________________
દર્શનપ્રસિદ્ધ અંત:કરણતત્ત્વસ્વરૂપ મન છે; જે જ્ઞાનનું સાધન છે, ચિશક્તિથી અન્વિત છે. સત્વ, રજસ્ અને તમોગુણમાંના રજોગુણ અને તમોગુણની અત્યંત અલ્પતાથી અનુવિદ્ધ એવા મનની જ્યારે ભાવના પ્રવર્તે છે ત્યારે ભાવનાના વિષયભૂત મન; સુખસ્વરૂપ અર્થાત્ સુખપ્રકાશ(જ્ઞાન)સ્વરૂપ સત્ત્વગુણથી પરિપૂર્ણ-ઉદ્રિત હોય છે. તેથી તે વખતે ચિક્તિની અનુદ્રિષ્નાવસ્થાને લઈને સુખાનુભવસ્વરૂપ સાનંદસમાધિ હોય છે. તે વખતે સુખનું જ્ઞાન હોવા છતાં સુખનું પ્રાધાન્ય અને જ્ઞાનનું અપ્રાધાન્ય વર્તાય છે... એ સમજી શકાય છે. ૨૦-પા
સાનન્દસમાધિ વખતે યોગીઓનું જ સ્વરૂપ હોય છે તે વર્ણવાય છેसानन्दोऽत्रैव भण्यन्ते, विदेहा बद्धवृत्तयः । देहाहङ्कारविगमात्, प्रधानपुमदर्शिनः ॥२०-६॥
“આ સાનંદસમાધિમાં જ જેમનું ચિત્ત લીન બન્યું છે; તે યોગીજનોના દેહાહારની નિવૃત્તિ થવાથી તેઓને વિદેહ કહેવાય છે. જેઓ પ્રધાન અને પુરુષતત્ત્વના વિભાવક હોતા નથી.'-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાંના સાનઃ આ પદનો સંબંધ પાંચમા શ્લોકમાં છે. ત્યાં એ પ્રમાણે અર્થ કર્યો છે.
કહેવાનો આશય એ છે કે સાનંદસમાધિમાં ભાવ્ય મન છે. તે સમાધિમાં ચિત્ત લીન થવાથી મનમાં જ લય પામવાના કારણે યોગીના શરીરાહટ્ટારનો વિગમ થાય છે.