Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ જે પ્રવૃત્તિ કરે છે તે પરાર્થ માટે થાય છે. કારણ કે તેઓને શુદ્ધ બોધ હોય છે. તેઓ આગ્રહ વિનાના, મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત અને ગંભીર આશયવાળા હોય છે. ચારાને ચરનારો અને સંજીવનીને નહિ ચરનારો જે છે તેને ચરાવનારની નીતિથી આ યોગી જનોની પ્રવૃત્તિ એકાંતે પરાર્થકારિણી હોય છે...ઈત્યાદિ ‘યોગદષ્ટિ એક પરિશીલન' થી સમજી લેવું જોઈએ. ૨૦-૨૪ા દષ્ટિસામાન્યનું સ્વરૂપ વર્ણવાય છે અને તેનો વિભાગ કરાય છે सच्छ्रद्धासङ्गतो बोधो, दृष्टिः सा चाष्टधोदिता । मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा ॥ २० - २५ ॥ ‘“સત્પ્રદ્ધાથી સઙ્ગત એવા બોધને દૃષ્ટિ કહેવાય છે. તેના આઠ પ્રકારો શાસ્ત્રમાં જણાવાયા છે, જેનાં અનુક્રમે મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા-આ નામો છે.’-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે ચોવીસમા શ્લોકથી દૃષ્ટિભેદનું કારણ વર્ણવીને આ શ્લોકથી દૃષ્ટિનું સ્વરૂપ જણાવવા સાથે તેનો વિભાગ કરાય છે. સત્પ્રદ્ધાથી સૌંત એવો બોધ દૃષ્ટિ છે. શાસ્ત્રથી બાહ્ય(વિપરીત) અભિપ્રાયથી વિકલ(રહિત) એવા સદૂહ (સદ્વિચારણા) સ્વરૂપ સત્ શ્રદ્ધા છે. અસત્ એવી શ્રદ્ધાનું ગ્રહણ ન થાય એ માટે અહીં સત્ શ્રદ્ધાનું ઉપાદાન કર્યું છે. પોતાની ઈચ્છાને આશ્રયીને જે વિચારણા થાય છે, તેને ૪૧

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62