Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ आद्याश्चतस्रः सापायपाता मिथ्यादृशामिह । तत्त्वतो निरपायाश्च भिन्नग्रन्थेस्तथोत्तराः || २० -२८॥ “પહેલી ચાર દૃષ્ટિઓ મિથ્યાદષ્ટિઓને હોય છે. તે અપાયસહિત અને ચાલી જવાવાળી હોય છે. ત્યાર પછીની છેલ્લી ચાર દષ્ટિઓ તાત્ત્વિક રીતે અપાય વિનાની ભિન્નગ્રંથિક આત્માઓને હોય છે.’’-આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે મિત્રા તારા બલા અને દીપ્રા : આ ચાર દષ્ટિઓ આ જગતમાં મિથ્યાદષ્ટિઓને હોય છે. દુર્ગતિગમનમાં કારણભૂત કર્મના બળે તેમાં(દુર્ગતિગમનમાં) નિમિત્ત બનવાથી આ ચારેય દૃષ્ટિઓ અપાયવાળી(અપાયસહિત) છે અને કર્મની વિચિત્રતાના કારણે એ દૃષ્ટિઓ જતી રહેતી હોવાથી પાતસહિત હોય છે. આ ચારેય દૃષ્ટિઓ અવશ્ય પડવાના સ્વભાવવાળી જ હોય છે એવું નથી. કારણ કે ઉત્તર ચાર દૃષ્ટિઓમાં આ ચાર દષ્ટિઓ પરિણમનારી હોય છે. મિત્રાદિ દૃષ્ટિઓ અવશ્ય પતન પામનારી હોય તો તે સ્થિરાદિ દૃષ્ટિઓ રૂપે ક્યારેય નહીં થાય. તેથી મિત્રાદિ ચાર દષ્ટિઓ સપાત જ છે એવું નથી. ક્વચિત્ કર્મની વિચિત્રતાએ તે પતન પામનારી હોવાથી સપાત પણ છે. સ્થિરા કાન્તા પ્રભા અને પરા દષ્ટિ તો જેમણે ગ્રંથિભેદ કર્યો છે એવા આત્માઓને જ હોય છે. તાત્ત્વિક રીતે(પરમાર્થથી) તે દૃષ્ટિઓ અપાયથી રહિત છે. સ્થિરાદષ્ટિને પ્રાપ્ત કર્યા પછી પણ શ્રેણિક મહારાજાદિને જે અપાય(નરગમનાદિ) પ્રાપ્ત થયા તે, સ્થિરાદિ દષ્ટિઓની પ્રાપ્તિના અભાવકાળમાં ઉપાત્ત અશુભ કર્મના સામર્થ્યના ૫૦

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62