી રીતે વ્યાધિને સહન કર્યો, તેવી રીતે સર્વ સાધુઓએ આ ઉદાર નિઃસ્પૃહ ગુણ ધારણ કરવો.” - ON ૩૧૬ સમ્યકત્વમેવ ને મુનિપણાની એકતા मन्यते यो जगत्तत्त्वं, स मुनि परिकीर्तितः । सम्यक्त्वमेव तन्मौने, मौनं सम्यक्त्वमेव च ॥१॥ ભાવાર્થ:- “જે જગતના તત્ત્વને માને છે (જાણે છે) તેને આચાર્યોએ મુનિ કહેલા છે. તે મુનિપણાને વિષે જ સમ્યકત્વ રહેલું છે અને જે મુનિપણું છે તે સમ્યકત્વ જ છે.” વિસ્તરાર્થ:- શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્યતા એ પાંચ લક્ષણે લલિત એવા અને જીવ-અજીવાત્મક જગતને જાણનારા જે હોય તે મુનિ કહીએ. જે જેવું જાણ્યું તે તે જ પ્રમાણે ૧. મરણ પર્યત આહાર ન ગ્રહણ કરવો તે મહા અનશન. Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૧૩૭ કર્યું. એમ હોવાથી તેમનું સમ્યકત્વ તે જ મુનિત્વ છે અને મૌનપણું-નિગ્રંથત્વ તે જ સમ્યકત્વ છે. અહીં શુદ્ધ શ્રદ્ધાએ કરીને નિશ્ચય કરેલા આત્મસ્વભાવમાં જે રહેવું તે ચરણ કહેવાય છે. સમ્યગ્દર્શન વડે નિર્ધારિત કરેલું અને સમ્યજ્ઞાન વડે વિભક્ત કરેલું જે આત્મસ્વરૂપ તેનું ઉપાદેયપણું એટલે તેનું તેવી જ રીતે અનુભવવું - તેમાં રમણ કરવું તે ચારિત્ર અથવા મુનિપણું કહેવાય છે, માટે એવંભૂત નયે સમ્યગ્દષ્ટિએ સમ્યફ શ્રદ્ધાપૂર્વક તેનું તત્ આચરણ કરવું. ચોથા ગુણઠાણે હતા ત્યારે સાધ્યપણે જે ધાર્યું હતું તે તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરીને સિદ્ધાવસ્થામાં મુનિપણા વડે નિષ્પાદન કર્યું. તેથી શુદ્ધ સિદ્ધત્વ ધર્મને નિરાધાર તે જ સમ્યકત્વ સમજવું અને સમ્યકત્વ તે જ મુનિપણું સમજવું. આ સંબંધમાં કુરુદત્તનો સંબંધ છે. તે નીચે પ્રમાણે - કુરુદત્તની કથા હસ્તિનાપુરમાં કુરુદત્ત નામે એક શ્રેષ્ઠિનો પુત્ર મહાસુખી હતો. તે એકદા ધર્મદેશનાને સમયે શ્રી ગુરુમહારાજ પાસે ગયો. ત્યાં તેણે સ્યાદ્વાદરૂપ આપ્ત વાક્ય હૃદયમાં ધારણ કર્યું. ગુરુમહારાજે કહ્યું કે, “આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક અન્ય દર્શનીઓ પરસ્પર વાદવિવાદ કરે છે. રેચક, કુંભક અને પૂરક વાયુનું અવલંબન કરીને પ્રાણાયામમાં પ્રવૃત્ત થાય છે અને મૌન ધારણ કરીને પર્વત તથા વનની ગુફાઓમાં પરિભ્રમણ કરે છે, તો પણ તેઓ શ્રી અહતે કહેલા આગમનું શ્રવણ કર્યા વિના સ્યાદ્વાદરૂપી આપ્તવાક્યથી જ થઈ શકે તેવી સ્વભાવ તથા પરભાવની પરીક્ષા કરી શકતા નથી અને સ્વ-સ્વભાવના અવબોધ વિના તેઓની કાર્યસિદ્ધિ પણ થતી નથી.” કહ્યું છે કે – आत्माज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते । अभ्यस्यंस्तत्तथा तेन, येनात्मा ज्ञानवान् भवेत् ॥१॥ ભાવાર્થ - “આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે જ નાશ પામે છે, માટે તેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેથી આત્મા જ્ઞાનમય થાય.” અહીં ઉપાદાન સ્વરૂપમાં કર્તા વગેરે છ કારકરૂપી ચક્રમય આત્મા જ છે, આત્મા પોતે જ કર્તા છે. કાર્યરૂપ, કરણરૂપ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ પણ આત્મા પોતે જ છે. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે “આત્મા એટલે જીવ કર્તારૂપ છે. તે પોતાના આત્માને એટલે અનંત શુદ્ધ ધર્મ (પ્રકટ કરવા)રૂપ કાર્યને, આત્માએ કરીને એટલે આત્મશક્તિરૂપ કરણ વડે કરીને આને માટે એટલે આવરૂપ પ્રગટ કરવા માટે આથી, એલે આમwવથી પરભવથી પૃથક એવા અપાદાનરૂપ આત્માથી, આત્મારૂપ આધારને વિષે એટલે અનન્ત ધર્મપર્યાયોના પાત્રભૂત આત્માને વિષે પ્રકટ કરે છે.” તેથી કરીને જ મુનિ આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. જેમ સોજાથી થયેલી શરીરની પુષ્ટતા અસત્ય છે (ઈષ્ટ નથી), અને જેમ વધસ્થાન પર લઈ જવાતા વધ્ય માણસને પહેરાવેલ કણેરની માળા વગેરે અલંકાર અસત્ય છે – શોભા આપનારા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ નથી, તેવી રીતે સંસારના સ્વરૂપને-ભવના ઉન્માદને જાણનાર મુનિ સમસ્ત પરભાવનો ત્યાગ કરીને અનન્ત ગુણરૂપ આત્મસ્વરૂપમાં જ તૃપ્ત રહે છે. સંસારનું સ્વરૂપ અસાર છે, નિષ્ફળ છે, અભોગ્ય છે (ભોગવવાને અયોગ્ય છે), તુચ્છ છે ઈત્યાદિ જાણીને મુનિ આત્મસ્વરૂપમાં જ મગ્ન રહે છે.” આ પ્રમાણે ગુરુના મુખથી અધ્યાત્મ સ્વરૂપ સાંભળીને પ્રતિબોધ પામેલા કુરુદત્તે દીક્ષા ગ્રહણ કરી. પછી શ્રુતનો અભ્યાસ કર્યો અને એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી, અર્થાત્ એકલા વિચરવા લાગ્યા. તે વિહાર કરતાં કરતાં એકદા સાકેતનગરીની પાસે ચોથી પોરસીએ મંદરાચળના જેવી ધીરતા ધારણ કરીને કાયોત્સર્ગે રહ્યા. તે સમયે કેટલાએક ચોરો કોઈ ગામમાં ગાયોનું ધણ હરીને તે મુનિની પાસે થઈને ચાલ્યા ગયાં. કેટલીકવારે તેમની પાછળ ગાયોની શોધ કરનારા નીકળ્યા. તેઓ પણ તે મુનિની નજીક આવ્યા. ત્યાં બે માર્ગ જોઈને તેઓએ મુનિને પૂછ્યું કે, “હે સાધુ! ગાયોનું હરણ કરનાર તે ચોરો કયે રસ્તે ગયા?” તે સાંભળ્યા છતાં પણ મુનિએ તેમને કાંઈ જવાબ આપ્યો નહીં. કહ્યું છે કે, “એકેન્દ્રિય જીવોને પણ વાણીના અનુચ્ચાર રૂપ મૌન તો સુલભ છે, સુપ્રાપ્ય છે, પણ તે મૌન મોક્ષસાધક નથી, પરંતુ રમ્યારણ્ય પુગલોને વિષે પ્રવૃત્તિ નહિ કરવારૂપ જે મૌન તે જ ઉત્તમ છે, પ્રશસ્ય છે.” તેવા ઉત્તમ મૌનને ધારણ કરનાર અને આત્મસ્વરૂપમાં જ લીન થયેલા તે કુરુદત્ત મુનિ સત્ય છતાં પણ સાવદ્ય વાક્ય શી રીતે બોલે? કહ્યું છે કે “ સત્યમ માત, પરપીડા વવ:” સત્ય છતાં પણ પરને પીડા કરનારું વચન બોલવું નહીં. મુનિએ કાંઈ પણ જવાબ આપ્યો નહીં, તેથી ક્રોધથી વિઠ્ઠલ થયેલા તે દુષ્ટ લોકોએ જળથી આર્ટ થયેલી માટી લઈને તે મુનિના મસ્તક ઉપર પાળ બાંધી અને તેમાં ચિતાના બળતા અંગારા નાંખીને ત્યાંથી જતા રહ્યાં. તે અંગારાથી મુનિનું મસ્તક બળવા લાગ્યું, તો પણ મુનિ તો એવો જ વિચાર કરવા લાગ્યા કે, “હે જીવ! તારા ક્લેવરને ઉત્પન્ન થતા આ દુઃખને તું સહન કર, કેમકે સ્વવશપણે દુઃખ સહન કરવું તે જ દુર્લભ છે, બાકી પરવશપણે તો તેં ઘણું દુઃખ સહન કર્યું છે ને કરીશ, પણ તેમાં કાંઈ ગુણ (લાભ) થશે નહીં, લાભ તો સ્વવશે સહન કરવાથી જ થશે.” એ પ્રમાણે વિચાર કરતાં મુનિએ મસ્તક અથવા મન જરા પણ કંપાવ્યું નહીં, અને તે ઉપસર્ગને સમ્યફ પ્રકારે સહન કરી પરલોકનું સાધન કર્યું. “જેઓ કુરુદત્ત મુનિની જેમ મૌન વ્રતમાં જ મુનિપણું રહેલું છે એવી ભાવના ભાવતા સતા નિર્દભપણે સમ્યજ્ઞાનાદિક ત્રણ રત્નનું પરિપાલન કરે છે તેઓ સ્યાદ્વાદ ધર્મના આરાધનથી થતા સુખને પ્રાપ્ત કરે છે.” Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૩૧૭ વિધા અવિઘા यः पश्येन्नित्यमात्मानं, सा विद्या परमा मता । अनात्मसु ममत्वं य-दविद्या सा निगद्यते ॥१॥ ૧૩૯ ભાવાર્થ :- જે નિરંતર આત્માને જ જુએ છે તે શ્રેષ્ઠ વિદ્યા માનેલી છે અને આત્માથી વ્યતિરિક્ત પદાર્થને વિષે જે મમતા તે અવિઘા કહેલી છે.” આત્માથી વ્યતિરિક્ત પુદ્ગલોને વિષે મમતા એટલે ‘આ શરીર મારું છે, હું શરીરરૂપ જ છું’ એવી રીતે જે માનવું તે અવિદ્યા એટલે ભ્રાંતિ જ છે. આ અર્થને યથાર્થ અવધારણ કરવાને માટે સમુદ્રપાળનો સંબંધ જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે - સમુદ્રપાળની કથા ચંપાનગરીમાં સમુદ્રદત્ત નામે એક શ્રેષ્ઠિ રહેતો હતો. તે શ્રી વીરસ્વામીની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યો હતો, તેથી તે શ્રાવકધર્મ પાળતો હતો અને નિગ્રંથપ્રવચન પ્રવીણ હતો. નિગ્રંથપ્રવચનમાં કહ્યું છે કે - तरंगतरलां लक्ष्मी-मायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्याये-दभ्रवद्धंगुरं वपुः ॥१॥ ભાવાર્થ :- નિર્મળ બુદ્ધિવાળા (પુષ્ટ બુદ્ધિવાળા) માણસ તરંગના જેવી ચંચળ લક્ષ્મીનું, વાયુના જેવા અસ્થિર આયુષ્યનું અને વાદળાની જેવા ક્ષણભંગુર શરીરનું ચિંતવન કરે છે.” અર્થાત્ લક્ષ્મી, આયુ અને શરીરને તે તે પદાર્થોની જેવા અસ્થિર માને છે, તેમાં સ્થિરપણાની બુદ્ધિ રાખતા નથી. લક્ષ્મીને તરંગ જેવી ચપળ માને છે, આયુષ્યને પ્રતિસમય વિનશ્વર અનેક વિઘ્નોપયુક્ત માને છે અને શરીરને વાદળાની જેમ ભંગુર-ભંગ થવાના સ્વભાવવાળું માને છે. વળી - शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे । देहे जलादिना शौचं भ्रमो मूढस्य दारुणः ॥२॥ ભાવાર્થ :- “કપૂરાદિક પવિત્ર પદાર્થોને પણ અપવિત્ર કરવાને સમર્થ તથા રક્ત અને વીર્યરૂપ અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલા એવા આ શરીરને વિષે જલાદિક વડે જે શૌચિવિધ માનવો તે મૂર્ખ માણસનો મોટો ભ્રમ છે.” અર્થાત્ ઈન્દ્રિયોના આયતનભૂત શરીરમાં જળમૃત્તિકાના સંયોગ વડે શ્રોત્રિયાદિકની જેમ પવિત્ર થવાનું માનવું તે ભયકારી છે, કારણ કે આ શરીર તો કર્પરાદિ સુગંધવાળા અને શુચિ પદાર્થોને પણ અશુચિ (અપવિત્ર) કરવાને સમર્થ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ છે. દેહના સંગથી બાવનાચંદનાદિકનું વિલેપન પણ અશુચિ થઈ જાય છે. તેની ઉત્પત્તિના સંબંધમાં પણ કહ્યું છે - सुक्कं पिउणो माउए सोणियं, तदुभयं पि संसर्छ । तप्पढमाए जीवो, आहारे तत्थ उप्पन्नो ॥३॥ ભાવાર્થ:- “પિતાનું શુક્ર (વીર્ય) અને માતાનું રુધિર એ બેના મિશ્રણમાં પ્રથમ તેનો જ આહાર લેતો સતો જીવ ઉત્પન્ન થાય છે.” એટલા માટે અસ્થિર, અપવિત્ર, ઉપાધિયુક્ત, નવા કર્મબંધનમાં કારણભૂત અને દ્રવ્યભાવ અધિકરણરૂપ એવા આ શરીરના શા સંસ્કાર કરવા? માટે તેના શરીરના) સંસ્કારનું નિવારણ કરીને આત્મસ્વરૂપમાં આત્માનું જ પવિત્રપણું કરવું યોગ્ય છે. કહ્યું છે કે – यः स्नात्वा समताकुंडे, हित्वा कश्मलजं मलम् । पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः ॥१॥ ભાવાર્થ:- જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને પાપથી ઉત્પન્ન થયેલા મળનો ત્યાગ કરી ફરીથી મલિન થતો નથી તે અત્તરાત્મા પરમ શુચિ જાણવો.” સમુદ્રપાળ શ્રી વીરસ્વામીના પ્રસાદથી આવા પ્રકારના ધર્મનો જાણકાર અને તેમાં પ્રવીણ હતો, તે એકદા સમુદ્ર રસ્તે વહાણમાં બેસીને વ્યાપાર કરતો પિહુડપુર આવ્યો, તે પુરમાં રહેનારા કોઈ વણિકે તેને પોતાની પુત્રી પરણાવી. તે સ્ત્રી ગર્ભવતી થઈ. પછી તેને લઈને સમુદ્રપાળ પોતાના દેશ તરફ ચાલ્યો. માર્ગમાં વહાણમાં જ તે સ્ત્રીએ પુત્ર પ્રસવ્યો, તેનું નામ તેણે સમુદ્રપાળ પાડ્યું. અનુક્રમે તે શ્રેષ્ઠિ ક્ષેમકુશળે પોતાને ઘેર આવી પહોંચ્યો. તે પુત્ર યુવાવસ્થા પામ્યો, એટલે માતાપિતાએ તેને રૂપવતી કન્યા પરણાવી. તેની સાથે વિષયસુખ અનુભવતો તે દિવસો નિર્ગમન કરવા લાગ્યો. એકદા તે ગામની શોભા જેવા માટે ગવાક્ષમાં બેઠો હતો, તેવામાં તેણે રક્તચંદનનું વિલેપન કરેલો, રાતા કણેરની માળા પહેરાવેલો અને વધસ્થાન તરફ લઈ જવાતો એક વધ્ય પુરુષ જોયો. તેને જોઈને તે બોલ્યો કે, “અહો ! અશુભ કર્મનો કેવો માઠો વિપાક પ્રાણી અનુભવે છે? જુઓ ! આ બિચારો આવી રીતે વધસ્થાન તરફ લઈ જવાય છે.” ઈત્યાદિ વિચાર કરતાં તેને પ્રતિબોધ થયો. તેથી તેણે વિચાર્યું કે - अविद्यातिमिरध्वंसे, हशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मान-मात्मन्येव हि योगिनः ॥१॥ ભાવાર્થ:- “યોગીઓ અવિદ્યારૂપ અંધકારનો નાશ થવાથી વિદ્યારૂપી અંજનથી લિપ્ત થયેલી દષ્ટિ વડે આત્માને વિષે જ પરમાત્માને જુએ છે.” Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પચક્રના વાયુને સંધીને સમાધિ દશામાં રહેલા યોગીઓ આત્માને વિષે જ સમસ્ત કર્મકાળની વિટંબણાથી રહિત અને ઉત્કૃષ્ટપણે પ્રાપ્ત થયેલ સિદ્ધસ્વરૂપવાળા પરમાત્માને તત્ત્વબુદ્ધિરૂપ અંજનથી વ્યાપ્ત એવી દૃષ્ટિ વડે અયથાર્થ ઉપયોગરૂપ અંધકારનો નાશ થવાથી સમ્યગ્દષ્ટિપણાને લીધે જુએ છે. ઈત્યાદિ શુભ ધ્યાનમાં આરૂઢ થયેલા સમુદ્રપાળે માતાપિતાની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે, “મહાક્લેશ આપનાર એવા સર્વ સંગનો ત્યાગ કરીને તથા ક્લેશદાયક અને મહાભયનું કારણ એવા મોહનો ત્યાગ કરીને ધર્મની રૂચિવાળા પુરુષે પાંચ મહાવ્રત અને શીલનું પરિપાલન કરવું તથા પરિષહ સહેવા.” પરંતુ માત્ર વ્રતનો સ્વીકાર કરીને જ રહેવું નહીં. તેનું અપ્રમત્તપણે પરિપાલન કરવું, તેમજ કાળને ઉચિત એવી પ્રત્યપેક્ષણા (પડિલેહણા) વગેરે ક્રિયાઓ કરીને દેશમાં તથા ગામમાં, જેવી રીતે સંયમની હાનિ ન થાય તેવી રીતે વિહાર કરવો. વળી કોઈપણ ઈષ્ટ વસ્તુ જોઈને તેના અભિલાષી થવું નહીં અને સ્ત્રી, પશુ, પંડગ વગેરેથી રહિત એવા ઉપાશ્રયનું સેવન કરવું. તેવી રીતે આચરણ કરવાથી તે કેવો થાય? તે વિષે કહ્યું છે કે, “સત્વજ્ઞાનને પામેલો મુનિ અનુત્તર એવા સાંત્યાદિ ધર્મનો સંચય કરીને (આચરીને) યશસ્વી થઈ કેવળજ્ઞાન પામી આકાશમાં સૂર્ય પ્રકાશે તેમ જગતમાં પ્રકાશે છે અને છેવટ પુન્ય પાપનો સર્વથા ક્ષય કરીને અપુનરાગમનવાળા પદને પામે છે.” - “યોગીજનો લોકોત્તર એવી જ્ઞાનદષ્ટિએ કરીને પોતાના આત્મામાંથી મિથ્યા અવિદ્યાનો નાશ કરી સમુદ્રપાળની જેમ શુદ્ધ આત્મસ્વરૂપનો નિશ્ચય કરે છે, નિરધાર કરે છે, તેને ધારણ કરે છે.” ૩૧૮ વિવેક ગુણ कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते यौऽसौ, मुनिहंसो विवेकवान् ॥१॥ ભાવાર્થઃ- “સર્વદા દૂધ અને જળની જેમ એકરૂપ થઈ ગયેલા એવા કર્મ અને જીવને આ વિવેકી મુનિરૂપી હંસ પૃથફ કરે છે.” કર્મ જ્ઞાનાવરણી આદિક અને જીવ સચ્ચિદાનંદરૂપ તે સર્વ કાળ દૂધ ને જળની જેમ એકીભૂત થયેલા છે. તેને લક્ષણાદિ ભેદે કરીને જે પૃથક કરે છે તે મુનિહંસ વિવેકવાનું કહેવાય છે. વિવેચન તે વિવેક. હેય (ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક)ની જે પરીક્ષા તે વિવેક કહેવાય છે તેમાં, ધન ઉપાર્જન કરવામાં, રાજનીતિમાં અને કુળનીતિ વગેરેમાં જે નિપુણતા તે લૌકિક વિવેક-વિવેક કહેવાય છે અને લોકોત્તર એવો ભાવવિવેક તો ધર્મનીતિ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ જાણનારને હોય છે. તેમાં પણ સ્વજન, દ્રવ્ય અને પોતાના દેહાદિકમાં જે રાગ-તેની વહેંચણી કરવી અર્થાત્ કરવા યોગ્ય નથી એમ વિચારવું, તે બાહ્યવિવેક કહેવાય છે અને અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મ તથા વિભાવાદિક ભાવકર્મ તેની જે વહેંચણી કરવીવિભાગ કરવો તે અત્યંતર વિવેક કહેવાય છે. કહ્યું છે કે - देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवेत् । भवकोट्यापि तद्भेदे, विवेकस्त्वतिदुर्लभः ॥१॥ ભાવાર્થ :- “દેહ એ જ આત્મા છે ઈત્યાદિ જે અવિવેક તે તો સર્વદા સુલભ છે, પણ તે બન્નેના ભેદમાં (ભેદ સંબંધી) જે વિવેક તે કોટીભવે પણ અતિ દુર્લભ છે.” વિસ્તરાર્થ ઃ- “આત્માના ત્રણ ભેદ છે. બાહ્યાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા. જેને દેહ, મન, વાણી વગેરેમાં આત્મત્વ બુદ્ધિ છે, એટલે દેહ જ આત્મા છે વગેરે. એ પ્રમાણે સર્વ પૌદ્ગલિક પ્રવર્તનમાં જેને આત્માત્વ બુદ્ધિ છે તે બાહ્યાત્મા કહેવાય છે. તે મિથ્યાર્દષ્ટિ છે. કર્મ સહિત અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉપયોગ લક્ષણવાળા, નિર્વિકાર, અમર, અવ્યાબાધ અને સમગ્ર પરભાવથી મુક્ત એવા આત્માને વિષે જ જૈને આત્મબુદ્ધિ છે તે અન્તરાત્મા કહેવાય છે, અવિરતિ સમ્યગ્દષ્ટિ (ચોથા) ગુણસ્થાનકથી આરંભીને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી અંતરાત્મા કહેવાય છે અને જે કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ઉપયોગવાળા છે તે પરમાત્મા કહેવાય છે. તે તેરમા ચૌદમા ગુણસ્થાનકે હોય છે. આવા ભેદના વિવેકે કરીને સર્વ સાધ્ય છે. દેહ તે શરીર અને આદિ શબ્દથી મન, વાણી ને કાયા તેને વિષે ‘આજ આત્મા છે’ એમ જે માનવું તે અવિવેક છે. તે અવિવેક સંસારમાં સર્વદા સુલભ છે, ને શરીર અને આત્માની ભિન્નતાનું જે વિવેચન કરવું તે વિવેક છે, તેવો વિવેક કોટી ભવે પણ અતિ દુર્લભ છે. સમ્યગ્દષ્ટિ જીવને જ તેવું ભેદજ્ઞાન હોય છે.” संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्बणं कर्म - शत्रुच्छेदक्षमं भवेत् ॥१॥ ભાવાર્થ :- “વિવેકરૂપી શરાણે કરીને તેજસ્વી કરેલું અને ધૃતિ (સંતોષ) રૂપ તીક્ષ્ણ ધારવાળું પરભાવનિવૃત્તિરૂપ જે સંયમરૂપી શસ્ર તે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી શત્રુનો નાશ કરવાને સમર્થ થાય છે.” આ જીવ અનાદિકાળથી મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાનથી અધિષ્ઠિત થયેલો હોવાથી. સંસારમાં પરિભ્રમણ કરે છે. તે જ જીવ ત્રિલોકના વત્સલ એવા જિનેશ્વરે કહેલા શ્રેષ્ઠ આગમના તત્ત્વરસનું પાન કરવા વડે સ્વ-પરના વિવેકને પ્રાપ્ત કરીને, પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈ પરમ સ્વરૂપનો સાધક થાય છે. આ સંબંધમાં ઉદાહરણ છે તે નીચે પ્રમાણે - Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ચંપાનગરીમાં જિતશત્રુ રાજાને શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ધર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યો કે - यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं तथा ॥१॥ ભાવાર્થ - જેમ સુભટોએ કરેલું યુદ્ધ રાજાને વિષે ઉપચાર કરાય છે, એટલે યુદ્ધનું જયપરાજયરૂપી ફળ રાજામાં આરોપણ કરાય છે – આ રાજા જીત્યો ને આ રાજા હાર્યો એમ કહેવાય છે, તેમ અવિવેક અને અસંયમે કરીને બંધાયેલા કર્મસ્કંધોના સામ્રાજ્યનો આરોપ પણ શુદ્ધ આત્માને વિષે જ કરાય છે.” ઈત્યાદિ ધર્મોપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી તે શ્રમણભદ્ર મુનિ શ્રુતસાગરનો પાર પામ્યા અને ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી. અન્યદા તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશોમાં વિહાર કરતાં શરદઋતુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રીને વિષે પ્રતિમા ધારણ કરીને રહ્યા. ત્યાં સોયની જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી પીવા લાગ્યા. ડંખવામાં તત્પર એવા નિરંતર વળગી રહેલા તે ડાંસોએ કરીને સુવર્ણના વર્ણ જેવા તે મુનિ જાણે લોહના વર્ણ જેવા હોય તેમ શ્યામવર્ણ થઈ ગયા. તે ડાંસોના ડંખથી મુનિના શરીરમાં મહાવેદના થતી હતી. તો પણ ક્ષમાધારી તે મુનિ તેને સહન કરતા હતા અને ડાંસોને ઉડાડતા પણ નહોતા. ઉલટો તે એવો વિચાર કરતા હતા કે “આ વ્યથા મારે શી ગણત્રીમાં છે? આથી અનન્તગણી વેદના નરકમાં મેં અનન્તીવાર સહન કરી છે. કેમકે – परमाधार्मिकोत्पन्ना, मिथोजाः क्षेत्रजास्तथा । नारकाणां व्यथा वक्तुं, पार्यते ज्ञानिनापि न ॥१॥ ભાવાર્થ :- “નારકીઓની પરમાધાર્મિક ઉત્પન્ન કરેલી પરસ્પરની કરેલી તથા ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વ્યથાનું સંપૂર્ણ વર્ણન કરવાને જ્ઞાનીઓ પણ સમર્થ નથી.” વળી अन्यद्वपुरिदं जीवाज्जीवश्चान्यः शरीरतः । जानन्नपीति को दक्षः, करोति ममतां तनौ ॥२॥ ભાવાર્થ :- આ શરીર જીવથી ભિન્ન છે અને આ જીવ શરીરથી જુદો છે. એ પ્રમાણે જાણતા છતાં પણ કયો ડાહ્યો માણસ શરીર પર મમતા કરે ?” “દેહ એ પુદ્ગલનો પિંડ છે અને તે અનિત્ય છે. જીવ અમૂર્ત અને અચળ (નિત્ય) છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ તે જીવ અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મવાળો છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વ (પોતાના) રૂપનો કર્તા છે, સ્વ-રૂપનો ભોક્તા છે, સ્વ-રૂપમાં જ રમણ કરનાર છે, ભવભ્રમણથી શાન્ત થયેલો છે અને પૌદ્ગલિક પરભાવના કર્તુત્વાદિ ધર્મથી રહિત છે.” ઈત્યાદિ વિવેક કરીને શુભ ભાવ ભાવતા સતા તે મુનિ તે મહા વ્યથાને સહન કરતા હતાં. તે ડાંસોથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું. તેથી તે જ રાત્રીએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. “આ પ્રમાણે વિવેક ગુણને હૃદયમાં ધારણ કરવાથી શ્રમણભદ્ર મુનિ સ્વર્ગસુખને પામ્યા. તે જ પ્રમાણે બીજા પણ નિપુણ મુનિવરોએ આ જિનવચનને અંગીકાર કરવા.” O - ૩૧૯ માધ્યસ્થ ગુણ रागकारणसंप्राप्ते, न भवेद्रागयुग्मनः । द्वेषहेतौ न च द्वेष-स्तन्माध्यस्थ्यगुणः स्मृतः ॥१॥ ભાવાર્થ:- “રાગનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જેનું મન રાગયુક્ત થતું નથી, તેમ જ વૈષનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જેના મનમાં દ્વેષ ઉત્પન્ન થતો નથી તે માધ્યચ્ચ ગુણ કહેવાય છે.” આ પ્રસંગ ઉપર કથા કહે છે - અહન્મિત્રની કથા કોઈ એક નગરમાં અદિત અને અહન્મિત્ર નામના બે ભાઈઓ રહેતા હતાં. તેમાં અહન્મિત્રનો આત્મા હંમેશાં ધર્મમાં પ્રીતિવાળો હતો. તે હમેશાં ગુરુમહારાજના મુખથી ધર્મોપદેશ સાંભળતો હતો. એકદા શ્રી ગુરુએ વ્યાખ્યાનમાં માધ્યચ્ચ ગુણનું વર્ણન કર્યું. તે આ પ્રમાણે - स्थीयतामनुपालंभं, मध्यस्थेनान्तरात्मना । कुतर्ककर्करक्षेपै-स्त्यज्यतां बालचापलम् ॥१॥ ભાવાર્થ :- “હે ભવ્ય પ્રાણીઓ ! કુતર્કરૂપી કાંકરા નાંખવા વડે બાળ અજ્ઞએકાંત જ્ઞાનમાં રક્ત તેનું જે ચાપલ્ય તે મૂકી દો; અર્થાત્ કુતર્ક કરીને વસ્તુસ્વરૂપની અપેક્ષારહિત વચનવાળી ચપળતાનો ત્યાગ કરો અને મધ્યસ્થ એટલે રાગદ્વેષ રહિત એવા અન્તરાત્માએ (સાધક આત્માએ) કરીને આત્મસ્વરૂપના ઘાતરૂપ ઉપાલંભ રહિત રહો.” Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः । न रागं नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति ॥२॥ ભાવાર્થ:- “પ્રાણીઓ પોતપોતાના કર્મના ઉદયથી શુભ કે અશુભ ફળની પ્રાપ્તિ થયે સતે પોતપોતાના કર્મના ફળને જ ભોગવે છે. એમ ધારીને સમાન ચિત્તવૃત્તિ ધારક માધ્યસ્થ ગુણધારી માણસ તે શુભાશુભ કર્મના ઉદયમાં રાગ કે દ્વેષને ધારણ કરતા નથી.” मनः स्याद्वयापृतं यावत्, परदोषगुणग्रहे। कार्यं व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ॥३॥ ભાવાર્થ - “જ્યારે મન પરના દોષ અથવા ગુણને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થાય, ત્યારે મધ્યસ્થ પુરુષે તે મનને આત્મભાવનામાં સારી રીતે વ્યગ્ર કરવું-રોકી રાખવું તે જ શ્રેષ્ઠ છે.” આ શ્લોક કરીને – “અમૂર્ત એવા આત્માના અગુરુલઘુપણું, ષટ્ ગુણ હાનિ વૃદ્ધિએ પરિણમન અને ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય વગેરે લક્ષણવાળા સ્વરૂપનું ચિંતન કરવામાં વ્યગ્ર થયેલા પ્રાણીને સંસારના ગુણદોષનું ચિંતન કરવાનો અવકાશ જ મળતો નથી; તેથી કરીને નિગ્રંથ મુનિઓ તેનું જ ચિંતન કરે છે, ભાવનાચક્રને ભાવે છે, દ્રવ્યાનુયોગ ગ્રન્થના પ્રશ્નો કરે છે અને પરસ્પર સ્વભાવ વિભાવના પરિણમનનું અવલોકન કરે છે ઈત્યાદિ સૂચિત થાય છે.” વળી विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥४॥ ભાવાર્થ:- “નદીઓને સમુદ્ર પ્રત્યે મળવાના અનેક જુદા જુદા માર્ગો હોય છે, તેમ મધ્યસ્થ પુરુષો પણ અનેક માર્ગો વડે એક અક્ષય પરબ્રહ્મને પામે છે; અર્થાત્ દ્રવ્યાચરણથી આરંભીને શુકલધ્યાન સુધીના સર્વ સાધનો-માર્ગસાધનની પદ્ધતિઓ જુદી જુદી છતાં સમ્યક્દષ્ટિ અપુનબંધકથી માંડીને જિનકલ્પી વગેરે મધ્યસ્થ ભાવવર્તી જીવોને તે સર્વ એક પરબ્રહ્મને પમાડે છે; કેમકે સર્વ સાધનો-ઉપાયો એક શુદ્ધ આત્મસ્વરૂપમાં જ અવતરે છે અને તે સર્વનું મોક્ષ સાધન કરવું તે એક જ સાધ્ય છે.” स्वगमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो, वा किं तु मध्यस्थया दृशा ॥५॥ ભાવાર્થ:- “અમે રાગમાત્રે કરીને જ જિનાગમનો આશ્રય કરતા નથી. એટલે કે અમારી કુળપરંપરાથી ચાલતો આવેલો ધર્મ આ છે, માટે અમારે તેનો જ આશ્રય કરવો જોઈએ એમ ધારીને તેનો આદર કરતા નથી, તેમજ કપિલાદિક પરશાસ્ત્ર પરકીય છે એવા ષમાત્રથી જ અમે તેનો ત્યાગ કરીએ છીએ તેમ નથી. પણ યથાર્થ વસ્તુ સ્વરૂપની પ્રરૂપણા વડે તે સમ્યજ્ઞાનનું કારણ છે. એમ મધ્યસ્થ દષ્ટિ વડે પરીક્ષા કરીને જ અમે તેનો આશ્રય કરીએ છીએ.” કહ્યું છે કે – Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥१॥ ભાવાર્થ ઃ- “મારે વીરસ્વામીના પર પક્ષપાત નથી, તેમ જ કપિલાદિક (અન્ય ધર્મીઓ) ઉપર દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિવાળું હોય તેનું જ વચન ગ્રહણ કરવા લાયક છે.” એવો મારો નિશ્ચય છે. न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वमेव वीरं प्रभुमाश्रयामः ॥२॥ ભાવાર્થ :- “હે વીરસ્વામી ! માત્ર શ્રદ્ધાએ કરીને જ તમારે વિષે મારો પક્ષપાત છે એમ નથી, તેમજ માત્ર દ્વેષથી જ બીજાઓ પર અરુચિ છે એમ પણ નથી, પરંતુ યથાસ્થિત આપ્તપણાની પરીક્ષાએ કરીને જ તમને (વીર ભગવાનને) અમે આશ્રયે છીએ-તમારો આશ્રય કરીએ છીએ.” ઈત્યાદિ ગુરુના મુખથી ધર્મદેશના સાંભળીને અર્હન્મિત્રે સ્વદારાસંતોષરૂપ નિયમ ગ્રહણ કર્યો. હવે તેના મોટા ભાઈની વહુ તે દિયર પર આસક્ત થઈને હાવભાવ કટાક્ષપૂર્વક મધુર વાણીથી તેને નિરંતર અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી, પરંતુ અર્હન્મિત્ર તેના પર કિંચિત્ પણ આસક્ત થયો નહીં, આ પ્રમાણેનું સ્ત્રી ચરિત્ર જોઈને પોતાના વ્રતના રક્ષણ માટે તેણે પાંચ મહાવ્રત ઉચ્ચરી દીક્ષા ગ્રહણ કરી. તેના પર આસક્ત થયેલી તે મોટા ભાઈની વહુ મરીને કૂતરી થઈ. એકદા અહન્મિત્રમુનિ વિહાર કરતા કરતા તે કૂતરી હતી ત્યાં આવ્યા. તેને જોઈને તે કૂતરીએ તેને પતિની જેમ આલિંગન કર્યું. તે જોઈ લજ્જાથી મુનિ નાસી ગયા. તે કૂતરી પણ મરીને મોટા અરણ્યમાં વાનરી થઈ. ભવિતવ્યતાના યોગથી તે અરણ્યમાં તે મુનિ આવી ચડ્યા. તેને જોઈને તે વાનરી પ્રથમની જેમ જ રાગથી તેને આલિંગન કરવા લાગી. તે જોઈ બીજા સાધુ તે મુનિની વાનરીપતિ કહીને મશ્કરી કરવા લાગ્યા. તે સાંભળીને લજ્જાથી ક્રોધયુક્ત થઈને મુનિ ત્યાંથી નાસી ગયા. તે વાનરી મરીને યક્ષિણી થઈ. તે મુનિને જોઈને તેને જાતિસ્મરણ થયું. તેથી તેણે વિચાર્યું કે “આ મુનિની મેં ઘણા ભવથી વાંછા કરી છે, પણ તે હજુ મને ઈચ્છતા નથી, તેથી આજે તો હું તેને આલિંગન કરું.” એમ વિચારીને તેણે મુનિને આલિંગન કર્યું. તે જોઈને મુનિ ત્યાંથી નાઠા. માર્ગમાં નદીને ઓળંગવા માટે તે મુનિ જળમાં પ્રવેશ કરતા હતાં, તેવામાં તે યક્ષિણીએ તે મુનિનો એક પગ છેદી નાખ્યો. તે જોઈને શાસનદેવીએ તે યક્ષિણીને તાડના કરી કહ્યું કે, “હે પાપિણી ! તું આ મુનિનો પરાભવ કરે છે તે યોગ્ય નથી. તારો પૂર્વભવ સાંભળ.” એમ કહી તેને તેનો ૧. સામાન્ય વ્યંતરીઓનું અવધિજ્ઞાન બહુ અલ્પ હોય છે, તેથી તેના વડે તે ઓળખી કે જાણી શકતી નથી પણ જાતિસ્મરણ થવાથી જાણી શકે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૭. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પૂર્વભવ કહ્યો. તે સાંભળીને તે યક્ષિણીએ મુનિને મિથ્યાદુકૃત આપીને ખમાવ્યા. પછી શાસનદેવીએ પોતાના દિવ્ય પ્રભાવથી મુનિનો છેદાયેલો પગ સાજો કર્યો. મુનિ પણ વિશેષ પ્રકારે સંયમનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયા. ત્યાંથી અવી અનુક્રમે મોક્ષપદ પામશે. (આ કથા પ્રથમ લખી ગયા છતાં પ્રસંગને લીધે અહીં ફરીવાર લખી છે.) “પોતાના મોટા ભાઈની સ્ત્રીએ ઘણી વિડંબના પમાડી તેમજ અન્ય જનોએ મશ્કરી કરી તો પણ અઈન્મિત્રે મધ્યસ્થભાવ છોડ્યો નહીં. તે પ્રમાણે સર્વ મુનિએ આચરણ કરવું.” ૩૨૦ નિર્ભયતા ગુણ एकं ब्रह्मास्त्रमादाय, निनन्मोहचमू मुनिः । बिभेति नैव संग्राम-शीर्षस्थ इव नागराट् ॥१॥ ભાવાર્થ - “બ્રહ્મજ્ઞાન એટલે આત્મસ્વરૂપનો અવબોધ તે રૂપ અદ્વિતીય શાસ્ત્રને બ્રહ્માસ્ત્રને ગ્રહણ કરીને સંગ્રામને મોખરે રહેલા ગજવરની જેમ મોહરૂપી સૈન્યને હણતા એવા આત્મસ્વરૂપમાં આસક્ત મુનિ કોઈ વખત પણ ભય પામતા નથી. કષ્ટમાં પડ્યા સતા પણ કર્મના પરાજયમાં પ્રવર્તે છે – તેનો ભય ધરાવતા નથી, કેમકે તે શરીરાદિક સમગ્ર પરભાવથી વિરક્ત હોય છે.” આ સંબંધમાં અંદઋષિની કથા છે તે આ પ્રમાણે - સ્કન્દકમુનિની કથા શ્રાવસ્તીનગરીમાં જિતશત્રુ રાજાનો પુત્ર સ્કન્દક નામે હતો. તે રાજાને પુરન્દરયશા નામે એક કન્યા હતી. તેને રાજાએ કુંભકારનગરના રાજા દંડકને પરણાવી હતી. તે દંડકરાજાને પાલક નામનો દુષ્ટ અને અભવ્ય પુરોહિત હતો. અન્યદા વિશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રાવસ્તીનગરીમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને પોતાને ધન્ય માનતો સ્કન્દક પ્રભુને વાંદવા ગયો, ત્યાં પ્રભુની દેશના સાંભળીને તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. એકદા પાલક પુરોહિત કાંઈક રાજકાર્ય માટે શ્રાવસ્તીનગરીએ આવ્યો. તેણે રાજસભામાં મુનિઓની નિંદા કરી. તે સાંભળી સ્કન્દકે તેનો પરાજય કરી નિરુત્તર કર્યો; તેથી તે પાલક સ્કન્દકની ઉપર દ્વેષ ધારણ કરતો પોતાને સ્થાને ગયો. અનુક્રમે ભોગવિલાસ સંબંધી સુખ ભોગવીને વિરક્ત ચિત્તવાળા સ્કન્દકે પાંચસો માણસ સહિત શ્રી જિનેન્દ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગીતાર્થ થયા. ત્યારે પ્રભુએ તે પાંચસો સાધુને તેના શિષ્ય તરીકે આપ્યા. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ એકદા સ્કન્દકાચાર્યે શ્રી પ્રભુને પૂછ્યું કે, “હે સ્વામી ! જો આપની આજ્ઞા હોય તો હું મારી બહેનના દેશમાં જાઉં.” પ્રભુ બોલ્યા કે, “ત્યાં સર્વ સાધુઓને મરણ પતનો ઉપદ્રવ ઉત્પન્ન થશે.” સ્કન્દકે પૂછ્યું કે, “હે સ્વામી! તે ઉપસર્ગમાં અમે સર્વે આરાધક થઈશું કે વિરાધક થઈશું?” સ્વામીએ કહ્યું કે “એક તમારા વિના બીજા સર્વે સાધુઓ આરાધક થશે.” તે સાંભળીને નિર્ભય એવા સ્કન્દકે વિચાર્યું કે “જે વિહારમાં આટલા બધા સાધુ આરાધક થાય તે ખરેખર શુભકારી જ વિહાર છે.” એમ વિચારીને ૫૦૦ સાધુઓ સહિત સ્કન્દકાચાર્યે ત્યાંથી વિહાર કર્યો. અનુક્રમે કુંભકાર નગરના ઉપવનમાં આવ્યા. તેમના આવવાના ખબર સાંભળીને દુષ્ટ પાલકે સ્કન્દક ઉપરનું પ્રથમનું વેર લેવા માટે તે ઉદ્યાનમાં પ્રથમથી ગુપ્ત રીતે વિવિધ પ્રકારના શસ્ત્રો દાટી રાખ્યાં. પછી તેણે રાજાને કહ્યું કે, “હે સ્વામી! આપણા ગામના ઉદ્યાનમાં સ્કન્દક આવ્યા છે, તે પોતે જ મહાબળવાન છે, ઉપરાંત ભુજદંડના પ્રચંડ વિક્રમવાળા અને સાધુના વેષને ધારણ કરનારા પાંચસો સુભટોને સાથે લાવ્યા છે, તે સર્વના શસ્ત્રો તે ઉદ્યાનની પૃથ્વીમાં તેણે ગુપ્ત રાખ્યાં છે; જયારે તમે તેને વાંદવા જશો ત્યારે તે તમને મારીને તમારું રાજય લઈ લેવાના છે. આપને મારા વચન પર વિશ્વાસ ન આવતો હોય તો આપ જાતે જ જઈને ઉદ્યાનમાં સંતાડેલા શસ્ત્રો જોઈ ખાત્રી કરો.” તે સાંભળીને રાજા પાલકની સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં પાલકે તેને ગુપ્ત રાખેલાં શસ્ત્રો કાઢીને બતાવ્યાં, તે જોઈ રાજાએ ક્રોધથી સર્વ સાધુઓને બંધાવીને તે પાલકને જ સોંપ્યા અને તેને કહ્યું કે, “હે પાલક ! તારી મરજીમાં આવે તેવી શિક્ષા આ સર્વને કર.” તે સાંભળીને હર્ષ પામેલો પાલક સર્વ સાધુઓને મનુષ્યને પીલવાનું યંત્ર) ઘાણી પાસે લઈ ગયો. પછી તેણે સર્વને કહ્યું કે, “તમે સર્વ તમારા ઈષ્ટ દેવનું સ્મરણ કરો; કેમકે આ ઘાણીમાં નાંખીને તમને સર્વને હું હમણાં પીલી નાંખીશ.” તે સાંભળીને જીવવાની તથા મરવાની ઈચ્છાથી રહિત-નિર્ભય એવા સર્વે સાધુઓએ અંતિમ આરાધના કરી. પછી તે દુષ્ટ પાલક આચાર્યને ઘાણી પાસે બાંધી રાખી તેની નજરે એક પછી એક સાધુને ઘાણીમાં નાખી પીલવા લાગ્યો !! સૂરિએ કિંચિત્ પણ ખેદ કર્યા વિના સમયને યોગ્ય એવા વાક્યોથી તે સર્વની નિર્ધામણા કરી. તે આ પ્રમાણે – भिन्नः शरीरतो जीवो, जीवाद्भिन्नश्च विग्रहः । વિનિતિ વપુશ-Sણતા વિદ્યત : વૃતી II ભાવાર્થ:- “જીવ શરીરથી ભિન્ન છે અને શરીર જીવથી ભિન્ન છે. એ પ્રમાણે જાણનાર કયો પંડિત પુરુષ શરીરનો નાશ થાય તો પણ અંતઃકરણમાં ખેદ કરે ?” ઈત્યાદિ અનેક યુક્તિથી સૂરિએ બોધ પમાડેલા, શત્રુ તથા મિત્રને વિષે સમાન દૃષ્ટિવાળા અને ક્ષમારૂપી ધનવાળા તે સર્વે સાધુઓ અનુક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ પ્રમાણે તે પાપી પાલકે ચારસોને અઢાણું સાધુઓનો નાશ કર્યો ! પછી છેવટના એક ક્ષુલ્લક (બાળક) સાધુને પીલવા તૈયાર થયેલા પાલકને આચાર્યે કહ્યું કે, “હે પાલક ! આ દયા કરવા યોગ્ય બાળકને Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૧૪૯ પોલતો જોવાને હું શક્તિમાન નથી, માટે તેની પહેલાં મને પીલ અને પછી બાળસાધુને પલજે!” તે સાંભળીને આચાર્યને વધારે દુઃખી કરવાની ઈચ્છાથી તેના દેખતાં પાલકે પ્રથમ તે બાળક સાધુને જ પીલવા માંડ્યો. તે પણ મહા પૈર્યવાન બાળ સાધુ ગુરુની નિર્ધામણાથી મોક્ષે ગયા. પાલકના એક દુષ્કૃત્યને જોઈને દુઃખી હૃદયવાળા આચાર્યે ક્રોધ કરીને વિચાર્યું કે “આ પાપીએ પરિવાર સહિત મારો નાશ કર્યો, છેવટ એક ક્ષુલ્લક સાધુને પણ મેં કહ્યા છતાં એક ક્ષણવાર પણ બચાવ્યો નહીં; તો જો હવે મારા દુષ્કર તપનું કાંઈ ફળ હોય તો આવતા જન્મમાં આ દુષ્ટ પુરોહિત, રાજા અને આ આખા દેશનો હું બાળનાર થાઉં.” આ પ્રમાણે નિદાન કરીને સ્કંદકાચાર્ય તે પાપીથી પલાઈ મૃત્યુ પામી વહ્નિકુમારમાં દેવ થયા. હવે તે જ દિવસે સ્કન્દ,સૂરિની બહેન પુરંદરયશાને વિચાર થયો કે “કેમ આજે નગરમાં સાધુઓ જણાતા નથી?” આ પ્રમાણે વિચાર કરે છે, તેવામાં સ્કન્દકાચાર્યનું લોહીવાળું રજોહરણ ઉપાડીને કોઈ ગીધ પક્ષીએ ભવિતવ્યતાના યોગે તે રાણીની પાસે જ પડતું મૂક્યું. તે લઈને ઉખેળતાં તેને માલૂમ પડ્યું કે “આ કાંબળનો કકડો મેં જ મારા ભાઈને તૈયાર કરીને દીક્ષા વખતે આપ્યો હતો.” આ નિશાનીથી મુનિઓને હણાયેલા જાણીને ખેદ પામેલી રાણીએ રાજાને કહ્યું કે “રે દુષ્ટ ! આ શું મોટું અકાર્ય કર્યું? આ મહાપાપથી તને મોટી વ્યથા પ્રાપ્ત થશે.” એમ કહીને વૈરાગ્યથી પુરદ્રયશા દીક્ષા લેવા ઉત્સુક થઈ. તે જાણીને તરત જ શાસનદેવતાએ તેને શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે મૂકી, ત્યાં તેણે દીક્ષા લઈ પરલોકનું કાર્ય સાધ્યું. હવે પેલા સ્કન્દક દેવતાએ અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વ વૃત્તાન્ત જાણી મહાક્રોધથી આખા દેશ સહિત કુંભકારનગરને બાળી નાંખ્યું, તેથી તે સ્થાન મોટું અરણ્ય થયું. તે દેશનો રાજા દંડક હોવાથી ત્યાં થયેલું અરણ્ય હજુ સુધી પણ દંડકારણ્યને નામે પ્રસિદ્ધ છે. “ગુણના સમૂહને ધારણ કરનારા ચારસો ને નવાણું સાધુઓએ જેમ નિર્ભયતારૂપ ગુણનો ત્યાગ કર્યો નહીં, તેમ સાધુઓએ પણ તે ગુણનો ત્યાગ કરવો નહીં અને સ્કન્દકાચાર્યની જેમ ક્રોધ કરવો નહીં.” ૩૨૧ આત્મપ્રશંસા गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥१॥ ભાવાર્થ:- “જો કેવળજ્ઞાનાદિક ગુણોએ કરીને પૂર્ણ ન હો તો આત્મશ્લાઘાથી સર્યું, કેમકે ગુણરહિત આત્માની શી પ્રશંસા કરવી? અને જો સમ્યગુ રત્નત્રયાદિક ગુણોએ કરીને પૂર્ણ હો, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ તો પણ આત્માની પ્રશંસા કરવાથી સર્યું. કેમકે વાણી વડે માત્ર આત્માની શ્લાઘા કરવાથી શું? શુદ્ધ ગુણો પોતાની જાતે જ પ્રગટ થાય છે.” आलंबिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः । अहो स्वयं गृहीतास्तु, पातयन्ति भवोदधौ ॥२॥ ભાવાર્થ:- “અન્ય જનોએ પોતાના ગુણરૂપ રજુનું આલંબન કર્યું હોય તો તે કલ્યાણને માટે થાય છે, પણ તે ગુણરૂપી રજુનું પોતે જ ગ્રહણ કર્યું હોય તો તે ભવસમુદ્રમાં નાંખે છે, તે મોટું આશ્ચર્ય છે.” પોતાના ગુણનું અન્ય જનો સ્મરણ ચિંતન વગેરે કરે તો તેમનું કલ્યાણ થાય છે અને પોતાને સુખને માટે થાય છે, પણ પોતે જ પોતાના ગુણની શ્લાઘા કરે તો તે ઉલટા ભવસાગરમાં નાંખે છે, માટે પોતાના ગુણની શ્લાઘા કદિ પણ પોતે કરવી નહીં. આ પ્રસંગ ઉપર મરિચિકુમારની કથા છે તે આ પ્રમાણે - મરિચિકુમારની કથા ભરત ચક્રવર્તીનો પુત્ર મરિચિકુમાર એક વખત ચક્રીની સાથે આદીશ્વર ભગવાનને વંદન કરવા ગયો. ત્યાં શ્રી ઋષભસ્વામીના મુખથી સ્યાદ્વાદ ધર્મનું શ્રવણ કરી પ્રતિબોધ પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર મુનિઓની પાસે રહીને અગિયાર અંગ ભણ્યા અને સ્વામીની સાથે ચિરકાળ વિહાર કર્યો. એકદા ગ્રીષ્મઋતુના તાપથી પીડા પામેલા મરિચિમુનિ ચારિત્રાવરણ કર્મનો ઉદય થવાથી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે “મેરુપર્વત જેટલા ભારવાળા અને વહન ન થઈ શકે તેવા મુનિના ગુણોને વહન કરવા સુખની આકાંક્ષાવાળો હું નિર્ગુણી હવે સમર્થ નથી, તો શું હવે હું લીધેલા વ્રતનો ત્યાગ કરું? ના, ત્યાગ કરવાથી તો લોકમાં મારી હાંસી થાય, પરંતુ વ્રતનો સર્વથા ભંગ ન થાય અને મને ક્લેશ પણ ન થાય તેવો એક ઉપાય મને સુયો છે, તે એ કે આ પૂજ્ય મુનિવરો હમેશાં મન, વચન અને કાયાના ત્રણે દંડથી રહિત છે, પણ હું તો તે ત્રણે દંડથી પરાભવ પામેલો છું, માટે મારે ત્રિદંડનું ચિહ્ન હો. આ મુનિઓ જિતેન્દ્રિય હોવાથી કેશનો લોચ કરે છે અને હું તેથી જીતાયેલો હોવાથી મારે અસાથી મુંડન હો, તથા મસ્તક પર શિખા હો. આ મુનિઓ મહાવ્રતને ધારણ કરનારા છે અને હું તો અણુવ્રતને ધારણ કરવા સમર્થ છું. આ મુનિઓ સર્વથા પરિગ્રહથી રહિત છે, પણ મારે તો એક મુદ્રિકામાત્ર પરિગ્રહ હો. આ મુનિઓ મોહના ઢાંકણ રહિત છે અને હું તો મોહથી આચ્છાદિત છું. તેથી મારે માથે છત્ર ધારણ કરવાપણું હો. આ મહાત્રઋષિઓ પગમાં ઉપાન પહેર્યા વિના વિચરે છે, પણ મારે તો પગની રક્ષા માટે ઉપાનહ હો. આ મુનિઓ શીલ વડે જ સુગંધી છે, પણ હું શીલથી ભ્રષ્ટ હોવાથી મારે દુર્ગધીને સુગંધ માટે ચંદનના તિલકદિ હો. આ મુનિઓ કષાયરહિત હોવાથી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, પણ હું ક્રોધાદિક કષાયવાળો હોવાથી Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૫૧ મારે કષાય રંગવાળા વસ્ત્ર હો. આ મુનિઓ બહુ જીવોની હિંસાવાળા સચિત્ત જળના આરંભને તજે છે, પણ મારે તો સ્નાન તથા પાન પરિમિત જળથી હો.” આ પ્રમાણે ચારિત્રનો નિર્વાહ કરવા સંબંધી કષ્ટ સહન કરવામાં કાયર થયેલા મરિચિએ પોતાની બુદ્ધિથી વિકલ્પ કરીને પરિવ્રાજકનો નવો વેષ અંગીકાર કર્યો. તેને તેવો નવીન વેષધારી જોઈને સર્વ લોક ધર્મ પૂછતા હતાં, પરંતુ મરિચિ તો શ્રી જિનેશ્વરે પ્રરૂપેલો સાધુધર્મ જ કહેતો હતો. સર્વની પાસે જ્યારે તે એવી શુદ્ધ ધર્મદેશનાનું પ્રરૂપણ કરતો, ત્યારે લોકો તેને પૂછતા કે, “ત્યારે તમે પોતે કેમ તેવા ધર્મનું આચરણ કરતા નથી?” તેના જવાબમાં તે કહેતો કે, “હું તે મેરુ સમાન ભારવાળા ચારિત્રને વહન કરવા સમર્થ નથી. એમ કહીને પોતાના સર્વ વિકલ્પ કહી બતાવતો હતો. એ પ્રમાણે તેમના સંશય દૂર કરીને પ્રતિબોધ પમાડેલા તે ભવ્ય જીવો જ્યારે દીક્ષા લેવા તૈયાર થતા, ત્યારે તેમને મરિચિ શ્રી યુગાદીશ પાસે જ મોકલતો હતો. આ પ્રમાણે આચાર પાળતો મરિચિ સ્વામીની સાથે જ વિહાર કરતો હતો, અનુક્રમે વિહાર કરતાં સ્વામી ફરીથી વિનિતાનગરીમાં સમવસર્યા. ભરતચક્રીએ આવીને પ્રભુને વંદના કરી. પછી ભવિષ્યમાં થવાના તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરેનું સ્વરૂપ પૂછ્યું, એટલે પ્રભુએ તે સર્વનું વર્ણન યથાસ્થિત કર્યું, ફરીથી ચક્રીએ પૂછ્યું કે, “હે સ્વામી ! આ પર્ષદામાં એવો કોઈ જીવ છે કે જે આ ભરતક્ષેત્રમાં આપની જેવો તીર્થંકર થવાનો હોય?” સ્વામી બોલ્યા કે, “આ તારો પુત્ર મરિચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે ચોવીસમા તીર્થંકર થશે અને પ્રથમ વાસુદેવ થશે તથા મહાવિદેહક્ષેત્રમાં ચક્રવર્તી થશે.” તે સાંભળીને ભરતચક્રી મરિચિ પાસે જઈ તેને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને બોલ્યા કે, “તમારું આ પરિવ્રાજકપણું વંદન કરવા યોગ્ય નથી, પણ તમે ભાવિ તીર્થંકર છો, તેથી હું તમને વાંદું છું.” એમ કહીને પ્રભુએ કહેલું સર્વ વૃત્તાંત ચક્રીએ મરિચિને કહી બતાવ્યું. તે સાંભળીને મરિચિ મહા હર્ષથી પોતાની કાખલીનું ત્રણ વાર આસ્ફોટન કરીને ઊંચે સ્વરે બોલ્યો કે, “હું પહેલો વાસુદેવ થઈશ. મૂકાનગરીમાં હું ચક્રવર્તી થઈશ. તથા છેલ્લો તીર્થંકર પણ હું થઈશ. તેથી હવે મારે બીજી કાંઈ પણ ઈચ્છા નથી.” વળી आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवर्तिनाम् । पितामहस्तीर्थकृता-महो मे कुलमुत्तमम् ॥१॥ ભાવાર્થ :- “હું વાસુદેવોમાં પહેલો. મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલા, અને મારા પિતામહ તીર્થંકરોમાં પહેલા, અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે?” ઈત્યાદિ આત્મપ્રશંસા કરવાથી તેણે નીચ ગોત્રકર્મ ઉપાર્જન કર્યું. એકદા તે મરિચિના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો. તેની સારવાર કોઈ સાધુએ કરી નહીં, તેથી તે ગ્લાનિ પામીને વિચાર કરવા લાગ્યો કે, “અહો ! આ સાધુઓ દાક્ષિણ્યગુણથી રહિત છે. ઉ.ભા.-૫-૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ મારી સારવાર કરવી તો દૂર રહી, પણ મારા સામે પણ જોતા નથી, અથવા મેં આ ખોટો વિચાર કર્યો; કેમકે આ મુનિજનો પોતાના દેહની પણ પરિચર્યા કરતા નથી, તો પછી મારી ભ્રષ્ટ ચારિત્રવાળાની સારવાર તો શેની જ કરે ? માટે હવે તો આ વ્યાધિ શાંત થાય એટલે એક શિષ્ય કરું.” એમ વિચારતાં કેટલેક દિવસે મરિચિ વ્યાધિ રહિત થયો. અન્યદા તેને કપિલ નામનો એક કુલપુત્ર મળ્યો, તેની પાસે મરિચિએ અતિ ધર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળી કપિલે તેને પૂછ્યું કે, “શું તમારા મનમાં તો ધર્મ રહેલો જ નથી?” તે સાંભળીને તેને જિનોક્ત ધર્મમાં આળસુ જાણી શિષ્ય કરવાની ઈચ્છાવાળા મરિચિએ કહ્યું કે, “જૈનમાર્ગમાં પણ ધર્મ છે, અને મારા માર્ગમાં પણ ધર્મ છે.”તે સાંભળીને કપિલ મરિચિનો શિષ્ય થયો. આવો મિથ્યા ધર્મનો ઉપદેશ કરવાથી મરિચિએ એક ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કર્યો. પછી તે પાપની આલોચના કર્યા વિના અનશન વડે મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. કપિલ પણ પોતાના પરિવ્રાજક ધર્મનો ઉપદેશ દઈ ઘણા શિષ્યો કરી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. તે કપિલદેવે અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણીને મોહથી પૃથ્વી પર આવી પોતે પ્રકટ કરેલા સાંખ્યમતનો અસુર વગેરેને બોધ કર્યો. ત્યારથી આરંભીને સાંખ્યદર્શનની પ્રવૃત્તિ થઈ. કેમકે “ઘણું કરીને સુખે થઈ શકે તેવી ક્રિયામાં લોકોની પ્રવૃત્તિ વિશેષ થાય છે, તેઓ કહે છે કે, “પચીશ તત્ત્વને જાણનાર માણસ ક્રિયા કરે અથવા ન કરે તો પણ તે નિશે મોક્ષપદ પામે છે.” આવો તેમનો (જ્ઞાનવાદીનો) મત છે. આ સ્થળે બીજું ઘણું કહેવાનું છે. તે શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રના દશમા પર્વથી જાણી લેવું. અહીં તો આત્મપ્રશંસા ન કરવી એટલું જ આ ઉપદેશનું તાત્પર્ય છે. આત્મપ્રશંસા કરવાથી મરિચિએ નીચગોત્રકર્મ ઉપાર્જન કર્યું અને ઉસૂત્રની પ્રરૂપણા કરવાથી અસંખ્ય ભવ કર્યા, માટે ભવ્ય પ્રાણીઓએ તે પ્રમાણે કરવું નહીં.” ૩૨૨ તત્વદૃષ્ટિ रूपे रूपवती दृष्टि ईष्ट्वा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ॥१॥ ભાવાર્થ - “પુદ્ગલના સ્વરૂપને ગ્રહણ કરનારી દષ્ટિ (ચક્ષુ) ચેતાદિક રૂપને જોઈને તે રૂપમાં (વર્ણાદિમાં) મોહ પામે છે; પણ રૂપરહિત એવી જ્ઞાનરૂપ-આત્મ-ચૈતન્યશક્તિલક્ષણ Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૫૩ તત્ત્વદૃષ્ટિ તો નિરૂપ (રૂપરહિત) આત્માને વિષે જ મગ્ન થાય છે; માટે અનાદિકાળથી બાહ્ય દૃષ્ટિનો ત્યાગ કરીને આત્મસ્વરૂપના ઉપયોગવાળી આન્તરદૃષ્ટિ કરવી.” ग्रामारामादि मोहाय यद्दृष्टं बाह्यया दृशा । तत्त्वदृष्टया तदेवान्त - र्नित्यं वैराग्यसंपदे ॥२॥ ભાવાર્થ :- “બાહ્ય દૃષ્ટિ વડે જે ગામ, ઉદ્યાન વગેરે જોવામાં આવે તે મોહને માટે થાય છે, એટલે અસંયમની વૃદ્ધિ માટે થાય છે તે જ ગ્રામાદિકને સ્વપરના ભેદવાળી-કૃત્રિમ અને અકૃત્રિમના વિચારવાળી તત્ત્વદૃષ્ટિ વડે અન્તઃકરણના ઉપયોગથી જોવામાં આવે તો તે નિરંતર વૈરાગ્યની સંપત્તિને માટે થાય છે.” આ પ્રસંગ ઉપર એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે - એક આચાર્યનું દૃષ્ટાંત જ્ઞાન અને ચારિત્ર વડે પ્રધાન, શ્રુતના રહસ્યનો પાર પામેલા અને ભવ્ય જીવોને તારવામાં સમર્થ એવા કોઈ એક આચાર્ય અનેક સાધુગણ સહિત ગામે ગામ વિહાર કરીને વાચનાએ કરી (ઉપદેશ આપવા વડે) સર્વ શ્રમણસંઘને બોધ કરતા હતાં. તે આચાર્ય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હતાં અને સર્વ સંયોગમાં અનિત્યાદિક બાર ભાવના ભાવતા હતાં. તે વિહારના ક્રમે કરીને એકદા એક મોટા વનમાં આવ્યા. તે વન અનેક લતા વગેરેએ કરીને નીલવર્ણ લાગતું હતું અને તેમાં અનેક પક્ષીઓનો સમૂહે નિવાસ કરેલો હતો. તે વનની પુષ્પ, પત્ર અને ફળની લક્ષ્મી (શોભા) જોઈને સર્વ મુનિઓ પ્રત્યે આચાર્ય બોલ્યા કે, “હે નિગ્રંથો ! આ પત્ર, પુષ્પ, ગુચ્છ, ગુલ્મ અને ફળોને જુઓ, તેમાં રહેલા જીવો ચૈતન્યલક્ષણરૂપ અનન્ત શક્તિવાળા છતાં તેને આવરણ કરીને રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમોહની, મિથ્યાત્વમોહની અને અંતરાયકર્મને ઉદયે કરીને દાનાદિક કાંઈ પણ ન થઈ શકે તેવા એકેન્દ્રિય ભવને પામેલા છે. તેઓ વાયુથી કંપતા, બળહીન, દુ:ખી આત્માને કોઈપણ પ્રકારના શરણ વિનાના અને જન્મ-મરણના ભાવથી યુક્ત છે, અહો ! તેઓ અનુકંપા ક૨વા યોગ્ય છે. મન, વચન અને નેત્રાદિથી રહિત એવા આ બિચારા પર કોણ દયા ન કરે ?” એમ કહી સર્વના મનમાં સંવેગ ઉત્પન્ન કરીને આગળ ચાલ્યા. તેવામાં એક મોટું નગર આવ્યું. તે નગરમાં અનેક પ્રકારના ગીત અને વાજિંત્રોના શબ્દથી વિવાહાદિક ઉત્સવો થતા પ્રગટ રીતે દેખાતા હતા, તેથી સ્વર્ગના જેવું તે મનોહર લાગતું હતું. તે નગરને જોઈને સૂરિએ સર્વ સાધુઓને કહ્યું કે, “હે મુનિઓ ! આજે આ નગરમાં મોહ રાજાની ધાડ પડી છે, તેથી આ લોકો ઉછળ્યા કરે છે, તેઓ આત્મિક ભયે કરીને વ્યાપ્ત છે, અહીં પ્રવેશ ક૨વો આપણને યોગ્ય નથી. આ લોકો લોભપાશથી બંધાયેલા છે, માટે તેઓ અનુકંપાને યોગ્ય છે, પરંતુ તેઓ મોહ-મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયેલા હોવાથી ઉપદેશને યોગ્ય નથી, માટે આપણે આગળ ચાલો.” તે સાંભળીને સાધુ બોલ્યા કે, ‘‘હે ગુરુ ! આપે અમને સારો ઉપદેશ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ કર્યો.” ઈત્યાદિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ વિહાર કરવા લાગ્યા. આવી રીતે આત્મતત્ત્વની દૃષ્ટિમાં તત્પર થયેલાને ગ્રામ, નગર, અરણ્ય સર્વ વૈરાગ્યના કારણપણે થાય છે. આ અન્વય દૃષ્ટાંત છે. હવે વ્યતિરેક દૃષ્ટાંત કહે છે - કોઈ ગરચ્છમાં આચાર્યે પોતાના આયુષ્યનો અંત આવેલો જાણીને બીજા સારા શિષ્યને અભાવે એક સ્કૂલ સમાચારીને જાણનાર શિષ્યને આચાર્યપદે સ્થાપન કર્યો. તે નવા આચાર્ય સર્વત્ર પ્રતિષ્ઠા પામવાથી આગમાદિક શાસ્ત્રના અધ્યયનમાં પ્રમાદી થયા. તેઓ શ્રુતાર્થના જાણ નહોતા, છતાં ગુરુના મહિમાથી સર્વત્ર ખ્યાતિ પામ્યા હતાં. તે સૂરિ વિહાર કરતા કરતા અન્યદા પૃથ્વીતિલક નામના નગરે આવ્યા. ત્યાં શ્રાવકોએ પુર પ્રવેશ વખતે એવો મહોત્સવ કર્યો કે જેથી તેમનો મહિમા અધિક રીતે પ્રસિદ્ધ થયો, તથા શાસનની પણ ઘણી ઉન્નતિ થઈ. તે નગરમાં પૂર્વે અનેક જૈન આચાર્યોએ આવીને રાજસભામાં ઘણા પરવાદીઓનો પરાભવ કરેલો હતો. તે વાદીઓ આ વખતે પણ આ આચાર્યની આવી ઉન્નતિ જોઈને ઈર્ષાવાળા થયા, પરંતુ પૂર્વે પરાભવ પામેલા હોવાથી ફરીથી પોતાના મહત્ત્વની હાનિ થવાનો ભય ધરાવતા હતા, તેથી પ્રથમ તે આચાર્યનું શાસ્ત્રપરિજ્ઞાન કેવું છે? તેની પરીક્ષા કરવા માટે પોતાને અનુકૂળ એવા એક શ્રાવકને કેટલાક પ્રશ્ન શીખવીને તેમની પાસે મોકલ્યો. તે શ્રાવક હંમેશા આચાર્ય પાસે જઈને વિધિપૂર્વક તેની સેવા કરવા લાગ્યો. એકદા તેણે સૂરિને પ્રશ્ન કર્યો કે, “હે ગુરુ! પુદ્ગલને કેટલી ઈન્દ્રિય હોય?” તે સાંભળી તત્ત્વદષ્ટિરહિત સૂરિએ ચિરકાળ સુધી વિચાર કર્યો, તેવામાં પૂર્વે કોઈ વખત સાંભળેલું તેને યાદ આવ્યું કે “પુગલ એક સમયમાં લોકાંત સુધી જઈ શકે છે.” આવું સ્મરણ થવાથી સૂરિએ વિચાર્યું કે “પંચેન્દ્રિય વિના આટલી બધી શક્તિ ક્યાંથી હોય?” એમ હૃદયમાં નિશ્ચય કરીને તેણે જવાબ આપ્યો કે “હે ભાઈ! પુદ્ગલને પાંચ ઈન્દ્રિયો હોય છે.” આ જવાબ તે શ્રાવકે પેલા પરવાદીઓને કહ્યો. એટલે તેઓએ ધાર્યું કે “આ સૂરિને પોતાના શાસ્ત્રનું પણ પરિજ્ઞાન નથી, તો પછી પરધર્મના શાસ્ત્રનું પરિજ્ઞાન તો ક્યાંથી જ હશે ?” એમ વિચારી સૂરિના જ્ઞાનના પારને જાણનારા તે વાદીઓએ રાજસભામાં તેમને બોલાવીને તે સૂરિનો પરાજય કર્યો, તેથી ઘણા લોકો જૈન ધર્મથી ભ્રષ્ટ થયા. તે જોઈ સંઘે મળીને સૂરિને ત્યાંથી ઘણે દૂર વિહાર કરાવ્યો. આવા તત્ત્વજ્ઞાનરહિત આચાર્યો ગ્રામ, આરામ ઉપાશ્રય, શ્રાવક અને સંઘ વગેરેમાં આસક્ત થઈને ઉપદેશ આપતા સતા પણ તેવા પ્રકારનું શુદ્ધ જ્ઞાન ન હોવાથી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે અને તેથી કરીને તેઓ પોતાના આશ્રિતોને તારવાને બદલે ઉલટા ભવસાગરમાં ડૂબાવે છે. કહ્યું છે કે – जं जयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ होइ । वळवावेइ य गच्छं, अणंतसंसारिओ होइ ॥१॥ ભાવાર્થ - “જે પોતે અગીતાર્થ હોય તથા જે અગીતાર્થની નિશ્રાવાળા હોય તે ગચ્છની વૃદ્ધિ કરતા સતા અનન્ત સંસારી થાય છે.” માટે તત્ત્વદૃષ્ટિવિકળ અને અબહુશ્રુતે ધર્મદશના આપવી યોગ્ય નથી. Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૫૫ જેઓએ શુભ એવી તત્ત્વવિચારદષ્ટિ પ્રાપ્ત કરેલી છે તેઓ વિભાવ (પુદ્ગલાદિક) વસ્તુઓને વિષે રાગ કરતા નથી અને ઉપવનમાં કે ઉપાશ્રયમાં મોહ પામતા નથી. આવા સાધુઓ જ પૃથ્વી પર તત્ત્વદૃષ્ટિવાળા થાય છે.” આ પ્રબંધ ઉપયોગી હોવાથી ફરીને લખવામાં આવ્યો છે. ૩૨૩ સંપત્તિની ક્ષણભંગુરતા संपत्स्वस्थिरतां ज्ञात्वा, पुत्रदाराहयादिषु । भूमिपालः प्रबुधो द्राक्, शास्त्रज्ञोक्तसुभाषितैः ॥१॥ ભાવાર્થ - “શાસ્ત્રજ્ઞ પંડિતે કહેલા સુભાષિત વડે પુત્ર, સ્ત્રી અને અશ્વાદિક સંપત્તિમાં અસ્થિરતા જાણીને ભૂમિપાળ નામનો રાજા તત્કાળ પ્રતિબોધ પામ્યો.” આ અર્થનું સમર્થન કરવા માટે તે રાજાનું દૃષ્ટાંત કહે છે - ભૂમિપાળરાજાની કથા પૃથ્વીપુરમાં ભૂમિપાલ રાજા રાજય કરતો હતો. તે પુરમાં શાસ્ત્રમાં પ્રવીણ એક બ્રાહ્મણ હતો. તે એક વેશ્યામાં આસક્ત થયો હતો. એકદા કૌમુદી ઉત્સવમાં રાજાની રાણી સર્વ અલંકાર પહેરી રથમાં બેસીને જતી હતી. તે વખતે તે વેશ્યા રાણીના કંઠમાં રહેલો હાર જોઈને મોહ પામી, તેથી તેણે પેલા પંડિતને કહ્યું કે “હે પ્રાણેશ ! જો તમારે મારા શરીરસુખને અનુભવવાની ઈચ્છા હોય અર્થાત્ મારા પર અધિક પ્રીતિ હોય તો રાણીના કંઠમાં રહેલો હાર ચોરીને મને લાવી આપો.” તે સાંભળી વેશ્યાને આધીન થયેલો વિષયનો ભિક્ષુ તે પંડિત ચોરી કરવા માટે ચોરની જેમ ગુપ્ત રીતે રાજમંદિરમાં ગયો. ત્યાં રાજાને જાગતો જોઈને છાની રીતે રાજાના પલંગની નીચે સંતાઈ રહ્યો. તે વખતે રાજાએ સંપત્તિના ગર્વથી એક શ્લોકના ત્રણ પદ રચ્યાં, પણ ચોથું પદ તેનાથી બની શક્યું નહીં, તેથી તે ત્રણ પદ રાજા વારંવાર બોલવા લાગ્યો. તે આ પ્રમાણે - चेतोहरा युवतयः स्वजनानुकूलाः सद्बान्धवाः प्रणयनम्रगिरश्च भृत्याः। गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरंगाः ભાવાર્થ:- “મારે ચિત્તને હરણ કરે તેવી સ્ત્રીઓ છે, અનુકૂળ સ્વજનો છે, સારા બાંધવો છે, પ્રણય કરીને નમ્ર વાણી બોલનારા ભૃત્યો છે, આંગણામાં હસ્તિના સમૂહો ગર્જના કરી રહ્યા છે તથા ચંચળ ઘોડાઓ છે - Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ આ ત્રણ પદ વારંવાર રાજાના મુખથી બોલતા સાંભળીને તે પંડિત ચોથું પદ પૂરું કરીને બોલ્યો કે – संमीलने नयनयोर्न हि किंचिदस्ति ॥१॥ ‘પણ આંખો મીંચાયા પછી તેમાંનું કાંઈ જ નથી, અર્થાતુ મૃત્યુ થાય એટલે તે સર્વ નિષ્ફળ છે.” આ ચોથું પદ સાંભળીને એકદમ આશ્ચર્ય પામેલો રાજા વિચાર કરીને બોલ્યો કે, “અહો ! પહેરેગીરોને છેતરીને મારા મહેલમાં કોણ આવ્યું છે? દેવ, દાનવ અથવા મનુષ્ય જે હો તે એકદમ પ્રગટ થાઓ.” તે સાંભળીને જેનો દેહ કંપાયમાન થઈ રહ્યો છે એવો તે પંડિત પ્રગટ થઈને બોલ્યો કે, “હે સ્વામી ! આપનો ગર્વ હરણ કરવાના હેતુથી ચોથું પદ પૂરું કરવા માટે આ નવીન માર્ગથી હું અહીં આવ્યો છું.” રાજાએ કહ્યું કે, “સત્ય બોલ, અસત્ય શા માટે બોલે છે?” ત્યારે તે પંડિત સર્વ સત્ય વાત રાજાને કહી સંભળાવી. તે સાંભળીને રાજાએ તેને હાર આપ્યો, અને “ગુરુ હોવાથી અવધ્ય છે' એમ વિચારીને તેને છોડી મૂક્યો. પછી તે પંડિતે કહેલા ચોથા પદથી પ્રતિબોધ પામેલો રાજા પ્રાતઃકાળે રાજસભામાં ગયો. તે વખતે કંચુકીના મુખથી શ્રીમાનું સુધર્મ ગુરુનું આગમન સાંભળીને હર્ષપૂર્વક તે ગુરુ પાસે જઈ તેમને વંદના કરી યોગ્ય સ્થાને બેઠો. તે વખતે ગુરુએ નીચે પ્રમાણે ધર્મદેશના આપી. बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु महात्मनः । માવાવમાસો, હુરા: સર્વા: સમૃદ્ધયઃ III ભાવાર્થ:- “મહાત્માને બાહ્ય દૃષ્ટિના પ્રચારોનો રોધ થવાથી સર્વ સમૃદ્ધિ અંતઃકરણમાં જ ફુટ રીતે ભાસે છે.” સ્વરૂપ અને પરરૂપના ભેદજ્ઞાન વડે શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવમાં લીન થયેલા મહાત્માને સર્વ સમૃદ્ધિઓ અંતઃકરણમાં જ ફુટ ભાસે છે. “હું સ્વરૂપાનંદમય છું, હું નિર્મળ, અખંડ અને સર્વ પ્રકાશક જ્ઞાનવાળો છું, ઈન્દ્ર ચંદ્રાદિકની સંપત્તિઓ તો ઔપચારિક છે અને હું તો અવિનાશી તથા અનંત પર્યાયવાળી સંપત્તિથી યુક્ત છું” આવી રીતના આત્મસ્વરૂપના જ્ઞાનથી યુક્ત થયેલા મહાત્માને પોતાના આત્મામાં જ સર્વ સંપત્તિઓ ભાસે છે, પણ બાહ્ય દૃષ્ટિપ્રચાર એટલે વિષયોમાં પ્રવર્તતી જે ઈન્દ્રિયો તેમનો પ્રચાર બંધ થાય ત્યારે જ સર્વ સંપત્તિઓ ભાસે છે, કેમકે ચંચળ ઉપયોગવાળા ઈન્દ્રિયોના પ્રચારથી આત્માની અંદર રહેલી, અમૂર્ત અને કર્મથી આવરેલી આત્મસ્વરૂપની સંપત્તિ જણાતી જ નથી, પણ ઈન્દ્રિયોની ચંચળતા રોકવાથી સ્થિર ચૈતન્યના ઉપયોગ વડે કર્મમળના પડલથી ઢંકાયેલી એવી આત્મસંપત્તિ પણ જોવામાં આવે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ समाधिनन्दनं धैर्य, दंभोलिः समता शची । ज्ञान महाविमानं च, वासवश्रीरियं मुनेः ॥२॥ ભાવાર્થ:- “મુનિને ક્રીડા કરવા માટે સમાધિરૂપ નંદનવન છે, વૈર્યરૂપી વજ છે, સમતારૂપી ઈન્દ્રાણી છે અને જ્ઞાનરૂપી મોટું વિમાન છે, માટે મુનિ પાસે આ પ્રમાણે ઈન્દ્રની સર્વ સમૃદ્ધિ છે.” અહીં મુનિ એટલે આત્મસ્વરૂપના જ્ઞાનના અનુભવમાં લીન થયેલાને ઉપર પ્રમાણે ઈન્દ્રની શોભા હોય છે. તેમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયના એકપણાએ કરીને નિર્વિકલ્પ આનંદરૂપ સમાધિને નંદનવન કહેલું છે. ઈન્દ્રને નંદનવન ક્રીડાના સુખને માટે છે, તેવી જ રીતે મુનિને પણ સમાધિ ક્રીડા સુખને માટે છે. ધૈર્ય એટલે આત્મવીર્ય અર્થાત્ ઔદયિકભાવમાં અક્ષુબ્ધતા તદ્રુપ વજ કહેલું છે. સમતારૂપી સ્વધર્મપત્ની (ઈન્દ્રાણી) કહી છે અને સર્વ વસ્તુના અવબોધવાળું જ્ઞાન તદ્રુપ મહાવિમાન કહેલું છે. ઈત્યાદિ ઋદ્ધિથી પરિવૃત્ત મુનિ ઈન્દ્ર જેવા જ લાગે છે. વળી - विस्तारितक्रियाज्ञान-चर्मछत्रो निवारयन् । मोहम्लेच्छमहावृष्टिं, चक्रवर्ती न किं मुनिः ॥३॥ ભાવાર્થ :- “ક્રિયારૂપી ચર્મરત્નને અને જ્ઞાનરૂપી છત્રરત્નને જેણે વિસ્તાર્યું છે, અને તે સાધન વડે મોહરૂપી સ્વેચ્છાએ કરેલી મહા વૃષ્ટિનું નિવારણ કરે છે, એવા મુનિ શું ચક્રવર્તી નથી ? છે જ.” આ બે શ્લોકનું તાત્પર્ય એવું છે કે “દેવોમાં ઈન્દ્ર શ્રેષ્ઠ છે અને મનુષ્યોમાં ચક્રવર્તી શ્રેષ્ઠ છે. તે બન્નેની સમૃદ્ધિનું સુખ મુનિના સ્વભાવમાં જ અન્તર્ભાવ પામ્યું છે, તો બીજાના સુખનું તો શું કહેવું?” વળી તીર્થંકરની સમૃદ્ધિનું સુખ પણ મુનિના આત્મસ્વભાવમાં સમાયેલું છે. તે આ પ્રમાણે - रत्नस्त्रिभिः पवित्रा या, श्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साप्यर्हत्पदवी न दवीयसी ॥१॥ ભાવાર્થ:- “સ્વર્ગ, મૃત્યુ અને પાતાલના ત્રણ પ્રવાહે કરીને ગંગાનદીની જેમ ત્રણ રસ્તે કરીને પવિત્ર એવી જે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયવાળી, આઠ પ્રાતિહાર્યથી યુક્ત અને જગતને ધર્મોપદેશ વડે ઉપકાર કરનારી તીર્થંકરની પદવી, તે પણ અષ્ટાંગ યોગના સાધનથી સિદ્ધ થયેલા મુનિને કાંઈ જ દૂર નથી; અર્થાત્ ત્રિલોકમાં અદ્ભુત પરમાર્થને આપવા વગેરે રૂપ અતિશયવાળી તીર્થકરની સમૃદ્ધિ પણ યથાર્થ માર્ગમાં રહેલા સાધક પુરુષની પાસે જ છે.” | માટે સર્વ ઉપાધિનો ત્યાગ કરીને આત્માના રત્નત્રયની સાધના કરવી, “જેથી સર્વ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય, ઈત્યાદિ ધર્મોપદેશ સાંભળીને પ્રતિબોધ પામેલા ભૂમિપાળ રાજાએ સર્વ બાહ્ય સંપત્તિઓને ક્ષણભંગુર જાણી, તેનો ત્યાગ કરીને સાધુધર્મ (ચારિત્ર) અંગીકાર કર્યો. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ભૂમિપાળ રાજાની જેમ બાહ્ય સંપત્તિઓ ક્ષણભંગુર છે - નાશવંત છે એવો નિશ્ચય હૃદયમાં ધારણ કરવો, જેથી આત્મામાં જ રહેલી ઈન્દ્રની તથા ચક્રવર્તીની સર્વ સંપત્તિઓ સહેજે પ્રાપ્ત થશે.” ૩૨૪ કર્મની વિચિત્રતા दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य न विस्मितः । जगत् कर्मविपाकस्य, जानन् परवशं मुनिः ॥१॥ ભાવાર્થ - “આ ચરાચર જગત શુભ અને અશુભ ઉદયવાળા કર્મવિપાકને પરવશ છે, એમ જાણનાર તત્ત્વરસિક મુનિ અશાતાદિક દુઃખને પામીને દીન થતા નથી; કેમકે કર્મ કરતી વખતે વિચાર કર્યો નહીં, તો હવે તીવ્ર રસ વડે બંધાયેલા કર્મના ઉદયમાં દીનતા શી કરવી? એમ સમજે છે, તેમજ શાતાદિક સુખને પામીને વિસ્મિત (હર્ષિત) થતા નથી; કેમકે એ શુભ કર્મના વિપાક છે એમ જાણે છે. વળી - येषां भ्रूभंगमात्रेण, भज्यन्ते पर्वता अपि । प्राप्तायां दुर्दशायां ते, प्राप्यन्ते क्वापि नाशनम् ॥२॥ ભાવાર્થ :- “જેઓની ભૂકુટીના ભંગમાત્રે કરીને પર્વતો ભાંગી જાય છે એવા મહા શક્તિવાનું પુરુષને પણ દુર્દશા પ્રાપ્ત થાય છે ત્યારે કોણ જાણે સુખ ક્યાં નાશ પામી જાય છે તેની ખબર પણ પડતી નથી. આ પ્રસંગ ઉપર એક કથા છે તે આ પ્રમાણે - કદંબ વિપ્રની કથા કાકંદીપુરીમાં સોમશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને કદંબ નામે પુત્ર હતો. તે શૌચધર્મમાં અતિ આગ્રહી હતો. અપવિત્ર કે નીચ માણસની છાયામાત્રનો પણ સ્પર્શ થતાં તે સર્વ વસ્ત્ર સહિત સ્નાન કરતો; તથા લોકો તેને પાણીનો પિશાચ એવે નામે બોલાવતા હતા. તે મુખ અને નાસિકાને વસ્ત્રના છેડા વતી ઢાંકીને સર્વત્ર હું હું કરતો અટન કરતો હતો. કોઈ માણસના વસ્ત્રનો છેડો તેને અડકી જતો તો તેના પર દ્વેષ કરતો. આવી રીતે શૌચધર્મ પાળતાં કેટલેક કાળે તે ગલકુષ્ઠ વગેરે વ્યાધિથી ગ્રસ્ત થયો, તેથી તેનો કોઈપણ સ્પર્શ કરતું નહીં. વૈદ્ય પણ તેનો ચેપ લાગવાના ભયથી તેની નાડી પણ જોતા નહીં. કહ્યું છે કે – ज्वरो भगंदरः कुष्टः, क्षयश्चैव चतुर्थकः । एते संस्पर्शतो रोगाः, संक्रमन्ति नरान्नरम् ॥१॥ Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૧૫૯ ભાવાર્થઃ- “જ્વર, ભગંદર, કુષ્ટ અને ચોથો ક્ષય, એ રોગો સ્પર્શ કરવાથી એક માણસથી બીજા માણસમાં સંક્રમણ કરે છે.” આ વ્યાધિથી તેનો શૌચધર્મ નષ્ટ થયો અને શરીરમાં અતિ વેદના થવા લાગી, એકદા તે કોઈ યતિની પાસે ગયો. ત્યાં યતિએ તેને ધર્મોપદેશ આપ્યો. કદંબે યતિને પૂછયું કે, “તમે સ્નાન કરતા નથી, તો તમારી શુદ્ધિ શી રીતે થાય છે?” મુનિએ જવાબ આપ્યો કે, “આ શરીર સદા અશુચિ જ છે, તેનું સ્નાન કરવાથી શી રીતે શુચિપણું થાય ? માટે મનની શુદ્ધિ જ જોવી જોઈએ; કેમકે રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર અને વસા ઈત્યાદિ અશુચિના સ્થાનરૂપ શરીરનું શુચિપણું ક્યાંથી હોય? અહો! નવ દ્વારમાંથી નિરન્તર અશુચિ રસને ઝરવાવાળા અને અશુચિથી વ્યાપ્ત એવા આ દેહમાં શૌચનો સંકલ્પ માત્ર કરવો, તે પણ મહામોહનું વિલસિત જ છે.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળી કદંબે વિચાર્યું કે “હું તો ફોગટ જ શૌચવાદ કરું છું, ખરેખર તો આ સાધુઓ જ પવિત્ર છે; કેમકે “બ્રહ્મચારી સદા શુચિઃ” બ્રહ્મચારી નિરંતર પવિત્ર જ છે.” ઈત્યાદિ વિચાર કરીને પછી તેણે ફરીથી ગુરુને પૂછ્યું કે, “હે સ્વામી ! મને શરીરમાં મહાદુઃસહ પીડા થાય છે, એક ક્ષણ માત્ર શાંતિ થતી નથી, તેનું શું કારણ?” ગુરુ બોલ્યા કે, “કર્મની ઘટના ઊંટના પૃષ્ટ જેવી મહાવિષમ છે. જાતિ, કુલ, દેહ, વિજ્ઞાન, આયુ, બલ, ભોગ અને સંપદા વગેરેની વિષમતા જોઈને આ સંસારમાં વિદ્વાન માણસને પ્રીતિ કેમ થાય? ન જ થાય. વળી રત્નત્રયી પરિણત અને તીવ્ર ક્ષયોપશમવાળા મુનિ અપૂર્વકરણના બળથી ઉપશમશ્રેણિ પામીને ચારિત્ર પરિણામ પર આરૂઢ થઈ સર્વથા મોહોદય રહિત થાય છે અને તે કેવળીની હદે પહોચે છે; તો પણ દુષ્ટ કર્મને લીધે અર્થાત્ સત્તામાં રહેલા મોહનીયકર્મના ઉદયથી અથવા આયુકર્મનો અંત થવાથી (આયુષ્ય પૂર્ણ થવાથી) ત્યાંથી પણ ભ્રષ્ટ થાય છે અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. દુષ્ટ મોહનીયના વશથી પ્રાણીને અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે; તેથી કોઈપણ પ્રયત્ન ચેતનાને કર્માધીન કરવી નહીં, સ્વાધીન કરવી. વળી કર્મની વિષમતા એવી છે કે કોઈ રેક માણસ શુભ કર્મના ઉદયથી એક ક્ષણમાત્રમાં રાજા થાય છે અને કોઈ રાજા અશુભ કર્મના ઉદયથી ક્ષણમાત્રમાં રંક થાય છે. પુરાણમાં પણ કહ્યું છે કે – यादृशं क्रियते चित्तं, देहिभिर्वर्णनादिषु । तादृशं कविवन्नूनं, जायते सततं जने ॥१॥ ભાવાર્થ:- “સ્તુતિ-નિંદા વગેરેમાં કવિઓની જેમ પ્રાણીઓ જેવું ચિત્ત કરે છે તેવું લોકમાં નિરંતર પ્રાપ્ત થાય છે.” એકદા બ્રહ્મા વગેરે ઘણા દેવો એકત્ર મળીને પોતપોતાના ઉત્કર્ષનું વર્ણન કરતા હતા, તે વખતે શનિશ્ચર બોલ્યો કે, “હું સર્વ દેવાદિકને સુખ દુઃખ આપવા સમર્થ છું.” તે સાંભળી શંકરે કહ્યું કે, “તું કેવું સુખ-દુઃખ આપે છે તે જોઈશું, મને બતાવજે.” એમ કહીને મહાદેવે સ્વસ્થાને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ _ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ જઈને તે વાત પાર્વતીને કહી. પછી શિવે પોતે પાડાનું રૂપ લીધું, અને પાર્વતીએ ભેંશનું રૂપ કર્યું. પછી નગરની અશુચિમય ખાળમાં જઈને બન્ને જણા રહ્યા. ત્રણ દિવસ રહીને તે બને ત્યાંથી નીકળીને ઘેર આવી પોતાના મૂળ સ્વરૂપવાળા થયા. પછી શંભુએ શનિ પાસે જઈને કહ્યું કે, “તારી દશા કાલે પૂરી થઈ. તે તો મને કાંઈ પણ દુઃખ આપ્યું નહીં.” શનિ બોલ્યો કે, “તમે ક્યાં રહ્યા હતા?” ત્યારે શંકરે પોતાની સ્થિતિ કહી બતાવી. ત્યારે શનિ બોલ્યો કે, “હું કાંઈ લાકડી લઈને કોઈને મારતો નથી, પણ તેવા પ્રકારની બુદ્ધિ આપું છું કે જેથી પોતાની જાતે જ તે દુઃખમાં પડે છે. તમે ત્રણ દિવસ સુધી અશુચિમય ખાળમાં રહ્યા. તેથી વધારે કયું દુઃખ? માટે હું જ લોકોને દુઃખાદિક આપું છું, પણ તે કર્મની પ્રેરણાથી જ આપું છું.” તે સાંભળી શિવ બોલ્યા કે “એ વાત સત્ય છે કે જીવો કર્મથી જ કરેલાં સુખ-દુઃખને પામે છે.” પછી સર્વ દેવોએ “તાર્યક્ષો નાતિ” એટલે કરેલાં કર્મનો ભોગવ્યા વિના નાશ થતો નથી, એમ અંગીકાર કર્યું.” આ પ્રમાણે શ્રી ગુરુના મુખથી કર્મવિપાકનું સ્વરૂપ સાંભળીને તે કદંબ વિપ્ર બોલ્યો કે “જો મને પણ આ રોગની શાંતિ થાય તો હું પણ ગુરુ જેવો થાઉં.” ત્યારે ગુરુ બોલ્યા કે “સર્વ ઔષધો મૂકીને એક નવકાર મંત્રને જ છ માસ સુધી ગણ્યા કર; તારે બીજું કાંઈ પણ ધ્યાન કરવું નહીં.” કદંબે ગુરુના કહેવાથી નવકારનું જ ધ્યાન કરવા માંડ્યું, તેથી તેનો કુષ્ટ વ્યાધિ નાશ પામ્યો, એટલે તે ઉત્તમ શ્રાવક થયો. પછી સર્વ દ્રવ્યનો સન્માર્ગે વ્યય કરી ચારિત્ર લઈને અનુક્રમે સ્વર્ગે ગયો. મિથ્યાત્વાદિક હેતુએ કરીને પોતે કરેલું કર્મ દારુણ વિપાકને આપે છે, એમ સાંભળીને કદંબ બ્રાહ્મણ પોતાના સ્વરૂપને પામ્યો. તેવી રીતે બીજાઓએ પણ પ્રવર્તવું.” © ૩૫. કર્મના ફળ . स्वात्मनोच्छृखलेनात्तं, तद्भुक्त्या कर्म हीयते । अक्षयत्वमहो एकं , ढंढणर्षिकुमारवत् ॥१॥ ભાવાર્થ :- “અહો ! ઢંઢણઋષિકુમારની જેમ પોતે જ ઉદ્ધતપણાથી બાંધેલું ક્ષય ન થાય તેવું કર્મ તેનું ફળ ભોગવ્યાથી જ ક્ષય પામે છે.” તેમનું દૃષ્ટાંત આ પ્રમાણે - ઢંઢણઋષિકુમારની કથા કબેરે બનાવેલી દ્વારકાનગરીમાં શ્રીકૃષ્ણવાસુદેવ બળભદ્રની સાથે રાજ્ય કરતા હતા. તે વાસુદેવને ઢંઢણા નામે રાણી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો ઢંઢણ નામનો કુમાર હતો. તે Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૬૧ યુવાવસ્થાને પામ્યો, એટલે તેને કૃષ્ણવાસુદેવે મોટા ઉત્સવથી સૌન્દર્યમાં દેવકન્યાનો પણ તિરસ્કાર કરે તેવી ઘણી રાજકન્યાઓ પરણાવી, તેની સાથે ઢંઢણકુમાર પંચેન્દ્રિય સંબંધી સુખભોગ ભોગવવા લાગ્યો. એકદા તે નગરીમાં શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યા. વનપાળના મુખથી તે ખબર સાંભળીને પ્રભુને વાંદવા માટે સર્વ પરિવાર સહિત શ્રીકૃષ્ણ ઢંઢણકુમારને સાથે લઈને ગયા. સમવસરણ નજીક આવ્યા એટલે રાજય સંબંધી પાંચ ચિહ્નોનો ત્યાગ કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સ્વામીને વંદના કરી અને વિનયથી નમ્ર દેહ રાખીને ભગવાનની પાસે બેઠા. પછી સ્વામીએ સર્વ પ્રાણીઓની ભાષાને અનુસરતી વાણી વડે દેશના આપી. તે સાંભળીને જેને સંવેગ ઉત્પન્ન થયો છે એવા ઢંઢણકુમારે મહા પ્રયત્ન માતાપિતાની આજ્ઞા મેળવી ભગવંતની પાસે દીક્ષા લીધી. પછી ભગવાનની પાસે ગ્રહણા અને આસેવના નામની બે પ્રકારની શિક્ષા શીખતાં તેમણે સાંભળ્યું કે, “મુનિએ છે કારણે આહાર લેવો. તે આ પ્રમાણે - छुहवेअणवेयावच्चे, संजमझ्झाण पाणरक्खणट्ठाए । इरियं च विसोहेडं, भुंजइ नो रूवरसहेउं ॥१॥ ભાવાર્થ:- “ક્ષુધા-વેદનાનું શમન, વૈયાવૃત્ય, સંયમ, ધ્યાન, પ્રાણરક્ષા અને ઈર્યાપથિકીનું શોધન એ છ હેતુએ મુનિ આહાર કરે, પણ રૂપ કે રસના હેતુથી આહાર કરે નહીં.” તેની વ્યાખ્યા કરે છે - ૧. સુધા તૃષાની વેદના છેદવા માટે મુનિએ આહાર લેવો. ૨. દશ પ્રકારની વૈયાવૃત્યને માટે આહાર લેવો, કેમકે સુધાદિકથી પીડાયેલો માણસ વૈયાવૃત્ય કરવા સમર્થ થતો નથી. ૩. પડિલેહણા પ્રમાર્જનાદિ લક્ષણવાળા સંયમને પાળવા માટે આહાર લેવો, કેમકે આહારાદિક વિના કચ્છ, મહાકચ્છ વગેરેની જેમ સંયમનું પાલન થઈ શકે નહીં. ૪. સૂત્ર ને અર્થનું ચિંતન કરવામાં એકાગ્રતારૂપ જે પ્રણિધાન-તેને માટે ભક્ત-પાન ગ્રહણ કરવું, કેમકે ક્ષુધા તૃષાથી દુર્બળ થયેલાને દુર્થાન પ્રાપ્ત થવાનો સંભવ છે, તો પછી તે સૂત્રાર્થનું ચિંતન તો ક્યાંથી જ કરી શકે? ૫. પ્રાણ એટલે પોતાનું જીવિત, તેના રક્ષણ માટે આહાર પાણી લેવાં, કેમકે અવિધિ વડે સુધા તૃષા સહન કરીને પોતાના પ્રાણનો પણ નાશ કરે તો તેથી પણ હિંસા થાય છે. તથા ૬. ઈર્યાપથિકી એટલે ચાલતી વખતે માર્ગ શોધવો, તેને માટે આહારાદિક ગ્રહણ કરવો, કેમકે સુધા અને તૃષાથી આકુળવ્યાકુળ થયેલા માણસને નેત્ર વડે બરાબર માર્ગમાં રહેલા જીવાદિકનું નિરીક્ષણ દુષ્કર થાય. આ છ હેતુથી મુનિ આહારાદિક ગ્રહણ કરે, પણ રૂપ એટલે શરીરના સૌન્દર્યને માટે અથવા જિહ્નાઈન્દ્રિયના રસના લોભથી આહાર ગ્રહણ કરે નહીં. હવે જે છ કારણોથી આહારાદિકનું ગ્રહણ ન કરે તે કહે છે - अहव न जिमिज्ज रोगे, मोहुदये सयणमाइउवसग्गे । पाणिदया तवहेउ, अंते तणुमोयणत्थं च ॥२॥ ૧. ખગ, છત્ર, મોજડી, મકટ ને ચામર આ પાંચ રાજચિહ્નો જાણવાં. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ભાવાર્થ :- “અથવા રોગમાં, મોહના ઉદયમાં, સ્વજનાદિકના ઉપસર્ગમાં, પ્રાણીની દયામાં, તપમાં અને છેવટ શરીરના ત્યાગમાં એટલા કારણે મુનિ આહારાદિક પ્રહણ કરે નહીં.” તેની વ્યાખ્યા કરે છે - ૧. જવર, અક્ષિરોગ, અજીર્ણ વગેરે વ્યાધિ હોય ત્યારે આહાર લે નહીં. ૨. પુરુષવેદ વગેરે લક્ષણવાળા મોહનો ઉદય થાય ત્યારે અર્થાતુ પ્રબળ વેદોદયાદિ હોય ત્યારે આહાર લે નહીં. ૩. માતા, પિતા, સ્ત્રી વગેરે સ્વજનો અથવા દેવતા વગેરે વ્રતભંગ માટે ઉપદ્રવ કરતા હોય ત્યારે આહાર લે નહીં. ૪. જીવદયા માટે એટલે વર્ષાઋતુમાં ધુંવાડમાં રહેલા અષ્કાય જીવોની રક્ષા માટે અથવા સૂક્ષ્મ દેડકીઓ વગેરે જીવોથી વ્યાપ્ત થયેલી પૃથ્વી હોય ત્યારે તે જીવોની રક્ષા માટે આહાર લે નહીં લેવા નીકળે જ નહીં. ૫. ચતુર્ણાદિક તપ કરવાને માટે આહાર કરે નહીં. તથા ૬. છેવટ મરણ વખતે સંયમ પાળવાને અસમર્થ થયેલા દેહનો ત્યાગ કરવા માટે આહાર લે નહીં.” ઈત્યાદિ નેમિનાથપ્રભુના મુખથી કહેલી શિક્ષાને ધારણ કરતા ઢંઢાર્ષિ આસક્તિ રહિત થઈને “જે કાંઈ પ્રાસુક અન્ન મળી ગયું તે ખાઈ લીધું” એવી રીતે વિચરવા લાગ્યા. એકદા તે મુનિને પૂર્વે કરેલા અન્તરાય કર્મનો ઉદય થયો, તેથી તે ભિક્ષાને માટે જ્યાં જાય ત્યાં ત્યાં શુદ્ધ ભિક્ષા પામે નહીં, તેથી તેણે એવો અભિગ્રહ લીધો કે, “આજ પછી જ્યારે હું મારી પોતાની લબ્ધિથી અન્ન પામીશ ત્યારે જ પારણું કરીશ, નહિ તો પારણું નહીં કરું, બીજા મુનિઓએ લાવેલો આહાર હું કરીશ નહીં.” એવો અભિગ્રહ લઈને પ્રભુની સાથે વિહાર કરતા અન્યદા દ્વારકાનગરીમાં આવ્યા. ત્યાં પણ તેવી જ રીતે પોતે વિષ્ણુના પુત્ર છતાં અને જગતગુરુના શિષ્ય છતાં, સ્વર્ગની લક્ષ્મીને પણ જીતનાર એવી સમૃદ્ધિવાળી દ્વારકાનગરીમાં પણ મોટા શ્રીમંતોના ઘરમાં પર્યટન કરતાં ઢંઢણમુનિ પોતાને યોગ્ય કાંઈ પણ આહાર પામ્યા નહીં. એક દિવસ કોઈ બીજા મુનિ ઢંઢણમુનિની સાથે ગોચરી ગયા તો તેને પણ આહાર મળ્યો નહીં. તેથી બીજા મુનિઓએ પ્રભુને પૂછ્યું કે, “હે ભગવાન્ ! આ ઢંઢણઋષિ કયા કર્મને લીધે શ્રાવકના ઘરથી પણ ભિક્ષા પામતા નથી?” ભગવાનું બોલ્યા કે, “તેના પૂર્વભવનું વૃત્તાન્ત સાંભળો - પૂર્વે ધાન્યપુર નામના ગામમાં પારાસર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે રાજાનો નિયોગી (અધિકારી) હોવાથી રાજાએ તેને તે ગામમાં પાંચસો સાંતીનો (તેટલા ખેતરનો) અધિકાર આપ્યો હતો. એકદા ખેડૂતોને માટે ભોજન આવ્યું હતું, બળદો માટે ઘાસ આવ્યું હતું અને સર્વે ભૂખ-તરસથી થાકી ગયા હતાં. તો પણ તે પારાસરે તે પાંચસો ખેડૂતોને જમવાની રજા આપી નહીં, અને કહ્યું કે, “મારા ખેતરમાં એક એક ચાસ ખેડીને પછી સર્વ ભોજનાદિક કરો.” તે સાંભળી પરાધીન ખેડૂતોએ તેના કહેવા પ્રમાણે કર્યું. આ વખતે તેને અન્તરાય કર્મ બાંધ્યું. ત્યાંથી મૃત્યુ પામી ઘણા ભવ ભ્રમણ કરીને કાંઈક પુણ્યના પ્રભાવથી અહીં કૃષ્ણના પુત્ર થયા છે, તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી છે અને અભિગ્રહ ધારણ કરેલો છે. તે ગોચરી માટે જેવી રીતે જાય છે તેવી જ રીતે પૂર્વના કર્મ કરીને ભિક્ષા વિના જ પાછા આવે છે, પણ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ તેનામાં કૈલાસ પર્વત કરતાં પણ અનંતગણું ધૈર્ય છે, કેમકે તેને ભિક્ષા મળતી નથી તો પણ તે ઉદ્વેગ પામતા નથી, તેમજ બીજાઓની નિંદા કરતા નથી, પરંતુ દીનતા ધારણ કર્યા વિના જ હમેશાં અલાભપરિષદને સહન કરે છે અને સર્વ પ્રકારે પરપુદ્ગલથી ઉત્પન્ન થયેલા તથા અનેક જીવની હિંસાદિ વડે નીપજેલા આહારના દોષોનું ચિંતન કરીને અનાહારીના ગુણોની પ્રશંસા કરતા સતા મોટી સકામ નિર્જરા કરે છે.” આ પ્રમાણે શ્રી જિનેન્દ્રના મુખથી સાંભળીને સર્વ સાધુઓ આશ્ચર્ય પામી ઢંઢણમુનિની પ્રશંસા કરવા લાગ્યા. અનુક્રમે અલાભપરિષહ સહન કરતાં ઢંઢણઋષિને છ માસ વ્યતીત થયા. તે અવસરે પ્રભુને વાંદવા માટે આવેલા શ્રીકૃષ્ણ ધર્મદશના થઈ રહ્યા પછી પ્રભુને પૂછ્યું કે, “હે ભગવન્! અઢાર હજાર શીલાંગરૂપી રથમાં બેઠેલા આ અઢાર હજાર મુનિઓમાં વિશેષ દુષ્કર કાર્ય કરનાર કોણ છે?” ત્રિભુવનપતિએ કહ્યું કે, “હે કૃષ્ણ ! સર્વે સાધુઓ દુષ્કર ક્રિયા, ગુણરત્ન સંવત્સરાદિ તપ, જિનકલ્પની તુલના અને બાવીશ પરિષદોનું સહન કરવું ઈત્યાદિ અલના પામ્યા વિના કરે છે, તો પણ તે સર્વેમાં માયારૂપી પૃથ્વીને વિદારણ કરવામાં ખેડૂત સમાન તમારો પુત્ર ઢંઢણર્ષિ હાલમાં અતિ ઉત્કૃષ્ટ છે, તે અદીન મન વડે છ માસથી અલાભપરિષદને સહન કરે છે.” તે સાંભળીને શ્રીકૃષ્ણ વિચાર કર્યો કે “અહો ! મારા પુત્રનો જન્મ તથા જીવિતવ્યને ધન્ય છે કે જેની શુદ્ધ વૃત્તિની ત્રિકાળના સમસ્ત પદાર્થોને જાણનાર શ્રી તીર્થંકર પોતે બાર પર્ષદાની સમક્ષ પ્રશંસા કરે છે.” પછી શ્રીકૃષ્ણ ભગવાનને પૂછ્યું કે, “તે મહામુનિ અત્યારે ક્યાં છે તે કહો કે જેથી હું તેમને વંદન કરું.” તે સાંભળીને કરમાં રહેલા નિર્મળ જળની જેમ સર્વ વિશ્વને જોનારા પ્રભુએ કહ્યું કે, “હે મુકુંદ ! તે મુનિ અત્યારે ભિક્ષા માટે દ્વારિકાપુરીમાં ગયા છે. તે તમે પુરીમાં પ્રવેશ કરશો ત્યારે ભિક્ષા માટે અટન કરતા તેમને સામા મળશે.” તે સાંભળીને જેણે અનેક પ્રાણીઓને સિદ્ધિની સન્મુખ કર્યા છે એવા કૃપાનિધિ શ્રીનેમિનાથસ્વામીને પ્રણામ કરીને શ્રીકૃષ્ણ પુરી તરફ ચાલ્યા. પુરમાં પેસતાં જ તેણે દૂરથી જેનું શરીર અતિ કૃશ થયેલું હતું, કક્ષ(કખ)માં જેણે ભિક્ષાનું પાત્ર રાખેલું હતું, તીર્થકરે પોતે જ પ્રશંસા કરેલી હોવાથી ત્રણ ભુવનમાં જે અદ્વિતીય સુપાત્ર હતા અને અનાદિકાળથી સંચિત કરેલા કર્મરૂપી દર્ભના મૂળને જેમણે દાતરડું મૂકી દીધું હતું, એવા તે મુનિને જોઈને વિચાર્યું કે “શું આ જ ઢંઢણર્ષિ હશે કે કોઈ બીજા સાધુ હશે? પણ શ્રી જિનેશ્વરે કહ્યું છે કે “પુરમાં પ્રવેશ કરતાં તે તમને સામા મળશે' માટે ખરેખર આ તે જ મુનિ છે. અહો ! પ્રથમ આનું સ્વરૂપ દેવકુમાર જેવું હતું. આજ કેવું નિસ્તેજ થયેલું છે?” એમ વિચારીને હર્ષથી શ્રીકૃષ્ણ હાથી પરથી ઉતરી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પૃથ્વીતળ સુધી મસ્તક નમાવી વંદના કરીને હાથ જોડી નિરાબાધ વિહારાદિની પૃચ્છા કરી. પછી તેમની સ્તુતિ કરવા લાગ્યા કે “હે મુનિ ! આજનો દિવસ મારો સફળ થયો, અત્યારની ક્ષણ સુલક્ષણવાળી થયી અને ? અત્યારનો પ્રહર મને સુખદાયી થયો, કે જેમાં આપના વંદનનો ઉત્સવ મને પ્રાપ્ત થયો.” Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ઈત્યાદિ સ્તુતિ કરતા શ્રીકૃષ્ણને છોડીને તે નિઃસ્પૃહી મુનિ આગળ ચાલ્યા. આ સર્વ હકીકત કોઈ ગૃહસ્થ પોતાના ગોખમાં બેઠા-બેઠા જોઈ, તેથી તેણે વિચાર કર્યો કે “અહો ! આ કોઈ મહામુનિ છે કે જેને શ્રીકૃષ્ણ પોતે વંદના કરી.” એમ વિચારી નીચે ઉતરીને તે ગૃહસ્થ મુનિને પોતાને ઘેર લઈ જઈને સિંહકેસરીઆ મોદક વહોરાવ્યા. તે લઈને મુનિ પ્રભુ પાસે ગયા. પ્રભુના ચરણને નમીને મુનિ બોલ્યા કે “હે સ્વામી ! આજે મારો અભિગ્રહ પરિપૂર્ણ થયો.” પ્રભુ બોલ્યા કે “હે ઢંઢણ ! એ આહાર તારી લબ્ધિથી તને મળ્યો નથી, પણ હરિએ તારી સ્તુતિ કરી તેથી તે વણિકે તને પ્રતિલાભિત કર્યો છે, માટે તે હરિની લબ્ધિથી મળ્યો છે.” આ પ્રમાણે પરમાત્માનું વચન સાંભળીને હૃષ્ટતુષ્ટ થયેલા મુનિ અત્યંત પ્રીતિભાવ પામ્યા. ઘણે માસે આહાર મળ્યા છતાં પણ લોલુપતા અને ઉત્સુકતાદિક દોષથી રહિત, અભિગ્રહમાં આસક્ત અને પ્રભુના પરમભક્ત એવા તે નિઃસ્પૃહમુનિએ વિચાર્યું કે “પરની લબ્ધિથી મળેલી આ ભિક્ષા ત્યાગ કરવા યોગ્ય છે.” એમ વિચારીને તે મુનિ ઈંટ પકવવાના નીંભાડા પાસે ગયા અને ત્યાં શુદ્ધ અંડિલમાં તે મોદકનું ચૂર્ણ કરીને રાખમાં નાખતા-નાખતા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા કે “અહો ! અભિગ્રહની અપેક્ષા વિનાનો જે આહાર તેના અભિલાષી થયેલા મને ધિક્કાર છે, અને અહો ! ભગવાનના જ્ઞાનને ધન્ય છે કે જેણે મારા અભિગ્રહનું રક્ષણ કર્યું. સૂક્ષ્મ જ્ઞાન વિના અંતરમાં રહેલા સૂક્ષ્મ ભાવને કોણ જાણી શકે?” આ પ્રમાણે શુક્લધ્યાનમાં આરૂઢ થયેલા મુનિએ મોદકનું ચૂર્ણ કરવાના મિષથી સર્વ કર્મોને ચૂરી નાંખી તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી દેવતાઓએ રચેલા સુવર્ણકમળ પર બેસી તે કેવળી મુનિએ પોતાના જ અંતરાય કર્મ સંબંધી દેશના આપીને કહ્યું કે, “હે ભવ્ય પ્રાણીઓ ! આ પ્રમાણે અંતરાય કર્મનું ફળ જાણીને કોઈએ કોઈને પણ અન્તરાય કરવો નહીં.” પછી શ્રી જિનેશ્વર પાસે આવી પ્રભુને પ્રદક્ષિણા કરી “નમસ્તીથય' એમ બોલીને કેવળીની સભામાં બેઠા અનુક્રમે મોક્ષપદને પામ્યા. “કર્મનું ફળ અહીં જ મળે તો તે સારું છે, કેમકે તે કર્મને જીતવા માટે તેનો પ્રતિકાર કરનાર મળી શકે; તેથી જ ઢંઢણઋષિ જિનેન્દ્રના ગુણોનું ધ્યાન કરીને સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા.” ૩૨૬ ચિત્તની એકાગ્રતા तैलपात्रधरो यद्वद्राधावेधोद्यतो यथा । क्रियास्वनन्यचित्तः स्याद्भवभीतस्तथा मुनिः ॥१॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૧૬૫ ભાવાર્થ :- “જેમ તેલના પાત્રને ધારણ કરનારો, અથવા જેમ રાધાવેધ કરવાને તૈયાર થયેલો માણસ એક ચિત્તતાવાળો થાય છે, તેમ ભવથી ભય પામેલા મુનિ પણ ક્રિયાને વિષે એકાગ્ર ચિત્તવાળા થાય છે.” જેમ મરણના ભયથી ભય પામેલો માણસ તેલના પાત્રને ધારણ કરીને પ્રમાદરહિત રહે છે, તે જ પ્રમાણે મુનિ આત્મગુણના ઘાતથી ભય પામીને સંસારમાં અપ્રમાદી રહે છે, કોઈ રાજાએ કોઈ લક્ષણોપેત માણસને ઉપદેશ આપવા માટે ગુન્હેગાર ઠરાવીને તેનો વધ કરવાની આજ્ઞા આપી, તે વખતે સભાજનોએ રાજાને વિનંતી કરી કે “હે સ્વામી! એનો અપરાધ માફ કરો, તેને મારો નહીં.” ત્યારે રાજાએ કહ્યું કે “જો તે તેલથી ભરેલા મોટા થાળને ધારણ કરીને સ્થાને સ્થાને અનેક પ્રકારના નાટક અને વાજિંત્રોથી વ્યાકુળ થયેલા આખા નગરમાં ભ્રમણ કરી તેલનું એક બિંદુ પણ પાડ્યા વિના અહીં આવે તો હું તેને મારું નહીં; પણ જો તેલનું એક બિંદુ પણ પડે તો તત્કાળ તેના પ્રાણનો નાશ કરીશ.” એ વાત પેલા માણસે કબૂલ કરી.. તે જ પ્રમાણે અનેક જનોથી વ્યાપ્ત થયેલા માર્ગમાં નાટક વાજિંત્રાદિ તરફ દૃષ્ટિ પણ કર્યા વિના માથે તેલનો થાળ રાખી એક ચિત્તે ચાલવામાં ઉપયોગ રાખીને તેલનું બિંદુ પણ પાડ્યા વિના આખું નગર ફરીને આવ્યો. તે જ પ્રમાણે મુનિ પણ અનેક પ્રકારના સુખ-દુઃખથી વ્યાકુળ એવા આ સંસારમાં આત્મસિદ્ધિને માટે પ્રમાદરહિત થાય છે. વળી જેમ સ્વયંવરમાં કન્યાને પરણવા માટે રાધાવેધ કરવા તૈયાર થયેલો માણસ સ્થિર ચિત્તવાળો થાય, તેમ ભવથી ભય પામેલા મુનિ સંસારમાં ભ્રમણ કરવાથી અને ગુણના આવરણાદિક મહાદુઃખથી ભય પામીને સમિતિ ગુપ્તિરૂપ ક્રિયાઓમાં એકચિત્ત થાય છે. કહ્યું છે કે – अमिसलुद्धेण वणे, सीहेण य दाढचक्कसंगहिया । तह वि हु समाहिपत्ता, संवरजुत्ता मुणिवरिंदा ॥१॥ ભાવાર્થ:- વનને વિષે માંસમાં લુબ્ધ થયેલા સિંહે દાઢરૂપ ચક્રથી ગ્રહણ કર્યા, તો પણ સંવરમાં યુક્ત એવા મુનિવરો સમાધિને પ્રાપ્ત થયા.” આ અર્થનું સમર્થન કરવા માટે સુકોશલ મુનિનો સંબંધ છે તે આ પ્રમાણે - સુકોશલમુનિની કથા અયોધ્યાનગરીમાં કીર્તિધર નામે રાજા રાજય કરતો હતો. તેને સહદેવી નામે પટ્ટરાણી હતી. અન્યદા રાજાએ સુકોશલ નામનો પુત્ર થયે સતે તેની બાલ્યવયમાં જ દીક્ષા લીધી. સુકોશલ મોટો થયો એટલે દેશના અધિપતિ થયો. કેટલેક કાળે કીર્તિધર મુનિ પૃથ્વી પર વિહાર કરતાં અયોધ્યાનગરીમાં આવ્યા. મધ્યાહ્ન સમયે ગૌચરીને માટે તેમણે નગરીમાં પ્રવેશ કર્યો. તે વખતે સહદેવી રાણીએ તેને જોઈને વિચાર કર્યો કે “જો કદાચ સુકોશલ આ તેના પિતા કીર્તિધરમુનિને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ જોશે તો તે નક્કી દીક્ષા લેશે.” એમ વિચારીને તેણે પોતાના સેવકને કહીને તે મુનિને નગર બહાર કાઢી મૂકાવ્યા. તે જોઈને સુકોશલની ધાત્રી (ધાવ માતા) રુદન કરવા લાગી. સુકોશલે તેને પૂછ્યું કે, “હે માતા ! તમે કેમ રુઓ છો ?” તે બોલી કે, “તમારા પિતા કીર્તિધર મુનિને તમારી માતાએ નગર બહાર કઢાવી મૂક્યા તેથી હું રોઉં છું.” તે સાંભળી રાજા સર્વ સમૃદ્ધિ સહિત વાંદવા ગયો. ત્યાં મુનિને વાંદીને ધર્મદેશના સાંભળી. પછી રાજાએ પૂછ્યું કે, “હે સ્વામી ! મહાન્ ઉપસર્ગ પ્રાપ્ત થયા છતાં પણ મુનિજનો પોતાના નિર્ભયતા ગુણનું રક્ષણ શી રીતે કરતા હશે ?” મુનિ બોલ્યા કે - विषं विषस्य वह्नेश्च, वह्निरेव यदोषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गे ऽपि यन्न भीः ॥ १ ॥ ભાવાર્થ :- “વિષયનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે; તે સત્ય છે; કેમકે ભવથી ભય પામેલાને ઉપસર્ગમાં પણ ભય હોતો નથી.” જેમ કોઈ માણસ વિષથી પીડા પામ્યો હોય તે વિષનું ઔષધ વિષ જ કરે છે, જેમ સર્પથી ડંખાયેલો માણસ લીંબડો વગેરે ચાવવાથી ભય પામતો નથી અથવા કોઈ અગ્નિથી દગ્ધ થયેલો માણસ અગ્નિદાહની પીડાનું નિવારણ કરવા માટે ફરીથી અગ્નિનો તાપ અંગીકાર કરે છે તે સત્ય છે; કેમકે ભવથી ભય પામેલા મુનિઓ અનાદિ કાળના સંચય કરેલા કર્મનો ક્ષય કરવામાં ઉદ્યમવંત થયેલા હોવાથી ઉપસર્ગો વડે ઘણા કર્મનો ક્ષય થતો માનીને ભયભીત થતા નથી; કેમકે મોક્ષરૂપ સાધ્ય કાર્યમાં નિર્ભયતા ગુણ સહાયકારક છે. स्थैर्यं भवभयादेव, व्यवहारे मुनिर्व्रजेत् । स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ॥२॥ -- ભાવાર્થ :- ‘ભવના ભયથી જ એટલે નરક તથા નિગોદાદિમાં પ્રાપ્ત થતાં દુઃખ ઉદ્વેગાદિક ભય પામીને તત્ત્વજ્ઞાની મુનિ એષણાદિક વ્યવહારિક ક્રિયામાં સ્થિરતાને ધારણ કરે છે, તેથી તે ભવનો ભય પણ જ્ઞાનાનંદમય આત્મસમાધિમાં લીન થઈ જાય છે, એટલે વિનાશ પામી જાય છે. અર્થાત્ આત્મધ્યાનમાં લીન થયેલા સુખદુઃખમાં સમાન અવસ્થાવાળા મુનિઓને ભયનો અભાવ જ હોય છે.’’ • આ સંસારમાં મગ્ન થયેલા જીવોને ધર્મની ઈચ્છા જ થતી નથી. ઈન્દ્રિયોના સુખનો સ્વાદ લેવામાં તલ્લીન થયેલા પ્રાણીઓ મદોન્મત્તની જેમ વિવેકરહિતપણે જ્યાં ત્યાં ભટકે છે, દુઃખથી ઉદ્વેગ પામીને તે દુઃખના નાશ માટે અનેક ઉપાયના ચિંતનથી વ્યાકુળ થઈ ભુંડની જેમ મહામોહરૂપી ભવસાગરમાં પરિભ્રમણ કરે છે. વધારે શું કહેવું ? સર્વ સિદ્ધિને આપનારા શ્રીમાન્ વીતરાગને વંદનાદિક પણ કરતા નથી અને ઈન્દ્રિયો સંબંધી વિષયસુખ મેળવવાને માટે જન્મપર્યંત કરેલા તપ, ઉપવાસ વગેરે કષ્ટકારી અનુદાનને હારી જાય છે. નિદાનના દોષોને પણ ગણતા નથી. Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૧૬૭ મોક્ષના હેતુરૂપ જૈનશાસનને દેવાદિક સુખના હેતુરૂપ માનીને મોહ પામે છે તથા મિથ્યાત્વથી વાસિત થયેલા તે જીવો ઐશ્વર્યાદિક મેળવવાને માટે મલ્યની જેમ ભવસમુદ્રમાં ભટકે છે. માટે હે સુકોશલ રાજા ! ભવને વિષે નિરંતર ઉદ્વેગ (વૈરાગ્ય) ધારણ કરવો તે જ યોગ્ય છે અને તે જ મોટા ઉપસર્ગોમાં પણ સહાયકારક છે એમ જાણવું.” આ પ્રમાણે ગુરુના મુખથી ઉપદેશ સાંભળીને પ્રતિબોધ પામેલા સુકોશલ રાજાએ તેમની પાસે દીક્ષા લીધી. પછી સહદેવી રાણી પુત્રના વિયોગથી તથા પતિપરના દ્વેષથી મૃત્યુ પામીને કોઈ વનમાં વાઘણ થઈ. દૈવયોગે વિહાર કરતા કીર્તિધર તથા સુકોશલ મુનિ તે જ વનમાં આવી ચાતુર્માસિક તપ કરીને રહ્યા. તપને અંતે પારણાને દિવસે ભિક્ષા માટે જતાં વાઘણે તે બન્નેને જોયા. એટલે તેની સામે ક્રોધથી દોડી. તેને આવતી જોઈ અને મુનિએ પ્રાણાંત ઉપસર્ગ જાણી કાયોત્સર્ગ કર્યો. વાઘણે તેમને પાડી દીધા ને ખાવા લાગી. તે વાઘણથી ભક્ષણ કરાતા સુકોશલ મુનિ ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા પછી કીર્તિધર મુનિનું ભક્ષણ કરતાં તે મુનિના મુખમાં સુવર્ણની રેખાથી મઢેલા દાંત તેણે જોયા. એટલે ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પતિને ઓળખીને તેને અત્યંત પશ્ચાત્તાપ થયો. એટલે તરત જ તે વાઘણે અનશન અંગીકાર કર્યું અને મરણ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં ગઈ. કીર્તિધર મુનિ પણ શુક્લ ધ્યાન વડે કાળ કરીને અજરામર (મોક્ષ) પદને પામ્યા. “ભવથી ઉદ્વેગ પામેલા સુકોશલ મુનિએ ઉપસર્ગ પામ્યા છતાં પણ તત્ત્વદષ્ટિ રાખીને દૃઢતાનો ત્યાગ કર્યો નહીં. તેમજ કીર્તિધર મુનિએ પણ સ્થિરતાનો ત્યાગ કર્યો નહીં. તેવી જ રીતે બીજા મુનિઓએ પણ તત્ત્વદૃષ્ટિ અને ઉપસર્ગમાં સ્થિરતા ધારણ કરવી.” ૩૨૦ લોકસંજ્ઞા નિર્વેદી એટલે ભવથી વૈરાગ્ય પામેલો અને મોક્ષનું સાધન કરવામાં ઉદ્યમવંત થયેલો પ્રાણી લોકસંજ્ઞામાં મોહ પામતો નથી, કેમકે લોકસંજ્ઞા ધર્મના સાધનનો વ્યાઘાત કરનારી છે, તેથી ત્યાગ કરવા યોગ્ય જ છે. કહ્યું છે કે – लोकमालंब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत् । तदामिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात् कदाचन ॥१॥ ભાવાર્થ:- “ઘણા માણસોએ જે કર્યું તે કરવું-એમ જો લોકનું અવલંબન લઈએ, તો પછી મિથ્યાત્વીનો ધર્મ કદાપિતજવા લાયક થાય જ નહીં, કેમકેમિથ્યા ધર્મનું આચરણ ઘણા લોકો કરે છે.” ઉ.ભા.-૫-૧૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૬૮ . ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ રામામા માત્ર આ જગતમાં પ્લેચ્છ આચારનું આચરણ કરનારા ઘણા લોકો છે. કહ્યું છે કે “અનાર્યો કરતાં આર્ય થોડા છે, આર્યો કરતા જૈનધર્મી થોડા છે અને જૈનોમાં પણ જૈન ધર્મની પરિણતિવાળા બહુ થોડા છે. માટે ઘણા લોકોનું અનુસરણ કરવું નહીં.” વળી : श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे च न । स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मसाधकाः ॥१॥ ભાવાર્થ:- “આ દુનિયામાં ધન, સ્વજન અને શરીરાદિકના સુખની પ્રાર્થના કરનારાઓતેને ઈચ્છનારાઓ ઘણા છે, પણ અમૂર્ત આત્માના સ્વભાવને પ્રગટ કરવારૂપ લક્ષણવાળા લોકોત્તર કાર્યમાં પ્રવૃત્તિ કરનારા તેના અર્થી ઘણા હોતા નથી. તે યોગ્ય છે, કેમકે બધા વેપારીઓમાં રત્નના વેપારી થોડા જ હોય છે, તેમજ જીવોમાં આત્માનું સાધન કરનારા-નિરાવરણપણું ઉત્પન્ન કરનારા પણ થોડા જ હોય છે.” सर्वत्राप्यधिगम्यन्ते, पापिनो नेतरे जनाः । भूयांसो वायसाः सन्ति, स्तोका यच्चाषपक्षिणः ॥२॥ ભાવાર્થ - “સર્વ સ્થાને પાપીજનો મળી આવે છે, પણ ઈતર એટલે ધર્મી માણસો મળી આવતા નથી, કેમકે દુનિયામાં કાગડાઓ ઘણા છે, પણ ચાષ પક્ષીઓ તો થોડા જ છે.” આ પ્રસંગ ઉપર એક કથા કહે છે - શ્વેતશ્યામ પ્રાસાદની કથા એકદા શ્રેણિક રાજાની સભામાં શ્રેષ્ઠિ, સેનાપતિ, સાર્થવાહ, દૂત, દ્વારપાળ, મંડળિક રાજાઓ, યુવરાજ, અમાત્ય, મહામાત્ય અને સેવકો વગેરે સર્વ બેઠા હતા. તે વખતે ધર્મચર્ચા ચાલતાં “આ નગરમાં ધર્મી લોકો ઘણા છે કે અધર્મી ઘણા છે?” એવો પ્રશ્ન થયો. તે વખતે સર્વ સભાસદોએ કહ્યું કે “પાપી ઘણા છે અને ધર્મિષ્ઠ થોડા છે. ત્યારે રાજાએ આગ્રહપૂર્વક અભયકુમાર મંત્રીને પૂછ્યું, ત્યારે તે બોલ્યા કે “હે સ્વામી ! ધર્મિષ્ઠ લોકો ઘણા છે અને પાપી થોડા છે.” તે સાંભળીને રાજાએ અતિ આગ્રહથી પૂછ્યું કે “તે શી રીતે ?” ત્યારે અભયકુમારે કહ્યું કે “હું બતાવી આપીશ.” પછી તેણે ગામની બહાર એક શ્વેત અને એક શ્યામ એવાં બે ચૈત્યો કરાવ્યાં અને ત્રિક, ચત્વર, રાજમાર્ગ અને બીજા મોટા માર્ગ વગેરે આખા નગરમાં પડહ વગડાવ્યો કે આજે સર્વ લોકોએ ગામ બહાર જવું, તેમાં જેઓ ધર્મી હોય તેઓએ શ્વેત પ્રાસાદમાં જવું, અને જેઓ પાપી હોય તેઓએ શ્યામ પ્રાસાદમાં જવું.” આવી ઉદ્ઘોષણા સાંભળીને સર્વ લોકો પોતપોતાની સંપત્તિ અનુસાર વસ્ત્રાદિક પહેરીને શ્વેત ચૈત્યમાં ગયા. માત્ર કોઈ મામો ભાણેજ બે જ જણ શ્યામ ચૈત્યમાં ગયાં. ૧. આ અર્થ ટીકાને અનુસાર કર્યો છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૬૯ પછી અભયમંત્રીની પ્રેરણાથી સર્વ પરિવાર સહિત શ્રેણિક રાજા ગામ બહાર પેલા ચૈત્ય પાસે આવ્યા. ત્યાં સર્વ લોકોને શ્વેત પ્રાસાદમાં જોઈને રાજાએ પૂછ્યું કે, “હે પૌરજનો ! તમે સર્વે શ્વેત પ્રાસાદમાં કેમ પેઠા છો ?” તે સર્વે બોલ્યા કે, “હે મહારાજા ! અમે સર્વે પોતપોતાના કુળક્રમથી આવતા ધર્મનું આચરણ કરનારા હોવાથી ધર્મી છીએ, તેથી આ પ્રાસાદમાં આવ્યા છીએ.” તે સાંભળીને “અહો ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીગમન અને દ્યુત વગેરે સાતે વ્યસનના દોષની ખાણરૂપ આ સર્વ લોકો પોતાને ધર્મવાળા કહે છે. આ પ્રમાણે હોવાથી અભયમંત્રીનું વચન સત્ય થયું.” એમ માનતો રાજા શ્યામ પ્રાસાદમાં ગયો. ત્યાં માત્ર મામા ભાણેજને જોઈને તેમને રાજાએ પૂછ્યું કે, “તમે બે આ ચૈત્યમાં કેમ આવ્યા ?’” તેઓ બોલ્યા કે, “હે સ્વામી ! અમે પહેલાં શ્રી સુધર્માસ્વામીની પાસે માંસ અને મદિરાનો નિયમ લીધો હતો, તે નિયમનો અમે ભંગ કર્યો, તેથી અમે મહાપાપી છીએ; કેમકે ‘વ્રતલોપી મહાપાપી' વ્રતનો લોપ કરનાર મહાપાપી કહેવાય છે; તેથી અમે આ પ્રાસાદમાં આવ્યા છીએ.” બીજી કોઈ કથામાં એમ કહેલું સંભળાય છે કે – સુદર્શન શ્રેષ્ઠિ કે જેણે રાજગૃહીનગરીના લોકો પર અર્જુનમાળીથી થતાં ઉપસર્ગનું નિવારણ કર્યું હતું તે શ્રેષ્ઠિ પોતાની સ્ત્રી સહિત મનમાં વિચાર કરીને તે શ્યામ ચૈત્યમાં ગયા હતાં અને બીજા સર્વે શ્વેત ચૈત્યમાં ગયા હતા. શ્વેત ચૈત્યમાં ઉપર પ્રમાણે સર્વ લોકોને પૂછીને રાજા શ્રેણિકે શ્યામ ચૈત્યમાં પેસતાં જ સુદર્શન શ્રેષ્ઠિને જોઈ અભયકુમારને પૂછ્યું કે, “જેનું ધર્મીપણું બાળગોપાળ સર્વમાં પ્રસિદ્ધ છે, અને જેના ધર્મની કીર્તિ ત્રણ લોકમાં વિખ્યાત છે, એવા આ શ્રેષ્ઠિ આ પાપપ્રાસાદમાં કેમ પેઠેલા છે ?” મંત્રીએ કહ્યું કે “આપ ત્યાં જઈને તેને પૂછો. જેથી આપના સંશયની નિવૃત્તિ થાય.” તે સાંભળીને રાજા પરિવાર સહિત ત્યાં ગયા. પાલખીમાંથી ઉતરીને તેણે શ્રેષ્ઠિને પૂછ્યું કે - “તમે તો મહાધર્મિષ્ઠ છો, અને આ શ્યામ પ્રાસાદમાં કેમ પેઠા છો ?” શ્રેષ્ઠિ બોલ્યા કે – “હે સ્વામી ! શ્રી મહાવીરસ્વામીએ બતાવેલો શ્રાવક ધર્મ પણ હું યથાવિધિ પાળી શકતો નથી; કેમકે નિરંતર ષટ્કાય જીવની હિંસા થાય છે. માટે હું શી રીતે ધર્મી કહેવાઉં ? ગાડરીયા પ્રવાહની જેમ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને જે ધર્મરસિક શ્રાવકો શ્રી મહાવીરના વાક્યને યથાસ્થિત પાળે છે તેઓ જ ખરા ધર્મિષ્ઠ છે, તેમાં પણ સંપૂર્ણ ધર્મરસિક તો મુનિઓ જ છે. કેમકે - प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलंघनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तर स्थितिः ॥१॥ ભાવાર્થ :- “લોકોત્તર સ્થિતિવાળા મુનિ ભવરૂપી વિષમ પર્વતને ઉલ્લંઘન કરનારું, સર્વવિરતિરૂપ પ્રમત્ત નામનું છઠ્ઠું ગુણસ્થાનક પામીને લોકસંજ્ઞામાં આસક્ત થતા નથી; અર્થાત્ સર્વ લોકોએ જે કર્યું તે કરવું એમ ગતાનુગતિક ન્યાયમાં આસક્ત થતા નથી - તેમાં આગ્રહી થતા નથી; કેમકે મુનિ લોકની મર્યાદા બહાર રહેલા છે. લોક વિષયમાં ઉત્સુક છે અને મુનિ તો નિષ્કામ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ છે. લોક પૌદ્ગલિક સંપત્તિને શ્રેષ્ઠ માને છે અને મુનિ જ્ઞાનાદિક સંપત્તિને શ્રેષ્ઠ માને છે; માટે તેવા મુનિને લોકસંજ્ઞાથી શું? કાંઈ જ નહીં.” કહ્યું છે કે - आत्मसाक्षिकसद्धर्मसिद्धौ किं लोकयात्रया । तत्र प्रसन्नचन्द्रस्य, भरतस्य च निदर्शनम् ॥२॥ ભાવાર્થ:- “આત્મસાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થાય છે તો પછી લોકસંજ્ઞાની શી જરૂર છે? અહીં પ્રસન્નચંદ્રમુનિ તથા ભરતચક્રીનું દષ્ટાંત જાણી લેવું.” લોકસંજ્ઞાનો ત્યાગ કરીને આત્મસ્વરૂપમાં ઉપયોગરૂપ ભોગસુખમાં મગ્ન થયેલા મુનિઓ ઉદય પામેલા ઈન્દ્રિયસુખને બળતા એવા પોતાના ઘરથી થતા પ્રકાશ જેવું માને છે; કેમકે તેમાં કાંઈ પણ ખરું સુખ નથી.” ઈત્યાદિક સુદર્શન શ્રેષ્ઠિએ પ્રકાશ કરેલું ધર્મનું સ્વરૂપ સાંભળીને સંશયરહિત શ્રેણિક રાજાએ સુદર્શન શ્રેષ્ઠિને પ્રણામ કરીને સર્વ પૌરજનોની સમક્ષ તેમને મોટું સન્માન આપતાં કહ્યું કે – “અહો ! મારું નગર શ્રેષ્ઠ છે કે જેમાં તમારા જેવા પવિત્ર અને ધર્મિષ્ઠ મનુષ્યો રહે છે.” ઈત્યાદિ સ્તુતિ કરીને રાજા પોતાના મંદિર તરફ ગયા અને પૌરજનો પણ તે શ્રેષ્ઠિની જ પ્રશંસા કરતા પોતપોતાને સ્થાને ગયા. લોકસંજ્ઞાનો ત્યાગ કરીને જિનેન્દ્રના માર્ગના અનુભવથી આનંદ પામેલા સન્મતિવાળા તત્ત્વજ્ઞ પુરુષ લોકમાં પ્રતિષ્ઠા પામીને શુદ્ધ આત્મધર્મને વિસ્તારે છે.” ૩૨૮ ચક્ષુ સ્વરૂપ चर्मचक्षु तः सर्वे, देवाश्चावधिचक्षुषः । સર્વરક્ષર્થરા: સિતા, સાથa: શારદાવષ: શા ભાવાર્થ- સર્વે લોકો ચર્મચક્ષને ધારણ કરનારા હોય છે, દેવતાઓ અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, સિદ્ધ જીવો સર્વચક્ષુ (કવળજ્ઞાન)ને ધારણ કરનારા છે અને સાધુઓ શાસ્ત્રરૂપી ચક્ષને ધારણ કરનારા છે.” સ્યાદ્વાદની રીતિએ શાસ્ત્ર એટલે જે શાસન (ઉપદેશ) કરે છે. ભારત, રામાયણ વગેરે ગ્રંથો આ લોક સંબંધી શિક્ષા માત્ર આપનારા હોવાથી તે ગ્રંથો શાસ્ત્રની સંજ્ઞા પામતા નથી. જૈનાગમ પણ જેને સમ્યમ્ દષ્ટિપણાની પરિણતિ હોય તેવા શુદ્ધ પ્રરૂપકને જ મોક્ષનું કારણ થાય છે, પણ તેની મિથ્યા પ્રરૂપણા કરી હોય તો તે ભવનું કારણ થાય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ (૧૭૧ તે વિષે શ્રી નન્દીસૂત્રમાં કહ્યું છે કે – “જોયં સુવાસં પિડાં સમત્તપરિદિય સમસુગં, મછત્તપરિદિયં મિચ્છસુગં ” આ દ્વાદશાંગી ગણિપિટક સમકિતવંતે ગ્રહણ કર્યું હોય તો તે સમ્યકશ્રુત કહેવાય છે અને મિથ્યાત્વીએ ગ્રહણ કર્યું હોય તો તે મિથ્યાશ્રુત થાય છે. મૂળ શ્લોકમાં “શાસ્ત્ર” શબ્દ છે તે શાસ્ત્ર એટલે અનેકાંત મત વ્યવસ્થાપક વાક્યોનો સમૂહ, તે ચક્ષુ જેમને હોય તેઓને શાસ્ત્ર ચક્ષુવાળા નિગ્રંથ સાધુઓ જાણવા. અહીં આર્યરલિતસૂરિનો સંબંધ છે તે આ પ્રમાણે - આર્યરક્ષિતસૂરિની કથા દશપુર નામના નગરમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની પત્ની હતી. તે બંને જૈન ધર્મમાં દઢ હતા. તેમને આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિત નામે બે પુત્રો હતાં. તેમાં મોટો પુત્ર આર્યરક્ષિત પાટલીપુત્ર જઈને સાંગોપાંગ વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના નગરમાં આવ્યો. તે વખતે રાજાએ મોટા ઉત્સવપૂર્વક તેને હસ્તી પર બેસાડી પુરપ્રવેશ કરાવ્યો અને ઈનામ વગેરે આપી સન્માન કર્યું. પછી તે રાજાએ કરેલા સત્કાર સહિત પોતાની માતાને વંદન કરવા ઘેર ગયો. તેને જોઈ તેની માતા “હે પુત્ર ! તું સારો છે?” એટલું જ બોલીને મૌન રહી. માતાને ઉદાસીન દેખીને આર્યરક્ષિત બોલ્યો કે “હે માતા ! મારી સાથે કેમ બોલતા નથી ? અને સર્વ લોકને પૂજ્ય એવા સર્વ શાસ્ત્રના પારને પામેલા મને જોઈને તમે કેમ આનંદ પામતા નથી?” તે સાંભળીને તેની માતા બોલી કે “હે પુત્ર ! સ્વપરનો નાશ કરનારાં, હિંસાનો ઉપદેશ કરનારા અને નરકને આપનારા આ શાસ્ત્રો ભણવાથી શું? આ શાસ્ત્રોના પ્રભાવથી તું ઘોર દુઃખ સમુદ્રમાં પડીશ, એવું જાણવાથી મને શી રીતે આનંદ થાય? માટે જો તું દૃષ્ટિવાદનો અભ્યાસ કરે તો મારો આત્મા પ્રસન્ન થાય.” વિનીત પુત્રે વિવેકથી માતાને પૂછ્યું કે – “તે શાસ્ત્ર ક્યાં ભણાય છે?” માતા બોલી કે “તોસલિપુત્ર નામના ગુરુ પાસે.” પછી આર્યરક્ષિત માતાનું વચન અંગીકાર કરી પ્રાતઃકાળે માતાની રજા લઈ ભણવા ચાલ્યા. તેવામાં તેને મળવા માટે આવતો તેના પિતાનો મિત્ર બ્રાહ્મણ સાડાનવ શેરડીના સાંઠા લઈને સામો મળ્યો. તે બ્રાહ્મણ પ્રેમથી આર્યરક્ષિતને મળીને બોલ્યો કે “તમારે માટે હું આ શેરડીના સાંઠા લાવ્યો છું તે લ્યો.” તે બોલ્યો કે “એ સાંઠા મારી માતાને આપજો, હું કાર્ય માટે જાઉં છું.” એટલે તે બ્રાહ્મણે તેની માતા પાસે જઈને સાડાનવ સાંઠા આપી આર્યરક્ષિત સાથે થયેલી વાત કહી. તે સાંભળીને માતાએ વિચાર્યું કે “જરૂર આ શુકનથી એવું સૂચવન થાય છે કે મારો પુત્ર સાડાનવ પૂર્વનો અભ્યાસ કરશે.” અહીં આર્યરક્ષિત પોતે ગુરુને વંદનાદિક કરવાની રીતિથી અજ્ઞાત હોવાથી દઢરથ નામના શ્રાવકને સાથે લઈને ગુરુ પાસે ગયો અને શ્રાવકની વિધિ પ્રમાણે ગુરુને વાંદીને બેઠો. પછી તે દઢરથે ગુરુને આર્યરક્ષિતની જાતિ, કુળ, વગેરે કહીને વિશેષમાં એટલું કહ્યું કે “આ ચૌદ વિદ્યાનો Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પારગામી થયો છે અને તેને ગઈ કાલે રાજાએ હસ્તી પર બેસાડીને પુરપ્રવેશ કરાવ્યો છે.” પછી આર્યરક્ષિતે ગુરુને કહ્યું કે “હે ગુરુ! હું દષ્ટિવાદ ભણવા માટે આપ પૂજયને આશ્રયે આવ્યો છું. તે ભણાવીને મારા પર કૃપા કરો.” તે સાંભળીને ગુરુ બોલ્યા કે “જો એમ હોય તો તું દીક્ષા ગ્રહણ કર, જેથી અનુક્રમે તને દૃષ્ટિવાદનો અમે અભ્યાસ કરાવીએ.” તે સાંભળીને આર્યરક્ષિતે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે ગુરુને કહ્યું કે “મારા અહીં રહેવાથી રાજા, સ્વજનો તથા પૌરલોકો રાગને લીધે બળાત્કારે મને ચારિત્રથી ભ્રષ્ટ કરશે.” તે સાંભળીને ગુરુ ગચ્છ સહિત આર્યરક્ષિતને લઈને અન્ય સ્થાને ગયા. આ શિષ્યની ચોરી પ્રથમ જ શ્રી મહાવીરસ્વામીના શાસનમાં થઈ. પછી તોસલીપુત્ર ગુરુને જેટલું જ્ઞાન હતું તે સર્વ આર્યરક્ષિતે ગ્રહણ કર્યું. પછી ગુરુની આજ્ઞાથી વધારે ભણવા માટે તે શ્રી વજસ્વામી પાસે જવા નીકળ્યા. માર્ગમાં કોઈ ગામમાં શ્રી ભદ્રગુપ્ત નામના સૂરિ હતા. તેમને જઈને આર્યરક્ષિતે વંદના કરી. આર્યરક્ષિતને સર્વ ગુણ યુક્ત જોઈ ઓળખીને હર્ષથી આલિંગન આપી સૂરિ બોલ્યા કે “હે વત્સ! મારું જીવિત અલ્પ રહ્યું છે, તેથી હું અનશન કરવા ઈચ્છું છું.” માટે તું મારો નિર્ધામક થા, એમ હું યાચના કરું છું.” આર્યરક્ષિતે તેમનું વચન અંગીકાર કર્યું. પછી ભદ્રગુપ્તસૂરિએ અનશન લઈને આર્યરક્ષિતને કહ્યું કે “હે વત્સ ! તું વજસ્વામીની સાથે એક ઉપાશ્રયમાં રહીશ નહીં, પણ ભિન્ન સ્થાને રહીને તેમની પાસે શ્રુતનો અભ્યાસ કરજે; કેમકે જે સોપક્રમ આયુષ્યવાળો જીવ વજસ્વામીની સાથે એક રાત્રી પણ રહે તે વજસ્વામી સાથે મૃત્યુ પામે એમ છે.” આ પ્રમાણેનું તેમનું વચન અંગીકાર કરી તેમની નિર્ધામણા કરીને તેમના મૃત્યુ પામ્યા બાદ આર્યરક્ષિત વજસ્વામીએ અલંકૃત કરેલી નગરીએ ગયા. પ્રથમ રાત્રી ગામની બહાર રહ્યા. તે રાત્રીને પાછલે પહોરે વજસ્વામીને સ્વપ્ન આવ્યું કે “મારા પાત્રમાં રહેલું સર્વ દૂધ કોઈ અતિથિ પી ગયો.” પ્રાતઃકાળે આર્યરક્ષિત મુનિ વજસૂરિ પાસે આવી તેમને વિધિપૂર્વક વંદના કરીને તેમની પાસે બેઠા; એટલે સૂરિએ તેમનું સ્વાગત કરીને કહ્યું કે “કયા ઉપાશ્રયમાં તું રહ્યો છે?” તે બોલ્યા કે “હું ગામની બહાર રહ્યો છું.” ત્યારે વજસૂરિ બોલ્યા કે “હે તો લીપુત્રના શિષ્ય સોમપુત્ર ! તું બહાર રહીને શી રીતે અભ્યાસ કરી શકીશ?” આર્યરક્ષિતે કહ્યું કે “હે સ્વામી ! શ્રી ભદ્રગુપ્તસૂરિની શિક્ષાથી મેં ભિન્ન ઉપાશ્રયનો આશ્રય કર્યો છે. તે સાંભળીને વજસ્વામીએ ઉપયોગ આપ્યો, એટલે તે નિમિત્ત જાણીને બોલ્યા કે “જ્ઞાનના સાગર સમાન તે પૂજ્ય સૂરિએ તને યુક્ત જ કહ્યું છે.” પછી શ્રી વજસ્વામીએ તેને પૂર્વની વાચના આપવા માંડી અને આર્યરક્ષિત ગ્રહણ કરવા માંડી. અનુક્રમે થોડા સમયમાં જ તેણે નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો. પછી દશમું પૂર્વ ભણવાને પ્રવર્તેલા આર્યરક્ષિત મુનિને ગુરુએ કહ્યું કે “હવે દશમા પૂર્વના યમકને જલ્દી ભણ.” એટલે આર્યરક્ષિત તે કઠીનતાવાળા યમકને પણ શીધ્ર ભણવા લાગ્યા. અહીં આરક્ષિતના વિયોગથી પીડા પામતા તેના માતા-પિતાએ તેને બોલાવવા માટે ફલ્લુરક્ષિતને મોકલ્યો; એટલે તે નાનો ભાઈ મોટા ભાઈ પાસે આવીને બોલ્યો કે “હે ભાઈ ! તમે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ આપણા કુટુંબને પ્રતિબોધ આપો, મારી સાથે ઘેર ચાલો અને મને પણ તમારી દીક્ષા આપો.” તે સાંભળીને તેણે નાના ભાઈને દીક્ષા આપીને ગુરુને વિનંતી કરી કે “હે સ્વામી ! આપની આજ્ઞા હોય તો હું મારા મા-બાપને પ્રતિબોધ કરવા માટે મારે ગામ જાઉં.” ગુરુ બોલ્યા કે “હે વત્સ ! તું અભ્યાસ કર. ઘેર જા નહીં.” યમકની વિષમતાથી ખેદ પામેલા તેણે ફરીથી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી! મેં દશમા પૂર્વમાં કેટલો અભ્યાસ કર્યો?” ગુરુ હસીને બોલ્યા કે “હે વત્સ ! દશમા પૂર્વનું એક બિંદુમાત્ર તે ગ્રહણ કર્યું છે, અને સમુદ્ર જેટલું બાકી રહ્યું છે; પરંતુ તે ખેદ કેમ કરે છે? તું ઉદ્યમી છો, વળી બુદ્ધિશાળી છો, તેથી જલ્દી પાર પામી જઈશ.” આ પ્રમાણે ગુરુએ તેને અભ્યાસ કરવાને માટે ઉત્સાહિત કર્યો, તો પણ તે નાના ભાઈ સહિત વારંવાર ગુરુ પાસે જઈને કહેવા લાગ્યો કે “આ મારો ભાઈ મને બોલાવવા માટે અહીં આવ્યો છે, માટે આપ મને ત્યાં જવાની આજ્ઞા આપો.” ત્યારે ગુરુએ શ્રુતનો ઉપયોગ આપ્યો. તે ઉપરથી તેમને જણાયું કે “આ આર્યરક્ષિત ગયા પછી શીધ્ર પાછો આવશે નહીં અને મારું આયુષ્ય બહુ થોડું રહ્યું છે, તેથી દશમું પૂર્વ તો મારામાં જ રહેશે, કોઈ ગ્રહણ કરશે નહીં.” આ ભાવિભાવ જાણીને શ્રી વજસ્વામીએ તેને જવાની રજા આપી. પછી આર્યરક્ષિત મુનિ પોતાના ભાઈ ફલ્યુરક્ષિતની સાથે દશપુરનગરે આવ્યા. ત્યાં ધર્મદેશના આપીને પોતાના સમગ્ર કુટુંબને પ્રતિબોધ પમાડ્યો અને રાજા પણ સમકિત પામ્યો. એકદા શ્રી સૌધર્મેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર જિનેશ્વરને વંદના કરવા ગયા. ત્યાં પ્રભુના મુખથી સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ સાંભળીને તેણે પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી ! ભરતક્ષેત્રમાં આવું સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ કહેનાર કોઈ છે?” પ્રભુએ કહ્યું કે “આર્યરક્ષિત છે.” તે સાંભળીને ઈન્દ્ર ભરતક્ષેત્રમાં આવ્યા. ત્યાં આર્યરક્ષિતસૂરિને વંદના કરીને સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ પૂછ્યું, એટલે સૂરિએ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ યથાસ્થિત કહી બતાવ્યું. તે સાંભળીને હર્ષ પામેલા ઈન્દ્ર સ્વસ્થાને ગયા. ત્યાર પછી શ્રી આર્યરક્ષિતસ્વામીએ અનુયોગ પૃથક પૃથક સ્થાપન કર્યા અને પ્રાંતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન કરીને સ્વર્ગે ગયા. કામક્રીડા સંબંધી સુખના સ્થાનભૂત એવી નવોઢા સ્ત્રીનો ત્યાગ કરીને નવીન શાસ્ત્રાર્થ ગ્રહણ કરવામાં ઉદ્યમી થયેલા આર્યરક્ષિતસૂરિ દેવેન્દ્રને પણ વંદના કરવા યોગ્ય થયા; માટે બીજા ભવ્ય પ્રાણીઓએ પણ તેવી રીતે વર્તવું.” Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૩૨૯ મૂચ્છી તજવી मूर्छाच्छन्नधियां सर्वं, जगदेव परिग्रहः । मूर्छाया रहितानां तु, जगदेवापरिग्रहः ॥१॥ ભાવાર્થ:- મૂર્છાથી જેની બુદ્ધિ આચ્છાદિત થયેલી છે એવા માણસોને આખું જગત પરિગ્રહરૂપ છે અને મૂચ્છથી રહિત થયેલાને જગત જ અપરિગ્રહરૂપ છે.” મૂચ્છમાં મગ્ન થયેલા જીવોને સર્વ જગત પોતાનું થયું નથી, તો પણ તેના પરિગ્રહરૂપ જ છે; કેમકે તે હું સર્વ જગતનો સ્વામી થાઉં, તેનો ભોક્તા થાઉં એવી ઈચ્છાથી યુક્ત છે અને મૂર્છાએ કરીને રહિત થયેલા પ્રાણીને “પૌદ્ગલિક સર્વ વસ્તુ આત્માથી ભિન્ન છે અને અગ્રાહ્ય છે.” એમ વિચારીને સર્વનો ત્યાગ કરવાથી જગત પરિગ્રહરૂપે નથી. અહીં કોઈને સંદેહ થાય કે “જીવ અને પુદ્ગલ (શરીર) એક ક્ષેત્ર અવગાહીને રહેલા હોવાથી જીવને તે પુગલનો પરિગ્રહ કેમ ન કહેવાય?” તેનો ઉત્તર કહે છે કે “જીવને તે પુગલ ઉપર રાગ-દ્વેષની પરિણતિ થાય, તો જ તે પરિગ્રહપણાને પામે છે અને રાગદ્વેષની પરિણતિનો ત્યાગ કરવાથી શ્રમણ ગુણ પ્રગટ થાય છે. આ પ્રસંગ ઉપર સંયતમુનિનો સંબંધ છે તે આ પ્રમાણે – સંયતમુનિની કથા કાંપિલ્યપુર નામના નગરમાં સંયત નામે રાજા રાજ્ય કરતો હતો. તે એકદા મૃગયા રમવા વનમાં ગયો. માંસના સ્વાદમાં લુબ્ધ થયેલો તે રાજા અશ્વ ઉપર ચઢીને ત્રાસ પામેલા મૃગોની પાછળ તેમનો વધ કરવા દોડ્યો. તે વનના કોઈ એક પ્રદેશમાં એક મુનિ ધર્મધ્યાનમાં મગ્ન રહેતા હતા. તે મુનિની પાસે આવતાં મૃગોને તે હણવા લાગ્યો. તેવામાં મુનિને જોઈને તે ભય પામ્યો, એટલે તેને વંદના કરીને રાજા બોલ્યો કે “હે પૂજ્ય! આ મૃગના વધથી થયેલો મારો અપરાધ માફ કરો.” મુનિ તો ધ્યાનમાં હોવાથી મૌન રહેલા હતા તેથી તેમણે રાજાને કાંઈ જવાબ આપ્યો નહીં, એટલે તો રાજા અધિક ભયબ્રાંત થયો અને વિચાર કરવા લાગ્યો કે “ક્રોધ પામેલા આ મુનિ કોણ જાણે શું કરશે?” ફરીથી તે હાથ જોડીને ભયથી બોલ્યો કે “હું સંયત નામે રાજા છું, માટે મારા પર કૃપા કરી મારી સાથે બોલો. તમે ક્રોધ પામેલા જણાઓ છો. તેથી તેજ વડે કોટી મનુષ્યોને ભસ્મ કરવા સમર્થ છો.” આ પ્રમાણે સાંભળીને મુનિ બોલ્યા કે “હે રાજનું! તને અભય છે. તેને કોઈ બાળીને ભસ્મ કરતું નથી.” એ રીતે રાજાને આશ્વાસન આપીને મુનિએ તેને ધર્મોપદેશ આપ્યો કે “હે રાજા! આ સંસાર અનિત્ય છે, તો તું હિંસામાં કેમ આસક્ત થાય છે? નરકના હેતુભૂત હિંસા Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૭૫ કરવી તને યોગ્ય નથી. જેમ તને મૃત્યુનો ભય છે તેમ બીજા પ્રાણીઓને પણ મરણનો ભય છે, માટે પરલોકના હિતનું કાર્ય કર. સ્ત્રી, પુત્રો અને આ દેહ પણ જીવતાની પાછળ જીવે છે, અર્થાત્ તેણે મેળવેલા દ્રવ્યાદિકનો ઉપભોગ કરે છે. પણ તે જીવ મૃત્યુ પામે છે ત્યારે તે સ્રી પુત્રાદિક તેની પાછળ જતા નથી. માટે તેઓ શી રીતે આ જીવના સહાયભૂત થાય ? તેથી તે સર્વ કૃતઘ્નીઓ ઉ૫૨ આસ્થા કરવી યોગ્ય નથી. માટે તું સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને ચારિત્રને અંગીકાર કર.” ઈત્યાદિ ધર્મોપદેશ સાંભળીને રાજાએ તત્કાળ રાજ્યઋદ્ધિનો ત્યાગ કરીને તે ગર્દભાલિ મુનિની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. હવે તે સંયતમુનિ સમાચારીમાં આસક્ત થઈને અપ્રતિબદ્ધપણે વિહાર કરતા કોઈ ગામમાં ગયા. ત્યાં કોઇ એક મુનિ સ્વર્ગથી ચ્યવીને ક્ષત્રિય રાજા થયા હતા, તેને કાંઈક નિમિત્ત મળવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, તેથી વૈરાગ્ય પામીને તેણે પણ દીક્ષા લીધી હતી. તે મુનિએ વિહાર કરતાં સંયત મુનિને જોયા. એટલે તેની પરીક્ષા કરવા માટે તેણે પૂછ્યું કે “હે મુનિ ! તમારું નામ શું ? ગોત્ર શું ? અને શા માટે તમે આ પ્રવ્રજ્યા અંગીકાર કરી છે ?’” તે સાંભળીને સંયતમુનિએ જવાબ આપ્યો કે “મારું નામ સંયતમુનિ છે, મારું ગૌત્ર ગૌતમ છે, ગર્દભાલિ નામના આચાર્યે મને ઉપદેશ આપીને જીવહિંસાથી નિવૃત્તિ પમાડ્યો છે અને મુક્તિરૂપ ફળ બતાવીને તેની પ્રાપ્તિ માટે મને દીક્ષા આપી છે.” તે સાંભળીને સંયતમુનિના ગુણથી જેનું ચિત્ત હર્ષિત થયું છે એવા તે ક્ષત્રિય મુનિએ ફરીથી કહ્યું કે “ક્રિયાવાદી પ્રમુખ સર્વે એક એક અંશનું ગ્રહણ કરવાથી યથાર્થ વસ્તુસ્વરૂપને જાણી શકતા નથી અને કહી પણ શકતા નથી. તેથી અસત્પ્રરૂપણાનો ત્યાગ કરીને તમારે સદ્ધર્મશીલ થવું. (સ્યાદ્વાદ ધર્મમાં દૃઢ થવું). વળી परिग्रहग्रहावेशा-हुर्भाषितरजः किराः 1 શ્રયન્તે વિતા: નિ, પ્રતાપા િિશનામપિ ॥॥ ભાવાર્થ :- “પરિગ્રહરૂપી ગ્રહ (ભૂતાદિક)ના આવેશથી ઉત્સૂત્ર ભાષણરૂપ રજ વડે વ્યાપ્ત થયેલા અને દોષરૂપ વિકારવાળા જૈન વેષવિડંબકોના પણ પ્રલાપો (અસંબદ્ધ વચન વ્યૂહો) શું નથી સંભળાતા ? અર્થાત્ સંભળાય છે.” પરિગ્રહરૂપ જે ગ્રહ તેના આવેશથી ગ્રસ્ત ને પરિગ્રહમાં આસક્ત થયેલા મુનિવેષધારી પણ જ્ઞાનપૂજનાદિકનો ઉપદેશ કરીને પરિગ્રહ મેળવવાની ઈચ્છાથી ઉત્સૂત્ર પ્રરૂપણા કરે છે. ફરીથી પણ ક્ષત્રિય મુનિએ મહાપુરુષોના દૃષ્ટાંત વડે સ્થિર કરવા માટે સંયત મુનિને કહ્યું. શ્રી ઉત્તરાધ્યયનના અઢારમા અધ્યયનમાં કહ્યું છે કે - एयं पुण्यपयं सोच्चा, अत्थधम्मोवसोहियं । भरो व भारहं वासं, चिच्चा कामाइ पव्व ॥ १ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭ * ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ભાવાર્થ:- “આ પ્રમાણે અર્થ અને ધર્મથી ઉપશોભિત એવું પુણ્યપદ સાંભળીને ભરતચક્રીએ પણ ભરતક્ષેત્રનો અને કામાદિકનો ત્યાગ કરીને પ્રવજયા ગ્રહણ કરી.” આ પ્રમાણે તે ક્ષત્રિય મુનિએ ભરતાદિકથી માંડીને મહાબળ મુનિ પર્યત અનેક મહાપુરુષોના દૃષ્ટાન્તથી “પરિગ્રહ રહિત મુનિઓને જ્ઞાનપૂર્વક ક્રિયાઓ ફળદાયી છે.” એમ ઉપદેશ કરીને ફરીથી કહ્યું કે “જેમ ભરતાદિકે સ્યાદ્વાદ તત્ત્વનો આશ્રય કર્યો હતો, તેવી રીતે તમારે પણ તે જ ધર્મમાં દેઢ ચિત્તવાળા થવું.” એ પ્રમાણે સાંભળીને સંયતમુનિએ હર્ષ પામી તે મુનિનો ઉપદેશ અંગીકાર કર્યો. પછી ચિરકાળ વિહાર કરીને અનુક્રમે કેવળજ્ઞાન પામી તે સંયતમુનિ મોક્ષે ગયા. “હિંસાને તથા મમતા (પરિગ્રહ)ને તજીને તથા ક્ષત્રિય સાધુએ કહેલા એક જ વચનને સાંભળીને સંયતમુનિ ચારિત્ર પાળવામાં વિશેષ આદરવાળા થયા. તે પ્રમાણે બીજા વિદ્વાનોએ પણ અનુસરવું.” ૩૩૦ - અનુભવ व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापययत्येकोऽनुभवो भववारिधेः ॥१॥ ભાવાર્થ:- “સર્વ શાસ્ત્રોનો વ્યાપાર તો દિગ્ગદર્શન માત્ર જ છે, પરંતુ ભવસમુદ્રના પારને તો એક અનુભવ જ પમાડે છે.” સર્વ શાસ્ત્રોનો તથા અનુયોગ કથાદિકનો (ધર્મ વ્યાખ્યાનાદિકનો) જે વ્યાપાર એટલે અભ્યાસ શ્રવણ વગેરે છે તે માત્ર દિગ્દર્શન જ છે. જેમ કોઈ વટેમાર્ગ કોઈ માણસને કોઈ ગામનો માર્ગ પૂછે છે તો તે માણસ તેને માત્ર માર્ગ જ બતાવે છે; પણ ગામની પ્રાપ્તિ તો પોતાના પગ ચલાવવાથી જ થાય છે. એ પ્રમાણે શાસ્ત્રનો અભ્યાસ માત્ર તત્ત્વસાધનના વિધિને જ બતાવે છે; પણ સંસારસાગરના પારને તો એક અનુભવ જ પમાડે છે. શ્રી સુયગડાંગ વગેરે સૂત્રોમાં અધ્યાત્મભાવે કરીને જ સિદ્ધિ કહેલી છે. તેથી સદ્ગુરુના ચરણની સેવા કરનારે આત્મસ્વરૂપના ભાસનમાં તન્મયપણું ઉપજાવવું. આ પ્રસંગ ઉપર આભીરીને ઠગનાર વણિકની કથા છે તે આ પ્રમાણે - આભીરીવંચક વણિકની કથા કોઈ ગામમાં એક વણિક હતો, તે દુકાને બેસીને હમેશાં વેપાર કરતો હતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરલ સ્વભાવની આભીરી બે રૂપિયા લઈને કપાસ લેવા આવી. તેણે વણિકના Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ હાથમાં બે રૂપિયા આપી તેને કપાસ આપવા કહ્યું, એટલે તે વણિકે “હાલમાં કપાસ બહુ મોંઘો છે” એમ કહીને અડધા અડધા રૂપિયાની બે ધારણ તોળીને તેને એક રૂપિયાનો કપાસ આપ્યો. તે અતિ સરલ સ્વભાવવાળી આભીરી “બે વખત જોખી આપવાથી બે રૂપિયાનો મને કપાસ આપ્યો.” એમ જાણીને તે કપાસ લઈને જલદી પોતાને ઘેર ગઈ. પછી તે વણિકે વિચાર્યું કે “આજે એક રૂપિયો ફોગટનો મળ્યો છે, માટે આજ તો હું તેનું ઉત્તમ ભોજન જમું.' એમ વિચારીને તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વગેરે ખરીદીને ઘેર મોકલ્યું અને પોતાની સ્ત્રીને તેના ઘેબર કરવાનું કહેવરાવ્યું. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યા તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કાંઈ કામ સારુ ત્યાં આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલા વણિકની સ્ત્રીએ તે બન્નેને ઘેબર જમાડ્યા. “સ્ત્રીઓને જમાઈ ઉપર અતિ સ્નેહ હોય છે.” તેઓ જમીને ગયા પછી તે વણિક ભોજનને માટે ઘેર આવ્યો, ત્યારે હમેશાંની જેવું સ્વાભાવિક ભોજન જોઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા ! તેં આજે ઘેબર કેમ કર્યા નહીં?” સ્ત્રીએ જવાબ આપ્યો કે “હે સ્વામી ! ઘેબર તો કર્યા હતા, પણ તે સત્પાત્રને જમાડ્યા છે. આજે કાંઈ કામ માટે આપણા જમાઈ તેમના મિત્ર સહિત અહીં આવ્યા હતા, તેને જવાની ઉતાવળ હતી, તેથી તેને તે ઘેબર જમાડ્યા છે.” તે સાંભળીને વણિક ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યો કે “મેં બીજાને માટે થઈને બિચારી આભીરીને નકામી છેતરી, તેને છેતરવાનું પાપ મને લાગ્યું, અને ઘેબર તો બીજાએ ખાધાં, મૂર્ણ પુરુષો સ્ત્રી, પુત્રાદિકને માટે અત્યંત પાપકર્મ કરે છે, પણ તે ફળ તો પોતાને જ ભોગવવું પડે છે” એમ વિચારી ગામ બહાર જઈને દેહચિંતા કરી પાછો વળતાં સૂર્યના તાપ વડે ગ્લાની પામવાથી એક વૃક્ષ નીચે વિશ્રાન્તિ લેવા બેઠો. તેવામાં કોઈ મુનિને ગૌચરી જતા જોઈને તેણે કહ્યું કે “હે પૂજ્ય ! અહીં આવો. જરા વિશ્રાંતિ લ્યો અને મારી એક વાત સાંભળો.” તે સાંભળીને જ્ઞાની મુનિએ કહ્યું કે “હું મારા પોતાના કાર્ય માટે ઉતાવળે જાઉં છું, તેથી હું રોકાઈશ નહીં.” વણિક બોલ્યો કે “હે મહારાજ ! શું બીજાને કામે પણ કોઈ જતા હશે કે જેથી આપ એવું બોલ્યા કે - હું મારા પોતાના કાર્ય માટે જાઉં છું?” મુનિ બોલ્યા કે “બીજાના કાર્ય માટે ઘણા જીવો ક્લેશ પામે છે, તેમાં પ્રથમ તો સ્ત્રીપુત્રાદિકને માટે ક્લેશ પામતો એવો તું જ દષ્ટાંતરૂપ છે.” આ એક જ વાક્યથી પ્રતિબોધ પામીને તે વણિકે મુનિને કહ્યું કે “આપ તપનું પારણું વગેરે કરો. પછી હું આપની પાસે આવીશ.” પછી મુનિ નિર્દોષ આહાર વડે દેહને ભાડું આપીને સ્વાધ્યાય-ધ્યાન કરવા લાગ્યા. તે વખતે તે વણિકે તેમની પાસે જઈ ધર્મનું શ્રવણ કર્યું, તે આ પ્રમાણે - अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद्बुधा जगुः ॥१॥ ભાવાર્થ:- “ઉત્કૃષ્ટ એવું બ્રહ્મ ઈન્દ્રિયોને ગૌચર નથી, તેથી વિશુદ્ધ અનુભવ વિના Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ શાસ્ત્રની સેંકડો યુક્તિઓથી-અનેક આગમ રહસ્યના અવબોધથી પણ તે પ્રાપ્ત થતું નથી એમ પંડિતો કહે છે.” न सुषुप्तिरमोहत्वा-नापि च स्वापजागरौ । 'कल्पनाशिल्पविश्रान्ते-स्तुर्या चानुभवे दशा ॥२॥ ભાવાર્થ:- “આત્મઅનુભવ અવસ્થામાં, મોહ નહિ હોવાથી સુષુપ્તિ અવસ્થા હોતી નથી, તેમજ સંકલ્પવિકલ્પનો પણ અભાવ હોવાથી સ્વાપ તથા જાગર અવસ્થા પણ હોતી નથી, પરંતુ તે ત્રણે દશાથી ભિન્ન એવી તુર્ય (ચોથી) દશા હોય છે.” દશા ચાર છે. તેમાં અતિ શયન કરવારૂપ સુષુપ્તિ અવસ્થા મિથ્યાત્વીને હોય છે. શયનરૂપ અવસ્થા સમ્યગ્દષ્ટિને હોય છે. જાગરદશા અપ્રમત્ત મુનિને હોય છે અને તુર્થ દશા તો ઉત્તરોત્તર સયોગી કેવળી પર્યત હોય છે. ગ્રંથાંતરમાં તીવ્રનિદ્રાધૂર્ણિત ચિત્તવાળાને સુષુપ્તિ અવસ્થા કહી છે, તે અનુભવ જ્ઞાનવાળાને હોતી નથી, કેમકે અનુભવી મોહથી રહિત હોય છે. તેમજ સ્વાપ તથા જાગરદશા પણ અનુભવીને હોતી નથી, કેમકે તે કલ્પનાયુક્ત છે અને અનુભવમાં કલ્પનાનો અભાવ હોય છે, તેથી સંપૂર્ણ નયપક્ષને આધારે અનુભવમાં તુર્ય (ઉજાગર) દશા જ કહેલી છે.” ઈત્યાદિ ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામેલા વણિકે ગુરુને કહ્યું કે “હે ગુરુ ! બંધુવર્ગની રજા લઈને દીક્ષા લેવા માટે હું અહીં પાછો આવું ત્યાં સુધી આપ અહીં જ રહેજો.” એમ કહીને ઘેર જઈ તેણે સર્વ સ્વજનોને તથા પોતાની સ્ત્રીને કહ્યું કે “આ દુકાનના વ્યાપારથી મને ઘણો અલ્પ લાભ મળે છે, માટે ઘણો લાભ મેળવવા સારુ મારે પરદેશ વ્યાપાર કરવા જવું છે, તેને માટે અહીં બે સાર્થવાહ છે. તેમાં એક સાર્થવાહ એવો છે કે તે પોતાનું ધન આપીને ઈચ્છિત નગરમાં લઈ જાય છે અને મેળવેલા ધનમાં પોતે ભાગ લેતો નથી અને બીજો સાર્થવાહ એવો છે કે તે પોતાનું ધન આપતો નથી અને તેની સેવા કરતા તે પ્રથમનું ઉપાર્જન કરેલું સર્વ ધન પણ લઈ લે છે. તો તમે સર્વ કહો કે હું કયા સાર્થવાહની સાથે જાઉં?” ત્યારે સર્વ બોલ્યા કે “તમે પહેલા સાર્થવાહની સાથે જાઓ.” તે સાંભળીને તે વણિક સર્વે બંધુઓને લઈને બહાર ઉદ્યાનમાં આવ્યો. ત્યાં બંધુઓએ “સાર્થવાહ ક્યાં છે?” એમ પૂછ્યું. ત્યારે તે બોલ્યો કે “આ વૃક્ષની નીચે બેઠેલા સિદ્ધિપુરીના સાર્થવાહ આ સાધુ છે. તે પોતાના ધર્મરૂપી ધનને આપીને હમેશાં વ્યાપાર કરાવે છે અને તેમાં જે લાભ મળે છે તેમાંથી તે લેશમાત્ર પણ ગ્રહણ કરતા નથી. તેથી આની સાથે ઈશ્કેલી એવી મુક્તિપુરીએ હું જઈશ. બીજો સાર્થવાહ તે સ્ત્રી, સ્વજન વગેરે જાણવા. તે પૂર્વનું ધર્મરૂપી ધન લઈ લે છે અને નવું ધન બિલકુલ આપતા નથી; માટે તમે જ મને આનંદથી કહ્યું છે કે પહેલા સાર્થવાહ જોડે જાઓ, તેથી હું તમારા સર્વનો સંબંધ મૂકીને આ મુનિનો જ આશ્રય કરું છું.” ૧. કલ્પના તે વિકલ્પચેતના તેનું શિલ્પ તે વિજ્ઞાન, તેમાં જે વિશ્રાંતિ તે “કલ્પના શિલ્પ વિશ્રાંતિ જાણવી. Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ इत्युदीर्य स वणिग् मुनिपार्श्वे, बन्धुमोहमपहाय महात्मा । प्राप सानुभवधर्ममुदारं, सौख्यमत्र परत्र च लेभे ॥१॥ ભાવાર્થ :- ‘એમ કહીને તે મહાત્મા વણિક બંધુ વગેરેના મોહનો ત્યાગ કરીને મુનિની પાસેથી અનુભવવાળા ઉદારધર્મને અંગીકાર કરીને આલોક તથા પરલોકનું સુખ પામ્યો.” ૩૩૧ યોગ मनोवाक्काययोगानां चापल्यं दुःखदं मतम् । तत्त्यागान्मोक्षयोगानां प्राप्तिः स्यादुझ्झितादिवत् ॥१ ॥ ? ૧૭૯ " ભાવાર્થ :- “મન, વચન અને કાયાની ચપલતા દુઃખદાયક કહેલી છે. તે ચપલતાનો ત્યાગ કરવાથી ઉજ્જિતમુનિ વગેરેની જેમ મોક્ષયોગની પ્રાપ્તિ થાય છે.” ઉજ્ઞિતમુનિની કથા નંદિપુરમાં રત્નશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રત્નમતી વગેરે રાણીઓ હતી. તેમને 'મૃતવત્સા દોષને લીધે જેટલા બાળકો થતાં તે સર્વ મરી જતાં હતા. તે દોષના નિવારણ માટે તેને અનેક ઉપાયો કર્યા, પણ તે સર્વ નિષ્ફળ થયા. એકદા રાણીને એક પુત્રનો પ્રસવ થયો. તે પુત્રને મરણ પામેલો જ ધા૨ીને ઉકરડામાં નાંખી દીધો. દૈવવશે તે પુત્ર મરણ પામ્યો નહીં તેથી તેને ઉકરડામાંથી પાછો લઈ લીધો તેનું નામ ઉઝિતકુમાર પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો, પરંતુ સ્વભાવે જ મનમાં અત્યંત અહંકારી થયો. શરીર વડે પણ એવો અહંકારી થયો કે કોઈને મસ્તક પણ નમાવે નહીં, તેમ વાણીથી પણ દુર્વચન બોલનારો થયો. આખા જગતને તૃણ સમાન ગણતો સતો સ્થંભની જેમ અક્કડ રહીને પોતાના માતા-પિતાને પણ નમે નહીં. એકદા તે લેખશાળામાં ગયો, ત્યાં ભણાવનાર ગુરુને ઊંચે આસને બેઠેલા જોઈને તેણે કહ્યું કે ‘તું અમારા અને અમારી રૈયતના આપેલા દાણાનો ખાનાર થઈને ઊંચા આસન પર બેસે છે અને મને નીચે બેસાડે છે.' એમ કહીને ગુરુને લાત મારી નીચે પાડી દીધા. તે સાંભળીને “આ કુપુત્ર છે” એમ જાણી રાજાએ પોતાના દેશમાંથી દૂર કર્યો. ઉજ્જીિતકુમાર ચાલતો ચાલતો એક તાપસના આશ્રમમાં ગયો. ત્યાં પગ ઉપર પગ ચઢાવીને તે તાપસોની સામે બેઠો. એટલે તાપસોએ તેને શિખામણ આપી કે “હે ભાગ્યશાળી ! ૧. મરેલા બાળક અવતરે તેવો દોષ. Page #191 -------------------------------------------------------------------------- ________________ 195 ૧૮૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ વિનય રાખ.” તે બોલ્યો કે “મસ્તક પર જટાજુટ રાખનારા અને આખા શરીરે ભસ્મ ચોળનારા નગ્ન બાવાઓને વિષે વિનય શો?” તેનું તેવું ગર્વિષ્ટ વચન સાંભળીને તાપસોએ તેને તરત ત્યાંથી કાઢી મૂક્યો, એટલે તે ક્રોધથી બોલ્યો કે “અરે ! મારા પિતાનું હું રાજય પામીશ ત્યારે તમારો નિગ્રહ કરીશ.” એમ કહીને બડબડતો બડબડતો તે આગળ ચાલ્યો. માર્ગમાં તેને એક સિંહ મળ્યો. તેને જોઈને હાથમાં તીક્ષ્ણ ખગ લઈ અહંકારથી તેની સન્મુખ ચાલ્યો. સિંહની સાથે યુદ્ધ થતાં સિંહ તેને ખાઈ ગયો. તે મરીને ગર્દભ થયો. ત્યાંથી મરીને ઊંટ થયો. ત્યાંથી મરીને ફરીથી નંદિપુરમાં જ પુરોહિત પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ તે ચૌદ વિદ્યાનો પારગામી થયો. ત્યાં પણ અહંકારથી જ મૃત્યુ પામીને તે જ નંદિપુરમાં ગાયન કરનારો ડુંબ થયો. તેને જોઈને પુરોહિતને તેના પર ઘણો સ્નેહ થવા લાગ્યો. એવામાં કોઈ કેવળજ્ઞાની તે ગામે પધાર્યા. પુરોહિતે તેમને નમ્રતાથી પૂછ્યું કે “હે પૂજય! આ ડુંબના પર મને ઘણો પ્રેમ થાય છે તેનું શું કારણ?” ત્યારે કેવળીએ તેના પૂર્વભવનું સર્વ વૃત્તાન્ત કહ્યું. તે સાંભળીને તે ગાયકને જાતિસ્મરણ જ્ઞાન થાયું, તેથી તે કેવળી પરમાત્માના વચન સાંભળવાનો રસિક થયો. પછી ગાયકે પોતાના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો, ત્યારે શ્રી કેવળીએ અનેક સ્યાદ્વાદ પક્ષથી યુક્ત એવું મન, વચન અને કાયારૂપ ત્રણ યોગની શુદ્ધિનું સ્વરૂપ પ્રકાશિત કર્યું, તથા મોક્ષના હેતુરૂપ પાંચ યોગના સ્વરૂપનું પણ નિરૂપણ કર્યું. તે આ પ્રમાણે – मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णा -लंबनैकाग्रगोचरः ॥१॥ ભાવાર્થ:- “સર્વ આચાર મોક્ષની સાથે યોગ કરનાર હોવાથી યોગરૂપ કહેલા છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચને વિશેષ કરીને યોગરૂપ માનેલા છે.” અહીં મિથ્યાત્વાદિકના કારણભૂત એવા મન, વચન, કાયાના યોગ કર્મવૃદ્ધિ કરવાના હેતુભૂત હોવાથી ગ્રહણ કરવા નહીં, પણ મોક્ષસાધનના હેતુભૂત યોગનું જ ગ્રહણ કરવું. સમગ્ર કર્મનો જે ક્ષય તે મોક્ષ છે. મોક્ષની સાથે જોડનાર હોવાથી તે યોગ કહેવાય છે. જિનશાસનમાં કહેલો ચરણસપ્તતિ, કરણસપ્તતિ રૂપ સર્વ આચાર મોક્ષના ઉપાયભૂત હોવાથી યોગ છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચ પ્રકારના યોગને વિશેષે કરીને મોક્ષ સાધનના ઉપાયમાં હેતુ માનેલા છે. અનાદિ કાળથી પરભાવમાં આસક્ત થયેલા પ્રાણીઓ ભવભ્રમણ કરનારા હોવાથી પુદ્ગલના ભોગવિલાસમાં મગ્ન થયેલા હોય છે, તેમને આ યોગ પ્રાપ્ત થતા નથી. પરંતુ અમારે તો એક મોક્ષ જ સાધ્ય છે એમ ધારીને જે પ્રાણી ગુરુસ્મરણ, તત્ત્વજિજ્ઞાસા વગેરે યોગ વડે નિર્મળ, નિઃસંગ અને પરમાનંદમય આત્મસ્વરૂપને સંભારીને તેની જ કથા ૧. ડુંબ ટેટની એક જાતિ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૮૧ સાંભળવામાં પ્રીતિ રાખે છે તે પ્રાણીને પરંપરાએ આ યોગ સિદ્ધ થાય છે, પણ મરુદેવા માતાની જેમ સર્વ પ્રાણીઓને અલ્પ પ્રયાસે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, કેમકે મરુદેવા માતાને તો આશાતનાદિક દોષ અત્યંત અલ્પ હતા. તેથી તેને પ્રયાસ વિના જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને બીજા જીવોને તો આશાતનાદિ દોષ અત્યંત હોય છે, તથા ગાઢ કર્મના બંધનવાળા હોવાને લીધે તેમને તો સ્થાનાદિક ક્રમે કરીને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં સ્થાન એટલે વંદના કરવી, કાયોત્સર્ગે ઉભા રહેવું, વીરાદિક આસન વાળવા તથા મુદ્રાઓ કરવી વગેરે. વર્ણ એટલે અક્ષરોના શુદ્ધ ઉચ્ચાર કરવા. અર્થ એટલે વાક્યનો ભાવાર્થ ચિંતવવો. આલંબન એટલે અર્હત્ સ્વરૂપવાચ્ય પદાર્થમાં જ ઉપયોગ રાખવો અને એકાગ્રતા એટલે શુદ્ધ સ્વરૂપમાં નિશ્ચલતા થવી. જ્યાં સુધી ધ્યાનની એકતા ન થાય ત્યાં સુધી અંગન્યાસ (આસન) મુદ્રા અને વર્ણની શુદ્ધિપૂર્વક આવશ્યક ચૈત્યવંદન, પડિલેહણ વગેરે ક્રિયાઓ ઉપયોગની ચપળતાના નિવારણ માટે અવશ્ય કરવી, કેમકે તે સર્વ જીવોને અતિશય હિતકારી છે અને સ્થાન, વર્ણના ક્રમથી જ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. હવે તે પાંચ યોગમાં બાહ્ય અને અત્યંતર સાધકપણું બતાવે છે. યોગપંચકમાં સ્થાન અને વર્ણ એ બે કર્મયોગ બાહ્ય છે અને બાકીના ત્રણ જ્ઞાનયોગ તે અત્યંતર છે. આ પાંચે પ્રકારના યોગ દેશવિરતિ અને સર્વવિરતિને વિષે અવશ્ય હોય છે. આ પાંચ યોગ ચપળતાની નિવૃત્તિમાં કારણરૂપ છે. માર્ગાનુસારી વગેરેમાં આ યોગ બીજ માત્ર હોય છે.” આ પ્રમાણે કેવળીના મુખથી ધર્મોપદેશ સાંભળીને સંસારની અનિત્યતા જાણી પુરોહિત અને ડુંબ બન્ને શુદ્ધ ધર્મને અંગીકાર કરી-પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવીને અનુક્રમે મુક્તિને પામશે. “સ્થાન વગેરે પાંચ પ્રકારના સુયોગ મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ છે. તે યોગને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ઉજ્જિત સાધુએ ધારણ કર્યા, તે પ્રમાણે બીજા ભવ્ય જીવોએ પણ આ યોગને વિષે આદર કરવો.” ૩૩૨ યજ્ઞ ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाधै- र्निर्यागप्रतिपत्तिमान् ॥१॥ ભાવાર્થ ઃ- “બ્રહ્મ નામના અધ્યયનમાં નિષ્ઠાવાળો, પરબ્રહ્મમાં સાવધાન અને નિરંતર યાગ જે કર્મદહન તેની પ્રતિપત્તિવાળો બ્રાહ્મણ એટલે મુનિ પાપથી લેપાતો નથી.” Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવમા બ્રહ્મ અધ્યયનમાં કહેલી મર્યાદામાં વર્તનાર, પરબ્રહ્મ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ જાણવા વડે કરીને સમાધિવાળો અને કર્મદહન કરવારૂપ જે ભાગ તેની અત્યંત નિષ્પત્તિવાળો એવો બ્રાહ્મણ એટલે દ્રવ્યભાવથી બ્રહ્મચર્યનું પાલન કરનાર મુનિ પાપકર્મથી લિપ્ત થતો નથી. હવે યાગ એટલે યજ્ઞ તેનું વર્ણન કરે છે.” યજ્ઞ બે પ્રકારનો છે. દ્રવ્યયજ્ઞ અને ભાવયજ્ઞ. તેમાં ગોમેધ, નરમધ, ગજમેધ વગેરે દ્રવ્યયજ્ઞમાં અવશ્ય પ્રાણીનો વધ થાય છે. તે દ્રવ્યયજ્ઞના કરાવનારા આચાર્યો નિર્દયતાથી એવા વાક્યો બોલે છે કે - यज्ञार्थं पशवः सृष्टाः स्वयमेव स्वयभुवा । यज्ञोस्य भूत्यै सर्वस्य, तस्माद्यज्ञे वधोऽवधः ॥ इत्यादि. “બ્રહ્માએ પોતે યજ્ઞને માટે જ પશુઓ ઉત્પન્ન કર્યા છે, અને યજ્ઞ આ સર્વ જગતના કલ્યાણ માટે છે, તેથી યજ્ઞમાં જે વધ થાય તે વધ (હિંસા) કહેવાય નહીં.” ઔષધિઓ, પશુઓ, વૃક્ષો, પક્ષીઓ અને તિર્યંચો યજ્ઞમાં મરણ પામવાથી ઊંચી ગતિ (સ્વર્ગ)ને પામે છે. તલ, વ્રીહિ, જવ, અડદ, જળ, મૂળ અને ફલ વિધિપૂર્વક આપવાથી મનુષ્યો પર પિતૃદેવતાઓ એક માસ સુધી પ્રસન્ન રહે છે, મત્સ્યનું માંસ આપવાથી બે માસ સુધી પ્રસન્ન રહે છે, હરિણનું માંસ આપવાથી ત્રણ માસ, ઘેટાના માંસથી ચાર માસ, પક્ષીના માંસથી પાંચ માસ, બકરાના માંસથી છ માસ, વૃષ જાતિના મૃગના માંસથી સાત માસ, એણ જાતિના મૃગના માંસથી આઠ માસ, રુરુ જાતિના મૃગના માંસથી નવ માસ, ભૂંડ અને મહિષના માંસથી દશ માસ, સસલા અને કાચબાના માંસથી અગિયાર માસ, ગાયનું માસ, દૂધ અથવા ખીરથી એક વર્ષ અને ઘરડા બકરાના માંસથી બાર વર્ષ સુધી પિતૃદેવની તૃપ્તિ થાય છે. આ પ્રમાણે સ્મૃતિમાં કહેલી હકીકતને અનુસારે પિતૃના તર્પણને માટે મૂઢ પુરુષો જે હિંસા કરે છે તે પણ દુર્ગતિને માટે જ છે. એ પ્રમાણે યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં કહ્યું છે. પ્રબોધ ચિંતામણિમાં સ્મૃતિને અનુસરનારા સ્માર્લોને શિક્ષાવચન કહ્યું છે કે “જો બ્રાહ્મણો વેદના મંત્રો શક્તિવાળા છે એમ કહેતા હોય તો હણવાનો વ્યાપાર કર્યા વિના જ માત્ર મંત્ર બોલવાથી જ બકરાઓના પ્રાણ જવા જોઈએ. જો વેદના મંત્રોની શક્તિ વિષે કાંઈ પણ પ્રમાણ હોય તો હણતા બકરાઓને વેદના ન થવી જોઈએ. જો વેદના મંત્રોની અતિશયવાળી શક્તિ હોય તો શાંતિને માટે હોમેલા વાઘથી દેવતાઓ કેમ પ્રસન્ન થતા નથી? વળી વેદના મંત્રોથી પરણેલી સ્ત્રીઓને વિધવા થયેલી જોઈને પંડિત પુરુષ વેદની નિર્દોષતા શી રીતે કહેશે? પંચેન્દ્રિય પ્રાણીનો વધ કરતાં પણ જેઓનું મન શંકા પામતું નથી તેઓને કુંથુવા, પુરા વગેરે ઝીણા જીવોની હિંસા કરતાં તો ક્યાંથી જ દયા આવશે? જેઓનો હિંસા એ ધર્મ છે, જળ તીર્થ છે, ગાય પૂજય છે, ગુરુ Page #194 -------------------------------------------------------------------------- ________________ ~ ૮૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ગૃહસ્થાશ્રમી છે, અગ્નિ દેવ છે અને બ્રાહ્મણ પાત્ર છે તેઓને શું કહેવું?” શ્રી ધનપાળ પંડિતે દ્રવ્ય યાગની શ્લાઘા પણ કરી નહોતી. તે વિષે એવી કથા છે કે – શ્રી ભોજરાજાએ યજ્ઞમાં વધ કરવા માટે એક બોકડો આપ્યો હતો. તે બોકડો બેં બે શબ્દ કરતો હતો. તે જોઈને બીજા સર્વ પંડિતોએ યજ્ઞની શ્લાઘા કરી ત્યારે રાજાએ ધનપાળ પંડિતને કહ્યું કે “તું પણ બુદ્ધિ અનુસાર યજ્ઞની સ્તુતિ કર.” તે સાંભળીને શ્રાવકધર્મ પાળનાર ધનપાળ પંડિતે કહ્યું કે “ રાજનું! આ બકરો તમને એમ કહે છે કે - नाहं स्वर्गफलोपभोगरसिको नाभ्यर्थितस्त्वं मया । संतुष्टतृणभक्षणेन सततं साधो न युक्तं तव ॥ स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो । यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥१॥ ભાવાર્થ:- “હું સ્વર્ગફળના ઉપભોગમાં રસિક નથી, મેં કાંઈ તમારી પાસે તેની યાચના કરી નથી, હું તો તૃણનું ભક્ષણ કરીને નિરંતર સંતુષ્ટ છું, માટે હે ભલા માણસ! તમારે મને મારવો યોગ્ય નથી. જે કદાચ યજ્ઞમાં હણેલા પ્રાણીઓ સ્વર્ગમાં જ જતા હોય, તો તમે માતા, પિતા, પુત્ર અને બાંધવાદિક વડે કેમ યજ્ઞ કરતા નથી?” આ શ્લોક સાંભળીને રાજાને ક્રોધ ચડ્યો. પણ ફરી સમય પામીને ધનપાળ પંડિતે તેને પ્રસન્ન કર્યા, પરંતુ પોતાના વ્રતનિયમનો ભંગ કર્યો નહીં. આ પ્રસંગ ઉપર એક બીજો પણ સંબંધ છે. તે નીચે પ્રમાણે – રવિગુપ્તબ્રાહ્મણની કથા અવન્તિનગરીમાં રવિગુપ્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે હમેશાં વેદશાસ્ત્રની યુક્તિથી લોકોની પાસે યજ્ઞધર્મનો ઉપદેશ કરતો હતો અને કહેતો કે “વેદમાં કહેલી હિંસા કરવાથી દોષ નથી, પણ ઉલટું યજ્ઞાચાર્યને, યજ્ઞ કરનારને તથા હોમેલા બકરા વગેરેને મોટું ફળ પ્રાપ્ત થાય છે.” ઈત્યાદિ ઉપદેશ કરતો તે આયુષ્ય પૂર્ણ થતાં મરણ પામીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળ્યા પછી અનંત કાળ સુધી ભવભ્રમણ કરીને કાંપિલ્યપુરમાં વામદેવ નામે બ્રાહ્મણ થયો. ત્યાં પણ અશ્વમેઘાદિક યજ્ઞોનો ઉપદેશ કરવા લાગ્યો, તથા રાત્રીભોજન વગેરે બાવીશે અભક્ષ્યનું ભક્ષણ કરવા લાગ્યો. તેને સુમિત્ર નામે શ્રાવક મિત્ર થયો હતો. તે સુમિત્ર તેને નિરંતર શિખામણ આપતો હતો કે “દીન શબ્દ કરતા બકરાઓને હણીને ધર્મ માનનારા, નિર્દય, નપુંસક જેવા યજ્ઞ કરનારા બ્રાહ્મણો કસાઈથી પણ અધિક પાપી છે. “હિંસાને પણ વેદમાં અહિંસા કહેલી છે.' એ પ્રમાણે આગમના રાગથી મિથ્યા કહેનારા વિચારશૂન્ય હૃદયવાળા બ્રાહ્મણો ચાર્વાકની શા માટે નિંદા કરે ઉ.ભા.-૫-૧૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ છે ? અર્થાત્ તે કરતાં ચાર્વાક ઘણા સારા છે.’ તે સાંભળીને વામદેવ બોલ્યો કે “હે મિત્ર ! જૈનોએ તને છેતર્યો છે, માટે તું આમ બોલે છે.’ સુમિત્રે કહ્યું કે “નિઃસ્પૃહી મુનિઓ બીજાને શા માટે છેતરે છે ? તેથી તેને શો લાભ મેળવવો છે ? તેને કાંઈ સ્પૃહા તો છે નહીં.” આ પ્રમાણે સુમિત્ર તેને વારંવાર સમજાવતો હતો, પણ તે વામદેવે પ્રતિબોધ પામતો નહોતો. એકદા નજીકના કોઈ ગામે વિવાહ પ્રસંગ હતો તે નિમિત્તે સુમિત્ર વામદેવને સાથે લઈને ત્યાં જવા ચાલ્યો. માર્ગમાં કોઈ ગામ નજીક આવ્યા એટલે ત્યાં રોકાયા. તે વખતે સંધ્યા સમય થયો હતો. એટલે સુમિત્રે તો ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. વામદેવ તો રાત્રીએ જ રસોઈ કરીને જમવા બેઠો. તે વખતે તેણે મિત્રને બોલાવ્યો કે “હે મિત્ર ! ભોજન કરવા ચાલ, હજુ ઘણી રાત્રી ગઈ નથી, સંધ્યા સમય જ છે. આપણે દીપકનો સારો પ્રકાશ કરીને જમવા બેસીએ.” સુમિત્ર બોલ્યો કે “રાત્રીભોજનના જે દોષો કહેલા છે તે દોષો અંધકારમાં જમવાથી પણ લાગે છે અને સાંકડા મુખવાળા પાત્રમાં જમવાથી પણ લાગે છે, તેમજ દીવો કરવાથી પણ બીજી બહુ હિંસા લાગે છે, કેમકે રાત્રે દીવાની જ્યોતના આકર્ષણથી અનેક પતંગીયા વગેરે જીવો આવી આવીને તે દીવાના પાત્રમાં પડે છે અને તેની જ્યોતમાં બળી જાય છે. માટે મારે રાત્રીભોજનના વિષયમાં દ્વિવિધ-ત્રિવિધે કરીને પ્રત્યાખ્યાન છે.” તે સાંભળીને તે વામદેવ જૈનગુરુની નિંદા કરતો ખાવા બેઠો. હવે રાંધવાની તપેલીમાં દૈવયોગે અજાણતાં સર્પ રંધાઈ ગયો હતો. તેથી ખાઈ રહ્યા પછી વામદેવને વિષ ચઢ્યું. સુમિત્રે નવકાર મંત્ર ભણીને તે વિષ ઉતાર્યું. પછી સુમિત્ર તેને કેવળી પાસે લઈ ગયો. ત્યાં વામદેવ પોતાનો પૂર્વભવ સાંભળીને પ્રતિબોધ પામ્યો. પછી વામદેવે કેવળી ગુરુને ભાવયજ્ઞનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે કેવળી બોલ્યા કે इन्द्रियाणि पशून् कृत्वा, वेदीं कृत्वा तपोमयीम् । अहिंसा आहुतीर्दद्या - देष यज्ञः सनातनः ॥१॥ ભાવાર્થ :- “ઈન્દ્રિયોને પશુરૂપ કરીને અને તપરૂપી વેદી (કુંડ) કરીને અહિંસારૂપી આહુતિ દેવી, એ સનાતન ભાવયજ્ઞ કહેલો છે.” કેવળીના વાક્યથી પ્રતિબોધ પામેલો વામદેવ ભાવયજ્ઞ કરવામાં રસિક થયો. પછી તેણે પોતાના પિતાને જઈને કહ્યું કે “હું દીક્ષા લઉં છું.” પિતાએ જવાબ આપ્યો કે “તું પુત્રરહિત છે, માટે ‘“અપુત્રસ્ય ગતિઽસ્તિ” પુત્રરહિત માણસની સદ્ગતિ થતી નથી.” તે સાંભળીને વામદેવ બોલ્યો કે - जायमानो हरेद् भार्यां, वर्धमानो हरेद्धनम् । म्रियमाणो हरेत् प्राणान्, नास्ति पुत्रसमो रिपुः ॥१॥ ભાવાર્થ :- “પુત્ર, ઉત્પન્ન થતાં જ ભાર્યાનું હરણ કરે છે, મોટો થતાં ધનનું હરણ કરે છે અને કદી મરણ પામે તો પ્રાણોનું હરણ કરે છે, માટે પુત્ર સમાન બીજો કોઈ શત્રુ નથી.” Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૧૮૫ યુક્તિથી માતા-પિતાને પ્રતિબોધ પમાડીને વામદેવે દીક્ષા ગ્રહણ કરી આત્મકાર્ય સાધ્યું. કેવળીના વાક્યથી દ્રવ્યયજ્ઞનો ત્યાગ કરીને ભાવયજ્ઞ કરવામાં રસિક થયેલા વામદેવે વક્રતાનો ત્યાગ કરી શીવ્રતાથી શિવસુખ પ્રાપ્ત કર્યું.” દ્રવ્યપૂજ-ભાવપૂજા स्याद्भेदोपासनारुपा, द्रव्यार्चा गहमेधिनाम् । अभेदोपासनारुपा, साधूनां भावपूजना ॥१॥ ભાવાર્થ :- ગૃહસ્થીઓને ભેદઉપાસનારૂપ દ્રવ્યપૂજા હોય છે અને સાધુઓને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા હોય છે.” ભેદઉપાસનારૂપ એટલે આત્માથી અહિનું પરમેશ્વર જુદા છે, પ્રાપ્ત થયેલા આત્માનંદના વિલાસી છે. તેની ઉપાસના એટલે નિમિત્ત આલંબનરૂપ સેવા તે રૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થીઓને યોગ્ય છે અને સાધુઓને તો અભેદ ઉપાસના એટલે પરમાત્મા થકી પોતાનો આત્મા અભિન્ન છે એવા પ્રકારની ભાવપૂજા યોગ્ય છે. જો કે અહંનું ભગવાનના ગુણનું સ્મરણ કરવું, તેમનું બહુમાન કરવું, એવા ઉપયોગરૂપ સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થીઓને પણ છે, તો પણ ઉપયોગવાળી આત્મસ્વરૂપના એકત્વરૂપ ભાવપૂજા તો મુનિઓને જ યોગ્ય છે. આ પ્રસંગ ઉપર એક સંબંધ છે તે નીચે પ્રમાણે – ધનસાર વણિકની કથા શ્રીપુરનગરમાં જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં ધનસાર નામનો એક વણિક રહેતો હતો. તે અત્યંત દરિદ્રી હોવાથી કોઈપણ સ્થાને આદર પામતો નહીં, પરંતુ તે સ્વભાવે સરળ હતો અને હમેશાં સદ્દગુરુ પાસે ધર્મોપદેશ શ્રવણ કરતો હતો. એકદા તેણે વિનયપૂર્વક દીન વાણીથી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી ! હું દરિદ્રી, દુઃખી અને નિર્ધન કેમ થયો?” ગુરુએ કહ્યું કે “તેં પૂર્વ ભવે શ્રી જિનેશ્વરની પૂજા કરી નથી, તેથી દુઃખી થયો છે. હવે આ જન્મમાં તું દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કર, જેથી તારા દુઃખનો ક્ષય થાય. તેમાં ભાવપૂજાનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ એવું કહ્યું છે કે – दयांभसा कृतस्नानः, सन्तोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजो, भावनापावनाशयः ॥१॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ भक्तिश्रद्धानधुसृणोन्मिश्रपारटीरजद्रवैः । नवब्रह्मांगयुग्देवं, शुद्धमात्मानमर्चय ॥२॥ ભાવાર્થ :- “હે ઉત્તમ ! દ્રવ્ય અને ભાવથી સ્વપરના પ્રાણરક્ષણરૂપ દયારૂપી જળ વડે સ્નાન કરીને, પૌદ્ગલિક સુખની ઈચ્છાના અભાવરૂપ સંતોષ-તદ્રુપવસ્રને ધારણ કરીને, સ્વપરના વિભાવનું જે જ્ઞાન-તદ્રુપ વિવેકનું તિલક કરીને તથા અરિહંતના ગુણગાનમાં એકાગ્રતારૂપ ભાવના વડે કરીને પવિત્ર અંતઃકરણવાળો થઈ, ભક્તિ અને શ્રદ્ધારૂપ ચંદનથી મિશ્ર એવા કેસરના દ્વવે કરીને નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગોને ધારણ કરનાર અનંત જ્ઞાનાદિ પર્યાયવાળા શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર.” પછી ક્ષમારૂપી પુષ્પની માળા અર્પણ કર, બે પ્રકારના ધર્મરૂપ બે અંગલુહણા આગળ ધર, ધ્યાનરૂપી સાર અલંકારોને તેના અંગમાં નિવેશન કર, આઠ મદસ્થાનના ત્યાગરૂપી અષ્ટમંગળ તેના પાસે આલેખ; જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપી કાકતુંડ (અગરુ)નો ધૂપ કર, પૂર્વે ધર્મરૂપી લવણ ઉતારી ધર્મસંન્યાસરૂપ વહ્નિ સ્થાપન કરીને તેમાં ક્ષેપન ક૨ અને પછી આત્મસામર્થ્યરૂપ આરતિ ઉતાર. ઈત્યાદિ ભાવપૂજાનું સ્વરૂપ બીજા ગ્રંથોથી જાણી લેવું. - જિનેશ્વરની પૂજા, સ્નાત્ર, ગુણસમૂહની સ્તુતિ અને સ્તવના વગેરે ક૨વાથી દર્શન રહિત (મિથ્યાત્વી) જીવોને દર્શન (સમકિત)ની પ્રાપ્તિ થાય છે અને જેને દર્શનગુણ પ્રાપ્ત થયા હોય છે તેને ક્ષાયિકભાવની ઉત્પત્તિ થાય છે, તથા જિનપૂજા રત્નત્રયીની પ્રાપ્તિનું કારણ થાય છે. શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું છે કે – “હે ભગવાન્ ! જિનેશ્વરની સ્તુતિ, સ્તવન અને મંગળ ભણવાથી જીવોને શું લાભ થાય ?’’ ભગવાને કહ્યું કે – “હે ગૌતમ ! સ્તુતિ, સ્તવન અને મંગળથી જીવોને જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ થાય.” વળી જિનેશ્વરની પૂજા કરવાથી પૌદ્ગલિક સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે, ધન, ધાન્ય, રાજ્ય, ચક્રવર્તીપણું તથા ઈન્દ્રપણાની લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે અને છેવટે ચિદાનંદ સંપત્તિ (મુક્તિ) પણ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી જિનેશ્વરની સેવા બન્ને પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિમાં કારણભૂત છે.” ઈત્યાદિ ગુરુમુખથી ધર્મદેશના સાંભળીને ધનસારે ગુરુને પૂછીને “આજથી શ્રી અર્હન્તની પૂજા કર્યા વિના મુખમાં પાણી પણ નાખવું નહીં.” એવો અભિગ્રહ ગ્રહણ કર્યો. તે દિવસથી જ આરંભીને તે શ્રેષ્ઠિ હમેશાં જિનપ્રતિમાની કેસર, ચંદન, કપૂર (બરાસ) વગેરે સુગંધી દ્રવ્યોથી અને સુગંધી એવા જાઈ, પદ્મ, ચંપો, કેતકી, માલતી, મચકુંદ વગેરેના તાજા પુષ્પોથી પૂજા કરવા લાગ્યો. એ પ્રમાણે ત્રિકરણ શુદ્ધિ વડે નિરંતર બહુમાનથી શ્રી જિનેન્દ્રની પ્રભુતાને જ્ઞાન દૃષ્ટિરૂપ માર્ગમાં ઉતારીને પૂજા કરતાં તે નસારે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. તે પુણ્યના તાત્કાલિક ઉદયથી તેના ઘરમાં અનેક પ્રકારની લક્ષ્મી પ્રગટ થઈ; એટલે વિશેષે કરીને જિનભક્તિ કરતા એવા તે Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૮૭ શ્રેષ્ઠિએ જિનચૈત્ય, જિનબિંબ, પુસ્તક અને ચતુર્વિધ સંઘ એ સાતે ક્ષેત્રમાં ઘણું ધન ખરચ્યું. એ પ્રમાણે હંમેશા દ્રવ્યપૂજા, ભાવપૂજા કરતાં ધનસાર શ્રેષ્ઠિ સમકિત પામી, દેવનું આયુષ્ય બાંધી મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ સ્વર્ગમાં દેવતા થયાં. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થઈ સદ્ગુરુ સમીપે દીક્ષા લઈ મુક્તિસુખને પામશે. “આ શ્રાદ્ધધર્મી ધનસાર શ્રેષ્ઠિએ જિનેશ્વરની પૂજાનું ફળ શીઘ્રપણે આ ભવમાં જ મેળવ્યું અને પછીના ભવમાં ચારિત્ર લઈને ભાવપૂજાની વિશુદ્ધિ વડે તે મુક્તિને પામ્યો. તેનું દૃષ્ટાંત સાંભળીને અન્ય ભવ્ય પ્રાણીઓએ પણ દ્રવ્ય તથા ભાવ એ બન્ને પ્રકારની પૂજા અવશ્ય કરવી.’ ૩૩૪ ધ્યાન ध्याता ध्यानं ध्येय - मेकतावगतं त्रयम् । तस्य ह्यनन्यचित्तस्य, सर्वदुःखक्षयो भवेत् ॥१॥ ભાવાર્થ ઃ- “ધ્યાન કરનાર, ધ્યાન અને ધ્યેય તે ધ્યાતાને યોગ્ય - એ ત્રણેની એક્યતારૂપ ધ્યાન જેને પ્રાપ્ત થયેલું છે તે એકાગ્ર ચિત્તવાળાના-તદ્રુપ ચેતનાવાળાના અર્હત્સ્વરૂપ ને આત્મસ્વરૂપને તુલ્ય ઉપયોગપણે ગ્રહણ કરનારા આત્મિક ગુણને આવરણ કરનારા-રોકનારા સર્વ દુઃખોનો (સર્વ કર્મોનો) ક્ષય થાય છે.” આ પ્રસંગમાં ક્ષપકમુનિનો સંબંધ છે તે આ પ્રમાણે – ક્ષપકમુનિની કથા કોઈ એક મુનિ નિરંતર માસક્ષપણાદિક અનેક દુષ્કર તપસ્યાનું આચરણ કરતા હતા. એક ઉદ્યાનમાં રહીને આત્મસ્વરૂપનું ધ્યાન કરતા હતા. તેમના ગુણથી પ્રસન્ન થયેલી કોઈ દેવી હમેશાં તે મુનિને વંદન કરી તથા સ્તુતિ કરીને કહેતી કે ‘હે મુનિ ! મારા પર પ્રસાદ કરીને મારા યોગ્ય કાંઈ કાર્ય બતાવશો.’ એકદા તે મુનિ કોઈ બ્રાહ્મણના દુષ્ટ વચન સાંભળીને ક્રોધ પામી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. મુનિ તપસ્યા વડે અતિ કૃશ થયેલા હોવાથી તે બ્રાહ્મણે તેને મુષ્ટિ વગેરેના પ્રહારથી મારીને પૃથ્વી પર પાડી નાખ્યા. ફરીથી મુનિ ક્રોધ કરીને યુદ્ધ કરવા લાગ્યા, તો પણ તેને તે બ્રાહ્મણે પ્રહાર કરી પાડી નાખ્યા. એમ અનેક વાર તે બ્રાહ્મણે તેમને પ્રહારાદિક વડે જર્જરિત કરી નાખ્યા, એટલે તે મુનિ પરાજય પામીને માંડ માંડ પોતાને સ્થાને આવ્યા. બીજે દિવસે પ્રાતઃકાળમાં હંમેશની જેમ તે દેવીએ આવીને મુનિને વંદના કરી, પણ મુનિએ દેવીની સામું પણ જોયું નહીં, તેમ કાંઈ બોલ્યા પણ નહીં; તેથી તે દેવીએ પૂછ્યું “હે સ્વામી ! કયા અપરાધથી મારી સાથે આજે તમે બોલતા નથી ?” મુનિ ઉચ્ચ સ્વરે બોલ્યા કે “કાલે પેલા બ્રાહ્મણે મનો માર્યો તો Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ 6 . ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ પણ તેં મારું રક્ષણ કર્યું નહીં, તેમજ મારા તે શત્રુનો તે કાંઈ અપકાર પણ કર્યો નહીં; માટે માત્ર મીઠા વચન બોલીને પ્રીતિ બતાવનારી એવી તને હવે હું બોલાવવા ઈચ્છતો નથી.” તે સાંભળીને સ્મિતથી અધરોષ્ઠને કાંતિમાન કરતી દેવી બોલી કે “હે મુનિ ! જ્યારે તમે બન્ને એકબીજાને વળગીને યુદ્ધ કરતા હતા, તે વખતે કૌતુક જોવાની ઈચ્છાવાળી હું પણ ત્યાં જ હતી; પરંતુ તે વખતે મેં તમને બન્નેને સમાન ક્રોધવાળા જોયા. તેથી આ બેમાં સાધુ કોણ અને બ્રાહ્મણ કોણ?' એ જાણી શકી નહીં.” તેથી કરીને હું તમારી રક્ષા અને બ્રાહ્મણને શિક્ષા કરી શકી નહીં. તે સાંભળીને જેનો ક્રોધ શાંત થયો છે એવા મુનિ બોલ્યા કે “હે દેવી! તેં મને આજે બહુ સારી પ્રેરણા કરી, તેથી હવે હું આ ક્રોધરૂપી અતિચાર દોષનું મિથ્યાદુષ્કત આપું છું. હે દેવી! મેં ધ્યાન સંબંધી શાસનો ઘણા યત્નથી અભ્યાસ કર્યો છે, શ્રવણ કર્યું છે અને બીજાને શીખવ્યું પણ છે, તેમજ તેનું અનુમોદન પણ કર્યું છે. તો પણ ખરે વખતે તે મને સ્મરણમાં આવ્યું નહીં. शून्यं ध्यानोपयोगेन, विंशतिस्थानकाद्यपि । कष्टमात्रं त्वभव्याना-मपि नो दुर्लभं भवेत् ॥१॥ ભાવાર્થ - “ધ્યાનના ઉપયોગ વિના માત્ર કાયક્લેશરૂપ વિશસ્થાનક વગેરે તપ અભવ્ય પ્રાણીઓને પણ દુર્લભ નથી, અર્થાત્ ઘણા અભવ્ય પ્રાણીઓ પણ તેવું તપ કરે છે.” ચિત્તની એકાગ્રતારૂપ જે ધ્યાન-તેના ઉપયોગથી શૂન્ય એવા વિશસ્થાનક વગેરે તપસમૂહ માત્ર કાયક્લેશરૂપ જ છે, તે તે અભવ્યોને પણ દુર્લભ નથી. બાહ્યાચરણ તો જૈનોક્ત પણ ઘણા પ્રકારે અભત્રોએ પૂર્વે કર્યા છે. હવે ધ્યાન કરવાનું સ્વરૂપ કહે છે - जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः । स्थिरासनस्य नासान-न्यस्तनेत्रस्य योगिनः ॥१॥ रूद्धबाह्यमनोवृत्ते-र्धारणाधारया स्यात् । प्रसन्नस्याप्रमत्तस्य, चिदानन्दसुधालिहः ॥२॥ साम्राज्यप्रतिद्वंद्व-मन्तरेव वितन्वतः । ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ॥३॥ ભાવાર્થ:- “જેણે ઈન્દ્રિયોનો જય કરેલો છે, જે આત્મવીર્યના સામર્થ્ય વડે પરિષહ અને ઉપસર્ગોથી અકંપ્ય છે, જેના ક્રોધાદિક કષાય શાંત થયેલા છે, જેનો આત્મા સાધન પરિણતિમાં સુખમય હોવાથી સ્થિર છે, જેણે ચપળતાના નિરોધને માટે આસન સ્થિર કરીને નાસિકાના અગ્રભાગે દૃષ્ટિને સ્થાપના કરેલી છે (રત્નત્રયમાં મગ્ન છે), ધ્યેયમાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૧૮૯ તેના આધારથી જેણે બાહ્ય મનોવૃત્તિનો રોધ કરેલો છે, જે મનમાં કલુષ્યથી રહિત પ્રસન્ન છે, જે અજ્ઞાનાદિક આઠ પ્રમાદથી રહિત અપ્રમત્ત છે, જેણે ચિદાનંદરૂપ અમૃતનો સ્વાદ લીધો છે અને જે અન્તઃકરણમાં જ અદ્વિતીય સામ્રાજયનો એટલે બાહ્યાભ્યતર વિપક્ષ રહિત સ્વગુણસંપદારૂપ સ્વભાવ-પરિવારોપેત ઠકુરાઈનો સ્વાધીન કરવારૂપ વિસ્તાર કરે છે, એવા ધ્યાની મુનિની ઉપમા દેવતાઓમાં કે મનુષ્યમાં કાંઈ પણ નથી. અહીં તિર્યંચ ને નારક દુર્ગતિ હોવાથી ગ્રહણ કરેલ નથી, અર્થાત્ ત્રિભુવનમાં સહજાનંદવિલાસીની તુલના કરી શકાય એવું સાદેશ્ય છે જ નહીં.” હે દેવી! આ પ્રમાણે અનેક પ્રકારના ધ્યાનશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને મેં અયોગ્ય કર્યું, તે ઠીક કર્યું નહીં.” ત્યારપછીથી તે મુનિ નિરંતર નિશ્ચલ ચિત્તથી ધ્યાન કરવા લાગ્યા. દેવાદિકે કરેલા ઉપસર્ગોમાં પણ પ્રથમની જેમ ચપળતા કરી નહીં. મેરૂની જેવું નિશ્ચલ ધ્યાન ધ્યાઈને અંતે સ્વર્ગે ગયા. પછી તે મુનિને ભક્તિપૂર્વક નમન કરીને પેલી દેવી પોતાને સ્થાને ગઈ. ધ્યાનથી ભ્રષ્ટ થયેલ મુનિ અજ્ઞાની જેવા જ છે; માટે કષ્ટમાં પણ મુનિએ ધ્યાનનો ત્યાગ કરવો નહીં એ આ કથાનો સાર છે.” ૩૩૫ દુર્ગાનના ૬૩ સ્થાનોનું સ્વરૂપ त्रिषष्टिध्यानस्थानानि, उत्पन्नान्यातरौद्रतः । तत्स्वरूपं लिखामि द्वि-तीयप्रकीर्णसूत्रतः ॥१॥ ભાવાર્થ:- “આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ઉત્પન્ન થયેલા ત્રેસઠ ધ્યાનના સ્થાનકો છે. તેનું સ્વરૂપ બીજા પ્રકીર્ણ સૂત્રથી (આઉરપચ્ચકખાણથી) અત્રે લખું છું.” આતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણક સૂત્ર (પન્ના સૂત્ર)માં “અન્નાણ ઝાણે” ઈત્યાદિ પાઠ છે. તેમાં દુર્ગાનના ત્રેસઠ સ્થાનકો ગણાવ્યાં છે. અજ્ઞાનધ્યાન :- “અજ્ઞાન જ કલ્યાણકારી છે; કેમકે તેમાં વ્યાખ્યાન વાંચવું, ભણવું, ભણાવવું વગેરે આયાસનો અભાવ છે.” એમ મનમાં વિચારવું, તે અજ્ઞાનધ્યાન કહેવાય છે. તે ધ્યાન જ્ઞાનપંચમીની કથામાં કહેલા વાસુદેવાચાર્યે કર્યું હતું, માટે તેવું દુર્ગાન ધ્યાવવું નહીં. અનાચારધ્યાન - અનાચાર તે દુષ્ટાચાર-દોષયુક્ત આચરણ, તે સંબંધી ધ્યાન તે કોકણદેશી સાધુએ ક્ષેત્રમાં અગ્નિ સળગાવવારૂપ કર્યું હતું; તથા દેવતા થયેલા શિષ્ય કહેવા નહિ ૨. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ આવવાથી ચારિત્રનો ત્યાગ કરવાને ઈચ્છતા અષાઢાસૂરિએ તે ધ્યાન કર્યું હતું. કુદર્શનધ્યાન :- બૌદ્ધાદિક મિથ્યાદર્શનનું ધ્યાન સુરાષ્ટ્ર શ્રાવકે કર્યું હતું. ક્રોધધ્યાન :- કુલવાલુક, ગોશાલક, પાલક, નમુચિ, શિવભૂતિ વગેરેએ કર્યું હતું. માનધ્યાન`ઃ- બાહુબળિ, સુભૂમચક્રી, પરશુરામ, હઠથી આવેલા સંગમદેવ વગેરેએ કર્યું હતું. માયાધ્યાન ઃ- અન્યને છેતરવારૂપ માયાધ્યાન, અષાઢાભૂતિ મુનિએ લાડુ વહોરવા માટે કર્યું હતું. લોભધ્યાન :- સિંહકેસરિયા લાડુના ઈચ્છુક સાધુએ કર્યું હતું. રાગધ્યાન ઃ- રાગને અભિષ્યંગમાત્ર સમજવો. તેના કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ એમ ત્રણ પ્રકાર છે. તેમાં વિષ્ણુશ્રીના ઉપર વિક્રમયશ રાજાને કામરાગ થયો હતો. દામન્તકના સસરાનું પોતાના પુત્રનું મરણ સાંભળીને સ્નેહરાગને લીધે હૃદય ફાટી ગયું, અને કપિલને દૃષ્ટિરાગ (દર્શનનો રાગ) થવાથી બ્રહ્મદેવલોકમાંથી આવીને પોતાના મતના રાગથી પોતાના શિષ્યોને “આસુરે રમસે” ઈત્યાદિ કહ્યું હતું. આ ત્રણે પ્રકારના રાગનું ધ્યાન ન કરવું. અપ્રીતિધ્યાન :- અપ્રીતિ એટલે અન્ય ઉપર દ્રોહનો અધ્યવસાય અથવા દ્વેષ, તે ધ્યાન યજ્ઞની શરૂઆત કરાવનારા મધુપિંગ અને પિપ્પલ વગેરેને થયું હતું, તથા હરિવંશની ઉત્પત્તિમાં વીરકદેવને થયું હતું. ૧૦. મોહધ્યાન :- વાસુદેવના શબને ઉપાડીને છ માસ સુધી ફરનારા બળભદ્રને થયું હતું. -- ૧૧. ઈચ્છાધ્યાન :- ઈચ્છા એટલે મનમાં ધારેલો લાભ મેળવવાની ઉત્કટ અભિલાષા, તેનું ધ્યાન તે ઈચ્છાધ્યાન. તે બે માષા સુવર્ણના અર્થી કપિલને કોટી સુવર્ણના લોભમાં પણ ઈચ્છાનો અંત આવ્યો ન હતો તેની જેમ સમજવું. ૧૨. મિથ્યાધ્યાન :- મિથ્યા એટલે વિપર્યસ્ત (અવળી) દૃષ્ટિપણું, તેનું ધ્યાન તે મિથ્યાધ્યાન. તે જમાલી, ગોવિંદ વગેરેને થયું હતું. ૧૩. મૂર્છાધ્યાન :- મૂર્છા એટલે પ્રાપ્ત થયેલા રાજ્યાદિક ઉપર અત્યંત આસક્તિ, તેનું ધ્યાન તે મૂર્છાધ્યાન. તે પુત્રોને ઉત્પન્ન થતા જ મારી નાંખનાર અથવા ખોડ ખાપણવાળા કરનાર કનકધ્વજ રાજાને થયું હતું. ૧૪. શંકાધ્યાન ઃ- શંકન તે શંકા એટલે સંશય કરવો – તેનું ધ્યાન તે શંકાધ્યાન, તે અષાઢાસૂરિના અવ્યક્તવાદી શિષ્યોને થયું હતું. Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૧૯૧ ૧૫. કાંક્ષાધ્યાન - એટલે અન્ય અન્ય દર્શનનો અથવા પોતાના દર્શનનો આગ્રહ અર્થાત્ કાંક્ષા; તેનું ધ્યાન, તે “હે કપિલ ! ત્યાં પણ ધર્મ છે અને અહીં મારા મતમાં પણ ધર્મ છે.” એમ બોલનારા મરિચિને થયું હતું. ગૃહિધ્યાન - એટલે આહારાદિકને વિષે અત્યંત આકાંક્ષાનું ધ્યાન. તે મથુરાવાસી મંગુસૂરિને તથા વ્રતનો ત્યાગ કરનાર કંડરિક રાજાને થયું હતું. ૧૭. આશા ધ્યાન - એટલે પારકી વસ્તુ મેળવવાની અભિલાષાનું ધ્યાન. તે નિર્દય બ્રાહ્મણના પાથેય પ્રત્યે પાથેય વિનાના મૂલદેવને થયું હતું. તુષાધ્યાન :- તુષાપરિષદના ઉદયથી ઉત્પન્ન થયેલી પીડા, તે પીડાએ કરીને થયું કે ધ્યાન તે તૃષાધ્યાન. આ ધ્યાન પિતા સાધુની સાથે જતાં માર્ગમાં તૃષાથી પીડાયેલા ક્ષુલ્લક સાધુને થયું હતું. ૧૯. ક્ષુધા ધ્યાનઃ- શ્રુધાના પરવશપણાથી થતું ધ્યાન તે સુધાધ્યાન. તે રાજગૃહી નગરીના ઉદ્યાનમાં આવેલા લોકોને મારવા તૈયાર થયેલા દ્રમકને થયું હતું. ૨૦. પથિધ્યાન - એટલે અલ્પકાળમાં ઈષ્ટ સ્થાને પહોંચવાનું ધ્યાન. તે ધ્યાન પોતનપુરના માર્ગને શોધતા વલ્કલચિરીને થયું હતું. વિષમમાર્ગથ્થાન :- ઘણા વિકટ માર્ગનું ધ્યાન. સનસ્કુમારને શોધનાર મહેન્દ્રસિંહને અથવા બ્રહ્મદત્તને શોધનાર વરધેનુને થયું હતું. ૨૨. નિદ્રાધ્યાન:- એટલે નિદ્રાને આધીન થયેલાનું ધ્યાન. તે ધ્યાન મ્યાનદ્ધિ નિદ્રાએ કરીને પાડાનું માંસ ખાનાર, હસ્તિના દાંત ખેંચી કાઢનાર તથા મોદકના અભિલાષી સાધુને થયું હતું. ૨૩. નિદાનધ્યાન :- એટલે બીજા ભવમાં સ્વર્ગની અથવા મનુષ્યપણાની સમૃદ્ધિ મેળવવાની ઈચ્છાથી નવ પ્રકારના નિયાણાં કરવા સંબંધીધ્યાન. તે નંદીષેણ, સંભૂતિ અને દ્રૌપદી વગેરેને થયું હતું. ૨૪. સ્નેહધ્યાન - સ્નેહ એટલે મોહના ઉદયથી પુત્રાદિકને વિષે થતી પ્રીતિવિશેષરૂપ ધ્યાન. તે મરુદેવા, સુનંદા અને અન્નકની માતાને થયું હતું. ૨૫. કામધ્યાન - કામ એટલે વિષયનો અભિલાષ, તેનું ધ્યાન તે કામધ્યાન. તે હાસા અને પ્રહાસાદેવીએ દેખાડેલા વિષયસુખના લોભથી કુમારનંદી સોનીને થયું હતું તથા રાવણને થયું હતું. ૨૬. અપમાનધ્યાન :- અપમાન એટલે પરગુણની પ્રશંસા સાંભળીને થતી ઈર્ષ્યા અથવા ચિત્તની કાલુષ્યતા (મલિનતા), તેનું ધ્યાન તે અપમાનધ્યાન. તે બાહુ અને સુબાહુની Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ૨૭. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ પ્રશંસાને નહિ સહન કરનાર પીઠ અને મહાપીઠને તથા સ્થૂલભદ્રની પ્રશંસાને સહન નહિ કરી શકનાર સિંહગુફાવાસી મુનિને થયું હતું. કલહધ્યાન :- એટલે ક્લેશ કરાવવાનું ધ્યાન. તે રુક્મિણી અને સત્યભામાના સંબંધમાં તથા કમલામેલાના દૃષ્ટાંતમાં નારદને થયું હતું. ૨૮. યુદ્ધધ્યાન :- એટલે શત્રુના પ્રાણવ્યાપરોપણના અધ્યવસાયરૂપ ધ્યાન. તે હલ્લ તથા વિહલ્લ નામના બંધુના વિનાશ માટે ચેડારાજાની સાથે યુદ્ધ કરનારા કોણિકને થયું હતું. ૨૯. નિયુદ્ધધ્યાન :- પ્રાણના અપહારરૂપ અધમ, યુદ્ધ રહિત યષ્ટિ મુષ્ટિ વગેરેથી જે જય મેળવવો તે નિયુદ્ધ કહેવાય છે, તેનું ધ્યાન તે નિયુક્રધ્યાન. તે ધ્યાન બાહુબળી તથા ભરતરાજાને થયું હતું. ૩૨. ૩૦. સંગધ્યાન :- સંગ એટલે ત્યાગ કર્યા છતાં પણ ફરીથી તેના સંયોગની અભિલાષા તેનું ધ્યાન તે સંગધ્યાન. તે રાજીમતી પ્રત્યે રથનેમિને તથા નાગિલા પ્રત્યે ભવદેવને થયું હતું. ૩૧. સંગ્રહધ્યાન :- અત્યંત અતૃપ્તિ વડે ધનાદિકનો સંગ્રહ કરવાનું ધ્યાન તે સંગ્રહધ્યાન તે મમ્મણશ્રેષ્ઠિને થયું હતું. વ્યવહારધ્યાન ઃ- પોતાના કાર્યના નિર્ણય માટે રાજાદિક પાસે ન્યાય કરાવવો તે વ્યવહાર કહેવાય છે. તેનું ધ્યાન તે વ્યવહારધ્યાન. તે બે સપત્નીઓને પોતપોતાનો પુત્ર ઠરાવવા માટે થયું હતું. ૩૩. ક્રયવિક્રયધ્યાન :- લાભને માટે અલ્પ મૂલ્ય વડે વધારે મૂલ્યવાળી વસ્તુ ખરીદ કરવી તે ક્રય કહેવાય છે અને ઘણું મૂલ્ય લઈને અલ્પ મૂલ્યવાળી વસ્તુ વેચવી તે વિક્રય કહેવાય છે, તે ક્રયવિક્રયનું ધ્યાન આભીરીને કપાસ આપનાર વણિકને થયું હતું. ૩૪. અનર્થદંડધ્યાન ઃ- એટલે પ્રયોજન વિના હિંસાદિક કરવાનું ધ્યાન. તે અત્યંત ઉન્મત્તપણાને લીધે દ્વૈપાયનમુનિને કષ્ટ આપનાર શાંબ વગેરેને થયું હતું. ૩૫. આભોગધ્યાન :- આભોગ એટલે જ્ઞાનપૂર્વક વ્યાપાર, તેનું ધ્યાન તે આભોગધ્યાન. તે બ્રાહ્મણનાં નેત્રો ધારીને વડગુંદાનું મર્દન કરનારા બ્રહ્મદત્ત ચક્રીને થયું હતું. ૩૬. અનાભોગધ્યાન :- એટલે અત્યંત વિસ્મરણ, તેથી થતું ધ્યાન તે અનાભોગધ્યાન. તે પ્રસન્નચંદ્રને થયું હતું. ૩૭. ઋણધ્યાન :- ઋણ તે દેવું; તે આપવા માટે થતું ધ્યાન તે ઋણધ્યાન. તે એક ઘાંચીને પોતાની બેનનું દેવું દેવા માટે થયું હતું. ૩૮. વૈરધ્યાન :- એટલે માતાપિતાદિકના વધથી અથવા રાજ્યના અપહારથી ઉત્પન્ન થતું ધ્યાન. તે પરશુરામ તથા સુભૂમને થયું હતું અને સુદર્શનના કામરાગવાળી વ્યંતરી થયેલી Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ અભયારાણીને થયું હતું. ૩૯. વિતર્કધ્યાન - વિતર્ક એટલે રાજ્યાદિક ગ્રહણ કરવાની ચિંતા તેનું ધ્યાન. તે નંદરાજાનું રાજ્ય લેવાની ઈચ્છાવાળા ચાણક્યને થયું હતું. હિંસાધાન-એટલે પાડા વગેરેની હિંસા કરવાનું ધ્યાન. તે કૂવામાં નાંખેલા કાલસૌકરિકને થયું હતું. ૪૧. હાસ્ય ધ્યાન - હાસ્ય કરવાનું ધ્યાન. તે ચંડરુદ્ર આચાર્યનું હાસ્ય કરનાર મિત્ર સહિત શિષ્યને થયું હતું. ૪૨. પ્રહાસ ધ્યાન :- પ્રહાસ તે ઉપહાસ. નિંદા અથવા સ્તુતિરૂપ તેનું ધ્યાન તે પ્રહાસ ધ્યાન. તે “ નૈમિત્તિક મુનિ ! હું તમને વંદન કરું છું.” એ પ્રમાણે વાર્તિકમુનિ પ્રત્યે મશ્કરીમાં બોલતા ચંડપ્રદ્યોત રાજાને થયું હતું. ૪૩. પ્રદ્વેષ ધ્યાન - અતિ દૈષવાળું ધ્યાન તે પ્રસ્વેષધ્યાન. તે મરુભૂતિ તરફ કમઠને તથા શ્રી મહાવીરસ્વામીના કાનમાં ખીલા નાંખનાર ગોપને થયું હતું. ૪૪. પરૂષધ્યાન - પરુષ એટલે અતિ નિષ્ફર કર્મ. તેનું ધ્યાન તે પરૂષ ધ્યાન. તે બ્રહ્મદત્ત પુત્ર ઉપર ચલણી રાણીને તથા યુગબાહુ ભાઈ ઉપર મણિરથને થયું હતું. ૪૫. ભયાન - ભય એ મોહની અંતર્ગત રહેલી નોકષાય પ્રકૃતિ છે તેનું ધ્યાન. તે ગજસુકુમાલને ઉપસર્ગ કરનારા સોમિલ સસરાને થયું હતું. રૂપધ્યાન - આદર્શાદિકમાં જે જોવું તે રૂપ કહેવાય છે; તેનું ધ્યાન તે રૂપધ્યાન. તે બે પ્રકારનું છે. સ્વરૂપધ્યાન અને પરરૂપધ્યાન. તેમાં “મારું રૂપ સારું છે” એમ જે માનવું તે સ્વરૂપધ્યાન સનકુમારને થયું હતું અને પરરૂપધ્યાન શ્રેણિક રાજાનું ચિત્ર આલેખેલ ફલક (પાટીયું) જોઈને સુજયેષ્ઠા અને ચેલણાને થયું હતું. ૪૭. આત્મપ્રશંસાધ્યાન:- પોતાની પ્રશંસા કરવાનું ધ્યાન શટાલ મંત્રીના મુખથી પોતાની કવિતાની પ્રશંસા કરાવવા ઈચ્છનારા વરરૂચિને થયું હતું તથા કોશા વેશ્યાને પોતાની કલાકુશળતા બતાવનાર રથકારને થયું હતું. ૪૮. પરનિંદા ધ્યાન - તે કુરગડુક પ્રત્યે ચાર સાધુને થયું હતું. ૪૯. પરગઆંધ્યાન - પારકી ગઈ એટલે અન્ય જનો પાસે પરના છતા અછતા દોષ પ્રગટ કરવા તે. આ ધ્યાન સંઘસમક્ષ દુર્બલિકા પુષ્પમિત્રની ગહ કરનાર ગોષ્ઠામાહિલને થયું હતું. ૫૦. પરિગ્રહથ્થાનઃ- ધનધાન્યાદિક પરિગ્રહ નવા મેળવવાનું ધ્યાન અથવા ગયેલી સમૃદ્ધિને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ પાછી મેળવવાનું ધ્યાન તે પરિગ્રહધ્યાન. તે ધ્યાન ચારૂદત્તને થયું હતું. તથા મુનિ પતિ સાધુ વિહાર કરતા તેનો રોધ કરનાર કુંચિકશ્રેષ્ઠિને થયું હતું. ૫૧. પરપરિવાદધ્યાન - અન્યના અછતા દોષો અન્ય માટે પ્રગટ કરવા તે પરપરિવાદ કહેવાય છે તે પરપરિવાદધ્યાન સુભદ્રા પ્રત્યે તેની સાસુ તથા નણંદને થયું હતું. પર. પરદૂષણધ્યાન - પોતે કરેલા દોષનો બીજા નિર્દોષ પ્રાણી ઉપર આરોપ કરવો તે પરદૂષણ કહેવાય છે. તે સંબંધી ધ્યાન તે પરદૂષણધ્યાન. તે પતિની હત્યારૂપ પોતાના દોષને ભદ્રક વૃષભ ઉપર આરોપણ કરનાર જિનદાસની સ્ત્રીને થયું હતું. ૫૩. આરંભધ્યાન - આરંભ તે બીજાને ઉપદ્રવ કરવો, તે સંબંધી ધ્યાન તે આરંભધ્યાન તે | કુરુડ અને ઉકુડ મુનિને તથા દીપાયન ઋષિને થયું હતું. ૫૪. સંરંભળાનઃ-સંરભ તે વિષયાદિકનો તીવ્ર અભિલાષ. તે સંબંધી ધ્યાન તે સંરંભ ધ્યાન. તે માતાના ઉપરોધથી વ્રત પાળતાં છતાં પણ વિષયની અભિલાષાવાળા ક્ષુલ્લકકુમારને થયું હતું. ૫૫. પાપળાનઃ- પરસેવન વગેરે પાપકર્મનું અનુમોદન એટલે તેને પ્રસંગે “આણે આ ઠીક કર્યું” એમ જે બોલવું તે પાપ કહેવાય છે. તેનું ધ્યાન તે પાપધ્યાન. તે “આ ભોગી ભ્રમરરાજાને ધન્ય છે.” ઈત્યાદિ અનુમોદન કરનારા લોકોને થયું હતું. અધિકરણ ધ્યાન - પાપની ઉત્પત્તિના કારણરૂપ જે અધિકરણ તે સંબંધી ધ્યાન તે અધિકરણધ્યાન. તે વાપી કૂપાદિક કરાવવામાં તત્પર થયેલા નંદમણિકારને થયું હતું. ૫૭. અસમાધિમરણધ્યાન :- “આ સમાધિ વડે મરણ પામો” એવું અસમાધિમરણધ્યાન જીંદકાચાર્ય પ્રત્યે સુલક સાધુને પહેલાં યંત્રમાં પીલતા અભવ્ય એવા પાલક પુરોહિતને થયું હતું. ૫૮. કર્મોદયપ્રત્યયધ્યાન - કર્મના ઉદયને આશ્રીને થયેલું ધ્યાન તે કર્મોદય પ્રત્યયધ્યાન. તે પ્રથમ શુભ પરિણામ છતાં પછીથી કોઈપણ અશુભ કર્મના ઉદયથી અશુભ પરિણામવાળા થયેલા વિષ્ણુને અંતકાળે થયું હતું. ૫૯. ઋદ્ધિગૌરવ ધ્યાન - રાજ્ય, ઐશ્વર્ય વગેરે સમૃદ્ધિ વડે પોતાની ઉત્કૃષ્ટતારૂપ ગૌરવતા (મોટાઈ)નું ધ્યાન તે ઋદ્ધિગૌરવધ્યાન. તે દર્શાર્ણભદ્રને થયું હતું. ૬૦. રસગૌરવ ધ્યાન - જિહ્ના ઈન્દ્રિય વડે ગ્રહણ કરાતા રસ (ભોજન)ની ગૌરવતાનું ધ્યાન તે રસગૌરવ ધ્યાન, અર્થાત મારી રસવતી (ભોજન)માં જેવો રસ છે તેવો બીજાની રસવતીમાં શું હોય?” એવું અભિમાનપૂર્વક જે ધ્યાન તે. ખાઈ સંબંધી જલના દષ્ટાંતમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૯૫ કહેલા જિતશત્રુ રાજાને સુબુદ્ધિ મંત્રી પાસે પોતાની રસવતીના રસની પ્રશંસા કરતા થયું હતું. ૬૧. સાતાગૌરવધ્યાન ઃ- સુખના ગર્વનું ધ્યાન. એટલે “હું જ સુખી છું” એવા અભિમાનવાળું ધ્યાન ઘણા સુખી દેખાતા જીવોને થાય છે. ૬૨. અવિરહધ્યાન ઃ- અવિરહધ્યાન એટલે પુત્રાદિકનો વિરહ ન થાઓ એવું ચિંતવન. આ ધ્યાન ‘બે પુત્રનો વિરહ ન થાઓ' એવી બુદ્ધિથી ‘આ સાધુઓ માંસ ખાય છે માટે તે રાક્ષસ જેવા છે, તેથી તેની પાસે જવું નહીં.' એમ કહીને પુત્રોને છેતરનાર ભૃગુ પુરોહિત તથા તેની સ્ત્રી યશાને થયું હતું. તેમજ દેવતાએ પ્રતિબોધ કર્યા છતાં પણ વારંવાર વ્રતનો ત્યાગ કરનાર મેતાર્યને થયું હતું. ૬૩. અમુક્તિમરણધ્યાન ઃ- મુક્તિ તે મોક્ષગતિ, તેથી રહિત તે અમુક્તિ, એટલે સંસારના સુખની અભિલાષા, તેણે કરીને મરણ પામવાનું જે ધ્યાન તે ‘અમુક્તિ મરણધ્યાન' કહેવાય છે. તે ‘મુક્તિને વિઘ્ન કરનારું આ નિયાણું ન કર' એમ ચિત્ર નામના પોતાના ભાઈ સાધુએ વારંવાર નિવારણ કર્યા છતાં પણ ‘ચક્રવર્તીની સંપત્તિનો અનુભવ કર્યા વિના હું મુક્તિની પણ ઈચ્છા કરતો નથી.” એવા તીવ્ર અશુભ ભાવથી નિયાણું કરનારા સંભૂતિમુનિને થયું હતું. “મિથ્યાદુષ્કૃત આપવા લાયક આ ત્રેસઠ દુષ્ણનનાં સ્વરૂપને સાંભળીને વિવેકી પુરુષોએ અનેક પ્રકારના કર્મોનું બંધન કરાવનારા આ સર્વ દુર્ધ્યાનોનો તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરવા સર્વથા ત્યાગ કરવો.” 339 પ मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान्महामुनिः ॥१॥ ભાવાર્થ :- “મૂલગુણ તથા ઉત્તરગુણના સમૂહ વડે મહાન્ સામ્રાજ્યની સિદ્ધિને માટે મહામુનિઓએ આ બાહ્ય તથા અત્યંતર તપ કરવું.” જ્ઞાન, ચારિત્રાદિક મૂળગુણો અને સમિતિ, ગુપ્તિ વગેરે ઉત્તરગુણો કહેવાય છે, તેની શ્રેણી એટલે વિશેષે કરીને તે ગુણોનો ઉદ્ભવ, તેણે કરીને પ્રચૂર એવા સામ્રાજ્યની સિદ્ધિને માટે એટલે સ્વકાર્ય જે ગુણનિષ્પત્તિરૂપ તેને અર્થે પરમનિગ્રંથ એવા મહામુનિઓ બાહ્ય તથા અત્યંતર Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ તપ કરે, તેમાં અન્ય લોકોને ઉલ્લાસનું કારણ તથા પ્રભાવનાનું મૂળ હોવાથી બાહ્યતપ કરવાની જરૂર છે અને બીજા લોકોથી જાણી શકાય તેવું નહીં છતાં આત્મગુણની એકતારૂપ હોવાથી અભ્યતરતપ કરવાની આવશ્યકતા છે. આ પ્રસંગ ઉપર નંદનઋષિનો સંબંધ છે તે આ પ્રમાણે - નંદનઋષિની કથા આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની ભદ્રા નામની પટરાણીએ નંદન નામના પુત્રને જન્મ આપ્યો હતો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, એટલે તેને પિતાનું રાજય મળ્યું. રાજ્યનું પાલન કરતાં તે નંદનરાજાને જન્મથી આરંભીને ચોવીશ લાખ વર્ષ વ્યતીત થયાં. એકદા પોઠ્ઠિલ નામના આચાર્ય વિહારના ક્રમથી તે નગરીમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે નંદનરાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુરુને વિધિપૂર્વક વંદના કરી ધર્મશ્રવણ કરવા બેઠા. ગુરુએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે - } જ્ઞાનમેવ વૃથા: પ્રદ, વર્મા તાપના : तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपवृंहकम् ॥१॥ ભાવાર્થ - “આત્મપ્રદેશની સાથે સંશ્લિષ્ટ થઈને રહેલાં કર્મોને તપાવવાથી સૂક્ષ્મ જ્ઞાનને જ પંડિત પુરુષો તપ કહે છે. તેમાં પ્રાયશ્ચિત્તાદિક અત્યંતર એવું તપ ઈષ્ટ છે, અને અનશનાદિક બાહ્યતપ તે અત્યંતરતપને વૃદ્ધિ પમાડનાર છે, એટલે દ્રવ્યતપ ભાવતપનું કારણ છે, તેથી બાહ્યતપ પણ ઈષ્ટ છે.” तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । યો ન ઢીયો, ક્ષીયો નેન્દ્રિય ારા ભાવાર્થ - “જે તપ કરવાથી દુર્થાન ન થાય, મન, વચન અને કાયાના યોગની હાનિ ન થાય તથા ઈન્દ્રિયો ક્ષીણ ન થાય તેવું જ તપ કરવું.” ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને પ્રતિબોધ પામેલા નંદનરાજાએ વૈરાગ્યથી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. નિરંતર માસક્ષપણે કરીને ચારિત્રના ગુણને વૃદ્ધિ પમાડનારા તે નંદનમુનિ ગુરુ સાથે પ્રામાદિકમાં વિહાર કરવા લાગ્યા. તે મુનિએ બે અશુભ ધ્યાન (આર્ત-રૌદ્ર)નો ત્યાગ કર્યો હતો. સર્વદા ત્રણ દંડ, ત્રણ ગારવ અને ત્રણ શલ્યથી રહિત હતા. તેમના ચાર કષાય ક્ષીણ થયા હતાં, ચાર સંજ્ઞાનો ત્યાગ કર્યો હતો, તે ચાર પ્રકારની વિકથાથી વિમુક્ત હતાં, ચાર પ્રકારના ધર્મમાં આસક્ત હતા તથા ચાર પ્રકારના ઉપસર્ગોથી તેમનો ધર્મ ઉદ્યમ અલના પામતો નહોતો. તે મુનિ પંચમહાવ્રતનું ધામ હતા, પાંચ પ્રકારના સ્વાધ્યાયનું સ્થાન હતા, નિરંતર પાંચ સમિતિને ધારણ કરતા હતા અને દુઃસહ પરિષદોની પરંપરાને સહન કરતા હતા. આ પ્રમાણે નિઃસ્પૃહ એવા તે નંદનમુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. તેમાં તેમણે અગિયાર લાખ ને એંશી હજાર માસક્ષપણ Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૧૯૭ કર્યા તેમજ તે જ ભવમાં અહદ્ભક્તિ વગેરે વિશસ્થાનકોના આરાધન વડે કરીને તે મહાતપસ્વીએ દુઃખે મેળવી શકાય તેવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. મૂળથી જ અતિચારરૂપ કલંકરહિત ચારિત્રનું પાલન કરીને આયુષ્યના અંતસમયે તેમણે નીચે પ્રમાણે આરાધના કરી. “અવ્યવહાર રાશિમાં અનંત જંતુઓ સાથે અથડાવાથી જે અકામનિર્જરા વડે મારું કર્મ કપાયું તે પીડાની પણ હું અનુમોદના કરું છું. જિનેશ્વરની પ્રતિમા, ચૈત્ય, કલશ અને મુકુટ વગેરેમાં જે મારો પૃથ્વીમય દેહ થયો હોય તેનું હું અનુમોદન કરું છું. જિનેન્દ્રના સ્નાત્ર કરવાના પાત્રમાં દૈવયોગે જે મારો જલમય દેહ પ્રાપ્ત થયો હોય તેનું હું અનુમોદન કરું છું. શ્રી જિનેશ્વરની પાસે ધૂપ કરવાના અંગારામાં તથા દીવામાં જે મારો અગ્નિમય દેહ થયો હોય તેને હું અનુમોદના આપું છું. અરિહંત પાસે ધૂપને ઉખેવતાં તેને પ્રજ્વલિત કરવામાં તથા માર્ગમાં શ્રાન્ત થયેલા સંઘની શાંતિને માટે જે મારો વાયુમય દેહ વાયો હોય તેને હું અનુમોદું છું. મુનિઓના પાત્ર તથા દંડાદિકમાં અને જિનેશ્વરની પૂજાના પુષ્પોમાં જે મારો વનસ્પતિ દેહ થયો હોય તેની હું અનુમોદના કરું છું. કોઈપણ સ્થાને સત્કર્મને યોગે જિનધર્મને ઉપકાર કરનારો મારો ત્રસમય દેહ થયો હોય તેને હું અનુમોદુ છું. કાળ, વિનય વગેરે જે આઠ પ્રકારે જ્ઞાનાચાર કહેલો છે, તેમાં કાંઈ પણ અતિચાર થયો હોય તેને હું ત્રિવિધ (મન-વચન-કાયા વડે) નિંદુ છું. નિઃશંકિત વગેરે જે આઠ પ્રકારે દર્શનાચાર કહેલો છે તેમાં મને જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિધ વોસિરાવું છું. મોહથી અથવા લોભથી જે મેં સૂક્ષ્મ તથા બાદર પ્રાણીઓની હિંસા કરી હોય તેને પણ હું ત્રિવિધે વોસિરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ કે લોભાદિકના વશથી મેં જે કાંઈ અસત્ય ભાષણ કર્યું હોય તે સર્વ નિંદા કરવાપૂર્વક હું આલોચના કરું છું. રાગથી અથવા ષથી થોડું કે ઘણું જે કાંઈ અદત્તપરદ્રવ્યનું મેં ગ્રહણ કર્યું હોય તે સર્વનો હું ત્યાગ કરું છું. મેં પૂર્વે તિર્યંચ, મનુષ્ય કે દૈવ સંબંધી મૈથુનનું મનથી, વચનથી કે કાયાથી સેવન કર્યું હોય તેને હું ત્રિવિધ તજું છું. લોભના દોષથી બહુ પ્રકારે મેં ધન, ધાન્ય અને પશુ વગેરેનો જે સંગ્રહ કર્યો હોય તેને હું ત્રિવિધ તજુ છું. સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુ, ધાન્ય, ધન, ઘર અને બીજી કોઈ પણ વસ્તુમાં મેં જે કાંઈ મમતા કરી હોય તેનો હું ત્રિવિધે-ત્રિવિધ ત્યાગ કરું છું.' ઈન્દ્રિયોથી પરાભવ પામીને રસેન્દ્રિયના પરવશપણાથી મેં જે ચારે પ્રકારનો આહાર રાત્રે વાપર્યો હોય (ખાધો હોય) તેને પણ હું ત્રિવિધ નિંદું છું. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, ચાડી, પરનિંદા, જુઠું આળ અને બીજું પણ જે કાંઈ ચારિત્રાચાર સંબંધી મેં દુષ્ટ આચરણ કર્યું હોય તે સર્વને હું ત્રિવિધ તજું છું. બાહ્ય તથા અત્યંતરતપને વિષે જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિધે-ત્રિવિધ નિંદું છું. ધર્મક્રિયા કરવામાં મેં જે કાંઈ છતા વીર્યને ગોપવ્યું હોય તે વિર્યાચાર સંબંધિ અતિચારની પણ હું ત્રિવિધ નિંદા કરું છું. જે કોઈ મારો મિત્ર હોય અથવા અમિત્ર હોય અને સ્વજન હોય અથવા શત્રુ હોય તે સર્વે મારા અપરાધને ખમો, હું તે સર્વને ખમું છું અને સર્વની સાથે હું સમાન છું. મેંતિયચના ભવમાં તિર્યંચોને, નારકના ભવમાં નારકીઓને, મનુષ્યના ભવમાં મનુષ્યોને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તથા દેવભવમાં દેવતાઓને જે કાંઈ દુઃખમાં સ્થાપન કર્યા હોય, દુઃખ આપ્યું હોય તે સર્વ મારો અપરાધ ક્ષમા કરો, હું તે સર્વને ખમાવું છું, અને મારો તે સર્વને વિષે મૈત્રીભાવ છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયજનોનો સમાગમ, તે સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રના તરંગની જેવા ચપળ છે. આ જગતમાં વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસિત થયેલા પ્રાણીઓને જિનેશ્વરે કહેલા ધર્મ વિના બીજું કોઈ શરણ નથી. સર્વ જીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે, તો તેમને વિષે કયો પંડિત પુરુષ જરા પણ પ્રતિબંધ કરે? કોઈ ન કરે. અરિહંત મારું શરણ હો, સિદ્ધ મારું શરણ હો, સાધુ મુનિરાજનું મારે શરણ હો અને કેવળીએ કહેલો ધર્મ મને શરણભૂત હો. અત્યારથી જીવનપર્યત હું ચતુર્વિધ આહારનો ત્યાગ કરું છું અને છેલ્લા શ્વાસોશ્વાસે આ દેહને પણ હું તજું છું.” આ પ્રમાણે તે નંદન મુનિએ દુષ્કર્મની નિંદા, સર્વ જીવોની ક્ષમાપના, શુભ ભાવના, ચાર શરણ, નમસ્કારનું સ્મરણ અને અનશન એ છએ પ્રકારની આરાધના કરીને ધર્મગુરુને તથા સાધુ સાધ્વીને ખમાવ્યા. પછી સમાધિમાં સ્થિત થયેલા તે મુનિ સાઈઠ દિવસનું અનશન પાળીને પચ્ચીસ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી, મમતા રહિતપણે કાળધર્મ પામીને દશમા પ્રાણી નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં વીસ સાગરોપમનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું. આયુષ્યને અંતે પણ તેઓ અધિક-અધિક કાંતિ વડે દેદીપ્યમાન રહ્યા. બીજા દેવતાઓ છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે અત્યંત કાંતિદીન થાય છે અને વધારે મોહ પામે છે, પરંતુ તીર્થકરોને તો પુણ્યનો ઉદય નજીક હોવાથી છ માસ અવશેષ આયુષ્ય રહે ત્યારે પણ દેહકાંતિ વગેરે ઘટવાને બદલે ઉલટી અધિક વૃદ્ધિમાન થાય છે. તે દેવ ત્યાંથી અવીને શ્રી મહાવીરસ્વામી નામે ચરમ તીર્થંકરપણે ઉત્પન્ન થયા. શ્રી વર્ધમાનસ્વામીના જીવે સમકિત પામ્યા પછીના મોટા પચ્ચીસમા ભવે જે તપ કર્યું તે તપ અમારા જેવાને મહાઉત્તમ ભાવ મંગલરૂપ થઈ અક્ષય સુખ સંપત્તિ પ્રત્યે આપો.” ૩૩૦ રોહિણી તા. श्री वासुपूज्यमानभ्य, तपोऽतिशयप्रकाशकम् । रोहिण्याः सुकथायुक्तं, रोहिणीव्रतमुच्यते ॥१॥ ભાવાર્થ:- “શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમસ્કાર કરીને તપના અતિશયને પ્રકાશ કરનારું અને રોહિણીની સત્ કથાથી યુક્ત એવું રોહિણી વ્રતનું સ્વરૂપ કહીએ છીએ.” રોહિણીની કથા ચંપાપુરીમાં શ્રી વાસુપૂજયસ્વામીના પુત્ર મઘવા નામે રાજા રાજય કરતા હતા. તેને લક્ષ્મી Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૯૯ નામે સદાચારવાળી રાણી હતી. રાણીને આઠ પુત્ર ઉપર એક રોહિણી નામે પુત્રી થઈ. રાજાએ તે પુત્રીના જન્મ વખતે મોટો ઉત્સવ કર્યો. અનુક્રમે તે રૂપ અને સૌભાગ્યથી યુક્ત એવી તે યુવાવસ્થા પામી એટલે રાજાએ વિચાર્યું કે “આ પુત્રીને યોગ્ય વર મળે તો સારું.” એમ વિચારીને રાજાએ સ્વયંવરની ઈચ્છાથી ઘણા રાજકુમારોને આમંત્રણ કર્યું. તેથી સર્વ દેશના રાજકુમારો પોતપોતાના વૈભવ સહિત ત્યાં આવીને સ્વયંવર મંડપમાં બેઠા. રોહિણી પણ સ્નાન તથા વિલેપનાદિ કરી, સારા વસ્ત્રો પહેરી અને મુકુટ, તિલક, કુંડળ, કંઠાભરણ, પ્રાલંબન, હાર, અર્ધહાર, બાજુબંધ કડાં, વીંટી, કટીમેખલાં, ઝાંઝર અને કિંકિણી વગેરે અલંકારો ધારણ કરીને સુખાસન (પાલખી)માં બેસી મંડપમાં આવી. ત્યાં પ્રતિહારીએ દરેક રાજકુમારોના પૃથક્ પૃથક્ નામ ગોત્ર વગેરેનું વર્ણન કર્યું, તે સાંભળીને રોહિણીએ નાગપુરના રાજકુમાર અશોકના કંઠમાં વરમાળા આરોપણ કરી, એટલે રાજાએ બીજા સર્વ રાજકુમારોને વસ્રાદિક વડે સન્માન કરીને રજા આપી. પછી વિધિપૂર્વક અશોકકુમાર સાથે રોહિણીનો વિવાહ કર્યો. અશોકકુમાર રોહિણીને લઈને નાગપુર આવ્યો. કેટલેક કાળે અશોકના પિતાએ અશોકને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. અશોક રાજાને રોહિણી સાથે ભોગ-વિલાસ કરતાં આઠ પુત્રો તથા ચાર પુત્રીઓ થઈ. એકદા પત્નીની સાથે રાજા ગવાક્ષમાં બેઠો હતો, તે વખતે રોહિણીએ કોઈ એક સ્ત્રીને પુત્રના મરણથી રૂદન કરતી અને હૃદય તથા માથું કુટતી જોઈને હર્ષથી રાજાને પૂછ્યું કે “હે સ્વામી ! આ કેવી જાતનું નાટક છે ?” રાજાએ કહ્યું કે “હે પ્રિયા ! ગર્વ ન કર.” રાણી બોલી કે “ધન, યૌવન, પતિ, પુત્ર અને પિતામહ વગેરે સંબંધી સર્વ પ્રકારના સુખથી હું પૂર્ણ છું, તથાપિ હું ગર્વ કરતી નથી, પરંતુ આવું નાટક મેં કોઈપણ વખત જોયું નથી.” રાજાએ કહ્યું કે “તે સ્ત્રીનો પુત્ર મરી ગયો છે તેથી તે રૂએ છે.” રાણી બોલી કે “તે આવું નાટક ક્યાં શીખી હશે ?” રાજાએ કહ્યું કે “લે હું તને શીખવું.” એમ કહીને રાજાએ લોકપાલ નામનો સૌથી નાનો પુત્ર જે રાણીના ઉત્સંગમાં હતો તેને લઈને બારીથી પડતો મૂક્યો. તે પુત્રને અદ્ધરથી જ પુરદેવીએ ઝીલી લીધો અને તેને સિંહાસન ઉપર બેસાડ્યો. પુત્રના પડવાથી પણ રાણીને રુદન આવ્યું નહિ, તેથી રાજાને આશ્ચર્ય થયું. તેવામાં તે નગરમાં જિનેશ્વરના રૌપ્પકુંભ અને સુવર્ણકુંભ નામના બે શિષ્યો પરિવાર સહિત આવ્યા. તે જાણીને રાજા તેમની પાસે ગયો અને તેમને વંદના કરીને રાજાએ નમ્રતાથી પૂછ્યું કે “હે પૂજ્ય ! કયા કર્મથી મારી રાણી દુઃખનું નામ પણ જાણતી નથી ?” ગુરુ બોલ્યા કે હે રાજા ! સાંભળ - “આ નગરમાં જ પૂર્વે ધનમિત્ર નામે એક શ્રેષ્ઠિ રહેતો હતો. તેને દુર્ગન્ધા નામની અતિદુર્ભાગી પુત્રી હતી. તે યુવાવસ્થા પામી, તો પણ તેને કોઈ પુરુષ પરણવાની ઈચ્છા કરતો નહિ. ધનમિત્ર એક કોડી દ્રવ્ય આપવાનું કહેતો, તો પણ તેને કોઈ પુરુષ પરણ્યો નહિ. એકદા કોઈ ચોરને પ્રાણાંત શિક્ષા થઈ, તેને મારવા માટે રાજાના સેવકો લઈ જતા હતા. તે જોઈને શ્રેષ્ઠિએ તે ચોરને બોલાવી પોતાને ઘેર આણ્યો. તે ચોરને દુર્ગન્ધા આપી. રાત્રે દુર્ગન્ધાના શરીરના તાપથી પીડા પામીને તે ચોર નાસી ગયો. ઉ.ભા.-૫-૧૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ત્યારપછી એક દિવસ તે ગામમાં કોઈ જ્ઞાની ગુરુ પધાર્યા. તેમને ધનમિત્ર શ્રેષ્ઠિએ પુત્રીના દુર્ભાગ્યનું કારણ પૂછ્યું ત્યારે ગુરુ બોલ્યા કે “ઉજ્જયંત પર્વત પાસે ગિરિપુર નામના નગરમાં પૃથ્વીપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સિદ્ધમતી નામની રાણી હતી. એકદા રાજા તથા રાણી ઉપવનમાં ગયા હતા. ત્યાં માસોપવાસી શ્રી ગુણસાગર નામના મુનિને ગૌચરી જતા તેમણે જોયા. રાજાએ મુનિને વંદના કરી અને પછી રાણીને કહ્યું કે “હે પ્રિયા ! આ મુનિ જંગમતીર્થ છે, માટે તું ઘેર જઈને પ્રાસુક આહાર વડે તેમને પ્રતિલાભ.” રાજાની આજ્ઞાથી ઈચ્છા વિના રાણી પાછી વળી અને ઘેર જઈ ક્રોધથી મુનિને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું. મુનિએ તેને કડવું જાણીને પરઠવવાનો વિચાર કર્યો, પણ તેથી અનેક જીવની હિંસા થવાનું ધારીને પોતે જ આહાર કરી ગયા અને શુભ ધ્યાન વડે કેવળજ્ઞાન પામી મુક્તિસુખને વર્યા. રાજાએ તે વૃત્તાંત સાંભળીને રાણીને કાઢી મૂકી. તે રાણીને સાતમે દિવસે કોઢનો વ્યાધિ થયો. તેની વ્યથાથી આર્તધ્યાન વડે મરણ પામીને તે છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી તિર્યંચનો ભવ કરી અનુક્રમે સર્વ નરકમાં ઉત્પન્ન થઈ પછી અનુક્રમે ઊંટડી, કૂતરી, શિયાળણી, ભુંડણી, ઘો, ઊંદરડી, જૂ, કાગડી, ચાંડાળી અને છેવટે ગધેડી થઈ. તે ગધેડીના ભાવમાં મૃત્યુ વખતે નવકાર મંત્ર સાંભળ્યો. તેના પુણ્યથી તે મરીને તમારી પુત્રી થઈ છે. પૂર્વનું પાપકર્મ થોડું બાકી રહેવાથી આ ભવમાં તે દુર્ભાગી થઈ છે.” આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળતાં દુર્ગન્યાને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. પોતાના પૂર્વભવને જોઈને તેણે ગુરુને પૂછ્યું કે “હે ભગવાન ! મને આ દુઃખસાગરમાંથી તારો.” ગુરુ બોલ્યા કે “તું સાત વર્ષ અને સાત માસ સુધી રોહિણીનું વ્રત કર. તેમાં જે દિવસ રોહિણી નક્ષત્ર હોય તે દિવસે ઉપવાસ કરીને શ્રી વાસુપૂજયસ્વામીનું ધ્યાન કરવું, તેમનું નવું ચૈત્ય કરાવવું અને વ્રત પૂર્ણ થાય ત્યારે ઉદ્યાપન કરવું. તેમાં અશોક વૃક્ષની નીચે અશોક તથા રોહિણી સહિત શ્રી વાસુપૂજ્ય સ્વામીનું રત્નમય બિંબ ભરાવવું. તે તપના મહિમાથી તું આવતા ભવમાં અશોક રાજાની રોહિણી નામની સ્ત્રી થઈને તે જ ભવમાં સિદ્ધિપદને પામીશ અને આ તપ કરવાથી તેને ઘણું સુખ પ્રાપ્ત થશે. તે ઉપરનું દષ્ટાંત કહું છું, તે સાંભળ - સિંહપુરમાં સિંહસેન નામે રાજા હતો. તેને દુર્ગન્યા નામે પુત્ર હતો. તે કુમાર સર્વને અનિષ્ટ હતો, કોઈને ગમતો નહિ. તેથી રાજાએ એકદા શ્રી પદ્મપ્રભુસ્વામીને પૂછ્યું કે “હે ભગવાન કયા કર્મથી મારા પુત્રને દુર્ગન્ધીપણું પ્રાપ્ત થયું છે?” પ્રભુ બોલ્યા કે “હે રાજા ! નાગપુરથી બાર યોજન દૂર નીલ નામે એક પર્વત છે. ત્યાં એક શીલા છે. તેના ઉપર કોઈ તપસ્વી સાધુ ધ્યાન કરતા હતા. તેના પ્રભાવથી ત્યાં પારધીના શસ્ત્રો જીવહિંસામાં પ્રવર્તી શકતાં નહિ. તેથી કોઈ એક પારધીને મુનિ ઉપર ક્રોધ ચડ્યો. પછી જ્યારે મુનિ ભિક્ષાને માટે ગામમાં ગયા, ત્યારે તે શીલાની નીચે તેણે ઘાસ તથા લાકડાં નાખ્યા અને પોતે ગુપ્ત રીતે સંતાઈ ગયો. Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ A ૨૦૧ થોડીવારે મુનિ ભિક્ષા લઈને આવ્યા, અને આહાર કરીને શીલા ઉપર ધ્યાન ધરીને બેઠા. તે વખતે પેલા પારધીએ તે શીલા નીચે અગ્નિ મૂક્યો. તેના તાપને સહન કરતા તે મુનિ શુભ ધ્યાનથી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તે પારધી ઘોર પાપકર્મથી કોઢીઓ થયો. ત્યાંથી ઘણા ભવમાં ભ્રમણ કરીને કોઈ શ્રાવકના ઘેર પશુપાલ થયો. ત્યાં તે નવકારમંત્ર શીખ્યો. એકદા અરણ્યમાં પશુ ચારવા ગયો ત્યાં નિદ્રાવશ થયો. તેટલામાં દાવાનલ લાગવાથી તે બળવા લાગ્યો, એટલે નવકારમંત્રનું ધ્યાન કર્યું. તેના પ્રભાવથી તે પશુપાલ મરણ પામીને તારો પુત્ર થયો છે. શેષ રહેલા પાપકર્મના દોષથી આ ભવમાં તે દુર્ગન્ધપણું પામ્યો છે.” તે સાંભળીને કુમારને જાતિસ્મરણ થયું. પછી શ્રી જિનેશ્વરે તેને રોહિણી તપ કરવાનો ઉપદેશ આપ્યો. કુમાર તે તપ કરીને શરીરનું સુગંધીપણું પામ્યો. માટે હે દુર્ગન્ધા ! તું પણ તે તપનું આચરણ કર. આ સાંભળીને દુર્ગન્ધાએ વિધિપૂર્વક ઉઘાપન સહિત રોહિણી તપ કર્યું. તેના પ્રભાવથી તે જ ભવમાં તે સુગંધીપણું પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી આવીને તે મઘવા રાજાની પુત્રી રોહિણી નામે થઈ. તે તારી રાણી થઈ છે. “હે અશોક રાજા ! તે તપના પુણ્યથી જન્મથી આરંભીને તે દુઃખ કે રૂદનને જાણતી જ નથી.” આ પ્રમાણે શ્રી વાસુપૂજ્યસ્વામીના શિષ્યના મુખથી સર્વ હકીકત સાંભળીને અશોક રાજાએ ફરીથી પૂછ્યું કે “હે ગુરુ ! અમારે બન્નેને પરસ્પર અતિ સ્નેહ થવાનું શું કારણ?” ગુરુ બોલ્યા કે “સિંહસેન રાજાએ સુગંધકુમારને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. પછી સુગન્ધ રાજા જૈન ધર્મનું પાલન કરીને મહાવિદેહક્ષેત્રમાં પુષ્કરાવર્તવિજયમાં પુંડરિકિણી નામની પુરીમાં અર્કકીર્તિ નામે ચક્રવર્તી રાજા થયો ત્યાં સાધુના સંયોગથી દીક્ષા લઈને અનુક્રમે મૃત્યુ પામી બારમા દેવલોકે દેવ થયા. ત્યાંથી ચ્યવીને તું રોહિણીના મનને આનંદ આપનારો અશોક રાજા થયો છે. તમે બન્નેએ પૂર્વે સમાનતપ કર્યું હતું, તેથી તમારે પરસ્પર અતિશય પ્રેમ છે. વળી હે અશોક રાજા ! તારા મોટા સાત પુત્રો ગુણી થયા. તેનું કારણ એ છે કે “મથુરાનગરીમાં અગ્નિશર્મા નામના બ્રાહ્મણને સાત પુત્રો હતા. તે સર્વ દરીદ્રી હતા. એકદા તેઓએ સર્વ અલંકારથી વિભૂષિત અને મહાભાગ્યવાન રાજપુત્રોને ક્રીડા કરતા જોઈને વિચાર્યું કે “આપણે પૂર્વે કાંઈ પણ પૂણ્ય કર્યું નથી, જેથી આ ભવમાં સ્વપ્નમાં પણ સુખ જોયું નહિ, માટે દીક્ષા ગ્રહણ કરીએ.” એમ વિચારીને તે બ્રાહ્મણના સાતે પુત્રોએ ચારિત્ર લીધું. ત્યાંથી મૃત્યુ પામીને દેવ થઈ ત્યાંથી અવીને તે સાતે તારા પુત્રો થયા છે, અને સૌથી નાનો જે આઠમો પુત્ર છે તે પૂર્વભવે વૈતાઢ્ય પર્વત પર ક્ષુલ્લક નામે વિદ્યાધર હતો. તે શાશ્વત જિનપ્રતિમાની પૂજા કરીને તે પૂજાના પ્રભાવથી સૌધર્મ દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવને આ તારો આઠમો પુત્ર થયો છે. તેને તે બારીએથી નાંખી દીધો હતો, પણ તેને અદ્ધરથી જ ક્ષેત્રદેવતાએ લઈ લીધો હતો. વળી તારી ચાર પુત્રીઓ છે. તેનો વૃત્તાંત એવો છે કે - વૈતાઢ્ય પર્વત ઉપર કોઈ વિદ્યાધરને ચાર પુત્રીઓ હતી. તેઓએ એકદા જ્ઞાની ગુરુને પૂછ્યું કે “હે પૂજ્ય! અમારું આયુષ્ય હવે કેટલું બાકી છે?” ગુરુ બોલ્યા કે “તમારું આયુષ્ય ઘણું થોડું બાકી છે, પરંતુ તમારું ચારેનું Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ એક જ વખતે મૃત્યુ થશે.” તે સાંભળીને તેઓ બોલી કે “થોડા આયુષ્યમાં અમે શું પુણ્ય કરીએ?” ગુરુ બોલ્યા કે “અંતર્મુહૂર્ત માત્ર પણ કરેલું પુણ્ય નિષ્ફળ થતું નથી, તો તમોને પણ મોટું ફળ મળશે માટે તમે પંચમી તપનું આરાધન કરો.” તે સાંભળીને તે ચારેએ જીવનપર્યત પંચમીનું તપ અંગીકાર કર્યું. પછી ગુરુએ કહ્યું કે “આજે જ શુક્લ પક્ષની પંચમી છે.” તે સાંભળીને તે ચારેએ ઉપવાસનું પચ્ચકખાણ કરી ઘેર જઈને દેવપૂજાદિક ધર્મક્રિયા કરી. રાત્રે એક સાથે મળીને ધર્મજાગરણ કરવા લાગી. તે પ્રસંગે “આ તપ પૂર્ણ થયે આપણે મોટું ઉદ્યાપન કરશું.” એવો તે ચારે વિચાર કરતી હતી, તેવામાં અકસ્માત તે ચારેના મસ્તક પર વિજળી પડી, તેથી મૃત્યુ પામીને તપના પ્રભાવથી સ્વર્ગે ગઈ. ત્યાંથી આવીને તે ચારેય આ તારી પુત્રીઓ થઈ છે.” આ પ્રમાણે ગુના મુખથી સાંભળીને અશોક રાજા વગેરે સર્વ સંદેહ રહિત થઈ શ્રાવક ધર્મ અંગીકાર કરીને પોતાને ઘેર ગયા. પછી કેટલેક કાળે શ્રી વાસુપૂજ્યસ્વામી પાસે જ રાજા રાણી વગેરે દીક્ષા ગ્રહણ કરી અને ઉગ્ર તપ વડે કર્મનો ક્ષય કરી અને કેવળજ્ઞાનરૂપ અક્ષય ભંડાર મેળવીને મોક્ષપદને પામ્યા. “હે ભવ્ય પ્રાણીઓ ! શ્રી વાસુપૂજ્ય સ્વામીની સ્તુતિ વડે, પૂજન વડે અને ત્રિકાલ દેવવંદન વડે રોહિણીતપમાં યત્ન કરીને તમે મહાપુણ્યને ઉપાર્જન કરો.” O ૩૩૮ સપ્તનચ धावन्तोऽपि नया सर्वे, स्युर्भावे कृतविश्रमाः ।। चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः ॥ ભાવાર્થ:- “સર્વે નયો પોતપોતાના પક્ષનું સ્થાપન કરવા માટે દોડે છે, તો પણ તે સર્વ ભાવમાં એટલે શુદ્ધ આત્મધર્મમાં વિશ્રામ પામે છે અર્થાત્ સ્થિર થાય છે. તેથી મુનિરાજ પણ સર્વ નયનો આશ્રય કરીને ચારિત્ર ગુણમાં લીન થાય છે. ચારિત્રનો અર્થ એવો છે કે - “ચય' એટલે આઠ કર્મનો સંચય, તેને રિક્ત એટલે ખાલી કરવું - કર્મ રહિત થવું તે ચારિત્ર કહેવાય છે. તે ચારિત્રરૂપ ગુણ તેમાં લીન થવું-વધતા પર્યાયવાળું થવું; તેની અંદર સર્વે નયનો આશ્રય એવી રીતે થાય છે કે – દ્રવ્યનયને કારણપણે ગ્રહણ કરવા અને ભાવનયને કાર્યપણે ગ્રહણ કરવા. સાધનમાં ઉદ્યમરૂપ ક્રિયાનય લેવા અને તેમાં વિશ્રાંતિરૂપ જ્ઞાનનય લેવાં, એ પ્રમાણે સર્વનયમાં આસક્તિ રાખવી. શ્રી અનુયોગદ્વારમાં કહ્યું છે કે - Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ सव्वेसिं पि नयाणं, बहुविहवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं, जं चरणगुणट्ठिओ साहू ॥१॥ ભાવાર્થ ઃ- “સર્વનયની બહુ પ્રકારની વક્તવ્યતા સાંભળીને સર્વનયથી વિશુદ્ધ એવો તે ચારિત્ર ગુણ તેને વિષે સાધુ સ્થિત થાય છે.” આ પ્રસંગ ઉપર એક કથા છે તે નીચે પ્રમાણે - એક પોપટની કથા ૨૦૩ કોઈ એક ગચ્છમાં એક તપસ્વી આચાર્ય વૃદ્ધ હોવાથી એક ગામમાં જ રહેતા હતા. તેનો એક શિષ્ય અતિ ચપળ હોવાથી ક્રિયામાં અનાદરવાળો હતો. તેણે એકદા ગુરુને કહ્યું કે “હું યુવાન છું, તેથી મૈથુન વિના રહી શકતો નથી.” તે સાંભળીને ગુરુએ તેને ગચ્છથી બહાર કર્યો. તે સાધુ બાલ્યાવસ્થામાં જ સમગ્ર શાસ્ત્રો ભણ્યો હતો, તેથી લોકોને આધીન કરીને પ્રાણવૃત્તિ કરવા લાગ્યો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે આર્તધ્યાન વડે મૃત્યુ પામીને એક વૃક્ષની કોટરમાં પોપટ થયો. ત્યાં એકદા કોઈ સાધુનું દર્શન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેણે પોતાના પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ જાણ્યું, અને ધર્મના સર્વ પ્રબંધ પણ સમજ્યો. એક દિવસ તે વનમાં એક ભીલ પક્ષીઓ પકડવા આવ્યો. કેટલાક પક્ષીને પકડીને તે આ પોપટને પણ પકડવા આવ્યો. તેનો એક પગ હાથમાં આવ્યો. તે ખેંચીને માળામાંથી બહાર કાઢતાં તેનું એક નેત્ર કાણું થયું. પછી તે ભીલ પક્ષીઓને વેચવા માટે ચૌટામાં ગયો. ત્યાં બીજા પક્ષીઓને વેચવા માટે જતાં પહેલા પોપટને એક જિનદત્ત નામના શ્રાવકની દુકાને મૂકી ગયો. ત્યાં તે પોપટે મનુષ્યવાણીથી પોતાનું સર્વ વૃત્તાંત જિનદત્તને કહ્યું. તે સાંભળીને તેને સાધર્મિક જાણી જિનદત્તે તેને વેચાતો લીધો અને એક પાંજરામાં રાખ્યો. પછી તે પોપટે જિનદત્તના આખા કુટુંબને શ્રાદ્ધધર્મી કર્યું; પણ જિનદત્તનો પુત્ર જિનદાસ કોઈ શ્રેષ્ઠિની રૂપવતી કન્યાને જોઈને તેનામાં આસક્ત થયો હતો. તેથી તે ધર્મ શ્રવણ કરતો નહીં. તેને એકદા પોપટે કહ્યું કે “કેમ તારા ચિત્તમાં શ્રદ્ધા થતી નથી ?” ત્યારે તે જિનદાસે પોતાના હૃદયની સાચી વાત કહી સંભળાવી. તે સાંભળી પોપટ બોલ્યો કે “તું સ્વસ્થ થા. તે શ્રેષ્ઠિપુત્રી હું તને પરણાવીશ.” એમ કહીને તે પોપટ ત્યાંથી ઉડીને તે શ્રેષ્ઠિને ઘેર ગયો. ત્યાં જ્યારે તે શ્રેષ્ઠિની પુત્રી વિવાહની ઈચ્છાથી દુર્ગાદેવીનું પૂજન કરીને વરની પ્રાર્થના કરવા લાગી, ત્યારે તે પોપટ પ્રચ્છન્ન રહીને બોલ્યો કે “જો તારે વરની ઈચ્છા હોય તો તું જિનદત્તના પુત્રને વર.” તે સાંભળીને તે પુત્રીએ હર્ષથી પોતાના પિતાને દેવીનું વાક્ય કહી જિનદત્તના પુત્રને પરણવાની ઈચ્છા જણાવી, તેના પિતાએ તે વાત સ્વીકારીને જિનદાસ સાથે તેનો વિવાહ કર્યો. પછી તે વહુ બીજી વહુઓમાં ‘હું દેવદત્તા' છું.’ એમ કહી ગર્વ કરતી અને વિરુદ્ધ ધર્મી હોવાથી પોપટનો ઉપદેશ પણ સાંભળતી ૧. દેવતાએ આપેલી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ નહીં. ત્યારે પોપટે સર્વ સ્વજનોની સમક્ષ હાસ્ય કરીને દુર્ગાદેવીનું વૃત્તાંત પ્રગટ કરી બતાવ્યું. ત્યારે તેના સ્વજનો ‘હે વહુ ! તમે દેવદત્તા છો કે પક્ષિદત્તા છો ?' એમ કહીને તેનું હાસ્ય કરવા લાગ્યા; તેથી તે વહુ પોપટના ઉપર દ્વેષ કરવા લાગી. એકદા સર્વ સ્વજનો કાર્યમાં વ્યગ્ન હતા તેવે વખતે પોપટનું એક પીછું ખેંચીને તે બોલી કે “હે પોપટ ! તું તો પંડિત છે !” તે સાંભળીને પોપટે મનમાં વિચાર્યું કે – “અરે ! આ મારી વાણીના દોષનું ફળ છે.” કહ્યું છે કે - आत्मनो मुखदोषेण, बध्यन्ते शुक्रसारिकाः । बकास्तत्र न बध्यन्ते, मौनं सर्वार्थसाधनम् ॥१॥ ભાવાર્થ :- “પોતાની વાણીના દોષથી પોપટ અને સારિકા બંધાય છે, પણ બગલા બંધાતા નથી; માટે મૌન જ સર્વ અર્થને સાધનાર છે.” એમ વિચારીને પોપટ બોલ્યો કે “હું પંડિત નથી, પંડિત તો ધનશ્રેષ્ઠિ છે.” વહુએ પૂછ્યું કે “તે શી રીતે ?” ત્યારે પોપટ બોલ્યો કે “કોઈ એક ગામમાં ઘણા આંધળા માણસો હતા. તે પોતપોતાના ચોકમાં બેસીને હાસ્ય, ગીત અને દંભાદિક વાતો કરીને દિવસો નિર્ગમન કરતા હતા. તે ગામમાં કોઈ શેઠ રહેતો હતો. તે પોતાની દુકાને બેસી સોનામહોરની પરીક્ષા કરતો. તેની પાસે એકદા એક આંધળો આવીને ઊભો રહ્યો અને વિનયથી તે શેઠની પ્રશંસા કરીને બોલ્યો કે “હે શેઠજી ! મને સ્પર્શ કરવા માટે મારા હાથમાં એક સોનામહોર આપો.” તે સાંભળીને સરલ સ્વભાવવાળા તે શેઠે તેના હાથમાં એક સોનામહોર આપી. તે આંધળે સોનામહોર લઈને પોતાના વસ્ત્રના છેડે મજબૂત ગાંઠ બાંધીને છુપાવી દીધી. થોડીવારે તે શેઠે સોનામહોર માગી, ત્યારે તે અંધ બોલ્યો કે “હે પુણ્યશાળી શેઠ ! મેં મારી મહોર તમને જોવા માટે આપી હતી, તે મેં લઈને મારી ગાંઠે બાંધી છે. હું તે તમને આપીશ નહીં, કેમકે મારી આજીવિકાને માટે મારી પાસે આટલું જ ધન છે; તેની તમે કેમ ઈચ્છા કરો છો ?' એમ કહીને તે અંધ પોકાર કરવા લાગ્યો કે “આ શેઠ મારી મહોર લઈ જાય છે.” તે સાંભળીને ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા અને તે શેઠની નિંદા કરવા લાગ્યા; તેથી તે શેઠ ઉલટો ઝંખવાણો પડી ગયો. પછી શેઠે એક ચતુર માણસને પોતાની સર્વ હકીકત કહીને તેની સલાહ પૂછી, ત્યારે તે ચતુર માણસે તેને કહ્યું કે “હંમેશા રાત્રે આ ગામના સર્વે આંધળા એક જગ્યાએ એકઠા થાય છે અને ત્યાં પોતે મેળવેલા દ્રવ્ય વગેરેને પરસ્પર દેખાડે છે. ત્યાં તું જઈને ગુપ્ત રીતે ઊભો રહેજે અને જ્યારે તે અંધ એ મહોર બીજાને દેખાડવા કાઢે ત્યારે તું લઈ લેજે.” તે સાંભળીને તે શેઠ આંધળાઓને એકઠા મળવાના સ્થાનકે ગયો. ત્યાં પેલા આંધળાએ હર્ષથી પોતાનું પાંડિત્ય પ્રકાશ કરીને ગાંઠે બાંધેલી સોનામહોર છોડી બીજા આંધળાને બતાવવા માટે પોતાનો હાથ લાંબો કર્યો, એટલે તરત જ પેલા શેઠે તે મહોર લઈ લીધી, બીજા આંધળાએ કહ્યું કે “કેમ નથી આપતો ?” ત્યારે પેલો આંધળો બોલ્યો કે “આપી તે શું ?” એમ બોલતા તે બન્ને આંધળાઓને પરસ્પર મોટું Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ યુદ્ધ થયું અને શેઠ તો પોતાની મહોર મળી જવાથી સ્વસ્થ થઈ પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. ત્યારથી “અંધો અંધ પીલાય” એવી લોકમાં કહેવત ચાલે છે. આ વાતનો ઉપનય એવો છે કે “એકાંતવાદીને સર્વ નયો અંધ સંદેશ છે અને અનેકાંત પક્ષને જાણનારને નેત્રવાળા શેઠની તુલ્ય છે. તત્ત્વને પણ તે જ પામે છે, બીજાઓ તત્ત્વને પામતા નથી, આ કથામાં પેલા શેઠે મૌન ધારણ કરીને પોતાનું કાર્ય સાથું, માટે તે પંડિત છે.” આ પ્રમાણે પોપટના મુખથી કથા સાંભળીને તે વહુ જતી રહી, ફરીથી પાછી આમ તેમ જતાં તે વહુએ પોપટનું બીજું પાછું ખેંચીને કહ્યું કે “હે પોપટ ! તું તો પંડિત છે!” તે સાંભળીને પોપટે હજામની સ્ત્રીની કથા કહી. એ પ્રમાણે કથાઓ કહીને પોપટે આખી રાત્રિ નિર્ગમન કરી. પ્રાત:કાળે તદન પાંખો વિનાના થઈ ગયેલા તે પોપટને પાંજરાની બહાર કાઢ્યો. તેવામાં એક યેનપક્ષીએ તેને મુખમાં ગ્રહણ કર્યો. તેવામાં બીજો શ્યન પક્ષી આવ્યો; એટલે તે બન્નેનું યુદ્ધ થયું. તે વખતે પહેલા શ્યનના મુખમાંથી પોપટ પડી ગયો. તે અશોકવાડીમાં પડ્યો. ત્યાં તેને પડતાં જ કોઈ દાસ પુત્રે લઈને તેને એકાંતમાં રાખી સાજો કર્યો. પછી તે દાસપુત્રે પોપટને કહ્યું કે “હે પોપટ ! મને આ ગામનું રાજય અપાવ.” પોપટે કહ્યું કે “પ્રયત્ન કરીશ.” હવે તે ગામનો રાજા વૃદ્ધ હતો અને અપુત્રીઓ હતો, પરંતુ તે બીજા કોઈને રાજ્ય આપવાની ઈચ્છા ધરાવતો હતો; તેથી રાજા કુળદેવીનું ધ્યાન કરીને રાત્રે સૂતો હતો. તે સમયે પેલો પોપટ રાજાના પલંગને માથે રહેલા ક્રીડામયૂરના દેહમાં પ્રવેશ કરીને બોલ્યો કે “હે રાજા ! તું દાસપુત્રને રાજ્ય આપજે, બીજાને આપીશ તો સાત દિવસમાં રાજ્ય નષ્ટ થશે.” તે સાંભળીને “આ કુળદેવીનું વાક્ય છે” એમ જાણી રાજાએ દાસપુત્રને રાજય આપ્યું. દાસપુત્રે તે પોપટને જ રાજા કર્યો અને તેની આજ્ઞા બધે જાહેર કરી. પછી તે પોપટે ધર્મના ઉપદેશથી જિનદાસ શ્રાવકના કુટુંબને તથા પેલા મહેશ્વરી (મેશ્રી) શ્રેષ્ઠીના કુટુંબને પ્રતિબોધ પમાડી શુદ્ધ શ્રાવક કર્યા અને તેમને વૈરાગ્ય ઉપજાવ્યો. પ્રાંતે પોતે સંવેગ પામીને અનશન કર્યું અને મૃત્યુ પામીને શુભ ધ્યાનના પ્રભાવથી સન્નાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકમાં પણ તે પરમ શ્રાવક હોવાથી ધર્મકથા કરવા લાગ્યો; તેથી સર્વ દેવોમાં તે અતિ વિદ્વાન ગણાયો. