________________
હોવાથી “એ નહિ, એ નહિ.” ઈત્યાદિ પ્રકારના નિવૃત્તિક ચિત્તના સાતત્યથી માત્ર સંસ્કારસ્વરૂપ ચિત્તની અવસ્થાવિશેષ જે ઉત્પન્ન થાય છે તે અવસ્થાવિશેષને અહીં અસપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે. યોગસૂત્રમાં “વિરામપ્રત્યાપાસપૂર્વ સંરકોડ: ૨-૨૮ાા'-આ સૂત્રથી જણાવ્યું છે કે-સર્વ વૃત્તિઓના લયનો હેતુ જે પરવૈરાગ્ય, તેનો અભ્યાસ છે સાધન જેનું એવી અને માત્ર સાત્ત્વિક સંસ્કારો જ જેમાં શેષ રહે છે; એવી અસમ્પ્રજ્ઞાતસમાધિ જાણવી.
આ અસપ્રજ્ઞાતસમાધિના કારણે આત્માને, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવા સ્વરૂપ કેવલ્યની પ્રાપ્તિ થાય છે.... ઈત્યાદિ પદાર્થનો વિચાર સાખ્યદર્શનના આધારે કરવો જોઈએ. સામાન્ય રીતે અહીં ગુણસંપન્ન પ્રથમ ગુણસ્થાનક, ચતુર્થગુણસ્થાનક, ષષ્ઠસમગુણસ્થાનક અને સામર્થ્યયોગમાં લાયોપથમિક ભાવોના ત્યાગ... વગેરેની વિચારણાનું અનુસંધાન કરવાથી ઉપર જણાવેલી વાતનો થોડો થોડો ખ્યાલ આવી શકશે. બાકી તો તે અર્થનો સ્પષ્ટ ખ્યાલ યોગસૂત્ર'ના તલસ્પર્શી અધ્યયનથી જ મેળવી શકાશે. અહીં તો સામાન્યપણે દિપ્રદર્શનનું તાત્પર્ય છે; તેથી જિજ્ઞાસુએ અધ્યાપક પાસેથી સ્પષ્ટપણે સમજી લેવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ૨૦-૧૪
ઉપર જણાવ્યા મુજબ પાતલદર્શનાભિમત પ્રકારો અને ઉત્પત્તિના ક્રમ સાથે સપ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત નામના યોગવિશેષનું નિરૂપણ કર્યું. હવે તેનો યથાસંભવ (સફત બને તે રીતે) સ્વમતમાં જે રીતે જ્યાં અવતરણ