Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ ત્યાં તો બોધ જતો રહે છે. તેથી અભીષ્ટ કાર્યની નિષ્પત્તિ માટે અહીં સામર્થ્ય રહેતું નથી. તેથી અલ્પ સામર્થના કારણે અત્યંત ઉત્કટ એવી સ્મૃતિના બીજભૂત સંસ્કારોના આધાનની ઉપપત્તિ થતી નથી. આ રીતે વિકલ પ્રયોગ(ભલીવાર વિનાનો)ના કારણે અહીં વંદનાદિ અનુષ્ઠાનો ભાવથી થતાં નથી. પરંતુ દ્રવ્યથી થાય છે. તારાદષ્ટિ છાણાના અગ્નિના કણ જેવી છે; અર્થા આ દષ્ટિનો બોધ ગોમયાગ્નિકણજેવો છે. આ દષ્ટિ પણ મિત્રાદષ્ટિ જેવી જ છે. સહેજ ફરક છે. પરંતુ એથી તાત્વિક દષ્ટિએ કોઈ વિશિષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. વિશિષ્ટ સ્થિતિ અને વીર્ય(સામર્થ)ની વિકલતાને લઈને સ્મૃતિની પટુતા(દઢતા) સિદ્ધ થતી નથી. અને તેથી તેના અભાવે પ્રયોગ(પ્રવૃત્તિ)ની વિકલતાના કારણે તે કાર્યનો અભાવ થાય છે અર્થાત્ વિવક્ષિત કાર્ય થતું નથી. બલાદષ્ટિનો બોધ કાષ્ઠના અગ્નિકણ જેવો છે. પહેલી અને બીજી દષ્ટિના બોધની અપેક્ષાએ થોડો વિશિષ્ટ એવો અહીં બોધ છે. તેને લઈને અહીં બોધની સ્થિતિ અને વીર્ય થોડું અધિક હોય છે. તેથી લગભગ અહીં પટુ સ્મૃતિ હોય છે. યોગની પ્રવૃત્તિના પ્રયોગકાળમાં સ્મૃતિ વિદ્યમાન હોવાથી યોગની પ્રવૃત્તિના અર્થની પ્રીતિને કારણે તેમાં થોડો પ્રયત્ન થાય છે. ચોથી દીપ્રાદષ્ટિ દીપપ્રભાવી છે. અહીં દીપની પ્રભા જેવો બોધ હોય છે. આ પૂર્વેની ત્રણેય દષ્ટિ કરતાં અહીં વિશિષ્ટતર બોધ હોય છે-એ સમજી શકાય છે. આથી અહીં બોધની સ્થિતિ અને વીર્ય(ઉલ્લાસ-સામર્થ્ય)

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62