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. જ્ઞાનવાનું મનુષ્ય અવશ્ય સંવેગનું ભાજન થાય છે; તેથી કરીને જ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે “જ્ઞાન આલોકમાં, પરલોકમાં અને તેથી પણ આગળના સર્વ ભવમાં હિતકારી છે. વળી “જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષઃ સાત'-“જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે.” એમ પણ કહ્યું છે, માટે જ્ઞાન અને ક્રિયા બન્નેનો ખપ કરવો. | સર્વ નયનું રહસ્ય સંયમ કહેલું છે; માટે હંમેશા જ્ઞાન અને ક્રિયા વડે આપ્ત પુરુષોએ તેનું સેવન કરવું.” Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૩૩૯ શીલની દૃઢતા સ્ત્રીની સાથે લાંબા વખતનો સહવાસ છતાં પણ ઉત્તમ પુરુષો પોતાની દૃઢતાને છોડતા નથી. કહ્યું છે કે - दिनमेकमपि स्थातुं, कोऽलं स्त्रीसन्निधो तथा । चतुर्मासीं यथाऽतिष्ठत्, स्थूलभद्रोऽक्षतव्रतम् ॥१॥ ભાવાર્થ :- “જેવી રીતે સ્થૂલભદ્ર મુનિ વ્રતનો ભંગ કર્યા વિના ચારે માસ સુધી સ્ત્રી સમીપે રહ્યા, તેવી રીતે બીજો કયો પુરુષ એક દિવસ પણ રહેવાને સમર્થ છે ? કોઈ જ નથી.” સ્થૂલભદ્ર મુનિની કથા એકદા વર્ષાઋતુ આવતાં શ્રી સંભૂતવિજયસૂરિને વંદના કરીને ત્રણ મુનિઓએ જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં પહેલા મુનિએ કહ્યું કે “હું ચાર માસ સુધી સિંહની ગુફાને મોઢે ઉપવાસ કરીને કાયોત્સર્ગે રહીશ.” બીજા મુનિએ કહ્યું કે “હું ચાર માસ સુધી દૃષ્ટિવિષ સર્પના બીલને મોઢે કાયોત્સર્ગ ધારણ કરીને ઉપોષિત રહીશ” અને ત્રીજાએ કહ્યું કે “હું ચાર માસ સુધી કૂવાના ભારવટ ઉપર કાયોત્સર્ગ કરીને ઉપોષિત રહીશ.” તે ત્રણે મુનિઓને યોગ્ય જાણીને ગુરુએ તેમને આજ્ઞા આપી. પછી સ્થૂલભદ્ર મુનિએ ઉઠીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે “હું ચાર માસ સુધી ઉગ્ર તપ કર્યા વિના ષડ્રેસવાળા ભોજનનો આહાર કરીને કોશા વેશ્યાના ઘરમાં રહીશ.” ગુરુએ ઉપયોગ દઈને તેને યોગ્ય ધારીને તેમ કરવાની આજ્ઞા આપી. પછી સર્વે મુનિઓ પોતે અંગીકાર કરેલા સ્થાને ગયા. તે વખતે સમતા ગુણવાળા અને ઉગ્ર તપને ધારણ કરનારા તે મુનિવરોને જોઈને તે સિંહ, સર્પ અને કૂવાનો રેંટ ફે૨વનાર એ ત્રણે શાંત થઈ ગયા. સ્થૂલભદ્ર પણ કોશાને ઘેર ગયા. ત્યાં તેમને આવતા જોઈને કોશાએ વિચાર્યું કે “આ સ્થૂલભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી વ્રતનો ભંગ કરીને આવ્યા જણાય છે, માટે હજુ સુધી મારું ભાગ્ય જાગતું છે.” એમ વિચારીને કોશા એકદમ ઉઠી. મુનિને મોતીથી વધાવી બે હાથ જોડી ઉભી રહીને બોલી કે “પૂજ્ય સ્વામી ! આપ ભલે પધાર્યા. આપના આગમનથી આજે અંતરાય ક્ષય થવાને લીધે મારું પુણ્ય પ્રગટ થયું છે. આજે મારા ઉપર ચિંતામણિ, કામધેનુ, કલ્પવૃક્ષ તથા કામદેવ વગેરે દેવતાઓ પ્રસન્ન થયા એમ હું માનું છું. હવે હે નાથ ! પ્રસન્ન થઈને મને જલદીથી આશા આપો. આ મારું ચિત્ત, વિત્ત, શરીર અને ઘર એ સર્વ આપનું જ છે, મારું યૌવન પ્રથમ આપે જ સફળ કર્યું છે. હમણાં હીમથી બળી ગયેલી કમલિનીની જેમ આપના વિરહથી દગ્ધ થયેલા આ મારા શરીરને નિરંતર આપના દર્શન તથા સ્પર્શ વડે આનંદિત કરો.” Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૨૦૭ તે સાંભળીને સ્થૂલભદ્ર બોલ્યા કે “આ કામશાસ્ત્રને અનુસારે બનાવેલી તારી ચિત્રશાળા મને ચાર માસ સુધી રહેવા આપ.” તે સાંભળીને કોશાએ તરત જ ચિત્રશાળા સાફ કરીને રહેવા આપી. ત્યાં મુનિ સમાધિ ધારણ કરીને રહ્યા. કોશાએ આપેલો કામદેવને પ્રદીપ્ત કરનાર ષટ્રસયુક્ત આહાર કરીને પણ મુનિ સ્થિર મન રાખીને રહ્યા. કોશા વસ્ત્રાભૂષણ પહેરીને અનેક પ્રકારના હાવભાવ કરતી મુનિને ક્ષોભ પમાડવા તેમની પાસે આવી. તે વખતે મુનિએ કહ્યું કે “સાડા ત્રણ હાથ દૂર રહીને તારે નૃત્ય વગેરે જે કરવું હોય તે કરવું.” પછી તે કોશા સાડા ત્રણ હાથ દૂર રહીને કટાક્ષથી મુનિ સામું જોવા લાગી. લજ્જાનો ત્યાગ કરીને પૂર્વે કરેલી ક્રીડાનું સ્મરણ કરાવવા લાગી અને ગાત્રને વાળવાની ચતુરાઈથી ત્રિવળી વડે સુંદર એવો મધ્ય ભાગ દેખાડતી તથા વસ્ત્રની ગાંઠ બાંધવાના મિષથી ગંભીર નાભિરૂપી કૂપને પ્રગટ કરતી કોશા તેમની સમક્ષ વિશ્વને મોહ પમાડનારું નાટક કરવા લાગી; તો પણ સ્થૂલભદ્ર જરા પણ ક્ષોભ પામ્યા નહીં. પછી તે કોશા પોતાની સખીઓને લઈને આવી. તેમાંથી એક નિપુણ સખી બોલી કે “હે પૂજય ! કઠિનતાનો ત્યાગ કરીને ઉત્તર આપો કેમકે મુનિઓનું મન હંમેશા કરુણાએ કરીને કોમળ હોય છે, ભાગ્યહીન પુરુષો જ પ્રાપ્ત થયેલા ભોગને ગુમાવે છે. માટે હે પાપરહિત મુનિ! આપના વિયોગથી કૃશ થયેલી અને આપને જ માટે મરવાને તૈયાર થયેલી આ તમારી કામાતુર પ્રિયાના મનોરથને સફળ કરો. ફરીથી આ તપસ્યા તો સુખ પ્રાપ્ત થશે, પણ આવી પ્રેમી યુવતી ફરીથી મળશે નહીં.” તે સાંભળીને મુનિએ કોશાને કહ્યું કે “અનંતીવાર અનેક ભવમાં કામક્રીડાદિ કરેલ છે, તો પણ હજુ સુધી શું તેની જ ઈચ્છા કરે છે? શું હજુ તને તૃપ્તિ થઈ નથી કે જેથી મારી સન્મુખ આ નૃત્યાદિક પ્રયત્નો કરે છે? જો કદાચ આવું નૃત્ય પ્રશસ્ત ભાવ વડે પરમાત્માની સ્તુતિપૂર્વક તેમની પાસે કર્યું હોય તો સર્વ સફળ થાય; પરંતુ તું તો ભોગની ઈચ્છાથી દીનવાણી બોલે છે અને સખીઓને લાવીને ભોગપ્રાપ્તિને માટે પ્રયત્ન કરે છે, પરંતુ તું શા માટે આ જન્મ તથા જીવનને વૃથા ગુમાવે છે? હે બુદ્ધિશાળી કોશા ! તે સર્વ પ્રયત્ન પોતાના આત્માના હિતને વિષે જ કર.” આ પ્રમાણેના સ્થૂલભદ્ર મુનિના વચનો સાંભળીને કોશાએ વિચાર્યું કે “આ મુનિનું જિતેન્દ્રિયપણું મારા જેવી અસંખ્ય ચતુર નાયિકાથી પણ જીતી શકાય તેવું નથી.” એમ વિચારીને તે બોલી કે “હે મુનિરાજ! મેં અજ્ઞાનતાને લીધે આપની સાથે પૂર્વે કરેલી ક્રીડાના લોભથી આજે પણ ક્રીડાની ઈચ્છા વડે આપને ક્ષોભ પમાડવા માટે અનેક ઉપાયો કર્યા છે, હવે તે મારો અપરાધ ક્ષમા કરો.” પછી મુનિએ તેને યોગ્ય જાણીને શ્રાવકધર્મનો ઉપદેશ કર્યો. તે પણ પ્રતિબોધ પામીને શ્રાવિકા થઈ અને “નંદરાજાએ મોકલેલા પુરુષ વિના બીજા સર્વ મારે બંધુ સમાન છે.” એવો અભિગ્રહ લીધો. હવે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે પેલા ત્રણે સાધુઓ પોતપોતાના અભિગ્રહનું યથાવિધિ પ્રતિપાલન કરીને ગુરુ પાસે આવ્યા. તેમાં પ્રથમ સિંહની ગુફા પાસે રહેનાર સાધુને આવતા જોઈને ગુરુ કાંઈક ઉઠીને બોલ્યા કે “હે વત્સ ! દુષ્કર કાર્ય કરનાર ! તું ભલે આવ્યો, તને સાતા. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ છે?” તે જ પ્રમાણે બીજા બે સાધુઓ આવ્યા, ત્યારે તેમને તે જ રીતે ગુરુએ આવકાર આપ્યો. પછી સ્થૂલભદ્રને આવતા જોઇને ગુરુ ઊભા થઈને બોલ્યા કે “હે મહાત્મા ! હે દુષ્કર કાર્યના કરનાર ! તું ભલે આવ્યો.” તે સાંભળીને પેલા ત્રણે સાધુઓએ ઈર્ષાથી વિચાર્યું કે “આ સ્થૂલભદ્ર મંત્રીનો પુત્ર હોવાથી જ તેમને ગુરુ બહુમાનથી બોલાવે છે. ચિત્રશાળામાં રહેલા, ષટ્રસ ભોજનનો આહાર કરનારા અને સ્ત્રીઓના સંગમાં વસેલા આ સ્થૂલભદ્રને ગુરુએ અતિ દુષ્કર કાર્ય કરનાર કહ્યો, તો હવે અમે પણ આવતા ચાતુર્માસમાં તેવો જ અભિગ્રહ કરશું.” એમ વિચારીને મહા કષ્ટ આઠ માસ વ્યતીત કર્યા. પછી વર્ષાકાળ આવ્યો ત્યારે સિંહગુફાવાસી અભિમાની સાધુએ સૂરિને કહ્યું કે “આ ચાતુર્માસ હું સ્થૂલભદ્રની જેમ કોશાના ઘરમાં રહીશ.” ગુરુએ વિચાર્યું કે “જરૂર આ સાધુ સ્થૂલભદ્રની સ્પર્ધાથી આવો અભિગ્રહ કરે છે. પછી ગુરુએ ઉપયોગ આપીને તેને કહ્યું કે હે વત્સ ! એ અભિગ્રહ તું ન લે, તે અભિગ્રહનું પાલન કરવામાં તો સ્થૂલભદ્ર એક જ સમર્થ છે, બીજો કોઈ સમર્થ નથી. કેમકે - अपि स्वयंभूरमणस्तरीतुं शक्यते सुखम् ।। अयं त्वभिग्रहो धर्तुं, दुष्करेभ्योऽपि दुष्करः ॥१॥ “કદાચ સ્વયંભૂરમણ સમુદ્ર પણ સુખેથી કરી શકાય, પણ આ અભિગ્રહ ધારણ કરવો તે તો દુષ્કરથી પણ દુષ્કર છે.” આ પ્રમાણે ગુરુએ કહેલા વચનની અવગણના કરીને તે અભિમાની સાધુ કોશાને ઘેર ગયા. કોશાએ તેને જોઈને વિચાર્યું કે “જરૂર આ સાધુ મારા ધર્મગુરુની સ્પર્ધાથી જ અહીં આવ્યા જણાય છે.” એમ વિચારીને તેણે તે મુનિને વંદના કરી, મુનિએ ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળા માગી, તે તેણે આપી. પછી કામદેવને ઉદીપન કરનાર ષસ ભોજન કોશાએ મુનિને વહોરાવ્યું, મુનિએ તેનો આહાર કર્યો. પછી મધ્યાહ્ન સમયે પ્રથમની જ જેમ વસ્ત્રાભૂષણ પહેરીને કોશા મુનિની પરીક્ષા કરવા આવી. તેના હાવભાવ, કટાક્ષ તથા નૃત્યાદિક જોઈને મુનિ ક્ષણવારમાં જ ક્ષોભ પામ્યા. અગ્નિ પાસે રહેલ લાખ, ઘી અને મીણની જેમ તે મુનિએ કામાવેશને આધીન થઈને ભોગની યાચના કરી. ત્યારે કોશાએ તેને કહ્યું કે “હે સ્વામી! અમે વેશ્યાઓ ઈન્દ્રનો પણ દ્રવ્ય વિના સ્વીકાર કરતા નથી.” ત્યારે મુનિ બોલ્યા કે મને કામવરથી પીડા પામેલાને ભોગસુખ આપીને પ્રથમ શાંત કર. પછી દ્રવ્ય મેળવવાનું સ્થાન પણ તું બતાવીશ તો ત્યાં જઈને તે પણ હું તને મેળવી આપીશ !” તે સાંભળીને તેને બોધ કરવા માટે કોશાએ તેને કહ્યું કે “નેપાલ દેશનો રાજા નવીન : સાધુને લક્ષ મૂલ્યવાળું રત્નકંબલ આપે છે, તે તમે મારે માટે લઈ આવો; પછી બીજી વાત કરો.” તે સાંભળીને અકાળે વર્ષાઋતુમાં જ મુનિ નેપાલ તરફ ચાલ્યા. ત્યાં જઈ ત્યાંના રાજા પાસેથી રત્નકંબલ મેળવીને કોશાનું ધ્યાન કરતા તે મુનિ તરત પાછા ફર્યા. માર્ગમાં ચોર લોકો રહેતા હતા. Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૦૯ તેમને તેના પાળેલા પક્ષીએ કહ્યું કે “લક્ષ ધન આવે છે.” એમ વારંવાર તે પક્ષીએ કહ્યું. તેવામાં મુનિ પણ તે ચોરની નજીક આવ્યા; એટલે તેને પકડીને ચોર લોકોએ સર્વ જોયું, પણ કાંઈ દ્રવ્ય જોવામાં આવ્યું નહીં, તેથી મુનિને છોડી મૂક્યા. ફરીથી તે પક્ષીએ કહ્યું કે “લક્ષ દ્રવ્ય જાય છે.” તે સાંભળીને ફરીથી સાધુને પાછા બોલાવીને ચોરના રાજાએ કહ્યું કે “અમે તને અભય આપ્યું, પણ સત્ય બોલ, તારી પાસે શું છે ?” ત્યારે સાધુ બોલ્યા કે “હે ચોરો ! સત્ય વાત સાંભળો. આ વાંસની પોલી લાકડીમાં મેં વેશ્યાને આપવા માટે રત્નકંબલ રાખેલું છે.” તે સાંભળીને ચોરોએ તેને રજા આપી. સાધુએ આવીને કોશાને તે રત્નકંબલ આપ્યું. તે લઈને કોશાએ પગ લૂછી તેને ઘરની ખાળના કાદવમાં નાખી દીધું. તે જોઈને સાધુએ ખેદયુક્ત થઈ કહ્યું કે “હે સુંદરી ! ઘણી મુશ્કેલીથી આણેલું આ મહામૂલ્યવાળું રત્નકંબલ તેં કાદવમાં કેમ નાખી દીધું ?” કોશાએ કહ્યું કે “હે મુનિ! જ્યારે તમે એમ જાણો છો, ત્યારે ગુણરત્નવાળા આ તમારા આત્માને તમે નરકરૂપી કાદવમાં કેમ નાંખો છો ? ત્રણ ભુવનમાં દુર્લભ એવા રત્નત્રયને નગરની ખાળ જેવા મારા અંગમાં કેમ ફોગટ નાંખી દો છો ? અને એકવાર વમન કરેલા સંસારના ભોગને ફરીને ખાવાની ઇચ્છા કેમ કરો છો?” ઈત્યાદિ કોશાના ઉપદેશવાળા વાક્યો સાંભળીને પ્રતિબોધ પામેલા મુનિએ વૈરાગ્યથી કોશાને કહ્યું કે “હે પાપ રહિત સુશીલા ! તેં સંસારસાગરમાં પડતાં મને બચાવ્યો. તેં બહુ સારું કર્યું. હવે હું અતિચારથી ઉત્પન્ન થયેલા દુષ્કર્મરૂપ મેલને ધોવાને માટે જ્ઞાનરૂપ જલથી ભરેલા ગુરુરૂપી દ્રહનો આશ્રય કરીશ.” કોશાએ પણ તેમને કહ્યું કે “તમારે વિષે મારું મિથ્યાદુષ્કૃત હો; કેમકે હું શીલવ્રતમાં સ્થિત હતી છતાં તમને મેં કામોત્પાદક ક્રિયા વડે ખેદ પમાડ્યો છે; પરંતુ તમને બોધ કરવા માટે જ મેં તમારી આશાતના કરી છે તે ક્ષમા કરજો અને હંમેશા ગુરુની આજ્ઞાને મસ્તક પર ચઢાવજો.” તે સાંભળીને ‘ઈચ્છામિ' એમ કહી સિંહગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા. ગુરુ વગેરેને વંદના કરીને “હું મારા આત્માને નિંદું છું.” એમ કહી તે મુનિ બોલ્યા કે “સર્વ સાધુઓમાં એક સ્થૂલભદ્ર જ અતિ દુષ્કર કાર્યના કરનાર છે, એમ ગુરુએ જે કહ્યું હતું તે યોગ્ય છે. પુષ્પફળના રસને (સ્વાદને), મદ્યના રસને, માંસના રસને અને સ્રીવિલાસના રસને જાણીને જેઓ તેનાથી વિરક્ત થાય છે તે અતિ દુષ્કર કાર્યના કરનારા છે. તેને હું વંદના કરું છું. વળી સત્ત્વ વિનાનો હું ક્યાં અને ધીર બુદ્ધિવાળા સ્થૂલભદ્ર ક્યાં ? સરસવનો કણ ક્યાં અને હેમાદ્રિ પર્વત ક્યાં ? ખઘોત્ ક્યાં અને સૂર્ય ક્યાં ?” આ પ્રમાણે કહીને તે મુનિ આલોચના લઈ દુષ્કર તપ કરવા લાગ્યા. અહીં કોશા પોતાના સ્થૂલભદ્ર ગુરુની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગી - सार्धद्वादशकोटीनां, स्वर्णे यो मामदाद् गृहे । स द्वादशव्रतान्येवं, साधुत्वेऽपि ददावो ॥१॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ :- “જેણે સાડાબાર કરોડ સોનામહોરો મારા ઘરમાં આવીને મને આપી હતી તેણે જ સાધુ અવસ્થામાં પણ મારે ત્યાં આવીને મને બાર વ્રત આપ્યા.” ૨૧૦ येन दत्तं पुरा दानं तेनैव दीयते पुनः । चातको रटते नित्यं, दानं यच्छेत् पयोमुचः ॥२॥ ભાવાર્થ :- “જેણે પ્રથમ દાન આપ્યું હોય છે તે જ ફરીથી પણ દાન આપે છે. જુઓ ! ચાતક પક્ષી જળને માટે નિરંતર યાચના કરે છે અને મેઘ નિરંતર દાન આપે છે. धनदानादयाचित्वमाजन्मनिर्मितं सुखम् । व्रतदानाद्भवेऽनन्ते, सौख्यदो मम सर्वदा ॥३॥ ભાવાર્થ :- “સ્થૂલભદ્રે ધનનું દાન આપીને આ જન્મપર્યંત અયાચક વૃત્તિનું મને સુખ આપ્યું અને વ્રતનું દાન આપીને અનંત ભવનું સુખ મને આપ્યું. એટલે સર્વદા તે તો મને સુખ આપનારા જ થયા.' આ સ્થૂલભદ્ર મુનીન્દ્રના ગુણનું વર્ણન ચોરાશી ચોવિશી સુધી સર્વ તીર્થંકરો કરશે. ઘણા દિવસ સુધી સ્ત્રીઓના સંગમાં રહ્યા છતાં પણ સ્થૂલભદ્રમુનિએ પોતાના શીલનો ભંગ કર્યો નહીં. તે જોઈને બીજા સાધુઓએ પણ સિંહગુફાવાસી મુનિના જેવું સ્રીના સંબંધમાં નિઃશંક મન કરવું નહીં.” J©el ૩૪૦ મનુષ્યભવની દુર્લભતા संबन्धैर्दशभिर्ज्ञेयो मनुष्यभवदुर्लभः । तन्मध्ये पाशकज्ञातं, लिख्यते पूर्वशास्त्रतः ॥१॥ -- ભાવાર્થ :- દશ દૃષ્ટાંતે કરીને મનુષ્યભવ દુર્લભ છે એમ જાણવું. તે દશ દૃષ્ટાંતમાંથી આ સ્થળે પૂર્વ શાસ્ત્રને અનુસારે પાશાનું દૃષ્ટાંત લખીએ છીએ. પાશાનું દૃષ્ટાંત (ચાણાક્યની કથા) ગોલ્લદેશમાં ચણક નામનો જૈન બ્રાહ્મણ રહેતો હતો. તેને ચણેશ્વરી નામની પત્ની હતી. તે સ્રીથી ચાણાક્ય નામનો જન્મથી જ દાંતવાળો પુત્ર થયો હતો. એકદા તેને ઘેર કોઈ જ્ઞાનીમુનિ આહાર માટે આવ્યા. તે વખતે મુનિને નમીને તે દંપતીએ પૂછ્યું કે “હે પૂજ્ય ! આ પુત્ર દાંત Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૨૧૧ સહિત જન્મ્યો છે તેનું શું ફળ?” મુનિ બોલ્યા કે “એ બાળક રાજા થશે.” તે સાંભળી ચણકને ખેદ થયો, અને “મારો પુત્ર રાજ્યના આરંભથી અધોગતિ ન પામો” એમ વિચારીને તેણે તે બાળકના દાંત ઘસી નાખ્યા. પછી તે વાત ચણકે ફરીને પાછી તે જ મુનિને કહી. ત્યારે મુનિ બોલ્યા કે “હવે તે બાળક પ્રધાનશ્રેષ્ઠ થશે.” અનુક્રમે વૃદ્ધિ પામતો ચાણાક્ય સકલ કળામાં કુશળ થયો. તે યુવાન થયો ત્યારે એક બ્રાહ્મણની કન્યા સાથે પરણ્યો. તે નિર્ધન હતો; તો પણ સંતોષી હોવાથી ધનને માટે બહુ પ્રયત્ન કરતો નહીં. અન્યદા તેની સ્ત્રી પોતાના ભાઈના લગ્ન હોવાથી પિતાને ઘેર ગઈ, પણ નિર્ધનતાને લીધે તેના ભાઈઓની સ્ત્રીઓ વગેરેએ તેને આદરમાન આપ્યું નહીં અને ભોજનાદિકમાં પણ પંક્તિભેદ કર્યો. તે જોઈ પોતાના અતિ દુર્ભાગ્યથી લજજા પામીને તે પતિને ઘેર આવી. તેને અત્યંત શોકાતુર જોઈને ચાણાક્ય આગ્રહથી શોકનું કારણ પૂછયું. ત્યારે અશ્રુની વૃષ્ટિ કરતી તેણે પોતાના પરાભવની વાત કહી સંભળાવી. તે સાંભળીને ચાણાક્ય વિચાર્યું કે – कलावान् कुलवान् दाता, यशस्वी रूपवानपि । विना श्रियं भवेन्मयो, निस्तेजाः क्षीणचन्द्रवत् ॥१॥ “કળાવાન, કુળવાન, દાતાર અને યશસ્વી અને રૂપવાન છતાં પણ મનુષ્ય જો લક્ષ્મી વિનાનો હોય તો તે ક્ષય પામતા ચંદ્રની જેમ તેજ રહિત દેખાય છે.” માટે નન્દરાજા બ્રાહ્મણોને ઘણું ધન આપે છે તેથી ત્યાં જાઉં એમ વિચારીને ચાણાક્ય તરત જ પાટલીપુત્ર ગયો. ત્યાં રાજસભામાં જઈને રાજાના જ સિંહાસન પર બેઠો. થોડીવારે એક નિમિત્ત જાણનાર સિદ્ધપુત્રની સાથે નન્દરાજા સભામાં આવ્યા. ત્યાં સિંહાસન પર બેઠેલા ચાણાક્યને જોઈને તે સિદ્ધપુત્ર બોલ્યો કે “આ બ્રાહ્મણ નંદવંશની છાયા (મર્યાદા)ઉલ્લંઘન કરીને સિંહાસન પર બેઠો. છે.” તે સાંભળીને રાજાની દાસીએ ચાણાક્યને કહ્યું કે – “હે પૂજ્ય ! આ બીજા સિંહાસન પર બેસો.” તે બોલ્યો કે - “આ બીજા આસન પર મારું કમંડલુ રહેશે.” એમ કહીને તે બીજા આસન પર કમંડલુ મૂક્યું અને પોતે તે સિંહાસન પરથી ઉક્યો નહીં. ત્યારે દાસી ત્રીજું સિંહાસન લાવી. તેના પર ચાણાક્ય દંડ મૂક્યા, દાસી ચોથું આસન લાવી, તેના પર તેણે અક્ષયમાળા મૂકી અને પાંચમા આસન પર તેણે બ્રહ્મસૂત્ર મૂક્યું. ત્યારે દાસી બોલી કે “અહો, આ બ્રાહ્મણ કેવો ધૃષ્ટ અને મૂર્ખ છે?” તે સાંભળીને ક્રોધ પામેલો ચાણક્ય દાસીને પગની લાત મારીને સર્વ લોક સાંભળતા બોલ્યો કે - कोशैश्च भृत्यैश्च निबद्धमूलं, पुत्रैश्च मित्रैश्च विवृद्धशाखम् । उत्पाट्य नन्दं परिवर्तयामि, महाद्रुमं वायुरिवोगवेगः ॥१॥ ભાવાર્થ:- “ભંડાર અને બૃત્યો વડે જેનું મૂળ મજબૂત થયેલું છે અને પુત્રો મિત્રો વડે જેની Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ શાખાઓ વૃદ્ધિ પામેલી છે એવા નન્દરૂપી મહાવૃક્ષને ઉગ્ર વેગવાળા વાયુની જેમ હું મૂળથી ઉખેડીને ભમાવીશ.” તે સાંભળીને “આ ભિક્ષુક બ્રાહ્મણથી શું થવાનું છે.” એમ ધારી રાજાએ પણ તેની ઉપેક્ષા કરી. એટલે તે ચાણાક્ય ત્યાંથી નીકળીને ભમતો ભમતો નંદરાજાના મયૂર-પોષકના ગામમાં આવ્યો. ત્યાં તે પરિવ્રાજકનો વેષ ધારણ કરીને રહ્યો. તે ગામના ગ્રામણી (ગામેતી)ની પુત્રીને ચંદ્ર પીવાનો દોહદ થયો હતો, તે દોહદને પૂર્ણ કરવા કોઈ સમર્થ થયું નહોતું, તેથી તેના પિતાએ ચાણાક્યને કહ્યું, ત્યારે તે બોલ્યો કે “જો તે પુત્રીના ગર્ભમાં રહેલો પુત્ર મને આપવાનું કબૂલ કરો તો હું તેનો દોહદ પૂર્ણ કરું” તે સાંભળીને ‘ગર્ભવતી પુત્રી દોહદ પૂર્ણ ન થવાથી મરી ન જાઓ.” એમ ધારી તેઓએ ચાણાક્યનું વચન કબૂલ કર્યું. પછી ચાણાક્ય એક છિદ્રવાળો વસ્રનો મંડપ કરાવ્યો, તે મંડપની ઉપર છાની રીતે તે છિદ્રને ધીરે ધીરે ઢાંકવા માટે એક ગુપ્ત માણસને રાખ્યો ને તે છિદ્રની નીચે મંડપમાં દૂધથી ભરેલો એક થાળ મૂક્યો. કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્રનું પ્રતિબિંબ તે થાળમાં પડ્યું. તે પ્રતિબિંબ તે ગર્ભિણીને બતાવીને ચાણાક્ય બોલ્યો કે “આ ચંદ્રનું પાન કર.” પછી પ્રસન્ન થયેલી તે સ્ત્રીએ ચંદ્રપાનની બુદ્ધિથી થાળમાં દૂધ પીવાનો આરંભ કર્યો. જેમ જેમ સ્ત્રી થાળમાંથી દૂધ પીતી ગઈ, તેમ તેમ મંડપ ઉપર ગુપ્ત રહેલા પુરુષે ધીરે ધીરે તે છિદ્ર ઢાંકવા માંડ્યું. એવી રીતે બધું દૂધ પૂર્ણ થયું ત્યારે તે આખું છિદ્ર ઢાંકી દીધું. એ પ્રમાણે તેનો દોહદ ચાણાક્યે પૂર્ણ કર્યો. પૂર્ણ સમયે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેનું ચંદ્રગુપ્ત એવું નામ પાડ્યું. ચાણાક્ય તો અનેક પ્રયત્નો કરીને દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો. અહીં ચંદ્રગુપ્ત પ્રૌઢ વયનો થયો, એટલે સમાન વયવાળા બાળકોની સાથે રાજાની જેમ ક્રીડા કરવા લાગ્યો. તેમાં દેશ, પુર, ગોકુળ, હાથી, ઘોડા અને અમાત્ય વગેરેની સ્થાપના કરતો હતો અને તેમાંથી અનેક પ્રકારનું દાન આપતો હતો. તેવામાં ભમતો-ભમતો ચાણાક્ય ત્યાં આવ્યો. તે બોલ્યો કે “હે બાળક ! મને પણ કાંઈક આપ.” ચંદ્રગુપ્તે કહ્યું કે “આ ગાયો લઈ લે.” ચાણાક્યે કહ્યું કે “એ ગાયો લેતાં મને બીક લાગે છે.” ત્યારે ચંદ્રગુપ્ત બોલ્યો કે “બીશ નહીં, આ પૃથ્વી વી૨ પુરુષને જ ભોગવવા લાયક છે.” તે સાંભળીને હર્ષ પામેલા ચાણાક્યું બીજા બાળક પાસેથી તેનું નામ તથા ગોત્રાદિક જાણીને એ પોતાનો જ બાળક છે, એમ નિશ્ચય કરી તેને કહ્યું કે “હે વત્સ ! ચાલ, હું તને સાચું રાજ્ય આપું.” તે સાંભળીને તરત જ તે તેની સાથે જવા તૈયાર થયો, એટલે તેને લઈને ચાણાક્ય નાસી ગયો. પછી તેણે સૈન્ય તૈયાર કરીને પ્રથમ પાટલીપુત્રને જ ઘેરો ઘાલ્યો. નંદરાજાએ ક્ષણવારમાં તેના થોડા સૈન્યને જીતી લીધું. એટલે ચાણાક્ય ચંદ્રગુપ્તને લઈને નાસી ગયો. તેની પાછળ નંદરાજાના સ્વારો દોડ્યા. તેમાંથી એક સ્વાર દૂરથી ચાણાક્ય અને ચંદ્રગુપ્તના જોવામાં આવ્યો. Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૧૩ તેથી ચાણક્ય ચંદ્રગુપ્તને પાસેના સરોવરમાં સંતાડીને પોતે ધોબીનું કામ કરવા લાગ્યો. તેવામાં તે ઘોડેસ્વાર પાસે આવીને તેને પૂછ્યું કે - “ચંદ્રગુપ્ત અહીંથી જતો હતો, તેને તેં જોયો છે?” તે બોલ્યો કે “તે આ સરોવરમાં પેઠો છે.” તે સાંભળીને તે સ્વાર માત્ર લંગોટી મારીને તે સરોવરના જળમાં પેઠો એટલે ચાણક્ય તેનું જ ખગ લઈને તેનું માથું છેદી નાખ્યું. પછી તેના ઘોડા ઉપર ચંદ્રગુપ્તને બેસાડીને ચાણાક્ય આગળ ચાલ્યો, ચાલતાં-ચાલતાં તેણે ચંદ્રગુપ્તને પૂછ્યું કે “હે વત્સ! જયારે મેં તે ઘોડેસ્વારને સરોવરમાં મોકલ્યો ત્યારે તે શું ધાર્યું?” તે બોલ્યો કે, “જે ઉત્તમ પુરુષો કરે છે તે ઉત્તમ જ હોય છે, એમ મેં ધાર્યું હતું.” આ પ્રમાણેના તેના વિનયવાળા વાક્યથી ચાણક્ય ઘણો ખુશી થયો. થોડે દૂર જતાં ચંદ્રગુપ્તને ક્ષધિત જાણીને ચાણાક્ય ભોજનને માટે જતા માર્ગમાં કોઈ બ્રાહ્મણને તરતનો જ કરંબો ખાઈને આવતો જોઈ તેનું પેટ ચીરી તેમાંથી તે ભોજન લઈ તે ચંદ્રગુપ્તને જમાડ્યો. ચંદ્રગુપ્ત ભૂખ્યો હોવાથી ભોજનના રસનો વિપર્યય જાણી શક્યો નહીં. પછી તે મૌર્યવંશી ચંદ્રગુપ્તની સાથે સંધ્યાસમયે એક ગામમાં આવ્યો. ત્યાં ભિક્ષાને માટે ભમતાં તે એક દરિદ્રીને ઘેર ગયો. તે વખતે એક ડોશીએ પોતાના બાળકને ઉની ઉની રાબ પીરસી હતી. તેમાંથી એક વધારે ભૂખ્યા બાળકે વચમાં હાથ નાંખ્યો. તેની આંગળીઓ દાઝી એટલે તે રોવા લાગ્યો. તેને પેલી ડોશીએ કહ્યું કે - અરે મૂઢ! તું પણ ચાણક્યના જેવો જડ જણાય છે.” તે સાંભળીને ભિક્ષુરૂપ ચાણાક્ય ડોશીને પૂછ્યું કે “હે માતા ! તમે અહીં ચાણાક્યનું દષ્ટાંત કેમ આપ્યું?” ડોસી બોલી કે “જેમ ચાણાક્ય આજુબાજુનો દેશ સાધ્યા વિના પહેલા પાટલીપુત્રને જ સંધ્યું, તેથી તે મૂર્ખ નિંદાને પાત્ર થયો, તેમ આ બાળકે પણ પ્રથમ ધીમે ધીમે અડખે પડખેથી રાબ ચાટ્યા વિના વચમાં જ હાથ નાંખ્યો, તેથી તે ચાણક્યની ઉપમાને પામ્યો.” તે સાંભળીને ચાણક્ય ડોસીની શિક્ષા સત્ય માની. પછી અનુક્રમે ચાણાક્ય પર્વત નામના એક રાજાની સાથે ગાઢ મિત્રાઈ બાંધી. એકદા તેણે પર્વત રાજાને કહ્યું કે “જો તમારી ઈચ્છા હોય તો નંદરાજાનું ઉમૂલન કરીને તેનું રાજ્ય આપણે વહેંચી લઈએ.” તે વાત કબૂલ કરીને પોતાના સૈન્ય સહિત પર્વતરાજા ચંદ્રગુપ્તને સાથે રાખીને નંદરાજાનો દેશ સાધવા લાગ્યો. છેવટે નંદની રાજધાની પાટલીપુત્રને ઘેરો ઘાલ્યો, પણ તે નગરી બળથી લઈ શકાય તેવું નથી, એમ ધારીને ભિક્ષુનો વેષ લઈ ચાણાક્ય તે પુરમાં પેઠો. ત્યાં વાસ્તુશાસ્ત્રને અનુસાર સર્વ મકાનો જોવા લાગ્યો. તેવામાં એક સ્થાને એક મહાપ્રતાપી સાત દેવીઓ-ઈન્દ્રની કુમારિકાઓની મૂર્તિઓ તેણે જોઈ. પછી તેમના પ્રભાવથી જ આ પુરનો ભંગ થતો નથી, એમ જાણીને તે દેવીઓને ઉખેડી નાંખવાનો ઉપાય વિચારવા લાગ્યો. તેવામાં પુરના રોધથી કાયર થયેલા પૌરજનોએ તે ભિક્ષુને પૂછ્યું કે “હે પૂજ્ય ! આ પુરનો રોલ ક્યારે મટશે?” ચાણાક્ય જવાબ આપ્યો કે “જ્યાં સુધી આ સાત દેવીઓની પ્રતિમાઓ અહીં પ્રતિષ્ઠિત છે, ત્યાં સુધી પુરનો રોધ શી રીતે મટે ?” આ પ્રમાણેના તે ધૂર્તના કહેવાથી છેતરાયેલા લોકોએ તે દેવીઓને તેના સ્થાનથી તરત જ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ઉખેડી નાંખી. તે જ વખતે ચંદ્રગુપ્ત તથા પર્વતે તે પુર જીતી લીધું. આ પ્રમાણે તેણે પ્રથમ નિંદરાજાનો દેશ સાધીને પછી પાટલીપુત્ર લીધું. તે વખતે નંદનું પુણ્ય ક્ષીણ થયેલું હોવાથી તેણે ચાણાક્ય પાસે ધર્મદ્વાર માંગ્યું ત્યારે તે બોલ્યો કે “હે નંદરાજા ! તું એક રથમાં જેટલું લઈ જવાય તેટલું લઈને નિર્ભયતાથી પુર બહાર ચાલ્યો જા.” નંદ પણ પોતાની બે સ્ત્રીઓ, એક કન્યા અને સારભૂત દ્રવ્ય રથમાં લઈને નગર બહાર નીકળ્યો. તે જ વખતે ચંદ્રગુપ્ત વગેરે સૌ નગરમાં પેઠા. સામસામે મળતાં નંદની કન્યા અનુરાગથી ચંદ્રગુપ્તની સામું જોઈ રહી. તે જોઈને નંદરાજાએ પુત્રીને કહ્યું કે “હે વત્સ ! જો આ પતિ તને પસંદ હોય તો ખુશીથી તેને અંગીકાર કર.” પિતાની આજ્ઞા થવાથી તે કન્યા પોતાના રથમાંથી ઉતરીને ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢવા લાગી. તેના ચઢતાં જ ચંદ્રગુપ્તના રથના ચક્રના નવ આરા ભાંગી ગયા. તેથી “આ સ્ત્રી અમંગલ કરનારી છે” એમ ધારીને ચંદ્રગુપ્ત તેને અટકાવી. એટલે ચાણાક્ય બોલ્યો કે “હે વત્સ ! તે સ્ત્રીનો તું નિષેધ ન કર, આ આરાના ભંગરૂપ શુકનથી તારી નવ પેઢી સુધી તારો વંશ રહેશે.” તે સાંભળીને ચંદ્રગુપ્ત તે કન્યાને પોતાના રથમાં બેસાડી અને નંદના રાજકારમાં આવ્યો. રાજમહેલમાં એક કન્યા બહુ રૂપવતી હતી. તેને જન્મથી જ નંદરાજાએ ધીમે ધીમે મહા ઉગ્ર વિષ ખવડાવવા માંડ્યું હતું. એટલે તે વિષકન્યા થઈ ગઈ હતી. તે વિષકન્યાને જોઈને પર્વતરાજાએ વિષયાંધ થઈ તેનો સંગ કર્યો. તેથી તે કન્યાનું વિષ તત્કાળ પર્વતને ચડ્યું. તેણે ચંદ્રગુપ્તને કહ્યું કે “મને વિષ વ્યાપ્યું છે, માટે તેનો જલદીથી કાંઈ ઉપાય કર.” તે સાંભળી ચંદ્રગુપ્ત તેનો ઉપાય કરવા ઉત્સુક થયો. તે વખતે ચાણક્ય નેત્રની સંજ્ઞાથી ચંદ્રગુપ્તને નિષેધ કર્યો અને શિખામણ આપી કે - तुल्यार्थं तुल्यसामर्थ्य, मर्मज्ञं व्यवसायिनम् । अर्धराज्यहरं मित्रं, यो न हन्यात्स हन्यते ॥१॥ “તુલ્ય સંપત્તિવાળા, સમાન સામર્થ્યવાળા, ગુપ્ત વાત જાણનાર, સરખો વ્યાપાર કરનાર અને અર્ધા રાજ્યનો ભાગીદાર એવા મિત્રને પણ જે હણતો નથી તે પોતે જ હણાય છે.” પછી વિષથી વ્યાપ્ત થયેલો તે પર્વત તરત જ મૃત્યુ પામ્યો, એટલે તેનું રાજ્ય પણ ચંદ્રગુપ્તને આધીન થયું. હવે ચંદ્રગુપ્તના રાજ્યમાં નંદના માણસો ચોરી કરવા લાગ્યા, તેથી ચાણાક્ય કોઈ બીજા રક્ષક (કોટવાળા)ની શોધ કરવા લાગ્યો. શોધતાં-શોધતાં તે નલદ નામના તંતુવાયને ઘેર ગયો. તે વખતે તંતુવાય મકોડાના બીલમાં અગ્નિ નાંખતો હતો. તે જોઈને ચાણામે તેને પૂછ્યું કે “આ તું શું કરે છે?” કુવિંદે જવાબ આપ્યો કે “આ દુષ્ટ મકોડા મારા પુત્રને ડંખે છે. માટે સર્વ મકોડાનો ઉચ્છેદ કરવા માટે તેના બીલમાં હું અગ્નિ મૂકું છું.” આ પ્રમાણે તે કુવિંદની વાણીથી તેને ઉદ્યમી Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૨૧૫ જાણીને ચંદ્રગુપ્ત પાસે તેને પુરના અધ્યક્ષની જગ્યા અપાવી, એટલે મૌર્ય વંશનું સામ્રાજ્ય કંટક (શત્રુ) રહિત થયું. એકદા “ચંદ્રગુપ્ત પાસે ધન નથી.' એમ જાણીને ચાણાક્ય પુરના લોકોની સાથે મદ્યપાનની ગોષ્ઠી કરી. મદિરાના આવેશથી પુરના લોકો ઉન્મત્ત થઈને નાચ કરવા લાગ્યા અને પડવા લાગ્યા. તે વખતે અવસરને જાણનાર ચાણાક્ય પણ ગાંડો બનીને બોલ્યો કે “મારે ધાતુના રંગેલા બે વસ્ત્રો છે, ત્રિદંડ છે અને સુવર્ણની કુંડી છે, તેમજ રાજા મારે આધીન છે, માટે મારા નામની ઝાઝ પખાજ વગાડો.” તે સાંભળીને ઝાઝ વગાડનારાઓએ ચાણાક્ય મંત્રીના નામની ઝાઝા વગાડી. તે સાંભળીને એક ગૃહસ્થ પુરુષે મદિરાના ઉન્મત્તપણાથી હાથ ઊંચો કરીને કોઈને પણ નહીં કહેલી એવી પોતાની લક્ષ્મીનું વર્ણન કરતાં કહ્યું કે “અરે ! એક હજાર યોજન સુધી કોઈ શેઠ ચાલે તેને પગલે પગલે લાખ-લાખ દ્રવ્ય આપું, તેટલા ધનનો હું સ્વામી છું, માટે મારા નામનું ઢોલકું વગાડો.” તે સાંભળીને હું પહેલો બોલું “હું પહેલો બોલું એવી ચડસાચડસીથી બીજો બોલ્યો કે “એક આઢક તલને વાવીએ અને તે સારી રીતે પાળીને તેમાંથી જેટલા તલ નીપજે તેટલા લક્ષ દિનાર મારા ઘરમાં છે, તેથી મારા નામનું ઢોલકું વગાડો.” ત્રીજો બોલ્યો કે “વર્ષાઋતુની પહેલી વૃષ્ટિથી ગિરિની નદીમાં જેટલું પૂર આવે, તે પૂરને એક દિવસના માખણથી પાળ બાંધીને હું રોકી શકું તેટલું માખણ દરરોજ મારે ત્યાં થાય છે, માટે મારા નામનું ઢોલકું વગાડો.” ચોથો બોલ્યો કે “મારે ઘેર એટલા બધા અશ્વો છે કે એક દિવસે જ ઉત્પન્ન થયેલા વછેરાની કેશવાળીથી આખું નગર વીંટાઈ જાય, માટે મારા નામનું ઢોલકું વગાડો.” પાંચમો બોલ્યો કે “મારા ઘરમાં એક શાલી (ડાંગર)નો દાણો એવો છે કે તે જુદી જુદી જાતની શાલીના બીજને ઉત્પન્ન કરે છે અને બીજો શાલીનો દાણો એવો છે, કે તેને વારંવાર લણીએ છતાં વારંવાર ઉગ્યા જ કરે છે. આ બે રત્નો મારે ઘેર છે, માટે મારા નામનું ઢોલકું વગાડો.” આ પ્રમાણે મઘના આવેશથી સર્વ જનોએ પોતાની સમૃદ્ધિ પ્રગટ કરી. કહ્યું છે કે - कुविअस्स आउरस्स य, वस्सणपत्तस्स रागरत्तस्स । मत्तस्स मरंतस्स य, सभावा पायडा हुंति ॥१॥ ભાવાર્થ :- “કોપમાં આવેલો, મહાવ્યાધિવાળો (આતુર), દુઃખમાં પડેલો, રાગમાં આસક્ત થયેલો, ઉન્મત્ત થયેલો અને મરવા તૈયાર થયેલો-આટલા માણસો પોતાની સત્ય વાત પ્રગટ કરે છે.” ઉ.ભા.-૫-૧૫. Page #227 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ પછી ચાણાક્ય મંત્રીએ સર્વ સ્વસ્થ થયા ત્યારે તેમની પાસેથી યોગ્યતા પ્રમાણે થોડું થોડું ધન લીધું. ત્યાર પછી ફરીથી લોકોનું ધન લેવા માટે તેણે દિવ્ય પાસા બનાવ્યા. પછી સોનામોહરોનો થાળ ભરીને ચૌટામાં લઈ જઈ માણસો પ્રત્યે બોલ્યો કે “જે માણસ મને દ્યૂતમાં જીતે તેને આ સર્વ મહોરો આપી દઉં અને જો હું જીતું તો માત્ર એક જ સોનામહોર લઉં.' તે સાંભળીને લોભને આધીન થયેલા લોકો તેની સાથે રમવા લાગ્યા, પરંતુ ઘૃતક્રીડામાં હોંશિયાર એવો કોઈ પણ માણસ તે મંત્રીને જીતી શક્યો નહીં. સંપત્તિના પાશરૂપ અને પોતાની ઈચ્છાનુસાર પડનારા પાસાના પ્રભાવથી લોકોને જીતીને ચાણાક્ય મંત્રીએ ચંદ્રગુપ્તનો ભંડાર સુવર્ણથી ભરી દીધો. ૨૧૬ ‘કદાચ દિવ્ય પ્રભાવ વગેરે બળથી કોઈ માણસ આ ચાણાક્ય જેવા મંત્રીને પણ જીતી શકે, પરંતુ જે માણસ પ્રમાદથી મનુષ્યજન્મને હારી જાય તે ફરીથી મનુષ્યભવને પામી શકતો નથી.’ ૩૪૧ ઔત્પાતિકી બુદ્ધિ औत्पत्तिक्यादिबुद्धिज्ञो, रोहको जनतासु यत् । महामान्योऽभूत्तथा धार्यो, धर्मवद्भिर्गुणोत्तरः ॥१॥ • - ભાવાર્થ :- ઔત્પાતિકી વગેરે બુદ્ધિનો જાણનાર રોહક જેમ લોકોમાં અતિ માન્ય થયો તેમ ધર્મી માણસોએ તે શ્રેષ્ઠ ગુણને ધારણ કરવો.’ રોહકની કથા અવન્તીનગરીની પાસે નટ નામના ગામમાં ભરત નામે એક નટ રહેતો હતો, તેની પહેલી સ્ત્રી મરણ પામી હતી, પણ તે સ્રીથી ઉત્પન્ન થયેલો ઔત્પાતિકી બુદ્ધિવાળો રોહક નામે એક પુત્ર હતો. ભરત બીજી સ્ત્રી સાથે પરણ્યો હતો. તે સ્રી રોહકને ખાવા પીવાનું બરાબર આપતી નહીં. તેથી એક વખત રોકે તેને કહ્યું કે “હે મા ! તું મને સારી રીતે રાખતી નથી, તેનું ફળ હું તને બતાવીશ.” ત્યારે તે બોલી કે “હે શોક્યના પુત્ર ! તું મને શું કરવાનો હતો ?” તે બોલ્યો કે “હું એવું કરીશ કે જેથી તું મારા પગમાં પડીશ.” આમ કહ્યા છતાં પણ તે રોહકને ગણકારતી નહીં. એક દિવસ રાત્રે રોહકે એકદમ ઉઠીને તેના પિતાને કહ્યું કે “રે રે પિતા ! આ કોઈ પુરુષ આપણા ઘરમાંથી નીકળીને નાસી જાય છે, જુઓ !” તે સાંભળીને ભરતે શંકા લાવીને વિચાર્યું કે “જરૂર મારી સ્રી કુલટા છે.” એમ વહેમ લાવીને તે તેના પર પ્રીતિરહિત થયો. તેની સાથે Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૨૧૭ બોલવું પણ બંધ કર્યું, તેથી તે સ્ત્રીએ “આ રોહકનું કામ છે” એમ જાણીને પુત્રને કહ્યું કે “હે પુત્ર! આ તેં શું કર્યું કે જેથી તારા પિતા એકદમ મારાથી પરાશમુખ થયા? હે પુત્ર ! મારો અપરાધ ક્ષમા કર.” રોહક બોલ્યો કે “ત્યારે ઠીક છે, હવે તું ખેદ કરીશ નહીં. હું પાછું ઠેકાણે લાવીશ.” પછી તે સ્ત્રી રોહકની મરજી બરાબર સાચવવા લાગી. પછી એક દિવસ રાત્રે તેના પિતા ચાંદનીમાં બેઠા હતા, તે વખતે તેની શંકા દૂર કરવા માટે રોહકે બાળચેષ્ટાથી પોતાના શરીરની છાયાને આંગળીવતી બતાવીને પિતાને કહ્યું કે “હે પિતા ! આ કોઈ માણસ જાય છે, જુઓ !” તે સાંભળીને ભરતે હાથમાં ખગ લઈને પૂછ્યું કે “અરે ક્યાં જાય છે? બતાવ.” ત્યારે રોહકે આંગળી વડે પોતાની છાયા બતાવીને કહ્યું કે “આ રહ્યો, મેં તેને રોકી રાખ્યો છે.” તે જોઈને ભરતે વિચાર્યું કે “ખરેખર, પહેલા પણ આવો જ માણસ દીઠો હશે, તેથી મેં મારી સુશીલ પ્રિયા પર શંકા કરી તે ઠીક કર્યું નહીં.” એમ નિશ્ચય કરીને તે પાછો પોતાની સ્ત્રી પર પ્રેમી થયો. પણ રોકે વિચાર્યું કે “મેં મારી અપરમાનું અપ્રિય કર્યું છે, તેથી કોઈ વખત તે મને વિષ વગેરેથી મારી નાંખશે. માટે તેનાથી ચેતતા રહેવું.” એમ વિચારીને તે હંમેશા પોતાના પિતાની સાથે જ જમવા લાગ્યો. એકદા રોહક તેના પિતાની સાથે અવંતીનગરીએ ગયો, તે નગરીની શોભા જોઈને તે વિસ્મય પામ્યો. પછી પિતાની સાથે ઘેર જવા તે નગરી બહાર નીકળ્યો. બહાર આવતાં કાંઈ ચીજ ભૂલી જવાથી રોહકને ત્યાં ક્ષિપ્રાનદીને કાંઠે મૂકીને ભારત પાછો નગરીમાં ગયો. રોહકે નદીની વાલુકામાં બેઠા બેઠા કિલ્લા સહિત આખી અવન્તીનગરી આલેખી. તેવામાં અશ્વ ઉપર ચઢીને તે જ નગરીનો રાજા ત્યાં આવ્યો. તે રોહકે ચિત્રેલી નગરીની વચ્ચે થઈને ચાલવા લાગ્યો. એટલે રોહકે તેને કહ્યું કે “હે રાજપુત્ર! આ માર્ગે ન ચાલો.” રાજાએ તેનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલ્યો કે “અરે ! આ રાજદરબારને તમે જોતા નથી?” રાજાએ નીચે ઉતરીને આખી નગરી યથાર્થ ચિત્રલી જોઈને પૂછ્યું કે “રે બાળક! પહેલા તે આ નગરી જોઈ હતી, કે આજે જ પ્રથમ જોઈ?” તે બોલ્યો કે “ના, મેં કોઈ વખત જોઈ નથી, માત્ર આજે જ નટગામથી અહીં આવ્યો છું.” તે સાંભળીને રાજાએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે “અહો આ બાળકની બુદ્ધિ કેવી તીવ્ર છે?” પછી રાજાએ તેનું નામ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે “મારું નામ રોહક છે.” તેવામાં રોહકનો પિતા ગામમાંથી આવ્યો, એટલે તેની સાથે રોહક પોતાને ગામ ગયો. અહીં રાજાએ વિચાર્યું કે “મારે ચારસો ને નવાણું મંત્રીઓ છે; પરંતુ તે સર્વની બુદ્ધિ એક જ મંત્રીમાં હોય એવો એક મંત્રી જોઈએ, જેથી રાજ્યનું તેજ વૃદ્ધિ પામે.” એમ વિચારીને રોહકની પરીક્ષા કરવા માટે રાજાએ નટગામના મુખ્ય માણસોને ઉદ્દેશીને હુકમ કર્યો કે “તમારા ગામની બહાર એક મોટી શિલા છે, તે શિલાને ઉપાડ્યા વિના જ રાજાને બેસવા યોગ્ય એક મંડપ કરી તેનું ઢાંકણ તે શિલાનું કરો.” આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને સર્વ લોકો અનેક પ્રકારની ચિંતા કરવા લાગ્યા. વિચાર કરતાં મધ્યાહ્ન સમય થયો; તેવામાં રોહકે આવીને તેના પિતાને કહ્યું Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ કે “હે પિતા ! મને બહુ ભૂખ લાગી છે, તેથી ભોજન કરવા માટે ઘેર ચાલો.” ભરત બોલ્યો કે “હે વત્સ! તું તો નિશ્ચિત છે, ગામના કષ્ટને તું કાંઈ જાણતો નથી.” રોહક બોલ્યો કે “શું કષ્ટ છે ?” ત્યારે ભારતે રાજાની આજ્ઞા કરી દેખાડી. તે સાંભળીને રોહક બોલ્યો કે “ચિંતા ન કરો, તમે રાજાને યોગ્ય મંડપ કરવા માટે તે શિલાની નીચે ખોદો. પછી જ્યાં જ્યાં ઘટે ત્યાં ત્યાં તેની નીચે થાંભલાઓ ગોઠવો અને તે શિલાને ઉપાડ્યા વિના જ ભોયરાની જેમ ફરતી ભીંત વગેરે કરો.” તે સાંભળીને સર્વ લોકો હર્ષ પામી જમવા ઉઠ્યા. પછી ભોજન કરીને રોહકના કહેવા પ્રમાણે મંડપ તૈયાર કર્યો. રાજા પણ તે મંડપને જોઈને પ્રસન્ન થયો. પછી તેણે ગામના લોકોને પૂછ્યું કે “આ કોની બુદ્ધિથી મંડપ કર્યો?” લોકો બોલ્યા કે “ભરતના પુત્ર રોહકની બુદ્ધિથી.” એકદા રાજાએ તે ગામમાં એક મેંઢો મોકલીને હુકમ કર્યો કે “આ મેંઢો અત્યારે જેટલો તોલમાં છે તેટલો જ પંદર દિવસે પાછો આપવો. તોલમાં જરા પણ ન્યૂનાધિક થવો ન જોઈએ.” એ પ્રમાણે રાજાનો નિર્દેશ સાંભળીને સર્વે જનો ગામ બહાર સભા કરી એકઠા થયા. પછી રોહકને બોલાવીને રાજાનો હુકમ કહી બતાવ્યો. ત્યારે રોહક બોલ્યો કે “એક વરૂ પકડી લાવીને તેની પાસે આ મેંઢાને બાંધવો અને તેને સારો ખોરાક આપી પુષ્ટ કરવો.” તે સાંભળીને લોકોએ તે પ્રમાણે કર્યું. પંદર દિવસે તે મેંઢો રાજાને પાછો સોંપ્યો. રાજાએ તેને તોળ્યો તો તેટલો જ તોલમાં થયો. પછી રાજાએ એક કૂકડો મોકલ્યો અને કહેવરાવ્યું કે “બીજા કૂકડા વિના આ કૂકડાને યુદ્ધ કરાવવું.” તે સાંભળીને લોકોએ રોહકના કહેવાથી તે કૂકડાની સામે એક અરીસો મૂક્યો. તેમાં તે કૂકડાએ પોતાનું પ્રતિબિંબ જોઈને બીજો કૂકડો છે એમ જાણી તે પ્રતિબિંબ સાથે અહંકારથી યુદ્ધ કરવા માંડ્યું. તે વાત રાજાને ચરપુરુષોએ કહી. તે સાંભળી રાજા ખુશી થયો. * પછી રાજાએ આજ્ઞા કરી કે “નદીની રેતીના દોરડાં વણીને અહીં મોકલાવો.” ત્યારે રોહકના કહેવાથી લોકોએ પ્રત્યુત્તર કહેવરાવ્યો કે “હે રાજા ! તમારા ભંડારમાં રેતીનાં જૂનાં દોરડાં પડ્યાં હશે, તેમાંથી એક દોરડું નમુના માટે મોકલો કે જેથી તેને અનુસાર અમે દોરડાં વણીને મોકલીએ.” તે સાંભળીને રાજા મૌન થઈ ગયો. એકદા રાજાએ મરવાની તૈયારીવાળો, રોગી અને વૃદ્ધ હાથી નટ ગામમાં મોકલાવીને કહેવરાવ્યું કે “આ હાથી મરી ગયો એમ કહ્યા વિના હંમેશા તેના ખબર મને મોકલવા.” અહીં તો તે જ રાત્રે હાથી મૃત્યુ પામ્યો. પ્રાત:કાળે રાજાને કેવી રીતે ખબર આપવા તેનો વિચાર ન સૂઝવાથી લોકોએ રોહકને પૂછ્યું. એટલે તેના કહેવા પ્રમાણે ગામના અધિપતિએ રાજા પાસે જઈ નિવેદન કર્યું કે “હે દેવ ! આજે હાથી બેસતો નથી, ઉઠતો નથી, આહાર કે નિહાર કરતો નથી અને બીજી કોઈ પણ ચેષ્ટા કરતો નથી.” રાજાએ પૂછ્યું કે “અરે, શું હાથી મરી ગયો? તેણે કહ્યું કે “હે રાજા ! આપ એવું બોલો છો, અમે એમ બોલતા નથી.” તે સાંભળીને રાજા મૌન થયો. Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૧૯ પછી ફરીથી રાજાએ નટગામમાં હુકમ મોકલ્યો કે “તમારા ગામના કૂવાનું પાણી ઘણું સારું છે, માટે તે કૂવો અહીં જલદીથી મોકલો.” ત્યારે લોકોએ રોહકની બુદ્ધિથી રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! ગામડીઓ કૂવો સ્વભાવથી જ બીકણ હોય છે, માટે નગરનો માર્ગ બતાવનાર એક અહીંનો (નગરનો) કૂવો ત્યાં મોકલો, કે જેથી તે કૂવાની સાથે અમારો ગામડીયો કૂવો આવી શકે.” તે સાંભળીને રાજા મૌન રહ્યો. અન્યદા રાજાએ આદેશ કર્યો કે “અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો.” ત્યારે લોકોના પૂછવાથી રોહકે તેમને કહ્યું કે “ચોખાને ઘણા જળમાં પલાળીને સૂર્યના કિરણથી તપાવી કરીષ અને પલાલ વગેરે ઘાસની બાફમાં તે ચોખા ને દૂધથી ભરેલી તપેલી મૂકો; જેથી ખીર થઈ જશે.' લોકોએ તે પ્રમાણે કરીને ખીર રાજાને મોકલાવી. તે જોઈને રાજા અતિ વિસ્મય પામ્યો. પછી રોહકની બુદ્ધિનું અતિશયપણું જાણીને તેને પોતાની પાસે આવવાની આજ્ઞા કરવા સાથે કહેવરાવ્યું કે “શુક્લપક્ષમાં કે કૃષ્ણપક્ષમાં આવવું નહીં, રાત્રે અથવા દિવસે આવવું નહીં, છાયામાં અથવા તડકે આવવું નહીં, અદ્ધર રહીને અથવા પગે ચાલીને આવવું નહીં, માર્ગે કે ઉન્માર્ગે આવવું નહીં અને સ્નાન કરીને કે સ્નાન કર્યા વિના આવવું નહીં.” આ પ્રમાણેનો હુકમ સાંભળીને રોહકે કંઠ સુધી સ્નાન કર્યું અને ગાડાના પૈડાંના બે ચીલાના મધ્ય ભાગને રસ્તે, નાના ઘેટા ઉપર બેસીને માથે ચાલણીનું છત્ર ધારણ કરીને, સંધ્યા સમયે અમાવાસ્યા ઉપરાંત પડવાને દિવસે તે રાજાની પાસે ગયો. ત્યાં “ખાલી હાથે રાજાનું દેવનું અને ગુરુનું દર્શન કરવું નહીં” એવી લોકશ્રુતિ જાણીને માટીનો એક પિંડ હાથમાં રાખીને રાજાને પ્રણામ કરી તે પિંડ રાજાની પાસે ભેટ તરીકે ધર્યો. રાજાએ પૂછ્યું કે “હે રોહક ! આ તું શું લાવ્યો ?” તેણે જવાબ આપ્યો કે “હે દેવ તમે પૃથ્વીના પતિ છો, તેથી હું પૃથ્વી લાવ્યો છું.” તે સાંભળીને રાજા પ્રસન્ન થયો. - તે રાત્રે રાજાએ રોહકને પોતાની પાસે સુવાડ્યો. રાત્રીનો પહેલો પ્રહર ગયો ત્યારે રાજાએ તેને બોલાવ્યો કે “અરે રોહક ! તું જાગે છે કે ઊંઘે છે ?” તે બોલ્યો કે “દેવ જાગું છું.” રાજાએ પૂછ્યું કે “શું વિચાર કરે છે ?” રોહક બોલ્યો કે “હે દેવ ! હું એવો વિચાર કરતો હતો કે પીપળાના પાંદડાનું ડીંટ મોટું કે તેની શિખા મોટી ?’ તે સાંભળીને રાજાને પણ સંશય થયો. તેથી તેણે કહ્યું કે “તેં ઠીક વિચાર કર્યો. પણ તેનો નિર્ણય શો કર્યો ?' તે બોલ્યો કે “જ્યાં સુધી શિખાનો અગ્ર ભાગ સૂકાઈ ન જાય ત્યાં સુધી બન્ને સરખાં હોય છે.” પછી બીજો પ્રહર પૂર્ણ થતાં રાજાએ પૂછ્યું કે “અરે જાગે છે કે ઊંધે છે ?’’ રોહક બોલ્યો કે “દેવ ! જાગું છું.” રાજાએ પૂછ્યું કે “શું વિચાર કરે છે ?” ત્યારે તે બોલ્યો કે હે દેવ ! બકરીના પેટમાંથી જાણે સરાણે ઉતારેલી હોય તેવી તેની લીંડીઓ બરાબર ગોળ થઈને બહાર નીકળે છે, તેનું શું કારણ ?” રાજાએ રોહકને જ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “બકરીના ઉદરમાં સંવર્તક નામનો વાયુ રહે છે, તેના પ્રભાવથી લીંડીઓ એવી ગોળ થાય છે.” Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ * પછી રોહક સૂઈ ગયો. રાજાએ ત્રીજા પ્રહરે રોહકને બોલાવ્યો કે “અરે જાગે છે કે ઊંધે છે?” તે બોલ્યો કે “જાગુ છું.” રાજાએ પૂછ્યું કે “શું વિચાર કરે છે?” તે બોલ્યો કે “હે દેવ! ખીસકોલીનું જેટલું મોટું પૂંછડું છે તેટલું જ તેનું શરીર પણ હશે કે કાંઈ ન્યૂનાધિક હશે? રાજાએ તેનો નિર્ણય તેને જ પૂછ્યો, ત્યારે તે બોલ્યો કે “હે દેવ ! બન્ને સરખા હોય છે.” પછી રોહક સૂઈ ગયો. રાજા પ્રાતઃકાળે જાગ્યો, ત્યારે રોહકને બોલાવ્યો, પણ નિદ્રાવશ હોવાથી તેણે જવાબ આપ્યો નહીં. ત્યારે રાજાએ ક્રીડાથી રોહકને જરાક સોટી લગાડી. એટલે રોહક જાગી ગયો. રાજાએ પૂછ્યું કે “અરે કેમ ઊંધે છે કે?” તે બોલ્યો કે “દેવ જાગું છું.રાજાએ કહ્યું કે “ત્યારે કેમ ઘણીવારે બોલ્યો?” રોહકે જવાબ આપ્યો કે “હે દેવ! હું વિચાર કરતો હતો કે રાજા કેટલા પુરુષથી ઉત્પન્ન થયો હશે? (રાજાને કેટલા બાપ હશે ?)” તે સાંભળીને રાજા લજા પામીને જરાવાર મૌન રહ્યો. પછી થોડીવારે પૂછ્યું કે “અરે, બોલ ! હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું?” રોહક બોલ્યો કે “પાંચ પુરુષથી.” ફરીથી રાજાએ પૂછ્યું કે “કયા કયા પાંચથી?” તે બોલ્યો કે “એક તો કુબેર ભંડારીથી, કેમકે કુબેરભંડારીના જેવી તમારામાં દાનશક્તિ છે. બીજા ચંડાળથી, કેમકે શત્રુના સમૂહ પ્રત્યે તમે ચંડાળની જેવો કોપ કરો છો. ત્રીજા ધોબીથી, કેમકે જેમ ધોબી વસ્ત્ર નીચોવીને પાણી કાઢી નાંખે છે તેમ તમે પણ માણસોને નીચોવીને તેનું ધન લઈ લ્યો છો. ચોથા વીંછીથી, કેમકે તમે ભરનિદ્રામાં સૂતેલા બાળકને પણ નિર્દય વીંછીની જેમ સોટી મારીને પીડા ઉપજાવો છો અને પાંચમા તમારા પિતાથી તમે ઉત્પન્ન થયા છો, કે જેણે રાજયમાં અને ન્યાયમાં તમને સ્થાપન કર્યા છો.” તે સાંભળીને રાજા બહુ આશ્ચર્ય પામ્યો. પછી રાજાએ પોતાની મા પાસે એકાંતમાં જઈને નમન કરી પૂછ્યું કે “હે માતા કહો, હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું?” માતાએ કહ્યું કે “હે વત્સ! એ તું શું પૂછે છે? તારા પિતાથી જ તું ઉત્પન્ન થયો છે.” ત્યારે રાજાએ રોહકે કહેલી વાત કરીને કહ્યું કે “હે માતા ! તે રોહક પ્રાય ખોટી બુદ્ધિવાળો નથી, માટે સત્ય કહો.” એમ બહુ આગ્રહથી રાજાએ પૂછ્યું, ત્યારે તેની માતાએ કહ્યું કે “હે વત્સ જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે એક દિવસ હું ગામ બહાર ઉદ્યાનમાં કુબેરદેવની પૂજા કરવા ગઈ હતી. તે પ્રતિમાનું અત્યંત સ્વરૂપ જોઈને મેં તેનો હાથ વડે સ્પર્શ કર્યો, તેથી મને કામ વ્યાપ્ત થવાથી ભોગની ઈચ્છા થઈ હતી. ત્યાંથી પાછા આવતાં માર્ગમાં એક સ્વરૂપવાન ચંડાળને જોઈને તેની સાથે ભોગની ઈચ્છા થઈ હતી. આગળ ચાલતાં એક રૂપવંત ધોબીને જોઈને પણ તેવી જ ઈચ્છા થઈ હતી. પછી ઘેર આવી ત્યારે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટનો વીંછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધો. તેના સ્પર્શથી કામોદ્દીપન થવાને લીધે તેની સાથે પણ ભોગની ઈચ્છા થઈ હતી. એ પ્રમાણે ઈચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા થયા હતા. બાકી પરમાર્થથી તો એક તારો પિતા જ સત્ય પિતા છે,” તે સાંભળીને રાજા માતાને નમન કરીને રોહકની બુદ્ધિથી વિસ્મય પામ્યો, અને તેને સર્વ મંત્રીઓમાં પ્રથમ પદ આપ્યું. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ આ કથાનો ઉપનય એવો છે કે – પૂર્વે પોતે નહિ જોયેલું, નહિ સાંભળેલું અને મનમાં પણ નહિ ચિંતવેલું ગૂઢ કાર્ય પણ બુદ્ધિના પ્રભાવથી જાણી-સમજી શકાય છે. તેવી રીતે જ ધર્મકાર્યમાં પણ સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરવો; જેથી આ લોકમાં ને પરલોકમાં અત્યંત હિતકારી થાય.” ૩૪૨ બે પ્રકારના આયુષ્ય वर्तमानभवायुष्कं, द्विविधं तच्च कीर्तितम् । सोपक्रमं भवेदाद्यं, द्वितीयं निरुपक्रमम् ॥१॥ ભાવાર્થ:- “વર્તમાન ભવનું આયુષ્ય બે પ્રકારનું કહેવું છે, તેમાં પહેલું સોપક્રમ અને બીજું નિરુપક્રમ.” ઘણા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્ય પણ આગળ કહેવામાં આવશે એવા અધ્યવસાનાદિક ઉપક્રમોથી થોડા કાળમાં ભોગવી લેવાય તે સોપક્રમ આયુષ્ય કહેવાય છે. જેમ લાંબી કરેલી દોરીને એક છેડે અગ્નિ સળગાવ્યો હોય તો તે દોરી અનુક્રમે લાંબી મુદતે બળી રહે છે અને તે જ દોરીને એકઠી કરીને તેમાં અગ્નિ મૂક્યો હોય તો તે એકદમ જલદીથી બળી જાય છે; તેવી જ રીતે સોપક્રમ આયુષ્ય થોડા કાળમાં પુરું થઈ જાય છે અને જે આયુષ્ય તેના બંધ સમયે ગાઢ નિકાચિત બાંધ્યું હોય તે અનુક્રમે જ ભોગવાય છે. સેંકડો ઉપક્રમથી પણ તે ક્ષીણ થઈ શકતું નથી, તેવું આયુષ્ય નિરુપક્રમ કહેવાય છે. - હવે ઉપક્રમ કહે છે - પોતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિક અને બીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્ત્રાદિકથી જે પોતાના જીવિતનો અંત આવે તે સર્વ ઉપક્રમ કહેવાય છે. પૂર્વસૂરિઓએ તે ઉપક્રમના અધ્યવસાય વગેરે સાત ભેદો કહેલા છે, તે આ પ્રમાણે - अज्झवसाण निमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविहं झिज्झए आउ ॥१॥ ભાવાર્થ:- “અધ્યવસાન, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસો-શ્વાસ એ સાત પ્રકારે આયુષ્યનો ક્ષય થાય છે. વિવેચનઃ - અધ્યવસાનના ત્રણ પ્રકાર છે - રાગ, ભય અને સ્નેહ. તેમાં રાગનો અધ્યવસાન પણ મરણનો હેતુ થાય છે. જેમ કોઈ એક અતિ રૂપવાન યુવાન મુસાફર અરણ્યમાં તૃષાતુર Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ થવાથી પ્રપા (પાણીના પરબ)ને સ્થાને ગયો. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી મુસાફર પેલી સ્ત્રીએ ના કહ્યા છતાં પણ ત્યાંથી ચાલતો થયો, તે સ્ત્રી તેની સામું જ જોઈ રહી અને જ્યારે તે મુસાફર અદશ્ય થયો, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના ઉત્કટ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી. ભયના અધ્યવસાયથી કૃષ્ણ વાસુદેવને જોઈને સોમિલ બ્રાહ્મણ હૃદયસ્ફોટ થવા વડે મરી ગયો; તેમજ મૃગાવતીનો સ્વામી શતાનિકરાજા ચંડપ્રદ્યોતરાજાને સૈન્ય સહિત આવતો સાંભળીને તેના ભયથી મરણ પામ્યો. સ્નેહના અધ્યવસાયથી મરણ પામેલાનું દૃષ્ટાંત એ છે કે “તુરંગપુરમાં નરવર નામે રાજા હતો. તેને ભાનુ નામે મંત્રી હતો. તે મંત્રીને સરસ્વતી નામની પત્ની હતી. તે દંપતીને પરસ્પર અત્યંત સ્નેહ હતો, તે વાત રાજાના સાંભળવામાં આવવાથી તેની પરીક્ષા કરવાનો રાજાને વિચાર થયો. એકદા રાજા મંત્રી સહિત મૃગયા રમવા માટે વનમાં ગયો, ત્યાં કોઈ પ્રાણીનું રુધિર મંત્રીના વસ્ત્ર તથા અશ્વ પર લગાડીને રાજાએ તે અશ્વ ગામમાં તેને ઘેર મોકલી દીધો. પોતાના પ્રિય સ્વામી વિના તેના વસ્ત્ર તથા અશ્વને રુધિરવાળા જોઈને “હાય ! હાય ! મૃગયા રમવા ગયેલા મારા પતિને કોઈ હિંસાદિકે મારી નાંખ્યા.” એમ ધારીને સરસ્વતી જાણે વજથી હણાયેલી હોય તેમ ભૂમિ પર પડીને મરણ પામી. તે વાત જાણીને રાજાને અત્યંત ખેદ થયો. પછી તે ભાનુમંત્રી પ્રિયા વિયોગના દુઃખથી યોગી થઈને ગંગા કિનારે ગયો, તે સરસ્વતી મૃત્યુ પામીને ગંગા નદીને કિનારે આવેલ મહારથપુરના રાજાની પુત્રી થઈ. ભાનુ મંત્રી બાર વર્ષ વ્યતીત થયા પછી ભિક્ષાને માટે અટન કરતો તે રાજમંદિરે ગયો. તે કન્યા તેને જોઈને ભિક્ષા લઈ તેને આપવા આવી પણ તે મંત્રીના દર્શનથી જાણે ચિત્રમાં આલેખાયેલી હોય તેમ તે કન્યા સ્તબ્ધ થઈ. તેના હાથમાં રહેલું અન્ન કાગડા લઈ ગયા, પણ તે યોગીને આપી શકી નહીં. યોગી તો કાંઈક જોઈ વિચારીને અન્યત્ર ચાલ્યો ગયો. પછી તે કન્યાએ પોતાની બે સખીઓ સાથે સંકેત કર્યો કે “આ ભવમાં તો એ યોગી જ મારા પતિ છે, બીજા કોઈને હું ઈચ્છતી નથી.” તે વૃત્તાંત રાજાના જાણવામાં આવવાથી તેણે સર્વ યોગીઓને એકઠા કર્યા. તેમાંથી તે કન્યાએ તે મંત્રી યોગીને ઓળખી કાઢ્યો. પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી તેણે પોતાના પૂર્વભવની વાત કહી બતાવી. તે સાંભળીને રાજાના કહેવાથી યોગીએ તે કન્યાનો સ્વીકાર કર્યો, તે વખતે અવસરને જાણનાર પંડિતો બોલ્યા કે - भानुश्च मंत्री दयिता सरस्वती, मृत्युं गता सा नृपकैतवेन । गंगागतस्तां पुनरेव लेभे, जीवन्नरो भद्रशतानि पश्यति ॥१॥ ભાવાર્થ :- “ભાનમંત્રીને સરસ્વતી નામે સ્ત્રી હતી. તે રાજાના કપટથી મૃત્યુ પામી હતી. તે સ્ત્રીને ગંગાકિનારે ગયેલો મંત્રી ફરીથી પણ પામ્યો. માટે જીવતો માણસ સેંકડો કલ્યાણો જુએ છે.” Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૨૩ આ દષ્ટાંત સ્ત્રીને આશ્રીને કહ્યું. હવે પુરુષને આશ્રીને બીજું દષ્ટાંત આ પ્રમાણે છે – “કોઈ વણિકને રૂપવતી યુવાન પત્નિ હતી. તે બન્નેને પરસ્પર ગાઢ સ્નેહ હતો. એકદા વ્યાપારને માટે પરદેશ જવાની ઈચ્છાથી તેણે સ્ત્રીની રજા માગી. તે સાંભળીને જ તે સ્ત્રી મૂછ પામી. તેને શીત ઉપચાર વડે સજ્જ કરી, ત્યારે તેણે પતિને કહ્યું કે “જો તમારે અવશ્ય પરદેશ જવું જ હોય તો તમારી એક પ્રતિમા કરીને મને આપો, જેથી તેને આધારે હું દિવસો નિર્ગમન કરું.” તે સાંભળીને તે શ્રેષ્ઠિ પોતાની મૂર્તિ કરીને પ્રિયાને આપી દેશાંતર ગયો. તે સ્ત્રી તે પ્રતિમાનું નિરંતર દેવથી પણ અધિક આરાધના કરવા લાગી. એકદા તે ગામમાં ચોતરફ અગ્નિનો ઉપદ્રવ થયો, તે વખતે તે સ્ત્રી પોતાના પતિની પ્રતિમા હાથમાં રાખીને સ્થિર બેસી રહી. પોતાનું શરીર બળીને ભસ્મ થઈ ગયું, તો પણ તેણે હાથમાંથી પ્રતિમા મૂકી નહીં. કેટલાક દિવસો પછી તે વણિક પરદેશથી ઘેર આવ્યો, તે વખતે પોતાની પ્રિયાને જોઈ નહીં, એટલે તેણે તેની સખીને પૂછ્યું કે – 'नवसतशसिसमवदनि, हरहाराहारवाहनानयणि । जलसुतरिपुगतिगमणि, सा सुंदरि कत्थ हे सयणि ॥१॥ હે સખી ! સોળ કળાયુક્ત ચંદ્રના જેવા મુખવાળી, મૃગ સરખાં નેત્રવાળી અને હંસ જેવી ગતિવાળી મારી મનોહર પ્રિયા ક્યાં છે?” સખીએ જવાબ આપ્યો કે “હે સખીના નાથ ! સાંભળો, આ નગરમાં ચોતરફથી અગ્નિ લાગ્યો હતો, તે વખતે ભયને લીધે તમારી મૂર્તિને ઝાલીને તે બેસી રહી હતી, તેમાં તેનું શરીર બળીને ભસ્મ થઈ ગયું, એટલે તેના પ્રાણ છુટ્યા; પણ તમારી મૂર્તિને વળગેલા તેના પાણિ એટલે હાથ છુટ્યા નહીં.” આ પ્રમાણે સખીની વાણી સાંભળતાં જ તે વણિકના પ્રાણ ચાલ્યા ગયા. અહીં કોઈને શંકા થાય કે રાગ અને સ્નેહમાં શો તફાવત છે? તો તેનો જવાબ એ છે કે રૂપાદિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય તે રાગ અને સામાન્ય રીતે સ્ત્રી પુત્રાદિક ઉપર જે પ્રીતિ થાય તે સ્નેહ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી આયુષ્યનો ક્ષય થાય છે (૧). બીજું નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રજુ, અગ્નિ, જળમાં પતન, મૂત્રપૂરીષનો રોધ અને વિષનું ભક્ષણ વગેરે કારણોથી પણ આયુષ્યનો ક્ષય થાય છે. (૨). આહારથી એટલે ઘણું ખાવાથી, થોડું ખાવાથી અથવા બિલકુલ આહાર નહિ મળવાથી આયુષ્યનો ક્ષય થાય છે. સંપ્રતિરાજાના પૂર્વભવનો જીવ દ્રમક કે જે સાધુ થયો હતો તે દીક્ષાને જ દિવસે અતિ આહારથી મૃત્યુ પામ્યો હતો (૩). વેદનાથી એટલે શૂળ વગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યનો ક્ષય થાય છે (૪). પરાઘાતથી એટલે ભીંત ભેખડ વગેરે પડવાથી અથવા વીજળી વગેરેના પડવાથી આયુષ્યનો ક્ષય થાય છે (૫). સ્પર્શથી એટલે ત્વક વિષાદિના ૧. નવ ને સાત સોળ કળાયુક્ત ચંદ્ર. હર એટલે શિવ, તેનો હાર સર્પ, તેનો આહાર પવન. તેનું વાહન હરણ અને જળ એટલે સમુદ્ર તેના પુત્ર મોતી, તેના શત્રુ-તેનો આહાર કરનાર હંસ. આ પ્રમાણે અર્થ સમજવો. Page #235 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ સમુદ્રભાવથી તથા સર્પ વગેરેના સ્પર્શથી (દંશથી) આયુષ્યનો ક્ષય થાય છે. બ્રહ્મદત્ત ચક્રીના મૃત્યુ પછી તેના પુત્રે ચક્રીના સ્ત્રીરત્નને કહ્યું કે “મારી સાથે ભોગવિલાસ કર.” ત્યારે સ્ત્રીરને કહ્યું “હે વત્સ ! મારો સ્પર્શ પણ તું સહન કરી શકીશ નહીં.” તે વાત તેણે સાચી માની નહીં. ત્યારે તે સ્ત્રીરત્ન એક અશ્વને તેના પૃષ્ટથી કટી સુધી સ્પર્શ કર્યો. એટલે તરત જ તે અશ્વ સર્વ વીર્યના ક્ષયથી તત્કાળ મૃત્યુ પામ્યો. એ જ પ્રમાણે એક લોઢાના પુરુષને સ્પર્શ કર્યો તો તે પણ લય પામી ગયો (ગળી ગયો) (૬). શ્વાસોશ્વાસથી એટલે દમ વગેરેના વ્યાધિને લીધે ઘણા શ્વાસોશ્વાસ લેવાથી અથવા શ્વાસ રૂંધાવાથી આયુષ્યનો ક્ષય થાય છે. (૭). આ સાત પ્રકારના ઉપક્રમ સોપક્રમી આયુષ્યવાળાને હોય છે. ત્રેસઠ શલાકાપુરુષ વગેરે ઉત્તમ પુરુષો, 'ચરમ દેહધારી, અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા (જુગલીયા) મનુષ્ય અને તિર્યંચો, દેવતાઓ તથા નારકી જીવો નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે, તે સિવાય બીજા સર્વ જીવો સોપક્રમ અને નિરુપક્રમ એવા બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અહીં કોઈને શંકા થાય કે “સ્કન્દકાચાર્યના પાંચસો શિષ્યો તથા અર્ણિકાપુત્ર આચાર્ય, ઝાંઝરિયા મુનિ વગેરે મુનિઓ ચરમશરીરી હોવાથી નિરુપક્રમ આયુષ્યવાળા હોવા જોઈએ, છતાં તેઓ ઉપક્રમથી કેમ મૃત્યુ પામ્યા?” તેનો ઉત્તર એ છે કે “તે મુનિઓને જે જે ઉપક્રમો થયા તે માત્ર તેમને કષ્ટને અર્થે સમજવા; આયુષ્યના ક્ષયમાં કારણભૂત સમજવા નહીં, તેમનું આયુષ્ય તો પૂર્ણ જ થયું હતું, માટે તેમને નિરુપક્રમ આયુષ્યવાળા જ જાણવા.” સોપક્રમ આયુષ્યવાળા જીવો પોતાના આયુષ્યને ત્રીજે ભાગે, નવમે ભાગે કે સત્તાવીશમે ભાગે અથવા છેવટ મરણ વખતે છેલ્લા અંતર્મુહૂર્ત આવતા ભવનું આયુષ્ય બાંધે છે. અહીં કોઈ આચાર્યો સત્તાવીશમા ભાગથી ઉપર પણ આવતા ભવના આયુષ્યના બંધની કલ્પના કરે છે, તેમજ ત્રણ ત્રણ ભાગની કલ્પના પણ છેલ્લા અંતર્મુહૂર્ત સુધી કરે છે નિરુપક્રમ આયુષ્યવાળા જીવોને માટે આયુષ્યના બંધનો કાળ એવો છે કે દેવતાઓ, નારકીઓ તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો (જુગલીકો) પોતાનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે આગામી ભવનું આયુષ્ય બાંધે છે. તે સિવાયના બીજા નિરુપક્રમ આયુષ્યવાળા (ચરમશરીરી સિવાયના ચક્રવર્તી, બળદેવાદિક શલાકા પુરુષો) જીવો પોતાના આયુષ્યને ત્રીજે ભાગે અવશ્ય આગામી ભવનું આયુષ્ય બાંધે છે. અહીં સોપક્રમ આયુષ્યના વિષય પર કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે “જો કોઈપણ કર્મ તેનો કાળ પ્રાપ્ત થયા વિના ભોગવાય, તો કૃતનાશ અને અકૃતાગમ એ બન્ને દૂષણો પ્રાપ્ત થશે; કેમકે પૂર્વે ઘણી સ્થિતિવાળું કર્મ (આયુષ્યકર્મ) બાંધ્યું ન હતું તે તેટલી મુદત સુધી ભોગવાયું નહીં ૧. તે જ ભવમાં મોક્ષે જવાવાળા હોવાથી છેલ્લે જ શરીર ધરવાવાળા. ૨. કરેલાનો નાશ. ૩. નહિ કરેલાની પ્રાપ્તિ. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ માટે કૃતનાશ નામનો દોષ આવ્યો; તેથી આત્માએ અલ્પ સ્થિતિવાળું કર્મ (આયુષ્યકર્મ) બાંધ્યું નહોતું તે ભોગવ્યું, માટે અકૃતાગમ નામનો દોષ પ્રાપ્ત થયો.” આ પ્રશ્નનો ગુરુ જવાબ આપે છે કે “હે શિષ્ય! મોટી સ્થિતિવાળા કર્મનો કાંઈ ઉપક્રમે કરીને નાશ થતો નથી, પરંતુ અધ્યવસાય વિશેષથી તે કર્મ ઉતાવળે થોડી મુદતમાં ભોગવી લેવાય છે. અહીં યુક્તિથી એમ સમજવાનું છે કે સોપક્રમ આયુષ્યવાળા જીવ જેમ ઘણા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્ય કર્મને એકઠું કરીને થોડા કાળમાં ભોગવી લે છે તેમ સર્વ કર્મોને ઉપક્રમ લાગે છે; કેમકે પ્રાયઃ સારાં માઠાં અનિકાચિત એવાં સર્વ કર્મોની શુભાશુભ પરિણામાદિના વશથી અપવર્તન થાય છે, તથા નિકાચિત કર્મોની પણ તીવ્ર તપ વડે સ્કુરાયમાન તથા શુભ પરિણામના વશથી અપવર્તન થાય છે. તે વિષે પૂજયપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે : सव्वपगइणमेवं, परिणामवसादुवक्कमो होज्जा। पायमनिकाइयाणं, तवसाओ निकाइयाणं पि ॥१॥ ભાવાર્થ:- “પ્રાયે કરીને અનિકાચિત એવો સર્વ કર્મપ્રકૃતિનો એ જ પ્રમાણે પરિણામના વશથી ઉપક્રમ થાય છે અને નિકાચિત પ્રકૃતિનો પણ ઉગ્ર તપથી ઉપક્રમ થાય છે.” જેમ ઘણા કાળ સુધી ચાલે તેટલું ઘણું ધાન્ય પણ કોઈ માણસ ભસ્મક વાતના વ્યાધિથી થોડા કાળમાં જ ખાઈ જાય છે, એટલે તે ધાન્યની વર્તમાન સ્થિતિનો નાશ થઈ ગયો એમ ધારવું નહીં; પરંતુ વ્યાધિના બળથી ઘણું ધાન્ય થોડા કાળમાં ખવાઈ ગયું; તેવી જ રીતે લાંબી મુદત સુધી ભોગવવા લાયક કર્મ થોડી મુદતમાં ભોગવી લીધું તેમ જાણવું; અથવા જેમ આમ્રફળ વગેરેને ખાડામાં નાખી ઉપર ઘાસ વગેરે ઢાંકી રાખીએ તો તે ફલ થોડી મુદતમાં પાકી જાય છે, તેવી રીતે તેવાં અનિકાચિત કર્મ પણ થોડી મુદતમાં ભોગવાઈ જાય છે.” વળી શિષ્ય પ્રશ્ન કરે છે કે “અપવર્તન કરવાથી થોડા કાળમાં અથવા અપવર્તના ન કરે તો જેટલી સ્થિતિવાળું હોય તેટલા ચિરકાળે પણ જે કર્મ બાંધ્યું હોય તે સર્વ જો આપના કહેવા પ્રમાણે અવશ્ય ભોગવવું જ પડતું હોય તો પ્રસન્નચંદ્ર વગેરેએ સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું. તેને તેવા પ્રકારના દુઃખવિપાકનો ભોગ તો સાંભળવામાં આવતો નથી. તે તો શુભભાવથી થોડા કાળમાં જ કેવળજ્ઞાન પામ્યા છે, તો “સર્વ કર્મ વેદવું જ પડે છે' એમ જે આપે કહ્યું તે વ્યર્થ થશે.” આ પ્રશ્નનું ગુરુમહારાજ સમાધાન આપે છે કે “જે કર્મ બાંધેલું છે તે કર્મપ્રદેશથી તો સર્વ જીવો અવશ્ય ભોગવે છે જ, પણ રસના અનુભાવથી તો કોઈક કર્મ ભોગવાય છે અને કોઈક કર્મ નથી ભોગવાતું. તેનું કારણ એ છે કે શુભ પરિણામના વશથી તે કર્મના રસની અપવર્તના (ક્ષય) થાય છે, તેથી પ્રસન્નચંદ્રાદિકે સાતમી નરક યોગ્ય કર્મોના પ્રદેશો નીરસ (રસ વિનાના) ભોગવ્યા છે, પણ વિપાક ઉદયથી ભોગવ્યા નથી.” Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ~ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ વળી શિષ્ય કહે છે કે “જ્યારે પ્રસન્નચંદ્રાદિકે જે કર્મ રસવાળું બાંધ્યું હતું તે કર્મને નીરસપણે ભોગવ્યું ત્યારે તો પૂર્વની જ જેમ કૃતનાશ અને અકૃતાગમ નામના બને દોષો પ્રાપ્ત થયા.” ગુરુ તેનો ખુલાસો આપે છે કે – “તથા પ્રકારના ઉત્તમ પરિણામથી જો કર્મના રસ ક્ષય પામે તો તેમાં શું અનિષ્ટ થયું? જેમ સૂર્યના ઉગ્ર તાપથી ઈશુના સાંઠામાં રહેલો રસ સૂકાઈ જાય, તો તેમાં કૃતનો નાશ ને અકૃતનો આગમ શું થયો? હે બુદ્ધિમાન્ ! તે તું કહે. વળી જો કદાચ જે કર્મ જેવી રીતે બાંધ્યું તેવી જ રીતે અવશ્ય ભોગવવું પડતું હોય તો પાપનો ક્ષય નહીં થતો હોવાથી સર્વ તપનો વિધિ વ્યર્થ થશે, તેમજ તે જ ભવમાં સિદ્ધિ પામનારા જીવોને પણ કર્મ અવશેષ રહેશે એટલે કોઈની પણ મુક્તિ થશે નહીં, માટે કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ પણ પ્રદેશ કરીને નીરસપણે ભોગવાય છે એમ માનવું.” વળી હે શિષ્ય ! અસંખ્ય ભવમાં બાંધેલું ભિન્ન ભિન્ન ગતિને આપનારું કર્મ તે ભવે પણ સત્તામાં હોય છે, તેથી જો સર્વ કર્મનો વિપાક વડે અનુભવ લેવો પડતો હોય તો તે એક ભવમાં ભિન્ન ભિન્ન ભાવના અનુભવનો સંભવ થવો જોઈએ. પરંતુ તેમ થતું નથી. વળી ઔષધથી સાધ્ય રોગનો જેમ નાશ થાય છે તેમ જે કર્મ બાંધતી વખતે તેવા પ્રકારના પરિણામ વડે બાંધ્યું હોય તે કર્મ ઉપક્રમથી સાધ્ય થાય છે અને અસાધ્ય રોગ જેમ ઔષધથી જતો નથી તેમ તેવા પ્રકારના તીવ્ર અધ્યવસાય (પરિણામ)થી જે કર્મ બાંધ્યું હોય તે યોગ્ય કાળે વિપાક વડે ભોગવવાથી જ નાશ પામે છે, કેમકે કર્મબંધના અધ્યવસાયસ્થાનકો વિચિત્ર છે અને અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. તે સ્થાનકોમાં કેટલાંએક સોપક્રમ કર્મને ઉત્પન્ન કરનારા છે અને કેટલાંએક નિરુપક્રમ કર્મના બંધને ઉત્પન્ન કરનારાં છે તેથી જેવા અધ્યવસાયથી જે કર્મ બાંધ્યું હોય તે કર્મ તેવી રીતે ભોગવવું પડે છે. આ પ્રમાણે હોવાથી તેં કહેલા દોષનો અહીં જરા પણ અવકાશ નથી. વળી જેમ ઘણા શિષ્યો એક જ શાસ્ત્ર સાથે જ ભણતા હોય તેમાં બુદ્ધિની તરતમતાથી ભેદ પડે છે, તથા જેમ અમુક યોજન લાંબા માર્ગમાં ઘણા માણસો એક સાથે ચાલ્યા હોય છતાં તેમની ગતિની તરતમતાથી જવાને સ્થાને પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે. (કોઈ વહેલા પહોંચે છે, કોઈ વિલંબે પહોંચે છે), તેવી જ રીતે એક સરખી સ્થિતિવાળું કર્મ ઘણા જીવોએ બાંધ્યું હોય, તેમાં પણ પરિણામના ભેદથી તેનો ભોગકાળ ભિન્ન ભિન્ન થાય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે – पिंडीभूतः पटः क्लिनश्चिरकालेन शुष्यति । प्रसारितः स एवाशु, तथा कर्माप्युपक्रमैः ॥१॥ ભાવાર્થ:- “જેમ ભીનું વસ્ત્ર પિંડરૂપ કરીને મૂક્યું હોય તો તે લાંબી મુદતે સૂકાય છે અને Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૨ ૨૭ તે જ વસ્ત્ર લાંબું કર્યું હોય તો જલદી સૂકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપક્રમોથી જલદી ક્ષય પામે છે.” આ સર્વ હકીકત ઉપરથી સમજવાનું એ છે કે જે ભવમાં પ્રથમ કહેલા સાત ઉપક્રમો નિરંતર આયુષ્યલયના હેતુરૂપ ઉપસ્થિત છે, અને તેથી તે આયુષ્યનો વિશ્વાસ નથી કે તે ક્યારે પુરું થશે? માટે કામાદિકનો ત્યાગ કરીને એક ધર્મ જ સારભૂત છે એમ સમજી તેનું અવલંબન ગ્રહણ કરવું, એ આ ગૂઢ વ્યાખ્યાનનું રહસ્ય છે. ગ્રંથકાર કહે છે કે – यस्मिन्नायुषि सुस्नेह, प्रत्यहं धार्यते नरः । प्रतिक्षणं क्षयं तस्य, मत्वा मा मुंच सन्मतिम् ॥१॥ ભાવાર્થ - “મનુષ્ય જે આયુષ્યના ઉપર નિરંતર સ્નેહ રાખે છે તે આયુષ્ય પ્રતિક્ષણે ક્ષય પામે છે એમ જાણીને હે ભવ્ય પ્રાણી ! તું સારી પતિને છોડીશ નહીં.” આ સંબંધમાં પૂર્વાચાર્યું પણ કહ્યું છે કે - क्षणयामदिवसमासच्छलेन, गच्छन्ति जीवितदलानि । इति विद्वन्नपि कथमिह, गच्छसि निद्रावशं रात्रौ ॥१॥ ભાવાર્થ - “ક્ષણ, પ્રહર, દિવસ અને માસના મિષથી આયુષ્યના દળિયા (ભાગો) ચાલ્યા જ જાય છે, એમ જાણતા છતાંપણ રાત્રિએ નિદ્રાને વશ કેમ થાય છે?” બ્રહ્મદત્ત ચક્રીને આયુષ્યની ચંચળતાનો પ્રતિબોધ કરવા માટે મુનિએ કહ્યું હતું કે - इह जीविए राय असासयंमि, घणियं तु पुण्णाइ अकुव्वमाणो । से सोअइ मच्चुमुहोवणीए, धम्मं अकाऊण परंमि लोए ॥१॥ ભાવાર્થ:- “હે રાજા ! આ જીવિત અશાશ્વત છે. તેમાં એક ઘડી પણ જેણે પુણ્યાદિક કાર્ય કર્યું નથી તે મૃત્યુના મુખને પામીને ધર્મ નહિ કરવાથી પરલોકમાં જઈ શોક કરે છે.” આ પ્રમાણે શાસ્ત્રના વચનોથી આયુષ્ય ક્ષણભંગૂર છે એમ જાણીને ભવ્ય પ્રાણીઓએ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવી. શાસકારોએ આયુષ્ય ક્ષીણ થવાના સાત ઉપક્રમો કહેલા છે, તે પ્રમાણે આજે પણ જોવામાં આવે છે. તેથી વિજળી, ધ્વજા અને શરદઋતુના વાદળા જેવું ચંચળ આયુષ્ય જાણીને ઉત્તમ જીવોએ નિરંતર સન્મતિ ધારણ કરવી.” 6 - Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ બીજી અશરણ ભાવના पितृमातृकलत्रायुर्वैद्यमंत्रसुरादिकाः । नैव त्रायन्ति जीवानां, कृतान्तभयमुत्थिते ॥१॥ ભાવાર્થ - “જ્યારે યમરાજાનો ભય પ્રાપ્ત થાય છે, અર્થાત મૃત્યુ આવે છે ત્યારે પ્રાણીઓનું માતા, પિતા, સ્ત્રી, આયુ, વૈદ્ય, મંત્ર કે દેવાદિક પણ રક્ષણ કરી શકતા નથી.” ઉપરના શ્લોકમાં કહ્યા પ્રમાણે દેવો પણ મૃત્યુથી રક્ષણ કરી શકતા નથી. તે વિષે કહ્યું स्नेहादाश्लिष्य शक्रेणार्धासनेऽध्यास्यते स्म यः । श्रेणिकः सोऽप्यशरणो, ऽश्रोतव्यां प्राप तां दशाम् ॥१॥ ભાવાર્થ - “ઈન્દ્ર સ્નેહથી આલિંગન કરીને જેને પોતાના અર્ધા આસન પર બેસાડ્યા હતા તેવા શ્રેણિકરાજા પણ શરણ રહિત થઈને ન સાંભળી શકાય તેવી તે (મૃત્યુ)દશાને પામ્યા.” વળી - वैरादास्कन्दकाचार्य, मुनिपंचशती नतः । न कश्चिदभवत्राता, पालकादन्तकादिव ॥२॥ ભાવાર્થ :- “જીંદકાચાર્ય સહિત પાંચસો મુનિને હણનારા યમરાજ જેવા પાલક પુરોહિતથી તેનું રક્ષણ કરવાને કોઈ પણ સમર્થ થયું નહીં.” षष्टिपुत्रसहस्त्राणि, सगरस्यापि चक्रिणः । तृणवत्राणरहितान्यदहज्ज्वलनप्रभः ॥३॥ ભાવાર્થ:- સગરચક્રીના પણ શરણ રહિત સાઠ હજાર પુત્રોને તૃણની જેમ જ્વલન પ્રત્યે (ભવનપતિના ઈન્દ્ર) બાળી નાખ્યા હતા.” તે કથા આ પ્રમાણે - સગરચક્રીના પુત્રોની કથા અયોધ્યાનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને વિજયા નામે પત્ની હતી. તે થકી અજિતનાથસ્વામી ઉત્પન્ન થયા હતા. જિતશત્રુ રાજાનો નાનો ભાઈ સુમિત્રવિજય નામે હતો. તેને યશોમતી નામની સ્ત્રીથી સગર નામે પુત્ર ઉત્પન્ન થયો હતો. તે સગર ચક્રવર્તી થયા હતા. તેને સાઠ હજાર પુત્રો હતા. તેમાં સૌથી મોટો જહનુકુમાર નામે હતો. તેણે એકદા ચક્રીને પ્રસન્ન કર્યા, Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૨૯ ત્યારે ચક્રીએ તેને વરદાન આપ્યું. એટલે જનુકુમાર બોલ્યો કે “આપની કૃપાથી સર્વ ભાઈઓ સહિત દંડાદિક રત્નને લઈને સમગ્ર પૃથ્વી જોવાની મારી ઈચ્છા થઈ છે.” તે સાંભળીને ચક્રીએ સૈન્ય સહિત તેને જવાની રજા આપી. જસ્નુકુમાર આગળ જતાં ચાર યોજન વિસ્તારવાળા અને આઠ યોજન ઊંચા અષ્ટાપદ પર્વતને જોઈને ભાઈઓ સહિત તેના ઉપર ચડ્યો. ત્યાં તેણે બે કોશ પહોળું, ત્રણ કોશ ઊંચું અને ચાર કોશ લાંબુ, ચા૨ દ્વારવાળું રત્નમય ચૈત્ય જોયું. તેમાં રહેલી પોતપોતાના દેહ સરખા પ્રમાણવાળા ઋષભદેવ વગેરે ચોવીશે તીર્થંકરોની પ્રતિમાનું પૂજન કરીને ભરત વગેરે સો ભાઈઓના સો સ્તૂપોને વંદના કરી. પછી તે પર્વતની શોભા જોઈને સગરનો પુત્ર જસ્નુકુમાર ઘણો હર્ષ પામ્યો. પછી ‘આ ચૈત્ય કોણે કરાવેલું છે ?’ તેણે મંત્રીને પૂછ્યું. મંત્રીએ કહ્યું કે ‘હે કુમાર ! તમારા પૂર્વજ ભરતચક્રીએ આ ચૈત્ય કરાવ્યું છે.’ તે સાંભળીને જન્નુએ સેવકોને આજ્ઞા કરી કે ‘આ ભરતક્ષેત્રમાં આવો બીજો પર્વત તમે શીઘ્ર શોધી લાવો કે જેથી આપણે પણ તેના ઉપર આવું ચૈત્ય કરાવીએ.' તેની આજ્ઞા થતાં અનેક સેવકોએ ચારે દિશામાં જોઈ જોઈને પાછા આવી કહ્યું કે ‘હે કુમાર ! આવો પર્વત બીજે ક્યાંય પણ નથી.’ જ્યારે જનુકુમાર બોલ્યો કે ‘ઠીક છે. ત્યારે આપણે આ પર્વતની જ રક્ષા કરીએ. આગળ ઉપર કાળના અનુભાવથી લોકો લુબ્ધ થશે. તેથી તેઓ અહીં આવીને ઉપદ્રવ ક૨શે, માટે આની રક્ષા કરવી તે મહાફળદાયી છે.’ એમ કહીને જનુકુમારે દંડરત્ન વડે તે પર્વતની ફરતી એક હજાર યોજન ઊંડી ખાઈ ક્ષણવારમાં ખોદી. તે દંડરત્ન વડે પૃથ્વી ખોદતી વખતે નાગકુમારોના ક્રીડાગૃહો માટીના વાસણની માફક ભાંગી ગયા. તે જોઈને ઉપદ્રવથી ભય પામેલા નાગદેવોએ પોતાના ઈન્દ્ર જ્વલનપ્રભ પાસે જઈને તે વૃત્તાંત કહ્યો. તે સાંભળીને કોપાયમાન થયેલા જ્વલનપ્રભે સગરચક્રીના પુત્રો પાસે આવીને કહ્યું કે ‘હે મૂર્ખે ! આ પૃથ્વીને શા માટે ખોદી નાંખી ? નાગકુમાર દેવો ક્રોધ પામશે તો તમને સર્વેને હણી નાંખશે.’ તે સાંભળીને જનુકુમાર બોલ્યો કે ‘તીર્થની રક્ષા કરવા માટે અમે આ કામ કર્યું છે, માટે હે સર્વેન્દ્ર ! અજ્ઞાનથી થયેલા આ અપરાધને આપ ક્ષમા કરો.' તે સાંભળીને હવે આવું કામ કરશો નહીં.' એમ કહીને સર્વેન્દ્ર સ્વસ્થાને ગયો. ઈન્દ્રના ગયા પછી જનુકુમારે પોતાના ભાઈઓ સાથે વિચાર કર્યો કે “આ ખાઈ પાણી વિના કાળે કરીને ધૂળથી ભરાઈ જશે. માટે તેને ગંગાનદીના જળથી ભરી દઈએ તો ઠીક.” તે વાત સર્વેએ સ્વીકારી. એટલે જસ્નુકુમારે દંડરત્ન વડે ખેંચીને ગંગાનદીનો પ્રવાહ લાવી તે ખાઈમાં નાંખ્યો. તેથી તેના જળ વડે સર્પના ઘરોમાં ફરીથી વિશેષ ઉપદ્રવ થયો. ફરીથી સર્વ દેવોને ક્ષોભ પામેલા જોઈને ક્રોધાયમાન થયેલા જ્વલનપ્રભે તેમના વધને માટે મોટા દૃષ્ટિવિષ સર્પોને મોકલ્યા. તેઓએ બહાર આવીને સગરના પુત્રો સામું વિષની વૃષ્ટિ કરનારી દૃષ્ટિ વડે જોયું કે તરત જ તે સગરના સર્વે પુત્રો ભસ્મીભૂત થઈ ગયા. તે જોઈને શોક કરતા સૈન્યને શાત્ત્વન આપીને મંત્રી બોલ્યા કે ‘હવે શોક કરવાથી સર્યું ! કોઈ પણ ભાવિભાવને ઉલ્લંઘન કરી શકતું નથી.' Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ પછી તે સર્વે સામન્તાદિક સૈન્ય સહિત અયોધ્યા તરફ આવતાં તેમણે વિચાર્યું કે “સ્વામીના સર્વે પુત્રો ભસ્મ થયા અને આપણે અક્ષત શરીરવાળા આવ્યા તે ઘણું જ લજજાસ્પદ છે, તેથી ચક્રીની પાસે આપણાથી આ વાત શી રીતે કહેવાશે ?' એમ વિચારીને તેઓ નિરંતર શોકાતુર રહેતા હતા. તે વૃત્તાંત જાણીને કોઈ એક બ્રાહ્મણે તેમને તે હકીકત પૂછી, એટલે તેઓએ સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને પેલા બ્રાહ્મણે તેમને કહ્યું કે તમારે કાંઈ ફિકર કરવી નહીં, હું રાજાને એ વાત નિવેદન કરીશ.” પછી તે બ્રાહ્મણ કોઈ અનાથ મડદું ઉપાડીને રાજમંદિર પાસે લઈ ગયો. ત્યાં તે શબને મૂકીને મોટે સ્વરે વિલાપ કરવા લાગ્યો. તે સાંભળીને ચક્રીએ તેને રોવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે “મારે આ એક જ પુત્ર છે. તેને મોટો સર્પ ડસ્યો છે. તેથી તે નિશ્રેષ્ટ થઈ ગયો છે. માટે હે દેવ! તમે તેને જીવાડો.” તે સાંભળીને રાજાએ વિષવૈદ્યોને બોલાવી તેનો ઉપાય કરવા ફરમાવ્યું. તેવામાં કોઈ માણસે ત્યાં આવીને કહ્યું કે “જેના ઘરમાં આજ સુધી કોઈ માણસ મરણ પામ્યું ન હોય તેના ઘરમાંથી ભસ્મ લાવો, તો હું આને જીવતો કરું.” તે સાંભળીને રાજાએ આખા નગરમાં સર્વે ઘેર તેની ભસ્મ લાવવાને માટે માણસો મોકલ્યા. તેઓ પાછા આવીને બોલ્યા કે “હે સ્વામી! અમે આખી નગરી જોઈ, પણ જ્યાં કોઈ માણસ મરણ પામ્યું ન હોય એવું એક પણ ઘર મળ્યું નહીંતે સાંભળી ચક્રી પણ બોલ્યા કે “અમારા ઘરમાં પણ ઘણા પૂર્વજો મરણ પામેલા છે, તો સર્વને વિષે સામાન્ય રીતે પ્રવર્તનારું જે મૃત્યુ તેની પ્રાપ્તિથી હે બ્રાહ્મણ ! તું શા માટે ખેદ કરે છે? મરેલા પુત્રનો તું શા માટે શોક કરે છે? શોક તજી દઈને કાંઈક આત્મસાધન કર, કેમકે તું પણ અજરામર નથી.” તે સાંભળી પેલો બ્રાહ્મણ બોલ્યો કે “હે દેવ ! તે સર્વે હું જાણું છું, પણ આ પુત્ર વિના આજે જ મારા કુળનો ક્ષય થશે, માટે તે સ્વામી! કોઈપણ પ્રકારે આને જીવાડીને મને પુત્રભિક્ષા આપો.” રાજા બોલ્યો કે “હે બ્રાહ્મણ ! મંત્ર, તંત્ર તથા શાસ્ત્રોને અગોચર અને અદશ્ય શત્રુરૂપ વિધિના ઉપર કયો પંડિત પુરુષ પણ પરાક્રમ કરી શકે? કોઈ ન કરી શકે, માટે તું શોકને તજી દે.” બ્રાહ્મણ બોલ્યો કે “સ્વામી ! સર્વ વસ્તુનો વિરહ સહન થઈ શકે છે, પણ કુળનો ઉદ્યોત કરનાર પુત્રનો વિરહ કોઈ સહન કરી શકતું નથી.” ચક્રીએ કહ્યું કે “અનન્તા ભવોમાં અનંતા પુત્રો થયા છે. પોતે પણ અનંતીવાર અનંત કુળોમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેમાં કોનું કુળ દીપાવ્યું અને કોનું નહીં ? માટે હે બ્રાહ્મણ ! ફોગટ શા માટે શોક કરે છે? કહ્યું છે કે – अशरण्यमहो विश्वमराजकमनायकम् । यदेतदप्रतीकारं ग्रस्यते यमरक्षसा ॥१॥ ૧. આ બ્રાહ્મણનું રૂપ લઈને આવેલ સૌધર્મેન્દ્ર હતા એમ અન્યત્ર કહેલું છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ૨૩૧ “અહો ! આ વિશ્વ શરણ વિનાનું, રાજા વિનાનું અને નાયક વિનાનું છે. કેમકે જેનો કાંઈ ઉપાય જ નથી, એવી રીતે આ વિશ્વને યમરૂપી રાક્ષસ ગળી જાય છે.” योऽपि धर्मप्रतीकारो, न सोऽपि मरणं प्रति । शुभां गतिं ददानस्तु, प्रतिकर्तेति कीर्त्यते ॥२॥ જે ધર્મરૂપ ઉપાય છે તે પણ મરણનો ઉપાય નથી; પરંતુ તે શુભ ગતિને આપનાર છે માટે તેની પ્રશંસા થાય છે.” તે સાંભળીને બ્રાહ્મણ બોલ્યો કે “હે સ્વામી ! બીજાને દુઃખી જોઈને ઘણા લોકો વૈરાગ્યનું વર્ણન કરે છે, પણ જ્યારે તેવું દુઃખ પોતાને જ પ્રાપ્ત થાય ત્યારે જેનું ચિત્ત સ્થિરતા ન મૂકે તે જ પ્રશસ્ય કહેવાય.” ચક્રીએ કહ્યું કે “જેઓ પોતાનું વચન પાળે નહીં તેઓને માયાવી જ જાણવા.” બ્રાહ્મણ બોલ્યો કે “ત્યારે તે રાજા ! તમારા સાઠ હજાર પુત્રો એક જ સમયે મૃત્યુ પામ્યા છે, માટે તમે પણ શોક કરશો નહીં.” તે સાંભળીને એકદમ બ્રાંતિમાં પડેલો રાજા કાંઈક વિચાર કરે છે, તેટલામાં તો પ્રથમથી સંકેત કરી રાખેલા તે સામન્તાદિકે આવીને સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ચક્રી જાણે વજથી હણાયો હોય તેમ તત્કાળ મૂછ પામીને પૃથ્વી પર પડ્યો. પછી સેવકોના કરેલા અનેક ઉપચારોથી સાવધ થયો છતાં અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યો. ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે “હે સ્વામી ! મને શોક' કરવાનો નિષેધ કરીને અત્યારે આપ જ કેમ શોક કરો છો? વિયોગ કોને દુસહ ન હોય? પરંતુ જેમ વડવાગ્નિને સમુદ્ર સહન કરે છે તેમ ધીર પુરુષ તેવા વિરહના દુઃખને સહન કરે છે. બીજાને શિખામણ આપવી ત્યારે જ શોભે છે કે જ્યારે સમય આવે ત્યારે પોતાના આત્માને પણ શિખામણ આપે.” આ પ્રમાણેના તે બ્રાહ્મણના વાક્યોથી બહુવારે ચક્રીએ પૈર્ય લાવીને તે પુત્રોની ઉર્ધ્વદેહી ક્રિયા કરી. એવા અવસરે અષ્ટાપદ પાસેના પ્રદેશોમાં રહેનારા મનુષ્યોએ આવીને ચક્રીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! આપના પુત્રોએ જે ગંગાનદીનો પ્રવાહ અષ્ટાપદની ખાઈમાં લાવીને નાખ્યો છે તે ખાઈને પૂર્ણ કરીને હવે ગામોને ડૂબાડવા લાગ્યો છે. માટે તેનું નિવારણ કરી અમારું રક્ષણ કરો.” તે સાંભળીને રાજાએ જહૂનુના પુત્ર ભગીરથને તે કાર્ય માટે આજ્ઞા કરી; તેથી ભગીરથે ત્યાં જઈને અઠ્ઠમ તપ કરવા વડે સર્પરાજને પ્રસન્ન કરી તેની આજ્ઞાથી દંડ વડે ખેંચીને તે પ્રવાહને ગંગાનદીમાં પાછો લઈ જઈ પૂર્વ તરફના સમુદ્રમાં ઉતાર્યો. ત્યારથી ગંગા અને સાગરના સંગમનું તે સ્થળ તીર્થરૂપ થયું અને ગંગા નદી પણ જહુનુના લઈ જઈ જવાથી જાહ્નવી અને ભગીરથે તેને સમુદ્રમાં ઉતારી, તેથી ભાગીરથી એવા નામથી પ્રસિદ્ધ થઈ. પછી ભગીરથે પાછા આવીને મોટા ઉત્સવથી અયોધ્યામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ચક્રીએ શત્રુંજયગિરિનો સાતમો ઉદ્ધાર કરી અજિતનાથ સ્વામી પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને બોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામ્યા. ઉ.ભા.૫-૧૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ અન્યદા ભગીરથ રાજાએ શ્રી જિનેશ્વરને પૂછ્યું કે “હે સ્વામી! જનુકુમાર વગેરે સાઠે હજાર ભાઈઓ સર્વે સમાન આયુષ્યવાળા કેમ થયા?” સ્વામીએ કહ્યું કે “પૂર્વે કોઈ મોટો સંઘ યાત્રાને માટે સંમેતાદ્રિ તરફ જતાં માર્ગમાં કોઈ નાના ગામડા પાસે આવ્યો. ત્યાં સાઠ હજાર ચોરો રહેતા હતા. તેમને કોઈ એક કુંભારે ઘણા વાય, તો પણ તેઓએ તે સંઘને લૂંટ્યો. ત્યાંથી સંઘ મહાકષ્ટ આગળ ગયો. તે વખતે એ સાઠ હજાર લુંટારાઓએ એક સાથે નિકાચિત પાપકર્મ બાંધ્યું. - એકદા તે ગામના રહીશ કોઈ ચોરે બીજા ગામમાં જઈને ચોરી કરી. તે ચોરને પગલે પગલે ગામના રક્ષકો તે ચોરના ગામ સુધી આવ્યા. પછી આ ગામમાં બધા ચોર જ વસે છે, એમ નિશ્ચય થવાથી તેમણે તે ગામના દરવાજા બંધ કરીને ચોતરફથી અગ્નિ સળગાવ્યો. તે દિવસે પેલો કુંભાર કાર્ય માટે બીજે ગામ ગયો હતો, તેથી તેના વિના બીજા સર્વે મૃત્યુ પામ્યા. ત્યાંથી મરીને તે સર્વે અરણ્યમાં ચુડેલના ગુચ્છરૂપે ઉત્પન્ન થયા. ત્યાં સર્વે એકત્ર થઈને પડેલા હતા, તેવામાં કોઈ હસ્તીએ આવીને તેમને પગ વડે ચાંપી નાંખ્યા. તેથી મરણ પામીને અનેક કુયોનિમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કર્યું. છેવટે આ ભવના આગલા ભવમાં કાંઈક પુણ્ય ઉપાર્જન કર્યું, તેના પ્રભાવથી તે સાઠ હજાર ચક્રીના પુત્ર થયા. પરંતુ પૂર્વે કરેલા પાપકર્મના કાંઈક અવશેષ રહેવાથી તેઓ એક સાથે જ મરણ પામ્યા. પેલો જે કુંભાર હતો તેનો જીવ અનેક ભવો ફરીને આ તું ભગીરથ થયો છે.” આ પ્રમાણે અનુકુમારાદિનો તથા પોતાનો પૂર્વભવ સાંભળીને ભગીરથે પ્રતિબોધ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે તે સદ્ગતિને પામ્યો. ત્રણ લોકને ભયંકર એવો યમરૂપી રાક્ષસ આ અનાથ જગતને હણવા માટે નિરંતર ઈચ્છા ર્યા કરે છે. તેથી તેના ભયના નિવારણ માટે સર્વદા અશરણભાવના ભાવવી કે જેથી સુખના સ્થાનરૂપ વૈરાગ્યની પ્રાપ્તિ થાય.” ૩૪૪ સંસારની અસારતા संसारासारतां वीक्ष्य, केचित्सुलभबोधिनः । शीघ्रं गृह्णन्ति साम्यत्वं, श्रीदत्तश्रेष्ठिवद्यथा ॥१॥ ભાવાર્થ. “કેટલાએક સુલભબોધી જીવો સંસારની અસારતાને જોઈને શ્રીદત શ્રેષ્ઠિની જેમ તત્કાળ સમતાને ધારણ કરે છે.” તે કથા આ પ્રમાણે :- " ૧. માતૃવાહક નામના બેઈન્દ્રિય જીવો. Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૩૩ શ્રી દત્તશ્રેષ્ઠિની કથા મંદિરપુરમાં સુરકાંત નામે રાજા હતો. તે ગામમાં સોમશ્રેષ્ઠિ નામે નગ૨શેઠ હતો. રાજાનો માનીતો હતો. તેને સોમશ્રી નામની પત્ની હતી. તેનાથી ઉત્પન્ન થયેલો શ્રીદત્ત નામે તેમને પુત્ર હતો. એકદા સોમશ્રેષ્ઠિ પોતાની ભાર્યા સાથે વનમાં ક્રીડા કરવા ગયો હતો. ત્યાં પાછળથી સુરકાંત રાજા પણ આવ્યો. રાજા સોમશ્રીને જોઈને તેના પર આસક્ત થયો. તેથી તેને બળાત્કારથી લઈ જઈને પોતાના અંતઃપુરમાં રાખી. સોમશ્રેષ્ઠિ પ્રિયાના વિરહથી પારાવાર ખેદ પામીને ઘેર આવ્યો. પછી તેણે પ્રધાનમંડળ પાસે તે વૃત્તાંત કહી રાજાને સમજાવવાનું કહ્યું. તે પ્રધાનોએ પણ રાજાને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ રાજાએ માન્યું નહીં. તેથી પ્રધાનોએ આવી શેઠને કહ્યું કે - माता यदि विषं दद्यात्, पिता विक्रयते सुतम् । राजा हरति सर्वस्वं, का तत्र प्रतिवेदना ॥१॥ ભાવાર્થ ઃ- “જ્યારે માતા જ પુત્રને વિષ આપે, પિતા જ તેને વેચે અને રાજા જ સર્વસ્વ હરી લે, ત્યારે તેનો શો ઈલાજ ? કાંઈ નહીં.” પછી શ્રેષિએ ઘેર આવીને પોતાના પુત્રને કહ્યું કે “વત્સ ! આપણા ઘરમાં છ લાખ દ્રવ્ય છે તેમાંથી સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને હું જાઉં છું. તે કોઈ બળવાન રાજાને સેવીને તે રાજાના બળથી તારી માતાને હું છોડાવીશ.” એમ કહીને શ્રેષ્ઠિ તેટલું ધન લઈ કોઈ દિશામાં ચાલ્યો. શ્રીદત્ત ઘરે રહ્યા. તેને કેટલેક કાળે એક પુત્રી થઈ. તે વખતે તેણે વિચાર કર્યો કે “માતા-પિતાનો વિરહ, ધનનો નાશ, પુત્રીનો જન્મ અને ગામનો રાજા વિરુદ્ધ-અહો દૈવ ! અવળું હોય ત્યારે શું શું ન થાય ?” પછી પુત્રી જ્યારે દશ દિવસની થઈ ત્યારે શ્રીદત્ત શંખદત્ત નામના મિત્રની સાથે વેપાર કરવા માટે વહાણમાં બેસીને પરદેશ ચાલ્યો. ક્રમે કરીને બન્ને મિત્રો સિંહલદ્વીપ આવ્યા. ત્યાં નવ વર્ષ સુધી વેપાર કરીને વિશેષ લાભની ઈચ્છાથી તે બન્ને મિત્રો કટાહ્નીપે ગયા. ત્યાં પણ બે વર્ષ રહ્યા. એકંદર આઠ કરોડ દ્રવ્ય ઉપાર્જન કરીને ઘણી જાતનાં કરીયાણાં, હાથી, ઘોડા વગેરે લઈને પોતાના દેશ તરફ ચાલ્યા. માર્ગમાં એક વખત તે બન્ને મિત્રો વહાણની ઉપલી ભૂમિ પર બેઠા બેઠા સમુદ્રની શોભા જોતા હતા, તેવામાં સમુદ્રના જળમાં તરતી એક પેટી તેમણે જોઈ. તે જોઈને બન્ને બોલ્યા કે “આ પેટીમાં જે કાંઈ હોય તે આપણે બન્નેએ વહેંચી લેવું.” પછી તેણે પોતાના સેવકો પાસે તે કઢાવીને ઉઘાડી, તો તેમાં લિંબડાના પાંદડામાં ભારેલી કાંઈક શ્યામ વર્ણવાળી એક અચેતન થઈ ગયેલી કન્યા દીઠી. તેને જોઈને “આ શું ?” એમ સર્વે બોલ્યા. ત્યારે શંખદત્તે કહ્યું કે “ખરેખર આ બાળાને સર્પદંશ થવાથી મરેલી ધારીને કોઈએ પેટીમાં નાંખી, સમુદ્રમાં મૂકી દીધી છે, પણ જુઓ ! હું તેને હમણાં જ જીવતી કરું છું.” એમ કહીને જળ મંત્રીને તેના પર છાંટ્યું કે તરત Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ જ તે કન્યાને ચેતન આવ્યું. પછી તેને ખાન, પાન, સ્નાન અને અંગલેપન વગેરે ઉપચારો કર્યા, એટલે તે સર્વ અંગે સુંદર દેખાવા લાગી. એકદા શંખદત્તે શ્રીદત્તને કહ્યું કે “મેં આને જીવતી કરી છે, માટે હું તેને પરણીશ.” ત્યારે શ્રીદત્ત બોલ્યો કે “એમ બોલ નહીં, એમાં આપણા બન્નેનો ભાગ છે, માટે તું મારી પાસેથી તેનું જે મૂલ્ય થાય તેના અર્ધા નાણા લે. તેને તો હું જ પરણીશ. તેં તો તેને જીવિતદાન આપ્યું છે, માટે તું તો તેના પિતાતુલ્ય થયો.” એ પ્રમાણે તે બન્ને મિત્રો વિવાદ કરવા લાગ્યા. કહ્યું છે કે : હા ! ના નિર્મિતા સેન, સિદ્ધિવિના : 97 यत्र स्खलन्ति ते मूढाः, सुरा अपि नरा अपि ॥१॥ ભાવાર્થ:- “અહો ! મોક્ષની અને સ્વર્ગની અર્ગલારૂપ સ્ત્રીઓને કોણે બનાવી કે જ્યાં દેવતાઓ અને માણસો મૂર્ખ બનીને અલનાને પામે છે?” તે બન્નેનો વિવાદ જોઈને વહાણના માલિકે કહ્યું કે “હે શેઠિયાઓ ! આ વહાણ આજથી બે દિવસે સુવર્ણપુરને કાંઠે પહોંચશે, ત્યાં ડાહ્યા માણસો તમારા વિવાદનો નિર્ણય કરી આપશે, માટે ત્યાં સુધી ઝઘડો બંધ રાખો.” તે સાંભળીને બન્ને જણ મૌન રહ્યા. પછી શ્રીદતે વિચાર્યું કે “આ મારા મિત્રે આ કન્યાને જીવિતદાન આપ્યું છે. માટે લોકો તેને જ તે કન્યા આપવાનું કહેશે, તેથી હું અત્યારથી જ તે કન્યાને મેળવવાનો ઉપાય કરું.” એમ વિચારીને નાવની ઉપલી ભૂમિ પર બેસીને તેણે એકદમ મિત્રને બોલાવ્યો કે “હે મિત્ર! જલદી અહીં આવ, મોટું કૌતુક જોવાનું છે. બે મુખવાળો મત્સ્ય વહાણની નીચે જાય છે.” તે સાંભળીને શંખદત્ત આવીને નીચે જુએ છે, તેટલામાં તેને શ્રીદત્તે સમુદ્રમાં નાંખી દીધો. પછી નાવના લોકોને વિશ્વાસ પમાડવા માટે તે ફોગટનો પોકાર કરવા લાગ્યો. અનુક્રમે તેના વહાણો ક્ષેમકુશળ સુવર્ણપુરે પહોંચ્યા. ત્યાં શ્રીદત્ત તે કન્યાને લઈને રહ્યો. પછી ત્યાંના રાજા પાસે જઈને તેણે મોટી ભેટ કરી, એટલે રાજાએ તેનું ઘણું સન્માન કર્યું. પછી શ્રીદત્ત તે કન્યાની સાથે લગ્ન કરવા માટે સારું મુહૂર્ત શોધવા લાગ્યો. હવે તે હંમેશાં રાજસભામાં જતો હતો; ત્યાં એકદા તેણે રાજાની ચામરધારિણીને જોઈ, એટલે તેના સૌન્દર્યથી મોહ પામીને તેણે કોઈ માણસને તેનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે તે માણસ બોલ્યો કે “આ સુવર્ણરેખા નામની વેશ્યા છે. આ વેશ્યાની સામે એકવાર વાત પણ તે કરી શકે છે કે જે તેને એક સાથે પચાસ હજાર દ્રવ્ય આપે છે.” તે સાંભળીને તેના પર આસક્ત થયેલા શ્રીદત્ત પચાસ હજાર દ્રવ્ય મોકલીને તે સુવર્ણરેખાને પોતાને ત્યાં બોલાવી. પછી પેલી કન્યાને તથા વેશ્યાને બન્નેને એક રથમાં બેસાડીને તે શ્રીદત્ત ક્રિડા કરવા માટે વનમાં ગયો. ત્યાં એક વાનર ઘણી વાનરીઓ સાથે ક્રીડા કરતો કરતો તે વનમાં આવ્યો. તેને જોઈને શ્રીદત્ત બોલ્યો કે : Page #246 -------------------------------------------------------------------------- ________________ • ૨૩૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ nagu धिग्जन्म पशुजन्तूनां, यत्र नास्ति विवेकता । कृत्याकृत्यविभागेन, विना जन्म निरर्थकम् ॥१॥ ભાવાર્થ :- “પશુઓના જન્મને ધિક્કાર છે કે જેનામાં બિલકુલ વિવેક રહેલો નથી. કાર્ય અને અકાર્યના વિવેચન વિના તેનો જન્મ નિરર્થક છે.” અહો ! માતા, બહેન વગેરેના વિવેક રહિત એવો આ પશુઓનો જન્મ શા કામનો ?” તે સાંભળીને ક્રોધાયમાન થયેલ તે વાનર દાંત પીસીને બોલ્યો કે “રે દુરાચારી! તું દૂર સળગતા પર્વતને જુએ છે પણ પગની નીચે રહેલા અગ્નિને જોતો નથી? સૂઈ અને સરસવ જેવડાં પરનાં છિદ્રોને જુએ છે પણ પોતાના મોટાં બીલાં જેવડાં દોષોને જોતો નથી ? અરે અધમમાં પણ અધમ ! મિત્રને સમુદ્રમાં નાખીને ભોગને માટે પોતાની જ માતાને તથા પુત્રીને પડખામાં રાખી બેઠો છે અને મારી નિંદા કરે છે ?” એ પ્રમાણે તે વાનર તેની નિર્ભત્સના કરીને કૂદકા મારતો પોતાના યુથમાં દાખલ થઈ ગયો. શ્રીદત્ત વિચાર કરવા લાગ્યો કે “આ વેશ્યા મારી માતા શી રીતે ? અને આ કન્યા મારી પુત્રી શી રીતે ? તે તો સમુદ્રમાંથી મળી છે અને મારી માતા તો કાંઈક શ્યામ વર્ણવાળી અને શરીરે ઊંચી હતી, અને આ વેશ્યા તો ગૌર વર્ણવાળી અને શરીરે નીચી છે.” એમ વિચારીને તેણે વેશ્યાને પૂછ્યું, ત્યારે તે બોલી કે “અરે શેઠ ! હું તો તમને ઓળખતી એ નથી. પશુના વચનથી તમે કેમ ભ્રાંતિમાં પડો છો ?” તો પણ શ્રીદત્તની શંકા મટી નહીં. તેથી તે વાનરને શોધવા માટે આમતેમ ફરવા લાગ્યો, તેવામાં ત્યાં તેણે એક મુનિને જોયા. તેમને વંદના કરીને શ્રીદત્તે પોતાનો સંદેહ પૂછ્યો, એટલે મુનિ બોલ્યા કે “હું અવધિજ્ઞાનથી જાણું છું તેથી કહું છું કે વાનરે જે કહ્યું છે તે સત્ય છે. પ્રથમ તારી પુત્રીની વાત કહું છું - તું તારી પુત્રીને દશ દિવસની મૂકીને વહાણમાં બેસીને પરદેશ ગયો હતો. ત્યારપછી તારા ગામમાં શત્રુના સૈન્યનો ઉપદ્રવ થયો તે વખતે તારી સ્ત્રી પુત્રીને લઈને ભાગી, તે ગંગાને કિનારે આવેલા સિંહપુરમાં પોતાના ભાઈને ઘેર ગઈ. ત્યાં તે અગિયાર વર્ષ સુધી રહી. એકદા તે કન્યાને સર્પ ડસ્યો. તેની માતાએ તથા મામાએ તેના અનેક ઉપાયો કર્યા, પણ વિષ ઉતર્યું નહીં, તેથી તેને મરેલી ધારીને માતાએ સ્નેહને લીધે એક પેટીમાં નાંખીને ગંગાનદીમાં વહેતી મૂકી. તે પેટી તને મળી; તેથી આ કન્યા તારી પુત્રી છે. હવે તારી માતાનું વૃત્તાંત સાંભળસૂરકાંત રાજાએ તારી માતાને અંતઃપુરમાં રાખી હતી. તેને છોડાવવા માટે તારો પિતા સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને ગુપ્ત રીતે સમર નામના પલ્લીપતિ પાસે જઈ તેની સેવા કરવા લાગ્યો. તેના કહેવાથી પલ્લીપતિએ મોટા સૈન્ય સાથે આવીને તે ગામ ભાંગ્યું. સૂરકાંત રાજા ત્યાંથી નાસી ગયો. પછી તારા પિતાને આગળ કરીને તે પલ્લીપતિ પુરમાં પ્રવેશ કરતો હતો, તેવામાં તારા પિતાના કપાળમાં એક બાણ વાગવાથી તે તરત જ મૃત્યુ પામ્યો. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ૨૩૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ अन्यथा चिंतितं कार्य, दैवेन कृतमन्यथा । वर्षति जलदाः शैले, जलमन्यत्र गच्छति ॥१॥ अन्यथा चिंतितं कार्य, दैवेन कृतमन्यथा । प्रियाकृते हि प्रारंभः, स्वात्मघाताय सोऽभवत् ॥२॥ અન્યથા પ્રકારે ચિંતવેલું કાર્ય દૈવયોગે અન્યથા (વિપરીત) થયું. કેમકે વરસાદ તો પર્વત પર વરસે છે, પણ પાણી અન્ય સ્થાને જતું રહે છે, તેવી જ રીતે જે કાર્ય જુદી રીતે ચિંતવ્યું હતું તે કાર્ય દેવયોગે વિપરીત થયું; કેમકે પ્રિયાને છોડાવવા માટે કરેલો પ્રારંભ પોતાના જ ઘાતને માટે થયો.” પછી તારી માતા કોઈ ભિલ્લના હાથમાં પકડાઈ. ત્યાંથી પણ નાસીને વનમાં ભટકતાં તેણે કોઈ વૃક્ષના ફળનું ભક્ષણ કર્યું. તે ફળના પ્રભાવથી તેનું શરીર કાંઈક નીચું અને ગૌર વર્ણવાળું થયું. “મણિ, મંત્ર તથા ઔષધિનો મહિમા અચિંત્ય છે. ત્યાંથી કોઈ દેશ તરફ વ્યાપારાર્થે જતા કોઈ વણિક લોકોએ તેને જોઈને “આ કોઈ વનદેવતા છે.” એમ ભ્રાંતિ પામીને “તું કોણ છે?” એમ પૂછયું, ત્યારે તે બોલી કે “હું કોઈ દેવી નથી, પણ મનુષ્યાણી છું.” તેથી તે વણિક લોકોએ તેને લઈને સુવર્ણપુરમાં વેચી. તે રૂપવાન હોવાથી વિશ્વમવતી નામની વેશ્યાએ એક લક્ષ દ્રવ્ય આપીને તેને વેચાતી લીધી. પછી તેને નૃત્ય વગેરે શીખવી તેનું સુવર્ણરેખા એવું નામ રાખ્યું. તે ક્રમે કરી રાજાની ચામર વીંઝનારી થઈ. તે આ સુવર્ણરેખા તારી માતા છે. તેણે તને ઓળખ્યો છે, પણ લજ્જાથી તથા લોભથી તેણે પોતાપણું પ્રગટ કર્યું નથી.” તે સાંભળીને શ્રીદત્તે પૂછ્યું કે “હે સ્વામી ! આપનું વચન સત્ય છે, પરંતુ વાનરને આ વાતની ક્યાંથી ખબર?” મુનિએ કહ્યું કે “તારો પિતા તારી માતાના ધ્યાનથી જ મરીને વ્યંતર થયો છે. તેણે અહીં ભમતાં તને તથા સોમશ્રીને જોઈને અકાર્ય કરવા પ્રવૃત્ત થયેલા એવા તને વાનરના શરીરમાં પ્રવેશ કરીને તે કાર્યનો નિષેધ કર્યો છે.” તે સાંભળીને શ્રીદરે વિચાર્યું કે “અહો ! કર્મની કેવી વિષમ ગતિ છે ! ફરીથી મુનિ બોલ્યા કે “તે વ્યંતર ફરીથી પાછો આવીને પૂર્વના મોહને લીધે પોતાની પ્રિયાને લઈ જશે.” તેવામાં તે જ વાનર આવીને સોમશ્રીને ઉપાડી બીજા વનમાં ચાલ્યો ગયો. તે જોઈ શ્રીદત્ત માથું ધૂણાવતો મુનિને નમી કન્યા સહિત સ્વસ્થાને ગયો. અહીં વૃદ્ધ વેશ્યાએ દાસીને પૂછ્યું કે “સુવર્ણરેખા ક્યાં છે?” દાસીએ કહ્યું કે પચાસ હજાર દ્રવ્ય આપીને શ્રીદત્તશ્રેષ્ઠિ તેને લઈ વનમાં ગયો છે.” વૃદ્ધ વેશ્યાએ કહ્યું કે “તેને બોલાવી લાવ.” એટલે દાસીએ આવીને દુકાને બેઠેલાં શ્રીદત્તને પૂછ્યું કે “અમારી સ્વામિની ક્યાં છે?” શ્રીદત્ત બોલ્યો કે “હું જાણતો નથી.” Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૨૩૭ તે સાંભળીને દાસીએ વૃદ્ધ વેશ્યાને તે શ્રીદત્તનું વચન જણાવ્યું. એટલે વૃદ્ધ વેશ્યાએ રાજા પાસે જઈ પોકાર કરીને કહ્યું કે “હે સ્વામી ! હું છેતરાણી છું. શ્રીદત્ત સુવર્ણરેખાને લઈ જઈને ક્યાંક સંતાડી દીધી છે.” તે સાંભળીને રાજાએ શ્રીદત્તને બોલાવીને પૂછ્યું ત્યારે “હું સત્ય વાત કહીશ તો કોઈ માનશે નહીં.” એમ જાણીને તેણે કાંઈપણ જવાબ આપ્યો નહીં. તેથી રાજાએ તેને કારાગૃહમાં નાંખ્યો અને તેની પુત્રીને દાસી કરવાના હેતુથી પોતાને ઘેર રાખી. પછી કારાગૃહમાં રહેલા શ્રીદત્તે વિચાર્યું કે “સત્ય વાત કહેવાથી જ કોઈપણ રીતે હું છૂટી શકીશ.” એમ ધારીને કારાગૃહના રક્ષક દ્વારા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! હું સત્ય વાત કહું છું.” ત્યારે રાજાએ તેને સભામાં બોલાવ્યો. એટલે તેને વાનર ઉપાડી ગયા સંબંધી વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વ જન હસવા લાગ્યા-અહો ! કેવું સત્ય બોલ્યો? કહ્યું છે કે : असंभाव्यं न वक्तव्यं, प्रत्यक्षं यदी दृश्यते । यथा वानरगीतानि, तथा तरति सा शिला ॥१॥ ભાવાર્થ - “જો કે પ્રત્યક્ષ જોયેલ હોય તો પણ અસંભવિત વાત બોલવી નહીં. જેવી રીતે વનમાં વાનરાઓ ગીત ગાય છે એ અસંભવિત હતું, તેમ જળમાં શિલા તરે તે પણ અસંભવિત છે.” આ દાંત અન્ય સ્થળેથી જાણી લેવું. પછી તે સાંભળીને “આ વણિક હજુ પણ સત્ય બોલતો નથી.” એમ ધારીને ક્રોધ પામેલા રાજાએ તેને મારવાનો હુકમ કર્યો એટલે શ્રીદત્તે વિચાર્યું કે “પૂર્વે કરેલા અશુભ કર્મનો ઉદય થયો છે. તો હવે ખેદ કરવાથી શું થાય ?” તે અવસરે ઉદ્યાનપાળે આવીને રાજાએ કહ્યું કે “હે દેવ ! ઉદ્યાનમાં મુનિચંદ્ર કેવળી પધાર્યા છે.” તે સાંભળીને રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. મુનિને વાંદીને રાજાએ દેશનાની યાચના કરી. ત્યારે કેવળી બોલ્યા કે “હે રાજા ! સત્યવાદી શ્રીદત્તને મારવાનો તે હુકમ આપ્યો છે તે તને ધર્મશ્રવણની અભિલાષાવાળાને યોગ્ય નથી.” તે સાંભળીને રાજા લજ્જા પામ્યો. પછી શ્રીદત્તને બોલાવી પોતાની પાસે બેસાડીને રાજા તેનું સ્વરૂપ પૂછતો હતો. તેવામાં તે વાનર સુવર્ણરેખાને પૃષ્ઠ પર રાખીને ત્યાં આવ્યો અને પૃષ્ઠ પરથી તેને ઉતારીને તે સભામાં બેઠો. તે જોઈને સર્વ માણસો આશ્ચર્ય પામી શ્રીદત્તની પ્રશંસા કરવા લાગ્યા. પછી શ્રીદત્તે કેવળીને પૂછયું કે “હે સ્વામી! કયા કર્મને લીધે મને માતા તથા પુત્રી સાથે વિષયની અભિલાષા થઈ?” મુનિ બોલ્યા કે “પૂર્વના સંબંધથી થઈ છે, તે હકીકત સાંભળકાંપિલ્યપુરમાં ચૈત્ર નામનો એક બ્રાહ્મણ હતો. તેને ગૌરી અને ગંગા નામની બે સ્ત્રીઓ હતી તે એકદા મૈત્ર નામના મિત્રની સાથે ભિક્ષાવૃત્તિને માટે કોકણ દેશમાં ગયો. ત્યાં બન્ને મિત્રોએ ઘણું ધન મેળવ્યું. એકદા ચૈત્રને સૂતેલો જોઈને મૈત્રે વિચાર્યું કે “આને હણીને હું સર્વ ધન લઈ લઉં.” Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૩૮ ફરીથી પાછો તેને વિચાર થયો કે “મને વિશ્વાસઘાતીને ધિક્કાર છે !” એમ વિચારીને તે પાછો સ્વસ્થ થયો. પછી બન્ને મિત્રો લોભથી ભમતા ભમતા એક વનમાં પેઠા, તે વનમાં વૈતરણી નદી હતી. તેની ખબર નહીં હોવાથી તે બન્ને તેને ઉતરવા લાગ્યા, એટલે તેમાં બૂડીને મરણ પામ્યા. ત્યાંથી અનેક ભવમાં ભ્રમણ કરીને ચૈત્રનો જીવ તું થયો, અને મૈત્રનો જીવ શંખદત્ત થયો. તે શંખદત્તે પૂર્વભવે તને મારવાનું ધાર્યું હતું. તે કર્મથી તેં તેને આ જન્મમાં સમુદ્રમાં નાખ્યો. ચૈત્રની સ્ત્રીઓ જે ગૌરી અને ગંગા હતી તે પતિના વિયોગથી વૈરાગ્ય પામીને તાપસણી થઈ. એકદા ગૌરીએ અતિ તૃષા લાગવાથી સેવા કરનારી પાસે પાણી માગ્યું. તે વખતે તે દાસીને નિદ્રા આવતી હતી. તેથી આળસને લીધે તેણે ઉત્તર આપ્યો નહીં. ત્યારે ગૌરી ક્રોધથી બોલી કે ‘અરે ! શું તને સાપ કરડ્યો છે કે મરેલા જેવી થઈને ઉત્તર પણ આપતી નથી ?' તે વચન વડે ગૌરીએ દૃઢ પાપકર્મ બાંધ્યું. ગંગાએ પણ એકદા પોતાની કામ કરનારીને કાંઈ કાર્ય માટે મોકલી હતી, તે બહુવારે પાછી આવી ત્યારે ગંગાએ તેને કહ્યું કે “અરે ! આટલી વાર તને કોઈએ બંદીખાને નાંખી હતી ?” એમ બોલતાં તે ગંગાએ પણ દુષ્ટ કર્મ બાંધ્યું. ત્યારપછી એક દિવસ કોઈ વેશ્યાને ઘણા પુરુષો સાથે વિલાસ કરતી જોઈને ગંગાએ વિચાર્યું કે “આ વેશ્યાને ધન્ય છે કે જે ભ્રમરોથી પુષ્પલત્તાની જેમ અનેક કામી પુરુષોથી વીંટાયેલી છે, હું તો મંદભાગી છું કે જેનો પતિ પણ તજીને દૂર દેશ ગયો છે.” આવા વિચારથી તેણે દુષ્ટ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી મરણ પામીને તે બન્ને જ્યોતિષી થઈ. ત્યાંથી ચ્યવીને ગૌરીનો જીવ તારી પુત્રી થયો અને ગંગાનો જીવ તારી માતાપણે ઉત્પન્ન થયો. તેમની સાથે પૂર્વભવે પત્નીનો સંબંધ હોવાથી તને તેના પર કામરાગ ઉત્પન્ન થયો.” આ પ્રમાણેનું સંસારનું સ્વરૂપ સાંભળીને વૈરાગ્ય પામેલો શ્રીદત્ત બોલ્યો કે “હે સ્વામી! મને પાપીને મારા મિત્રનો મેળાપ થશે કે નહીં ?” ગુરુએ કહ્યું કે “ખેદ ન કર, એક ક્ષણવારમાં જ તે અહીં આવશે.” એમ વાતો કરે છે તેવામાં ત્યાં શંખદત્ત આવ્યો. શ્રીદત્તને ત્યાં બેઠેલો જોઈને શંખદત્તની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે જોઈને ગુરુએ શંખદત્તને કહ્યું કે ‘હે ભદ્ર ! કોપ ન કર, કેમકે ક્રોધરૂપી અગ્નિથી ગુણરૂપી રત્નો બળી જાય છે. તે અગ્નિને જે ઉપશમરૂપી જળ વડે બૂઝાવતો નથી તે સેંકડો દુ:ખ સહન કરે છે, દેહરૂપી ઘરમાં ક્રોધરૂપી અગ્નિ પ્રવેશ કરે છે, ત્યારે ત્રણ દોષ (ત્રિદોષ) ઉત્પન્ન કરે છે. પોતાને તપાવે, પરને તપાવે અને પરસાથેના સ્નેહનો નાશ કરે.” તે સાંભળીને શંખદત્ત કાંઈક શાંતચિત્ત થયો. પછી શ્રીદત્તે ઉઠીને તેને પોતાની પાસે બેસાડી કેવળી પ્રત્યે પૂછ્યું કે “આ મારો મિત્ર સમુદ્રમાંથી શી રીતે નીકળીને અહીં આવ્યો ?” ગુરુ બોલ્યા કે “સમુદ્રમાં તેને એક કાષ્ઠનું પાટીયું હાથમાં આવ્યું તેને આધારે તરીને તે સાત દિવસે સારસ્વતનગર પાસે નીકળ્યો. ત્યાં તેને તેનો મામો મળ્યો. તેણે તેને સ્વસ્થ કર્યો. પછી તેણે તેના Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૨૩૯ મામાને “સુવર્ણકૂળ અહીંથી કેટલું દૂર છે?!' એમ પૂછ્યું. ત્યારે તેના મામાએ કહ્યું કે “અહીંથી વિશ યોજન દૂર છે, ત્યાં હાથીઓથી ભરેલાં વહાણો આવ્યાં છે એમ સંભળાય છે. તે સાંભળીને મામાની રજા લઈને તે અહીં આવ્યો, અને અહીં તને જોઈને તેને ક્રોધ ઉત્પન્ન થયો.” આ પ્રમાણે કહીને પછી ગુરુએ શંખદત્તને ફરીથી પૂર્વભવ કહીને બોધ પમાડ્યો. આ પ્રમાણે કેવળીની દેશના સાંભળીને રાજાએ શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. શ્રી દત્તે શંખદત્તની સાથે પોતાને ઘેર જઈને અર્ધ દ્રવ્ય તથા પોતાની પુત્રી તેને આપી અને પોતાનું ધન જિનભવન, બિંબપ્રતિષ્ઠા, જ્ઞાનભક્તિ ઈત્યાદિ સાત ક્ષેત્રમાં ખરચીને મોટા ઉત્સવપૂર્વક કેવળી પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષપદ પ્રાપ્ત કર્યું. ૩૪૫ હુતાશિની પર્વ पर्व हुताशिनीसंज्ञं, लौकिकं पापरूपकम् । हेयं लोकोत्तरधर्मज्ञै-र्भवसंततिवर्धकम् ॥१॥ ભાવાર્થ:- “હુતાશિની (હોળી) નામનું પર્વ લૌકિક અને પાપરૂપ હોવાથી લોકોત્તર ધર્મને જાણનારા ઉત્તમ જીવોએ ભવની પરંપરાને વધારનાર તે પર્વનો ત્યાગ કરવો.” આ અર્થનું સમર્થન કરવા માટે હુતાશિનીનો સંબંધ જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે – હુતાશિની (હોળી)ની કથા આ ભરતક્ષેત્રમાં જયપુર નામનું એક નગર હતું. તેમાં छत्रेषु दंडश्चिकुरेषु बन्धः, शारीषु मारिश्च मदो गजेषु । हारेषु वै छिद्रविलोकनानि, कन्याविवाहे करपीडनं च ॥१॥ છત્રને વિષે જ દંડ હતો, સ્ત્રીઓના કેશપાશને વિષે જ બંધ થતો, ક્રીડાના સોગઠાંને જ “માર' એમ કહેવામાં આવતું, હસ્તીઓને વિષે જ મદ રહેતો, મુક્તાફળના હારને વિષે જ છિદ્ર જોવામાં આવતાં, અને કન્યાના વિવાહમાં જ કરપીડન કરવામાં આવતું (હાથ પકડવામાં આવતો), પણ તે નગરના લોકોમાં દંડ, બંધન, મારી, મદ, છિદ્ર કે કરપીડન હતું નહીં.” તે નગરમાં અનેક ચતુર પુરુષો વસતા હતા. મોટા મોટા શિખરવાળા પ્રાસાદો (મંદિરો) અને મોટા મોટા મહેલો જેમાં હોય તે કાંઈ નગર કહેવાતું નથી, પણ જ્યાં વિદ્વાન લોકો ઘણા રહેતા હોય તે જો કે ગામડું હોય તો પણ નગર કહેવાય છે. તે નગરમાં કોઈ માગણ દેખાતો જ નહીં, છતાં કદાચ કોઈ દેખાતો-તો તે લોકોને પ્રતિબોધ કરવા માટે જ ભમતો હતો. કહ્યું છે કે – Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ द्वारं द्वारमन्तो हि, भिक्षुकाः पात्रपाणयः । कथयन्त्येव लोकानामदत्तफलमीदृशम् ॥१॥ ‘હાથમાં પાત્ર રાખીને ઘેર ઘેર ભટકતા ભિક્ષુકો લોકોને એમ કહે છે કે દાન નહિ દેનારને આવું (અમારા જેવું) ફળ મળે છે.’ તે નગરમાં જયવર્મા નામે રાજા હતો અને તે રાજાને માનવા લાયક મનોરથ નામે શેઠ હતો. તેને લક્ષ્મી નામની સ્ત્રી હતી. તે સ્ત્રીથી શેઠ બહુ સુખી હતો. કહ્યું છે કે - संसारश्रान्तदेहस्य, तिस्रो विश्रामभूमयः । અપત્યું = તત્રં ચ, છતાં સંગતિરેવ ચ ॥ ‘સંસારમાં શ્રાંત થયેલા દેહને (મનુષ્યને) ત્રણ વિશ્રાન્તિના સ્થાનક છે. પુત્ર, સ્ત્રી અને સજ્જનોની સંગતિ.’ તે શ્રેષ્ઠિને ચાર પુત્રો હતા અને એક અનેક દેવોની પૂજાભક્તિ વગેરેથી પ્રાપ્ત થયેલી હોલિકા નામની પુત્રી હતી. તે પુત્રી યુવાવસ્થા પામી ત્યારે તેને તેના પિતાએ કોઈ શ્રેષ્ઠિના પુત્ર સાથે પરણાવી, પરંતુ તેનો સંસાર સંબંધ થયા અગાઉ જ તે શ્રેષ્ઠિપુત્ર વિસૂચિકાના વ્યાધિથી મરણ પામ્યો. પૂર્વ ભવે જિનેશ્વરની આજ્ઞાનું આરાધન કરેલું ન હોવાથી બાલ્યાવસ્થામાં જ હોલિકાને વિધવાપણું પ્રાપ્ત થયું. એ બનાવથી તેના મા-બાપને પણ ઘણું દુઃખ થયું. કહ્યું છે કે - पुत्रश्च मूर्खो विधवा च कन्या, शठं च मित्रं चपलं कलत्रम् । विलासकाले धनहीनता च, विनाग्निना पंच दहन्ति कायम् ॥१॥ ‘મૂર્ખપુત્ર, વિધવા કન્યા, શઠમિત્ર, ચપળ સ્ત્રી અને વિલાસ કરવાને વખતે (યુવાવસ્થામાં) નિર્ધનતા - એ પાંચ અગ્નિ વિના જ મનુષ્યના શરીરને બાળી નાંખે છે.’ બાળવિધવાપણું પ્રાપ્ત થવાના સંબંધમાં કહ્યું છે કે - कुरंडरंडत्तण दोहगाइ, वंज्झत्त निंदू विसकन्नगाइ । जम्मंतरे खंडियबंभधम्मा, नाऊण कुज्जा दढसीलभावं ॥ ‘કુશિયળપણું, બાળવિધવાપણું, દુર્ભાગીપણું, વંધ્યાપણું, 'કાકવંધ્યાપણું અને વિષકન્યાપણું ઈત્યાદિક જન્માંતરમાં બ્રહ્મચર્ય ખંડન કરવાથી પ્રાપ્ત થાય છે, માટે શીલવ્રતમાં દૃઢ ભાવ રાખવો.' ૧. મૃત પુત્રો પ્રસરે તે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૪૧ પછી તે હોલિકાને તેના મા-બાપે પોતાને ઘેર લાવીને રાખી. હોલિકા નિરંતર ઘરની મેડી ઉપર ગોખમાં બેસી રહેતી હતી અને મદોન્મત્તની જેમ કામવ્યથાથી પીડા પામ્યા કરતી હતી. કહ્યું છે કે - बालंरडा तपस्वी च, कीलबद्धश्च घोटकः । અન્ત:પુરાતા નારી, નિત્યં ધ્યાયન્તિ મૈથુનમ્ ॥॥ બાળવિધવા, તાપસી, ખીલે બાંધી રાખેલો અશ્વ અને રાજાના અન્તઃપુરમાં રહેલી સ્ત્રી નિરંતર મૈથુનનું જ ધ્યાન કરે છે.' વળી नर सासरे स्त्री पीहरे, यति कुसंगतवास । नदीतीरे तरु माल कहे, यदि तदि होय विणास ॥२॥ પુરુષ સાસરે રહેવાથી, સ્ત્રી પિયરમાં રહેવાથી, યતિ કુસંગતમાં વસવાથી અને વૃક્ષો નદીને કાંઠે રહેવાથી જ્યારે ત્યારે પણ વિનાશ પામે છે એમ માલ કવિ કહે છે.' શાસ્ત્રમાં કહ્યું છે કે – सीसा य जे संजमजोगजुत्ता, पुत्ता य जे गेहभरे नियुक्त्ता । वियारबुद्धी कुलबालियव्वा, होउण तेसिं उवसंतिमे ॥१॥ ભાવાર્થ :- ‘જેઓ સંયમયોગથી યુક્ત હોય તે જ શિષ્યો કહેવાય છે, જેઓ ગૃહભારમાં જોડાયેલા હોય તે જ પુત્રો કહેવાય છે અને જે સદ્વિચારયુક્ત બુદ્ધિવાળી હોય તે જ કુળબાલિકા કહેવાય છે. તેમને કદિ વિકારબુદ્ધિ થાય છે તો પણ તે ઉપશાંતિને પામે છે.' માટે શિષ્યને, પુત્રને તથા કુળવધૂને પોતપોતાના કાર્યમાં અવલંબન સહિત એટલે જોડાયેલા રાખવા. આ હોલિકા તો તદ્દન આલંબન રહિત બીલકુલ નવરી હતી, તેથી તેના કામવિકાર કેમ વૃદ્ધિ ન પામે ? કહ્યું છે કે - यौवनं धनसंपत्तिः, प्रभुत्वमविवेकिता । एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ॥१॥ " ભાવાર્થ :- ‘યુવાવસ્થા, ધનસંપત્તિ, પ્રભુત્વ (અધિકારીપણું) અને અવિવેકીપણું, આમાંનું એક એક પણ અનર્થકારી છે, તો જ્યાં ચારે ભેગા હોય ત્યાં તો શું કહેવું ?’ એકદા તે હોલિકા પોતાના મહેલના ગોખમાં બેઠી હતી તે વખતે બંગદેશના રાજાનો પુત્ર કામપાલ ક્રીડા માટે જતાં અશ્વ પર બેસીને ત્યાંથી નીકળ્યો. તેને જોઈને તે હોલિકાએ તેના પર કામદેવના બાણરૂપ કટાક્ષ નાંખ્યા, એટલે કામપાળ પણ તેના રૂપથી મોહ પામીને વારંવાર તેની સામું જોવા લાગ્યો. કહ્યું છે કે - Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ दिट्ठि दिट्ठपसरो, पसरेण रइ रईइ सब्भावो । सब्भावेण य नेहो, पंच य बाणा अणंगस्स ॥१॥ ભાવાર્થ :- ‘પ્રથમ જોવું, જોવાથી દૃષ્ટિનો પ્રસાર, દૃષ્ટિપ્રસારથી રતિ, રતિથી સદ્ભાવ અને સદ્ભાવથી સ્નેહ ઉત્પન્ન થાય છે, તે પાંચે કામદેવના બાણો છે. આ પ્રમાણે બન્નેને પરસ્પર સ્નેહ થવાથી પોતપોતાને ઘેર પણ તેઓ પરસ્પરનું ધ્યાન કરવા લાગ્યા. ખાવામાં, ૫હે૨વામાં કે બીજા કોઈ પદાર્થમાં તેઓ પ્રીતિ પામ્યા નહીં. કહ્યું છે કે - हम करजो कोइ, गोरसु नितु नितु इम भणे । નેહ પસારૂં યોય, નિમ નહિઁયડો વિનોહિત શા आइ फिरो सहु कोइ, अणगमतो आठे पुहर । जो मन विसम्यो होइ, सो मुझ किमे न विसरे ॥२॥ -- ભાવાર્થ :- ‘કોઈ પણ સ્નેહ કરશો નહીં.' એમ હંમેશા ગોરસ કહે છે. કેમકે સ્નેહ (માખણ)ના વશથી દહીંને વલોવાવું પડે છે. ૧. ‘અણગમતા માણસો આઠે પહોર ભલે આવે જાય, પણ જેના પર મન વિશ્રામ પામ્યું છે તેમને તે કોઈ રીતે વિસરતું નથી.' ૨. એકદા હોલિકાને તેના પિતાએ પૂછ્યું કે ‘હે પુત્રી ! તું કેમ દુઃખિત, મ્લાન મુખવાળી અને અતિ કૃશ દેખાય છે ?’ તે સાંભળીને તેણે કાંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિતાએ વિચાર્યું કે ‘આ બિચારી બાળવિધવા શું બોલે ? પૂર્વ કર્મના ઉદયથી તે અતિ દુઃખિયારી થઈ છે, કેમકે હજારો ગાયોમાં પણ વાછડા જેમ પોતાની માતાને ઓળખી તેની પાસે જાય છે, તેમ પૂર્વે કરેલું કર્મ પણ તેના કર્તાની પાસે જ જાય છે. તો પણ આ પુત્રીને હું કાંઈક ભણવા વગેરેનું અવલંબન કરી આપું કે જેથી તેના દિવસો નિર્ગમન થાય.' હવે તે નગરમાં એક ચંદ્રરુદ્ર નામે બ્રાહ્મણ રહેતો હતો. તે દ્રવ્યના લોભથી ભાંડચેષ્ટા કરતો હતો, તેથી તે ભાંડના નામે જ ઓળખાતો હતો. તેને ઢુંઢા નામની એક પુત્રી હતી. તે યુવાવસ્થામાં પામી, તો પણ તેને કોઈ બ્રાહ્મણ પરણ્યો નહીં. તેથી ચંદ્રરુદ્રે તેને અચળભૂતિ નામના કોઈ ભાંડ સાથે પરણાવી, એટલે સરખે સરખો યોગ મળ્યો. જુગારીની પુત્રીને ગંઠીચોરનો પુત્ર પરણ્યો. એ જુગતે જુગતી જોડ મળી. જાણે રત્નાકરમાં રત્ન મળી ગયું ! ઊંટના વિવાહમાં ગધેડા ગીત ગાનાર થયા, પછી પરસ્પરના વખાણ કરે. ગધેડા કહે કે ‘અહો ! ઊંટભાઈનું કેવું સુંદર રૂપ છે ?' ત્યારે ઊંટ કહે કે - અહો ! ગધેડાભાઈનું કેવું સુંદર ગાયન છે ?’ હવે તે ઢુંઢા પરણી કે તરત જ પિતાના તથા પતિના બન્નેના કુળનો ક્ષય થયો, તેથી ઉદરનિર્વાહને માટે તે ઢુંઢા પરિવ્રાજિકાનો વેષ ધારણ કરીને કામણ, મારણ, ઉચ્ચાટન વગેરે પાપકર્મથી આજીવિકા કરવા લાગી. - = Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ એકદા તે ઢુંઢા ભિક્ષાને માટે ભ્રમણ કરતી મનોરથશ્રેષ્ઠિને ઘેર ગઈ. શ્રેષ્ઠિએ તેને બેસવા માટે આસન આપી કુશળતા પૂછી. ત્યારે તે ધર્મના અક્ષરો બોલી કે - काला कुशल किम पूछीए, नितु उगते भाण । जरा आवे जोबण खसे, हाणी विहाण विहाण ॥१॥ ભાવાર્થ - “હે કાલા શેઠ! તમે કુશળતા થી પૂછો છો? હંમેશા સૂર્ય ઉગે છે કે યુવાવસ્થા ઘટે છે ને જરાવસ્થા આવે છે, વહાણે વહાણે હાનિ થતી જાય છે ત્યાં કુશળતાની શી વાત ? काया पाटण हंस राजा, पवणु फिरे तलारो । तिण पाटण वसे जोगी, जाणे जोग विचारो ॥२॥ ભાવાર્થ - કાયારૂપી નગર છે, ત્યાં હંસરૂપી રાજા રહે છે, તેમાં પવનરૂપી કોટવાળ ફરે છે, તે નગરમાં એક જોગી વસે છે, તે જોગના વિચારો જાણે છે.” इक खोलडि पंचहिं जण रुंधी, तिह्न सगलहि जूजूइ बुद्धि । कह भाउ सा घरु किम नंदे, जत्थ कुटुंबउ अप्पण छंदइ ॥३॥ ભાવાર્થ:- “એક ઝુંપડી પાંચ જણે સંધી છે. તે પાંચ જણની જૂદી જૂદી બુદ્ધિ છે તો તે ભાઈ ! કહે કે જયાં આખું કુટુંબ સ્વચ્છેદે ચાલે છે તે ઘર શું આનંદ આપે?” जर कुत्तो जोवण ससा, काल आहेडी मित्त । बिहु वयरि विच झुंपडा, कुशल किं पूछे मित्त ॥४॥ ભાવાર્થ :- “હે મિત્ર ! જરારૂપી કૂતરો છે, જોબન (યુવાવસ્થા)રૂપી સસલો છે અને કાળરૂપી આપેડી (શિકારી) છે. તેમાંના બે દુશ્મનની વચ્ચે આ શરીરરૂપી ઝુંપડું રહેલું છે. તેમાં હે મિત્ર ! તમે શી કુશળતા પૂછો છો ?' તેનાં આવાં વચનો સાંભળીને શ્રેષ્ઠિએ વિચાર્યું કે “અહો ! યુવાવસ્થા છતાં પણ આનામાં કેવો વિસ્મય ઉત્પન્ન કરે તેવો વૈરાગ્ય છે?' धातुषु क्षीयमाणेषु, शमः कस्य न जायते । प्रथमे वयसि यः साधुः, स साधुरिति मे मतिः ॥१॥ ભાવાર્થ:- ધાતુઓ ક્ષીણ પામે ત્યારે તો પછી કોને સમતા ન ઉત્પન્ન થાય? સૌને થાય, પણ પ્રથમ વયમાં જે સાધુ (વૈરાગ્યવાન) હોય તે જ ખરો સાધુ, એમ હું તો માનું છું.” પછી શ્રેષ્ટિએ તેને વિનંતી કરી કે હે સ્વામીની ! મારી પુત્રી બાળવિધવા છે, તેને તમે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ધર્મનો અભ્યાસ કરાવો, કે જેથી તેના ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, કેમકે જે માણસ જેવો સંગ કરે તેવો તે સ્વલ્પ કાળમાં થઈ જાય છે. પુષ્પની સાથે રહેવાથી તલ પણ સુગંધી થાય છે અને ચંદનના વનના સંગથી બીજા વૃક્ષો પણ ચંદનરૂપ થઈ જાય છે, માત્ર જેના હૃદયમાં ગાંઠ છે એવા વાંસ જ ચંદનરૂપ થતા નથી.' તે સાંભળીને ઢુંઢા બોલી કે તપસ્વીઓને ગૃહસ્થીઓનો સંગ કરવો ગુણકારી નથી. કહ્યું છે કે - द्वाविमौ पुरुषौ लोके, शिरः शूलकरौ परौ । ગૃહસ્થજી નિાનંવી, સાનંવી ચ યતિમવેત્ ॥ ભાવાર્થ :- ‘ગૃહસ્થ આલંબન રહિત (દરિદ્રી) હોય અને યતિ આલંબન સહિત (માયાવીદ્રવ્યવાન) હોય તો તે બે પુરુષો આ દુનિયામાં અત્યંત મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરનારા છે.’ દંભી માણસોને નકાર (ના કહેવી તે) ગુણકારી છે. કેમકે - मनमांहि भावे मुंड हलावे, नं नं कही कही लोक सुणावे । मनकी बांत कबहु को जाणे, कपट चिह्न ए माल वखाणे ॥ १ ॥ ભાવાર્થ :- ‘મનમાં ગમતું હોય પણ માથું હલાવે, ના ના કહીને લોકોને સમજાવે, પણ મનની વાત કોણ જાણે ? આ પ્રમાણે માલ કવિએ કપટનું ચિહ્ન કહેલું છે.’ પછી ઢુંઢાએ પોતાનો અભિપ્રાય જણાવ્યો કે ‘કૃપણ માણસનો મોટો ધવલ મહેલ હોય તો પણ તે શા કામનો ? પણ જ્યાં પંથીજનોને વિશ્રાંતિ મળતી હોય તેવું ઝૂંપડું ઘણું સારું.' આ પ્રમાણેના તેના નિઃસ્પૃહતાના વચનો સાંભળીને શ્રેષ્ઠિ તેને માનપૂર્વક હોલિકા પાસે લઈ ગયો અને તેને કહ્યું કે ‘હે પુત્રી ! આ તારી ગુરુણી છે. તેની પાસે તું અભ્યાસ કરજે અને તેની સેવા કરજે.’ ત્યારથી આરંભીને તે હોલિકા ઢુંઢા સાથે રહેવા લાગી, પણ મનમાં કામપાળના સંગની ઈચ્છા હોવાથી તે ભણતી નહીં. કહ્યું છે કે ‘જેને કાંઈ સહજ પણ બોધ નથી તેની પાસે ઘણી વાતો કરવાથી પણ શું ? કૂતરાનું પૂછડું નિરંતર નળીમાં રાખ્યું હોય તો પણ તે સરલ થતું નથી.' એકદા ઢુંઢાએ પૂછ્યું કે હે પુત્રી ! તું સદા ઉદ્વિગ્ન કેમ જણાય છે ?’ ત્યારે હોલિકાએ પોતાની સત્ય વાત તેને કહી. તે સાંભળીને ઢુંઢા બોલી કે ‘તું જરા પણ ઉદ્વેગ કરીશ નહીં. હું તારું કામ થોડા કાળમાં જ સિદ્ધ કરી આપીશ.' એમ કહીને ઢુંઢાએ કામપાળને ઘેર જઈને તેને કહ્યું કે ‘તમારા ચિત્તને હરણ કરનારી હોલિકાને તમારો સંબંધ નહિ થાય તો તમારા વિરહની પીડાથી તે મરણ પામશે.’ તે સાંભળીને કામપાળ બોલ્યો કે ‘અમારા બન્નેનો મેળાપ કયે સ્થાને થાય ?’ તે બોલી કે ‘સૂર્યના મંદિરમાં તમારે આવવું, ત્યાં તે પણ આવશે.’ તે સાંભળીને કામપાળ હર્ષ પામ્યો, પણ તે મૂર્ખ વિચાર ન કર્યો કે પરસ્ત્રી સાથે પ્રેમ રાખતાં કેટલી મુદત ક્ષેમકુશળ રહેશે ? કેમકે સાપને સાથરે સુનારને ક્યાં સુધી ક્ષેમ રહે ? પરસ્ત્રીના પ્રેમથી જ તોરણ સહિત લંકાનગરી બળી ગઈ, અને વનો શ્યામવર્ણ થઈ ગયાં. માટે પરસ્ત્રી સાથે પ્રેમ કરનારના શિર ઉપર કાન જ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ નથી એમ જાણવું. પછી કામપાળે પોતાનું કાર્ય સાધવા માટે તે સુંઢાને સન્માનપૂર્વક વિદાય કરી. કહ્યું છે કે – सत सायर मि फर्या, जंबूदीव पइट्ठ । कारण विणु जो नेहडो, सो में कहीं न दी ॥१॥ ભાવાર્થ:- “જબૂદ્વીપની પ્રદક્ષિણા દેતો દેતો સાત સાગર હું ફર્યો પણ કારણ વિનાનો સ્નેહ મેં કોઈ ઠેકાણે જોયો નહીં.” પછી ઢંઢાએ હોલિકા પાસે આવીને સર્વ વૃત્તાંત તેને કહ્યો. પ્રાતઃકાળે સૂર્યની પૂજા માટે સર્વ સામગ્રી લઈને તે હોલિકા ઢંઢા ગુણી સાથે સૂર્યના ચૈત્યે ગઈ. ત્યાં કામપાળ પણ આવ્યો. પછી ઘણા દિવસની વિરહપીડાને લીધે તે કામપાળે તેને ગાઢ આલિંગન કર્યું, ત્યારે તે માયાવી હોલિકા મનમાં કાંઈક વિચાર કરીને પોકાર કરવા લાગી કે “હે લોકો ! દોડો, દોડો, આ પરસ્ત્રીના શીલવતને ભંગ કરનાર લુબ્ધ પુરુષને પકડો, પકડો.” એમ મોટેથી બૂમ પાડવા લાગી. કહ્યું છે કે - नामतं न विषं किंचिदेकां मक्त्वा नितंबिनीम् । सैवामृतलता रक्ता, विरक्ता विषवल्लरी ॥१॥ ભાવાર્થઃ- “એક સ્ત્રી સિવાય બીજું કાંઈ પણ અમૃત નથી કે વિષ પણ નથી, તે સ્ત્રી જ જો રક્ત હોય તો અમૃતલતા છે, અને વિરક્ત હોય તો તે જ વિષલતા છે.” હોલિકાની બૂમ સાંભળીને તેનો પિતા દોડી આવ્યો, અને તેણે કામપાળને પૂછ્યું કે “અરે ! કેમ તું પરસ્ત્રીના કંઠમાં વળગી પડ્યો?” તે સાંભળીને મહાપૂર્તિ કામપાળે કહ્યું કે “મારી સ્ત્રી તમારી પુત્રીના જેવી જ છે, તેથી મેં જાણ્યું કે “આ મારી સ્ત્રી છે' એમ ધારીને મેં તેને આલિંગન કર્યું.' એમ કહીને તે કામપાળ જતો રહ્યો. પછી હોલિકાએ પોતાના માતાપિતાને કહ્યું કે “અહો ! સતી સ્ત્રીઓમાં પ્રધાન એવી મને પરપુરુષનો સ્પર્શ થયો, તેથી હું દુષિત થઈ. માટે હવે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. મારું જીવિત હવે અધન્ય છે. તેથી અહીં જ આ સૂર્ય ચૈત્યની પાસે જ આ દેહને ભસ્મસાત્ કરીશ.” रोयंति रुयावंति य, अलियं जंपति पत्तियावंती । कवडेण खयंति विसं, मरंति नवि देंति सब्भावं ॥१॥ ભાવાર્થ:- “પતિવ્રતાનો ડોળ રાખતી કુલટા સ્ત્રીઓ પોતે રુએ છે, બીજાને રોવરાવે છે, અસત્ય બોલે છે, વિશ્વાસ પમાડે છે, કપટથી વિષ ખાય છે અને છેવટ મરી પણ જાય છે, પરંતુ પોતાનો સદ્ભાવ (ખરી વાત) કોઈને જણાવતી નથી.' Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ હોલિકાનાં આવા વચનો સાંભળીને તેના માતપિતાએ શિખામણ દીધી કે હે પુત્રી ! તું કેમ બહુ આગ્રહ કરે છે? તેણે અજાણતાં ભ્રાંતિથી તારો સ્પર્શ કર્યો છે, તેથી નિર્વિકારીને દોષ લાગતો નથી. કહ્યું છે કે – गृह्णाति दन्तैः शिशुमाखुमोतुः पद्मं च वंशं दशति द्विरेफः । भार्यां सुतां श्लिष्यति वै मनुष्यस्तत्रापि नित्यं मनसः प्रमाणम् ॥१॥ ભાવાર્થ:- બિલાડી પોતાના દાંત વડે પોતાના બચ્ચાને પકડે છે તથા ઊંદરને પણ પકડે છે, ભમરો કમળને ડિસે છે તથા વાંસને પણ ડસે છે અને પુરુષ પોતાની સ્ત્રીને આલિંગન કરે છે તથા પુત્રીને પણ આશ્લેષે છે, પરંતુ તે સર્વમાં મન જ પ્રમાણ છે.” ઈત્યાદિ ઉપદેશ આપી તેને સમજાવીને તેનો પિતા તેને ઘેર તેડી ગયો. આ વૃત્તાંત જાહેરમાં આવવાથી લોકોમાં તે હોલિકા મહાસતીના નામથી પ્રખ્યાત થઈ. પછી તે પ્રાતઃકાળે, સાયંકાળે, રાત્રીએ, ગમે તે વખતે સ્વેચ્છાથી જ ઢુંઢાને છેતરી તેને સાથે રાખ્યા વિના સૂર્યચૈત્યમાં જવા લાગી. કહ્યું છે કે - यात्रा-जागर-दूरवारिभरणं मातुर्गृहेऽवस्थितिवस्त्रार्थ-रजकोपसर्पणमपि स्याच्चर्चिकामेलनम् । स्थानभ्रंश-सखीनिवासगमनं भर्तुः प्रवासादिका, व्यापाराः खलु शीलखंडनकराः प्रायः सतीनामपि ॥१॥ ભાવાર્થ:- “એકલા યાત્રાએ જવું, બીજી સ્ત્રીઓની સાથે જાગરણ કરવું, દૂર પાણી ભરવા જવું, માને ઘેર (પિયર) વધારે રહેવું, લુગડાં લેવા દેવા માટે ધોબીને ઘેર જવું, ગરબે રમવા જવું, સ્થાનથી ભ્રષ્ટ થવું (પારકે ઘેર જવું), સખીના નિવાસમાં જવું અને પતિનું પરદેશગમન થવું, ઈત્યાદિ વ્યાપારી સતી સ્ત્રીઓને પણ પ્રાયે શીલખંડન કરનારા થાય છે.” એકદા ફાગણ માસની પૂર્ણિમાની રાત્રિએ હોલિકા સૂર્યના ચૈત્યમાં ગઈ. ત્યાં કામપાળ પણ આવ્યો હતો. બંને જણ ક્રીડા કરતા સતા સુખે બેઠા હતા. ઢુંઢા તાપસી ચૈત્યની પાસેની પર્ણકુટીમાં સૂતી હતી. તે વખતે તે બન્નેએ વિચાર કર્યો કે “આપણું કાર્ય તો સિદ્ધ થયું, પણ આ ઢુંઢા આપણો સર્વ મર્મ જાણે છે. તેથી તે કોઇવાર આપણને દુઃખદાયી થશે, માટે તેને મારી નાંખવા યોગ્ય છે. કહ્યું છે કે - उपाध्यायश्च वैद्यश्च, नर्तक्यश्च परस्त्रियः । सूतिका दूतिका चैव, सिद्धे कार्ये तृणोपमाः ॥१॥ ભાવાર્થ - “ઉપાધ્યાય (મહેતાજી), વૈદ્ય, નૃત્ય કરનારી, પરસ્ત્રી, સૂતિકા (સુયાણી) અને દૂતી (સંદેશો લઈ જનારી) એ બધાં કાર્ય સિદ્ધ થયા પછી તૃણ સમાન છે.” Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ मंत्रबीजमिदं पक्वं, रक्षणीयं यथा तथा । मनागपि न भिद्येत, तद्भिनं न प्ररोहति ॥२॥ ભાવાર્થ:- “આ મંત્રરૂપી પરિપક્વ બીજનું એવી રીતે રક્ષણ કરવું કે તે જરા પણ ભેદાય નહીં, કેમકે ભેદ પામવાથી તે ઉગતું નથી.” सुगुप्तस्यापि दंभस्य, ब्रह्माप्यन्तं न गच्छति । कोलिको विष्णुरूपेण, राजकन्यां निषेवते ॥३॥ ભાવાર્થઃ- “સારી રીતે છુપાવેલા દંભનો પાર બ્રહ્મા પણ પામી શકતા નથી. જુઓ એક કોળી વિષ્ણુનું રૂપ ધારણ કરીને રાજકન્યા ભોગવતો હતો.” આ દષ્ટાંત પંચતંત્રાદિકથી જાણી લેવાં. પછી હોલિકાએ તે પર્ણકુટીની ફરતાં કાષ્ઠ વગેરે ગોઠવીને તેમાં એક મનુષ્યનું શબ નાંખીને ઢંઢા સહિત તે ઝુંપડી બાળી દીધી. પછી હોલિકા તથા કામપાળ ત્યાંથી નાસી દેશાત્તર ગયા. રાગાતુર થયેલી પાપી નારી શું નથી કરતી? કહ્યું છે કે – मारइ पियभत्तारं, हणइ सुयं तह पणासए अत्थं । नियगेहंपि पलिवइ, नारी रागाउरा पावा ॥१॥ ભાવાર્થ:- “પોતાના પ્રિય ભત્તરને મારે છે, પુત્રને હણે છે, દ્રવ્યનો નાશ કરે છે, અને પોતાના ઘરને પણ બાળી મૂકે છે. રાગાતુર પાપી સ્ત્રી એટલા વાનાં કરે છે.” પછી પ્રાતઃકાળે તે ચૈત્ય પાસેની ઝુંપડી બળેલી જોઈને લોકો પરસ્પર પૂછવા લાગ્યા કે “અરે ! આ શું થયું?” તેવામાં ભદ્રક મનોરથશ્રેષ્ઠિ પોતાના ઘરમાં ઢંઢા તાપસીને તથા હોલિકાને નહિ જોવાથી ખેદ પામીને બોલ્યો કે “જરૂર એક ચિતામાં એ બન્ને જણી બળી મરી. પ્રથમ મેં મહાપ્રયત્ને તેને અગ્નિપ્રવેશ કરતાં અટકાવી હતી, પરંતુ પોતાના પાપની નિવૃત્તિ માટે તેણે પોતાનું સતીપણું સત્ય કરી બતાવ્યું. તાપસી પણ તેની સાથેના સ્નેહને લીધે બળી મુઈ.” તે સાંભળીને – “અહો ! આ હોલિકા સતીની ભસ્મ મહાપવિત્ર છે, તેનું અંગ પર વિલેપન કર્યાથી જરૂર સર્વ દુઃખનો નાશ થશે.” એમ બોલતા લોકો તેની ચિતાને પગે લાગવા લાગ્યા અને તેની ભસ્મ લઈને માથે ચઢાવવા લાગ્યા. ત્યારપછી દર વર્ષે ફાલ્ગન શુદિ પૂર્ણિમાની રાત્રિએ તે સ્થાને સર્વ લોકો ઈન્ધન, છાણા વગેરેનો ઢગલો કરીને હુતાશિની સળગાવવા લાગ્યા. એ પ્રમાણે સર્વત્ર હોળીનું પર્વ પ્રખ્યાત થયું. એકદા કામપાળે હોલિકાને કહ્યું કે “ધન વિના મનોરથ પૂર્ણ થતા નથી; માટે હું દ્રવ્યને માટે પરદેશ જાઉં.” તે સાંભળીને હોલિકા બોલી કે “હે સ્વામી! તમારે માટે મેં જાતિ-કુળાદિકનો ૧. ગુપ્ત હકીકત-છાનું કરેલું કાર્ય. ઉ.ભા.-૫-૧૦, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮, ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ત્યાગ કર્યો છે. તમારો વિરહ એક ક્ષણ પણ હું સહન કરી શકું તેમ નથી.” તે સાંભળીને કામ પાળે મોહને લીધે તેનું વચન સત્ય માન્યું અને જવાનો વિચાર બંધ રાખ્યો; કેમકે “લીલાવાળી સ્ત્રીઓના સ્વાભાવિક વિલાસો પણ મૂઢ પુરુષના હૃદયમાં સ્ફરસાયમાન થયા કરે છે. કમળ ઉપર સ્વાભાવિક રાગ હોવાથી ત્યાં ભમરાઓ વૃથા ભ્રમણ કર્યા કરે છે.” અન્યદા હોલિકાએ કહ્યું કે “હે પ્રિય ! મેં સર્વ વિચાર કર્યો, પણ મારા પિતાના ઘર સિવાય બીજો કોઈ સ્થાને ધનનો લાભ જણાતો નથી.” ત્યારે કામપાળ બોલ્યો કે “આપણે મોટું અકાર્ય કરીને નીકળી ગયા, તેથી હવે પાછું ત્યાં શી રીતે જવાય ?” તે બોલી કે “હું એવી દંભરચના કરીશ કે જેથી પિતા વગેરે સર્વજનો અનુકૂળ થશે. આપણે નીકળ્યા પછી તે ગામમાં મહાપૂજ્ય અને માન્ય એવું હોલીનું પર્વ લોકોમાં પ્રસર્યું છે, માટે ત્યાં જ જવું યોગ્ય છે.” એમ વિચારીને તે બન્ને જયપુર ગામની નજીક આવ્યા. પછી હોલિકાએ કામપાળને કહ્યું કે “તમે મારા બાપની દુકાને જઈને એમ કહો કે “હે શેઠ! મારી સ્ત્રીને માટે એક સાડી મૂલ્ય લઈને આપો.” તે સાંભળીને કામપાળ મનોરથ શેઠની દુકાને જઈને તેની પાસેથી મૂલ્ય આપીને એક સાડી લઈ હોલિકા પાસે આવ્યો. તે સાડી જોઈને હોલિકાએ કહ્યું કે “આવી સાડી શું કામની? બીજી સારી લઈ આવો.” એટલે કામપાળે ફરીથી જઈને બીજી સાડી લાવી બતાવી, તે સાડી પણ હોલિકાએ પાછી મોકલી. ત્યારે મનોરથ શેઠે કહ્યું કે “તમે વારંવાર જાવ-આવ કરો છો તે કરતાં તમારી સ્ત્રીને જ અહીં લાવો, એટલે તેને ગમે તેવી સાડી લઈ લે.” તે સાંભળીને કામપાળે હોલિકાને જઈને તે શેઠને વાક્ય કહ્યું, એટલે તરત જ હોલિકા શેઠને હાટે ગઈ. ત્યાં તે બીજી બીજી સાડીઓ જોવા લાગી. તે વખતે શેઠ અનિમેષ દૃષ્ટિએ તે હોલિકાની સામું વારંવાર જોવા લાગ્યો. એટલે પ્રથમથી શિખવી રાખ્યા પ્રમાણે કામપાળ બોલ્યો કે “હે શેઠ! તમે સુપાત્ર થઈને પરસ્ત્રીના સામું કેમ જોયા કરો છો ?” શેઠે કહ્યું કે “હું કામના વિકારથી જોતો નથી, પણ મારી પુત્રીના જેવું આનું રૂપ લાવણ્ય જોઈને મને વિચાર થયો કે શું તે જ મારી પુત્રી ફરીથી મનુષ્યરૂપે અહીં આવી છે? કેમકે તે તો અગ્નિમાં પ્રવેશ કરીને સતી થઈ છે.” કામપાળ બોલ્યો કે “આ સ્ત્રીનું નામ પણ હોલિકા જ છે પણ આ તો મારી પત્ની છે.” આ પ્રમાણેના ભ્રમથી જ પૂર્વે મેં પણ સૂર્યચૈત્યમાં મારી પત્ની ધારીને તમારી પુત્રીને આલિંગન કર્યું હતું. આજે તમને પણ મારી પત્ની ઉપર પોતાની પુત્રીનો ભ્રમ થયો, પણ સરખાં રૂપ-લાવણ્યવાળાં ઘણા સ્ત્રી-પુરુષો આ દુનિયામાં હોય છે, તેમાં તમારો કાંઈ દોષ નથી,” તે સાંભળીને શેઠે સ્નેહથી તે બન્નેને પુત્રી તથા જમાઈ કરીને ઘેર રાખ્યા. અહો ! સ્ત્રીઓની ગૂઢમતિ હોય છે ! કહ્યું છે કે लब्भइ वारिहि पारं, लब्भइ पारं च सव्वसत्थाणं । महिलाचरियाणं पुणो, पारं न लहेइ बंभा वि ॥१॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૪૯ ભાવાર્થ :- “સમુદ્રનો પાર પામી શકાય, તથા સર્વ શાસ્ત્રોનો પાર પણ પામી શકાય, પરંતુ સ્ત્રીચરિત્રના પારને બ્રહ્મા પણ પામી શકતા નથી.” હવે પેલી ઢંઢા તાપસી કે જે પર્ણકુટિમાં બળી ગઈ હતી તે શુભ અધ્યવસાયે મરીને વ્યંતર જાતિમાં દેવી થઈ હતી. તેણે વિર્ભાગજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને જયપુરના લોકો ઉપર કોપ કરીને વિચાર્યું કે “અહો ! આ લોકો મહા અસતી અને જીવતી હોલિકાને પૂજે છે અને તેની સ્તુતિ કરે છે, પણ મને તો કોઈ સંભારતું પણ નથી.” એમ વિચારીને તે ગામ ઉપર એક મોટી શીલા વિકર્વીને તે બોલી કે “મને સંતોષ આપનાર એક મનોરથશ્રેષ્ઠિ વિના બીજા સર્વને હમણાં જ આ શીલાથી ચૂર્ણ કરી નાંખીશ.” તે સાંભળીને રાજા વગેરે સર્વ લોક મનોરથશ્રેષ્ઠિને શરણે ગયા, ત્યારે તે શ્રેષ્ટિએ પૂજા બલિદાન વગેરે કરીને કહ્યું કે “દેવ કે દાનવ જે કોઈ હોય તે પ્રગટ થઈને જે ઈચ્છા હોય તે કહો, અમે નગરના સર્વ લોકો તે પ્રમાણે કરશું.” તે સાંભળીને સૂંઢા વ્યંતરી પૂર્વનો સર્વ વૃત્તાંત કહીને બોલી કે “હોળીનું પર્વ આવે ત્યારે સર્વ પૌરજનો ભાંડચેષ્ટા કરે; પરસ્પર ગાળો દે, ધૂળ ઉછાળે, શરીરે કાદવ ચોળે ઈત્યાદિ કરે તો આ ઉપદ્રવ હું શાંત કરું.” તે સાંભળીને લોકોએ તે પ્રમાણે અંગીકાર કર્યું. ત્યારથી ધૂળેટીનું પર્વ સર્વત્ર પ્રસર્યું. “લોક ગાડરિયા પ્રવાહ જેવો છે, તે પરમાર્થને સમજતો નથી.” અહીં ઉપદેશવચન આ પ્રમાણેના ધારી રાખવા કે “એક અસંબંધ વાક્ય બોલવાથી, ગાળી પ્રદાનાદિ કરવાથી જીવ અનેક ભવમાં ભોગવવું પડે તેવું પાપકર્મ બાંધે છે, માટે અશુભ પ્રલાપનો ત્યાગ કરીને દ્રવ્યથી હુતાશિની પર્વને સર્વથા તજવું અને ભાવથી બુદ્ધિપૂર્વક શુભ વાક્યને અંગીકાર કરવું. સ્વપરને હિતકારી વાક્યો બોલવાં.” “દુષ્ટ વાક્યના વિસ્તારવાળું, મિથ્યાત્વથી ભરેલું અને સંસારસાગરમાં ડુબાવનારું આ હોળી અને રજનું લૌકિક પર્વ શ્રી જિનેન્દ્ર આગમના તત્ત્વની ઈચ્છાવાળા લોકોએ અવશ્ય ત્યાગ કરવું.” ૩૪૬ યશોભદ્રસૂરિ અને બલભદ્રમુનિ तपस्वी रूपवान् धीरः, कुलीनः शीलदाढययुक् । षट्त्रिंशद्गुणाड्योऽभुज्छ्रीयशोभद्रसूरिराट् ॥१॥ ભાવાર્થ :- “તપસ્વી રૂપવાનું, ધીર અને કુલીન અને શીલ પાળવામાં દઢતાવાળા શ્રી યશોભદ્રસૂરિ આચાર્યના છત્રીશ ગુણોથી યુક્ત થયા.” તેની કથા આ પ્રમાણે - Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ યશોભદ્રસૂરિની કથા પલ્લીપુરીમાં જ્યારે શ્રી યશોભદ્રમુનિને આચાર્યપદવી મળી, તે વખતે તેણે જીવિત પર્યંત હમેશાં આઠ કવળ વડે જ આયંબિલ કરવાનો અભિગ્રહ લીધો. એવો નિયમ ધારણ કરીને ઈર્યાસમિતિપૂર્વક માર્ગમાં વિચરતા તે સૂરિને એક મહિમાવાળી સૂર્યની પ્રતિમાએ જોઈને મનમાં વિચાર્યું કે “અહો ! આ સૂરિ જો મારા ભવનમાં પધારે તો મારો જન્મ સફળ થાય.” એમ વિચારીને સૂર્ય આકાશમાં વાદળાં વિકુર્તીને જળની વૃષ્ટિ કરવા માંડી. તે વખતે ‘મારાથી અપ્લાયની વિરાધના ન થાઓ.' એમ ધારીને સૂરિએ સમીપ હોવાથી તે સૂર્યના જ ચૈત્યમાં પ્રવેશ કર્યો. તે સૂરિના તપના પ્રભાવથી સૂર્યે પ્રત્યક્ષ થઈને વરદાન માગવાનું કહ્યું, કેમકે દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી; તો પણ ઈચ્છારહિત સૂરિ કાંઈપણ માગ્યા વિના જ પોતાના ઉપાશ્રયે ગયા. ત્યારે સૂર્યે બ્રાહ્મણનું રૂપ લઈને સ્વર્ગ-નરકાદિકમાં રહેલા સર્વ જીવોને જોઈ શકાય તેવી એક અંજનની શીશી તથા એક દિવ્ય પુસ્તક સૂરિને આપ્યું. તે પુસ્તક માત્ર વાંચવાથી સૂરિને સર્વ વિદ્યાઓ પાઠસિદ્ધ થઈ ગઈ. પછી ‘આ વિદ્યાઓ પાશ્ચાત્ય મુનિઓને અયોગ્ય છે' એમ વિચારીને સૂરિએ પોતાના શિષ્ય બલભદ્રમુનિને બોલાવીને કહ્યું કે ‘આ પુસ્તકને ઉઘાડ્યા વિના જ એમ ને એમ સૂર્યના ચૈત્યમાં જઈને તેને આપી આવ. કહેજે કે મારા ગુરુને તમે જે થાપણ આપી હતી તે પાછી લ્યો.’ એ પ્રમાણે કહીને ગુરુએ બલભદ્રમુનિને મોકલ્યા. ગુરુએ તે પુસ્તક ઉઘાડવાની સખત મના કરી હતી, તો પણ તેણે ત્યાં જઈને ચૈત્યની બહાર તે પોથી છોડીને તેમાંથી મંત્રોની આમ્નાયના ત્રણ પાના ચોરીને ગુપ્ત રાખ્યાં. પછી ચૈત્યમાં જઈને સૂર્યની પ્રતિમાને ગુરુનું વચન કહી તે પુસ્તક આપ્યું. એટલે તે પ્રતિમાએ પણ હાથ લાંબો કરીને તે લઈ લીધું. પછી બળભદ્રમુનિ ચૈત્યની બહાર આવીને જુએ છે તો સંતાડેલાં પાના જોયાં નહીં; તેથી તે પોતાના આત્માને ઉપાલંભ દેવા લાગ્યાં કે “મને ધિક્કાર છે, કેમકે મેં ગુરુની આજ્ઞા ઉલ્લંઘી અને સંતાડેલા પત્ર પણ કોણ જાણે ક્યાં ગયાં?” એમ ખેદ કરતાં તેના નેત્રોમાં અશ્રુ ભરાઈ ગયા. તે જોઈને સૂર્યે તેને કહ્યું કે “હે મુનિ! શા માટે ખેદ કરો છો ? લ્યો આ ત્રણ પત્રો, તે વડે શાસનની ઉન્નતિ વધારજો.' તે લઈને તેણે તે ત્રણ પત્રોમાં રહેલી વિદ્યાને પાઠમાત્રથી જ સિદ્ધ કરી લીધી. એકદા ગુરુ બહિર્ભૂમિ (સ્થંડિલ) ગયા હતા અને પ્રાસુક જળને તેને માટે રહેલા કાળથી કાંઈક અધિક કાળ સુધી પ્રાસુક રાખવા માટે બકરાની લીંડીઓ આણી રાખેલી પાસે પડી હતી. તે વખતે બલભદ્રમુનિએ ભૂલી ન જવાય તેટલા માટે સંજીવની વિદ્યાની આવૃત્તિ કરી. તે વિદ્યાના પ્રભાવથી જેટલી લીંડીઓ હતી તેટલા બકરા-બકરીઓ થઈ ગયાં; તેવામાં ગુરુ બહિર્ભૂમિથી આવ્યા. ઉપાશ્રયમાં બકરાંઓનો ધૂત્કાર શબ્દ સાંભળીને ગુરુએ બળભદ્ર મુનિને ઉપાલંભ આપ્યો. ત્યારે તે મુનિએ કહ્યું કે “હે ગુરુ ! થયું ન થયું થવાનું નથી. હવે હું શું કરું ? આપ આજ્ઞા આપો.” Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫__ ૩૫૧ ગુરુ બોલ્યા કે “જીવરક્ષાને માટે અજાપાળ (ગોવાળ)નું સ્વરૂપ ધારણ કરીને તથા સાધુવેષને ગુપ્ત કરીને બે વાડા ભિન્ન ભિન્ન કરી એકમાં બકરીઓ અને એકમાં બકરાંઓ રાખવાં. તેમની સંતતિની વૃદ્ધિ ન થવા દેવા માટે બકરાં તથા બકરીનો મેળાપ થવા દેવો નહીં. તેઓને ભક્ષણ પણ અચિત્ત આપવું. આ પ્રમાણે તે સર્વ જીવે ત્યાં સુધી યત્નથી તેમનું રક્ષણ કરવું.” આ પ્રમાણે તે બકરાની રક્ષાનો ઉપદેશ કરીને સૂરિએ અન્ય સ્થાને વિહાર કર્યો.. પછી બલભદ્રમુનિ ગુરુમહારાજની આજ્ઞાનો સ્વીકાર કરીને કોઈ ગિરિની ગુફામાં રહી અવ્યક્ત વેષે બકરાના ટોળાને ઔષધિ (સુકું ઘાસ) ચરાવવા લાગ્યા અને તેની લીંડીઓ વડે હોમ કરવા લાગ્યા. ત્યાં અનુક્રમે તેણે ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી. એકદા રૈવતગિરિનું તીર્થ બૌદ્ધ લોકોએ દબાવ્યું અને રાયખેંગાર રાજાને તથા તેની રાણીને તેઓએ પોતાના ઉપાસક બૌદ્ધધર્મી કર્યા; તેથી એવું થયું કે શ્વેતાંબરોનો તે તીર્થમાં પ્રવેશ પણ બંધ થયો. એકદા ત્યાં શ્વેતાંબરના ચોરાશી સંઘો એકઠા થયા. તેમણે દર્શન કરવા જવાની માગણી કરી, તે વખતે રાજાએ આજ્ઞા કરી કે “બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીને વંદન કરવા જાઓ.” તે સાંભળીને સર્વ અત્યંત ખેદ પામ્યા. પછી કોઈ કન્યાના દેહમાં અંબાદેવીને ઉતારીને તેને શ્વેતાંબરોએ કહ્યું કે “હે દેવી! સંઘના વિધ્વનું નિવારણ કરવામાં સહાયભૂત થાઓ.” દેવીએ કહ્યું કે “બૌદ્ધના વ્યંતરોએ તીર્થ સંધ્યું છે, તેથી બીજા સહાયકારક વિના એકલી મારી શક્તિ તેની સામે ચાલે તેમ નથી. શાસનનો ઉદ્યોત કરવામાં સૂર્ય સમાન અને જીવન પર્યંત તપમાં આસક્ત એવા શ્રી યશોભદ્રસ્વામી તો સ્વર્ગે ગયા છે; પરંતુ એક બલભદ્ર મુનિ અમુક સ્થાને બિરાજે છે, તે મુનિને જો તમે લાવો તો તે તીર્થ પાછું વળે.” તે સાંભળીને સંઘપતિઓએ તે મુનિને બોલાવવા માટે એક સાંઢણી મોકલી, તેના પર બેસીને કેટલાક માણસો બળભદ્રમુનિવાળા વનમાં ગયા. ત્યાં એક માણસ બકરાં ચારતો હતો, તેને તેઓએ પૂછ્યું કે “અહીં બળભદ્ર મુનિ ક્યાં રહે છે?” તે સાંભળીને અજાપાલનો વેષ ધારણ કરનાર તે બલભદ્રમુનિ જ બોલ્યા કે “અમુક ગુફામાં જાઓ, ત્યાં તે બેઠા છે.” એમ કહીને તે માણસો તે સ્થાને પહોંચ્યા પહેલાં બલભદ્રમુનિ ત્યાં જઈને સાધુવેષે બેઠા. પછી તે ઊંટ પર બેસીને આવેલા શ્રાવકોએ ત્યાં આવીને તેમને સંઘની કહેવરાવેલી વિજ્ઞપ્તિ કહી સંભળાવી. તે સાંભળીને બળભદ્રમુનિ બોલ્યા કે “તમે ત્યાં જાઓ, હું જલ્દીથી આવું છું.” એમ કહીને તેઓને રજા આપી, પછી પોતે આકાશમાર્ગે સંઘની ભક્તિ કરવા ત્યાં ગયા, અને જીર્ણદુર્ગ (જુનાગઢ)ના રાજા ખેંગાર પાસે જઈને તેને કહ્યું કે “હે રાજા ! સંઘની યાત્રામાં અંતરાય ન કર. આ તીર્થ બૌદ્ધ લોકોનું નથી.” રાજા બોલ્યો કે “બૌદ્ધ ધર્મ અંગીકાર કરે તો જ દેવને વંદન થવાનું છે, તે સિવાય થવાનું નથી.” તે સાંભળીને મુનિએ રાજાના શરીર ઉપર મંત્રેલા અક્ષત છાંટવા વગેરેથી તેને ૧. આ રાયખેંગાર સિદ્ધરાજ જયસિંહના વખતમાં થઇ ગયા છે, તે ન સમજવા. Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ વેદના ઉત્પન્ન કરી. પછી સંઘમાં આવીને વિદ્યાબળથી સંઘની ફરતો અગ્નિનો કિલ્લો અને તેને ફરતી જળની ખાઈ બનાવીને અંદર સુખેથી રહ્યા. અહીં અસહ્ય વ્યાધિની પીડાથી અષ્ટમાન થયેલા રાજાએ સંઘનો સંહાર કરવા માટે સૈન્ય સહિત સેનાપતિને મોકલ્યો. તે સેનાપતિ સંઘના પડાવ પાસે આવ્યો, પણ તેની ફરતો અગ્નિનો પ્રાકાર તથા જળની ખાઈ જોઈને ભય પામ્યો; એટલે તેણે દૂરથી વિનંતીપૂર્વક કહ્યું કે “હે મુનિ! રાજાને કોપાયમાન ન કરો.” તે સાંભળીને પોતાનો અતિશય (શક્તિ) બતાવવા માટે મુનિએ તે સેનાપતિ અથવા મંત્રીને કહ્યું કે “મારું બળ કેટલું છે તે જુઓ.” એમ કહીને રાતા કણેરના વૃક્ષની એક સોટી "સંહારની રીતે ચોતરફ ફેરવી, એટલે સમીપે રહેલા સર્વ વૃક્ષોના શિખરો પૃથ્વી પર પડી ગયા. તે જોઈને મંત્રીએ મુનિને કહ્યું કે “ઊંદર માત્ર ઉપરની ઢાંકણી પાડી નાખવાને સમર્થ હોય છે. પણ તે પાછી ઢાંકવાને સમર્થ હોતો નથી.” તે સાંભળીને બળભદ્રમુનિએ શ્વેત કણેરના વૃક્ષની સોટી લઈને તેને સૃષ્ટાની રીતે ફેરવી, એટલે તે વૃક્ષોના શિખરો હતા તેવા પાછા જોડાઈ ગયા. તે જોઈને ચમત્કાર પામેલા મંત્રીએ રાજા પાસે જઈને રાજાને મુનિનું સામર્થ્ય જણાવ્યું. તેથી ભય પામેલા રાજા મુનિ પાસે આવી તેને વંદના કરીને બોલ્યો કે “હે મહારાજા ! મારો અપરાધ ક્ષમા કરો. બાળક પિતાની અવજ્ઞા કરે છે, પણ પિતા તેના પર ક્રોધ કરતા નથી.” મુનિ બોલ્યા કે “જો તું જૈનધર્મ અંગીકાર કરીશ તો તેને આરામ થશે.” તે સાંભળીને મુનિના વચનથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી શ્રી સંઘે મોટા ઉત્સવથી શ્રી રૈવતગિરિ તીર્થના અધિપતિ શ્રી નેમિનાથજીની યાત્રા કરી. યશોભદ્રસૂરિ તથા બલભદ્રમુનિ જૈનશાસનના પ્રભાવક થયા. તેમને હું ભક્તિગુણ ધારણ કરીને નિરંતર વંદના કરું છું અને તેમની સ્તુતિ કરું છું.” ૩૪૭ સુલભબોધિનું સ્વરૂપ लोभिता बहभिर्भोगैः, पित्रादिभिर्निरन्तरम् । धर्मप्राप्ति समीहन्ति, ते स्युः सुलभबोधिनः ॥१॥ ગાથાર્થ - “પિતા વગેરેએ નિરંતર ઘણા પ્રકારના ભોગથી લોભ પમાડ્યા છતાં પણ * આ સંહાર ને સૂટ્યા બન્ને પ્રકારની વિશેષ સમજણ ગુરુગમથી મેળવવી. Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૫૩ જેઓ ધર્મની પ્રાપ્તિને જ ઈચ્છે તેઓ સુલભબોધિ કહેવાય છે.” આ શ્લોકનો ભાવાર્થ નીચે જણાવેલા દૃષ્ટાંતથી જાણવો. છ મુનિઓની કથા ચિત્ત અને સંભૂતિમુનિના જીવ પૂર્વ ભવે ક્ષિતિપ્રતિષ્ઠ નામના પુરમાં બે ગોપ હતા. તે પરસ્પર અતિ પ્રીતિવાળા હતા. અન્યદા તે બન્ને ગોપો સાધુના સંગથી ચારિત્ર લઈ તેનું પ્રતિપાલન કરી દેવતા થયા. ત્યાંથી ચ્યવીને પૃથ્વીપુરનગરમાં કોઈ એક શ્રેષ્ઠિના સહોદર પુત્રો થયા. તે બન્નેને બીજા ચાર મહર્ષિક શ્રેષ્ઠિપુત્રો મિત્ર થયા. તે છએ મિત્રોએ ચિરકાળ સુધી સંસારના સુખભોગ ભોગવીને એકદા ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળી ઈન્દ્રિયોનું દમન કરી હર્ષથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેઓ વિવિધ પ્રકારના શાસ્ત્રો ભણીને છેવટ અનશન કરી પ્રથમ સ્વર્ગમાં નલિનીગુલ્મ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવો થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં બે ગોપના જીવો વિના બીજા ચારે જીવો પ્રથમ ચવ્યા. તેમાં એક કુરુદેશમાં ઈપુકારપુરનો રાજા ઈષકાર નામે થયો, અને બીજો દેવ તે રાજાની રાણી થયો, ત્રીજો તે જ રાજાનો ભૃગુ નામનો પુરોહિત થયો અને ચોથો તે ભૃગુ પુરોહિતની યશા નામે પત્ની થયો. હવે તે પુરોહિત વૃદ્ધ ઉંમરનો થવા આવ્યો, તો પણ તેને કાંઈ સંતતિ થઈ નહીં; ત્યારે તે પુત્રની ચિંતાથી મનમાં અત્યંત આકુળ-વ્યાકુળ થવા લાગ્યો. અન્યદા પેલા બે ગોપ દેવો અવધિજ્ઞાનથી ‘અમે ભૃગુ પુરોહિતપુત્રો થઈશું,' એમ જાણીને સાધુના વેષે ભૃગુને ઘેર આવ્યા. તેમને જોઈને હર્ષથી ભૃગુ તથા તેની સ્ત્રી તેમને નમ્યા. પછી તેમના ઉપદેશથી શ્રાવકધર્મ પામીને ભૃગુએ પૂછ્યું કે “હે પૂજ્ય ! મારે પુત્ર થશે કે નહીં ?'' મુનિ બોલ્યા કે “તમારે બે પુત્રો થશે, પણ તે બાલ્યાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ ક૨શે, તે વખતે તમારે તેને અંતરાય કરવો નહીં.” તે સાંભળીને દંપતીએ તેમનું વચન અંગીકાર કર્યું. દેવો સ્વસ્થાને ગયા. અન્યદા તે બન્ને દેવો સ્વર્ગથી ચ્યવીને યશાની કુક્ષિમાં અવતર્યા. ત્યારે ભૃગુએ વિચાર્યું કે “મારા પુત્રો જન્મથી જ કોઈપણ સાધુને જુએ નહીં તો ઠીક.' એમ ધારીને તે ભાર્યા સહિત નાના ગામમાં જઈને રહ્યો. પછી સમય પૂર્ણ થયે યશાએ બે પુત્રોને જન્મ આપ્યો. તે પુત્રો વૃદ્ધિ પામતાં વિદ્યા ભણવાને યોગ્ય વયના થયા. તે વખતે તેના માતા-પિતાએ તેમને શીખવ્યું કે “હે પુત્રો ! જે મુનિઓ માથે મુંડન કરેલા, હાથમાં દંડ ધારણ કરનારા અને નીચી દૃષ્ટિ રાખીને દંભથી બગલાની જેમ ચાલનારા હોય છે તેઓ બાળકોને પકડીને મારી નાખે છે અને રાક્ષસોની જેમ તેમનું માંસ ખાઈ જાય છે. માટે તમારે તે સાધુઓની પાસે જવું નહીં. તેઓ પ્રથમ વિશ્વાસ ઉત્પન્ન કરીને પછી મારી નાખે છે.” આ પ્રમાણે સાંભળીને તે બાળકો સાધુને જોવા પણ ઈચ્છતા નહીં. અન્યદા તે બન્ને ભાઈઓ સ્વેચ્છાએ ક્રીડા કરતા ગામ બહાર ગયા હતા, તેવામાં દૈવયોગે ગામમાંથી બહાર નીકળીને તેમની સન્મુખ આવતા મુનિઓને જોઈને તે બન્ને ભાઈઓ ત્રાસ પામી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ વન તરફ નાઠા. માર્ગમાં એક મોટો વટવૃક્ષ આવ્યો. તેના પર તે બન્ને ચડી ગયા. સાધુઓ પણ તે જ વટવૃક્ષની નીચે આવ્યા અને પૃથ્વી પ્રમાર્જીને જયણાથી જીવોને દૂર કરી ગામમાંથી પાત્રમાં આણેલું ભોજન ખાવા બેઠા; તે ભોજનમાંથી એક દાણો પણ પૃથ્વી પર પડવા દીધો નહીં, તેમજ જમતા બચકારાનો શબ્દ પણ કર્યો નહીં. એ પ્રમાણે તે સાધુઓનું ચાલવું, બોલવું, ખાવું તથા જોવું વગેરે સમગ્ર ચેષ્ટાને જીવરક્ષાપૂર્વક જોઈને વટવૃક્ષ ઉપર રહેલા તે બન્ને ભાઈઓએ વિચાર કર્યો કે “આ મુનિઓ તો અન્ન ખાય છે, માંસ ખાતા નથી, માટે આપણા માતા-પિતાએ આપણને ખોટા સમજાવ્યા છે અને તેથી આપણે અત્યાર સુધી ખોટી ભ્રાંતિમાં રહ્યા છીએ; પરંતુ આવા સાધુઓ આપણે પૂર્વે કોઈપણ સ્થાને જોયા છે ખરા.” એમ ધ્યાન કરતાં બન્નેને જાતિસ્મરણશાન થયું; તેથી પૂર્વે ગ્રહણ કરેલા ચારિત્રનું સ્મરણ કરીને પ્રતિબોધ પામેલા તે બન્ને વિચાર કરવા લાગ્યા કે “અહો ! માતા-પિતાએ મોહને વશ થઈને આપણને મૃષાવાણીથી છેતર્યા છે.” એમ વિચારી બન્ને ભાઈઓએ વટ ઉપરથી નીચે ઉતરી મુનિઓને વંદન કર્યું અને તેમની સ્તુતિ કરી. પછી પોતાના ઘરે આવી પિતાને કહ્યું કે - 'असासयं दृटुमिमं विहारं, बहु अंतरायं न हि दीहमाउं । तम्हा गिहमि न रइं लभामो, आमंतयामो चरिसामु मोणं ॥१॥ ભાવાર્થ - “આ પ્રત્યક્ષ વિહાર એટલે મનુષ્યભવની સ્થિતિ અશાશ્વત એટલે અનિત્યક્ષણભંગૂર જોઈને તથા તેમાં રોગાદિક ઘણા વિબો અને અલ્પ આયુષ્ય (ક્રોડ પૂર્વનું નહીં) જોઈને અમે ગૃહસ્થાશ્રમમાં કિંચિત્ પણ પ્રીતિ પામતા નથી. માટે અમે મૌનવ્રત એટલે ચારિત્ર ગ્રહણ કરવા તમારી રજા માગીએ છીએ.” તે સાંભળીને તેના પિતા બોલ્યા કે “હે પુત્રો ! તમે વેદનું વચન જાણતા નથી. વેદમાં કહ્યું છે કે “ પુરી ગતિનાંતિ' પુત્રરહિત મનુષ્યની ગતિ નથી; “પુ ગાયતે નોવ' પુત્રથી લોક ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વેદમાં કહ્યું છે. વળી કઇ પુત્રી પુળ વત્તો ફીયતે' પુત્રનો પણ પુત્ર હોય તો તેથી તે સ્વર્ગલોકમાં પૂજાય છે. એમ પણ કહ્યું છે. તે માટે તમે વેદનો અભ્યાસ કરીને બ્રાહ્મણોને સંતોષ પમાડીને, પુત્રોને ઘેર મૂકીને તથા સ્ત્રીઓના વિલાસ ભોગવીને દીક્ષા ગ્રહણ કરજો.” આ પ્રમાણે સાંભળીને બન્ને પુત્રો બોલ્યા કે, “હે પિતા ! વેદ ભણવાથી તે વેદ શરણ કે રક્ષણ કરી શકતા નથી; કેમકે તેને ભણવા માત્રથી તે કાંઈ દુર્ગતિમાં પડતાનું રક્ષણ કરી શકતા નથી. સ્મૃતિમાં કહ્યું છે કે : ૧. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૧૪મા અધ્યયનમાં આ ગાથા છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ अकारणमधीयानो, ब्राह्मणस्तु युधिष्ठिर । ૩:તેનાપ્યથીયો, શીતં તુ મમ રોતે પ્રા ભાવાર્થ :- ‘હે યુધિષ્ઠિર ! વેદ ભણ્યો માટે તે બ્રાહ્મણ છે.' એમ વેદાધ્યયન કાંઈ બ્રાહ્મણપણાનું કારણ નથી; કેમકે વેદ તો નીચ કુળવાળા પણ ભણે છે, પરંતુ હું તો શીલને જ પસંદ કરું છું; એટલે કે જે સદાચારિણી છે તે જ બ્રાહ્મણ છે.' વળી शिल्पमध्ययनं नाम, व्रतं ब्राह्मणलक्षणम् । व्रत्तस्थं ब्राह्मणं, प्राहुर्नेतरान् वेदजीवकान् ॥२॥ ભાવાર્થ :- ‘ભણવું તે તો એક જાતની શિલ્પકળા છે પણ બ્રાહ્મણનું લક્ષણ તો સારાં આચરણ છે, માટે સદાચરણમાં રહેલા હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે; બીજા વેદથી આજીવિકાના કરનારા તે કાંઈ બ્રાહ્મણ કહેવાતા નથી.” ૨૫૫ વળી હે પિતા ! આપે વિપ્રોને સંતોષ પમાડવાનું જે કહ્યું તે તો નરકમાં નાંખવાનો જ હેતુ છે. કારણ કે તેઓ કુમાર્ગની પ્રરૂપણા કરે છે, અને પશુવધાદિમાં પ્રવર્તે છે, તેમજ પુત્રાદિક પણ નરકમાં પડતા જીવોને શરણરૂપ થતા નથી. વેદ જાણનાર પણ કહે છે કે - यदि पुत्राद्भवेत्स्वर्गो, दानधर्मो न विद्यते । मुषितस्तत्र लोकोऽयं, दानधर्मो निरर्थकः ॥१॥ ભાવાર્થ :- “જો કદાચ પુત્રથી સ્વર્ગ મળતું હોય અને દાનધર્મની જરૂર ન હોય તો પછી સર્વ જગત છેતરાયું છે અને દાનધર્મ નિરર્થક જણાય છે.” અર્થાત્ દાનધર્મનું શાસ્ત્રમાં શ્રવણ કરીને તેમાં પ્રવર્તતા લોકો છેતરાયા છે એમ જણાય છે, પણ ખરી રીતે તેમ નથી, દાનાદિ ધર્મ જ સ્વર્ગને આપનાર છે. પુત્રથી સ્વર્ગ મળતું નથી. જુઓ : बहुपुत्रा दुली गोधा, ताम्रचूडस्तथैव च । तेषां च प्रथमं स्वर्गः, पश्चाल्लोको गमिष्यति ॥२॥ ભાવાર્થ :- “જો પુત્રથી જ સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય તો ગરોળીને, ગોધાને તથા કૂકડા વગેરેને ઘણા પુત્રો હોય છે; તેથી પ્રથમ તેઓ સ્વર્ગે જશે અને પછી બીજા લોકો જશે.” પરંતુ એ વાત અસત્ય છે. વળી તમે સ્રીવિલાસનું સુખ ભોગવવાનું કહ્યું, પણ તે ક્ષણભંગુર છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચૌદમા અધ્યયનમાં પરમાત્માએ કહ્યું છે કે - खणमित्तसुखा बहुकालदुक्खा, पग्गामदुक्खां अनिगामसुखा । संसारमुक्खस्स विवक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥१॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ૨૫૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ભાવાર્થ:- સીના કામભોગનું સુખ એ ક્ષણ માત્રનું છે અને તેમાં ઘણા કાળનું દુઃખ રહેલું છે, વળી તેમાં દુઃખ ઘણું છે અને સુખ સ્વલ્પ છે. સંસારથી મુક્ત થવાની ઈચ્છાવાળાને તે શત્રુભૂત છે તથા અનર્થની ખાણરૂપ છે.” વળી હે પિતા! નિરંતર સંસારના કાર્યો કર્યા કરીએ, તો પણ જિંદગી પર્યત તેની સમાપ્તિ થતી નથી; માટે ધર્મમાં પ્રમાદ કરવો એ કેમ યોગ્ય કહેવાય? જે દિવસ ગયા તે ફરીને આવતા નથી. તેથી ધર્મ નહિ કરનારના દિવસો નિષ્ફલ જાય છે. વળી અધર્મનું મૂળ કારણ ગૃહસ્થાશ્રમ છે, માટે તેનો ત્યાગ કરવો તે જ કલ્યાણકારી છે.” આ પ્રમાણેના પુત્રોના વચનથી પ્રતિબોધ પામીને ભૃગુ પુરોહિત બોલ્યો કે “હે પુત્રો! તમે કહ્યું તે સત્ય છે, પરંતુ હાલમાં આપણે ગૃહસ્થાશ્રમમાં રહીને તમે અને અમે સર્વે સાથે દેશવિરતિ ગ્રહણ કરીએ; પછી યૌવનાવસ્થા વ્યતિક્રમશે ત્યારે વૃદ્ધાવસ્થામાં આપણે સર્વે ચારિત્ર ગ્રહણ કરશું.” પુત્રો બોલ્યા કે “હે પિતા! જેને મૃત્યુની સાથે મિત્રાઈ હોય, અથવા જે મૃત્યુના પંજામાંથી નાસી શકે તેમ હોય અથવા જે એમ જાણે કે હું મરવાનો નથી તેને તેમ કરવું યોગ્ય છે; પણ તેવું તો કાંઈ પણ નથી. તેથી તેવું ધારનારને મૂર્ખ જાણવો; કેમકે મૃત્યુને નહિ આવવાનો કોઈપણ વખત નથી. તે તો તેને ગમે ત્યારે આવે છે, માટે આપણે આજે જ ધર્મને અંગીકાર કરીએ. વિષયાદિકના સુખ તો આપણે અનન્તીવાર પામ્યા છીએ.” ઈત્યાદિ પુત્રોના વચન સાંભળીને વ્રતની ઈચ્છાવાળો થયેલો ભૂગુ પોતાની સ્ત્રીને ધર્મમાં વિઘ્ન કરનાર જાણીને તેના પ્રત્યે બોલ્યો કે “હે વસિષ્ઠગોત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી ! આ પુત્રો વિના મારે ગૃહસ્થાશ્રમમાં રહેવું યોગ્ય નથી. જેમ શાખા વિનાના વૃક્ષ અને ભૂત્ય વિનાનો રાજા શોભતો નથી, તેમ હું પણ પુત્રરહિત શોભતો નથી; માટે હું તેમની સાથે દીક્ષા લેવા ઈચ્છું છું.” તે સાંભળીને યશા બોલી કે “હે સ્વામી ! આ પ્રત્યક્ષ મળેલા કામભોગો તજવા યોગ્ય નથી. દીક્ષા ગ્રહણ કરવી તે બીજા ભવમાં ભોગ મેળવવાની ઈચ્છાથી છે, તે ભોગ તો આ જન્મમાં જ પ્રાપ્ત થયા છે; તો પછી દીક્ષા શા માટે ગ્રહણ કરવી?” ત્યારે ભૃગુ બોલ્યો કે “હે પ્રિયા ! હું અસંયમરૂપ જીવિતને માટે એટલે કે પરલોકના સુખને માટે દીક્ષા ગ્રહણ કરતો નથી, પણ સંયમ વિનાનું જીવિત નિષ્ફળ છે, માટે જ હું ભોગોને તજું છું. વળી જીવિત, મરણ, લાભ, અલાભ, સુખ અને દુઃખ વગેરેમાં સમપણાની ભાવના કરીને મુક્તિ મેળવવા માટે જ દીક્ષા લેવી યોગ્ય છે.” આ પ્રમાણેના વાક્યથી પ્રતિબોધ પામેલી તે બોલી કે “આપણા પુત્રોને ધન્ય છે કે જેઓ આપણી પહેલા જ વ્રત લેવાની ઈચ્છાવાળા થયા. તેઓની સ્થિરતા જ આપણને પણ ધર્મ આપનાર થઈ છે.” આ પ્રમાણે સર્વ પ્રતિબોધ પામવાથી ચાર જણાએ સાથે દીક્ષા ગ્રહણ કરી. આ વૃત્તાંત સાંભળીને ઈષકાર રાજા ભૃગુએ ત્યાગ કરેલા તેના ગૃહાદિકનું ગ્રહણ કરવા માટે તેને ઘેર આવ્યો. તે વખતે તેની કમળા નામની રાણી રાજાને વારંવાર કહેવા લાગી કે “બ્રાહ્મણે વમન કરેલા ગૃહના સારને તમે ખાવા ઈચ્છો છો; તેથી તમે વમનનું ભક્ષણ કરનારા Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૫૭ થાઓ છો, તે તમારા જેવાને ઉચિત નથી. વળી તમારી આવી ઉત્કટ ઈચ્છા પૂર્ણ થવા માટે સમગ્ર જગતનું ધન તમારે આધીન હોય તો પણ તે પૂર્ણ થાય તેમ નથી, તેમજ તે જરા મરણના દુઃખને અટકાવવા સમર્થ નથી; કેમકે આ જગતમાં જન્મ ધારણ કરનારને અવશ્ય મરણ પ્રાપ્ત થાય છે.” કહ્યું છે કે . कश्चित्सखे त्वया दृष्टः, श्रुतः संभावितोऽथवा । क्षितौ वा यदि वा स्वर्गे, यो जातो न मरिष्यति ॥ १ ॥ ભાવાર્થ :- “હે મિત્ર ! આ પૃથ્વી ઉપર અથવા સ્વર્ગમાં તેં એવો કોઈ પ્રાણી જોયો છે, સાંભળ્યો છે, અથવા સંભાવના પણ કરી છે કે જે જન્મેલો મૃત્યુ ન પામે ? અર્થાત્ એવો કોઈ જ નથી.’’ માટે હે સ્વામી ! ધર્મ વિના બીજું કોઈ રક્ષણ કરનાર નથી. આ ચારેએ આ સર્વ અનિત્ય જાણીને જ તેને તજ્યું છે, અને હું પણ તે જાણીને પરિગ્રહ આરંભથી નિવૃત્તિ પામી છું, માટે હે નાથ ! હું વ્રત ગ્રહણ કરીશ.' આ પ્રમાણેની રાણીની વાણીથી તે જ વખતે પ્રતિબોધ પામેલો રાજા રાણી સહિત દુસ્યજ કામભોગને તથા મોટા રાજ્યને તજીને નિગ્રંથ થયો. આ પ્રમાણે ઉપર કહેલા છએ જીવો કહેલા ક્રમ પ્રમાણે પ્રતિબોધ પામ્યા, અને સર્વ મોહનો ત્યાગ કર્યો. તેઓના ચિત્ત પૂર્વ જન્મમાં કરેલા ધર્મના અભ્યાસની ભાવનાથી ભાવિત થયેલા હતા; તેથી અલ્પકાળમાં જ તેઓએ કેવળજ્ઞાન પામીને અજરામર પદને પ્રાપ્ત કર્યું. “પૂર્વ ભવે અરિહંતના શાસનમાં તે છ જીવોના ચિત્ત ધર્મથી વાસિત થયા હતા; તેથી તેઓને જલદીથી આત્મતત્ત્વની પ્રાપ્તિ થઈ, આવા પ્રાણીઓ સુલભબોધિ કહેવાય છે.” ૩૪૮ પ્રત્યેકબુદ્ધ જે ચાર પ્રત્યેકબુદ્ધ એક સાથે જ સ્વર્ગમાંથી ચ્યવ્યા, સાથે જ દીક્ષા ગ્રહણ કરી, સાથે જ કેવળજ્ઞાન પામ્યા અને સાથે જ મોક્ષે ગયા, તેમનું સ્વરૂપ અહીં કહીએ છીએ - = तत्रादौ वृषभं वीक्ष्य, प्रतिबुद्धस्य धीनिधेः । करकंडुमहीजानेश्चरितं वच्मी तद्यथा ॥ १ ॥ -- ભાવાર્થ :- “તે ચાર પ્રત્યેક બુદ્ધોમાં પ્રથમ વૃષભને જોઈને પ્રતિબોધ પામેલા બુદ્ધિના ભંડારરૂપ કરકંડુરાજાનું ચરિત્ર કહીએ છીએ.” તે આ પ્રમાણે - Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ કરકંડુ રાજાની કથા ચંપાપુરીમાં દધિવાહન નામે રાજા હતો, તેને પદ્માવતી નામે રાણી હતી. તે એકદા ગર્ભિણી થઈ, ત્યારે ગર્ભના પ્રભાવથી તેને એવો દોહદ થયો કે હું રાજાનો વેષ ધારણ કરીને, રાજાએ જેને માટે છત્ર ધારણ કર્યું છે એવા પટ્ટહસ્તી પર બેસીને ઉદ્યાનમાં વિચરું. તે દોહદ પૂર્ણ નહિ થવાથી કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ તે પ્રતિદિન કૃશ થવા લાગી. રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે રાણીએ દોહદની વાત કહી. તેથી રાજાએ તેનો દોહદ પૂર્ણ કરવા માટે તેની સાથે જ હાથી પર બેસી રાણીને માથે છત્ર ધારણ કર્યું અને તેવી રીતે રાજા વનમાં ગયો. તે વખતે અકસ્માત્ જળવૃષ્ટિ થઈ. તે વૃષ્ટિ પ્રથમ હોવાથી પૃથ્વીમાંથી ગન્ધ પ્રગટ થયો, તે ગન્ધ સુંધવાથી મદોન્મત્ત થયેલો હાથી વન તરફ દોડ્યો. રાજાએ તેને અંકુશ વગેરેથી ઘણો નિવાર્યો, પણ તે અટકયો નહીં; તેથી કાયર થઈને રાજાએ રાણીને કહ્યું કે “હે પ્રિયા ! દૂર પેલો વટવૃક્ષ દેખાય છે, તેની નીચે થઈને આ હાથી નીકળશે, તે વખતે તું તે વટની શાખા મજબૂત રીતે પકડી લેજે, હું પણ પકડી લઈશ. પછી હાથીને જવા દઈને આપણે નગર તરફ જઈશું.” પછી જ્યારે તે હાથી વટની નીચે થઈને નીકળ્યો, ત્યારે રાજાએ તો તત્કાળ તેની સાંખા પકડી લીધી; પણ રાણી તે શાખા પકડી શકી નહીં, તેથી પ્રિયાનો વિયોગ થવાથી રાજા વિલાપ કરતો પાછો વળીને તે હાથીના જ પગલાને અનુસારે ચંપાનગરીમાં ગયો. અહીં હાથી ચાલતાં ચાલતાં અતિ તૃષાતુર થયો; તેથી તે મોટા અરણ્યમાં એક તળાવ આવ્યું તેમાં પેઠો. તે અવસર જાણીને રાણી તેના પરથી ઉતરી તળાવના પાણીને તરીને કાંઠે આવી. પછી તેણે વિચાર્યું કે ‘પૂર્વના અશુભ કર્મને લીધે મારે અકસ્માત્ આપત્તિ આવી પડી છે; પરંતુ હવે રુદન કરવાથી તો ઉલટો સાત કર્મનો દૃઢ બંધ થશે, માટે હમણાં તો આ અરણ્યનું ઉલ્લંઘન કરું ત્યાં સુધીને માટે સાગારી અનશન જ અંગીકાર કરું.' પછી એ પ્રમાણે અભિગ્રહ લઈને તે કોઈક દિશામાં ચાલી. માર્ગમાં એક તાપસે તેને દીઠી; એટલે પૂછ્યું કે “અરે તું વનદેવી છે કે કિન્નરી છે ?’’ ત્યારે તે બોલી કે “હું જૈનધર્મી ચેટકરાજાની પુત્રી મનુષ્યાણી છું.” એમ કહીને પોતાનું સર્વ વૃત્તાંત તેણે તે તાપસને કહી સંભળાવ્યું. તે સાંભળીને તાપસ બોલ્યો કે “હું તારા પિતાનો ભાઈ છું, માટે તું ભય પામીશ નહીં.” એમ કહીને તે તાપસે તેને આશ્વાસન આપી વન-ફળાદિક વડે તેનો સત્કાર કર્યો. પછી તેને નજીકના કોઇ નગરમાં તે તાપસે પહોંચાડી. તે રાણી કામભોગથી નિર્વેદ પામીને સાધ્વીઓની પાસે જઈ તેમને વાંદીને બેઠી. ત્યારે સાધ્વીએ તેને પૂછ્યું કે “હે શ્રાવિકા ! તું ક્યાંથી આવી છે ?” ત્યારે રાણીએ દીક્ષા લેવાની ઈચ્છાથી એક ગર્ભ વિના બીજી સર્વ વાત કહી સંભળાવી. તે સાંભળીને સાધ્વી બોલ્યા કે “હે ઉત્તમ આશયવાળી ! વિદ્યુત્ જેવા ચપળ સાંસારિક સુખની આશા છોડીને ચારિત્ર ગ્રહણ કર.” તે સાંભળીને વિરક્ત થયેલી રાણીએ દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે તેના ગર્ભની વૃદ્ધિ થઈ. તે જોઈને સાધ્વીઓએ પૂછ્યું, ત્યારે તેણે સત્ય વાત કહી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ( ૨૫૯ પછી સાધ્વીઓએ તેને ગુપ્ત સ્થાને રાખી. ગર્ભ સમય પૂર્ણ થતા તેણે શય્યાતરને ઘેર એક પુત્રને જન્મ આપ્યો. પછી તે પુત્રને તેના પિતાના નામવાળી મુદ્રિકા પહેરાવી રત્નકંબલમાં વીંટીને તેણે સ્મશાનમાં મૂકી દીધો અને તેણે કોણ લઈ જાય છે તે જોવા માટે સંતાઈને ઊભી રહી. તેવામાં તે સ્મશાનનો ધણી ત્યાં આવ્યો. તેણે તે પુત્રને જોઈ ઉપાડી લઈને પોતાની સ્ત્રીને આપ્યો. તે ચાંડાળની પાછળ જઈ તેનું ઘર જોઈને રાણી ઉપાશ્રયે પાછી આવી. પછી હમેશાં રાણી તેને ઘેર જઈને મોદક વગેરે આપી મોહથી તેને લાડ લડાવવા લાગી. તે પુત્રના શરીરમાં જન્મથી જ કંડુ એટલે ખરજનો વ્યાધિ થયો. એકદા તે પુત્ર બીજા બાળકો સાથે ક્રીડા કરતાં બોલ્યો કે “હું તમારો રાજા છું, માટે તમે મને કર આપો.” બાળકો બોલ્યા કે “શું આપીએ?” તેણે કહ્યું કે “તમે તમારા કરથી (હાથથી) મને ખૂબ ખજવાળો, તેથી હું પ્રસન્ન થઈશ.” પછી બાળકો તેને ખજવાળતા સતા કરફંડના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે તે પુત્ર યુવાવસ્થા પામ્યો ત્યારે તે સ્મશાનની રક્ષા કરવા લાગ્યો. એકદા બે મુનિ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા. તેમાં એક મુનિ લક્ષણશાસ્ત્રના જાણ હતા, તેણે વાંસની જાળમાં એક દંડ જોઈને બીજા મુનિને કહ્યું કે “આ દંડ હજુ ચાર આંગળ મોટો થાય ત્યાં સુધી રાહ જોયા પછી તેને જે માણસ ગ્રહણ કરે તે રાજા થાય” તે વાક્ય કરકંડુએ અને એક બ્રાહ્મણે સાંભળ્યું. પછી તે દંડ જ્યારે ચાર આંગળ વધ્યો ત્યારે તે બ્રાહ્મણે તેને ખોદીને કાઢ્યો. તે જોઈને કરકંડુએ તેની સાથે મોટો કજીઓ કરીને તે દંડ લઈ લીધો. લોકોએ હસીને તેને પૂછ્યું કે “તું આ દંડને શું કરીશ?” ત્યારે તે બોલ્યો કે “આના પ્રભાવથી હું રાજા થઈશ.” લોકોએ કહ્યું કે “તું રાજા થાય ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપજે.” તે વચન અંગીકાર કરીને કરકંડુ પોતાને ઘેર ગયો. પેલા બ્રાહ્મણે વિચાર્યું કે “કરકંડને હણીને પણ દંડ લઉં.” તેનો આવો અભિપ્રાય જાણીને ભય પામેલો કરકંડુ ત્યાંથી નાસીને કાંચનપુરે ગયો. ત્યાં થાકી જવાથી ગામ બહાર ઉદ્યાનમાં તે સૂતો. તે જ દિવસે તે ગામનો રાજા પુત્ર વિના મરી જવાથી પ્રધાનોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે દિવ્યોથી કરકંડને રાજ્ય મળ્યું; એટલે તે હસ્તી પર આરૂઢ થઈને નગરપ્રવેશ કરતો હતો; તેવામાં પેલા બ્રાહ્મણે આવીને તેને અટકાવ્યો અને બોલ્યો કે “અરે ચાંડાલ ! તને રાજય ઘટે નહીં.” તે સાંભળીને કરકંડુએ પેલો દંડ હાથમાં લઈને જમાડ્યો, એટલે ભય પામીને તે બ્રાહ્મણ નાસી ગયો. પછી પ્રધાનોએ તેનો રાજ્યાભિષેક કર્યો. પછી કરકંડ રાજાએ સર્વ ચાંડાળોને બ્રાહ્મણ કર્યા. કહ્યું છે કે – दधिवाहनपुत्रेण, राज्ञा च करकंडुना । वाटधानकवास्तव्या-श्चांडाला ब्राह्मणीकृताः ॥१॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ :- “દધિવાહનરાજાના પુત્ર કરકંડુરાજાએ વાટધાનકના રહીશ ચાંડાળોને બ્રાહ્મણ કર્યા.” ૨૬૦ એકદા પેલા બ્રાહ્મણે આવીને કરકંડુને કહ્યું કે “હે રાજા ! તમે મને પૂર્વે એક ગામ આપવાનું વચન આપ્યું છે તે ગામ આપો.” રાજાએ કહ્યું કે “બોલ, તને કયું ગામ આપું ?” ત્યારે તે બોલ્યો કે “મને ચંપાનગરીની નજીકમાં એક ગામ આપો.” તે સાંભળીને કકુંડુરાજાએ ચંપાપુરીના રાજા દધિવાહન ઉપર લેખ લખી આપ્યો કે, “આ બ્રાહ્મણને એક ગામ આપજો’ તે બ્રાહ્મણે ચંપાપુરી જઇને દધિવાહન રાજાને તે કાગળ આપ્યો. તે વાંચીને ક્રોધથી રક્ત નેત્રવાળો થયેલો દધિવાહન રાજા બોલ્યો કે “અરે બ્રાહ્મણ ! ચાંડાળના હાથે લખેલા કાગળના સ્પર્શ કરવાથી હું મલીન થયો છું; માટે તું સત્વર ચાલ્યો જા, નહિ તો તું પણ હમણાં મારા કોપાગ્નિમાં પતંગરૂપ થઈ જઈશ.” તે સાંભળીને બ્રાહ્મણે ત્યાંથી શીઘ્રપણે કરકંડ પાસે જઈને તે વૃત્તાંત કહ્યું; તેથી ક્રોધ પામેલા કરકંડુએ મોટું સૈન્ય લઈને ચંપાપુરી ઘેરી લીધી. બન્ને રાજાના સૈન્યોનું પરસ્પર મહાયુદ્ધ થયું. તે વાત દધિવાહનની રાણી જે સાધ્વી થયેલા હતા તેમણે સાંભળી, તેથી તે પ્રથમ કરઠંડુ પાસે આવ્યા; એટલે કરકંઠુ ઉઠીને સામો જઈ તેમને નમ્યો. પછી સાધ્વીએ તેને એકાંતમાં લઈ જઈને પૂર્વની સર્વ હકીકત કહીને કહ્યું કે “હે પુત્ર ! પોતાના પિતા સાથે યુદ્ધ કરવું તે યોગ્ય નથી. કદાચ તને આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો જન્મ વખતે તારા હાથમાં મેં પહેરાવેલી તારા પિતાના નામવાળી મુદ્રિકા જો.” કરકંડુ તે જોઈને શંકારહિત થયો સતો બોલ્યો કે “હે માતા ! તમે મારા પિતાની પાસે જઈને આ વાતનો બોધ કરો.” એટલે તે સાધ્વી ત્યાંથી દધિવાહન પાસે ગયા, અને તેને પણ પૂર્વનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજાએ પૂછ્યું કે “તે ગર્ભ ક્યાં ગયો ?' સાધ્વી બોલ્યા કે “હે રાજા ! જેણે તમારું નગર ઘેર્યું છે તે જ તે ગર્ભ છે.’’ ઈત્યાદિ સર્વ વૃત્તાંત સાંભળીને આનંદ પામેલો રાજા પુત્રને મળવા ઉત્કંઠિત થઈ તેની સામો ચાલ્યો. તેમને આવતા જોઈ કરકંડ પણ પગે ચાલતો સન્મુખ ગયો, અને પિતાના ચરણમાં પડ્યો. પિતાએ તેને બે હાથે પકડી લઈને આલિંગન કર્યું, પછી અનુક્રમે દધિવાહનરાજાએ તેને રાજ્ય સોંપીને દીક્ષા ગ્રહણ કરી. કરકંડુરાજા ન્યાયથી બન્ને રાજ્ય ચલાવવા લાગ્યો. એકદા કરકંડુરાજા ગોકુળ (ગાયોનો વાડો) જોવા ગયો. ત્યાં તેણે રૂપા જેવો અતિ શ્વેત એક વાછરડો જોયો. તેને જોતાં જ તેના પર અતિપ્રેમ આવવાથી તેમણે ગાયો દોનારને કહ્યું કે “આ વાછરડાને માત્ર તેની માનું જ દૂધ પાવું એમ નહીં, પણ બીજી ગાયોનું દૂધ પણ તેને હમેશાં પાવું.” તે સાંભળીને તે ગોપાલક પણ તે પ્રમાણે કરવા લાગ્યો; એટલે તે વાછરડો ચંદ્રની કાંતિ સાથે પણ સ્પર્ધા કરે તેવો અને અત્યંત પુષ્ટ થયો. રાજા તેને બીજા વૃષભો સાથે યુદ્ધ કરાવતો, પણ કોઈ સાંઢ તેને જીતી શકતો નહીં. પછી કેટલોક કાળ વ્યતીત થયા પછી એકદા રાજા ગોકુળ જોવા ગયો. ત્યાં નાના વાછરડાઓ જેને લાત પ્રહાર કરે છે એવો એક વૃષભ જોઈને રાજાએ ગોપાળને પૂછ્યું કે “પેલો મહાવીર્યવાળો પુષ્ટ વૃષભ ક્યાં છે ?’” ગોપાળે કહ્યું કે “હે દેવ ! તે જ આ વૃષભ છે, પણ તે વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયેલો છે.” Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૬૧ તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “અહો ! સર્વ પદાર્થો અનિત્ય છે. પ્રત્યંચાના ટંકાર શબ્દથી પક્ષીઓની જેમ જેના ભંભારવાથી (ધડુકવાથી) બળવાન વૃષભો પણ નાસી જતા હતા તે આજે નાના વાછરડાઓની લાતોના પ્રહારને સહન કરે છે. જેનું સ્વરૂપ જોઈને ચંદ્રના દર્શનની પણ ઈચ્છા થતી નહીં તે આજે તેની સામે જોવાથી પુરીષની જેમ જુગુપ્સા ઉત્પન્ન કરે છે; તેથી આ પરાક્રમ, આ વય, આ રૂપ, આ રાજ્ય અને આ વૈભવ વગેરે સર્વ ધ્વજાના છેડાની જેવાં ચંચળ છે એમ પ્રત્યક્ષ ભાસ થાય છે, તેમ છતાં પણ માણસો અજ્ઞાનને લીધે તે વાતને સમજતા નથી, માટે હું તો આત્મતત્ત્વને પ્રાપ્ત કરનાર સ્વભાવધર્માનુયાયી ધર્મનું સેવન કરી જન્મનું સાફલ્ય કરું.” એ પ્રમાણે વિચાર કરીને પોતે જ પોતાના હાથ વડે મસ્તક પરના કેશનો લોચ કરીને દેવતાએ આપેલા મુનિવેષને ધારણ કરી આત્મધર્મમાં રાગી થયેલા તે પ્રત્યેકબુદ્ધ કરકંડમુનિ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. ૩૪૯ બીજા પ્રત્યેકબુદ્ધ अथ प्रत्येकबुद्धस्य, बुद्धस्येन्द्रध्वजेक्षणात् । राज्ञो द्विमुखसंज्ञस्य, ज्ञातं वक्ष्यामि तद्यथा ॥२॥ ભાવાર્થ:- “હવે ઈન્દ્રધ્વજ જોવાથી બોધ પામેલા (બીજા) પ્રત્યેકબુદ્ધ દ્વિમુખ નામના રાજાનું ચરિત્ર કહીએ છીએ.” દ્વિમુખરાજાની કથા કાંપિલ્યપુરમાં હરિવંશી યવ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણમાળા નામની રાણી હતી. એકદા સભામાં બેઠેલા રાજાએ દેશાંતરથી આવેલા દૂતને પૂછ્યું કે “હે દૂત! બીજા રાજયમાં છે એવું મારા રાજયમાં શું નથી?” દૂતે કહ્યું કે “હે દેવ ! આપના રાજ્યમાં એક ચિત્રસભા નથી.” તે સાંભળીને રાજાએ ચિત્રકારોને તથા સુતારોને બોલાવીને કહ્યું કે “મારે માટે એક ચિત્રસભા તાકીદે તૈયાર કરો.” તેઓએ રાજાની આજ્ઞાથી શુભ સમયે સભાનું ખાતમુહૂર્ત કરીને પાયો ખોદવાનો આરંભ કર્યો. ખોદતાં ખોદતાં પાંચમે દિવસે પૃથ્વીના તળમાંથી કાંતિ વડે અત્યંત દેદીપ્યમાન એક મુકુટ પ્રગટ થયો. તે રત્નમય મુકુટ જોઈને હર્ષ પામેલા રાજાએ સર્વ કારીગરોને વસ્ત્રાદિકની પહેરામણી કરીને ખુશ કર્યા. અનુક્રમે કારીગરોએ સુશોભિત પુતળીઓ વગેરેથી શોભાયમાન દેવસભાના જેવી સભા તૈયાર કરી. પછી શુભ દિવસે રાજા પેલો દિવ્ય મુકુટ ધારણ Page #273 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૬૨ કરીને તે નવી સભામાં બેઠો. તે વખતે નવરત્નવાળા હારના પ્રભાવથી જેમ રાવણના દશ મસ્તક દેખાતા હતા, તેમ તે મુકુટના પ્રભાવથી રાજાના મુખ બે દેખાવા લાગ્યા; તેથી લોકમાં તે રાજાનું દ્વિમુખ એવું નામ પ્રસિદ્ધ થયું. તે રાજાને અનુક્રમે સાત પુત્રો થયા, પણ એકે પુત્રી થઈ નહીં. તેથી કોઈ યક્ષની આરાધના કરીને તેણે એક પુત્રી માગી. તેના પ્રભાવથી મદનમંજરી નામની ગુણવાન અને રૂપવાન એક પુત્રી થઈ. એકદા ઉજ્જયિનીના રાજાએ દૂતના મુખથી સાંભળ્યું કે “કાંપિલ્યપુરના રાજાને મુકુટના પ્રભાવથી બે મુખ થયાં છે.” તે સાંભળીને લોભથી ચંડપ્રઘોતરાજાએ તે મુકુટને માટે એક ચતુર દૂતને તેની પાસે મોકલ્યો. તે દૂત દ્વિમુખ રાજા પાસે આવી તેને નમીને બોલ્યો કે “તમારા મસ્તક પર રહેલા મુકુટરત્નને અમારા રાજા માટે સત્વર આપો, નહિ તો યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ.” તે સાંભળીને દ્વિમુખ રાજા બોલ્યો કે “જો તારો રાજા મને ચાર વસ્તુઓ આપે તો હું આ મુકુટરત્ન આપું. તે ચાર વસ્તુ આ પ્રમાણે :- અનલગિરિ નામનો ગન્ધહસ્તી, અગ્નિભીરુ ૨થ, શિવા નામની પદ્મિની રાણી અને લોહબંધ નામનો દૂત.” તે સાંભળીને દૂતે જઈને ચંડપ્રદ્યોત રાજાને તે વૃત્તાંત કહ્યું; તેથી કોપાગ્નિથી પ્રજ્વલિત થયેલા પ્રદ્યોતરાજાએ તરત જ પ્રયાણ ભેરી વગડાવી. અને સૈન્ય સહિત તે અવંતી (પાંચાળ) દેશ તરફ ચાલ્યો. તેના સૈન્યમાં બે લાખ હાથીઓ, પચાસ હજાર અશ્વો, બે હજાર અશ્વરથો અને શત્રુને વિપત્તિ આપનારા સાત કરોડ પત્તિઓ (પાયદળ) હતા. દ્વિમુખરાજા પણ ચરના મુખથી પ્રદ્યોતને આવતો સાંભળી સૈન્ય સહિત સન્મુખ ચાલ્યો. બે સૈન્ય એકઠા મળ્યા એટલે પ્રદ્યોતે પોતાના સૈન્યમાં અતિ દુર્ભેદ્ય ગરુડવ્યૂહ રચ્યો અને દ્વિમુખે પોતાના સૈન્યમાં વાર્દિવ્યૂહ રચ્યો. બન્ને સૈન્ય વચ્ચે મહાયુદ્ધ થયું; પણ દિવ્ય મુકુટના પ્રભાવથી દ્વિમુખરાજા જીતાયો નહીં; એટલે શ્રાંત થયેલો પ્રદ્યોત રાજા નાઠો. તેને દ્વિમુખે સસલાની જેમ પકડી લીધો અને ક્રૌંચબંધનથી બાંધી પગમાં દૃઢ બેડી નાંખી કેદ કર્યો. કહ્યું છે કે - महानपि जनो लोभात्, काः का आपद नाश्नुते । “મોટા માણસો પણ લોભને વશ થવાથી કઈ કઈ આપત્તિઓ પામતા નથી ? અર્થાત્ બધી આપત્તિઓ પામે છે.” થોડા વખત પછી અનુક્રમે તેને બંધનમુક્ત કરીને રાજાએ માનથી પોતાના અર્ધ આસન પર બેસાડ્યો. એકદા રાજપુત્રી મદનમંજરીને જોઈને તેના પર ગાઢ અનુરાગ થવાથી પ્રદ્યોત અત્યંત આકુળ-વ્યાકુળ થયો. કામજ્વરના દાહથી પુષ્પશય્યામાં પણ તે કિંચિત્ શાંતિ પામ્યો નહીં, વર્ષ જેવડી મોટી થઈ પડેલી તે રાત્રીને મહાકરે નિર્ગમન કરીને પ્રાતઃકાળે તે રાજા સભામાં આવ્યો, તેને અતિ ઉદ્વિગ્ન થયેલો જોઈને દ્વિમુખરાજાએ પૂછ્યું કે “હે અવન્તીપતિ ! તમારા મનમાં શી ચિંતા પેઠી છે કે જેથી હિમથી કમલિનીની જેમ તમારું મુખ ગ્લાનિ પામેલું જણાય છે? તેનું કારણ જણાવ્યા સિવાય તેનો ઉપાય શી રીતે થઈ શકશે ?” તે સાંભળીને પ્રદ્યોત દીર્ઘ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ નિઃશ્વાસ મૂકીને લજ્જાનો ત્યાગ કરી બોલ્યો કે “જો મારું કુશળ ઈચ્છતા હો તો તમારી પુત્રી મને આપો, નહિ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” તે સાંભળીને પુત્રીને યોગ્ય વરની પ્રાપ્તિ થયેલી માની મોટા ઉત્સવથી દ્વિમુખે પોતાની પુત્રી તેને પરણાવી. પછી પ્રદ્યોતરાજા પોતાના જન્મની સફળતા માની દ્વિમુખની રજા લઈને હર્ષથી પોતાની પુરીએ ગયો. એકદા ઈન્દ્રોત્સવનો દિવસ આવવાથી દ્વિમુખરાજાએ પૌરજનોને ઈન્દ્રધ્વજ સ્થાપન કરવાની આજ્ઞા કરી; તેથી પૌરજનોએ ઈન્દ્રધ્વજના સ્થંભને ઊભો કરીને તેને શ્વેત ધ્વજાઓ, પુષ્પમાળાઓ અને પુષ્કળ ઘુઘરીઓથી શણગાર્યો, પછી વાજિંત્રના નાદપૂર્વક તેની પુષ્પફળાદિક વડે પૂજા કરી. પછી કેટલાકએક તેની પાસે નૃત્ય કરવા લાગ્યા અને કેટલાએક ગીત ગાવા લાગ્યા. એ પ્રમાણે સાત દિવસ સુધી મહોત્સવ પ્રવર્યો. આઠમે દિવસે પૂર્ણિમાને રોજ રાજાએ પણ મોટી સમૃદ્ધિથી ત્યાં આવીને તેની પૂજા કરી. ઉત્સવ પૂર્ણ થયા પછી પૌરજનો તે ઈન્દ્રધ્વજને શોભાવવા માટે ધરાવેલા પોતપોતાના વસ્ત્રાદિક લઈ ગયા, અને કાષ્ટ માત્ર બાકી રહેલા તે સ્થંભને પાડીને પૃથ્વી પર નાખી દીધો. બીજે દિવસે વિષ્ટા અને મૂત્રથી લીંપાયેલો, અપવિત્ર સ્થાને પડેલો અને બાળકો જેના પર ચડીને ક્રીડા કરતા હતા એવો તે સ્થંભ બહાર નીકળેલા રાજાએ જોયો. તે જોઈને વૈરાગ્ય પામેલા રાજાએ વિચાર કર્યો કે “જે મહાધ્વજ ગઈ કાલે સર્વ લોકોથી પૂજાતો હતો તે જ મહાધ્વજ આજે મોટી વિડંબનાને પામે છે, માટે લક્ષ્મીની શોભા સર્વ ક્ષણભંગૂર છે. કહ્યું છે કે - आयाति याति च क्षिप्रं, या संपत् सिन्धुपूरवत् । पांसुलायामिव प्राज्ञा-स्तस्यां को नाम रज्यते ॥१॥ ભાવાર્થ - જે સંપત્તિ નદીના પૂરની જેમ અથવા સમુદ્રની ભરતીની જેમ જલદી આવે છે અને જલદી જાય છે તે પાંસુલી સ્ત્રીના જેવી સંપત્તિ ઉપર છે ડાહ્યા પુરુષો ! કોણ આસક્તિ કરે ?” માટે હું પ્રાયઃ વિડંબનાભૂત એવી આ રાજ્યસંપદાને તજીને મુક્તિ આપનારી સમતારૂપ સામ્રાજયસંપદાનો આશ્રય કરું.” એમ વિચારી જેનો મમતારૂપી અગ્નિ શાંત થયો છે એવા તે દ્વિમુખરાજાએ તે જ વખતે પોતે જ કેશનો લોચ કરીને દેવદત્ત મુનિવેષને ધારણ કરી પૃથ્વી પર વિહાર કર્યો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં શ્રી વીરસ્વામીએ કહ્યું છે કે - करकंडु कलिंगेसु, पांचालेसु य दुमुहो । नमिराया विदेहेसु, गंधारेसु च नग्गइ ॥१॥ ઉ.ભા.-૫-૧૮ Page #275 -------------------------------------------------------------------------- ________________ Per cammin ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ભાવાર્થ - “કલિંગદેશમાં કરકંડુરાજા, પાંચાલદેશમાં દ્વિમુખરાજા, વિદેહદેશમાં નમિરાજા અને ગાંધારદેશમાં નગતિરાજા થયા છે.” આ ચારે રાજાઓ પુષ્પોત્તર વિમાનથી એક કાળે અવ્યા, એક કાળે દીક્ષા લીધી અને એક કાળે મોક્ષપદને પામ્યા. આ ચારે રાજાઓ મુનિ થયા પછી એકત્ર મળતાં તેમને પરસ્પર સંવાદ થયો હતો. તે હકીક્ત આ પ્રમાણે છે – આ ચારે મુનિઓ વિહાર કરતા કરતા એકદા ક્ષિતિપ્રતિષ્ઠપુરમાં આવ્યા. ત્યાં ગામની બહાર કોઈ એક યક્ષનું ચાર દ્વારવાળું ચૈત્ય હતું. તેમાં પૂર્વાભિમુખે તે વ્યંતરની પ્રતિમા રહેલી હતી. તેમાં પ્રથમ પૂર્વના દ્વારથી કરકંડ મુનિએ પ્રવેશ કર્યો. પછી દક્ષિણ તરફના દ્વારથી દ્વિમુખમુનિએ પ્રવેશ કર્યો. તે વખતે યક્ષે વિચાર્યું કે “હું સાધુથી પરાક્રમુખ કેમ રહું?” એમ ધારીને તેણે દક્ષિણ તરફ બીજું મુખ કર્યું. પછી નમિમુનિએ પશ્ચિમના દ્વારથી પ્રવેશ કર્યો, ત્યારે પણ તે યક્ષ ત્રીજું મુખ કરીને સન્મુખ રહ્યો. પછી ઉત્તરના દ્વારથી નગ્નતિમુનિએ પ્રવેશ કર્યો, ત્યારે યક્ષે તે તરફ ચોથું મુખ કર્યું. આ પ્રમાણે તે યક્ષ મુનિની ભક્તિથી ચતુર્મુખ થયો. - હવે કરકંડ મુનિને સુખી ખરજ હજુ સુધી પણ દેહમાં હતી, તેથી શરીરે ખરજ આવવાથી તેણે ખરજ ખણવાનું અધિકરણ લઈને ખરજ ખણી, પછી તેને સંતાડતા જોઈ દ્વિમુખમુનિ બોલ્યા કે “હે કરકંડ મુનિ ! તમે રાજ્યાદિક સર્વનો ત્યાગ કર્યો છે ત્યારે આટલી આ ખરજ ખણવાની વસ્તુનો સંચય શા માટે કરો છો ?” તે સાંભળીને કરકંડ મુનિ તો કાંઈ બોલ્યા નહીં, પણ નમિરાજર્ષિએ દ્વિમુખમુનિને કહ્યું કે “હે મુનિ! તમે રાજયાદિક સર્વ કાર્યનો ત્યાગ કરીને નિગ્રંથ થયા છો, તો પણ અન્યના દોષને જોવારૂપ કાર્ય તો હજુ કરો છો, તે હવે તમને નિઃસંગને યોગ્ય નથી.” તે સાંભળીને દુર્ગતિરહિત થયેલા નગ્નતિમુનિએ નમિમુનિને કહ્યું કે “હે મુનિ ! તમે એમને કહો છો, પણ તમે જ્યારે સર્વનો ત્યાગ કરીને મોક્ષને માટે જ ઉદ્યમી છો, ત્યારે શા માટે વૃથા અન્યની નિંદા કરો છો?” પછી કરકંડ મુનિ સર્વને ઉદ્દેશીને બોલ્યા કે - “મોક્ષની ઈચ્છાવાળા મુનિઓને અહિતથી રોકનાર સાધુ, નિંદક શી રીતે કહેવાય?” કેમકે - या रोषात परदोषोक्तिः , सा निन्दा खल कथ्यते । सा तु कस्यापि नो कार्या, मोक्षमार्गानुसारिभिः ॥१॥ ભાવાર્થ :- “ક્રોધથી પરનો દોષ કહેવો તે નિંદા કહેવાય છે. તે નિંદા મોક્ષમાર્ગને અનુસરનારા મુનિઓએ કોઈની પણ કરવી નહીં.” हितबुद्ध्या तु या शिक्षा, सा निन्दा नाभिधीयते । अत एव च सान्यस्य, कुप्यतोऽपि प्रदीयते ॥२॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૬૫ -- ભાવાર્થ :- “હિતબુદ્ધિથી જે શિખામણ આપવી તે નિન્દા કહેવાતી નથી. માટે તેવી શિક્ષા સામો માણસ કોપ કરે તો પણ આપવી.” આગમમાં કહ્યું છે કે - रुसउ वा परो मा वा, विसं वा परिअत्तओ । भासिअव्वा हि भासा, सपक्खगुणकारिया ॥ १ ॥ ભાવાર્થ :- “સામો માણસ કોપ કરો અથવા ન કરો અથવા તો વિષ જેવી કડવી લાગો; પરંતુ શત્રુને પણ ગુણ કરે તેવી હિતકારી ભાષા બોલવી.’ આ પ્રમાણે શ્રી કરકંઠુમુનિએ ઉપદેશ આપ્યો, તે ત્રણે મુનિઓએ હર્ષથી અંગીકાર કર્યો; અને કરકંઠુમુનિ શરીર ખણવાની વસ્તુનો ત્રિવિધે ત્રિવિધે ત્યાગ કરીને સંપૂર્ણ નિઃસ્પૃહી થયા. ત્યારથી ખરજ આવે તે વખતે પણ તેને ખણવારૂપ તેનો સત્કાર તજી દીધો. દ્વિમુખમુનિએ વિચાર્યું કે “મેં સાધુ થઈને પણ કકંઠુમુનિને ખજવાળતાં જોઈ તેની નિંદા કરી, તે મેં યોગ્ય કર્યું નહીં; માટે આજથી મારે સમતા જ રાખવી.” આ પ્રમાણે સર્વ મુનિઓએ પોતપોતાના વચનને સામ્ય રહિત અયોગ્ય માનીને વિશેષે સમતા ધારણ કરી. પછી તેઓએ યથારુચિ ત્યાંથી વિહાર કર્યો. છેવટે તે ચારે સાથે જ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. લખ્યું છે. આ પ્રમાણે શમગુણથી શોભતા ચારે પ્રત્યેકબુદ્ધોનું સંપ્રદાયને અનુસારે ટુંકું ચરિત્ર અહીં ૩૫૦ પ્રત્યેકબુદ્ધ નગ્ગતિનું ચરિત્ર अथ नग्गतिसंज्ञस्य, संबुद्धस्याम्म्रपादपात् । तुर्यप्रत्येकबुद्धस्य कथां वक्ष्यामि तद्यथा ॥१॥ ભાવાર્થ :- “હવે આમ્રવૃક્ષને જોઈને બોધ પામેલા નગતિ નામના ચોથા પ્રત્યેકબુદ્ધની કથા કહેવામાં આવે છે.” તે આ પ્રમાણે - ગાંધારદેશમાં સિંહસ્થ નામે રાજા હતો. તેને એકદા વિપરીત શીખવેલા બે ઘોડાઓ ભેટમાં આવ્યા. તે અશ્વની ગતિની પરીક્ષા કરવા માટે એક અશ્વ પર ચડીને રાજા ક્રીડા કરવા ગયો. તે વિપરીત શિક્ષા પામેલો અશ્વ નદીના પૂરની જેમ દોડતો બાર યોજન દૂર નીકળી ગયો અને એક મહારણ્યમાં રાજાને લાવી મૂક્યો. રાજાએ તે અશ્વની લગામ ખેંચી ખેંચીને શ્રાંત થવાથી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬) ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ તેને મૂકી દીધી, એટલે તરત જ તે અશ્વ ત્યાં ઉભો રહ્યો. પછી રાજાએ નીચે ઉતરીને અશ્વને વૃક્ષ સાથે બાંધી ફળાદિકથી પ્રાણવૃત્તિ કરી. પછી રાત્રિયાસો કરવા માટે તે પાસેના પર્વત પર ચડ્યો. ત્યાં એક સાતમાળનું મંદિર જોઈને રાજા તેમાં પેઠો. તે મહેલમાં એક મૃગ સરખા નેત્રવાળી કન્યા તેના જોવામાં આવી. તે કન્યાએ રાજાને જોઈને તરત ઊભા થઈ તેને આસન આપ્યું. પછી તેને પૂછ્યું કે “હે સુભગા ! તું કોણ છે? અને અહીં એકલી કેમ રહે છે?” તે બોલી કે “પ્રથમ તમે મને ગાન્ધર્વવિવાહથી પરણો, પછી હું મારું સર્વ વૃત્તાંત તમને કહીશ.” તે સાંભળીને રાજાએ તેની સાથે ગાન્ધર્વવિવાહ કર્યો. પછી તે સ્ત્રી પોતાનું વૃત્તાંત કહેવા લાગી કે “હે સ્વામી ! આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપુર નામે નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે એકદા ચિત્રશાળા કરવા માટે ચિત્રકારોને બોલાવીને આજ્ઞા કરી કે “આ શહેરમાં તમારા જેટલા ઘર હોય તેટલા વિભાગ કરીને તમે આ સભા ચિતરો.” ચિતારાઓ તે પ્રમાણે ભાગ પાડીને સભા ચિતરવા લાગ્યા. તે ચિત્રકારોમાં એક વૃદ્ધ ચિત્રકાર હતો. તેને સહાયભૂત કોઈ નહોતું. માત્ર એક કનકમંજરી નામે તેને પુત્રી હતી. તે હંમેશાં પિતાને માટે ત્યાં ખાવાનું લઈને આવતી. તે વૃદ્ધ ચિત્રકાર જયારે ખાવાનું આવતું ત્યારે શૌચ માટે બહાર જતો. એકદા કનકમંજરી ભોજન લઈને રાજમાર્ગે આવતી હતી તે વખતે રાજા ઘોડેસ્વાર થઈને ઘોડો દોડાવતો ત્યાંથી નીકળ્યો. તેને જોઈને ભય પામેલી કનકમંજરી દોડીને સભામંડપમાં આવતી રહી. તે સમયે રાજા પણ સભા જોવા માટે ત્યાં આવ્યો. તેણે ચિત્ર જોતાં-જોતાં ભીંત પર ચિત્રેલું એક મોરનું પીછું લેવા માટે એકદમ પોતાનો હાથ તેના ઉપર નાંખ્યો; એટલે તે પીછું તો હાથમાં આવ્યું નહીં, પણ ઉલટો આંગળીનો નખ ભાંગી ગયો; તેથી લજ્જિત થયેલા રાજાને જોઈને કનકમંજરી વિલાસપૂર્વક હાસ્ય કરીને બોલી કે “હવે માંચો (ખાટલો) ચારે પાયાથી પૂર્ણ થયો.” તે સાંભળીને રાજાએ આગ્રહથી તેને પૂછ્યું કે “શી રીતે પૂર્ણ થયો?” ત્યારે તે બોલી કે “આજે ખાવાનું લઈને હું અહીં આવતી હતી, ત્યારે રાજમાર્ગે મેં કોઈ માણસને અશ્વ દોડાવતો જતો જોયો, તે પહેલો મૂર્ખ. તેને મૂર્ખાઈરૂપ માંચાનો પહેલો પાયો સમજવો; કેમકે રાજમાર્ગ બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો વગેરેના જવા આવવાથી સાંકડો થયેલો હોય છે; તેથી ડાહ્યા પુરુષો ત્યાં ત્વરાથી અશ્વ દોડાવતા નથી. બીજો મૂર્ખ અહીંનો રાજા છે; કેમકે તેણે પરનું દુઃખ જાણ્યા વિના જ બીજા યુવાન ચિત્રકારોની જેટલો જ ભાગ ચિતરવા માટે મારા વૃદ્ધ અને પુત્ર વિનાના પિતાને આપ્યો છે. ત્રીજો મૂર્ખ મારો પિતા છે, કેમકે જ્યારે હું ભોજન લઈને આવું છું ત્યારે જ તે દેહચિંતા માટે બહાર જાય છે, પણ આગળ કે પાછળ જતા નથી; અને ચોથા મૂર્ખ તમે; કેમકે ભીંત ઉપર મયૂર ક્યાંથી હોય કે જેનું પીછું લેવા તમે હાથ લંબાવ્યો? એટલી પણ ખબર ન પડી, માટે તે ચોથો પાયો.” આ પ્રમાણે તે કન્યાના વાક્યો સાંભળીને તેને સત્ય માની રાજાએ વિચાર્યું કે “આની સાથે લગ્ન કરીને મારો જન્મ સફળ કરું.” પછી રાજાના કહેવાથી મંત્રીએ તેના પિતા પાસે કનકમંજરીની માગણી કરી, તેથી હર્ષ પામીને તેણે પોતાની પુત્રી રાજાને પરણાવી. Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫. ૨૬૭ એકદા કનકમંજરી પોતાનો વારો હોવાથી દાસીની સાથે રાજાના શયનગૃહમાં આવી. રાજા સૂતો, ત્યારે પ્રથમથી સંકેત કરી રાખેલી દાસીએ કનકમંજરીને કહ્યું કે “હે દેવી! તમને અદૂભૂત કથાઓ ઘણી આવડે છે, માટે તેમાંથી એક આજે કહો.” ત્યારે તે બોલી કે “રાજા ઉંધી જશે ત્યારે કહીશ.” તે સાંભળીને તેની વાર્તા સાંભળવાની ઈચ્છાથી રાજાએ ખોટી નિદ્રાનો દેખાવ કર્યો, એટલે કનકમંજરીએ વાર્તા કહેવા માંડી કે “એક શ્રેષ્ઠિએ એક હાથનું ચૈત્ય કરાવ્યું અને તેમાં ચાર હાથની દેવપ્રતિમા સ્થાપન કરી.” તે સાંભળી દાસીએ પૂછ્યું કે “એક હાથના ચૈત્યમાં ચાર હાથની પ્રતિમા કેમ રહી શકે ?” એ મારા સંશયને દૂર કરો; ત્યારે રાણી બોલી કે “અત્યારે તો નિદ્રા આવે છે, કાલે કહીશ.” એમ કહીને રાણી સૂઈ ગઈ. બીજે દિવસે તેનું સમાધાન સાંભળવાની ઈચ્છાથી રાજાએ તેને જ વારો આપ્યો. પછી પહેલી રાત્રિની જેમ રાજા ખોટી નિદ્રા લેવા લાગ્યો, ત્યારે દાસીએ પૂછ્યું કે “હે સ્વામિની ! કાલની શંકાનો જવાબ આપો.” ત્યારે રાણી બોલી કે ચાર હાથની પ્રતિમા એટલે તે પ્રતિમાને ચાર બાહુ હતા પણ તે “ચાર હાથ ઊંચી નહોતી, અર્થાત્ ઊંચાઈમાં તો એક હાથથી નાની હતી, તેથી એક હાથ ઊંચા ચૈત્યમાં તે રહી શકી.” પછી દાસીએ બીજી વાર્તા કહેવાનું કહ્યું, ત્યારે રાણી બોલી કે “કોઈ વનમાં રાતો અશોક વૃક્ષ હતો. તેને સેંકડો શાખાઓ હતી, પણ તેની છાયા પૃથ્વી પર બીલકુલ પડતી નહોતી.” ત્યારે દાસીએ પૂછ્યું કે “એવડા મોટા વૃક્ષને છાયા કેમ ન હોય? હોવી જ જોઈએ.” રાણી બોલી કે “અત્યારે તો નિદ્રા આવે છે; કાલે જવાબ આપીશ.” એમ કહી સૂઈ ગઈ. ત્રીજે દિવસે પણ રાજાએ તેને વારો આપ્યો. એટલે રાત્રે પૂર્વની જેમ દાસીએ પૂછ્યું, ત્યારે રાણીએ તેનો ખુલાસો આપ્યો કે “તે વૃક્ષ કૂવા ઉપર હતું; તેથી તેની છાયા કૂવામાં પડતી હતી, એટલે તે પૃથ્વી પર પડતી નહોતી.” આ પ્રમાણે કનકમંજરીએ છ માસ સુધી વાર્તાઓ કહીને રાજાને વશ કર્યો; તેથી બીજી રાણીઓ કનકમંજરી ઉપર કોપાયમાન થઈને તેના છિદ્રો શોધવા લાગી. - હવે કનકમંજરીને એવો નિયમ હતો કે તે હંમેશાં એકવાર ઓરડો બંધ કરીને પોતાના પિતાના ઘરના લુગડાં પહેરી રાજાએ આપેલાં ઉત્તમ વસ્ત્રો તથા આભૂષણો કાઢી નાંખીને પૂર્વાવસ્થાનું સ્મરણ કરી પોતાના આત્માની નિંદા કરતી કે “અરે જીવ! તું મદ કરીશ નહીં, ઋદ્ધિગૌરવ કરીશ નહીં, કેમકે કદાચિત રાજા કોહેલી કૂતરીની જેમ તને ઘરમાંથી કાઢી પણ મૂકે; માટે અહંકાર ન કરીશ.” આ પ્રમાણેની તેની ચેષ્ટા માત્ર જોઈને બીજી રાણીઓએ રાજાને કહ્યું કે “હે સ્વામી ! ચિતારાની દીકરી જે તમારી માનીતી છે તે હમેશાં કાંઈક કામણ કરે છે, માટે તે તમે જાતે પ્રમાદ મૂકીને જુઓ અને તમારી ખાત્રી કરો; નહિ તો તેની ઉપરના મોહથી તમે કંઈ પણ કામ કરવા જેવા રહેશો નહીં (નકામા થઈ જશો).” તે સાંભળીને રાજા પોતે પ્રચ્છન્ન રીતે જોવા માટે ગયો. તે વખતે કનકમંજરીને હંમેશની જેમ પોતાના આત્માને શિખામણ આપતી જોઈ. તેનાં તેવાં વચનો સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ વિચાર કર્યો કે - Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ मदोन्मत्ता भवत्यन्ये, स्वल्पायामपि संपदि । असो तु संपदुत्कर्ष, संप्राप्तापि न माद्यति ॥ “બીજી સ્ત્રીઓ થોડી સંપત્તિમાં પણ મદોન્મત્ત થયેલી છે, પરંતુ આ તો મોટી સમૃદ્ધિ પામ્યા છતાં પણ ગર્વ કરતી નથી.” મારી બીજી રાણીઓ ઈર્ષાથી આના ગુણને પણ દોષરૂપે જુએ છે; પરંતુ દુર્જનનો એવો સ્વભાવ જ હોય છે. કહ્યું છે કે – जाड्यं हीमति गण्यते व्रतरुचौ दंभः शुचौ कैतवं । शूरे घृणता ऋजौ विमतिता दैन्यं प्रियालापिनी ॥ तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिः स्थिरे । तत्को नाम गुणो भवेत् स गुणिनां यो दुर्जनै कितः ॥१॥ ભાવાર્થ - “દુર્જનો લજજાવંતને વિષે જડતા ગણે છે, વ્રતની રુચિવાળાને વિષે દંભનો આરોપ કરે છે, પવિત્રને વિષે કપટ કહે છે, શૂરવીરને નિર્દય કહે છે, સરલ સ્વભાવવાળાને મૂર્ખ કહે છે, પ્રિય વચન બોલનારને દીન કહે છે, તેજસ્વી હોય તો ગર્વિષ્ઠ કહે છે, વક્તા હોય તો વાચાળ કહે છે અને સ્થિરતાવાળો હોય તો અશક્તિમાન કહે છે, માટે એવો કયો ગુણ છે કે જેને દુર્જનોએ કલંકિત કર્યો નથી?” અર્થાત તેણે સર્વ ગુણોને કલંક વડે અંકિત કરેલા છે. આ પ્રમાણે વિચારીને રાજાએ તેને પટ્ટરાણી કરી. એકદા રાજાએ પટ્ટરાણી સાથે ધર્મોપદેશ સાંભળીને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી અનુક્રમે તે ચિત્રકારની પુત્રી ધર્મનું આરાધન કરીને સ્વર્ગ ગઈ, ત્યાંથી ચ્યવીને તે વૈતાઢ્ય પર્વત ઉપર દઢશક્તિ રાજાની પુત્રી થઈ. તે પુત્રી જ્યારે યુવાવસ્થા પામી ત્યારે તેને જોઈને મોહ પામેલો વાસવ નામનો ખેચર તેનું હરણ કરીને આ પર્વત પર લાવ્યો. અહીં વિદ્યાના બળથી આ પ્રાસાદ બનાવીને તે પરણવાને તૈયાર થયો. તેવામાં તે કન્યાનો મોટો ભાઈ અહીં આવ્યો એટલે વાસવનું ને તેનું યુદ્ધ થયું. તેને પરિણામે બન્ને જણા મૃત્યુ પામ્યા. પોતાના ભાઈના મરણથી તે કન્યા શોકાતુર થઈ અને અત્યંત રુદન કરવા લાગી. તેવામાં કોઈ વ્યંતર દેવે આવીને કહ્યું કે, “તું કેમ રૂદન કરે છે?” તેનો જવાબ તે આપે છે, તેટલામાં તે કન્યાનો પિતા ત્યાં આવ્યો. તેને આવતો જોઈને તે દેવે તે કન્યાને શબરૂપ કરી નાંખી. દઢશક્તિ રાજાએ પુત્રને તથા પુત્રીને મરેલા જોઈને ઉદ્વેગ પામી સંસારની અસારતા જાણી પોતાને હાથે લોચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાર પછી તે દેવે માયાનું હરણ કરી તે કન્યાને સચેતન કરી અને તે બન્નેએ મુનિને વંદના કરી. પછી મુનિના પૂછવાથી તે કન્યાએ પોતાના ભાઈનું વૃત્તાંત કહ્યું. ત્યારે મુનિ બોલ્યા કે “મેં હમણાં ત્રણ શબ કેમ જોયાં હતાં ?” એટલે તે દેવ બોલ્યા કે “મેં મારી માયા તમને બતાવી હતી.” મુનિએ પૂછ્યું કે “શા માટે?” દેવ બોલ્યો કે “આ કન્યા પૂર્વે ચિત્રકારની Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પુત્રી, જિતશત્રુ રાજાની રાણી અને પરમ શ્રાવિકા હતી. તેણે પોતાના પિતાના મૃત્યુ સમયે પંચ નમસ્કારાદિ વડે તેની નિર્ધામણા કરી હતી, તેથી તે ચિત્રકાર મરીને વ્યંતરદેવ થયો તે હું છું, મેં અવધિજ્ઞાનથી આ મારી પૂર્વ ભવની પુત્રીને શોકાતુર જોઈને પૂર્વ ભવના પ્રેમથી તેની આશ્વાસના કરી. તે વખતે તમને આવતા જોઈને મેં વિચાર્યું કે “હવે આ પુત્રી તેના પિતા સાથે જતી રહેશે; તેથી મને તેનો વિરહ થશે.” એમ જાણીને ચેષ્ટારહિત કરી હતી. પછી તમને નિઃસ્પૃહી (મુનિ) થયેલા જોઈને મેં મારી માયા દૂર કરી. “હે મુનિરાજ ! મારા તે અપરાધને ક્ષમા કરો.” મુનિ બોલ્યા કે “તમે મને ધર્મપ્રાપ્તિમાં હેતુભૂત થવાથી મારા ઉપકારી થયા છો.” એમ કહીને મુનિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી પોતાના પૂર્વભવના પિતા તે દેવને ઓળખીને તેણે પૂછ્યું કે “હે પિતા ! મારો પતિ કોણ થશે?” દેવે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે “હે પુત્રી ! તારો પૂર્વભવનો પતિ સ્વર્ગથી ઍવીને સિંહરથ નામે રાજા થયો છે. તે અશ્વ વડે હરણ કરાઈને અહીં આવશે અને તે તારો પતિ થશે, માટે ધીરજ રાખીને તું અહીં જ રહે.” આ પ્રમાણે પ્રિયાએ કહેલું વૃત્તાંત સાંભળીને સિંહરથરાજાને જાતિસ્મરણ થવાથી તે સંદેહરહિત થયો. પછી તે સ્ત્રીની સાથે રાજા એક માસ સુધી ત્યાં આનંદથી રહ્યો. એકદા તે સ્ત્રીએ રાજાને કહ્યું કે “હે પ્રિય! તમારું નગર અહીંથી ઘણે દૂર છે, માટે મારી પાસેથી તમે પ્રજ્ઞપ્તિ વિદ્યા ગ્રહણ કરો.” રાજાએ તે વિદ્યા ગ્રહણ કરીને વિધિપૂર્વક તેનું સાધન કર્યું. પછી વિદ્યા સિદ્ધ કરીને રાજા આકાશમાર્ગે પોતાના નગરમાં ગયો, ત્યાંથી પાછો તે પર્વત પર આવ્યો. એવી રીતે તે રાજા વારંવાર પર્વત ઉપર જતો અને પાછો પોતાના નગરમાં આવતો; તેથી લોકોએ નગ એટલે પર્વત પર આની ગતિ છે એમ જાણીને તેનું નગ્નતિ એવું સાર્થક નામ પાડ્યું. તે વિદ્યાધરની પુત્રી કનકમંજરી તો તે વ્યંતરદેવના કહેવાથી તે પર્વત પર જ રહી; તેથી નગ્નતિરાજાએ ત્યાં નવું નગર વસાવ્યું. એકદા કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાજા સૈન્ય સહિત નગર બહાર નીકળીને રમવાડીએ જવા ચાલ્યો. ત્યાં નવીન પલ્લવોથી રક્ત અને માંજરોથી પીત દેખાતો એક સદા ફળવાળો છત્રાકાર આમ્રવૃક્ષ જોયો; એટલે તે મનોહર વૃક્ષની એક માંજર રાજાએ માંગલિકને માટે ગ્રહણ કરી અને ત્યાંથી આગળ ચાલ્યો. પાછળથી આખા સૈન્ય તેના પત્ર, પલ્લવ અને માંજર લઈને તે વૃક્ષને ઠુઠારૂપ કરી નાંખ્યું. થોડી વારે રાજા પાછો વળી તે જ જગ્યાએ આવ્યો. ત્યારે તેણે “પેલો આંબો ક્યાં છે?” એમ મંત્રીને પૂછ્યું. ત્યારે મંત્રીએ તે ઠુંઠું બતાવ્યું, તે જોઈને ફરીથી રાજાએ પૂછ્યું કે “તે આવો કેમ થઈ ગયો?” મંત્રીએ કહ્યું કે “હે સ્વામી ! આ વૃક્ષની એક મંજરી પ્રથમ આપે ગ્રહણ કરી ત્યારપછી સૈન્યના સર્વ લોકોએ તેના પત્ર, પુષ્પ તથા ફળ વગેરે લઈને જેમ ચોર લોકો ધનિકને લક્ષ્મી વિનાનો કરી નાખે તેમ તેને શોભારહિત કરી નાખ્યો.” તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે “અહો ! લક્ષ્મી (શોભા) કેવી ચંચળ છે? જુઓ ! આ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭o ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ અદ્દભૂત લક્ષ્મીવાળો આમ્રવૃક્ષ ક્ષણવારમાં લક્ષ્મીરહિત થઈ ગયો. જે પ્રથમ સંતોષ કરનાર હોય તે ક્ષણાંતરમાં જ વમન કરેલા ભોજનની જેમ જોવા યોગ્ય પણ રહેતું નથી. જેમ જળના બુદબુદો (પરપોટા) અને સંધ્યા સમયની કાંતિ સ્થિર રહેતી નથી, તેમ સર્વ સંપત્તિઓ પણ અસ્થિર છે એમ નિશ્ચય થાય છે.” * આ પ્રમાણે વિચાર કરીને પોતાની મેળે કેશનો લોચ કરી દેવદત્ત મુનિવેષ ધારણ કરીને ગાન્ધારદેશના રાજા નગ્ગતિએ ચારિત્ર અંગીકાર કર્યું અને ત્યાંથી તે ચોથા પ્રત્યેકબુદ્ધે પૃથ્વી પર વિહાર કર્યો. ૩૫૧ કેટલાક લજજાથી પણ ગ્રહણ કરેલા વ્રતને તજતા નથી लज्जातो गृहीतां दीक्षां, निर्वहति यदा नरः। तदा सत्त्वेषु योग्यात्मा, लक्ष्यते भवदेववत् ॥१॥ ભાવાર્થ:- “જ્યારે માણસ લજ્જાથી પણ ગ્રહણ કરેલી દીક્ષાનું પાલન કરે છે, ત્યારે તે ભવદેવની જેમ પૈર્યવાન પુરુષોમાં યોગ્ય આત્મા જણાય છે.” આ અર્થનું સમર્થન કરવા માટે સંપ્રદાયાગત ભવદેવનો સંબંધ કહેવામાં આવે છે. ભવદેવની કથા સુગ્રામ નામના ગામમાં રાઠોડવંશી આર્યવાન નામનો એક કૌટુંબિક (કણબી) રહેતો હતો. તેને રેવતી નામે સ્ત્રી હતી, અને ભવદત્ત તથા ભવદેવ નામે બે પુત્રો હતા. તેમાંના ભવદને સંસારથી વિરક્ત થઈને વૈરાગ્યથી સુસ્થિત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ગુરુની સાથે વિહાર કરતાં તે ભવદત્તમુનિ ગીતાર્થ થયા. એકદા કોઈ સાધુ ગુરુની રજા લઈને પોતાને ગામ પોતાના નાના ભાઈને પ્રતિબોધ આપવા માટે ગયા; પણ ત્યાં તેનો ભાઈ તો વિવાહના કાર્યમાં વ્યગ્ર હતો, તેથી તેણે પોતાના મોટા ભાઈ-મુનિને આવેલા પણ જાણ્યા નહીં; એટલે ખેદયુક્ત થઈને તે મુનિએ ગુરુ પાસે પાછા આવી સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળીને ભવદત્તમુનિ બોલ્યા કે, “અહો ! તમારા ભાઈનું હૃદય તો બહુ કઠણ લાગે છે કે જેથી તમારો સત્કાર પણ તેણે કર્યો નહીં.” ત્યારે તે મુનિ બોલ્યા કે “ત્યારે તમે તમારા નાના ભાઈને દીક્ષા અપાવો.” તે સાંભળી ભવદત્ત બોલ્યા કે “જ્યારે ગુરુ તે દેશ તરફ વિહાર કરશે ત્યારે તે કૌતુક તમને બતાવીશ.” Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ અન્યદા ગુરુમહારાજ વિહાર કરતાં કરતાં ભવદત્તના ગામ તરફ ગયા; ત્યારે ગુરુની આજ્ઞા લઈને ભવદત્ત પોતાને ઘેર ગયા. તે વખતે ભવદેવ નાગદત્તની નાગિલા નામની કન્યાને તરતમાં જ પરણ્યો હતો. ભવદત્તમુનિએ ભાઈને ઘેર જઈ ધર્મલાભ આપ્યો ત્યારે તેના સ્વજનોએ તેમને પ્રાસુક અન્નથી પ્રતિલાવ્યા. તે સમયે કુળાચારને લીધે ભવદેવ પોતાની સ્ત્રીને શણગારવાના પ્રારંભમાં તેના વક્ષ:સ્થળ પર ચંદનના રસથી અંગરાગ કરતો હતો, ત્યાં તેણે મોટા ભાઈને આવેલા સાંભળ્યા; એટલે તેને અર્ધી શણગારેલી નાગિલાને પડતી મૂકીને તરત જ તે મુનિને વાંદવા આવ્યો. પછી ભવદત્તમુનિએ ત્યાંથી પાછા વળી ગુરુ પાસે આવતાં નાના ભાઈના હાથમાં ઘીનું પાત્ર આપ્યું. તેમને વળાવવા માટે આવેલા સર્વ સ્વજનો થોડે દૂર જઈને અનુક્રમે પાછા વળ્યા; પણ ભવદવ તો ભવદત્તમુનિએ કરવા માંડેલી બાલ્યક્રીડાની વાતો સાંભળતો-સાંભળતો ભાઈની (મુનિની) સાથે જ ચાલ્યો. અનુક્રમે પોતાના ભાઈ સહિત ભવદત્તમુનિને આવતા જોઈને સર્વ સાધુઓ બહુ વિસ્મય પામ્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા કે “અહો ! આ ભવદેવ શું બાલ્યવયમાં જ દીક્ષા લેશે?” પછી ભવદત્ત મુનિ ગુરુને નમીને બોલ્યા કે “આ મારો ભાઈ આપની પાસે દીક્ષા લેવા આવ્યો છે.” ત્યારે ગુરુએ ભવદેવને પૂછ્યું કે “તારે દીક્ષા લેવી છે?” તે સાંભળી ભવદેવે વિચાર્યું કે “મારા મોટા ભાઈનું વચન મિથ્યા ન થાઓ.” એમ વિચારીને તે બોલ્યો કે “હે ગુરુ ! હું દીક્ષા માટે જ આવ્યો છું.” તે સાંભળીને ગુરુએ તેને દીક્ષા આપી. અનુક્રમે તે વૃત્તાંત તેના સ્વજનોએ જાણ્યો, એટલે તેઓ ત્યાં આવ્યા, પણ તેણે દીક્ષા લીધેલી દેખીને પાછા ગયા. હવે ભવદેવમુનિ મોટા ભાઈના ઉપરોધથી વ્રતનું પાલન કરતો હતો, પણ યોગીના હૃદયમાં પરમાત્માની જેમ તેના હૃદયમાં નાગિલાનું ચિંતન થયા કરતું હતું, કેટલાક વર્ષ પછી ભવદત્તમુનિ અનશન ગ્રહણ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યારે ભવદેવે વિચાર્યું કે “અહો ભવદત્ત તો સ્વર્ગે ગયા; હવે મારે વ્રતનો પરિશ્રમ શા માટે કરવો? મારા જીવિતને ધિક્કાર છે? કેમકે હું અર્થી શણગારેલી પ્રાણપ્રિયાનો ત્યાગ કરીને અહીં આવ્યો છું, માટે હવે તો ઘેર પાછો જાઉં.” એમ વિચારીને સંયમથી ભ્રષ્ટ મનવાળો થઈ તે પોતાના નગર તરફ ચાલ્યો. ત્યાં નગરની બહારના ઉપવનમાં એક વૃદ્ધ સ્ત્રીને બીજી કંઈક જરા આવેલી સ્ત્રી સાથે જોઈને તેણે પૂછ્યું કે “હે ડોશી ! આ ગામમાં ભવદેવની સ્ત્રી નાગિલા રહે છે તે કુશળ છે?” તે સાંભળીને કાંઈક જરા આવેલી સ્ત્રી નાગિલા જ હતી તેથી તેણે ભવદેવને ઓળખીને પૂછ્યું કે “હે મુનિ ! શું તમે જ નાગિલાના પતિ છો ?” ભવદેવ બોલ્યો કે “હા, તે જ હું છું. મારા મોટા ભાઈ કાળ કરી સ્વર્ગે જવાથી ભોગમાં ઉત્સુક એવો હું અહીં આવ્યો છું, માટે તું મને નાગિલાના ખબર આપ.” તે સાંભળી નાગિલા બોલી કે “હે મહાત્મા ! હું જ તે નાગિલા છું. મારા દેહમાં તમે શું લાવણ્ય જુઓ છો ?” Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ઈત્યાદિ ઘણી સારી રીતે તેને ઉપદેશ કર્યો, તો પણ ભવદેવની આસક્તિ ઓછી થઈ નહીં, તેવામાં નાગિલાની સાથે હતી તે સખીના પુત્રે ત્યાં આવીને કહ્યું કે “હે માતા ! એક વાસણ લાવો, એટલે મેં પ્રથમ ખાધેલી ખીર હું તેમાં ઓકી કાઢ્યું. મારે આજ જમવાનું નોતરું આવ્યું છે, માટે હું ત્યાં જઈને જમી આવીશ. પછી જ્યારે મને ભૂખ લાગશે ત્યારે હું ઓકી કાઢેલી ખીર ખાઈશ.” તે સાંભળીને તે વૃદ્ધા બોલી કે “હે પુત્ર ! શ્વાનથી પણ અધિક જુગુપ્સા કરવા લાયક આ કાર્ય કરવું તે તને યોગ્ય નથી.” ભવદેવ પણ બોલ્યો કે “હે બાળક ! વમન કરેલી ખીર ખાવાની ઈચ્છા કરવાથી તું શ્વાનથી હલકો ગણાઈશ.” ત્યારે નાગિલા બોલી કે “હે મહાત્મા ! તમે એવું જાણો છો, છતાં પ્રથમ વમન (ત્યાગ) કરેલી એવી જે હું તેને હવે પાછા કેમ ચાહો છો? લાજતા નથી? દુર્ગધી એવા મારા દેહમાં સારું શું જુઓ છો?” ઈત્યાદિ નાગિલાની યુક્તિયુક્ત વાણીથી પ્રતિબોધ પામેલો ભવદેવ ફરીથી ગુરુ પાસે ગયો અને ફરીથી ચારિત્ર ગ્રહણ કરી ગુરુએ કહેલા તપનો સ્વીકાર કરી છેવટે અનશનથી કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી અવીને તે શિવકુમાર થયો. ત્યાં દીક્ષા લેવા ઉત્સુક છતાં જ્યારે માતાપિતાએ તેને દીક્ષાની આજ્ઞા આપી નહીં ત્યારે ઘેર રહીને ભાવમુનિ થઈ નિરંતર છઠને પારણે આયંબિલ તપ કરવા લાગ્યો. એવી રીતે બાર વર્ષ સુધી તપ કરીને તે ભાવમુનિ કાળ કરીને બ્રહ્મદેવલોકમાં અદ્ભુત કાંતિવાળો વિદ્યુમ્માલી દેવતા થયો. “આ પ્રમાણે ભવદેવે પ્રથમ લજાના વશથી દીક્ષા લઈને તેનું દ્રવ્યથી ઘણા વર્ષ સુધી પાલન કર્યું; પછી સ્ત્રીના વચનથી પ્રતિબોધ પામીને શુદ્ધ વ્રત ધારણ કર્યું અને તેનું પ્રતિપાલન કરી સદ્ગતિનું ભાજન થયો.” ૩૫૨ જબૂરવામીનું અસ્ત્રિા गणाधिपेऽथ संप्राप्ते, पंचमे पंचमी गतिम् । जंबूर्विकासयामास, शासनं पापनाशनम् ॥१॥ ભાવાર્થ:- “પાંચમા ગણધર સુધર્માસ્વામી પાંચમી ગતિ (મોક્ષ) પામે છતે શ્રી જંબૂસ્વામીએ પાપનો નાશ કરનારા જૈનશાસનનો વિકાસ કર્યો.” શ્રી જંબૂસ્વામીની કથા એકદા વૈભારગિરિ ઉપર શ્રી મહાવીરસ્વામી સમવસર્યા. તે સાંભળીને શ્રેણિક રાજા સર્વ Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૨૭૩ સમૃદ્ધિથી ત્યાં જઈ પ્રભુને વાંદી દેશના સાંભળવા બેઠા. તે સભામાં ચાર દેવીઓ સહિત બેઠેલા કોઈ અતિ દેદીપ્યમાન કાંતિવાળા દેવને જોઈને રાજાએ પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! સર્વ દેવોમાં આ દેવ અતિ કાંતિમાન છે તેનું શું કારણ?” ત્યારે પ્રભુ બોલ્યા કે “પૂર્વે તમારા જ દેશમાં ભવદત્ત અને ભવદવ નામના બે ભાઈઓ હતા. તેમાં મોટા ભાઈ ભવદત્તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું, પછી કેટલેક કાળે ભવદત્તના આગ્રહથી ભવદેવે પણ અર્થી શણગારેલી નાગિલા નામની પત્નીનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલેક વર્ષે ભવદત્તમુનિ સ્વર્ગે ગયા પછી ભવદવ ચારિત્રથી ભગ્ન પરિણામવાળો થયો, તેને ફરીથી નાગિલાએ જ સ્થિર કર્યો. તે ભવદેવ મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયો. ભવદત્તનો જીવ સ્વર્ગથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામની પુરીમાં વજદત્ત નામના ચક્રીની યશોધરા નામની રાણીથી પુત્રપણે ઉત્પન્ન થયો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો. ત્યારે પિતાએ તેને ઘણી કન્યાઓ પરણાવી. એકદા તે રાજકુમાર પોતાની સ્ત્રીઓ સહિત મહેલની અગાશીમાં બેઠો હતો, તે વખતે આકાશમાં વિચિત્ર વર્ણવાળા વાદળાંઓ તથા મેઘ જોઈને તે આનંદ પામ્યો. ક્ષણવારમાં પ્રચંડ વાયુ વાવા લાગ્યો, એટલે સર્વ વાદળાંઓ અને મેઘ વિખરાઈને જતા રહ્યાં. તે જોઈને રાજકુમારે વિચાર્યું કે “આ વાદળાંઓની જેમ યૌવન, ધન, સૌન્દર્ય વગેરે સર્વ અનિત્ય છે.” એમ નિશ્ચય કરીને ગુરુ પાસે જઈ તેણે દીક્ષા લીધી. અનુક્રમે અવધિજ્ઞાન પામી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. તે જ વિદેહક્ષેત્રમાં વીતશોક નામના પુરમાં ભવદેવનો જીવ સૌધર્મ દેવલોકમાંથી ઍવીને શિવકુમાર નામે રાજપુત્ર થયો. તે એકદા પોતાના મહેલના ગવાક્ષમાં બેઠો હતો, તેવામાં તે મુનિ કે જે પોતાના પૂર્વભવના ભાઈ હતા તે ત્યાંથી નીકળ્યા. તેને જોઈને શિવકુમાર અતિ હર્ષ પામ્યો. પછી મુનિ પાસે જઈ વંદના કરીને તેણે પોતાના સ્નેહનું કારણ પૂછ્યું, ત્યારે તે જ્ઞાની મુનિએ પૂર્વની સર્વ વાત કહી સંભળાવી, તે સાંભળીને તે દીક્ષા લેવા ઉત્સુક થયો, પરંતુ માતપિતાની આજ્ઞા નહીં મળવાથી તે ખેદ પામીને પૌષધશાળામાં જઈ નિરંતર છઠ્ઠ તપ કરી પારણાને દિવસે આચાર્લી વ્રત કરવા લાગ્યો. એ પ્રમાણે બાર વર્ષ સુધી તપ કરી ભાવયતિપણું સ્વીકારી ત્યાંથી કાળ કરીને બ્રહ્મલોકમાં આ વિદ્યુમ્માલી નામે દેવ થયો છે.” તે સાંભળીને શ્રેણિકરાજાએ તેનું ભાવિ વૃત્તાંત પૂછ્યું, ત્યારે શ્રી જિનેશ્વર બોલ્યા કે “આજથી સાતમે દિવસે આ દેવ અવીને આ જ નગરીમાં ઋષભ નામના શ્રેષ્ઠિની ધારિણી નામની સ્ત્રીના ગર્ભથી જંબૂ નામે પુત્ર થશે. તે આ અવસર્પિણીમાં છેલ્લા કેવળી થશે.” આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળી સર્વજનો સ્વસ્થાને ગયા. પછી સાતમે દિવસે તે દેવ સ્વર્ગથી ચ્યવી ધારિણીની કુક્ષિથી પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેનું માતાપિતાએ જંબૂ નામ પાડ્યું. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યા. એકદા વૈભારગિરિ ઉપર શ્રી સુધર્માસ્વામી સમવસર્યા. તેને નમવા માટે જંબૂકુમાર ગયા. સુધર્માસ્વામીને વાંદીને યોગ્ય સ્થાને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ બેસી અમૃત જેવી ઉજ્જવલ દેશના સાંભળીને તે પોતાના ઘર તરફ પાછા વળ્યા. ગામના દરવાજા પાસે આવતાં તે દરવાજે શત્રુને મારવા માટે ચક્ર વગેરે ગોઠવેલાં હતાં તે જોઈ જેબૂકુમારે વિચાર્યું કે “કદાચ આ મારણચક્રાદિક મારા ઉપર પડે, તો હું ધર્મ કર્યા વિના કેવી ગતિ પામું? માટે હું પાછો વળીને ગણધર પાસે જઈ જીવનપર્યત બ્રહ્મચર્યનું પચ્ચકખાણ તો લઈ આવું.” એમ વિચારી ગણધર પાસે બ્રહ્મચર્યનું પચ્ચકખાણ લઈને તે ઘેર આવ્યો. પછી માતાપિતાને તેણે કહ્યું કે “હું આપની આજ્ઞાથી શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવા ઈચ્છું છું.” આ પ્રમાણેનું કાલકૂટના જેવું તેનું વચન સાંભળીને માતાપિતાએ પુત્ર પરના સ્નેહથી મોહ પામીને સંયમની દુષ્કરતા વગેરેનું વર્ણન કર્યું. તેના અનેક ઉત્તરો આપીને જંબૂકુમારે માતપિતાને નિરુત્તર કર્યા; એટલે ફરીથી તે બોલ્યા કે “હે વત્સ! તારે માટે પ્રથમથી નક્કી કરી રાખેલી આઠ કન્યાઓને પરણીને અમારા મનોરથ પૂર્ણ કર, પછી તારે ગમે તે કરજે.” આ પ્રમાણે કહેવામાં તેના માતપિતાએ “સ્ત્રીઓના પ્રેમમાં પડવાથી પછી એ જઈ શકશે નહીં.” એવો નિશ્ચય કરીને તેને પરણવાનો આગ્રહ કર્યો, પછી મોટા ઉત્સવથી જેબૂકુમારે આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જંબૂકુમારે પરણ્યા પહેલાં તે આઠેને પોતાનો મનોરથ કહેવરાવ્યો હતો. ત્યારે તે આઠેએ કહ્યું હતું કે “આ લોકમાં અથવા તો પરલોકમાં પણ અમારે તો જંબૂકુમાર જ સ્વામી છે, શું કુમુદિની ચંદ્ર વિના બીજા વરને કદાપિ ઈચ્છે છે?” એમ કહીને તે જંબૂકુમારને પરણી હતી. લગ્ન થયા પછી સ્પૃહા રહિત જંબૂકુમાર વાસગૃહ (શયનગૃહ)માં ગયો. ત્યાં કામદેવથી પીડાતી તે સ્ત્રીઓ સાથે વિકાર રહિત કુમાર વાતો કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીઓએ સ્નેહ વૃદ્ધિ પામે તેવી આઠ વાર્તાઓ કહી. તેના ઉત્તરમાં કુમારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સામી આઠ વાર્તાઓ કહી. હવે તે ઉપદેશને સમયે જ પાંચસો ચોરો સહિત પ્રભવ નામનો રાજપુત્ર અવસ્થાપિની અને તાલોદ્ઘાટિની (તાળાં ઉઘાડે તેવી) વિદ્યાના પ્રભાવથી જંબૂકમારના ઘરમાં આવીને ચોરી કરવા લાગ્યો હતો. તે વખતે કોઈ દેવતાએ તે સર્વને ચંભિત કર્યા; એટલે પ્રભવે વિચાર્યું કે “આ મહાત્માથી જ હું પરિવાર સહિત સ્થંભિત થયો છું,” એમ વિચારીને સર્વ સ્ત્રીઓને ઉત્તર પ્રત્યુત્તર આપીને સમજાવતા જંબુકમારને તેણે કહ્યું કે “હે મહાત્મા! હું આ દુષ્ટ વ્યાપાર ચૌર્યકર્મથી નિવૃત્ત થયો છું, માટે મારી પાસેથી આ બે વિદ્યા લ્યો અને તમારી સ્થભિની વિદ્યા મને આપો.” તે સાંભળીને જંબૂકુમાર બોલ્યા કે, “હું તો પ્રાતઃકાળમાં જ આ ગૃહાદિકના બંધનનો ત્યાગ કરીને શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાનો છું, મારે તારી વિદ્યાની કાંઈ પણ જરૂર નથી. વળી હે ભદ્ર! મેં કાંઈ તને ચંભિત કર્યો નથી, પણ કોઈ દેવતાએ મારા પરની ભક્તિથી તને સ્વૈભિત કર્યો હશે, તેમજ ભવની વૃદ્ધિ કરે તેવી વિદ્યાઓ હું લેતો કે દેતો નથી; પણ સમસ્ત અર્થને સાધી આપનારી શ્રી સર્વજ્ઞભાષિત જ્ઞાનાદિક વિદ્યાને જ ગ્રહણ કરવાને હું ઈચ્છું છું.” એમ કહીને તેણે ચમત્કાર પામે તેવી ધર્મકથાઓ તેને વિસ્તારથી કહી. તે સાંભળીને પ્રભવ બોલ્યો કે “હે ભદ્ર ! પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે શા માટે ભોગવતા નથી?” Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ જંબૂકુમારે જવાબ આપ્યો કે “કિપાક વૃક્ષના ફળની જેમ અંતે દારુણ કષ્ટને આપનારા અને દેખીતા જ માત્ર મનોહર એવા વિષયોને કયો ડાહ્યો માણસ ભોગવે? કોઈ ન ભોગવે.” એમ કહી તેણે પ્રથમ મધુબિંદુનું દૃષ્ટાંત કહ્યું. ફરીથી પ્રભવે કહ્યું કે “તમારે પુત્ર થાય ત્યારપછી દીક્ષા લેવી યોગ્ય છે. કેમકે પિંડ આપનાર પુત્રરહિતને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી.” તે સાંભળીને જંબૂકુમારે હાસ્ય કરીને કહ્યું કે, “જો એમ હોય તો સૂકર, સર્પ, શ્વાન, ગોધા વગેરેને ઘણા પુત્રો હોય છે. તેથી તેઓ જ સ્વર્ગે જશે અને બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળનારા સ્વર્ગે નહિ જાય.” આ પ્રસંગ ઉપર મહેશ્વર વણિકનું દૃષ્ટાંત કહી બતાવ્યું. પછી બૂકુમારની આઠે સ્ત્રીઓ અનુક્રમે બોલી. તેમાં પ્રથમ મોટી સમુદ્રશ્રી બોલી કે “હે સ્વામી! પુણ્યથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીનો ત્યાગ કરીને તમે ચારિત્ર લેવા ઈચ્છો છો?” જંબૂકુમારે જવાબ આપ્યો કે “વિજળીની જેવી ચપળ લક્ષ્મીનો શો વિશ્વાસ? માટે હે પ્રિયે ! તે લક્ષ્મીને મૂકીને હું દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.” પછી બીજી પદ્મશ્રી બોલી કે “છએ દર્શનનો મત એવો છે કે દાનાદિક ધર્મથી ઉપકારી હોવાને લીધે ગૃહસ્થાશ્રમીનો ધર્મ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે - हितं भवद्वयस्यापि, धर्ममेतमगारिणाम् । पालयन्ति नरा धीरास्त्यजन्ति तु ततः परे ॥१॥ ભાવાર્થ:- “આ દાનાદિક ગૃહસ્થીઓનો ધર્મ બન્ને ભવમાં હિતકારી હોવાથી તેનું ધીર પુરુષો પાલન કરે છે અને કાયર મનુષ્યો તેને તજી દે છે.” જંબૂએ કહ્યું કે “સાવદ્યનું પાપયુક્ત ક્રિયાઓનું સેવન કરવાથી ગૃહધર્મ શી રીતે શ્રેષ્ઠ કહેવાય? કેમકે ગૃહી અને મુનિના ધર્મમાં મેરુ. અને સરસવ તથા સૂર્ય અને ખદ્યોતના જેટલું અંતર છે.” પછી ત્રીજી પઘસેના બોલી કે “કદલીના ગર્ભ જેવું કોમળ તમારું શરીર સંયમનાં કષ્ટો સહન કરવાને યોગ્ય નથી.” જંબૂએ કહ્યું કે “અરે ! કૃતઘ્ની અને ક્ષણભંગૂર એવા આ દેહ ઉપર બુદ્ધિમાન પુરુષ શી રીતે પ્રીતિ કરે ?” પછી ચોથી કનકસેના બોલી કે “પૂર્વે જિનેશ્વરોએ પણ પ્રથમ રાજ્યનું પાલન કરી સંસારના ભોગ ભોગવીને પછી વ્રત અંગીકાર કર્યું હતું, તો તમે શું કોઈ નવા મોક્ષની ઈચ્છાવાળા થયા છો?” જંબૂએ કહ્યું કે “જિનેશ્વરો અવધિજ્ઞાનવાળા હોવાથી તેઓ પોતાના વ્રતયોગ્ય સમયને જાણી શકે છે; માટે હાથી સાથે ગધેડાની જેમ તેમની સાથે આપણી જેવા સામાન્ય મનુષ્યોની શી સ્પર્ધા? પ્રાણીઓના જીવિતરૂપી મહાઅમૂલ્ય રત્નને કાળરૂપ તસ્કર અચિંત્યો આવીને મૂળમાંથી ચોરી લે છે, તેથી ડાહ્યા પુરુષો સંયમરૂપી પાથેય લઈને તેના વડે મોક્ષપુરને પામે છે કે જ્યાં આ કાળરૂપ ચોરનો જરા પણ ભય હોતો નથી.” પછી પાંચમી નભસેના બોલી કે “હે પ્રાણનાથ ! આ પ્રત્યક્ષ અને સ્વાધીન એવું કુટુંબનું સુખ પ્રાપ્ત થયું છે, તેને છોડીને દેહ વિનાના સુખની (મોક્ષસુખની) શા માટે ઈચ્છા કરો છો?” Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ જંબૂએ જવાબ આપ્યો કે “હે પ્રિયા ! ક્ષુધા, તૃષા, મૂત્ર, પુરીષ અને યોગાદિકથી પીડા પામતા આ મનુષ્યદેહમાં ઈષ્ટ વસ્તુના સમાગમથી પણ શું સુખ છે ? કાંઈ નથી.” પછી છઠ્ઠી કનકશ્રી બોલી કે “પ્રત્યક્ષ સુખ પામ્યા છતાં તેને તજીને પરોક્ષ સુખની વાતો કરવી તે ફોગટ છે. ભોગની પ્રાપ્તિ માટે વ્રત ગ્રહણ કરવું, તો જ્યારે તે ભોગ જ પ્રાપ્ત થયા હોય ત્યારે વ્રતના આચરણથી શું ? ખેતરમાં વૃષ્ટિથી જ અન્ન પાક્યું હોય તો પછી કૂવામાંથી પાણી ખેંચીને પાવાનો પ્રયાસ કોણ કરે ?” કુમારે તેને જવાબ આપ્યો કે “હે પ્રિયા ! તારી બુદ્ધિ બરોબર રૂડી રીતે ચાલતી નથી. વળી આવું બોલવાથી તારું અદીર્ઘદર્શીપણું પ્રગટ થાય છે, અને તે અન્ય જનને હિતકારી થતું નથી, કેમકે સ્વર્ગ તથા મોક્ષને આપનાર એવા આ મનુષ્યદેહને જે માણસો ભોગસુખમાં ગુમાવે છે, તેઓ મૂલધન ખાનારાની જેમ પરિણામે અતિશય દુઃખને પ્રાપ્ત થાય છે, માટે હે પ્રિયા ! જલદીથી નાશ પામનારા એવા આ મનુષ્યજન્મને પામીને હું એવી રીતે કરીશ કે જેથી કોઈ પણ વખત પશ્ચાત્તાપ કરવો ન પડે.” પછી સાતમી કનકવતી બોલી કે “હે નાથ ! ‘હાથમાં રહેલા રસને ઢોળી નાખીને પાત્રના કાંઠા ચાટવા' એ કહેવતને તમે સત્ય કરી બતાવો છો.” જંબૂએ કહ્યું કે “હે ગૌર અંગવાળી પ્રિયા ! ભોગો હાથમાં આવ્યા છતાં પણ નાશ પામી જાય છે, તેથી તેમાં મનુષ્યોનું સ્વાધીનપણું છે જ નહીં; છતાં તેને હાથમાં આવેલા માને છે તેઓને ભૂતની જેવો ભ્રમ થયેલ છે એમ સમજવું. વિવેકી પુરુષો પોતે જ ભોગના સંયોગોનો ત્યાગ કરે છે અને જે અવિવેકી પુરુષો તેનો ત્યાગ કરતા નથી તેઓનો તે ભોગો જ ત્યાગ કરે છે.” પછી છેલ્લી (આઠમી) જયશ્રી બોલી કે “હે સ્વામી ! તમે સત્ય કહો છો, પરંતુ તમે પરોપકારરૂપ ઉત્તમ ધર્મને અંગીકાર કરનારા છો; માટે ભોગને ઈછ્યા વિના પણ અમારા પર ઉ૫કા૨ ક૨વા માટે અમને સેવો. વૃક્ષો મનુષ્યોના તાપને દૂર કરવારૂપ ઉપકારને માટે પોતે તાપને સહન કરે છે, વળી ક્ષીરસમુદ્રનું પાણી પણ મેઘના સંયોગથી અમૃત સમાન થાય છે, તેવી રીતે તમારા સંયોગથી પ્રાપ્ત થયેલા ભોગ પણ અમને સુખને માટે થશે... કુમારે કહ્યું કે “હે પ્રિયા ! ‘ભોગથી ક્ષણ માત્ર સુખ થાય છે, પણ ચિરકાળ સુધી દુ:ખ થાય છે' એવા પરમાત્માના વચનથી મારું મન તેનાથી નિવૃત્તિ પામ્યું છે, અને તેમાં તમારું પણ કાંઈ કલ્યાણ હોય એમ મને ભાસતું નથી. માટે હે કમળના જેવા નેત્રવાળી પ્રિયા ! તેવા પ્રાંતે અહિતકારી ભોગમાં આગ્રહ કરવો તે કલ્યાણને માટે નથી. કુમનુષ્યોમાં, કુદેવોમાં, તિર્યંચોમાં અને નરકમાં ભોગી જનો જે દુઃખ પામે છે તે સર્વ જ્ઞાની જ જાણે છે.” આ પ્રમાણેની કુમારની વાણી સાંભળીને તે આઠે સ્રીઓ વૈરાગ્ય પામી, એટલે તત્કાળ હાથ જોડીને બોલી કે “હે પ્રાણનાથ ! તમે જે માર્ગનો આશ્રય કરો તે જ માર્ગ અમારે પણ સેવ્ય છે.” Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૭૭ તે વખતે પ્રભવ વિચાર કરવા લાગ્યો કે “અહો ! આ મહાત્માનું વિવેકીપણું તથા પરોપકારીપણું કેવું છે? અને મારું પાપિષ્ટપણું તથા મૂર્ણપણું કેવું છે? આ મહાત્મા પોતાને આધીન એવી પણ લક્ષ્મીનો ત્યાગ કરે છે અને નિર્લજ્જ એવો હું તે જ લક્ષ્મીની અભિલાષા કરું છું પણ તે પ્રાપ્ત થતી નથી. માટે હું અત્યંત નિંદ્ય છું. મને અધર્મીને ધિક્કાર છે !” આવા વિચારથી પરિવાર સહિત વૈરાગ્ય પામેલો પ્રભાવ બોલ્યો કે “હે મહાત્મા ! મને આજ્ઞા આપો મારે શું કરવું?” જંબૂકુમારે જવાબ આપ્યો કે “જે હું કરું તે તું પણ કર.” પછી પ્રાતઃકાળે સંઘ તથા ચૈત્યનું પૂજન કરીને સ્વજનોનું સન્માન કરીને કુમારે સ્નાન કરી ચંદનનું વિલેપન કર્યું. પછી શ્વેત વસ્ત્રો તથા સર્વ અંગે અલંકારો ધારણ કરીને હજાર પુરુષોએ વહન કરાતી શિબિકામાં આરૂઢ થયા. માર્ગમાં દીન પુરુષોને દાન આપી રંજન કરતા હતા, વાજિંત્રોથી આકાશ શદિત થતું હતું અને અનાદત દેવતાએ તેનો નિષ્ક્રમણોત્સવ કર્યો હતો. એવી રીતે પોતાની આઠ પત્નીઓ તેના મા-બાપો, પોતાના મા-બાપ અને પાંચસો ચોરો સહિત પ્રભવ રાજપુત્ર-એ સર્વની સાથે જંબૂકુમાર સુધર્માસ્વામીએ પવિત્ર કરેલા ઉપવનમાં આવ્યા. ત્યાં શિબિકાથી ઉતરીને નમસ્કાર કરી જંબૂકુમારે વિજ્ઞપ્તિ કરી કે “કુટુંબ સહિત અમને પાંચસો સત્તાવીશ જણને દીક્ષા તથા તપસ્યા આપીને અનુગ્રહ કરો.” એટલે સુધર્માસ્વામીએ પોતાના હાથથી તેને પરિવાર સહિત દીક્ષા આપી, અને પ્રભવમુનિ જેબૂમુનિને શિષ્ય તરીકે આપ્યા. “શ્રી વીરસ્વામીના નિર્વાણ પછી દશ વર્ષે સુધર્માસ્વામીએ બૂસ્વામીને ગણધર પદવી આપી, અને શ્રી મહાવીરના નિર્વાણ પછી ચોસઠ વર્ષે જંબૂસ્વામીએ પ્રભવસ્વામીને ગણધર પદવી આપી.” O ૩૫૩ ભાવવંદનાનું ફળ स्वस्थानस्थोऽपि सद्भावात्, सांबः श्रीकृष्णनन्दनः । श्रीनेमिवंदनात् प्राप, फलं मुक्तिफलप्रदम् ॥१॥ ભાવાર્થ - “શ્રી કૃષ્ણનો પુત્ર સાંબ પોતાને સ્થાને રહીને પણ સદ્ભાવ વડે શ્રી નેમિનાથને વંદન કરવાથી મુક્તિફળને આપનારું ફળ પામ્યો.” Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ સાંબકુમારની કથા દ્વારકાનગરીમાં ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા. તેને રુક્િમણી વગેરે ઘણી સ્ત્રીઓ હતી. એકદા રુક્મિણીએ સ્વપ્નમાં વૃષભોથી શોભતા વિમાનમાં પોતાને બેઠેલી જોઈ. પછી તે સ્વપ્ન તેણે શ્રીકૃષ્ણને કહ્યું, ત્યારે કૃષ્ણે ‘તને પુત્ર થશે’ એમ કહ્યું. તે વાક્ય રુક્િમણીએ સત્યભામાને કહ્યું. તે સાંભળીને ક્રોધથી અરુણ થયેલી સત્યભામા કૃષ્ણ પાસે જઈને બોલી કે “મેં પણ આજે સ્વપ્નમાં મોટો હસ્તી જોયો છે.” આ વાક્ય તેની ચેષ્ટા પરથી અસત્ય જાણીને કૃષ્ણે કહ્યું કે “હે પ્રિયા ! પરની ઈર્ષ્યાથી શા માટે ખેદ કરે છે ?” ત્યારે બીજાની સંપત્તિને નહિ સહન કરનારી સત્યભામા બોલી કે “મારું વાક્ય સત્ય જ છે.” પછી તે બન્ને સપત્નીને પરસ્પર વિવાદ થયો, તેમાં છેવટ તેમણે એવી શરત કરી કે “જેનો પુત્ર પહેલો પરણે તેને બીજીએ પોતાના મસ્તકના સર્વ કેશો ઉતારીને આપવા.” આ વાતમાં કૃષ્ણ તથા બળરામને સાક્ષી રાખ્યા. દૈવયોગે તે બન્ને સપત્નીઓએ ગર્ભ ધારણ કર્યો. સમય આવતાં રુક્િમણીએ પ્રથમ પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર અત્યંત કાંતિમાન હોવાથી કૃષ્ણે તેનું પ્રદ્યુમ્ન એવું નામ પાડ્યું. બીજે દિવસે સત્યભામાએ પણ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ભાનુ રાખવામાં આવ્યું. અન્યદા ધૂમકેતુ નામનો અસુર પૂર્વના વૈરથી રુક્મિણીને ઘેર આવીને તેના પુત્રને વૈતાઢ્ય પર્વત પર લઈ ગયો. ત્યાં એક શિલા પર તે બાળકને મૂકીને તે અસુર જતો રહ્યો. તેવામાં કાળસંવર નામે કોઈક વિદ્યાધરનો રાજા ત્યાંથી નીકળ્યો. તેણે તે બાળક જોઈને તેને લઈ પોતાની સ્ત્રીને આપ્યો, અને પુત્ર તરીકે તેનું પાલન કરવા માંડ્યું. અહીં શ્રીકૃષ્ણને પુત્રહરણની ખબર થતાં તેના વિયોગથી તેને પીડા થઈ. તે જોઈને નારદમુનિ શ્રી સીમંધરસ્વામી પાસે ગયા. ત્યાં નારદના પૂછવાથી સ્વામીએ ધૂમકેતુના હરણથી આરંભીને પ્રદ્યુમ્નનું સર્વ વૃત્તાન્ત કહી બતાવ્યું. તે સાંભળીને નારદે, કૃષ્ણ અને રુક્િમણી પાસે આવી પ્રદ્યુમ્નનું સર્વ વૃત્તાન્ત કહીને કહ્યું કે “પૂર્વ ભવે રુક્મિણીએ મયૂરીનાં ઈંડાંનો સોળ પ્રહર સુધી વિયોગ કરાવ્યો હતો, તે કર્મથી તેનો પુત્ર તેને સોળ વર્ષે પાછો મળશે.” તે સાંભળીને રુક્િમણી હર્ષિત થઈ. અહીં પ્રદ્યુમ્ન યુવાવસ્થા પામ્યો. અન્યદા તેના સ્વરૂપથી મોહ પામેલી તે કાળસંવર વિદ્યાધરની સ્રી કનકમાળાએ કામજ્વરથી પીડા પામીને પ્રદ્યુમ્નને કહ્યું કે “હે ભાગ્યવાન્ ! મારી સાથે ભોગ ભોગવ.” તે સાંભળીને ખેદ પામેલો પ્રદ્યુમ્ન બોલ્યો કે “હે માતા ! આવું બોલવું તમને ઘટતું નથી.” તે બોલી કે “હું તારી માતા નથી. મારા પતિને તું કોઈ સ્થાનેથી હાથ આવ્યો છે, Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ૨૭૯ મેં તો તને વૃક્ષની જેમ વૃદ્ધિ પમાડ્યો છે; તેથી હું તારી પાસેથી ભોગરૂપ ફળ ગ્રહણ કરવા ઈચ્છું છું. મારી પાસેથી તું સર્વત્ર વિજય આપનારી ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ ગ્રહણ કર.” ત્યારે પ્રદ્યુમ્ન હા પાડીને તેની પાસેથી બન્ને વિદ્યા ગ્રહણ કરી. પછી કનકમાળા બોલી કે “હે પ્રાણપ્રિય! હવે મારા દેહમાં વ્યાપ્ત થયેલા કામવરનું નિવારણ કર, અને પોતાની વાણીને સત્ય કર.” તે સાંભળીને પ્રદ્યુમ્ન બોલ્યો કે “હે માતા ! તમે મારા વિદ્યાગુરુ થઈને આવી અયોગ્ય માગણી કેમ કરો છો ?” એમ કહીને પ્રદ્યુમ્ન નગરની બહાર ગયો. તે વખતે પોતાના નખ વડે પોતાના વક્ષસ્થળાદિકનું ક્રોધથી નિર્દય રીતે વિદારણ કરીને કનકમાળા પોકાર કરવા લાગી અને મોટે સ્વરે બોલી કે “અરે પુત્રો! દોડો, દોડો, આ દુષ્ટ ભોગની ઈચ્છાથી મારી આવી કદર્થના કરીને જતો રહ્યો છે.” તે સાંભળીને તેના પુત્રો પ્રદ્યુમ્નની પાછળ યુદ્ધ કરવા દોડ્યા. પ્રદ્યુમ્ન વિદ્યાબલથી તે સર્વને હણી નાખ્યા. પુત્રોને હણાયેલા સાંભળીને તેનો પિતા જાતે યુદ્ધ કરવા ગયો. તેને પણ પ્રદ્યુમ્ન ક્રીડામાત્રમાં જીતીને બાંધી લીધો. ત્યારે તે બોલ્યો કે “હે પુત્ર ! શા માટે મારી કદર્થના કરે છે? સત્ય બોલ.” ત્યારે કુમાર બોલ્યો કે “હે પિતા! આ તમારી સ્ત્રી સારી નથી. હું તેનું ચેષ્ટિતા કહી શકું તેમ નથી.” આ પ્રમાણે વાત થતી હતી તેવામાં અકસ્માત્ નારદે ત્યાં આવીને પ્રદ્યુમ્નકુમારને કહ્યું કે “હે કુમાર ! તારા પિતા કૃષ્ણ અને તારી માતા રુક્િમણી તારા વિયોગથી પીડા પામે છે. વળી તારી ઓરમાન માતાનો પુત્ર ભાનુકુમાર જો પ્રથમ પરણશે તો શરત પ્રમાણે તારી માતાને પોતાની વેણી કાપીને તેને આપવી પડશે, અને કેશ આપવાના કષ્ટથી તથા તારા વિયોગના શોકથી દુઃખી થયેલી તારી માતા તારા જેવો પુત્ર છતાં પણ મરણ પામશે.” તે સાંભળીને હર્ષ પામેલો પ્રદ્યુમ્ન વિમાનમાં બેસીને નારદની સાથે દ્વારકાના ઉપવનમાં આવ્યો. પછી વિમાન સહિત નારદને ત્યાં જ મૂકીને પ્રદ્યુમ્ન વેષ પરાવર્તન કરી ભાનુના વિવાહ માટે આણેલી કન્યાનું હરણ કર્યું અને તેને નારદ પાસે મૂકી. પછી શ્રીકૃષ્ણના ઉદ્યાનને વિદ્યાના બળથી પુષ્પ, ફળ અને પત્રરહિત કરી દીધું; તથા વિવાહને માટે એકઠાં કરેલાં જળ, ઘાસ વગેરેને પણ વિદ્યાના બળથી અદશ્ય કર્યા. પછી એક માયાવી અશ્વ બનાવીને તેને ગામ બહાર ખેલાવવા લાગ્યો. તે અશ્વના વેગને જોવાની ઈચ્છાથી ભાનુકુમાર તેની પાસેથી તે અશ્વ માગીને તેના પર ચડ્યો, અને તેને ખેલાવવા લાગ્યો. એટલે પ્રદ્યુમ્ન વિદ્યા વડે તેને અશ્વ પરથી પાડી નાખ્યો, તે જોઈને લોકો ભાનુને હસવા લાગ્યા, પછી પ્રદ્યુમ્ન બ્રાહ્મણનો વેષ ધારણ કરીને ગામમાં ગયો. ત્યાં કોઈ વેપારીની દુકાને ઉભેલી સત્યભામાની કુબ્બા દાસીને મુષ્ટિ મારીને સરળ અને સ્વરૂપવાળી કરી દીધી; એટલે તે દાસી તેને બહુમાનથી સત્યભામાને ઘેર તેડી ગઈ અને સત્યભામાને પોતાની વાત કહી સંભળાવી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તે બ્રાહ્મણની શ્લાઘા કરી. તે સાંભળીને સત્યભામાએ તે બ્રાહ્મણને નમીને કહ્યું કે “હે પ્રિય! મને રુકિમણી કરતાં અધિક રૂપવાન કરો.” ત્યારે તે બોલ્યો કે “તમે પ્રથમ શિરમુંડન કરાવીને જીર્ણ વસ્ત્રો ધારણ કરી એકાંત સ્થળે બેસી આ મંત્રનો જાપ કરો, એટલે તમારું ઈચ્છિત થશે.” તે સાંભળીને સત્યભામાએ તે પ્રમાણે કરીને જાપ જપવા માંડ્યા. પછી પ્રદ્યુમ્ન રુક્િમણીને ઘેર જઈને કૃષ્ણના સિંહાસન પર બેઠો. તે જોઈને રુકિમણી બોલી કે – कृष्णं वा कृष्णजातं वा, विना सिंहासनेऽत्र हि। अन्यं पुमांसमासीनं, सहते नहि देवताः ॥१॥ આ સિંહાસન પર કૃષ્ણ અથવા તેના પુત્ર સિવાય બીજો કોઈ બેસે તો તે દેવતાઓ સહન કરી શકતા નથી.” ત્યારે તે બોલ્યો કે “હું મહાતપસ્વી છું. સોળ વર્ષે આ જ પારણાને માટે હું અહીં આવ્યો છું; તેથી તમે મને પારણું કરાવો, નહિ તો હું સત્યભામાને ઘેર જઈશ.” ત્યારે રુક્િમણીએ તેને ખીર ખાવા આપીને વિજ્ઞપ્તિ કરી કે, “હે પૂજય ! મને દેવતાએ કહ્યું કે સોળ વર્ષે તારો પુત્ર તને મળશે, તે હજુ સુધી આવ્યો નથી. મને પુત્રવિયોગનું બહુ દુઃખ છે.” ત્યારે તે બોલ્યો કે, “મારે મારી માતાનો વિયોગ છે પણ શું કરીએ? પરંતુ જ્યોતિષશાસ્ત્રને આધારે હું કહું છું કે - આપણા બન્નેનું વિરહ-દુઃખ થોડા જ કાળમાં નષ્ટ થશે. તમે મને આ ખીર ખાવા આપી છે તે મને ભાવતી નથી; તેથી શ્રીકૃષ્ણને માટે કરેલા મોદક મને આપો. “ત્યારે તે બોલી કે, “તે મોદક કૃષ્ણને જ ખાવા લાયક છે. બીજાને તે મોદક જરે તેવા નથી.” તેણે કહ્યું કે “તપસ્વીને શું દુર્જર છે?” તે સાંભળી શંકા સહિત રુકિમણીએ એક મોદક તેને આપ્યો. તે ખાઈને તેણે બીજો માગ્યો. એમ વારંવાર માગી માગીને ખાતાં સર્વ મોદકખાઈ ગયો. અનુક્રમે પાત્ર ખાલી થઈ ગયેલું જોઈને તે બોલી કે, “હે મુનિ ! તમે તો અતિ બળવાન જણાઓ છો, કેમકે આટલા બધા મોદક ખાધા તો પણ તૃપ્ત થયા નહીં.” - અહીં સત્યભામા એકાંતમાં બેસીને જપ કરતી હતી. તેની પાસે આવીને તેના સેવકોએ કહ્યું કે “વિવાહને માટે એકઠી કરેલી સર્વ સામગ્રી તથા કન્યાને કોઈ દેવ હરણ કરી ગયો જણાય છે.” તે સાંભળીને તે અત્યંત ખેદ પામી. પછી ક્રોધથી તેણે ફિમણીના કેશ લાવવા માટે દાસીઓને ટોપલી આપીને રુકિમણીને ઘેર મોકલી. તે દાસીઓએ આવીને રુકિમણી પાસે કેશ માગ્યા ત્યારે તે માયા સાધુએ માયાથી દાસીઓના મસ્તકના કેશથી જ તે ટોપલી ભરી આપી. દાસીઓએ પોતાના શિરમુંડન થયાં તે જાણ્યું નહીં. પછી તે દાસીઓ કેશ લઈને સત્યભામા પાસે આવી. ત્યાં તેઓને જ મુંડિત થયેલી જોઈને અતિ ખેદ પામેલી સત્યભામા સાક્ષી રાખેલા કૃષ્ણ પાસે જઈને ક્રોધથી બોલી કે “મને રુક્િમણીના કેશ અપાવો.” કૃષ્ણ કહ્યું કે “પ્રથમ તું જ મુંડિત થઈ છે, હવે Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૮૧ બીજીને શા માટે વિરૂપ કરવા ઈચ્છે છે?” તે બોલી કે “હાસ્ય કરવાથી સ, અર્થાત્ હાંસી ન કરો. મને તેના કેશ અપાવો.” ત્યારે કૃષ્ણ કેશ માટે બળરામને રુક્િમણી પાસે મોકલ્યા. ત્યાં પ્રદ્યુમ્ન કરેલું કૃષ્ણનું સ્વરૂપ સિંહાસન પર બેઠેલ જોઈને લજ્જા પામી બળરામ પાછા ફર્યા. પાછા આવીને જુએ છે તો ત્યાં પણ કૃષ્ણને જોયા; એટલે બળરામે કહ્યું કે “તમે બે રૂપ કરીને મને લજ્જિત કર્યો.” કૃષ્ણ બોલ્યા કે “હું સોગનપૂર્વક સત્ય કહું છું કે હું ત્યાં ગયો જ નથી.” ત્યારે સત્યભામાએ કહ્યું કે “સર્વત્ર તમારું ચેષ્ટિત જણાય છે.” તે સાંભળીને વિલખા થયેલા કૃષ્ણ રુક્િમણીને ઘેર આવ્યા. તે જ વખતે નારદે આવીને કૃષ્ણ તથા રુકિમણીને કહ્યું કે “જેણે અહીં કૃષ્ણનું રૂપ કર્યું હતું તે જ તમારો પુત્ર આ પ્રદ્યુમ્ન છે.” તે સાંભળીને તરત જ પ્રદ્યુમ્ન માતાપિતાના ચરણમાં નમીને હાથ જોડી બોલ્યો કે, “હું તમારો પુત્ર જયાં સુધી સર્વ યાદવોને કાંઈક અપૂર્વ ચમત્કાર ન બતાવું ત્યાં સુધી તમે મૌન રહેજો.” તે સાંભળીને તે બન્નેએ તેને આલિંગન કરીને તેનું વચન સ્વીકાર્યું. પછી પ્રદ્યુમ્ન પોતાની માતાને રથમાં બેસાડીને ચાલ્યો, અને શંખ વગાડીને યાદવોને ક્ષોભ પમાડતો સતો તે બોલ્યો કે “હું આ ફિમણીનું હરણ કરું છું, તેથી જો કૃષ્ણનું બળ હોય તો તેની રક્ષા કરો. હું એકલો જ સર્વ વૈરીઓનો નાશ કરવા સમર્થ છું.” એમ બોલતો તે ગામ બહાર નીકળ્યો. તે વખતે કૃષ્ણ વિચાર્યું કે, “જરૂર આ માયાવી મને પણ છેતરીને મારી પત્નીનું હરણ કરી જાય છે, માટે મારે તેને હણવો જોઈએ.” એમ વિચારીને સર્વ આયુધો અને સૈન્ય સહિત તે તેની પાછળ ગયા, પ્રદ્યુમ્ને તરત જ સર્વ સૈન્યને ભગ્ન કરી દઈને હાથીને દાંતરહિત કરે તેમ કૃષ્ણને શસ્ત્રરહિત કહી દીધા, તેથી કૃષ્ણ ખેદ પામવા લાગ્યા; એટલે તે જ વખતે નારદ આવીને તેનો સંશય દૂર કર્યો. પછી પ્રદ્યુમ્ન આવીને પિતાના ચરણમાં પડ્યો અને બોલ્યો કે “હે પિતા ! મારો અપરાધ ક્ષમા કરો, મેં માત્ર કૌતુકને માટે જ આ ચમત્કાર બતાવ્યો છે.” પછી કૃષ્ણ હર્ષપૂર્વક મોટા ઉત્સવથી પુત્રને પુરપ્રવેશ કરાવ્યો. એ અવસરે દુર્યોધને આવીને કૃષ્ણને કહ્યું “મારી પુત્રી અને તમારા પુત્ર ભાનુની વહુનું કોઈએ હરણ કર્યું છે, તેથી તેની શોધ કરાવો.” કૃષ્ણ કહ્યું કે “શું કરીએ? ઘણી શોધી પણ કાંઈ પત્તો લાગતો નથી.” એમ કહીને ખેદ પામેલા પિતાને જોઈને પ્રદ્યુમ્ન બોલ્યો કે “હું હમણા મારી વિદ્યાથી તેને શોધીને અહીં લાવું છું, તમે ખેદ કરશો નહીં.” એમ કહીને તરત જ તે કન્યાને તે લઈ આવ્યો. પછી કૃષ્ણ તથા દુર્યોધને કહ્યું કે “હે પ્રદ્યુમ્ન ! તું જ આ કન્યાને પરણ.” તે બોલ્યો કે “તે યોગ્ય નહીં. ભાનુકુમારને જ પરણાવો.” આ પ્રકારનો તેનો ઉદાર આશય જોઈને અનેક વિદ્યાધરોએ તથા રાજાઓએ પ્રદ્યુમ્નને પોતપોતાની કન્યાઓ આપી. એકદા સત્યભામાને અતિ કૃશ અને દુઃખિત જોઈને કૃષ્ણ તેને પૂછ્યું કે “કેમ, તને શું દુઃખ છે?” ત્યારે તે બોલી કે “પ્રદ્યુમ્ન જેવા પુત્રને હું ઈચ્છું છું.” કૃષ્ણ કહ્યું કે “તારી ચિંતા હું દૂર Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ કરીશ.” પછી કૃષ્ણે ચતુર્થ તપ કરીને હરિણૈગમેષી દેવનું આરાધન કર્યું; એટલે તેણે પ્રગટ થઈને ઈચ્છિત પુત્રને આપનારો હાર તેને આપ્યો અને અદૃશ્ય થયો, તે હારપ્રાપ્તિનું સ્વરૂપ પ્રદ્યુમ્નના જાણવામાં આવ્યું, એટલે તેણે માયાથી જાંબૂવતી માતાને સત્યભામા જેવી ક૨ીને કૃષ્ણ પાસે મોકલી. હિરએ તેના કંઠમાં તે હાર નાંખીને તેની સાથે ક્રીડા કરી. તે વખતે દૈવયોગે સ્વર્ગમાંથી ચ્યવીને કોઈ દેવતા જાંબૂવતીની કુક્ષિમાં અવતર્યો. પછી હર્ષ પામતી જાંબૂવતી પોતાના મહેલમાં ગઈ. થોડી વારે સત્યભામા ભોગને માટે કૃષ્ણ પાસે આવી. ત્યારે કૃષ્ણે વિચાર્યું કે “અહો ! આ સ્ત્રી હજુ તૃપ્તિ પામી નથી; તેથી ફરીને આવી જણાય છે. સ્ત્રીઓને કામની શાંતિ હોતી નથી તે વાત સત્ય છે !” એમ વિચારીને તેની સાથે પણ તેણે ક્રીડા કરી. તે વખતે સમય જોઈને પ્રદ્યુમ્ને ભંભા વગાડી, જેથી કૃષ્ણ ક્ષોભ પામ્યા. પછી તેણે સત્યભામાને કહ્યું કે, “તારે પુત્ર થશે.” પ્રાતઃકાળે જાંબુવતીના કંઠમાં પેલો હાર જોઈને કૃષ્ણે વિચાર્યું કે “ખરેખર, ગઈ રાત્રે પ્રદ્યુમ્ને જ આ પ્રપંચ રચ્યો હોય એમ જણાય છે.” એમ વિચારી કૃષ્ણ મૌન જ રહ્યા. અનુક્રમે સમય આવતાં જાંબૂવતીએ સાંબ નામના પુત્રને જન્મ આપ્યો, અને સત્યભામાએ ભીરુક નામના પુત્રને જન્મ આપ્યો બન્ને કુમારો અનુક્રમે વૃદ્ધિ પામી બાળક્રીડા કરવા લાગ્યા. તેમાં સાંબ ભીરુકને હંમેશાં બ્દીવરાવતો, તેથી એકદા સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે “મારા પુત્રને સાંબ નિરંતર વ્હીવાવે છે.” કૃષ્ણે તે વાત જાંબૂવતીને કહી કે “તારો પુત્ર અન્યાયી સંભળાય છે.” જાંબૂવતી બોલી કે, “ના, મારો પુત્ર તો ન્યાયી છે.” કૃષ્ણે કહ્યું કે, “આપણે તેની ખાત્રી કરશું.” પછી કૃષ્ણે આભીરનું (ભરવાડનું) રૂપ લીધું અને જાંબૂવતીને આભીરીનું રૂપ લેવરાવ્યું, પછી દહીં વેચવાના મિષથી ચાલતા ચાલતા તે બન્ને પુરના દરવાજા પાસે આવ્યા. ત્યાં સાંબે તેમને જોયા; એટલે તેણે આભીરીને કહ્યું કે, “અહીં આવ, મારે દહીં લેવું છે.” એમ કહીને તેને એક શૂન્ય ઘરમાં લઈ જઈને સાંબ કાંઇક કહેવા લાગ્યો, ત્યારે તે બન્નેએ પોતાનું સ્વરૂપ અકસ્માત્ પ્રગટ કર્યું. તે જોઈને સાંબ લજ્જા પામી જતો રહ્યો. પછી કૃષ્ણે જાંબૂવતીને કહ્યું કે “તારા પુત્રની ચેષ્ટા તેં પ્રત્યક્ષ જોઈ?” તે બોલી કે “મારો પુત્ર તો ભોળો છે, આ તો બાળક્રીડા છે.” કૃષ્ણે કહ્યું કે “ખરી વાત છે, સિંહણ પોતાના બાળકને ભદ્ર ને સૌમ્ય જ માને છે.” પછી બીજે દિવસે સાંબ હાથમાં એક ખીલો રાખીને ચૌટામાં જતાં કૃષ્ણ તથા સર્વ લોકો સાંભળે તેમ બોલ્યો કે “ગઈકાલની મારી વાત જે પ્રગટ કરશે તેના મુખમાં આ ખીલી મારવી છે.” તે સાંભળીને કૃષ્ણે તેને ગામ બહાર જતા રહેવાનો હુકમ કર્યો, ત્યારે સાંબ પ્રદ્યુમ્ન પાસેથી કેટલીક વિદ્યા શીખીને નીકળી ગયો. પછી ભીરુકને પ્રદ્યુમ્ન હમેશાં પીડા કરવા લાગ્યો; એટલે તેને સત્યભામાએ કહ્યું કે “હે શઠ ! તું પણ સાંબની જેમ કેમ ગામમાંથી જતો નથી ?” પ્રદ્યુમ્ન બોલ્યો કે “હે માતા ! ક્યાં જાઉં ?” તે બોલી કે “સ્મશાનમાં.” ફરીથી તેણે પૂછ્યું કે “હે માતા ! હું પાછો ક્યારે આવું ?” તે બોલી કે “જ્યારે હું સાંબને હાથ પકડીને Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૨૮૩ ગામમાં લાવું ત્યારે તારે આવવું.” તે બોલ્યો કે “બહુ સારું. આપની આજ્ઞા મારે પ્રમાણ છે.” એમ કહી પ્રદ્યુમ્ન સાંબની પાસે ગયો. પછી સત્યભામા અત્યંત હર્ષ પામી અને પોતાના પુત્રને યોગ્ય એવી નવાણું કન્યાઓ તેણે એકઠી કરી (મેળવી); સો કન્યાઓ પૂરી કરવાના વિચારથી તે એકને માટે શોધ કરવા લાગી. પણ ક્યાંય મળી નહીં, આ વાત પ્રદ્યુમ્નના જાણવામાં આવી. તેથી તે માયા વડે જિતશત્રુ નામનો રાજા બન્યો, સાંબને પોતાની કન્યા બનાવી અને માયાવી સૈન્ય બનાવ્યું. એવી રીતે તે દ્વારકાની બહાર આવી પડાવ નાંખીને રહ્યો. તે વાત સત્યભામાએ સાંભળી, એટલે તેણે તે કન્યાની માગણી કરી. ત્યારે જિતશત્રુ રાજાએ કહ્યું કે “જો મારી પુત્રીને સત્યભામા પોતે હાથે પકડીને ગામમાં લઈ જાય, અને વિવાહ વખતે મારી કન્યાનો હાથ ભીકના હાથ ઉપર રખાવે તો હું મારી કન્યા આપું.” તે વાત સત્યભામાએ કબૂલ કરી. પછી તે કન્યાને હાથે પકડીને સત્યભામા ગામમાં લઈ જવા લાગી; તે વખતે સર્વ પૌરજનો સાંબ અને પ્રદ્યુમ્નને જોઈને કહેવા લાગ્યા કે “અહો ! પોતાના પુત્રનો વિવાહોત્સવ હોવાથી સત્યભામા સાંબ પ્રદ્યુમ્નને મનાવીને ઘેર લઈ જાય છે.” પછી સત્યભામાને ઘેર જઈને ચતુર બુદ્ધિવાળા સાંબે ભીરુકનો જમણો હાથ પોતાના ડાબા હાથ ઉપર રાખીને પકડ્યો અને નવાણું કન્યાઓના જમણા હાથને પોતાના જમણા હાથથી પકડ્યા, એવી રીતે યુક્તિથી નવાણું કન્યા સાથે ફેરા ફરીને સર્વ કન્યાઓને સાંબ પરણ્યો. પછી તે કન્યાઓ સાથે સાંબ વાસગૃહમાં ગયો; તેની પાછળ ભીક આવ્યો. એટલે સાંબે તેની પાસે પણ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી ભૂકુટી ચડાવીને જોયું, તેથી ભય પામીને ભીક ભાગ્યો અને માતા પાસે જઈને તે વાત કરી. એટલે ગાભરી બનેલી સત્યભામા વાસગૃહમાં ગઈ. તેને પણ સાંબે મૂળ રૂપ બતાવ્યું; એટલે તે ક્રોધથી બોલી કે, “અરે દુખ ! તને અહીં કોણે આણ્યો?” ત્યારે સાંબ બોલ્યો કે, “હે માતા ! તમે જ મને ગામમાં લાવ્યા છો અને આ નવાણું કન્યાઓ સાથે પણ તમે જ મને પરણાવ્યો છે. તે બાબતમાં આ સર્વ પૌરજનો સાક્ષી છે.” તે સાંભળીને ભામાએ પૌરજનોને પૂછ્યું, ત્યારે તેઓએ સાંબનું વચન સત્ય કહ્યું. આવી સાંબની અકલિત માયા જોઈને અત્યંત રોષાતુર થયેલી સત્યભામા લાચાર થઈને નિઃશ્વાસ મૂકી પોતાના ગૃહમાં ગઈ. આવી રીતે છળના બળથી સાંબ નવાણું સ્ત્રીઓનો પતિ થયો. સર્વે યાદવો સાંબ તથા પ્રદ્યુમ્નને સર્વોત્કૃષ્ટ માનવા લાગ્યા. એકદા કોઈ રાજાએ શ્રીકૃષ્ણને એક જાતિમાન અશ્વ ભેટ તરીકે મોકલ્યો. તે વખતે સાબ અને પાલક એ બે પુત્રોએ આવીને પિતા પાસે તે અશ્વની માગણી કરી; એટલે કૃષ્ણ કહ્યું કે ૧. સત્યભામા પ્રદ્યુમ્નને જિતશત્રુરાજાના રૂપમાં તથા સાંબને કન્યારૂપે દેખતી હતી અને નગરજનો તેને સાંબ, પ્રદ્યુમ્નને રૂપે દેખતા હતા તે તેની વિદ્યાનો ચમત્કાર હતો. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ “કાલે તમારા બેમાંથી જે શ્રી નેમિનાથને પ્રથમ વંદના કરશે તેને આ અશ્વ હું આપીશ.” પછી પાલકકુમારે તો રાત્રિના પાછલે પહોરે ઉઠીને મોટેથી શબ્દ કરીને પોતાના મૃત્યોને ઉઠાડ્યા, અને તેમને તૈયાર કરી સાથે લઈને પ્રાતઃકાળ થતાં સૌથી પ્રથમ જઈને પ્રભુને વંદના કરી. પછી ત્યાંથી પાછા આવીને પિતાને તે વાત કરીને અશ્વ માગ્યો. ત્યારે કૃષ્ણ કહ્યું કે “પ્રભુને પૂછીને પછી આપીશ.” અહીં મધ્ય રાત્રિ ગયા પછી સાંબ જાગ્યો હતો, પણ તે પાપભીરુ હોવાથી પોતાને સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેને નમ્યો. પ્રાતઃકાળે સમય થતાં સર્વે પ્રભુના સમવસરણમાં ગયા. પ્રભુને વંદના કરીને કૃષ્ણ પૂછ્યું કે “હે સ્વામી! આજે આપને પ્રથમ કોણે વંદના કરી ?” પ્રભુ બોલ્યા કે, “આજે દ્રવ્યવંદનથી પાલકકુમારે પ્રથમ અમને વાંદ્યા હતા અને સાંબકુમારે ભાવવંદનથી પ્રથમ વાંડ્યા હતા.” તે સાંભળીને કૃષ્ણ સાંબકુમારને તે અશ્વ આપ્યો. અન્યદા પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામીને સાંબ તથા પ્રદ્યુમ્ન દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે ગિરનાર પર્વત ઉપર મુક્તિ પામ્યા. સાંબે પ્રભુનું આંતરધ્યાન કર્યું તેથી તે વંદનનું ફળ પામ્યો અને પાલકે સાક્ષાતુ પ્રભુને વાંઘા છતાં પણ તે ફળ પામ્યો નહીં, માટે પંડિત પુરુષો બાહ્ય વિધિ કરતાં અત્યંતર વિધિને બળવાન માને છે.” ૩૫૪ ભવ્યપ્રાણી પ્રયત્ન વડે પ્રતિબોધ પામે છે चिल्लणया बहूपायैः, स्वस्वामी प्रतिबोधितः । समानधर्मश्रद्धाभि-दंपतीत्वं च शोभते ॥१॥ ભાવાર્થ - “ચલણા રાણીએ ઘણા ઉપાયથી પોતાના સ્વામીને પ્રતિબોધ પમાડ્યો હતો, કેમકે સમાન ધર્મની શ્રદ્ધાથી જ દંપતીપણું શોભે છે.” શ્રેણિકરાજાની કથા રાજગૃહી નગરીમાં શ્રેણિકરાજા રાજ્ય કરતો હતો. તે બૌદ્ધધર્મનો રાગી હોવાથી બૌદ્ધ સાધુઓની નિરંતર ઉપાસના કરતો, હંમેશાં બૌદ્ધાલયમાં જઈને શ્રદ્ધાપૂર્વક તેનો ધર્મોપદેશ સાંભળતો અને પછી ઘેર આવીને પોતાની ચેલણારાણી પાસે બૌદ્ધધર્મની નિત્ય પ્રશંસા કરતો. બૌદ્ધગુરુએ પોતાના શિષ્યવર્ગને એવું સમજાવી રાખ્યું હતું કે “જયારે હું પ્રભાત સમયે પ્રચ્છન્ન ૧. સિદ્ધાચલ ઉપર ભાડવા ડુંગરે સાડી આઠ કરોડ મુનિ સાથે ફાગણ શુદિ ૧૩ સિદ્ધિપદ પામ્યાનો શત્રુંજય મહાભ્યાદિકમાં ઉલ્લેખ છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ભૂમિગ્રહ (ભોંયરા)માં જઈને બેસું, ત્યારે મારા દર્શન માટે આવેલા રાજાદિક પ્રત્યે કહેવું કે – ગુરુ તો હંમેશાં ઈન્દ્રાદિકને ઉપદેશ કરવા માટે સ્વર્ગમાં જાય છે, અને પાછા ત્યાંથી અહીં આવે છે.” એકદા શ્રેણિકરાજા ત્યાં આવ્યા. ત્યારે તેણે ગુરુને દેખ્યા નહીં; એટલે તેના શિષ્યોને પૂછ્યું કે “ગુરુ ક્યાં છે?” તેઓ બોલ્યા કે “ગુરુ તો આકાશમાર્ગે ઈન્દ્રની પાસે ગયા છે.” તે વાર્તા શ્રેણિકરાજાએ ચેલણા પાસે આવીને તેને કહી, પણ શ્રાવકકુળમાં ઉત્પન્ન થયેલી ચેલણા જન્મથી જ જૈનધર્મી હોવાથી રાજાના વચન પર તેને બીલકુલ શ્રદ્ધા આવી નહીં. એક દિવસ રાજા આગ્રહથી ચેલણાને પણ સાથે લઈને બૌદ્ધગુરુના મકાને ગયો. ત્યાં જતી વખતે ચેલણાએ પોતાના સેવકોને છાની રીતે શીખવી રાખ્યું કે “જ્યારે અમે બૌદ્ધાલયમાં બેસીએ ત્યારે રાજા ન જાણે તેમ તમારે તે બૌદ્ધાલયમાં પાછળના ભાગથી અગ્નિ સળગાવવો.” અહીં રાજા તથા રાણી શિષ્યના મુખથી ગુરુનું સ્વર્ગમાં ગમન-આગમન સાંભળીને થોડીવાર ત્યાં બેઠા. ત્યારે રાણીએ રાજાને કહ્યું કે “હે સ્વામી ! આજ તો આપણે થોડીવાર વધારે અહીં જ બેસીએ અને સ્વર્ગથી ઉતરતા ગુરુને જોઈને પછી જઈએ.” તે વાત અંગીકાર કરીને રાજા રાણી સહિત ત્યાં બેઠો, તેવામાં તો તે મકાનમાં અગ્નિ લાગવાથી ભયભ્રાંત થયેલા તે બૌદ્ધાચાર્ય એકદમ ભૂમિગૃહમાંથી નીકળીને બહાર આવ્યા. ત્યાં રાજા તથા રાણીને જોઈને નીચું મુખ રાખી લજ્જિત થયા; એટલે રાજાએ પૂછ્યું કે “હે ગુરુ! આજે તમે સ્વર્ગમાં ગયા હતા કે નહીં?” ગુરુ બોલ્યા કે ના, આજે તો હું સ્વર્ગે ગયો નથી, પણ હંમેશના અભ્યાસથી શિષ્યોએ તમને સ્વર્ગે ગયાનું કહ્યું હશે.” પછી રાજા રાણી સહિત પોતાના મહેલમાં આવ્યો, પણ રાજાના મનમાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા; તેથી રાજાએ રાણીને પૂછ્યું કે “આજે થયું શું? અકસ્માતુ અગ્નિ ક્યાંથી પ્રગટી નીકળ્યો? મને તો તેં અગ્નિ મૂકાવ્યો હોય એમ જણાય છે.” ત્યારે ચેલણા બોલી – “હે સ્વામી! એક વાર્તા કહું તે સાંભળો - “કોઈ એક ગામમાં બે વાણિયા રહેતા હતા. તે બન્નેની સ્ત્રીઓ એક સાથે ગર્ભિણી થઈ. ત્યારે તેમણે પરસ્પર નિર્ણય કર્યો કે “આપણી સ્ત્રીઓમાં એકને પુત્ર અને એકને પુત્રી થાય તો તે બન્નેનો વિવાહ કરવો. આ પ્રમાણે નિશ્ચય કરીને પરસ્પર તે શરત લખી લીધી. પછી સમય આવતાં એક સ્ત્રીને પુત્રી થઈ અને બીજીને સર્પ અવતર્યો. તે બન્ને અનુક્રમે યુવાવસ્થા પામ્યા, ત્યારે સર્પના પિતાએ રાજાની સમક્ષ પોતાનો લેખ બતાવી ન્યાય કરાવીને તે સર્પ સાથે પેલાની કન્યાનો વિવાહ કરાવ્યો. રાત્રે તે દંપતી શયનગૃહમાં ગયા. ત્યાં જુદા જુદા પલંગ પર સુતા. તેવામાં તે સર્પના શરીરમાંથી એક દિવ્ય કાંતિમાન પુરુષ નીકળ્યો. તેણે તે કન્યા સાથે ક્રીડા કરી. પછી તે પાછો તે જ સર્પના શરીરમાં સમાઈ ગયો. એ પ્રમાણે હંમેશાં થવા લાગ્યું. તે વાત તે સ્ત્રીએ પોતાના સ્વજનોને કહી, ત્યારે એક લબ્ધલક્ષ (બુદ્ધિમાન પુરુષે કહ્યું કે “જયારે તે સર્પના ક્લેવરને મૂકીને કન્યાની સાથે ક્રીડા કરવા જાય ત્યારે તે સર્પના ક્લેવરને તત્કાળ અગ્નિથી બાળી મૂકવું એટલે તે સર્પના ક્લેવર વિના શેમાં Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથભાગ-૫ પ્રવેશ કરશે? પછી તે તે જ દિવ્ય સ્વરૂપે રહેશે.” તે સાંભળીને કન્યાના આપ્તજનોએ તે પ્રમાણે કર્યું, તેથી તે દેવકુમાર તે જ સ્વરૂપે રહ્યો.” આ પ્રમાણે તે સ્વામી! જ્યારે તમારા ગુરુ હંમેશાં સ્વર્ગે જતા હશે, ત્યારે તે દિવ્ય અને મલાદિક રહિત એવું દેવના જેવું નવીન શરીર કરીને જતા. હશે, અને મૂળ દેહને શબરૂપે અહીં મૂકી જતા હશે, તે વિના જવાય નહીં, તેથી મેં એવા હેતુથી અગ્નિ મૂકાવ્યો હતો કે જો તેનું મૂળ શરીર સર્પના ક્લેવરની જેમ ભસ્મ થઈ જાય, તો તેના દિવ્ય સ્વરૂપનું જ હંમેશાં સર્વને દર્શન થાય, એટલે બહુ શ્રેષ્ઠ થાય; કેમકે લોકોત્તર રૂપનું દર્શન અતિ દુર્લભ છે. પણ તે મારો અભિપ્રાય પાર પડ્યો નહીં, અને અગ્નિની જ્વાળાથી પરાભવ પામેલા તે તો ઘરમાંથી જ વિહ્વળ વચન અને વજનવાળા બહાર નીકળ્યા. માટે હે રાજન્ ! સ્વર્ગ ગમનાગમનની સર્વ વાત અસત્ય જ માનવા યોગ્ય છે,” આ પ્રમાણે રાણીએ કહેલ યુક્તિ સાંભળ્યા છતાં પણ ધૂર્તના વચનથી વ્યક્ઝાહિત થયેલા ચિત્તવાળાની જેમ રાજાએ જરા પણ બૌદ્ધગુરુપરના દષ્ટિરાગનો ત્યાગ કર્યો નહીં. કહ્યું છે કે – कामरागस्नेहरागा-वीषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेद्यः सतामपि ॥१॥ કામરાગ અને સ્નેહરાગ એ બેને નિવારણ કરવામાં બહુ ર્થોડી મહેનત પડે છે, તેનું નિવારણ સહેજે થઈ શકે છે; પણ પાપિષ્ટ એવો દષ્ટિરાગ તો સત્પષોથી પણ દુઃખે તજી શકાયછેદાય તેવો છે.” અન્યદા રાજાએ બૌદ્ધગુરુને ભોજન માટે નિમંત્રણ કર્યું, તે જમવા આવ્યા ત્યારે રાણીએ તેમાં ઉપાનહ (પગરખાં) પોતાના સેવક પાસે ગુપ્ત રીતે મંગાવી તેના સૂક્ષ્મ કકડા કરી તેનું ચૂર્ણ શાક વગેરેમાં ખબર ન પડે તેમ ભેળવી દીધું. ભોજન કરતી વખતે ગુરુએ ભોજનના સ્વાદને લીધે કાંઈ પણ જાણ્યું નહીં. ભોજન કરી રહ્યા પછી પોતાને સ્થાને જતી વખતે ગુરુએ ચોતરફ પોતાનાં ઉપાનહ શોધ્યાં. પણ હાથ લાગ્યાં નહીં; ત્યારે ચેલણાએ રાજાને કહ્યું કે “હે સ્વામી! તમારા ગુરુ. જ્ઞાની છે કે નહીં? જો જ્ઞાની હોય તો ઉપાનહની શોધ શા માટે કરે છે? જ્ઞાનથી જ જાણી લે કે ક્યાં છે? અને જો અજ્ઞાની છે, તો હમણાં જમેલા ભોજનને તેના નામને પણ ભૂલી જશે. માટે હે રાજન્ ! આ દાંભિક માણસો શું જાણી શકે? સમગ્ર વિચારમાં નિપૂણ તો જૈન મુનિઓ જ હોય છે.” પછી ગુરુ તો ખેદ પામી પોતાને સ્થાને ગયા. ઘેર પહોંચ્યા કે તરત કંઠ સુધી ભોજન કરેલું હોવાથી તેમને વમન થયું, તેમાં ચર્મના સૂક્ષ્મ કકડાઓ નીકળ્યા, એટલે ગુરુએ રાજાને બોલાવીને તે વાત કહી. રાજાએ કહ્યું કે “અમારા ભોજનમાં એવા કોઈ જાતનો દોષ ધારશો નહીં.” પછી તે વાત રાજાએ રાણી પાસે આવીને કહી; એટલે રાણી બોલી કે “તમારા ગુરુ જ્ઞાનીના નામથી પૂજાય છે, તો એટલું પણ જાણી શક્યા નહિ કે મારા ઉપાનહ મારા ઉદરમાં જ છે.” તે સાંભળીને રાજા મૌન રહ્યો. Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૮૭ હવે રાજાએ ચેલણાને પોતાના ધર્મની àષિણી જાણીને તેનો ગર્વ દૂર કરવા માટે એકદા પોતાના સેવકોને કહ્યું કે “તમે સ્મશાનમાં જઈને ત્યાંથી કોઈ તરતનું મરેલું બાળકનું શબ લાવીને રસોઈયાને આપો.” સેવકોએ તે પ્રમાણે કર્યું. એટલે રાજાએ તે શબના માંસાદિક યુક્ત ક્ષીર વગેરે ભોજનની સામગ્રી તૈયાર કરાવી. પછી અનુચરોને જૈનમુનિને આમંત્રણ કરવા માટે મોકલ્યા, ચેલણાએ અનુમાનથી કાંઈક હકીકત જાણીને રાજાને પૂછ્યું કે “હે સ્વામી ! આજ તમે ચંચળ ચિત્તવાળા અને ઉત્સુક કેમ જણાવો છો ? રાજાએ કહ્યું કે, “રાજ્યાદિકની ચિંતાથી, બીજું કાંઈ નથી.” પછી રાજા રસોડામાં જઈને બેઠો, અને રાણી સાધુને આવવાના માર્ગે ગોખમાં બેઠી. થોડીવારે રાજાના સેવકે બતાવેલા માર્ગે એક મુનિને આવતા જોયા. તે વખતે રાણીએ વિચાર કર્યો કે “આ નિઃસ્પૃહ મુનિ મારી સામું પણ જોશે નહીં, કેમકે તે ઈર્યાસમિતિ શોધવા માટે નીચું જોઈને જ ચાલે છે; તેથી કાંઈક યુક્તિ કરું કે જેથી તે મારા સામું જુએ ?” એમ વિચારીને જ્યારે મુનિ તે ગોખની નીચે આવ્યા. ત્યારે રાણીએ ઊંચા હાથ કરીને બારીના બારણાં એકદમ ખખડાવ્યાં, એટલે મુનિએ ઊંચું જોયું. તેને તત્કાળ નમન કરીને ચેલણાએ પ્રથમ બે આંગળીઓ અને પછી ત્રણ આંગળીઓ દેખાડી. તે જોઈને મુનિએ એક આંગળી દેખાડી. આ સંકેતનું તાત્પર્ય એ છે કે - રાણીએ આંગળીની સંજ્ઞાથી ગુરુને પૂછ્યું કે “તમારે બે જ્ઞાન છે કે ત્રણ ?” તેના જવાબમાં મુનિએ એક આંગળી બતાવી, એટલે ‘ત્રણ ઉપરાંત એક જ્ઞાન વધારે છે અર્થાત્ ચા૨ જ્ઞાન છે.” એમ સાધુએ બતાવ્યું; તેથી રાણીએ હર્ષ પામીને ફરીથી ફીટ્ટા વંદન કર્યું. પછી મુનિ રાજાની પાકશાળામાં ગયા. રાજા બહુમાનથી મુનિને તે બાળકના માંસવાળું ભોજન વહોરાવવા લાગ્યો, એટલે મુનિએ જ્ઞાનદૃષ્ટિથી તે ભોજન અભક્ષ્ય અને અયોગ્ય જાણીને રાજાને કહ્યું કે “હે રાજન્ ! આ ભોજન અમારે યોગ્ય નથી. અમે મુનિઓ નિર્દોષ આહાર ગ્રહણ કરીએ છીએ.” રાજાએ કહ્યું કે “હે પૂજ્ય ! આ આહાર શી રીતે દૂષિત છે ? રાજાને ઘેર નિપજેલો હોવાથી તે શુદ્ધ જ છે; જો કદાચ દૂષિત હોય તો તેનો દોષ પ્રગટ કરો.” ત્યારે મુનિ બોલ્યા કે, “હે રાજન્ ! તમે કરાવેલું કામ તમે પોતે પ્રત્યક્ષ જાણો છો, છતાં શા માટે કપટ કરો છો ? તમને એ યોગ્ય નથી. મુનિઓને તો અચિત્ત આહાર પણ જો દોષવાળો હોય તો તે કલ્પતો નથી; તો પછી નિરંતર જેમાં જીવો ઉત્પન્ન થાય તેવો, બાળકના માંસથી બનેલો આહાર તો તેને શી રીતે કલ્પે?” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને સંપૂર્ણ વિશ્વાસ આવવાથી રાજાએ તે જ્ઞાની મુનિને વંદન કરીને કહ્યું કે “હે પૂજ્ય ! તમારું જ્ઞાન, તમારો ધર્મ અને તમારી સર્વ ક્રિયાઓ સત્ય છે.” ઈત્યાદિ જૈનધર્મની પ્રશંસા કરીને હર્ષથી સમ્યક્ત્વ સન્મુખ થયેલો રાજા ચેલણા પાસે આવીને બોલ્યો કે “હે પ્રિયે ! તારા ગુરુ પરમજ્ઞાની છે. મેં આજે તેમની પરીક્ષા કરી.” એમ કહીને ચેલણાના પૂછવાથી રાજાએ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને ચેલણા બોલી કે “હે સ્વામી ! એવા નિઃસ્પૃહ જ્ઞાનીનો અંત ન લેવો; કેમકે Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તે મુનિઓ બૌદ્ધના સાધુ જેવા નથી. બૌદ્ધાચાર્ય તો ભોજનમાં આવેલા સૂક્ષ્મ ચર્મના ખંડોને ખાતી વેળાએ મુખાદિકના સ્પર્શથી પણ જાણી શક્યા નહીં.” પછી રાજાએ તે વખતનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે રાણીએ બધી વાત ખરેખરી કહી દીધી. આ રીતે અનેક યુક્તિથી રાણીએ બોધ કરીને રાજાને જૈનધર્મમાં રસિક બનાવ્યો. પછી અનુક્રમે શ્રી મહાવીરસ્વામીની દેશના વગેરેથી શ્રેણિકરાજા જૈનધર્મમાં સ્થિર થયો. આ દૃષ્ટાંત જેવું સાંભળવામાં આવ્યું તેવું જ લખી દીધું છે. “આ શ્રેણિકરાજાની કથા સાંભળીને જૈનધર્મના તત્ત્વને જાણનાર માણસોએ બૌદ્ધ, શાક્ય, વેદાંતી અને કણાદાદિક એકાંતવાદીના કુધર્મનો ત્યાગ કરવો.” ૩૫૫ તીર્થસ્તવના शत्रुंजयादितीर्थानां प्रत्यूषे समयेऽनिशम् । 1 विदध्यात् स्तवनां जन्तुः, सर्वाघौघप्रणाशिनीम् ॥१॥ ભાવાર્થ :- “હંમેશા પ્રાતઃકાળે દરેક પ્રાણીએ સર્વ પાપના સમૂહને નાશ કરનારી શત્રુંજયાદિક તીર્થોની સ્તુતિ કરવી.” પૂર્વાચાર્યોએ નીચે પ્રમાણે શત્રુંજયાદિ તીર્થોની સ્તુતિ કરેલી છે - श्री तीर्थराजस्तवना राजादनाधस्तनभूमिभागे, युगादिदेवांघ्रिसरोजपीठम् । देवेन्द्रवन्द्यं नरराजपूज्यं, सिद्धाचलाग्रस्थितमर्चयामि ॥ १ ॥ आदिप्रभोर्दक्षिणादिग्विभागे, सहस्रकूटे जिनराजमूर्तिः । सौम्याकृतिः सिद्धततीनिभाश्च, शत्रुञ्जयस्था: परिपूजयामि ॥२॥ आदिप्रभोर्वक्त्रसरोकहाच्च, विनिर्गतां श्रीत्रिपदीमवाप्य । यो द्वादशांगीं विदधे गणेशः, स पुंडरीको जयताच्छिवा ॥३॥ चउदसाणं सयसंखगाणं, बावन्न सहियाण गणाहिवाणं । सुपाउआ जत्थ विराजमाणा, सत्तुंजयं तं पणमामि निच्चं ॥४॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ २८ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ २८८ श्रीसूर्यदेवेन विनिर्मितस्य, श्रीसूर्यकुंडस्य जलप्रभावात् । कुष्ठादिरोगाश्च समेह्य नश्यन्, नरो भवेत् कुर्कुटतां विहाय ॥५॥ विश्वत्रयोद्योतकरा गुणालया, महाय॑माणिक्यसुकुक्षिधारिका । मतंगजस्था मरुदेविमातृका, विराजते यत्र गिरौ विशेषतः ॥६॥ यत्रैव शैले खलु पञ्च पांडवा, युधिष्ठिराद्या विजितेन्द्रियाश्च ।। कुन्तासमं विंशतिकोटिसाधुभिः, सार्धं शिवर्द्धि च समाससादिरे ॥७॥ नमिविनमिमुनीन्द्रावादिसेवापरौ यौ, गगनचरपती तौ प्रापतुर्मोक्षलक्ष्मीम् । विमलगिरिवरे वै कोटियूग्मर्षिभिश्च, सह हि विमलबोधिप्राप्तिपुष्ट्येकहेतू ॥८॥ विमलगुणसमूहै: संभृतश्चान्तरात्मा, स्वपदरमणभोक्ता दर्शनज्ञानधर्ता । निखिलशमधनानां तिसृभिः कोटिमिश्च, समममृतपदर्द्धि प्राप्नुयादव रामः ॥९॥ सौराष्ट्रदेशे खलु रत्नतुल्यं, सत्तीर्थयुग्मं परिवर्तते च । शत्रुञ्जयाख्यं गिरिनारसंज्ञं, नमाम्यहं तद्बहुमानभक्त्या ॥१०॥ अणंतनाणीण अनंतदंसिणे, अणंतसुक्खाण अणंतवीरिणे । वीसं जीणा जत्थ सिवं पवन्ना, संमेयसेलं तमहं थुणामि ॥११॥ प्रगेऽहर्निशं संस्तुतं वासवाद्यै-र्जिनं नाभिभूपालवंशावतंसम् । श्रयेऽष्टापदे प्राप्तपूर्णात्मतत्त्वं, सुसौभाग्यलक्ष्मीप्रदं द्योतिमंतम् ॥१२॥ कल्याणकन्दोद्भवनैकमेघं, समस्तजीवोद्धरणे क्षमं तम् । स्फुरत्प्रतापं महनीयमूर्ति, श्रीमारुदेव्यं वृषभं च वन्दे ॥१३॥ । इति तीर्थराजस्तवना । જે સિદ્ધાચળ ઉપર રાયણના વૃક્ષ નીચે દેવેન્દ્રોએ વંદન કરેલું તથા ચક્રવર્તીએ પૂજેલું એવું યુગાદિદેવ શ્રી આદીશ્વરનું ચરણકમળરૂપ પીઠ રહેલું છે, તેનું હું અર્ચન કરું છું. ૧. જે શત્રુંજયગિરિ પર આદીશ્વર પ્રભુની દક્ષિણ દિશામાં સહગ્નકૂટની અંદર સૌમ્ય આકૃતિવાળી ૧૦૨૪ તીર્થકરોની મૂર્તિઓ રહેલી છે, તેનું હું પૂજન કરું છું. ૨. શ્રી ઋષભસ્વામીના મુખકમળથી નીકળેલી ત્રિપદીને પામીને જેમણે દ્વાદશાંગીની રચના કરી એવા શત્રુંજય પર રહેલા શ્રી પુંડરીક ગણધર જયને પામો. ૩. જયાં (પ્રભુની ડાબી બાજુએ) ચૌદસો ને બાવન ગણધરોની પાદુકાઓ વિરાજમાન છે તે શત્રુંજયગિરિને હું નિત્ય પ્રણામ કરું છું. ૪. જે ગિરિ પર સૂર્યદેવે નિર્માણ કરેલા Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ સૂર્યકુંડના જળના પ્રભાવથી કુષ્ટાદિક વ્યાધિઓનો સમૂહ નાશ પામે છે, તેમજ કુકડાપણું પામેલો જીવ પાછો મનુષ્યપણાને પામે છે, (ચંદરાજાની જેમ) તે શત્રુંજયગિરિને હું પ્રણામ કરું છું. ૫. જે ગિરિ ઉપર ત્રણ વિશ્વમાં ઉદ્યોતને કરનારા, ગુણોના સ્થાનરૂપ અને અમૂલ્ય રત્ન (ઋષભદેવ)ને કુક્ષિમાં ધારણ કરનારા એવા હાથી પર બેઠેલા મરૂદેવી માતા વિરાજે છે તે ગિરિને હું નમન કરું છું. ૬. જે પર્વત પર જિતેન્દ્રિય એવા યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડવો કુંતા માતાની સાથે વીશ કરોડ સાધુઓ સહિત મુક્તિપદને પામ્યા છે તે પર્વતને હું નમું છું. ૭. જે ગિરિ ઉપર નમિ અને વિનમિ નામના મુનિન્દ્રો કે જેઓ વિદ્યાધરના રાજાઓ હતા તથા શ્રી આદિનાથની સેવા કરનારા હતા તેઓ બે કરોડ સાધુઓ સહિત મોક્ષની લક્ષ્મીને પામ્યા, તે વિમલગિરિ અને વિમળ (નિર્મળ) બોધની પ્રાપ્તિ અને પુષ્ટિના હેતુરૂપ થાઓ. ૮. જે ગિરિ પર નિર્મળ ગુણોના સમૂહથી જેનો આત્મા પરિપૂર્ણ થયો છે, અને જે નિરંતર આત્મિક સુખમાં રમણ કરનારા અને તેના ભોક્તા છે, જ્ઞાનદર્શનને ધારણ કરનારા છે તથા સમતારૂપ ધનવાળા છે એવા રામચંદ્ર ત્રણ કરોડ મુનિઓની સાથે મોક્ષસ્થાનની સમૃદ્ધિને પામ્યા છે તે અદ્રિને હું વંદના કરું છું. ૯. સૌરાષ્ટ્ર દેશમાં શત્રુંજય અને ગિરનાર એ બે તીર્થ અમૂલ્ય રત્ન તુલ્ય વર્તે છે, તેને હું બહુમાનપૂર્વક ભક્તિથી પ્રણામ કરું છું. ૧૦. જ્યાં અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા, અનંત સુખવાળા અને અનંત વીર્યવાળા વિશ તીર્થંકરો શિવપદને પામ્યા છે તે સમેતગિરિની હું સ્તુતિ કરું છું. ૧૧. નિરંતર પ્રાતઃકાળે દેવેન્દ્રોએ સ્તુતિ કરેલા, નાભિરાજાના વંશના અલંકારરૂપ શ્રી ઋષભદેવ જે પર્વત પર સૌભાગ્ય લક્ષ્મીને આપનારા ઘોતિમાનું પૂર્ણ આત્મતત્ત્વને (સિદ્ધિપદને) પામ્યા છે તે અષ્ટાપદ પર્વતનો હું આશ્રય કરું છું. ૧૨. કલ્યાણરૂપ કંદને ઉત્પન્ન કરવામાં અદ્વિતીય મેઘ સમાન, સમસ્ત જીવોનો ઉદ્ધાર કરવામાં સમર્થ, ફુરણાયમાન પ્રતાપવાળા અને પૂજય મૂર્તિવાળા મરુદેવીના પુત્ર શ્રી ઋષભસ્વામીને હું વંદના કરું છું.” શત્રુંજય તીર્થના પ્રભાવ સંબંધી એક કથા છે, તે નીચે પ્રમાણે - ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરમાં સાંતુ નામે મંત્રી હતો. તે એકદા હતી પર બેસીને રવાડીએ ગયો હતો. ત્યાંથી પાછા વળતાં પોતે કરાવેલ સાંત્વસહી નામના ચૈત્યમાં દેવને વાંદવા માટે હાથી પરથી નીચે ઉતરીને પ્રવેશ કરતાં તેણે તે ચૈત્યમાં રહેનારા એક શ્વેતાંબર સાધુને કોઈ વેશ્યાના સ્કન્ધ ઉપર હાથ રાખીને ઉભેલા દીઠા, તેમ છતાં પણ મંત્રીએ ઉત્તરાસંગ કરીને ગૌતમ ગણધરની જેમ પંચાંગ નમસ્કારપૂર્વક તેને વંદના કરી. પછી એક ક્ષણવાર રહીને ફરીથી નમન કરી મંત્રી પોતાના ઘર તરફ ગયો. તેમના ગયા પછી તે સાધુ પોતાના દુરાચરણથી લજ્જા પામીને જાણે પાતાલમાં પેસવાની ઈચ્છા કરતા હોય તેમ અત્યંત ખિન્ન થઈ ગયા. પછી તે જ વખતે સર્વ વસ્તુ વગેરેનો ત્યાગ કરીને શ્રી હેમચંદ્રસૂરિ પાસે જઈ તેમણે ફરીથી દીક્ષા લીધી. પછી વૈરાગ્યભાવથી પૂર્ણ થયેલા તે સાધુએ શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈને બાર વર્ષ સુધી તપ કર્યું. એકદા તે મંત્રી શત્રુંજયની Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ યાત્રા કરવા માટે ગયો. ત્યાં તે સાધુને જોઈને “આપને મેં પૂર્વે કોઈ વખત જોયેલા છે.” એમ કહીને વંદના કરી. પછી તેમના પવિત્ર ચારિત્રથી પ્રસન્ન થયેલા મંત્રીએ તે મુનિને તેમના ગુરુ, કુળ વગેરે પૂછ્યું; એટલે તેમણે મંત્રીને કહ્યું કે “તત્ત્વથી તો તમે જ મારા ગુરુ છો.” તે સાંભળીને અજાણ્યો મંત્રી કાન આડા હાથ રાખીને બોલ્યો કે “અરે પૂજય ! એવું ન બોલો.” મુનિ બોલ્યા કે जो जेण सुद्धधम्मंमि, ठाविओ संजएण गिहिणा वा। सो चेव तस्स जोयइ, धम्मगुरू धम्मदाणाओ ॥१॥ “મુનિએ અથવા ગૃહસ્થીએ જેણે જેને શુદ્ધ ધર્મમાં સ્થાપન કર્યો હોય તે જ તેને ધર્મદાન આપવાથી તેનો ધર્મગુરુ જાણવો.” એમ કહીને તે મુનિએ પોતાનું મૂળ વૃત્તાંત કહી તેને ધર્મમાં દઢ કર્યો. ચિત્યના ભંગ કરનારે શું કરવું? चैत्यभंगाच्च यदुःखं, लब्धं तस्य क्षयः कथम् । भूयश्चैत्यविधानेन, तत्पापं विलयं व्रजेत् ॥१॥ ભાવાર્થ:- “ચૈત્યનો એટલે જિનપ્રતિમાનો અથવા જિનમંદિરનો ભંગ કરવાથી જે દુઃખ (પાપ) થાય તે શી રીતે ક્ષય પામે? આ પ્રશ્નનો જવાબ એ છે કે ફરીને ચૈત્ય કરાવવાથી તે પાપ નાશ પામે છે.” તે ઉપર દષ્ટાંત છે, તે નીચે પ્રમાણે – પ્રહ્માદનપુર (પાલનપુર)માં પ્રહ્માદન નામે રાજા હતો. તે એકદા અબુદાચળ (આબુ પર્વત) જોવા ગયો. ત્યાં તેણે કુમારપાળરાજાએ કરાવેલો શ્રી પાર્શ્વનાથસ્વામીનો પ્રાસાદ જોયો. તે પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની રૂપાની પ્રતિમા જોઈને રાજાએ તેને ભાંગી નખાવી મહાદેવનો પોઠીયો કરાવીને શિવાલયમાં સ્થાપન કર્યો. ત્યાંથી રાજા પોતાને ઘેર આવ્યો કે તરત જ રાજાના શરીરમાં ગલત્કૃષ્ટ (ઝરતો કોઢ)નો વ્યાધિ ઉત્પન્ન થયો. તે વ્યાધિથી રાજાના દેહમાં ઘણી વેદના થવા લાગી. રાજાને ગંગા વગેરેના તીર્થજળથી સ્નાન કરાવ્યું, તો પણ વ્યાધિ શાંત થયો નહીં; તેથી તે અત્યંત વ્યાકુળ થયો. એકદા રાજાએ કોઈ મુનિને રોગની શાંતિનો ઉપાય પૂછ્યો, ત્યારે મુનિએ કહ્યું કે - स्वस्ति श्रियांधाम गुणाभिरामं, सुत्रामसंताननतांहिपद्मम् । जाग्रत्प्रतापं जगतितलेऽत्र, श्रीपार्श्वदेवं सततं श्रय त्वम् ॥१॥ यदीयमूर्तिर्भविनो समस्तं, निहंत्यधं दृष्टिपथावतीर्णा । शैलेऽर्बुदे स्थापिततीर्थनाथं, श्रीपार्श्वदेवो वितनोति सौख्यम् ॥२॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ રૂ હે રાજનું! કલ્યાણ અને સંપત્તિના સ્થાનભૂત, સકળ ગુણોથી વિરાજમાન અને જેના ચરણકમળને ઈન્દ્રોનો સમૂહ પણ પ્રણામ કરે છે, તથા જેનો પ્રતાપ જગતમાં નિરંતર જાગૃત છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું તમે નિરંતર સેવન કરો. જેની મૂર્તિ માત્ર દૃષ્ટિમાર્ગમાં આવવાથી પણ ભવ્ય પ્રાણીઓના સમગ્ર પાપને હણે છે, એવા આબુ પર્વત પર સ્થાપન કરેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સર્વ પ્રાણીઓને સુખના આપનારા છે.” હે રાજા ! તમે આ પુરમાં જ એક નવીન ચૈત્ય કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ સ્થાપના કરી હંમેશા દંભ રહિત નિર્મળ ભક્તિથી તેની પૂજા કરો, તેથી તમારા રોગની શાંતિ થશે. વળી તે રાજા ! પ્રતિમાદિકના ભંગનું પ્રાયશ્ચિત્ત સાંભળો - મોટી પ્રતિમા બળી ગઈ હોય, નાશ પામી હોય અથવા તેની કોઈએ ચોરી કરી હોય, તો મૂળ મંત્રનો એક લાખ જાપ કરીને બીજી પ્રતિમા સ્થાપન કરવાથી તે પાપની શુદ્ધિ થાય છે. એક હાથ ઊંચેથી બિંબ પડે તો મૂળ મંત્રનો દશ હજાર જાપ કરીને પછી પૂજા કરવી. બે હાથ ઊંચેથી પડે અને અંગભંગ ન થયો હોય તો એક લાખ જાપ કરીને ફરીથી સંસ્કાર કરવાથી શુદ્ધ થાય. પુરુષપ્રમાણ ઊંચાઈથી પ્રતિમા પડી હોય અને શલાકા સર્વથી વિશીર્ણ થઈ હોય તો તેનું પ્રાયશ્ચિત્ત નથી, એટલે કે શલાકાનો ભેદ થાય તો નવી જ પ્રતિમા કરાવવી પડે. સ્પંડિલાદિકમાં પણ દેવોનું આવાહન કર્યા પછી પૂજાનું કાર્ય વિસર્જન કર્યું ન હોય ત્યાં સુધીમાં જો પ્રમાદથી બિંબને ઉપઘાત થાય, તો પૂજાદિક વડે મંત્રને સંહરીને મૂળ મંત્રનો પાંચ હજાર જાપ કરી પાત્રદાન આપી ફરીથી સર્વ અર્ચા-પૂજા કરવી. દેવના ઉપકરણને પગ વડે સ્પર્શ થયો હોય તો પાંચસો વાર મંત્ર જાપ કરવો. પ્રતિક્રમણની ક્રિયાનો લોપ થયો હોય તો વ્યાધિ વિનાના એ ઉપવાસ કરીને મૂળ મંત્રનો સો વાર જાપ કરવો, અને વ્યાધિવાળાએ માત્ર સો વાર જાપ જ કરવો. એક દિવસ દેવપૂજા ન થઈ હોય, તો ત્રણ ઉપવાસ કરીને ત્રણ દિવસ ત્રણસો ત્રણસો વાર જાપ કરવો. અજાણતાં નિર્માલ્યનું ભક્ષણ થઈ ગયું હોય તો દશ હજાર જાપ કરી વિશેષ પૂજા કરવી, અને જાણીને નિર્માલ્યનું ભક્ષણ કર્યું હોય તો એક લક્ષ નવકારનો જાપ કરીને પાંચ ઉપવાસ કરવા. નિર્માલ્યના પાંચ ભેદ છે. દેવસ્વ, દેવદ્રવ્ય, નૈવેદ્ય, નિવેદિત અને નિર્માલ્યા. તેમાં દેવને માટે આપેલા પ્રામાદિક દેવસ્વ કહેવાય છે, દેવસંબંધી અલંકારાદિ દેવદ્રવ્ય કહેવાય છે. દેવને માટે કલ્પલ પદાર્થ નૈવેદ્ય કહેવાય છે, દેવને માટે કલ્પીને તેમની પાસે ધરેલું નિવેદિત કહેવાય છે અને પ્રભુ પાસે ધર્યા પછી બહાર નાંખી દીધેલું-ઉપાડી લીધેલું નિર્માલ્ય કહેવાય છે. તે પાંચે પ્રકારના નિર્માલ્યને સુંઘવું નહીં, ઓળંગવું નહીં, કોઈને આપવું નહીં, તેમજ વેચવું નહીં. કેમકે કોઈને આપવાથી રાક્ષસજાતિમાં જન્મ થાય છે. ખાવાથી ચાંડાળ જાતિમાં જન્મ થાય છે. સ્પર્શ કરવાથી સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે અને વેચવાથી ભિલ્લયોનિમાં જન્મ થાય છે. પૂજામાં દીપનું અવલોકન કરતાં તથા ધૂપ અન્નાદિક ધરતાં તેનો ગંધ આવે તેનો દોષ નથી, તેમજ નદીના પ્રવાહમાં નાંખેલા પુષ્પાદિક નિર્માલ્યના ગંધથી પણ દોષ લાગતો નથી. ૧. પોતાના સંબંધીને આપવું નહિ અને પોતે દ્રવ્ય મેળવવા વેચવું નહિ એમ સમજવું દેરાસરના માળી ભોજકને આપવામાં તેમજ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે વેચવામાં બાધ સમજવો નહીં. Page #304 -------------------------------------------------------------------------- ________________ ~ ૨૯૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ મરણના તથા જન્મના સૂતકવાળાને ઘેર જમવું નહીં. અજાણતાં ખવાયું હોય તો એક ઉપવાસ કરીને મૂળ મંત્રનો એક હજાર જાપ કરવો. જાણીને ભોજન કર્યું હોય તો ત્રણ ઉપવાસ કરીને ત્રણ હજાર જાપ કરવો. પોતાને જ ઘેર સૂતક આવ્યું હોય તો સૂતકી માણસનો સ્પર્શ તજી દેવો અને જુદી રસોઈ કરાવીને જમવું, નહિ તો પ્રતિક્રમણ, દેવપૂજા વગેરે નિત્યકર્મની હાનિ થાય છે, ધર્મમાં સ્થિત રહેલા, ક્રિયામાં આસક્ત, જ્ઞાનવાળા અને વ્રતવાળાએ સૂતકમાં પણ નિત્યકર્મની હાનિ કરવી નહીં, અર્થાતુ પ્રતિક્રમણ દેવપૂજાદિ કર્યા વિના રહેવું નહીં. કોઈ માણસ નિત્યકર્મ કરતો ન હોય અને પ્રમાદથી (અજાણતાં) સૂતકનો સ્પર્શ કરે, અથવા સમુદાય માટે રાંધેલા અનાજનું ભોજન કરે તો એક ઉપવાસ અને હજાર જાપથી તે શુદ્ધ થાય છે; પણ જો જાણીને સ્પર્ધાદિક કર્યું હોય તો તેથી ત્રણ ગણું પ્રાયશ્ચિત્ત કરવું. એક દિવસની પૂજાનો લોપ થયો હોય તો મૂળ મંત્રનો દશ હજાર જાપ કરવો અથવા ઉપવાસ કરીને એક સો વાર જાપ કરવો.” આ પ્રમાણે મુનિએ કહેલો પ્રાયશ્ચિત્તનો વિધિ સાંભળીને રાજાએ તરત જ શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય કરાવી તેમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની કાંચનમય મૂર્તિ સ્થાપના કરી અને હંમેશા તેની ભક્તિપૂર્વક પૂજા કરવા માંડી. તેના પ્રભાવથી અનુક્રમે રાજાનો સર્વ વ્યાધિ નષ્ટ થયો. પાલણપુરના પ્રહલાદ નામના રાજાએ ભક્તિ વડે જે પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માપણ કર્યું તે મૂર્તિના સ્નાત્રનું જળ અન્ય રાજાને પણ પામા (ખસ) વ્યાધિનો નાશ કરનાર થયું. પ્રલાદન નામના ચૈત્યમાં બિરાજેલા પ્રફ્લાદન નામના પાર્શ્વનાથસ્વામી ચંદ્રની જેમ પ્રાણીઓને પ્રફ્લાદ (હર્ષ) કરનારા થવાથી જગતમાં સાર્થક નામવાળા થયા છે.” ૩૫૬ ધર્મનું મહાભ્ય जिनधर्म समाराध्य, भूत्वा विभवभाजनम् । प्राप्ताः सिद्धिसुखं ये ते, श्लाघ्या मंगलकुंभवत् ॥१॥ ભાવાર્થ - “જિનધર્મનું આરાધન કરીને સર્વ સંપત્તિનું સ્થાન થઈ જેઓ સિદ્ધિ સુખને પામ્યા છે તેઓ મંગળકળશની જેમ પ્રશંસા કરવાને યોગ્ય છે.” મંગળકુંભનું દૃષ્ટાંત ઉજ્જયિની નગરીમાં વૈરિસિંહનામે રાજા હતો. તે નગરીમાં ધનદત્ત નામે ધર્મની રુચિવાળો એક શેઠ હતો. તેને પુત્રરહિત સત્યભામા નામની સ્ત્રી હતી. એકદા પુત્રની ચિંતાથી પ્લાન મુખવાળા શેઠને જોઈને સત્યભામાએ તેને પૂછ્યું કે “હે નાથ ! તમારે ચિંતાતુર થવાનું શું કારણ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ છે ? તે કહો.” ત્યારે શેઠે પુત્રચિંતાની વાત કહી. તે સાંભળીને તે બોલી કે “હે સ્વામી ! સુખને ઈચ્છનાર માણસે એવી ચિંતા શા માટે કરવી ? તેણે તો આ લોકમાં તથા પરલોકમાં સુખને આપનાર ધર્મની જ સેવા કરવી.” આ પ્રમાણેનો પ્રિયાનો ઉપદેશ સાંભળીને તેને સત્ય માનીને હર્ષ પામેલો શ્રેષ્ઠિ પુષ્પાદિક વડે દેવપૂજા કરવા વગેરે અનેક ધર્મકાર્યો કરવા લાગ્યો. ધર્મના પ્રભાવથી તુષ્ટમાન થયેલી શાસનદેવીએ તેને ઈચ્છિત વરદાન આપ્યું; તેથી સત્યભામાએ ગર્ભ ધારણ કર્યો, અનુક્રમે સમય પૂર્ણ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું સ્વપ્નને અનુસારે મંગળકુંભ એવું નામ પાડ્યું. તે પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી કળાભ્યાસ કરવામાં તત્પર થયો. તેના પિતા હંમેશા દેવપૂજાને માટે પુષ્પાદિક લેવા ઉદ્યાનમાં જતા, તેનો નિષેધ કરીને મંગળકુંભ હંમેશા પુષ્પો લાવીને પિતાને આપવા લાગ્યો. તે પુષ્પોથી પિતા અને પુત્ર બન્ને પૂજા કરતા હતા. આ પ્રમાણે ધર્માભ્યાસ કરતા હતા તેવામાં જે બન્યું તે સાંભળો - “ચંપાપુરીમાં મહાબાહુ નામે રાજા હતો. તેને ગુણાવલી નામે રાણી હતી. તે રાણીથી ઉત્પન્ન થયેલી લાવણ્યના રસની જાણે પેટી હોય તેવી સ્વરૂપવાન ત્રૈલોક્યસુંદરી નામે તેને પુત્રી હતી. તે યુવાવસ્થા પામી ત્યારે રાજાએ વિચાર્યું કે “મારી પુત્રીને યોગ્ય વર કોણ મળશે ?’” પછી રાજાએ પોતાના સુબુદ્ધિ નામના પ્રધાનને બોલાવીને કહ્યું કે “મેં તારા પુત્રને મારી ત્રૈલોક્યસુંદરી આપી છે તેમાં તારે કાંઈ પણ બોલવું નહિ.' તે સાંભળી પ્રધાને ઘેર જઈ વિચાર કર્યો કે “રાજાની પુત્રી તો સાક્ષાત્ તિ જેવી છે, અને મારો પુત્ર તો કુષ્ટના વ્યાધિવાળો છે. તે જાણતાં છતાં હું તે બન્નેનો યોગ શી રીતે કરું ?” પછી પોતાની બુદ્ધિથી જ ઉપાય શોધીને પ્રધાને ગોત્રદેવીની આરાધના કરી. ત્યારે દેવી પણ પ્રત્યક્ષ થઈને બોલી કે “હે પ્રધાન ! તારા પુત્રને કર્મના વિપાકથી કુષ્ટ રોગ થયો છે, તેથી તે મટી શકે તેમ નથી; કેમકે ભોગ્ય કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે; તો પણ તારા કાર્યની સિદ્ધિ માટે તારી ભક્તિથી પ્રસન્ન થયેલી હું આ પુરીને દરવાજે રહેનાર અશ્વરક્ષકની પાસે ટાઢથી પીડા પામતો અને અગ્નિની ઈચ્છાવાળો કોઈક બાળક લાવીને મૂકીશ. તે બાળકને તારે ગ્રહણ કરવો.” એમ કહીને દેવી અન્તર્ધ્યાન થઈ. પછી મંત્રીએ વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી, અને તે અશ્વરક્ષકને બોલાવીને કહ્યું કે “અમુક દિવસે જે બાળક તારી પાસે આવે તેને ગુપ્ત રીતે મારી પાસે લાવજે.” એમ કહીને અશ્વરક્ષકને રજા આપી. હવે તે ગોત્રદેવીએ પણ ઉજ્જયિની નગરીમાં જઈને પુષ્પો લઈને ઘર તરફ જતા તે મંગળકુંભને ઉદ્દેશીને આકાશવાણીથી કહ્યું કે “આ બાળક રાજાની કન્યાને ભાડે પરણશે.” તે સાંભળીને મંગળકુંભ વિસ્મય પામી ઘેર આવ્યો. બીજે દિવસે પણ તે જ પ્રમાણે સાંભળ્યું. ત્યારે તેણે વિચાર કર્યો કે “આજે ઘેર જઈને આ આકાશવાણીની વાત પિતાને કહીશ.' આમ વિચાર કરે છે તેટલામાં તો તેને તે દેવીએ ચંપાપુરી પાસેના વનમાં મૂક્યો, એટલે તે ભમતો ભમતો અશ્વપાળની પાસે ગયો. અશ્વપાળે તેને ગુપ્ત રીતે લઈને મંત્રીને સોંપ્યો. મંત્રીએ તેને દેવકુમાર જેવો રૂપવાન જોઈને હર્ષ પામી એકાંતમાં રાખ્યો. એકદા મંગળકુંભે સચિવને પૂછ્યું કે “હે Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ muzey પિતા ! મને પરદેશીને શા માટે ગુપ્ત સ્થાને રાખ્યો છે?” મંત્રીએ તેને કપટથી કહ્યું કે “તને રાજાની પુત્રી કૈલોક્યસુંદરી સાથે પરણાવવો છે, તેને પરણીને પછી તું મારા કુષ્ટના વ્યાધિવાળા પુત્રને તે રાજપુત્રી આપજે. આ કાર્ય માટે તને અહીં લાવવામાં આવ્યો છે.” તે સાંભળીને મંગળકુંભ બોલ્યો કે “કુળને કલંક લગાડનારું અકૃત્ય હું શી રીતે કરું ? મુગ્ધજનને કૂવામાં ઉતારીને દોરડું કાપી નાખવા જેવું એ અકાર્ય તો હું નહિ કરું.” મંત્રીએ કહ્યું કે “રે મૂર્ખ ! જો આ કામ તું નહિ કરે તો હું મારા હાથથી જ તને મારી નાંખીશ.” તે સાંભળીને તે બાળક બુદ્ધિરૂપ નેત્રથી વિચારીને બોલ્યો કે “હું તમારા કહેવા પ્રમાણે કરું, પણ રાજા હસ્તમેળાપ વખતે જે વસ્તુ આપે તે બધી તમારે મને આપવી.” મંત્રીએ તે વાત કબૂલ રાખી. પછી લગ્નના દિવસે શુભ સમયે મોટા આડંબરથી મંગળકુંભ રાજપુત્રી સાથે પરણ્યો. તેના હસ્તમેળાપ સમયે રાજાએ જાતિવંત પાંચ અશ્વો વગેરે પહેરામણીમાં તેને આપ્યાં. - વિવાહ થઈ રહ્યા પછી મંત્રી રાજપુત્રીને તથા મંગળકુંભને પોતાને ઘેર લઈ ગયો. થોડીવારે મંગળકુંભ દેહચિંતાએ જવાનું મિષ કરીને શયનગૃહથી બહાર નીકળ્યો. તેનું ચપળ ચિત્ત જાણીને રાજપુત્રી પણ જળપાત્ર લઈને તેની પાછળ ગઈ. દેહચિંતાથી આવ્યા પછી મંગળકુંભને આમણદુમણો ચળચિત્ત જોઈને રાજપુત્રીએ પૂછ્યું કે “હે નાથ ! શું તમને સુધા બાધા કરે છે?” તેણે હા કહી; એટલે રાજપુત્રીએ દાસી પાસે પોતાને ઘેરથી મોદક મંગાવીને તેને આપ્યા. તે ખાતાં ખાતાં પોતાનું સ્થાન જણાવવા માટે મંગળકળશ બોલ્યો કે “ઉજ્જયિની નગરીના જળ વિના આ મોદક સ્વાદિષ્ટ લાગતા નથી.” તે સાંભળીને રાજપુત્રીએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે “અહો ! આ અઘટમાન (અસંગત) વાક્ય કેમ બોલે છે ?” એમ વિચારીને તેણે પતિને સુગંધી તાંબુલ આપ્યું. પછી ફરીથી તે દેહચિંતાના મિષે બહાર નીકળીને અશ્વો વગેરે લઈ અવંતી તરફ ચાલ્યો. અનુક્રમે અવંતી પહોંચ્યો. તેના મા-બાપ તેને આવેલો જોઈ શોકરહિત થયા. પછી તેણે પોતાના માતાપિતાને પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. અહીં મંત્રીએ મંગળકુંભનો વેષ પહેરાવીને પોતાના પુત્રને રાજપુત્રી પાસે મોકલ્યો. તે કોઢીઓ આવાસભવનમાં જઈને શય્યા પર ચઢી રાજપુત્રીને સ્પર્શ કરવા લાગ્યો. તેને જોઈને તત્કાળ તે રાજપુત્રી શયનગૃહમાંથી બહાર નીકળીને દાસીઓ પાસે બેઠી, અને આખી રાત્રિ ખેદયુક્ત ચિત્તે ત્યાં જ નિર્ગમન કરી. પ્રાતઃકાળે મંત્રીએ રાજા પાસે જઈને કહ્યું કે “હે સ્વામી! મારો પુત્ર આપની પુત્રીના સ્પર્શથી કુષ્ટી થયો હોય એમ જણાય છે. હવે શું કરવું?” તે સાંભળીને રાજા બોલ્યો કે કર્મની વિચિત્ર ગતિ છે. કહ્યું છે કે – चिन्तयत्यन्यथा जीवो, हर्षपूरितमानसः । विधिस्तवेष महावैरी, कुरुते कार्यमन्यथा ॥१॥ ભાવાર્થ - “હર્ષથી પૂર્ણ મનવાળો થઈને જીવ જે કાર્ય કરવાનું ચિંતવે છે તે આ મહાશત્રુરૂપ વિધિ અન્યથા કરે છે.” Page #307 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ “હે મંત્રી ! આમાં મારી પુત્રીનો જ દોષ છે, તારા પુત્રનો દોષ નથી.” એવી રીતે રાજાએ આશ્વાસન આપેલો મંત્રી પોતાને ઘેર ગયો. રાજાએ પુત્રીના દોષને લીધે ક્રોધથી તેને પોતાની પાસે આવવાનો નિષેધ કર્યો. ૨૯૬ એકદા પિતાનો ક્રોધ શાંત થયો, ત્યારે તે પિતાની પાસે જઈને બોલી કે “હે પિતા ! મને પુરુષનો વેષ આપો. હું ઉજ્જયિની ગયેલા મારા પતિને મળીને મારું કલંક દૂર કરીશ.” રાજાએ તેને અનુમતિ આપી, એટલે તે કેટલાક સૈન્ય સહિત સિંહ નામના સામંતની સાથે ઉજ્જયિની ગઈ. ઉજ્જયિનીના રાજાએ ચંપાપુરીનો રાજપુત્ર આવ્યાના સમાચાર જાણી તેને રહેવા માટે મહેલ વગેરે આપી તેનો સત્કાર કર્યો. એકદા પોતાના ઉતારા પાસેથી પાણી પીવા જતા પોતાના પિતાના નામાંકિત અશ્વો જોઈને તેણે પોતાના સેવકોને તેની પાછળ મોકલી તે અશ્વના સ્વામીનું નામ ઠામ વગેરે પૂછાવ્યું. તે માણસોના મુખથી તેને હજુ જ્ઞાનનો અભ્યાસી જાણીને તેણે સર્વ છાત્રો સહિત તેના અધ્યાપકને જમવાનું નિયંત્રણ કર્યું, એટલે અધ્યાપક સર્વ છાત્રોને લઈને જમવા આવ્યા. તેની અંદર પોતાના ભત્તરને જોઈને તે રાજપુત્રી બહુ હર્ષ પામી. પછી સર્વનું અશન-વસનાદિ વડે સન્માન કરીને તે કુમા૨રૂપ રાજપુત્રીએ અધ્યાપકને કહ્યું કે “આ છાત્રોમાંથી કોઈ પણ મારું વૃત્તાંત જાણતો હોય તે તમારી આજ્ઞાથી કહી બતાવે તેમ કરો.” તે સાંભળીને અધ્યાપકે તેનું વૃત્તાંત જે જાણતો હોય તેને કહેવાની આજ્ઞા આપી; એટલે મંગળકુંભે તે પુરુષવેષને ધારણ કરનાર પોતાની પ્રિયા છે, એમ ઓળખીને સિંહસામંત વગેરે સર્વના સાંભળતાં પોતાના વિવાહ વગેરેનું પૂર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજપુત્રીએ સિંહસામંતને કહ્યું કે “આ જ મારો પતિ છે, અને તેને શોધવા માટે જ હું પુરુષનો વેષ ધારણ કરીને અહીં આવી છું.” સિંહસામંતે કહ્યું કે “જો તે જ તારો પતિ હોય તો તું નિઃશંકપણે તેની સેવા કર.” પછી એ વાત રાજાને જણાવીને તેની આજ્ઞાથી ત્રૈલોક્યસુંદરી સ્ત્રીનો વેષ ધારણ કરી પોતાને સાસરે ગઈ, અને તેની સાથે મંગળકુંભ વિલાસ કરવા લાગ્યો. એકદા ત્રૈલોક્યસુંદરીની પ્રેરણાથી મંગળકળશ રાજાની આજ્ઞા લઈને ચંપાનગરીએ ગયો. ત્યાંનો રાજા પણ પોતાની પુત્રીના મુખથી તેનું સર્વ વૃત્તાંત સાંભળીને હર્ષિત થઈ બોલ્યો કે ‘હે પુત્રી ! તેં તારું કલંક દૂર કર્યું.' પછી રાજાએ પેલા દુષ્ટ કાર્ય કરનાર મંત્રીને મારવાનો હુકમ કર્યો. તે વખતે મંગળકળશે વિનંતી કરીને તેને છોડાવ્યો. પછી પુત્રરહિત એવા તે રાજાએ મંગળકળશને રાજ્ય પર બેસાડી પોતે યશોભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. મંગળકળશને રાજ્યનું પ્રતિપાલન કરતાં જયશેખર નામનો પુત્ર થયો. એકદા જયસિંહ નામના આચાર્યને ઉદ્યાનમાં આવેલા સાંભળીને મંગળકળશે પ્રિયા સહિત ગુરુ પાસે જઈ તેમને વંદના કરી. તેમની દેશના સાંભળ્યા પછી મંગળકળશે પૂછ્યું કે “ગુરુ ! હું કયા કર્મથી આવાં પ્રકારની વિવાહવિડંબના પામ્યો ? તથા કયા કર્મથી મારી પ્રિયાને દૂષણ પ્રાપ્ત થયું ?” Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૯૭ "" સૂરિએ કહ્યું કે “પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠપુરમાં સોમચંદ્ર નામે એક કુળપુત્ર રહેતો હતો. તેને શ્રીદેવી નામની પત્ની હતી, અને જિનદેવ નામનો એક શ્રાવક મિત્ર હતો. એકદા ધનકાંક્ષી જિનદેવ ધન ઉપાર્જન કરવાના હેતુથી દેશાંતર જવા તૈયાર થયો; તે વખતે તેણે પોતાના મિત્ર સોમચંદ્રને પોતાનું ધન સાત ક્ષેત્રમાં વાપરવા માટે આપ્યું. તેના ગયા પછી સોમચંદ્રે મિત્રના કહેવા પ્રમાણે તેનું દ્રવ્ય સાત ક્ષેત્રમાં ખર્યું. તે જ પુરમાં શ્રીદેવીની એક બહેનપણી ભદ્રા નામની હતી. તેનો પતિ કોઈક કર્મથી કુષ્ટી થયો. તે વાત ભદ્રાએ એક વખત પોતાની સખી શ્રીદેવીને કહી. ત્યારે શ્રીદેવીએ હાસ્ય કરીને કહ્યું કે “હે સખી ! તારા સંગથી તારો પતિ કુષ્ટી થયો. સાંભળીને ભદ્રા પોતાના મનમાં અતિ દુઃખી થઈ. તે જાણીને થોડી વારે શ્રીદેવી બોલી કે “હે સખી ! ખેદ ન કરીશ, મેં તો તને મશ્કરીમાં કહ્યું છે.” એમ કહીને તેણે ભદ્રાને આનંદિત કરી. પછી સાધુના સંગથી તમે દંપતી શ્રાદ્ધધર્મ પામી તેનું પાલન કરી સમાધિ વડે કાળ કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવીને સોમચંદ્રનો જીવ તું રાજા થયો અને શ્રીદેવીનો જીવ ત્રૈલોક્યસુંદરી થયો, તેં પૂર્વભવે પરદ્રવ્યથી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેથી આ ભવમાં ભાડા વડે તું રાજપુત્રીને પરણ્યો, અને આ ત્રૈલોક્યસુંદરીએ હાસ્યથી પણ સખીને કલંક આપ્યું હતું, તેથી આ ભવે કલંક પ્રાપ્ત થયું. ', આ પ્રમાણે ગુરુના મુખથી પોતાનો પૂર્વભવ સાંભળીને વિરક્ત થયેલા તે દંપતીએ પોતાના પુત્રને રાજ્ય સોંપીને ગુરુ પાસે દીક્ષા લીધી. પછી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરીને અંતે તે બન્ને કાળ કરીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને અનુક્રમે અવ્યય, અજર, અભય અને સમગ્ર આત્મસંપત્તિના આવિર્ભાવરૂપ મોક્ષપદને પામશે. ૩૫૦ ગુરુ પટ્ટાવળી षट्त्रिंशद्गुणरत्नाढ्यः, सौधर्मादिपरंपरः । गुरुपट्टक्रमो ध्येयः सुरासुरनरैः स्तुतः ॥१॥ ભાવાર્થ :- “સુર, અસુર અને મનુષ્યોએ સ્તુતિ કરેલો તથા છત્રીશ ગુણરૂપી રત્નોથી આત્મ્ય એવો શ્રી સુધર્માદિક ગણધરોની પરંપરાવાળો ગુરુપટ્ટનો ક્રમ ધ્યાન કરવા યોગ્ય છે.” ગુરુ (આચાર્ય) પરંપરાનો ક્રમ હીરસૌભાગ્ય કાવ્યમાં કહેલો છે. તે પ્રમાણે અહીં લખીએ છીએ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ૨ શ્રી વીરજિનેશ્વરને ઈન્દ્રભૂતિ વગેરે અગિયાર ઉત્તમ ગણધરો હતા. તેઓ જાણે પ્રથમ શિવે દગ્ધ કરેલો કામદેવ પાર્વતિના લગ્નમાં ફરીથી પ્રગટ થયો તેને હણવાની ઈચ્છા રાખનાર અગિયાર રુદ્ર (શિવ) પ્રગટ થયા હોય તેવા શોભતા હતા. તે ગણધરોમાં શ્રી વર્ધમાનસ્વામીના પટ્ટને ધારણ કરવામાં ધૂર્ય એવા શ્રી સુધર્માસ્વામી થયા. “જગતમાં વૃષભ વિના બીજો કોણ ધૂસરીના સ્થાનને અવલંબન આપે?” તે સુધર્માસ્વામીના પટ્ટ ઉપર યશલક્ષ્મી વડે કુંદપુષ્પને તથા શંખને પણ તિરસ્કાર કરનાર જંબૂસ્વામી થયા. બાળક એવા પણ જેનાથી પરાભવ પામેલો કામદેવ જાણે લજ્જા પામ્યો હોય તેમ અદશ્ય થઈ ગયો. તે જ જંબૂસ્વામીના પટ્ટની લક્ષ્મીને ચંદ્રમુખી સ્ત્રીને જેમ તિલક શોભાવે તેમ પ્રભવસ્વામીએ શોભાવી, કે જે પ્રભસ્વામીએ ચોરરૂપ થઈને પણ સાર્થવાહની જેમ પ્રાણીઓને કલ્યાણકારી એવી મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવી તે અતિ આશ્ચર્ય છે. ત્યાર પછી તે પ્રભવસ્વામીના પટ્ટને પિતાના સિંહાસનને જેમ રાજા શોભાવે તેમ શäભવસ્વામી શોભાવતા હતા, જેમના કંઠપીઠમાં મુક્તામણિની માળાની જેમ સર્વ વિદ્યાઓ સ્ફરસાયમાન થઈને શોભી રહી હતી. ત્યારપછી સિંહ જેમ પર્વતના શિખરને શોભાવે તેમ તેમના પટ્ટને કીર્તિરૂપી આકાશગંગા વડે દિશાઓને પૂર્ણ કરતા એવા શ્રી યશોભદ્રસૂરિ શોભાવતા હતા. ત્યાર પછી જેમ શ્રાવણ માસનો મેઘ જળવૃષ્ટિથી કદંબ, જંબૂ અને કુટજ વૃક્ષોના વનને પલ્લવિત કરે તેમ શ્રી યશોભદ્રસ્વામીના પટ્ટને શ્રી સંભૂતિવિજય આચાર્યે પોતાની શોભાથી અલંકૃત કર્યું. ત્યાર પછી તે સંભૂતિવિજયના સતીર્થ્ય (ગુરુભાઈ) ભદ્રબાહુ આચાર્ય સમગ્ર આગમના પારદર્શી થયા, જેમણે વજરત્નની ખાણમાંથી વજરત્નની જેમ દશાશ્રુતસ્કન્દમાંથી કલ્પસૂત્ર ઉદ્ધર્યું. ત્યાર પછી તે સંભૂતિવિજય તથા ભદ્રબાહુસ્વામીની પટ્ટલક્ષ્મીને પોતાના વંશરૂપી સમુદ્રમાં કૌસ્તુભમણિ જેવા શ્રી સ્થૂલભદ્રસ્વામીએ યશથી ત્રણ લોકની જેમ શોભાવી. ત્યાર પછી સારથિના રથને વહન કરવામાં બે વૃષભ હોય તેમ તે સ્થૂલભદ્રના પટ્ટ ઉપર અનુક્રમે ધર્મધુરાને ધારણ કરનારા આર્યમહાગિરિ તથા આર્યસુહસ્તિ થયા. ત્યાર પછી તે આર્યસુહસ્તિ મુનીન્દ્રના પટ્ટને વિષ્ણુના પાદક્રમરૂપ આકાશને સૂર્યચંદ્રની જેમ શ્રી સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિ નામના તેમના બે શિષ્યોએ સુશોભિત કર્યું. પૂર્વે સુધર્માસ્વામીથી આરંભીને સુહસ્તિસૂરિ થયા ત્યાં સુધી સાધુઓનું નિર્ગથ નામ હતું, એટલે નિર્ગસ્થ ગચ્છ કહેવાતો, અને આ બે સુસ્થિત તથા સુપ્રતિબદ્ધસૂરિના વખતથી બીજું કોટિગણ એવું નામ થયું. તેનો હેતુ એ છે કે તે સૂરિએ સૂરિમંત્રનો એક કરોડ વાર જાપ કર્યો હતો. ત્યાર પછી તે સુસ્થિત અને સુપ્રતિબદ્ધસૂરિની પટ્ટલક્ષ્મીના તિલકરૂપ મુનિઓમાં ચક્રવર્તી સમાન શ્રી ઈન્દ્રદિન આચાર્ય થયા. તેમણે બળરામે યમુનાનો પરાભવ કર્યો તેમ દાંભિકપણાનો Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ muninnlee પરાભવ કર્યો હતો. ત્યાર પછી અંગિરા તાપસથી બૃહસ્પતિની જેમ તે ઈન્દ્રદિન આચાર્યથી ઘણા ગુણવાન શ્રી દિન્નસૂરિ થયા. તેમણે જેમ નારાયણે કાલનેમિ અસુરનો નાશ કર્યો તેમ રાગનો નાશ કર્યો હતો. ત્યાર પછી ક્રમે કરીને જિનેશ્વરના પાદને મસ્તક વડે સ્પર્શ કરતી એવી તે દિન્તસૂરિની પટ્ટલક્ષ્મીને ધ્વજાનો સમૂહ જેમ પ્રાસાદસમૂહને શોભાવે તેમ સિંહગિરિ નામના સૂરીશ્વરે શોભાવી. ત્યાર પછી તેમના પટ્ટને મસ્તકને માણિક્યનો મુકુટ શોભાવે તેમ અજ્ઞાન તથા પાપના સમૂહરૂપ પર્વતનું દલન કરવામાં ઈન્દ્રના વજ જેવા શ્રી વજપ્રભુ ઉત્કૃષ્ટ શોભા પમાડતા હતા. ત્યાર પછી શ્રીવજપ્રભુના પદરૂપી ઉદયાચળ પર્વતની ચૂલિકા ઉપર સૂર્ય સમાન શ્રી વજસેનસૂરિ થયા. ત્યાર પછી ચંદ્રકુળના મૂળ કારણભૂત શ્રી ચંદ્રસૂરિ થયા. અહીંથી ચંદ્રગચ્છ એવું ત્રીજું નામ થયું. ત્યાર પછી જેમ સરોવરના મધ્ય ભાગને પ્રફુલ્લિત કમળ શોભાવે તેમ તરંગિત કરુણ રસવાળા તે ચંદ્રસૂરિના પટ્ટને સામન્તભદ્રસૂરિએ શોભાવ્યું, આ સૂરિ પ્રાયે વનમાં રહેતા હતા, તેથી તેમનાથી આ ગચ્છનું વનવાસીગચ્છ એવું ચોથું નામ થયું. ત્યાર પછી સામન્તસૂરિના પટ્ટ ઉપર વૃદ્ધદેવસૂરિ થયા. તેમણે કોરંટક નામના નગરમાં ભવ્ય પ્રાણીઓના નેત્રરૂપી પાંથની આજીવિકા (વિશ્રામસ્થાન) સમાન તથા પુણ્યના પાક (ઉદય)ને કરનારી જાણે સત્રશાળા (દાનશાળા) હોય તેવી શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ સ્થાપના કરી હતી. ત્યાર પછી ઔરસ પુત્ર વડે જેમ પિતાનો વંશ ઉત્કૃષ્ટ શોભા પામે તેમ વૃદ્ધ દેવસૂરિનું પટ્ટ રૈલોક્યની લક્ષ્મીના તિલક સમાન શ્રી પ્રદ્યોતન નામના સૂરિ વડે ઉત્કૃષ્ટ શોભા પામ્યું. ત્યાર પછી ગંગાના તરંગ જેવો જેમનો વાગ્વિલાસ છે એવા અને બુદ્ધિથી બૃહસ્પતિને પણ જીતનારા શ્રીમાનદેવસૂરિએ સભામંડપને સભ્યજનની જેમ તે પ્રદ્યોતનસૂરિના સ્થાનને અલંકૃત કર્યું. આ શ્રીમાનદેવસૂરિને આચાર્યપદ આપતી વખતે તેમના સ્કન્ધ પર સાક્ષાત્ સરસ્વતી તથા લક્ષ્મીદેવીને જોઈને “અહો ! અન્યાયાદિક પ્રમાદને સેવનાર રાજાનો જેમ રાજ્યથી ભ્રશ થાય છે તેમ આ માનદેવ રાજાદિકનો સત્કાર પામીને ચારિત્રથી ભ્રષ્ટ થશે.” એવી શંકાથી જેમનું મન ખેદ પામતું હતું એવા પોતાના ગુરુ શ્રી પ્રદ્યોતનસૂરિને જોઈને નરેન્દ્ર, નાગેન્દ્ર અને દેવેન્દ્રો પણ જેમની કિર્તિનું ગાન કરતા હતા એવા તે માનદેવસૂરિએ જાણે કામ-ક્રોધાદિક છ અત્યંતર શત્રને જીતવા ઈચ્છતા હોય તે વૃતાદિક છ વિગયનો યાવજીવિત ત્યાગ કર્યો હતો. આ સૂરિ સંઘના ઉપદ્રવનો નાશ કરવા માટે લઘુશાંતિના રચનારા જાણવા. ત્યાર પછી તે માનદેવસૂરિના પટ્ટરૂપ આકાશમાં સૂર્ય સમાન શ્રીમાનતુંગ નામે સૂરીન્દ્ર થયા. તેમણે પૃથ્વી પરના અનેક રાજાઓને જેમ ચક્રવર્તી આજ્ઞા મનાવે તેમ સર્વ સાધુઓને પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી હતી. આ સૂરિએ પોતાને બાંધેલા અડતાલીશ બંધનોને “ભક્તામર સ્તોત્ર રચીને તે વડે તોડી નાખ્યા હતા, તથા સંઘને વ્યંતરાદિકે ૧. જિનેશ્વરનું આદિપણું હોવાથી પરંપરા વડે આ પટ્ટ જિનેશ્વરના પાદરૂપ થયો અને આ પટ્ટલક્ષ્મી આદિ હોવાથી તેનું મસ્તક થયું. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ કરેલા ઉપસર્ગો દૂર કરવા માટે ‘નિમઊણ પણયસુરગણ' ઈત્યાદિ સર્વ ભયનું હરણ કરનાર સ્તોત્ર બનાવી આપ્યું હતું. ત્યાર પછી શ્રીકૃષ્ણની જેમ શુક્લધ્યાનરૂપ સર્વેન્દ્ર તે રૂપ મન્થનરજ્જુ તેના વડે અને સમતારૂપી મંદરાચળ પર્વત વડે મદરૂપી સમુદ્રનું મંથન કરીને શ્રી વીર નામના આચાર્ય તે માનતુંગસૂરિની પટ્ટલક્ષ્મીને વર્યા. ત્યાર પછી જેમણે સમગ્ર કુવાદીઓના સમૂહને દૂર કર્યા છે એવા શ્રી જયદેવસૂરિ થયા, કે જેની વાણીના વિલાસથી જેના માધુર્યનો તિરસ્કાર થયો છે એવી સુધા (અમૃત) જાણે ક્ષીરસાગરમાં ડૂબી ગઈ હોય નહિ શું ? ત્યાર પછી સ્વર્ગની અપ્સરાઓએ જેમની કીર્તિનું ગાન કર્યું છે અને જેમનું મન સદા ચિદાનંદ (આત્માનંદ)માં જ મગ્ન છે એવા શ્રી દેવાનંદસૂરિએ યુવાવસ્થા જેમ ચંદ્રમુખી સ્રીને શોભા પમાડે તેમ તે જયદેવસૂરિની પટ્ટલક્ષ્મીને શોભા પમાડી. ત્યાર પછી જાણે અજ્ઞાનરૂપ અંધકારના સૈન્યને હણવાની ઈચ્છાવાળા પરાક્રમે શરીરનો સ્વીકાર કર્યો હોય તેવા અને દેવાનંદસૂરિના પટ્ટરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન શ્રી વિક્રમ નામના સૂરીશ્વર થયા. ત્યાર પછી સિદ્ધાન્તસમુદ્રના પારને જોનારા એવા શ્રી નરસિંહસૂરિ થયા. તેમણે જેમ સૂર્ય જગને નિદ્રાનો ત્યાગ કરાવે તેમ એક યક્ષને માંસ ખાવાનો ત્યાગ કરાવ્યો હતો. ત્યાર પછી જેમ અમૂલ્ય માણિક્ય અંગુલીને શોભાવે તેમ ખૂમાણરાજાના કુળમાં દીપક સમાન સમુદ્રસૂરિ નામના આચાર્યે શ્રી નરસિંહસૂરિની પટ્ટલક્ષ્મીને અલંકૃત કરી. ત્યાર પછી તે સમુદ્રસૂરિના પટ્ટ ઉ૫૨ શ્રી માનદેવ નામના (બીજા) સૂરિ થયા, કે જેમના મુખકમળમાં વાસ કરનારી સરસ્વતી દેવી અમૃતના ભોજન વડે કંઠ સુધી તૃપ્ત થયેલી હોવાથી, આ આચાર્યના મનોહર વાવિલાસના મિષથી જાણે પીધેલા અમૃતના ઉદ્ગાર કાઢતી હોય એવો ભાસ થતો હતો. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર વિબુધ સમાન શ્રી વિબુધપ્રભ નામના આચાર્યેન્દ્ર થયા, જેમનાથી પરાભવ પામેલો પુષ્પરૂપ આયુધવાળો કામદેવ ફરીથી યુદ્ધ કરવાની ઈચ્છા વડે તીક્ષ્ણ આયુધવાળો થયો. ત્યાર પછી તેમના પટ્ટરૂપી કમળમાં હંસ સમાન શ્રીમાન્ જયાનંદસૂરિ થયા, જેમના હૃદયમાં અગસ્ત્યમુનિની અંજલીમાં સમુદ્રની જેમ સમગ્ર સિદ્ધાન્ત સમાઈ ગયા હતા. ત્યાર પછી તેમના સ્થાન પર રવિપ્રભ નામના મુનિંદ્ર થયા, તેમનું મુખ ચંદ્રસમાન આચરણ કરતું હતું, તેમના દાંતની કાંતિ ચંદ્રની જ્યોત્સ્નાનું આચરણ કરતી હતી. તેમની ભૂકુટીની વક્રતા ચંદ્રમાં રહેલી વક્રતાનું આચરણ કરતી હતી અને વાણીનો વિલાસ અમૃત શ્રવવાનું આચરણ કરતો હતો. ત્યારપછી તે રવિપ્રભસૂરિના પટ્ટ ઉપર શ્રી યશોદેવસૂરિ થયા, તેમના વૃદ્ધિ પામતા કીર્તિરૂપી ક્ષીરસાગરે કરીને જગત્માં અર્હતના મહિમાએ કરીને ઈતિઓ (ઉપદ્રવો)ની જેમ કૃષ્ણનીલાદિક અસિત પદાર્થોએ પોતાના નામનો પણ લોપ કર્યો હતો, અર્થાત્ આ આચાર્યની કીર્તિથી સર્વ વિશ્વ શ્વેત થયું હતું, તેથી કૃષ્ણ-નીલાદિક વર્ણો જોવામાં પણ આવતા નહોતા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અલૌકિક પ્રદ્યુમ્નદેવ (કામદેવ) સમાન પ્રદ્યુમ્નદેવ નામે આચાર્ય થયા, કારણ કે તે આચાર્યે ભવને (સંસારને) ભેદી નાંખ્યો હતો, અને કામદેવ તો ભવથી (શિવથી) ભેદાયો Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૩૦૧ હતો. વળી તે આચાર્ય રતિ (સ્ત્રી વગેરેની પ્રીતિ)નો ત્યાગ (નાશ) કર્યો હતો અને કામદેવ તો રિતિનો પતિ હોવાથી તેનો સ્વીકારનાર હતો, તે આચાર્ય મધુ મધ અથવા મદ્ય)થી દૂર રહેલા હતા, અને કામદેવ તો મધુ (વસંત)ના સહાયનો ઈચ્છક હતો, તેમજ તે આચાર્યની મૂર્તિ સમગ્ર વિશ્વને આદર કરવા યોગ્ય મનોહર હતી, અને કામદેવ તો અનંગ હોવાથી મૂર્તિરહિત હતો, માટે તે આચાર્ય નવીન કામદેવરૂપ થયા હતા. ત્યાર પછી પોતાની કીર્તિરૂપ ચંદ્રજ્યોત્મા વડે જેમણે ત્રિલોકને ધવલિત કર્યું છે એવા શ્રી માનદેવસૂરિએ પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ પ્રકારની શક્તિ વડે રાજાની લક્ષ્મીની જેમ તે પ્રદ્યુમ્નસૂરિના પટ્ટની લક્ષ્મીને શોભા પમાડી. (આ ત્રીજા માનદેવસૂરિ જાણવા). ત્યાર પછી જેમના ચરણકમળમાં ઈન્દ્રો તથા ચન્દ્રો ભ્રમરરૂપ થયા છે એવા વિમલચંદ્ર નામના સૂરીશ્વરથી શત્રુને તાપ પમાડનાર પ્રતાપી રાજાની જેમ તે માનદેવસૂરિનું પટ્ટ લક્ષ્મીને ભોગવતું થયું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર કામદેવ સમાન પ્રશસ્ત રૂપવાન અને આચાર્યોને વિષે ચંદ્ર સમાન ઉદ્યોતન નામના સૂરિ વિરાજમાન થયા, કે જેના પટ્ટને ધારણ કરનારા દિગ્ગજોની જેવા આઠ સૂરિન્દ્રો થયા. આ સૂરિએ મોટા વટવૃક્ષની નીચે આઠ મુનિઓને સૂરિપદ આપ્યું હતું તેથી તેમના વખતથી આ ગચ્છનું વડગચ્છ અથવા બૃહદ્રગચ્છ એવું પાંચમુ નામ પડ્યું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર જેમણે પોતાના માહાસ્ય વડે સર્વ દેવોને નમ્ર કરેલા છે એવા સર્વદેવ નામના આચાર્ય થયા, કે જે તારાની શ્રેણી વડે ચંદ્રની જેમ ગુણોની શ્રેણી વડે આશ્રય કરાયેલા હતા. ત્યાર પછી તેના પટ્ટ ઉપર ગોને વિષે નિવાસ કરનાર, ગૌરવ વડે શોભાવાળા, વાણીના અધિપતિ અને વિબુધોએ સેવાતા એવા દેવસૂરિ (બૃહસ્પતિ)ના જેવા શ્રીદેવસૂરિ નામના આચાર્ય થયા. ત્યાર પછી મંદિરને દીવો શોભાવે તેમ તેના પટ્ટને દોષોના ઉદયથી પ્રગટ થયેલા તમ (અજ્ઞાન અથવા પાપપટ્ટના વિસ્તારનો નાશ કરવારૂપ વ્યાપારમાં જ તત્પર થયેલા એવા શ્રી સર્વદવસૂરિએ શોભાવ્યું. (આ બીજા સર્વદેવસૂરિ જાણવા.) ત્યાર પછી તેમના પટ્ટારૂપ આમ્રવૃક્ષને સેવનારા પોપટ અને કોયલની જેવા શ્રીમાનું યશોભદ્રસૂરિ તથા મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા શ્રી નેમિચંદ્રસૂરિ થયા. ત્યાર પછી તે બન્ને સૂરિના પટ્ટ ઉપર અનેક શાસ્ત્રોના રચનારા શ્રી મુનિચંદ્ર નામના સૂરિ થયા. વાયુની અસ્મલિત ગતિની જેમ તેમની બુદ્ધિ કોઈ પણ શાસ્ત્રમાં અલના પામતી નહોતી. ચારિત્ર લેવાને ઈચ્છતા ચક્રવર્તી જેમ છ ખંડ પૃથ્વીનો ત્યાગ કરે તેમ આ સૂરિએ છ વિગયનો ત્યાગ કર્યો હતો. તે સૂરિ કોઈપણ વખત પોતાના શરીર ઉપર પણ મમતા કરતા નહીં, અને હંમેશા એક જ વાર છાશની પરાશ માત્રનો આહાર કરતા હતા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર દેવોએ ઉપસર્ગ કર્યા છતાં પણ આ કોઈ વખત જિતાય તેવા નથી, એ હેતુથી જ જાણે તેવા નામથી પ્રસિદ્ધ પૃથ્વી પર થયા હોય એમ અજિતદેવ નામના સૂરિ થયા. ૧. સૂરિના વિશેષણમાં ગો એટલે પૃથ્વી અને બૃહસ્પતિના વિશેષણમાં સ્વર્ગ. ૨. સૂરિના પક્ષમાં ગૌરવ એટલે માહાભ્ય, બીજા પક્ષમાં ઈન્દ્રાદિક દેવોને ભણાવવાથી ગુરુપણું. ૩. પહેલા પક્ષમાં પંડિતો બીજામાં દેવો. ૪. દીવાના પક્ષમાં દોષા એટલે રાત્રિ અને તમ એટલે અંધકાર. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ - ત્યાર પછી જગને પવિત્ર કરનાર દેવનદી (ગંગા)નો પ્રવાહ ચંદ્રમૌલિ (શિવ)ની જટાનો આશ્રય કરે તેમ તે અજિતદેવસૂરિના પટ્ટનો તપસ્વીઓને વિષે સિંહ સમાન અને જગતને પવિત્ર કરનાર એવા શ્રી વિજયસિંહસૂરિએ આશ્રય કર્યો. ત્યાર પછી ઈક્વાકુ વંશને શ્રી ઋષભસ્વામીના પુત્રો ભરત અને બાહુબળીએ જેમ શોભાવ્યો, તેમ તે વિજયસિંહસૂરિના પટ્ટને શ્રી સોમપ્રભ તથા શ્રી મણિરત્નસૂરિએ શોભા પમાડી. ત્યાર પછી શ્રીમતજગચંદ્રસૂરિ થયા. તેમણે તે બન્ને સૂરિના પટ્ટરૂપી લક્ષ્મીના તિલકની લીલાને વિસ્તારી. તે સૂરિએ જેમ રાજહંસ મેઘથી મલિન થયેલા તળાવનો ત્યાગ કરે, તેમ કળિકાળના પ્રભાવથી થયેલી ચારિત્રની શિથિલતાનો ત્યાગ કર્યો હતો. તે આચાર્ય વાદ કરવા આવેલા બત્રીશ દિગંબરાચાર્યો સાથે વાદ કરવામાં હીરકમણિ (વજમણિ)ની જેવા અભેદ્ય થયા હતા, તથા આઘાટનગરના રાજાએ તેમનું હીરલાજગચંદ્રસૂરિ એવું નામ પ્રસિદ્ધ કર્યું હતું. વળી જેમ કોઈ રાજા મોટા યુદ્ધોએ કરીને શત્રુઓનો પરાભવ કર્યા પછી જિતકાશીની સંજ્ઞા પામે, તેમ તે આચાર્ય બાર વર્ષ સુધી આયંબિલનો તપ કરીને તપાનું બિરુદ પામ્યા હતા. ત્યારથી આરંભીને જેમ અત્રિ ઋષિના નેત્રથી ચંદ્રલેખા પ્રગટ થઈ, તેમ આ આચાર્યથી તપાગચ્છ એવું છઠ્ઠું નામ પ્રગટ થયું; અને જેમ વસંત માસથી સૂર્યની કાંતિ અધિક દેદીપ્યમાન થાય તેમ આ આચાર્યથી મુમુક્ષુ પુરુષોની લક્ષ્મી અધિક દીપ્ત થઈ. ૩૫૮ તપાગચ્છ નામ પડ્યા પછીના આચાર્યની પટ્ટાવળી ત્યાર પછી શ્રી જગચંદ્રસૂરિના પટ્ટ ઉપર વિષ્ણુના વક્ષ:સ્થળ ઉપર કૌસ્તુભમણિની જેમ દેવેન્દ્રના કર્ણોમાં આભરણરૂપ થતાં યશો વડે ત્રિજગતને ઉલ્કાસન કરનાર દેવેન્દ્ર નામના સૂરિ શોભતા હતા. (આ સૂરિ કર્મગ્રંથાદિકના કર્તા જાણવા). ત્યાર પછી તેના પટ્ટ ઉપર ધર્મઘોષસૂરિ થયા. તે જાણે નાગણીઓએ ગાયન કરેલી તે આચાર્યની કીર્તિને સાંભળવામાં રસિક થયેલા નાગાધિરાજે (શેષનાગે) તે માટે જ બે હજાર ચક્ષુઓ' ધારણ કર્યા હોય નહીં એવા થયા. તે આચાર્યના ઉપદેશથી બાદશાહના મંત્રી પૃથ્વીધરે જાણે પોતાની ચોરાશી જ્ઞાતિઓનો ઉદ્ધાર કરવા માટે જ હોય નહિ એમ તીર્થકરોના ચોરાશી પ્રાસાદો કરાવ્યા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર મનુષ્યોની દૃષ્ટિરૂપ ચકોરીને આહલાદ કરવામાં ચંદ્રની કાંતિસમાન સોમપ્રભ નામના સૂરિ થયા. તે સૂરિના સંગથી શરઋતુના સંગથી ચંદ્રયોજ્ઞાની જેમ ચારિત્રલક્ષ્મી શોભતી હતી. ૧. સર્પો ચક્ષુ વડે જ સાંભળે છે. તેમને કાન જુદા હોતા નથી. અહીં સાંભળવા માટે ચક્ષુ કર્યાનું સમજવું. Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૩૦૩ ત્યાર પછી તે સોમપ્રભસૂરિએ પોતાના પટ્ટ ઉપર મુનિઓની લક્ષ્મીના દેદીપ્યમાન તિલક સમાન સોમતિલક નામના સૂરિને સ્થાપન કર્યા. તે સૂરિએ વાદમાં અન્ય વાદીઓના સમૂહના મુખમાં પ્રતિપદા તિથિની જેમ અનધ્યાયતા મૂકી દીધી હતી, અર્થાત્ તેમને બોલતા બંધ કર્યા હતા. ત્યાર પછી તે સોમતિલક ગુરુએ પોતાના સ્થાન ઉપર દેવ સમાન સુંદર શોભાવાળા શ્રી દેવસુંદરસૂરિને સ્થાપન કર્યા. તે આચાર્યે પ્રાતઃકાળ જેમ અંધકાર સહિત રાત્રિનો નાશ કરે તેમ આઠ મદ સહિત માયાનો નાશ કર્યો હતો. ત્યાર પછી તેમના પટ્ટને શ્રીમાન્ સોમસુંદર ગુરુએ સેવન કર્યું. કોઈ એક પુરુષ કે જેને આચાર્યને મારવા માટે મોકલ્યો હતો. તે પુરુષ આચાર્યને મારવા માટે તેના ઉપાશ્રયે ગયો, ત્યાં ચંદ્રની કાંતિ વડે છિદ્રમાંથી તેણે જોયું તો સૂરિ સૂતા સૂતા પણ જીવઘાતાદિક પ્રમાદથી રહિત છે એમ દીઠું, એટલે કે પોતાના સંથારાને તથા તેની આસપાસ રજોહરણ વડે પૂંજતા જોયા; તે જોઈને તે પુરુષે પશ્ચાત્તાપ કરતા સતા ગુરુ પાસે પ્રગટ થઈ તેમને ખમાવીને પોતાનું વૃત્તાંત કહ્યું; અને પછી ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. ત્યાર પછી જેમ ઉત્પલ કમળનો વિકાસ કરવામાં ચતુર એવા શરઋતુના ચંદ્રબિંબમાં પ્રાપ્ત થયેલી સૂર્યની કાંતિ વડે લોકોના નેત્રોને અત્યંત પ્રીતિ ઉત્પન્ન થાય છે, તેમ પૃથ્વીવલયને પ્રતિબોધ કરવામાં ચતુર એવા મુનિસુંદર નામના સૂરીન્દ્રને વિષે પ્રાપ્ત થયેલી સોમસુંદરસૂરિની પટ્ટલક્ષ્મીએ ભવ્યજનોના નેત્રોને અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરી. આ સૂરિએ ‘સંતિકરં’ વગેરે સ્તોત્રો બનાવીને વ્યંતરોનો ઉપદ્રવ શાંત કર્યો હતો. ત્યાર પછી ઋષભદેવ થકી જેમ શ્રી પુંડરીક ગણધર થયા, તેમ તે મુનિસુંદરસૂરિ થકી રત્નશેખરસૂરિ થયા. તે સૂરિને ખંભાતમાં કોઈ બાબી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણે બાલસરસ્વતી કહીને બોલાવ્યા, ત્યારથી તેમને બાલસરસ્વતીનું બિરુદ મળ્યું હતું. શ્રાદ્ધવિધિસૂત્રવૃત્તિ વગેરે અનેક ગ્રંથોના રચનાર એ રત્નશેખરસૂરિના પટ્ટને લક્ષ્મીસાગરસૂરિએ અલંકૃત કર્યું. તેમના પટ્ટ ઉપર મોટા ગુણવાન સુમતિસાધુસૂરિ થયા. તેમના પટ્ટ ઉપર શ્રી હેમવિમલસૂરિ થયા. આ સૂરિના વખતમાં દુઃષમા કાળના દોષથી ઘણા મુનિઓ પ્રાયે પ્રમાદી, મમતાવાળા અને ચારિત્રનું પાલન કરવામાં શિથિલ થવા લાગ્યા. તે જોઈને સમગ્ર પાપને દૂર કરનાર તે હેમવિમલસૂરિએ સૂરિના ગુણોથી વિરાજમાન, સૌભાગ્ય ને ભાગ્યથી પૂર્ણ અને સંવેગરૂપ તરંગના સમુદ્ર સમાન એવા આનંદવિમલસૂરિને યોગ્ય જાણીને તરત જ ધર્મના અભ્યુદયની સિદ્ધિને માટે પોતાના પટ્ટ પર સ્થાપન કર્યા. તે સૂરિએ વિક્રમ સંવત ૧૫૮૨ મા સંવેગના વેગવાળા મુનિઓને શરણભૂત એવો ચારિત્રક્રિયાનો ઉદ્ધાર કર્યો. શરીર ઉપર પણ મમત્વ વિનાના એવા તેમણે પોતાના પાપની આલોચના કરીને જે દુષ્કર તપ કર્યું તે આ પ્રમાણે-અરિહંતાદિક વીશ સ્થાનકોનું ધ્યાન કરતાં તે નિર્વિકારસૂરિએ ચારસો ઉપવાસ વડે વીશસ્થાનક તપ કર્યો, પછી વરિષ્ઠ (શ્રેષ્ઠ) એવા ચારસો છઠ્ઠ વડે તેનું આરાધન કર્યું. વિહરમાન જિનનો આશ્રય કરીને વીશ છઠ્ઠ પછી બસો ને ઓગણત્રીશ છદ્મ શ્રી વીરપ્રભુને આશ્રીને કર્યા, તથા પાખી વગેરે પર્વમાં પણ બીજા ઘણા છઢ કર્યા. Page #315 -------------------------------------------------------------------------- ________________ S૦૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ પછી જ્ઞાનાવરણીય કર્મના નાશ માટે પાંચ દ્વાદશમ (પાંચ પાંચ ઉપવાસ) કર્યા અને તેટલા જ દ્વાદશમ અંતરાય કર્મના નાશ માટે કર્યા. દર્શનાવરણીય કર્મના નાશ માટે નવ દશમ (ચાર ચાર ઉપવાસ) કર્યા. મોહનીય કર્મના નાશ માટે અઢાવીશ અટ્ટમ કર્યા. તે જ પ્રમાણે વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મના નાશ માટે પણ ઘણા અઠ્ઠમ તથા દશમ કર્યા. માત્ર એક નામકર્મ સંબંધી તપ તે આચાર્ય કરી શક્યા નહીં. પ્રાંતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન ગ્રહણ કરીને તે આનંદવિમલસૂરિ ચિત્તમાં ચતુઃશરણનું સ્મરણ કરતાં સ્વર્ગસુખને પામ્યા. ત્યાર પછી તે સૂરિના પટ્ટ ઉપર સર્વત્ર વિજયવાન, નયવાન (ન્યાયી) અને સમયવાન (સિદ્ધાંતોના જાણનાર) શ્રી વિજયદાનસૂરિ થયા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અખંડ વિજયવાળા શ્રી હીરવિજયસૂરિ થયા. આ વર્તમાન કાળમાં પણ તે સૂરિના મહિમાને દેવસમુદાયે ગાયો હતો. આ સૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામેલા અકબર બાદશાહે દયાનું ધ્યાન ધરતાં આખી પૃથ્વીને જૈનધર્મમય કરી દીધી હતી. ત્યાર પછી તેમના પટ્ટને ઉદયાચળ પર્વતના શિખરને શરદઋતુના પ્રદીપ્ત સૂર્યની જેમ વિજયસેનસૂરિએ શોભાવ્યું. ત્યાર પછી તેમના પટ્ટને અજ્ઞાનરૂપ અન્ધકારનો નાશ કરનાર, લોકોના મનરૂપી પદ્મનો વિકાસ કરનાર, કુતર્કરૂપી હીમનો નાશ કરનાર, મહાદોષરૂપી રાત્રિનું ઉચ્છેદન કરનાર અને જ્ઞાનરૂપ દિવસની લક્ષ્મીનો ઉદય કરનાર, એવા વિજયતિલક નામના સૂરિએ આકાશને સૂર્ય અલંકૃત કરે તેમ અલંકૃત કર્યું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર ચંદ્રકિરણના સમૂહ જેવા ઉજ્વલ અર્થવાદનો પ્રચાર કરનાર રાજસભાઓમાં વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરનાર, જાણે ગૌતમસ્વામીના પ્રતિનિધિ હોય એવા હીરવિજયસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિ થયા. તે બોધિના નિધિ સમાન સૂરિ પોતાના ગચ્છમાં મોટી ખ્યાતિને પામ્યા. તેમના પટ્ટ ઉપર શ્રી વિજયરાજસૂરિ થયા. તેમના ચારિત્રરૂપી મહાસાગર વડે જ્ઞાનનો નિધિ વૃદ્ધિ પામ્યો અને તેથી શાસનરૂપી ગૃહનો ઉદ્યોત કરવામાં તેઓ દીપ સમાન થયા. ત્યાર પછી ત્રિભુવનેશ્વર પ્રભુનું ધ્યાન કરવાના લાલચુ શ્રી વિજયમાનસૂરિ થયા. તેમની વાણીની મીઠાશથી પરાભવ પામેલી દ્રાક્ષ જાણે લજ્જાથી સંકોચ પામી હોય એમ લાગતું હતું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર સિદ્ધાન્તવાણી બોલવામાં ચતુર અને મારી જેવાને પ્રથમ આગમનો ઉપદેશ કરનાર એવા વિજયઋદ્ધિ નામે આચાર્ય થયા, તેમણે અનેક લોકોને ન્યાયમાર્ગે ચલાવ્યા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અમારા ગુરુ શ્રી વિજયસૌભાગ્યસૂરિ થયા. તેમના પ્રભાવથી ગુણરત્નના પાત્ર સમાન સ્યાદ્વાદ તત્ત્વ અમારી સમીપે આવ્યું. અર્થાત્ અમને સ્યાદ્વાદતત્ત્વની પ્રાપ્તિ થઈ. તે વિજયસૌભાગ્ય ગુરુના પટ્ટ પર શ્રી વિજયલક્ષ્મીસૂરિ થયા. તેમણે આ સુખને આપનારી ગુરુ પટ્ટાવળી હર્ષથી લખી છે, મારા ગુરુના શિષ્ય ગુણવાન અને પૈર્યવાન એવા જયવંત શ્રી પ્રેમવિજય નામના મારા ગુરુભાઈને માટે આ ઉદ્યમ મેં કરેલો છે. ૧, શ્રી દ્વિવિજયના પ્રશિષ્ય લક્ષમીવિજય. Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ૩૦૫ ૩૦૫ ૩૫૯ શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર वैराग्यपूर्णहृदया-स्त्यक्तमूर्छा जगृहश्चारित्रम् । सुविहितसाधुप्रभवः, श्रीहीरविजयसूरीन्द्राः ॥१॥ ભાવાર્થ :- “વૈરાગ્યથી પૂર્ણ હૃદયવાળા સુવિહિત મુનિના ગુરુ શ્રી હીરવિજયસૂરિએ મૂછનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી.” શ્રી ગુર્જરદેશમાં તારંગગિરિ વગેરે તીર્થો છે. તેમાં કૈલાસ પર્વત જેવા ઊંચા તારંગગિરિ ઉપર કોટિશિલા છે. તે શિલા જાણે મુક્તિરૂપી સ્ત્રીના પાણિગ્રહણમાં કરોડો મુનિઓને માટે રચેલી સ્વયંવરની ભૂમિ હોય તેવી શોભે છે. વળી તે દેશમાં જાણે વિધાતાએ જગતના લોકોનો મનોરથ સિદ્ધ કરવા માટે મેરુપર્વત ઉપરથી કલ્પવૃક્ષને લાવીને સ્થાપન કરેલ હોય તેમ નાગેન્દ્રથી સેવાતા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વિરાજે છે. આ પાર્શ્વનાથના બિંબનું પ્રથમ નમિ અને વિનમિ નામના વિદ્યાધર રાજાએ અર્ચન કર્યું હતું; ત્યાર પછી જાણે પોતાના સ્થાનની સ્થિરતા માટે જ હોય તેમ સ્વર્ગમાં ઈન્દ્ર પૂજા કરી હતી. પછી ઈન્દ્ર તે બિંબને ઉજ્જયંત (ગિરનાર) ગિરિ પર મૂક્યું હતું. ત્યાંથી લઈને સૂર્ય તથા ચન્ટે પોતાના સ્થાનમાં રાખીને અર્ચન કર્યું હતું. તેમણે પાછું ગિરનારના શંગ ઉપર સ્થાપન કર્યું હતું. ત્યાંથી ધરણેન્દ્ર પોતાના ધામમાં લઈ ગયા હતા. ત્યાર પછી શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ તે બિંબને લાવ્યા હતા. વળી તે દેશમાં ખંભાતનગરમાં જેનો અપૂર્વ મહિમા છે અને જે બિંબના પ્રભાવથી ધન્વન્તરીની જેમ શ્રી અભયદેવસૂરિનો કુષ્ઠ રોગ નાશ પામ્યો હતો એવા સ્થંભન પાર્શ્વનાથ વિરાજે છે. આ પ્રમાણે અનેક પુણ્યના સ્થાનો જેમાં રહેલાં છે એવા તે ગુજરાત દેશમાં શ્રી પ્રહલાદનપુર (પાલણપુર) નામે નગર છે. તેમાં ઓસવાળવંશી કરાશાહ નામે શેઠ હતા. તેને નાથી નામે પત્ની હતી. તેણે સંવત ૧૫૮૩ ના માર્ગશીર્ષ માસની શુક્લ નવમીને દિવસે ગજના સ્વપ્નથી સૂચિત હીરકુમાર નામના પુત્રને જન્મ આપ્યો હતો. તે કુમાર ક્રમે વૃદ્ધિ પામતાં યુવાવસ્થા પામ્યો. એકદા તે કુમારે શ્રી વિજયદાનસૂરિના મુખથી દેશના સાંભળી કે, “જીવિત સંધ્યાના રંગ જેવું ચપળ છે, નદીના વેગ જેવું યૌવન અસ્થિર છે અને લક્ષ્મી વિદ્યુતના જેવી ક્ષણિક છે, માટે તે ભવ્ય પ્રાણીઓ ! નિરંતર જિનધર્મનું સેવન કરવામાં ત્વરા કરો.” આ પ્રમાણેની દેશના સાંભળીને હીરકુમાર હર્ષ પામી પોતાને ઘેર ગયો. પછી અનુક્રમે પોતાના માતા-પિતા સ્વર્ગે ગયા, ત્યારે કુમારે વિમલા નામની બહેન પાસે દીક્ષાની રજા માગી. તે સાંભળીને બહેન બોલી કે “હે ભાઈ ! તું વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજે. હાલ તો તારી સ્ત્રીના મુખામૃતનું પાન કરવા વડે મારા નેત્રરૂપ ચકોર પક્ષીને આહ્વાદ આપવા માટે ચંદ્ર જેવો થઈને ચપળતા તજી તું ગૃહસ્થાશ્રમમાં ચિરકાળ રહે.” તે સાંભળીને કુમારે કહ્યું કે “હે Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ | ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ બહેન ! આ જીવિત દર્ભના અગ્ર ભાગ પર રહેલા જળબિંદુ સમાન છે, લક્ષ્મી પણ કુલટા સ્ત્રી જેવી છે, ઈશુના અગ્ર ભાગ જેવું યૌવન પણ નીરસ છે અને નાટકના સમય જેવો આ સ્વજનનો સંબંધ પણ ક્ષણિક છે. મારી બાલ્યાવસ્થા જશે, અને યૌવન લક્ષ્મી મારા શરીરને શોભાવશે અને પછી અમાત્યની જેમ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે. એવું (ચોક્કસ) કોણ જાણી શકે છે ?” આ પ્રમાણે અનેક યુક્તિથી ઉત્તર-પ્રત્યુત્તર કરવા વડે શ્રાંત થયેલા સ્વજનોએ તેમને દીક્ષા લેવાની રજા આપી. એટલે સંવત ૧૫૯૬ ના કાર્તિક કૃષ્ણ દ્વિતીયાને દિવસે ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુએ તેનું હીરહર્ષ એવું નામ પાડ્યું. - ગુરુ પાસે અભ્યાસ કરીને તેઓ જૈનધર્મ સંબંધી સર્વ શાસ્ત્રમાં નિપૂણ થયા. પછી પરદેશની ભાષા તથા પરધર્મના શાસ્ત્રો જાણવાની ઈચ્છાથી તેઓ દક્ષિણ દેશમાં ગયા. તે દેશમાં શ્રી માણિક્યનાથ ઋષભદેવ વિરાજે છે, તથા ત્યાં અન્તરિક્ષ પાદવ પણ છે. તે અન્તરિક્ષ નામના પાશ્વદેવ જમીનથી ઊંચા રહેલા હોવાથી જાણે ભવ્ય પ્રાણીઓનો મહા ઉદય કરવાના હેતુથી જ ઊંચા રહ્યા હોય નહિ એમ જણાવતા હતા. વળી કરડેટક ગામમાં મોટા પ્રભાવવાળા કરdટક નામના પાર્શ્વનાથ સ્વામી બિરાજે છે. જે દિશામાં તેઓ રહેલા છે તે સ્થાનને તે પ્રભુની જ વાંછાથી જાણે હોય નહિ તેમ શેષનાગ કદાપિ તજતો નહીં, તેમજ જાણે આ પાર્શ્વનાથ, દેવોના પણ દેવ છે એમ કહેવાને માટે જ આવતી હોય તેમ- વસન્ત વગેરે ઋતુઓ વૈભવ સહિત પ્રતિવર્ષે આવીને તે પ્રભુની સેવા કરતી હતી. વળી તે દેશમાં સોપારક નામના પુરમાં જાણે ભરતચક્રના પુણ્યનિધિ હોય તેવા જીવસ્વામી શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા બિરાજમાન છે. એ દેશમાં દેવગિરિ નામના કિલ્લામાં શહેરમાં) કોઈ બ્રાહ્મણ પાસે તર્કશાસ્ત્રાદિકનો અભ્યાસ કરીને શ્રી હરમુનિ ગુરુ પાસે આવ્યા. ગુરુએ તત્કાળ તેમને વાચક (ઉપાધ્યાય) પદ આપ્યું. પછી ગુરુએ સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવતાની આજ્ઞાથી સંવત ૧૬૧૦ ના પોષ શુક્લ પંચમીને દિવસે હરહર્ષમુનિને સૂરિપદે સ્થાપન કર્યા. પછી ગુરુ અન્યત્ર વિહાર કરવા લાગ્યા. - અહીં અકબર બાદશાહની સભામાં અનેક જાતિના લોકો આવીને બેઠેલા હતા, તે વખતે સૌએ પોતપોતાના ધર્મનું વર્ણન કર્યું, તેમાં એક વિદ્વાન પુરુષે શ્રી હીરસૂરિની પ્રશંસા કરી કે “હે બાદશાહ! જેમ સર્વ રાજાઓમાં આપ મુકુટ સમાન છો, તેમ સર્વ દર્શનોમાં અદ્વિતીય વિદ્વાન અને સર્વ ધાર્મિકોમાં મુકુટ સમાન એક હીરવિજયસૂરિ જ છે. આ પ્રમાણેની તેમની પ્રશંસા સાંભળીને બાદશાહે બે દૂતોને વિજ્ઞપ્તિયુક્ત ફરમાન આપીને લાટદેશમાં ગાંધાર નામના બંદરે જ્યાં હીરસૂરિ બિરાજમાન હતા ત્યાં તેમને બોલાવવા માટે મોકલ્યા. તે દૂતોએ ત્યાં જઈને જેના ચરણકમળની સેવા સર્વ સંઘ કરી રહેલા હતા એવા હીરગુરુના ચરણકમળમાં તે ફરમાન મૂક્યું. તે દૂતે કરેલી વિજ્ઞપ્તિ સાંભળીને શ્રાવકોએ પણ વિનંતીપૂર્વક કહ્યું કે “હે ગુરુ મહારાજ ! જેમ કેશીગણધરે પ્રદેશ રાજાને બોધ પમાડ્યો હતો, તેમ આપ પણ ૧. હું પ્રભુના પદને (મોક્ષને) પામું એવી ઈચ્છાથી. Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ૩૦૭ અકબર બાદશાહને બોધ પમાડજો, આપની જેવા મહાત્મા પુરુષો વિશ્વના ઉપકાર માટે જ યત્ન કરે છે. શું મેઘ સર્વ જગતને જીવાડતો નથી ? વળી જેમ પારધી વનમાંહેના અનેક પ્રાણીઓને હણીને વનને નિ:સત્વ (પ્રાણી રહિત) કરી નાખે છે, વળી સર્વ દ્રષીવર્ગને જીતી લઈને નિ:સત્વ (સત્વ રહિત) કરી નાખનાર શ્રી હેમચંદ્રસૂરિએ જેમ કુમારપાળ રાજાને બોધ પમાડ્યો હતો, તેમ આપ અકબર રાજાને બોધ પમાડજો.” આ પ્રમાણેની શ્રી સંઘની વિનંતી સાંભળીને ગુરુત્યાંથી વિહાર કરી રાજનગર (અમદાવાદ) સમીપ આવ્યા; એટલે ત્યાંના અધિકારી સાહિબખાને અત્યંત આદર અને ભક્તિપૂર્વક ગુરુને પોતાની રાજધાનીમાં લઈ જઈને તેમની પાસે ઘણા ઘોડાઓ, હસ્તીઓ, રથો, મ્યાનાઓ, પાલખીઓ વગેરે ભેટ કરી. પછી વિનંતી કરી કે “હે સ્વામી! અકબર બાદશાહના હુકમથી આ ભેટ હું આપને કરું છું માટે તે ગ્રહણ કરો. બાદશાહે મને કહેવરાવ્યું છે કે સૂરીશ્વર શ્રી હીરવિજય ગુરુને ધન, રથ, અશ્વ, હસ્તી વગેરે આપીને તેમના મનોરથ પૂર્ણ કરી તેમને મારા તરફ મોકલવા માટે તે સ્વામી ! આ આપને માટે આવેલી થાપણની જેમ મારાથી અપાતું ગ્રહણ કરો.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે અમે નિષ્પરિગ્રહી છીએ, અમે હંમેશા ઉપાનહ પણ પહેર્યા વિના પગે ચાલવાને જ યોગ્ય છીએ, તેથી એ સર્વ અમારે કાંઈ કામનું નથી.” એમ કહી સૂરિ વિહાર કરતા આબુગિરિ આવ્યા. ત્યાં ગુરુએ વિમલમંત્રીએ કરાવેલી વિમલવસહી જોઈ તે વસહી (જિનચૈત્ય) આરસ પત્થરની હોવાથી શ્વેત હતી, તેમાં અનેક શ્વેત હાથીઓ અને શ્વેત અશ્વો હતા, તથા સુધા સરખી શોભાયમાન હતી, અને તે વસહીનો મધ્ય ભાગ શ્રી જિનેશ્વરે પવિત્ર કરેલો હતો; તેથી તે વસહિ જાણે ક્ષીરસમુદ્રની સખી હોય તેવી જણાતી હતી; કેમકે ક્ષીરસાગર દૂધનો હોવાથી શ્વેત છે, શ્વેત ઐરાવત હાથી, શ્વેત ઉચ્ચ શ્રવા અશ્વ અને સુધા (અમૃત) તેમાંથી નીકળ્યાં છે એમ કહેવાય છે, તથા જિન એટલે વિષ્ણુએ તેનો મધ્ય ભાગ પવિત્ર કરેલો કહેવાય છે. ત્યાર પછી તે યતીન્દ્ર વસ્તુપાળે કરાવેલી વસહિના ચૈત્યને જોયું. ત્યાં ગિરનાર પર્વતની જેમ આબુપર્વતને પણ પવિત્ર કરવાની ઈચ્છાથી જ જાણે આવ્યા હોઈ એવા નયનને આનંદ કરનારા શિવારાણીના પુત્ર શ્રી નેમિનાથને વંદના કરી. ત્યાંથી ચાલતાં માર્ગમાં જાણે ધર્મનું પ્રપાસ્થાન (પરબ) હોય તેવા અને જેણે અમૃત (મોક્ષ)ની લક્ષ્મી ધારણ કરી છે એવા કુમારપાળ રાજાએ કરાવેલા ચૈત્યને નમીને તે મુનીંદ્ર અચળગઢમાં આવી ચતુર્મુખ શ્રી ઋષભસ્વામીને વંદના કરી. ત્યાંથી રાણકપુર આવીને નલિની ગુલ્મ વિમાનના આકારવાળા ધનાશાહે કરાવેલા ચૈત્યને વંદના કરી. તે ચૈત્યમાં જાણે પ્રાણીઓને ચારગતિની પીડારૂપ મોટા અંધકૂપમાંથી ઉદ્ધાર કરવાની ઈચ્છાથી જ હોય નહીં એમ ચાર મૂર્તિને ધારણ કરતા શ્રી યુગાદિદેવના દર્શન કર્યા, ત્યાંથી મેડતાનગર સમીપે આવીને શ્રી ફળવર્ધિ પાર્શ્વનાથને વંદના કરી. આ પ્રતિમા વિષે એવું સંભળાય છે કે આ બિંબની પાસે બીજી કોઈ જિનપ્રતિમા રહી શકતી નથી, તેથી તે પ્રતિમા એકલી જ છે. તે પ્રભુ જાણે એમ ધારતા હોય કે હું એકલો જ - બીજાની અપેક્ષા રાખ્યા વિના ત્રણ જગતના જીવોના મનોરથ પરિપૂર્ણ કરું એવો છું, તેથી બીજાની Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ જરૂર નથી. એવી રીતે પોતાના મનમાં અહંકાર લાવીને તે પ્રભુ એકલા જ રહેલા હોય નહીં ? વળી તે ફળવર્ધિ પાર્શ્વનાથના દ્વારને બારણાં રહેતાં નહીં. કદાચ કોઈ માણસ તે દ્વાર ઉપર બારણા ચઢાવતાં તો પ્રાત:કાળે તે પ્રાસાદથી બે કોસ દૂર જઈને પડતાં, ત્યાં રહેતા નહીં. સૂરિ ત્યાંથી વિહાર કરીને ફતેહપુરની સમીપે આવ્યા. ત્યાંનો રાજા થાનસિંહ બાદશાહનો સેવક હતો, તથા અમીપાળ નામે બાદશાહનો સેવક પણ ત્યાં હતો. તે હંમેશાં બાદશાહને નાળિયેરની ભેટ મોકલતો હતો. તેમણે તથા સંઘના મુખ્ય માણસોએ બાદશાહને સૂરિના આગમનના ખબર આપ્યા. પછી બાદશાહની આજ્ઞાથી શ્રીસંઘ મોટા ઉત્સવપૂર્વક ફતેહપુરથી બાદશાહની રાજધાનીના શાખાપુર (ગામ બહારનું પસ) સુધી સૂરિ સાથે આવ્યો. પછી બાદશાહના કહેવાથી બાદશાહનો સર્વશાસ્ત્રસંપન્ન શેખગુરુ સૂરિને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં સૂરિએ પ્રથમ તે શેખની સાથે જ ધર્મગોષ્ઠી કરીને તે શેખના મનના દરેક સંશયો દૂર કરી તેને પ્રતિબોધ પમાડ્યો. પછી સૂરિ બાદશાહ પાસે આવ્યા, તેને બાદશાહે બહુ આદરમાનપૂર્વક અનેક પ્રશ્નો પૂછ્યા. તેના પ્રત્યુત્તરો આપીને ગુરુએ યમ, નિયમ અને જિનતીર્થાદિકનું સ્વરૂપ પ્રકાશિત કરી બાદશાહનું ચિત્ત દયાધર્મથી સુવાસિત કર્યું. પછી બાદશાહ સૂરિને પોતાની ચિત્રશાળામાં લઈ ગયા. ત્યાં બાદશાહે ત્રણ પગથિયાવાળા ઊંચા સિંહાસન પર બેસીને ગુરુને કહ્યું કે “હે સૂરીશ્વર ! રાજાઓને બેસવા લાયક આ સભાભૂમિમાં આચ્છાદાન કરેલા ગાલીચા ઉપર આપના ચરણકમળ મૂકી તેને પવિત્ર કરો.” ગુરુ બોલ્યા કે “હે રાજનું! કદાચ તેની નીચે કીડીઓ હોય, માટે અમે તેના પર પગ ન મૂકીએ.” બાદશાહે કહ્યું કે “હે ગુરુ ! દેવલોકના મંદિર જેવી સ્વચ્છ આ સભામાં કીડીઓ વગેરે કાંઈ હોય જ નહીં.” ગુરુ બોલ્યા કે “અમારો આચાર જ એવો છે, માટે અમે જોયા વિના પગ મૂકતા નથી. મુમુક્ષુએ પોતાના આચરણનું ચિંતામણિ રત્નની જેમ રક્ષણ કરવું જોઈએ.” પછી બાદશાહે તે ગાલીચો ઊંચો કરાવ્યો તો તેની નીચે બાદશાહે પોતે જ અનેક કીડીઓ જોઈ, તેથી આશ્ચર્ય પામીને તેણે સૂરિની અતિ પ્રશંસા કરી. પછી વિધિપૂર્વક યોગ્ય સ્થાને બેસીને નિઃસ્પૃહ ગુરુએ ધર્મના રહસ્યને પ્રકાશિત કર્યું. ત્યાંથી સૂરિ આગ્રામાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાણીઓના ઈચ્છિત મનોરથને પૂર્ણ કરવા માટે જાણે સ્વર્ગમાંથી ચિંતામણિરત્ન આવેલું હોય નહીં એવા ચિંતામણિ પાર્શ્વનાથના બિંબને મોટા ઉત્સવપૂર્વક સૂરિએ સ્થાપન કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયા પછી સૂરિ ફતેહપુર આવ્યા, ત્યાં ફરીને બાદશાહનું મળવું થયું. તે વખતે બાદશાહે રથ, અશ્વો તથા હાથી વગેરેની ભેટ આપી. ગુરુએ તે અંગીકાર કરી નહીં. ત્યારે બાદશાહે કહ્યું કે “હે સૂરીશ્વર ! મારી પાસેથી કાંઈ પણ ગ્રહણ કરીને મને કૃતાર્થ કરો; કેમકે સુપાત્રના હાથ ઉપર જેનો હાથ થયો નથી (જેણે સુપાત્રને દાન આપ્યું નથી) તેનો જન્મ વનમાં રહેલા માલતીના પુષ્પની જેમ નિરર્થક છે.” આ પ્રમાણે દાનને માટે બાદશાહે વારંવાર આગ્રહ કર્યો ત્યારે સૂરિએ પાંજરામાં પૂરેલા સર્વ પક્ષીઓને છોડી મૂકવાનું માગ્યું; એટલે બાદશાહે સર્વ પક્ષીઓને છોડી મૂક્યા, પર્યુષણમાં Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૩૦૯ બાર દિવસ સુધી અમરપડહ વગડાવવાનું (અમારિ પાળવાનું) ફરમાન કર્યું, તથા બાદશાહે કરાવેલું બાર કોશનું મોટું ડામર નામનું સરોવર કે જેનો સામો કિનારો પણ દૃષ્ટિથી જોઈ શકાતો નહોતો તે સરોવરમાં રહેલા મીનાદિક જંતુઓના વધનો સર્વથા નિષેધ કર્યો. પછી બાદશાહે ફરીથી સૂરિને કહ્યું કે “આજથી આપની જેમ હું પણ મૃગયા વડે જીવહિંસા નહિ કરું. હું ઈચ્છું છું કે “સર્વે પ્રાણીઓ મારી જેમ ઈચ્છા પ્રમાણે ફરો હરો અને ક્રીડા કરો.” આ પ્રમાણે મૃગયા, જજિયાવેરો અને શત્રુંજયનો કર વગેરે મૂકાવી દઈ, અનેક પ્રકા૨ની પુણ્ય ક્રિયામાં તેને જોડી દઈ સૂરિએ અન્યત્ર વિહાર કર્યો. ૩૬૦ શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર (ચાલુ) जगद्गुरुरिदं राज्ञा, विरुदं प्रददे तदा । तद्वहन्नन्यदेशेषु, विजहार गुरुः क्रमात् ॥१॥ ભાવાર્થ :- “ત્યારે આ જગદ્ગુરુ છે એવું બાદશાહે બિરુદ આપ્યું. પછી બાદશાહે આપેલા જગદ્ગુરુ બિરુદને વહન કરતા સૂરિએ અન્યત્ર વિહાર કર્યો.” આ શ્લોકમાં કહેલા અર્થનું સમર્થન કરવા માટે તેમનું ચરિત્ર વિશેષે કહેવામાં આવે છે. અન્ય દેશોમાં વિહાર કરતાં કરતાં શ્રી હીરગુરુ મથુરાપુરીમાં આવ્યા. ત્યાં મોટા ઉત્સવથી સંઘજનોથી પરિવરેલા સૂરિએ ચારણ મુનિની જેમ પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ પ્રભુની યાત્રા કરી, તથા જંબુસ્વામી, પ્રભવસ્વામી વગેરે પાંચસો ને સત્તાવીશ મુનિઓના સ્તૂપોને વંદના કરી. પછી ગોપાલગિરિ ઉપર ઋષભદેવને વંદના કરી. તે ગિરિ ઉપર શત્રુંજયની જેમ બાવન ગજના પ્રમાણવાળી શ્રી આદીશ્વરની પ્રતિમા છે, તથા બીજી પણ જિનપ્રતિમાઓ છે, તેને સૂરીશ્વરે વંદના કરી. ત્યાંથી વરકાણકનગરમાં આવીને સાક્ષાત્ પાર્શ્વયક્ષની જેમ વરકાણક નામના પાર્શ્વનાથને નમ્યા. ત્યાંથી અનુક્રમે સિદ્ધાચલ આવી ત્યાં દર્શન તથા સ્તુતિ વગેરે કરીને ગુરુ જયપુરમાં આવ્યા. ત્યાં શ્રીસંઘની સમીપે સૂરિએ શ્રી અજય પાર્શ્વનાથનું કિંચિત્ ચરિત્ર કહ્યું કે - “કોઈ શ્રેષ્ઠિ જળવટ વ્યાપાર માટે સમુદ્રરસ્તે જતો હતો. દૈવયોગે અચાનક વૃષ્ટિનો ઉત્પાત થયો; તેથી કલ્પાંત કાળની જેમ પોતાના વહાણના લોકોનો સંહાર થશે એમ ધારીને તે દુઃખ જોવાને અસમર્થ એવા તે શ્રેષ્ઠિ પ્રથમથી જ મૃત્યુ પામવા માટે સમુદ્રમાં ઝંપાપાત કરવા જાય છે, તેટલામાં પદ્માવતીદેવીએ આકાશવાણીથી કહ્યું કે- ‘આ સમુદ્રની મધ્યે સમગ્ર દુઃખરૂપી સાગરનું મંથન કરવામાં મંદરાચળ પર્વત સમાન પ્રભાવવાળી અને સમુદ્રની મેખલાના નિધિ સમાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે; માટે હે શ્રેષ્ઠિ ! નાવિક લોકો પાસે તેને સમુદ્રમાંથી બહાર કઢાવીને તેની પૂજા કરી વહાણમાં રાખીશ તો હું તારું સર્વ વિઘ્ન દૂર કરીશ. પણ હે શ્રેષ્ઠિ ! Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તે કલ્પવૃક્ષના પર્ણની કરેલી પેટીને તું ઉઘાડીશ નહીં, તેને તેવી ને તેવી સ્થિતિમાં દ્વીપ (દીવ) બંદરે લઈ જજે. ત્યાં દિયાત્રાને માટે આવેલા અજય નામના રાજાને તે પેટી આપજે.” તે મૂર્તિના સ્નાત્રજળથી તે રાજાને થયેલા એકસો ને સાત રોગો નાશ પામશે. આ પ્રમાણે દેવીની વાણી સાંભળીને તે શ્રેષ્ઠિએ પોતાના માણસો પાસે તે પેટી બહાર કઢાવી અને વહાણમાં સ્થાપન કરી, તેથી સર્વ ઉપદ્રવો નાશ પામ્યા. અત્યારે પણ સમુદ્રમાં પ્રતિકૂળ વાયુને લીધે કાંઈ ઉપદ્રવ થયો હોય તે વખતે જો અજય પાર્શ્વનાથનું ધ્યાન કર્યું હોય તો તે વહાણની જેમ મનુષ્યોને પણ નિર્વિઘ્ન રીતે સમુદ્રને કિનારે પહોંચાડે છે. પછી તે શ્રેષ્ઠિએ દીવ બંદરે જઈને ત્યાં આવેલા અજયરાજાને પેટ સંબંધી સર્વ વૃત્તાંત કહી તે પેટી તેની પાસે મૂકી, એટલે રાજાએ ત્યાં અજય નામનું નગર વસાવી વિનયપૂર્વક તે બિંબને પેટીમાંથી બહાર કાઢી તે પુરમાં મોટું ચૈત્ય કરાવીને તેમાં તે સ્થાપન કર્યું અને તેના સ્નાત્રજળથી તે રાજા વ્યાધિમુક્ત થયો. પૂર્વે તેનું અજય પાર્શ્વનાથ એવું નામ હતું, હાલમાં ત્યાં અજાર નામે ગામ વસવાથી અજાર પાર્શ્વનાથ એવું નામ થયું છે. આ હકીકતનો વિસ્તાર શત્રુંજય માહાભ્યમાંથી જાણવો. શ્રી હીરવિજયસૂરિએ દીક્ષાથી આરંભીને જે તપ કર્યું તે આ પ્રમાણે – જેમ રાજા ન્યાયને ન તજે, તેમ સૂરિએ જીવનપર્યત એકાસણું છોડ્યું નહોતું. જાણે કામદેવના પાંચે બાણો તજ્યાં હોય તેમ પાંચ વિકૃતિ (વિગઈ)નો ત્યાગ કર્યો હતો. જાણે કે ભવસાગરને પાર પમાડનારી બાર ભાવનાઓને વિશેષ કરીને પુષ્ટ કરતા હોય તેમ હંમેશા ભોજન સમયે નામગ્રહણપૂર્વક અન્ન, જળ, શાક વગેરે મળીને બાર જ દ્રવ્ય (પદાર્થો) વાપરતા હતા. પોતાના પાપની આલોચના માટે તે સૂરિએ ત્રણસો ઉપવાસ અને સવા બસો છઠ્ઠ કર્યા. ત્રણ ચોવીશીનું ધ્યાન કરવાની ઈચ્છાથી બોતેર અટ્ટમ કર્યા. બે હજાર આયંબિલ કર્યા, ને ફરીને વીશસ્થાનકોના આરાધના માટે વીશ આયંબિલ કર્યા. બે હજાર નવી કરી. વળી એકદત્તી એટલે પાત્રમાં એક જ વખતે જેટલું અન્ન જળ અવિચ્છિન્ન પડે તેટલો આહાર કરવો તે, તથા એક જ દાણો ખાવો તે એકસિત્ય કહેવાય છે, ઈત્યાદિ અનેક તીવ્ર તપો કર્યા. ફરીથી ત્રણ હજાર ને છસો ઉપવાસ કર્યા. પછી પ્રથમ ઉપવાસ, તે ઉપર એકાસણું, તે ઉપર આયંબિલ, તે ઉપર પાછો ઉપવાસ એવી રીતે તેર માસ સુધી વિજયદાન ગુરુ સંબંધી તપ કર્યું. પછી બાવીશ માસ સુધી યોગ વહન કરીને તીવ્ર તપ કર્યું. પછી ત્રણ માસ સુધી સૂરિમંત્રની વિધિપૂર્વક આરાધના કરીને ચાર કરોડ શ્લોક પ્રમાણ સઝાયધ્યાન કર્યું. તે સૂરિએ પાંચસો જિનબિંબની પ્રતિષ્ઠા કરી. ઈત્યાદિ બહુ પ્રકારના ધર્મકાર્યો કરીને તે સૂરિ ઉનાયા (ઉના) નગરમાં સંવત ૧૬૫ર ના ભાદ્રપદ શુદિ ૧૧ને દિવસે મહામંત્ર (નવકાર)નું સ્મરણ કરતા સતા સ્વર્ગલોકને પામ્યા. એ પ્રમાણે અમૃતના ઓઘ સરખા ઉજજ્વળ ધ્યાનને ધારણ કરતા સતા સૂરિએ ભગવંતે કહેલા મહાનંદપુરે જવાના માર્ગને ત્યાં જવાની ઈચ્છાથી જાતે જોવાને માટે દેવલોકનો આશ્રય કર્યો.” Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૩૧૧ ૩૬૧ સિદ્ધાચલ પર રહેલા પ્રાસાદનું વર્ણન श्रीसिद्धाचलप्रासादं, सोपानादिस्फुरत्प्रभम् । कुंभशृंगध्वजायुक्त - मार्हन्तं तं स्तवाम्यहम् ॥१॥ ભાવાર્થ :- “સોપાન (પગથિયાં) વગેરેથી જેની પ્રભા સ્ફુરણાયમાન છે અને જેમનો શૃંગ વિભાગ (શિખર) કૂંભ તથા ધ્વજાથી યુક્ત છે એવા સિદ્ધાચલ પર રહેલા શ્રી અર્હત્તા પ્રાસાદની હું સ્તુતિ કરું છું.” આ શ્લોકમાં શ્રી સિદ્ધાચલ, પ્રાસાદ, સોપાન વગેરે, કુંભ, શૃંગ અને ધ્વજા આટલા શબ્દો કહ્યા છે, તે દરેકની નીચે પ્રમાણે ભાવના કરવી. શ્રી સિદ્ધાચલ સમાન પવિત્ર બીજો કોઈ પર્વત નથી. કહ્યું છે કે - तावल्लीलाविलासं कलयति मलयो विन्ध्यशैलोऽपि तावद्धत्ते मत्तेभगर्वं तुहिनधरणिभृत्तावदेवाभिरामः । तावन्मेरुमहत्त्वं वहति हरिगिरिर्गाहते तावदाभां, यावत्तीर्थाधिराजो न नयनपुटैः पीयते पर्वतेन्द्रः ॥ १ ॥ ભાવાર્થ :- “જ્યાં સુધી સર્વ તીર્થોના અધિરાજ શ્રી સિદ્ધાચલ નામના ગિરીન્દ્રનું નેત્રપુટ વડે પાન કર્યું નથી, ત્યાં સુધી મલયાચળ પર્વત લીલાનો વિલાસ વિસ્તારે છે, ત્યાં સુધી જ વિન્ધ્યાચળ પર્વત મદોન્મત્ત હાથીની જેમ ગર્વને ધારણ કરે છે, ત્યાં સુધી જ હિમાલય પર્વત સુંદર લાગે છે, ત્યાં સુધી જ મેરુગિરિ મહત્ત્વને વહન કરે છે, અને ત્યાં સુધી જ શક્રશૈલ (હિરિગિર) તેજને ધારણ કરે છે.’ તે સિદ્ધાચલ ઉપર ભરતચક્રીએ કરાવેલો પ્રાસાદ અલૌકિક મહિમાવાળો છે. તારાઓ વડે જેમ ચંદ્ર શોભે છે, ગ્રહો વડે જેમ ગ્રહપતિ (સૂર્ય) શોભે છે, અસુરો વડે અસુરેન્દ્ર શોભે છે, સુરો વડે (દેવો વડે) જેમ સુરેન્દ્ર શોભે છે, અને મનુષ્યો વડે જેમ નરેન્દ્ર શોભે છે, તેમ બીજા નાનાં નાનાં જિનચૈત્યો વડે ચોતરફથી અલંકૃત થયેલું શ્રી ઋષભદેવસ્વામીનું ચૈત્ય શોભે છે. તે પ્રાસાદ સોપાનાદિકથી દીપ્તિમાન છે, તેમાં આદિ શબ્દના ગ્રહણથી તોરણ, મંડપ, સ્થંભ, ગર્ભાગાર વગેરેથી પણ સુશોભિત છે એમ જાણવું. તે આ પ્રમાણે - તે ચૈત્યના અગ્ર ભાગે જાણે મોક્ષલક્ષ્મીનું કામણ હોય તેવું અત્યંત સૂક્ષ્મ નક્શી કામવાળું સુવર્ણમણિનું તોરણ બાંધેલું શોભે છે. અપવર્ગપુરે પહોંચવાને ઈચ્છતા મુનિઓને માટે તે આશ્રયસ્થાન જેવું છે, અને તેની નીચે જવાથી અમે આ મુક્તિગૃહમાં પ્રવેશ કરીએ છીએ કે શું એમ ભાસ થાય છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ તે ચૈત્યના મધ્ય ભાગમાં અતિ સુશોભિત મહામંડપ છે, તે પોતાની મુક્તિરૂપી કન્યાને કોઈપણ યોગ્ય વરને આપવા માટે મનમાં ઈચ્છા રાખનારા ધર્મરાજાએ જાણે મણિ સુવર્ણમય ચિત્રોથી શોભાયમાન સ્વયંવરમંડપ રચ્યો હોય નહિ એવો શોભે છે. વળી તે શ્રી ઋષભસ્વામીના પ્રાસાદમાં વર્ણન કરવાલાયક એવા ઘણા સ્થંભો શોભી રહ્યા છે. તે અંભોને વિષે સર્વ રાજાઓ જાણે “હે જિનેન્દ્ર ! ઈન્દ્ર આપનો સેવક છે તે અમારો શત્રુ છે, માટે તેની સાથે અમને મૈત્રી કરાવો.” એમ કહેવાને માટે આવ્યા હોય નહિ તેમ પ્રભુની ઉપાસના કરી રહ્યા છે. તે યુગાદીશ જિનેશ્વરના મંદિર ઉપર આકાશને અલંકૃત કરતું શિખર પોતાના વૈભવથી સૂર્યના કિરણોના મંડળને વિડંબના પમાડે છે તથા જાણે પોતાની કાપી નાંખેલી પાંખો ફરીથી મેળવવાને માટે ઈચ્છતો અમરાચળ ત્રણ ભુવનના મનોરથ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન તે જિનેશ્વરની ભક્તિ કરવા આવ્યો હોય તેવું શોભે છે. વળી “હે પ્રભુ ! જગતના ધનાદિક મનોરથ પૂરવારે તો હું સમર્થ છે. પણ તમારી જેમ મોક્ષલક્ષ્મી આપી શકવા માટે મને તેના આકારમાં લઈ જાર એમ જગદીશ્વરને કહેવા માટે ઉત્સુક થયેલો કામકુંભ આવીને જાણે પ્રભુને સેવતો હોય નહિ તેમ તે શિખર પર રહેલો સુવર્ણકળશ શોભે છે. વળી ત્રણ ભુવનમાં પોતાની જેવા વૈભવવાળા સમૂહને જાણે જીતવાની ઈચ્છા થઈ હોય એવા આ જિનેશ્વરના પ્રાસાદે શત્રુના સમૂહરૂપ સાગરને મંથન કરવામાં મન્દરાચળ સમાન શિખર પર ફુરણાયમાન થતો મજબૂત દંડરત્ન ધારણ કર્યો છે; તેમજ જય મેળવનાર વિભૂતિ વડે વારંવાર સ્પર્ધા કરતા વૈજયંતાદિકને જીતીને આ આદિનાથના ચૈત્યે જાણે જગતમાંહેના શત્રુમાત્રના વિજયને જણાવનારી વૈજયંતિકા મસ્તક પર ધારણ કરી હોય એમ હું માનું છું. અનેક નિર્જર, મનુષ્યો અને ઉરગોના પુરંદરોએ (દેવેન્દ્ર, નરેન્દ્ર ને અસુરેન્દ્રોએ) સેવિત એવો વિમળાચળરૂપ રાજા ઋષભદેવની પ્રતિમાથી અલંકૃત થયેલા એવા અને ઉપર જણાવેલા સુંદર મંડપની અંદર રહેલા તેમજ તોરણોના ત્રિકથી વિચિત્ર લાગતા ગર્ભાશયને ધારણ કરી રહ્યો છે. તે ગર્ભગૃહની અંદર યુગના આદિ સમયમાં જેમ મેં સંસારથી પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો હતો, તેવી જ રીતે આ મલિન કલિકાળમાં પણ ફરીથી હું ઉદ્ધાર કરું, એવો હૃદયમાં વિચાર કરીને શ્રી આદીશ્વર પ્રભુ પોતાના સ્વરૂપે ત્યાં ઉતરીને પ્રતિમાના મિષથી સ્થિર રહ્યા છે એમ જણાય છે. મોક્ષલક્ષ્મીને ભજનારા અને મેઘસમાન ગંભીર ધ્વનિવાળા એવા હે પ્રભુ ! તમે નિરંજનપણાથી કમળની જેવા વિશુદ્ધ આશયવાળા કહેવાઓ છો, સંસારસાગરમાંથી ભવ્ય પ્રાણીઓને તમે નૈકાની જેમ પાર ઉતારો છો. વળી અમૃતરસની જેમ તમે જગતના સમગ્ર પ્રાણીઓનું જીવન છો, એવા હે પ્રભુ! તમે જયવંતા વર્તો. || કૃતિ પ્રીસીવિનમ્ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ S's ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ઉપદેશરૂપ પ્રાસાદના અવયવોનું વર્ણન આ ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં બુદ્ધિના આઠ ગુણોનું વર્ણન કરેલું છે તે આઠને શાસ્ત્રમાર્ગને દેખાડનારા તે પ્રાસાદના સોપાન (પગથિયાં) જાણવા. વિકથાના પ્રકાર સહિત તેને નિરંતર ત્યાગ કરવાનું વર્ણન કરેલું છે, તે આ ઉપદેશપ્રાસાદના સુખે પ્રવેશ કરી શકાય તેવાં ચાર દ્વાર જાણવાં. ચાર પ્રકારના અનુયોગનું વર્ણન કર્યું છે, તે આ ગ્રંથરૂપ પ્રાસાદમાં વિચિત્ર રચનાવાળાં ચાર તોરણ જાણવાં. દ્રવ્યભાવરૂપ બે બે ભેદવાળા બાર વ્રતોનું વર્ણન કર્યું છે, તેથી તે ચોવીશને આ પ્રાસાદના સ્થંભ જાણવા. મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ કહેલી છે, તે આ પ્રાસાદનો અસવૃત્તિથી નિવારણ કરનાર મંડપ જાણવો. અન્ય મંદિરોમાં ગવાક્ષ વગેરે વસ્તુઓ હોય છે તેને સ્થાને અહીં અતિચાર રહિત વ્રતો જાણવાં. સાતસો નયથી યુક્ત સ્યાદ્વાદને ઘોતન કરનાર વચનને આ પ્રાસાદનું નિર્મળ દ્યુતિવાળું શિખર જાણવું. રત્નત્રયની સ્તુતિના આરંભને અહીં મોટા કુંભ સમાન જાણવો. અનન્ત અને અવ્યય સંપત્તિવાળા મોક્ષની સ્તુતિને ધ્વજારૂપ જાણવી. શુદ્ધ અંતઃકરણને ગર્ભગૃહ (ગભારા) રૂપ જાણવું. તે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત થયેલા ચિતૂપ જે મૂર્તિ છે તે સ્વયંભૂ ત્રિભુવનના નાથ છે એમ જાણવું. તે પ્રભુ નિરંતર પ્રાણીઓને સૌભાગ્યલક્ષ્મી આપે છે. ચોસઠ ઈન્દો, સોળ વિદ્યાદેવીઓ અને ચોવીશ તીર્થકરોના શાસનની અધિષ્ઠાયિકા દેવીઓ તથા ચોવીશ યક્ષો આ સુભદ્ર નામના પ્રાસાદની રક્ષા કરો. શ્રી શાંતિનાથને નમસ્કાર કરવો એ પ્રથમ મંગળ છે, સહગ્નકૂટના પ્રભુનું વંદન એ બીજું મધ્ય મંગળ છે, અને શાસનદેવીનું ધ્યાન એ અંતિમ મંગળ છે. તે સર્વે હંમેશા આ ગ્રંથ વાંચનાર તથા સાંભળનારના કલ્યાણ માટે થાઓ. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ પ્રશસ્તિ જેના પ્રભાવથી શુભ સાધ્યને સાધી આપનાર આ પ્રાસાદનું નિર્વિઘ્નપણે નિર્માપણ કરી શકાયું તે અનંત કલ્યાણના સ્થાનરૂપ ચિંતામણિ પાર્શ્વનાથને હું વંદન કરું છું. સ્થંભતીર્થમાં સૂરિમંત્ર આરાધનના ઉદ્યમથી જેમને સૂરિમંત્રના અધિષ્ઠાયિક દેવનો આદેશ પ્રાપ્ત થયો તે ગુરુનું હું સ્મરણ કરું છું. ઘણા ગુણવાળા અને એકાગ્ર ચિત્તે નમસ્કારમંત્રનું ધ્યાન કરનારા શ્રીમાન્ વિજયસૌભાગ્યસૂરિ નામના ગુરુની હું સ્તુતિ કરું છું. તે ગુરુના શિષ્ય શ્રી વિજયલક્ષ્મી નામના સૂરિએ આ ઉપદેશપ્રાસાદ ગ્રંથ શાસ્ત્રોમાં દીઠેલા અક્ષરોને અનુસારે રચેલો છે, અને શ્રી પ્રેમવિજયાદિક મુનિઓને અભ્યાસ કરવા માટે તેની ઉપદેશસંગ્રહા નામની વૃત્તિ પણ કરેલી છે. આ ગ્રંથ સંવત ૧૮૪૩ ના કાર્તિક શુદિ પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ થયો છે. જયાં સુધી જગતમાં મેરુપર્વત રહેલો છે, જ્યાં સુધી જગતમાં જૈનશાસન પ્રવર્તે છે, જ્યાં સુધી જ્યોતિષચક્ર આકાશમાં વિરાજમાન છે, અને જ્યાં સુધી સુરનદી (ગંગા)નો પ્રવાહ જગતમાં પ્રવર્તે છે, ત્યાં સુધી માનસરોવરના હંસ જેવા વિદ્વાનોથી વંચાતો સતો આ ગ્રંથ વિજયને પામો. આ ગ્રંથમાં કાંઈક અજ્ઞાનતાથી, બુદ્ધિના કાંઈક વિકલ્પરૂપ દોષથી, કાંઈક ઉત્સુકતાના વશથી અને કાંઈક સ્મૃતિના દોષથી જે કાંઈ રભસવૃત્તિ વડે ઉસૂત્રપ્રરૂપણા થઈ હોય તેની પંડિતજનોએ ક્ષમા કરવી. આ શાસ્ત્રમાં મતિની મંદતાને લીધે કાંઈક શાસ્ત્રવિરુદ્ધ દષ્ટાંતાદિક કહેવામાં આવ્યું હોય તો ઈર્ષ્યા નહિ રાખતાં મારા પર કરુણા લાવીને શુદ્ધ ચિત્તવાળા પંડિતોએ તેને શુદ્ધ કરવું (સુધારવું). આ ગ્રંથ રચવાના પ્રયત્નથી જે કાંઈ સુકૃત થયું હોય તે સુકૃતથી આ ગ્રંથના વાંચનાર, ઉદ્ધરનાર તથા સાંભળનારને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ. सर्वकल्याणकारणं, सर्वश्रेयस्कसाधनम् । प्रशस्यं पुण्यकृत्यानां, जयत्यार्हतशासनम् ॥१॥ ભાવાર્થ :- “સર્વ કલ્યાણનું કારણ, સર્વ શ્રેયનું સાધન અને પુણ્યકૃત્યો વડે પ્રશંસા કરવા લાયક એવું શ્રી જૈનશાસન (જગતમાં) જય પામે છે.” ને રૂત્યુપવેશપ્રાસાદ છે સમાતોડ્યું : . Page #326 -------------------------------------------------------------------------- ________________ ન તે ફાશ જ વ ર N CT Uર : હવા BHARAT GRAPHICS - Ahmedabad-1 Ph: 079-22134176, M : 9925020106 E-mail : bharatgraphics1@gmail.com